uk
Feedback
Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Відкрити в Telegram

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Показати більше
6 684
Підписники
+324 години
-27 днів
-3330 день
Архів дописів
----------------------- કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ? ----------------------- કૃમિગ્રસ્ત છોડ દેખાવમાં ઠીંગણા રહે, પાન
----------------------- કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ? ----------------------- કૃમિગ્રસ્ત છોડ દેખાવમાં ઠીંગણા રહે, પાન પીળા પડી અમુક કિસ્સામાં જાડા થતા છોડની વૃદ્ધિ અટકે છે. દૂરથી છોડને પોષક તત્વોની ઊણપ હોય તેવું લાગે છે. ગરમીના સમયે બપોરે આવા કૃમિગ્રસ્ત છોડ જમીનમાં પુરતો ભેજ હોવા છતાં ચીમળાઈ ગયેલા દેખાય છે. જો શરૂઆતથી જ કૃમિનો ઉપદ્રવ વધારે હોય તો છોડ સૂકાઇ જાય છે. કૃમિગ્રસ્ત છોડને ખાતર-પાણી આપતા થોડા સમય માટે તેની વદ્ધિમાં સુધારો જોવા મળે છે, પરંતુ લાંબા ગાળે તેની વૃદ્ધિ તંદુરસ્ત છોડ કરતાં ઘણી ઓછી જોવા મળે છે અને ઉત્પાદન પણ ઘટે છે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ ----------------------- જો ટેક્
----------------------- કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ ----------------------- જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા ખેતી ક્ષેત્રમાં જે પરિવર્તન આવશે અને તેનાથી પાકના રોગ જીવાતનું નિદાન અને પાક સંરક્ષણ સચોટ થશે . ઉદાહરણ તરીકે, ખેતરમાં મૂકેલું હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા થયેલું સ્કાઉટીંગ એટલે કે ખેતરનું અવલોકનના આધારે છોડ માટે જરૂરી સારવાર માટે દવા કે ફુગનાશક ડ્રોન છાંટી આપશે .જમીનમાં રહેલા ટેન્શિયોમીટર કહેશે એટલે ઓટોમેટિક ડ્રિપ ચાલુ થશે અને કોમ્પ્યુટર જેટલા ઇંચ પિયત આપવાનું કહેશે તેટલું પાણી ફર્ટિગેશન સાથે પૂર્ણ કરી ઓટોમેટિક બંધ થઇ જશે . આ બધું તમારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારી આંગળીના ટેરવે થશે અને મોબાઇલ તમને કઈ દવા મંગાવી લેવી તે પણ જણાવશે બોલો !. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- શું છે આ ચાઈનાનું લાર્જ લેંગ્વેજ મોડેલ “ગ્રીન શીલ્ડ”, તેનું ખેતીમાં શું કાર્ય છે જાણો .. ------------
----------------------- શું છે આ ચાઈનાનું લાર્જ લેંગ્વેજ મોડેલ “ગ્રીન શીલ્ડ”, તેનું ખેતીમાં શું કાર્ય છે જાણો .. ----------------------- ચીન હંમેશા વિશેષ કરતુ હોય છે. ખેતી માટે પણ ચાઈના ખેડૂતો માટે ખાસ કાર્ય કરી રહ્યાના સમાચાર છે. પાક સુરક્ષા માટે ચાઈના તેનું પ્રથમ ઓપનસોર્સ લાર્જ લેંગ્વેજ મોડેલ “ગ્રીન શીલ્ડ” બનાવ્યું છે, જેનો હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ માર્ગદર્શન અને વધુ સુરક્ષિત કીટનાશકના ઉપયોગમાં મદદ કરવાનો છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડેઇલીના અહેવાલ મુજબ, નેશનલ કી લેબોરેટરી ઓફ એગ્રીકલ્ચરલ બાયોસેફ્ટી અને ૩૦ થી વધુ ઉદ્યોગ સંસ્થાઓના સહયોગથી નાનજિંગ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (NAU) દ્વારા વિકસાવવામાં આવેલ આ મોડલ અત્યંત વૈજ્ઞાનિક કૃષિ માર્ગદર્શન આપવા અને જંતુનાશકોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કારણકે “ચીન વારંવાર પાકમાં જંતુઓના ઉપદ્રવ અને જંતુનાશકો સામે પ્રતિકાર શક્તિ (રેઝિસ્ટન્સ) વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.” 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ ----------------------- જો ટેક્
----------------------- કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ ----------------------- જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા ખેતી ક્ષેત્રમાં જે પરિવર્તન આવશે અને તેનાથી પાકના રોગ જીવાતનું નિદાન અને પાક સંરક્ષણ સચોટ થશે . ઉદાહરણ તરીકે, ખેતરમાં મૂકેલું હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા થયેલું સ્કાઉટીંગ એટલે કે ખેતરનું અવલોકનના આધારે છોડ માટે જરૂરી સારવાર માટે દવા કે ફુગનાશક ડ્રોન છાંટી આપશે .જમીનમાં રહેલા ટેન્શિયોમીટર કહેશે એટલે ઓટોમેટિક ડ્રિપ ચાલુ થશે અને કોમ્પ્યુટર જેટલા ઇંચ પિયત આપવાનું કહેશે તેટલું પાણી ફર્ટિગેશન સાથે પૂર્ણ કરી ઓટોમેટિક બંધ થઇ જશે . આ બધું તમારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારી આંગળીના ટેરવે થશે અને મોબાઇલ તમને કઈ દવા મંગાવી લેવી તે પણ જણાવશે બોલો !. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- જો એકલા કપાસનું જ વાવેતર કરવું હોય તો “કપાસની વચ્ચે કપાસ” વાળી પદ્ધત્તિ અપનાવીએ ---------------------
----------------------- જો એકલા કપાસનું જ વાવેતર કરવું હોય તો “કપાસની વચ્ચે કપાસ” વાળી પદ્ધત્તિ અપનાવીએ ----------------------- સામાન્ય રીતે આપણે કપાસની વચ્ચે અન્ય પાકને આંતરપાક તરીકે લેવાનું કરતા હોઇએ છીએ ત્યારે ૬ ફૂટના પાટલે-બે છોડ વચ્ચેનું અંતર ૩ ફૂટનું રહે તે રીતે કપાસ અને વચ્ચે અન્ય પાકનો એક ચાસ એવું કરતા હોઇએ છીએ, ત્યારે એકરે ૨૪૨૦ છોડ કપાસના મળતા હોય છે. પણ કપાસની વચ્ચે બીજા કોઇ પાક લેવાને બદલે કપાસની વચ્ચે બસ – ”કપાસ” જ આ નવી પદ્ધત્તિ પ્રમાણે રોપી દઈએ અને દરેક ચાસમાં બે છોડ વચ્ચે દોઢ ફૂટનું અંતર રહે તે રીતે કપાસની ઘાટી રોપણી કરીએ તો જ્યાં એકરે ૨૪૨૦ છોડની સંખ્યા મળતી હતી તેની જગ્યાએ તેનાથી ચારગણી એટલે કે ૯૬૮૦ છોડવા મળી જાય ! આ માટે વહેલી પાકતી જાતનું બીજ પસંદ કરી, પોષણ-સંરક્ષણ-પિયતમાં પૂરતી ચીવટ લેવાય તો હુતાસણી સુધી ઊભા રાખેલ કપાસના પ્લોટમાં જે ઉત્પાદન મેળવી શકાય છે એનાથી વધુ ઉત્પાદન એકરદીઠ દિવાળી આવતાં સુધીમાં મેળવી શકાય છે, અને પાણીની સગવડ હોય તો એ જમીનમાં કોઇપણ રવિપાક લઈ લઈ શકાય છે ! અમે આ પદ્ધત્તિએ વાવેલ પ્લોટમાં નવેમ્બર આખરમાં કપાસને પૂર્ણ કરી ડીસેમ્બરની શરૂઆતે ઘઉંનો ઉત્તમ…

----------------------- આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર ----------------------- કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપ
----------------------- આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર ----------------------- કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે એ જાણી રહ્યા છીએ કે કોમ્પ્યુટર શું શું કરી શકે છે તેની વાત હવે તમે વાંચો , આ નવી શોધ એઆઈ ના લીધે આવતા વર્ષોમાં ગાડી ચલાવવાની એટલે કે ડ્રાઈવરની જરૂર નહિ પડે કાર સ્વયં તેની રીતે ચાલશે બોલો . તમારું ટ્રેક્ટર પણ પોતાની રીતે ચાલશે અને હા, એક્સિડન્ટ પણ નહિ થાય . ડ્રાઇવિંગ કરવા માટે જે જે માનસિક ગણતરીઓ કરવી પડે એ બધી જ કોમ્પ્યુટર સોફ્ટવેર સરસ કરી શકે છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ગૂગલે ડ્રાઇવર વગરની કાર બનાવી છે. આ કારે ૨ લાખ કિલોમીટર પૂરા કર્યા; એ પણ એક પણ અકસ્માત વગર. અહીંયા એક બાબત નોંધાવી જોઈએ કે દર વર્ષે રોડ અકસ્માતમાં દુનિયામાં ૧૨.૫ લાખ લોકો મૃત્યુ પામે છે. જ્યારે આ અકસ્માતોનું પૃથક્કરણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કુલ ત્રણ કારણોથી આ અકસ્માતો સર્જાય છે: (૧) ડ્રાઇવિંગ દરમિયાન ઊંઘ આવવી, (૨) દારૂ જેવો કોઈ નશો કરીને ડ્રાઇવિંગ કરવું અને (૩) ડ્રાઈવિંગ દરમિયાન બેધ્યાન થવું. આ ત્રણેય વાતો કોમ્પ્યુટર સોફ્ટવેર નથી કરતું એટલે તે ભૂલ નહિ કરે , ખેતરની ચતુરદિશા આપી…

----------------------- પોષક અને જીવાત પ્રતિરોધક દ્રાવણ ----------------------- આત્મારામ રામાભાઈ પ્રજાપતિ, મુ. પારસા લીમડાના
----------------------- પોષક અને જીવાત પ્રતિરોધક દ્રાવણ ----------------------- આત્મારામ રામાભાઈ પ્રજાપતિ, મુ. પારસા લીમડાના પાન, સીતાફળી ના પાન અને સરગવાના પાનને છાણ સાથે સડાવીને તેનું દ્રાવણ અથવા અર્ક બનાવવાની પદ્ધતિ પારસા ગામના આત્મારામ ભાઈ એ વિકસાવી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર, ત્રણ ફૂટ પહોળા અને છ ફૂટ લાંબા સિમેન્ટના ટાંકામાં આ પ્રક્રિયા કરીએ છીએ. સહુ પ્રથમ ૧૦ કિલો તાજા છાણનો થર કરીએ છીએ. તેની ઉપર પાંચ કિલો સરગવાના પાન પાથરીએ છીએ. તેની ઉપર ફરી ૧૦ કિલો છાણની રબડી પાથરીએ છીએ. ફરી ઉપર પાંચ કિલો લીમડાના પાન અને છાણની રબડી, તેની ઉપર પાંચ કિલો સીતાફળના પાન; આમ ક્રમશઃ ટાંકો ભરી દઈએ છીએ. ટાંકાની વચ્ચેના ભાગમાં પીવીસી પાઇપ વડે હોલ પાડીએ છીએ. આ જે ટાંકો છે, એમાં નીચેની બાજુ એક નળ અમે ફિટ કર્યો છે. અંદર રહેલ સરગવા, લીમડા અને સીતાફળના પાન છાણની રબડીના સંપર્કથી સડવાની ક્રિયા થાય છે. ઉપરથી ભેજ-પાણી આપતા રહીએ છીએ. લગભગ ૨૦ દિવસ પછી અમે નીચે રહેલ નળ ખોલીને તેમાંથી દ્રાવણ મેળવીએ છીએ. જેટલું દ્રાવણ જોઈએ એટલું ઉપરથી પાણી નાખીએ છીએ, અને બીજા- ત્રીજા દિવસે આ દ્રાવણ કાઢીએ છીએ. એટલે એક રીતે જોઈએ તો આ ત્રણેય…

----------------------- ખેતરમાં કૃમિ નિયંત્રણ ----------------------- * ઉનાળામાં બે થી ત્રણ વખત ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જમી
----------------------- ખેતરમાં કૃમિ નિયંત્રણ ----------------------- * ઉનાળામાં બે થી ત્રણ વખત ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જમીનને ઉનાળામાં સૂર્યના તાપમાં તપાવવી * ગંઠવા કૃમિ લાગેલ છોડ/ગૂંટી કે કંદનો ઉપયોગ કરવો નહિ. * ખેતરમાં ગંઠવા કૃમિની હાજરી જણાય તો આવા ખેતરમાં દાડમ, જામફળ, લીંબુનું વાવેતર ન કરવું. • ટામેટીના પાકમાં ગંઠવાકૃમિના નિયંત્રણ માટે ધરૂની ફેરરોપણી નવેમ્બર માસના પહેલા અઠવાડીયામાં કરવી જોઈએ. * જો ખેતરમાં ગંઠવાકૃમિનો ઉપદ્રવ હોય તો મકાઈ, જુવાર, બાજરા, ઘઉં જેવા ધાન્ય પાકો અથવા તો તલ, રાઈ જેવા પાકો સાથે ફેરબદલી કરવી. * સેન્દ્રિય ખાતરો જેવા કે છાંણિયું ખાતર હેક્ટરે ૮ થી ૧૦ ટન અથવા મરઘાંની હગારનું ખાતર હેક્ટરે ૨.૫ થી ૩ ટન અથવાં જુદા-જુદા ખોળ જેવા કે દિવેલી, લીંબોળી, રાયડો વગેરે ૧ થી ૨ ટન જમીનમાં વાવણી/રોપણીના ઓછામાં ઓછા ૧૦-૧૫ દિવસ અગાઉ ભેળવીને કોહવડાવવાથી કૃમિનું નિયંત્રણ કરી શકાય. દૂધીના પાકમાં ગંઠવાકૃમિના નિયંત્રણ માટે રાયડાનો ખોળ ૩૩૩૩ કિ.ગ્રા./હે. અથવા લીમડાનો ખોળ ૪૨૮૬ કિ.ગ્રા./હે. એક અઠવાડીયા પહેલાં આપી વાવણી કરવી. ચોમાસું મગમાં ગંઠવાકૃમિના અસરકારક નિયંત્રણ માટે શિયાળામાં…

----------------------- આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર ----------------------- કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપ
----------------------- આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર ----------------------- કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે એ જાણી રહ્યા છીએ કે કોમ્પ્યુટર શું શું કરી શકે છે તેની વાત હવે તમે વાંચો , આ નવી શોધ એઆઈ ના લીધે આવતા વર્ષોમાં ગાડી ચલાવવાની એટલે કે ડ્રાઈવરની જરૂર નહિ પડે કાર સ્વયં તેની રીતે ચાલશે બોલો . તમારું ટ્રેક્ટર પણ પોતાની રીતે ચાલશે અને હા, એક્સિડન્ટ પણ નહિ થાય . ડ્રાઇવિંગ કરવા માટે જે જે માનસિક ગણતરીઓ કરવી પડે એ બધી જ કોમ્પ્યુટર સોફ્ટવેર સરસ કરી શકે છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ગૂગલે ડ્રાઇવર વગરની કાર બનાવી છે. આ કારે ૨ લાખ કિલોમીટર પૂરા કર્યા; એ પણ એક પણ અકસ્માત વગર. અહીંયા એક બાબત નોંધાવી જોઈએ કે દર વર્ષે રોડ અકસ્માતમાં દુનિયામાં ૧૨.૫ લાખ લોકો મૃત્યુ પામે છે. જ્યારે આ અકસ્માતોનું પૃથક્કરણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કુલ ત્રણ કારણોથી આ અકસ્માતો સર્જાય છે: (૧) ડ્રાઇવિંગ દરમિયાન ઊંઘ આવવી, (૨) દારૂ જેવો કોઈ નશો કરીને ડ્રાઇવિંગ કરવું અને (૩) ડ્રાઈવિંગ દરમિયાન બેધ્યાન થવું. આ ત્રણેય વાતો કોમ્પ્યુટર સોફ્ટવેર નથી કરતું એટલે તે ભૂલ નહિ કરે , ખેતરની ચતુરદિશા આપી…

----------------------- ખેતી પાકોમાં નુકસાનના આધારે જીવાતોની ઓળખ ----------------------- આજે ભાગ્યે જ એવો કોઈ પાક હશે કે જેમા
----------------------- ખેતી પાકોમાં નુકસાનના આધારે જીવાતોની ઓળખ ----------------------- આજે ભાગ્યે જ એવો કોઈ પાક હશે કે જેમાં જંતુનાશક રસાયણોનો ઉપયોગ થતો ન હોય. સમયસર ખેડ, ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો, રાસાયણિક ખાતરો અને પિયત ઉપરાંત પાક સંરક્ષણ એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. દુનિયાભરમાં આશરે ૪૦% જેટલો અનાજનો બગાડ રોગ-જીવાત અને કૃમિથી થાય છે જે પૈકી લગભગ ૧૨% જેટલો ફાળો ફકત કીટકોનો છે. ખેતી પાકોમાં કીટકોથી થતું મોટા ભાગનું નુકસાન તેમની ખોરાક મેળવવાની પ્રવૃતિને આભારી છે. કીટકના મુખાંગ પાકના વિવિધ ભાગોને કાપીને ખાઇ શકે તેવા પ્રકારના હોય છે. પરંતુ કીટકોની ઉત્ક્રાંતિ થતા તેમના મુખાંગ પાકના ફૂલ, ફળ, મૂળ વગેરેમાંથી તથા બીજા કીટકોના શરીરમાંથી રસ ચૂસી શકાય તે માટે ભિન્ન ભિન્ન રીતે વિકસ્યા છે. કીટકોના નાશ માટે વપરાતા કીટનાશકો પૈકી કેટલાક સ્પર્શજન્ય ઝેર તરીકે ઓળખાય છે. જયારે કેટલાક પેટના ઝેર તરીકે અસર કરે છે. પેટના ઝેર તરીકે અસર કરતા કીટનાશકોના ઉપયોગ ચાવીને ખાનાર મુખાંગવાળા કીટકોના નાશ માટે પાકમાં તેમની હાજરી હોય ત્યારે તેમજ તે અગાઉ પણ થઈ શકે છે. જયારે સ્પર્શજન્ય ઝેરનો ઉપયોગ કીટકોની હાજરી પાકમાં હોય ત્યારે…

----------------------- ભારતના ખેત ઉત્પાદન ઉદ્યોગનું ભવિષ્ય આજે પણ ખેડૂતથી જ શરૂ થાય છે. ----------------------- ‘ફ્રેશ ઈન્ડિ
----------------------- ભારતના ખેત ઉત્પાદન ઉદ્યોગનું ભવિષ્ય આજે પણ ખેડૂતથી જ શરૂ થાય છે. ----------------------- ‘ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬’ ના સમાપન પર, એક મુખ્ય તારણ એ નીકળ્યું કે ભારતનું તાજા ફાળો અને શાકભાજીનું ઉત્પાદન ક્ષેત્ર વૈશ્વિક વેપાર સાથે વધુને વધુ જોડાવું પડશે, ટેકનોલોજી અને બજારના પ્રતિભાવો (ફીડબેક) સ્વીકારવા પડશે આ માટે મૂલ્ય વર્ધન પ્રોત્સાહન, કોલ્ડચેઇન , વેરહાઉસ અને લોજિસ્ટિક ઉપર ભારતે રોકાણ કરીને ખેડૂતોને મદદ કરવી પડશે તો આ ફળ ઉત્પાદકો નિકાસ-લક્ષી ઉત્પાદન કરીને પોતાની આવક વૃદ્ધિ કરી શકશે એટલે જ આખી ચર્ચાનો અંત આખરે એ જ સંદેશ આવ્યો કે: “ભારતના તાજા ફળો અને શાકભાજીના ઉત્પાદન ઉદ્યોગનું ભવિષ્ય આજે પણ ખેડૂતથી જ શરૂ થાય છે.” 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો – ૧. બેસિલસ (Bacillus): ----------------------- ૧. બેસિલસ (Bacillus) પ
----------------------- જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો – ૧. બેસિલસ (Bacillus): ----------------------- ૧. બેસિલસ (Bacillus) પોષક તત્વોને ગતિશીલ બનાવનાર ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન માટે જાણીતું છે: જ્યારે તમે ફોસ્ફરસ ખાતર નાખો છો, ત્યારે તેનો ઘણો ભાગ જમીનમાં રાસાયણિક રીતે માટીના કણો સાથે બંધાઈ જાય છે, જે છોડના મૂળને મળી શકતો નથી. બેસિલસ એ બેક્ટેરિયાનું જૂથ છે જે ફોસ્ફરસને એવા સ્વરૂપમાં મુક્ત કરે છે જે મૂળ સહેલાઇ થી શોષી શકે .વ્યાપારી ઉત્પાદનોમાં સૌથી સામાન્ય રીતે વપરાતી પ્રજાતિઓ છે બેસિલસ સબટિલિસ (Bacillus subtilis), બેસિલસ મેગાટેરિયમ (Bacillus megaterium), અને બેસિલસ લિચેનિફોર્મિસ (Bacillus licheniformis). ૨. ટ્રાઇકોડર્મા (Trichoderma) : વિષે જાણવા વાંચતા રહો. કૃષિ વિજ્ઞાન 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે? ----------------------- તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને
----------------------- કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે? ----------------------- તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને વાતાવરણમાં અકલ્પનીય ફેરફારને કારણે પૃથ્વી પર જીવતા જીવોમાં બદલાવ આવી રહ્યો છે તે પૈકી એક કૃમિ પણ છે. પિયતની આધુનિક પદ્ધતિઓ જેવી કે, ફુવારા, ટપક, આચ્છાદન અપનાવવાને કારણે જમીનમાં સતત પુરતો ભેજ જળવાઈ રહે છે તે પણ કૃમિની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ માફક આવે છે. પિયતની સુવિધાઓ તેમજ આધુનિક તાંત્રિકતાઓના કારણે આખાય વર્ષ દરમિયાન સતત પાક લેવાથી કૃમિને યજમાન પાક મળવાથી કૃમિનું પ્રમાણ જમીનમાં વર્ષોવર્ષ વધતું જાય છે. આ ઉપરાંત પોલીહાઉસમાં, ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપાવવું શક્ય બનતું નથી તેમજ સૂર્યનો સીધો જ તાપ/તડકો ન મળવાથી સાનુકૂળ તાપમાન બારેમાસ રહે છે જે કૃમિને માફક આવતું હોવાથી કૃમિનું પ્રમાણ વધતું રહે છે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- મગ- અડદ- તુવેર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી -----------------------
----------------------- મગ- અડદ- તુવેર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી ----------------------- ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ, 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- હવે પોતાના ઉત્પાદનને વધુને વધુ અનુકૂળ બનાવવા ફીડબેક અને પેકિંગ ઉપર ધ્યાન આપવું પડશે. ----------------
----------------------- હવે પોતાના ઉત્પાદનને વધુને વધુ અનુકૂળ બનાવવા ફીડબેક અને પેકિંગ ઉપર ધ્યાન આપવું પડશે. ----------------------- ખુબ જાણીતું સહ્યાદ્રી ફાર્મ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અઝહર તંબુવાલાએ ‘ફ્રેશ ઈન્ડિયા શો’ એક નવી વેપાર શૃંખલા આકાર આપતી અને તેની તકો, પડકારો અને વેપારના પ્રવાહો વિશે ચર્ચાનું પ્લેટફોર્મ ગણાવ્યું . તંબુવાલાના જણાવ્યા અનુસાર, ભારતના કૃષિ વિકાસના આગામી તબક્કામાં સંશોધન અને વિકાસની સાથે કોલ્ડચેન અને વેરહાઉસ સગવડતા એક નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારત વાર્ષિક આશરે ૩૭ કરોડ (૩૭૦ મિલિયન) મેટ્રિક ટન ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરે છે, જેમાંથી લગભગ ૨૦ લાખ (૨ મિલિયન) મેટ્રિક ટન જેટલું ઉત્પાદન ૧૨૩ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, “ભારતીય ખેડૂતો હવે માત્ર પાકના જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, રિટેલર્સ અને બજારના ફીડબેક (પ્રતિભાવો)અને પેકીંગ ના આધારે પોતાના ઉત્પાદનને વધુને વધુ અનુકૂળ બનવું પડશે .” 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ ----------------------- કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વ
----------------------- ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ ----------------------- કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ ) વાડીયે બીજું કોઈ કામ કરી રહ્યા હોય ! અને આમ જ કોઈ સાયબોર્ગ ડોક્ટર પોતાની ઓફિસેથી બહાર નીકળ્યા વગર પણ શિકાગો, ટોક્યો અને જર્મની કે મુંબઈ માં દર્દીઓનાં ઓપરેશન કરી શકે, એ પણ એક જ સમયે. આપણા ખેતરમાં દવા છાંટવાનો કે નીંદવાનું કે ફળ વીણવાના રોબોટ આવશે જે આપેલ પ્રોગ્રામ પ્રમાણે પોતાનું કામ કરશે અને એ પણ પુરી કાળજી થી , જો તેને કહેવામાં આવે કે આવા કલર ના અને આટલા પાકેલા ટામેટાના ફળો જ ઉતારવાના છે તો તેવા જ ફળ તે ઉતારશે બાકીના કાચા રહેવા દેશે . હાલ પૂરતી, આ ઘટના કોઈ વાર્તા જેવું લાગે પણ પ્રયોગમાં સફળતા મળી છે . તમને હસવું આવે છે પણ ખેતીમાં પણ આવતો દસકો પરિવર્તનનો છે તે યાદ રાખજો . 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ ----------------------- કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વ
----------------------- ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ ----------------------- કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ ) વાડીયે બીજું કોઈ કામ કરી રહ્યા હોય ! અને આમ જ કોઈ સાયબોર્ગ ડોક્ટર પોતાની ઓફિસેથી બહાર નીકળ્યા વગર પણ શિકાગો, ટોક્યો અને જર્મની કે મુંબઈ માં દર્દીઓનાં ઓપરેશન કરી શકે, એ પણ એક જ સમયે. આપણા ખેતરમાં દવા છાંટવાનો કે નીંદવાનું કે ફળ વીણવાના રોબોટ આવશે જે આપેલ પ્રોગ્રામ પ્રમાણે પોતાનું કામ કરશે અને એ પણ પુરી કાળજી થી , જો તેને કહેવામાં આવે કે આવા કલર ના અને આટલા પાકેલા ટામેટાના ફળો જ ઉતારવાના છે તો તેવા જ ફળ તે ઉતારશે બાકીના કાચા રહેવા દેશે . હાલ પૂરતી, આ ઘટના કોઈ વાર્તા જેવું લાગે પણ પ્રયોગમાં સફળતા મળી છે . તમને હસવું આવે છે પણ ખેતીમાં પણ આવતો દસકો પરિવર્તનનો છે તે યાદ રાખજો . 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- એકલા કપાસનું વાવેતર કદી નહીં ----------------------- એકલા કપાસનું વાવેતર નહીં કરતાં, હારમાં બીજા મિશ્
----------------------- એકલા કપાસનું વાવેતર કદી નહીં ----------------------- એકલા કપાસનું વાવેતર નહીં કરતાં, હારમાં બીજા મિશ્રપાકને પણ સહવસવાટ કરાવતા થઈએ. વરસાદ કેટલો થવાનો છે, તેનો અંદાજ આપણને નથી. અને કપાસ તો ઠીક ઠીક લાંબાગાળાનો પાક હોવાથી, તેમાં આવનારા રોગજીવાત, પિયતના પાણીની છત કે ખેંચ, અને હવામાન “સવા”વાળું રહે શે કે “કવા”વાળું તે પણ અગાઉથી જાણી શકાતું નથી. એટલે સરવાળે ધાર્યો હોય ગોળો અને ઉતરી જાય ભંભોટિયો ! આવું જોખમ ઘટાડવાની દ્રષ્ટિએ પણ વચ્ચેના પહોળા પાટલાની જગ્યામાં આવો આંતરપાક લીધો હોય, કે જે કપાસને ખાસ વેડે નહીં કે દબાવી ન દે, તેવો નીચો અગર પાતળો રહેતો અને ટુંકા ગાળાનો છતાં કંઇકને કંઇક ઉપજમાં, જમીન સુધારવામાં કે જીવાત નિયંત્રણમાં- કોઇને કોઇ રીતે ઉપયોગી બની રહેતો હોય! સરવાળે એ લાભકારી બનતું હોય છે. અને તમે જોજો! જીવાતોને એકધારો એકનો એક પાક ઊભો હોય તેમાં આતંક મચાવવાની જેટલી મજા પડે તેટલી મજા મિશ્રપાકી વાવેતરમાં પડતી નથી. આવા મિશ્રપાક તરીકે મગ, અડદ, કળથી, તલ, ઊભડી મગફળી, સોયાબીન, મકાઇ કે નીચી રહેતી બાજરી, કોઇપણ અનુકૂળ જણાતા પાકને વાવી શકીએ. માનો કે કોઇ કારણસર આવતી સાલ એની એ જમીનમાં…

----------------------- ભારતીય ફળ ઉત્પાદક ખેડૂતો અને રિટેલરો માટે નવી દિશા -‘ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬’ ----------------------- ૨
----------------------- ભારતીય ફળ ઉત્પાદક ખેડૂતો અને રિટેલરો માટે નવી દિશા -‘ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬’ ----------------------- ૨૯-૩૦ મે 2026 દરમિયાન મુંબઈમાં આયોજિત ‘ફ્રેશ ઈન્ડિયા શો ૨૦૨૬’ ‘ ભારતીય ફળ ઉત્પાદક ખેડૂતો અને રિટેલરો માટે નવી દિશા લઈને આવ્યું . રિલાયન્સ રિટેલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અવિનાશ જોશીએ કહ્યું કે ભારતીય ગ્રાહકો અને રીટેલર્સનો તાજા ફળ-શાકભાજી પ્રત્યેનો અભિગમ હવે બદલાઈ રહ્યો છે. “ભારતીય ગ્રાહકો માત્ર સસ્તું શોધનારા નથી, તેઓ ગુણવત્તા અને યોગ્ય મૂલ્ય આપનારા બન્યા છે.” આ વાતના પુરાવા તરીકે તેમણે બ્લુબેરી અને એવોકાડો જેવી કેટેગરીમાં થયેલા ૫ થી ૬ ગણા ગ્રોથ તરફ ઈશારો કર્યો હતો. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતા કૃમિઓ ના પ્રકાર ----------------------- ગુજરાતમાં મુખ્યત્વે નીચે મુજબન
----------------------- વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતા કૃમિઓ ના પ્રકાર ----------------------- ગુજરાતમાં મુખ્યત્વે નીચે મુજબના કૃમિઓ ખેતી પાકોમાં નુકસાન કરતા જોવા મળે છે. (૧) ગંઠવા કૃમિ : કૃમિ લાગેલ છોડને મૂળ સાથે જમીનમાંથી ઉપાડી મૂળ જોતાં તેના પર નાની-મોટી અસંખ્ય ગાંઠો જોવા મળે છે. (૨) કિડની આકારના કૃમિ : આ કૃમિના ઉપદ્રવથી છોડ ઠીંગણા તથા પાન પીળા રહે, આવા છોડ ઉપાડી કાળજીપૂર્વક મૂળ ધોયા પછી પણ કૃમિ લાગેલી જગ્યાએ માટીના રજકણો ચોંટી રહેલા જોવા મળે છે. (2) મૂળની ખાખર કૃમિ : મૂળના છેડા આગળ રસ સ્થૂળવાને કારણે મૂળના છેડેથી વૃદ્ધિ અટકી જાઇ, ત્યાંથી સમસંખ્ય તંતુમૂળ ગુચ્છામાં ફૂટી નીકળે છે. (૪) મૂળ પર ચાંદા પાડનાર કૃમિ : આ કૃમિ મૂળની અંદર દાખલ થઇ એક જગ્યાએ નુકસાન કરી મૂળની અંદર આગળ વધતા રહે છે. કૃમિ જ્યાંથી રસ ચૂસે છે. તે કોષોમાં કૃમિ દ્વારા દાખલ કરેલ રસાયણો અને મૂળના કોષોના રસ સાથે રાસાયણિક પ્રક્રિયાના કારણે મૂળની બહારની બાજુએ લાલ ચાંદા (ડાઘા) પડે છે. જે સમય જતા મૂળની બહારની સપાટી પર કાળા ડાઘા અથવા ચાંદામાં ફેરવાય છે. જ્યાંથી મૂળનો કોહવારો શરૂ થાય છે અને છોડની વૃદ્ધિ અટકવાની શરૂઆત થાય છે.…