en
Feedback
Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Open in Telegram

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Show more
6 507
Subscribers
-324 hours
-257 days
-7930 days
Posts Archive
----------------------- વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા ----------------------- પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોન
----------------------- વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા ----------------------- પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા એટલે કે બીજ વગરના ફળ મેળવવા. • કળીઓનુ અંકુરણ થતું અટકાવવા • પાકમાં થતા નિંદમણને અંકુશમાં રાખવા / દૂર કરવા • યોગ્ય કદના ફળોનો વિકાસ કરવા • સૂર્ય પ્રકાશનો સમય ઘટાડવા માટે • વૃદ્ધિ (પ્રજનન સિવાયની)દબાવી દેવા. • બીજનુ અંકુરણ વધારવા તથા બીજની સુષુપ્ત અવસ્થા દૂર કરવા કટકાને મૂળ ઉત્પન્ન કરવા ફૂલ બેસવા, ઉત્તેજીત કરવા અથવા અટકાવવા પાકને જંતુ અથવા કિટક પ્રતિકારક બનાવવા પાકને પ્રતિકુળ વાતાવરણ જેવા કે તાપમાન, પાણી અને ખરાબ હવામાન સામે પ્રતિકારક બનાવવા • છોડનું રાસાયણિક બંધારણ જાળવવા તથા ફળના રોગનુ નિયંત્રણ કરવા • ફળની પરિપકવતા ઝડપી અથવા ધીમી કરવા 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ, તૈયારી શું કરવાની ? ----------------------- તૈયારી શું કરવાની ?
----------------------- ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ, તૈયારી શું કરવાની ? ----------------------- તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર એગ્રીલેન્ડ કંપનીની લેજો અને સમયે સમયે બદલતા રહેજો, આ લખાય છે ત્યારે ગુલાબી ઈયળના કુદાની અવરજવર ફેરોમોન ટ્રેપમાં દેખાતી નથી તેનો મતલબ એમ ગણી શકાય કે અત્યારે આત્મધાતી પેઢીના કુદાની એકટીવીટી પૂરી થઈ. તમારા વિસ્તારની માહિતી અમને વોટ્સએપ કરીને કેજો 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ? ----------------------- દશેરી અને આમ્રપાલી
----------------------- આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ? ----------------------- દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X ૩ મીટર, ૬ મીટર x ૪ મીટરના ગાળે અનુકૂળતા પ્રમાણે અંતર રાખી એકમ વિસ્તાર દીઠ વધુ સંખ્યામાં કલમો રોપી શકાય છે. સાંકળા ગાળે વાવેતર કરવામાં આવે ત્યારે રોપણી પછી કેળવણી અને છટણીની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો શરૂઆતના વર્ષોમાં કેળવણી પર ધ્યાન ન આપવામાં આવે તો પછીના વર્ષોમાં ઘણું આર્થિક નુકશાન વેઠવું પડે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- ફળપાકોમાં આવતી બહારની મોસમ એટલે શું ? ----------------------- વૃક્ષોમાં ફૂલો ખીલવાની વેળાને “બહાર” કહ
----------------------- ફળપાકોમાં આવતી બહારની મોસમ એટલે શું ? ----------------------- વૃક્ષોમાં ફૂલો ખીલવાની વેળાને “બહાર” કહેવાય છે. વરસના બાર મહિનાઓમાં વૃક્ષોમાં ફૂલો ખીલવવાની વેળાઓ હોય છે મૂખ્યત્વે ત્રણ. બહારની ઋતુઓ ઓળખવા તેને તે વખતની પરિસ્થિતિ મુજબ જુદાજુદા નામ રાખ્યા છે. આંબામાં જે વખતે મહોર આવે તે વેળાને “આંબેબહાર” કહેવાય. એ સમય હોય છે ડીસે-જાન્યુઆરી માસનો. ફૂલોના આવિર્ભાવનો બીજો સમયગાળો જૂન-જૂલાઇ માસનો છે, જે વખતે “મૃગ” નક્ષત્ર ચાલતું હોવાથી આ બહારને “મૃગબહાર” નામ અપાયું છે. અને “હસ્ત” નક્ષત્રમાં એટલે કે ઓક્ટો-નવેમ્બરમાં જે ફૂલો પ્રગટે તેને “હસ્તબહાર” ના નામથી ઓળખવામાં આવે છે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- મકાઇના પાનનો સૂકારો ----------------------- ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મ
----------------------- મકાઇના પાનનો સૂકારો ----------------------- ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનો ૧૦ ટકાના અર્કનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- પ્રયોગ: સોલાર ટ્રેક્ટર ----------------------- નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે
----------------------- પ્રયોગ: સોલાર ટ્રેક્ટર ----------------------- નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું ખર્ચાળ છે. અહીં આજુબાજુની સોસાયટીમાં તરબૂચ વેચવા માટે આ જ ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. એક ટન વજન આરામથી વહન કરી શકાય છે. હ. ચાર કલાકમાં પાંચ વોટનું ચાર્જિંગ થઈ શકે છે. તેની બેટરી સાતથી દસ હજારની આવે છે . આ ટ્રેક્ટરથી દવાનો છંટકાવ પણ કરી શકાય છે. ચારથી છ ઇંચ જમીનનું ખેડાણ કરી શકાય છે. નવીનભાઈ કહે છે કે, ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીનને સૂર્યપ્રકાશ મળે છે. ઊંડી ખેડ કરવાથી જમીનજન્ય ફૂગ, કોશેટા વગેરે નાશ પામે છે. ચંદુભાઈએ ધરુ કરીને ટેટી વાવી છે. તેમાં ૧૧૦૦૦ રોપા વાવ્યા હતા. પહેલી જ વખત ૧૩ ટન ટેટીનું ઉત્પાદન થયું. પચાસ દિવસે ટેટી લાગે છે. પાણીનો બચાવ થાય છે. ૧૮ દિવસના રોપા 9 માર્ચે વાવ્યા હતા, ૨૨ દિવસે ફૂલ આવવાનાં શરૂ થઈ ગયા હતા. નર્સરીમાં છોડ ઉછેરીને ટેટી વાવવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ? ----------------------- મેળામાં જતી વખતે મન ક
----------------------- બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ? ----------------------- મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના દરવાજે બધા છુટ્ટા એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો બીજી પ્રાકૃતિક ખેતીની, ત્રીજી ટુકડી વળી હવામાન યંત્રો, ડ્રોન સેવા આપણા ગામડે કેવી રીતે મળે ? તે જાણે અને આ બધી ટુકડી ડાયરીમાં નોંધ કરે, સ્ટોલવાળા પાસેથી લિટરેચર અને વિઝિટિંગ કાર્ડ લે , જ્યાં જયા ક્યુઆર કોડથી સોસીઅલ મીડિયામાં જોડાવાની સગવડતા હોય ત્યાં વૉટ્સઍપમાં જોડાય જવાનું એટલે પછી કંપની આપણને માહિતી મોકલતી રહે અને હા સ્ટોલમાં દર્શાવેલી પ્રોડક્ટના મોબાઇલથી ફોટા પાડવાનું તો ભુલવાનું જ નહિ એટલે પછી ગામડે આવીને એક મીટીંગમાં દરેક ટુકડી પોતાની વાત રજુ કરે, બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ? 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ ----------------------- પ્રકાશ પિંજર
----------------------- જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ ----------------------- પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે. વધુ ઉપદ્રવ હોય તો ક્લોરપાયરીફોસ 20 ઈસી 30 મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી 6 મિલિ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી 15 મિલિ અથવા થાયામેથોકઝામ ૧૨.૬% લેમ્ડાસાયહેલોથ્રીન ૯.૫ % ઝેડસી 6 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪% દાણાદાર કીટનાશક ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે છોડની ભૂંગળીમાં આપવી અને ત્યારબાદ ૧૫ દિવસે બીજી વખત માવજત મકાઈ ૨૫-આપવાથી પણ સારા પરિણામ મળે છે. ૩૦ દિવસની થાય ત્યારે વિષ પ્રલોભિકા (૧ એકર માટે ૧૦ કિ.ગ્રા. ડાંગરનુ ભૂસુ ૨ કિ.ગ્રા. ગોળનું દ્રાવણ બનાવી મિશ્રણ કરી એક રાત્રિ સુધી રહેવા દેવું. બીજા દિવસે તેમાં…

----------------------- એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી ----------------------- • અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આ
----------------------- એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી ----------------------- • અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો તેની વધુ પડતી સાંદ્રતાની અસર બીજના વિકાસમાં અવરોધ થઈ શકે છે. • જમીનમાં વધુ પડતું ખાતર નાખવાથી જમીન અમ્લ બને છે. વધુ વરસાદને લીધે જમીનના ધોવાણથી સલ્ફર સ્થાનિક જળમાર્ગે મીક્ષ થઈ પાણીની ગુણવત્તાને નુકસાન પહોચાડી શકે છે. • એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવાનો ધ્યેય છોડની તંદુરસ્ત વૃદ્ધિને ટેકો આપવાનો છે. જ્યારે જમીનની રચનાના મૂલ્યાંકનની વાત આવે ત્યારે આ ખાતર તેમાં મદદ કરતું નથી. • જો આ ખાતરનો જમીનમાં વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો કાયમી માટે જમીનનો pH આંક બદલી શકે છે એટલે કે જમીનને એસિડીક બનાવી શકે છે. એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવાથી પાકને પાકવાના દિવસોમાં વધારો કરી શકે છે, જેથી ભલામણ કરેલ ખાતરનો જથ્થો વાપરવો જોઈએ. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી ----------------------- આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ મા
----------------------- તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી ----------------------- આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- બાયોચાર વિશે જાણો ----------------------- બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જય
----------------------- બાયોચાર વિશે જાણો ----------------------- બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો સમાવેશ થાય છે, આથી આપણે આ મુદ્દાને સાવધાની સાથે સંબોધીએ તે મહત્વપૂર્ણ છે. જાે કે, ઓછી ફળદ્રુપતા ધરાવતી ક્ષતિગ્રસ્ત જમીનમાં બાયોચારનો ઉપયોગ આશાસ્પદ લાગે છે અને આબોહવા પરિવર્તનને ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરવા માટે ઉચ્ચ સંભાવના ધરાવે છે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ ----------------------- આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમ
----------------------- આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ ----------------------- આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા પાક વિમાને અચૂક ધ્યાને લેવા. • પરંપરાગત તાંત્રિકતાને સમજીને અમલમાં મુકવી. આબોહવા બદલાવની સામાન્ય જનસમુદાય તથા કૃષિ સાથે સંકળાયેલ વર્ગમાં આ બાબતની સમયાંતરે જાણકારી માટે ચર્ચા સભાઓ યોજવી. • સામાન્ય જનસમુદાય વ્યક્તિગત રીતે આબોહવા બદલાવને નાથવા માટે શું યોગદાન આપી તેની વિગતે જાણકારી આપવી. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- બ્રોકોલી ખાવ તો ફાયદો અનેક ----------------------- બ્રોકલી એ ફુલાવર ના કુળનું શાકભાજી છે. બ્રોકલી એ શ
----------------------- બ્રોકોલી ખાવ તો ફાયદો અનેક ----------------------- બ્રોકલી એ ફુલાવર ના કુળનું શાકભાજી છે. બ્રોકલી એ શરીરને આવશ્યક ક્ષારો અને વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે. બ્રોકોલીમાં સલ્ફર તથા વિટામિન સી સારા એવા પ્રમાણમાં હોય છે જે શરીરમાંથી ખરાબ દ્રવ્યો દૂર કરે છે, તેમાં રહેલા રેસાઓને કારણે પાનમાં તેમજ તેમાં એન્ટિ એજીંગ માટેના ગુણધર્મો પણ રહેલા છે, તેમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસિડ આપના શરીરમાં આવતા હાર્ટ એટેકથી પણ બચવામાં મદદ કરે છે, તેમજ બીટા કેરોટિનનો સ્ત્રોત હોવાથી આંખની સતેજતા પણ વધારે છે. બ્રોકલી લોહતત્વનો સારો એવો સ્ત્રોત હોવાથી એનીમિયા જેવી બીમારી સામે પણ અસરકારક નીવડે છે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- ડાંગરનો કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ ----------------------- રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 10
----------------------- ડાંગરનો કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ ----------------------- રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 10 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મિલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫- ૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવા. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)થી બચાવવા શું કરવું જોઈએ ? ----------------------- છોડને પડતા છુપા તણાવ એટલે
----------------------- છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)થી બચાવવા શું કરવું જોઈએ ? ----------------------- છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની નીચે ગૂંગળામણ થવી એટલે છોડને ઓછો ઓક્સિજન મળવાથી મૂળની ગૂંગળામણને કૃષિ વિજ્ઞાનની ભાષામાં એનોક્સિયા કહે છે . જો સતત ૪-૫ દિવસ સુધી પાણી ભરાઈ રહે, તો માટીમાં રહેલો બધો જ ઓક્સિજન ખલાસ થઈ જાય છે. સ્થિતિ એનોક્સિયામાં ફેરવાઈ જાય છે અને છોડના મૂળ સડીને નાશ પામે છે. વધુ પડતું પાણી એ કોઈ સમૃદ્ધિ નથી તે ઓક્સિજનની અછત છે. મૂળ શ્વાસ લેવા માટે સંઘર્ષ કરે છે. છોડને ભેજ જોઈએ છે તેના માટે ડ્રિપ ઇરીગેશન એક આદર્શ પદ્ધતિ છે આપણે આપણી ખેતી માં સપાટ ક્યારની ખેતી પદ્ધતિ બદલીને પાળા અને મલચીંગ અને ડ્રિપ સાથે ખેતી કરવાનું અપનાવવું પડશે મિત્રો. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ ----------------------- બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલી
----------------------- કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ ----------------------- બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા ડાયનેટોફ્યૂરાન ૨૦ એસજી 15 ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી 15 મિલિ અથવા ફીપ્રોનિલ ૫ એસસી 30 મિલિ અથવા એસીફેટ ૫૦% ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી 15 મિલિ અથવા એસીફેટ ૨૫% ફેનવાલરેટ ૩% ઈસી 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું? ----------------------- હાલના સમયગાળા
----------------------- ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું? ----------------------- હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧% )નું પાણીમાં દ્રાવણ બનાવીને જમીનમાં ડ્રેનચિંગ (રેડવાનું) હોય છે. ડ્રેન્ચિંગ કર્યા બાદ ગ્રીન હાઉસના વેન્ટીલેશનની જગ્યાઓ બંધ કરી દેવી અને ગ્રીન હાઉસની જમીનને કાળા પ્લાસ્ટિક કવરથી ૩ થી ૪ દિવસ સુધી ઢાંકી રાખવી. ત્રણ થી ચાર દિવસ પછી પ્લાસ્ટિકને દૂર કરવું અને જમીનમાં પૂરતું પાણી આપવું જેનાથી જમીનમાં રહેલો વધારાનો ફોર્માલ્ડિહાઈડનો વાયુ બહાર નીકળી જાય.ઘણી જગ્યાએ નિર્જીવોકરણ ન કરવામાં આવ્યું હોય ત્યાં કૃમિનો ઉપદ્રવ થઇ જતો હોય છે . 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી ----------------------- પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી
----------------------- પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી ----------------------- પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ – ૩૬૩૫૨૦ પશુ વીમાના ફાયદાઓ પશુને આંશિક કે કાયમી ખોડખાપણ વાળા કિસ્સામાં આર્થિક ફાયદો થાય છે પશુ વીમામાં દર્શાવવામાં આવેલ કારણો મુજબના કારણથી પશુનું મૃત્યુ થાય તો તે કિસ્સામાં આર્થિક મદદ મળે છે. પશુનું વાઢકાપ (સર્જરી) દરમિયાન કે ત્યાર પછી મૃત્યુ થાય તે કિસ્સામાં પશુપાલકને આર્થિક રીતે ફાયદો થાય છે પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ? દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે) દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ હોય છે. જેમાં પશુની ઉંમરને ધ્યાને લઈને પશુ વીમો લઇ શકે છે. દા.ત. વાછરડી/પાડી કે જેમની ઉંમર ૯૦ દિવસથી વધુ હોય. વોડકીઓ, દૂધાળ ગાય અને ભેંસ આખલા અને પાડા વગેરે માટે તેમની ઉંમરને આધારભૂત ગણી તે પશુને જે તે શ્રેણીમાં રાખી વીમો લઈ શકાય છે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો ----------------------- આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસ
----------------------- આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો ----------------------- આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો • પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં ઘઉંમાં દાણા ભરાવવાની અવસ્થાની અવધિમાં ઘટાડો જોવા મળશે. • હવામાનની અસામાન્ય ઘટનાઓ જેવી કે વિનાશક પુર, દુષ્કાળ, ચક્રવાતી વાવાઝોડા અને અતિશય ગરમ પવનોના કારણે કૃષિ પાકોની ઉત્પાદકતા ઘટતી જોવા મળશે. • સૂકી ખેતી વિસ્તારમાં વરસાદની તરેહ બદલાતા પાકને પાણીની ખેંચ વધતાં પાક ઉત્પાદન ઘટશે. • વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે ઉત્તર ભારતમાં રાયડો અને શાકભાજીના પાકોમાં ઉત્પાદન ઘટતું જોવા મળશે. • ફળપાકો, શાકભાજી, ચા, કોફી, સુગંધિત અને ઔષધીય પાકોની ગુણવત્તામાં ઘટાડો જોવા મળશે. • આઈપીસીસી રિપોર્ટ અનુસાર, જો તાપમાનમાં ૧૪ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થશે તો ભારતમાં ચોખાનું ઉત્પાદન ૧૦ થી ૩૦ ટકા, મકાઈનું ઉત્પાદન ૨૫ થી ૭૦ ટકા સુધી ઘટી શકે છે. રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનની સાથે જ એશિયામાં ખેતી અને ખાદ્યપદાર્થોને લગતા જોખમ અલગ અલગ…