ch
Feedback
Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

前往频道在 Telegram

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

显示更多
6 595
订阅者
-324 小时
-57
-5530
帖子存档
----------------------- આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ? ----------------------- ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે
----------------------- આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ? ----------------------- ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ નોવેલ લીકવીડ ફર્ટીલાઈઝર ૧ થી ર ટકા પ્રમાણે (૧૦ લિટર પાણીમાં ૧૦૦ થી ર૦૦ મીલી પ્રમાણે) લઈ પ્રથમ છંટકાવ ફૂલ બેસવાનાં સમયે તેમજ બીજો અને ત્રીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦-૧૫ દિવસના અંતરે કરવા. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- ખેતીમાં જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. ----------------
----------------------- ખેતીમાં જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. ----------------------- આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન પર દેખરેખ (મોનિટરિંગ) અને તેની ચકાસણી કરવા આંટો મારવો . ત્રીજી પર્યાવરણ (ENVIRONMENT): રોગનો ફેલાવો અટકાવવા માટે હવામાનના ફેરફાર મુજબ ફાયટો સેનિટેશન (પાકની સ્વચ્છતા) અને પાક વ્યવસ્થાપન શું કરવું તે જોઈ લેવું જેથી વિજ્ઞાન-આધારિત સુસંગત નિર્ણયો લેવામાં મદદ મળે . 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- કપાસમાં પોષક તત્વ આપો ઉપજ વધુ મેળવો ----------------------- દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તા
----------------------- કપાસમાં પોષક તત્વ આપો ઉપજ વધુ મેળવો ----------------------- દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. દક્ષિણ ગુજરાતના બીટી કપાસ ઉગાડતા ખેડૂતોને કપાસના પાન લાલ થતા અટકાવવા ફૂલ બેસવાનીઅવસ્થાએ ૧% યુરીયા તથા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ખેડૂતોને બીટી કપાસના પાકમાં રાતડા અને દેહધાર્મિક સુકારાના રોગમાં છોડ પર યુરિયા, ફેરસ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ (દરેકના ૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં બીટી કપાસમાં મેગ્નેશિયમની ઉણપ નિવારવા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનું દ્રાવણ બનાવી વાવણીના ૯૦ દિવસે છોડ પર છંટકાવ કરવાની ભલામણ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકારે પ્રમાણિત કરેલ માઈક્રોન્યુટ્રીસન્ટ ગ્રેડ-૪ (લોહ ૪%. મેંગેનીઝ ૧%, ઝીંક ૬%,…

તુવેર વાવેતર માટે બેસ્ટ પસંદગી - નિધિ બીજને સંગ તુવેર નિધિ ૭૧૧ + | નિધિ પ્રોમ્પ્ટ | નિધિ પ્રોમ્પ્ટ ગોલ્ડ | નિધિ વૈશાલી | આ જા
તુવેર વાવેતર માટે બેસ્ટ પસંદગી - નિધિ બીજને સંગ તુવેર નિધિ ૭૧૧ + | નિધિ પ્રોમ્પ્ટ | નિધિ પ્રોમ્પ્ટ ગોલ્ડ | નિધિ વૈશાલી | આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા નીચે આપેલ લીંક ખોલી ફોર્મ ભરો અથવા આપેલ નંબર પર ફોન કરો. 9924994891 https://krushivigyan.com/form.php?company=Nidhi

----------------------- મગફળીનાં ધૈણ ----------------------- ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠ
----------------------- મગફળીનાં ધૈણ ----------------------- ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પૂરતા પ્રમાણમાં આપવી. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- મગફળીની પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) ----------------------- પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા) સામૂહિક ધોર
----------------------- મગફળીની પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) ----------------------- પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા) સામૂહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવી આ જીવાતની વસ્તી કાબૂમાં રાખી શકાય. શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ઉપદ્રવ વધુ જણાય ત્યારે ફલ્યૂબેન્ડિયામાઇડ કરવો. ૨૦ ડબલ્યૂજી 9 ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા 30 ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસસી 15 મીલિ અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી 15 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

સફેદમુંડા, કાળી ફૂગ, સફેદ ફૂગ, મૂળ ગાંઠ કૃમિ, તેમજ નાઈટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ વગેરેનો સારો ઉપયોગ અને ઉપલધતા વધારે તેવું એક
સફેદમુંડા, કાળી ફૂગ, સફેદ ફૂગ, મૂળ ગાંઠ કૃમિ, તેમજ નાઈટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ વગેરેનો સારો ઉપયોગ અને ઉપલધતા વધારે તેવું એક પ્રોડક્ટ્માં બધા ફાયદા વધુ બચત વધુ ઉત્પાદન હેક્ટર ૨૭ આજેજ તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા નીચે આપેલ લીંક ખોલો અને ફોર્મ ભરો અથવા મો.8141061247 ઉપર ફોન કરો. https://krushivigyan.com/form.php?company=eknath

----------------------- બાગાયત : ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ? ----------------------- ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ
----------------------- બાગાયત : ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ? ----------------------- ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શક્ય તેટલા વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય. ઉદાહરણ તરીકે ૧૦ મી. બાઈ ૧૦ મી. રોપણી અંતરે એક હેક્ટરે ૧૦૦ ઝાડ સમાય જ્યારે ૫ ટ ૫ મીટર રોપણી અંતરે એક હેક્ટરે ૪૦૦ અને ૫ બાઈ ૩ મીટરે એક હેક્ટરે ૬૬૬ છોડ સમાવી શકાય. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- આંબામાં ફળનું ખરણ અટકાવવા શું કરવું ? ----------------------- કેરી વટાણાં જેવી થાય ત્યારે ખરણને અટકાવ
----------------------- આંબામાં ફળનું ખરણ અટકાવવા શું કરવું ? ----------------------- કેરી વટાણાં જેવી થાય ત્યારે ખરણને અટકાવવા માટે ર૦ પી.પી.એમ. નેપ્થેલીન એસીટીક એસીડની સાથે ર % યુરીયાનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા (ર૦૦ લી. પાણીમાં ૪ ગ્રામ નેપ્થેલીન એસીટીક એસીડ અને ૪ કિ.ગ્રા. યુરીયા). 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો - ગાંધીનગર 15મોં એગ્રી એશિયા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન- સપ્ટેમ્બર 2026 માં 11 - 12- 13 તારીખ દરમિયાન હેલિપ
આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો - ગાંધીનગર 15મોં એગ્રી એશિયા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન- સપ્ટેમ્બર 2026 માં 11 - 12- 13 તારીખ દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ- ગાંધીનગર ખાતે યોજનાર છે. મેળા વિષે વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ખોલો અને ફોર્મ ભરો. https://krushivigyan.com/fast-form.php

----------------------- ડિસીઝ ટ્રાયંગલ (રોગ ત્રિકોણ) ની મદદથી તમારા પાકને કેવી રીતે સુરક્ષિત રાખવો ----------------------- આપ
----------------------- ડિસીઝ ટ્રાયંગલ (રોગ ત્રિકોણ) ની મદદથી તમારા પાકને કેવી રીતે સુરક્ષિત રાખવો ----------------------- આપણી મદદ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ સમજાવેલ રોગ ત્રિકોણ વિષે સમજીયે . શું છે આ રોગ ત્રિકોણ? છોડમાં થતા રોગો ભાગ્યે જ કોઈ એક સિંગલ કારણનું પરિણામ હોય છે. આપણા ખેતરમાં રોગ ત્યારે જ આવે છે જયારે વૈજ્ઞાનિકો દ્વારા બતાવેલી આ ત્રણ પરિસ્થિતિ એકસાથે નિર્માણ થાય. ફાઈટોપેથોલોજી (વનસ્પતિ રોગ વિજ્ઞાન) માં, રોગના ફેલાવાને પરંપરાગત રીતે ત્રણ આવશ્યક ઘટકો વચ્ચેની પરસ્પર પ્રતિક્રિયા દ્વારા સમજાવવામાં આવી છે પહેલું છે યજમાન (Host), બીજું છે રોગકારક જીવ (Pathogen) અને ત્રીજું છે પર્યાવરણ (Environment) – જેને સામૂહિક રીતે ‘ડિસીઝ ટ્રાયંગલ’ (રોગ ત્રિકોણ) તરીકે ઓળખવામાં આવે છે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- રીંગણી નાના પર્ણ/ લઘુ પર્ણ/ ગટ્ટીયા પાન ----------------------- રોગવાળા છોડ નો ઉપાડીને નાશ કરવો અને પ
----------------------- રીંગણી નાના પર્ણ/ લઘુ પર્ણ/ ગટ્ટીયા પાન ----------------------- રોગવાળા છોડ નો ઉપાડીને નાશ કરવો અને પાકને નીંદણમુકત રાખવો. રીંગણના ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ટ્રેટાસાઈક્લિનના ના દ્રાવણમાં બોળીને ફેરરોપણી કરવી. તડતડીયાંથી ફેલાતો હોવાથી રોગની શરૂઆત થયેથી ૧૦ થી ૧ર દિવસના અંતરે પાયરીપ્રોકઝીફેન ૧૦% ઈ.સી. (15 લિટર પાણીમાં 10 મીલિ) પ્રમાણે ઓગાળીને વારાફરતી છંટકાવ કરવા. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- કૃષિ મશીનરી : પાવર ફેન્સ શું છે અને તે કઈ રીતે કામ કરે છે ? ----------------------- પાવર ફેન્સએ ન્યુઝ
----------------------- કૃષિ મશીનરી : પાવર ફેન્સ શું છે અને તે કઈ રીતે કામ કરે છે ? ----------------------- પાવર ફેન્સએ ન્યુઝીલેન્ડ વિશ્વ વિખ્યાત ગૈલધર કંપનીની રજીસ્ટ્રર બ્રાન્ડ છે. જે એક પ્રકારની સક્રિય આડશ (વાડ) છે. રખડતું, પાલતું કે જંગલી પ્રાણીઓને દુઃખદ પણ સલામત શોક આપતી આ ફેન્સ ખેતીવાડી, ફેકટરીના રક્ષણ માટે વપરાય છે. પાવર ફેન્સએ વાયરની આડશ ઉપરાંત માનીસક આડશ છે. જેનાથી માનવજાત, જંગલી પ્રાણી, પાલતું પશુંને એક વખત શોક લાગ્યા બાદ તેઓ નજીક પણ આવતા નથી. ઉચ્ચ કક્ષાનું અતિ આધુનિક ‘‘એનર્ઝાઈઝર’’ સિસ્ટમમાં દર ૧ સેકન્ડ પલ્સના રૂપમાં હાઈ વોલ્ટેજ પસાર કરે છે. પશુઓ જયારે ફેન્સ (વાડ) ના સંપર્કમાં આવે છે ત્યારે તેના શરીરમાં એકદમ ઈલેકટ્રીક શોક લાગે છે જે પશુઓને નુકશાનકારક નથી. સિસ્ટમમાં લાગતા શોકથી શરીરને કયાંય ઈજા થતી નથી. એનર્ઝાઈઝર બેટરી વડે ચાલે છે. જયારે બેટરીને સોલાર પેનલથી ચાર્જ કરવામાં આવે છે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

કૃષિ વિજ્ઞાન જુલાઈ મહિનાનો અંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. શું તમે વાંચ્યો ? વાંચવા અત્યારે જ નીચેનું ફોર્મ ભરો અને અંક ફ્રી વાંચો
કૃષિ વિજ્ઞાન જુલાઈ મહિનાનો અંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે. શું તમે વાંચ્યો ? વાંચવા અત્યારે જ નીચેનું ફોર્મ ભરો અને અંક ફ્રી વાંચો. https://krushivigyan.com/DigitalIssueForm.php કૃષિ વિજ્ઞાનનું વાર્ષિક લવાજમ ૩૯૯/- છે. ઓનલાઇન લવાજમ ભરવા માટે નીચેની લીંક ખોલો https://rzp.io/l/8ke2ZQO6w

----------------------- કઠોળ પાકો માં પોષક તત્વો જરૂર આપો ----------------------- ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કર
----------------------- કઠોળ પાકો માં પોષક તત્વો જરૂર આપો ----------------------- ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૨% પોટેશિયમ નાઈટ્રેટના બે છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલ આવવાના અને બીજો છંટકાવ પોપટાના વિકાસના સમયે) કરવાથી વધુ ઉત્પાદન મળે છે. મધ્ય ગુજરાતની કપાસની કાળી જમીનમાં ચોમાસુ તુવેરની ખેતી કરતા ખેડૂતો કે જેઓની જમીનમાં લોહ અને જસત નહિવત માત્રામાં હોય તેઓએ સરકાર દ્વારા નોટીફાઈડ થયેલ (માન્ય કરેલ) ગ્રેડ-૪ મુજબ ૧%નું સૂક્ષ્મ તત્ત્વોનું મિશ્રણ વાવણી પછી ૬૦, ૯૦ અને ૧૨૦ દિવસે છંટકાવ કરવો. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- આંબામાં વૃદ્ધિ નિયંત્રણ ----------------------- કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને
----------------------- આંબામાં વૃદ્ધિ નિયંત્રણ ----------------------- કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને કાબૂમાં લઈ શકાય અને ફૂલ આવવાની પ્રક્રિયા વહેલી લાવી શકાય. જેના માટે પેક્લોબ્યુટ્રાઝોલના ઉપયોગથી ૩૫% જેટલો વાનસ્પતિક વિકાસ અટકાવી શકાય. પોટાશિયમ નાઈટ્રેટ, સીસીસી ના છંટકાવ અને પેક્લોબ્યુટ્રાઝોલનો જમીનમાં છોડના ઘેરવા પ્રમાણે ઝાડ દીઠ સોઇલ ટ્રીટમેન્ટ આપવાની ભલામણ છે. ગત વર્ષનો ડોઝ પણ ધ્યાનમાં લેવો પડે છે. સાથે સાથે ન્યુટ્રીશન મેનેજમેન્ટ પણ કરવું જરૂરી છે તો જ આપણે આંબાનો વાનસ્પતિક વિકાસ પેક્લોબ્યુટ્રાઝોલ દ્વારા અટકાવી વધુ ફૂલો લાવી શકાય છે. https://youtu.be/swM9jqJNdAE?si=DPDNZWW_ZslsQNIE 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- ડાંગર ગાભમારાની ઇયળ અને ચૂસીયાં ----------------------- ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપીંજર ગોઠવી ગાભમારાની ઇયળના તેમજ લશ્કરી ઇયળના પુખ્ત આકર્ષીને નાશ કરી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ગાભમારાની ઇયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી પણ વસ્તીનું નિયંત્રણ કરી શકાય. કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જીઆર (૮ કિ.ગ્રા./એકર) અથવા કાર્બોફયૂરાન ૩ જી (૧૦ કિ.ગ્રા./એકર) અથવા થાયાસાયકલેમ હાઈડ્રોજન ઓક્ઝેલેટ ૪ જી (૮ કિ.ગ્રા./એકર) અથવા ઇમિડાક્લોપ્રીડ ૦.૩ જીઆર (૬ કિ.ગ્રા./એકર) અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર (૧૦ કિ.ગ્રા./એકર) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર (૪ કિ.ગ્રા./એકર) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૫% થાયામેથોક્ઝામ ૧% જીઆર (૨.૫ કિ.ગ્રા./ એકર) ખેતરમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત (પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અને બીજી માવજત ત્યારબાદ ૧૫-૨૦ દિવસે) આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. આ સિવાય ફ્લ્યૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6 મીલિ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મીલિ પૈકી ગમે તે એક કીટનાશક ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતાં અસરકારક નિયંત્રણ મળે છે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- આંબાનાં ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ)આવે તો શું કરવું ? ----------------------- આપણે ત્યાં હાફુસ અને જ
----------------------- આંબાનાં ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ)આવે તો શું કરવું ? ----------------------- આપણે ત્યાં હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમીથી જમીનમાંથી પરાવર્તિત થતી ગરમી લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન કરે છે. નુકસાન વાળો ભાગ બરાબર પાકતો નથી તેને કપાસી કહીએ છીએ. જે ભાગનો માવો સફેદ, પીળો તેમજ સ્વાદે ખાટો હોય છે આવા ફળો બહારથી પારખી શકાતા નથી. નિયંત્રણ : ૧. હાફુસ જાતના ફળો લીલા પણ પરિપકવ હોય તેવા (૮૦ % પરિપકવતા) ફળ તોડવામાં આવે તો કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે. પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વધુ જોવા મળે છે. ર. આંબાવાડીયામાં ખુલ્લી જગ્યામાં ડાંગરનું સુકુ પરાળ કે પાંદડાનું આવરણ એપ્રિલ માસમાં પાથરવાથી જમીન વધુ ગરમ થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે. ૩. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતાં છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ. ૪. સવારના ઠંડા પહોરે કે સાંજના ચાર વાગ્યા પછી કેરી તોડવી જોઈએ 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- કયો રંગ કઈ જીવાતને આકર્ષે છે ? તે જાણો. ----------------------- વિવિધ રંગોના સ્ટિકી ટ્રેપ કઈ જીવાતને
----------------------- કયો રંગ કઈ જીવાતને આકર્ષે છે ? તે જાણો. ----------------------- વિવિધ રંગોના સ્ટિકી ટ્રેપ કઈ જીવાતને આકર્ષે છે તે જોઈએ તો પીળી સ્ટિકી ટ્રેપ (Yellow Sticky Trap) સફેદમાખી , મોલો-મશી , પાન કોરીયું , નાની માખી , પાંખોવાળી મોલોને આકર્ષે છે અને તે આ ચીકણા ટ્રેપ ઉપર ચોંટી જાય છે .બ્લુ સ્ટિકી ટ્રેપ (Blue Sticky Trap) થ્રિપ્સને આકર્ષિત કરે છે .કાળી સ્ટિકી ટ્રેપ (Black Sticky Trap) : ટામેટાની પાન કોરી ખાનાર ઇયળ અને કેટલીક ઈયળના ફૂદાંને આકર્ષિત કરે છે સફેદ સ્ટિકી ટ્રેપ (White Sticky Trap) સોફ્લાય અને અન્ય નાના ઉડતા કીટકો. અને લાલ સ્ટિકી ટ્રેપ (Red Sticky Trap) છાલ ખાતી ભમરીઓ/કીડા અને લાકડા કોરી ખાતી ભમરીઓ માટે ફળવાડી માટે ઉપયોગી છે. નિરીક્ષણ માટે એકર દીઠ ૨૦–૨૫ ટ્રેપ લગાવો. ટ્રેપને પાકના છોડની ઉપરની સપાટીથી ૧૫–૨૦ સેમી ઊંચી રાખો. દર ૨૦–૩૦ દિવસે અથવા જ્યારે ટ્રેપ કીટકોથી ભરાઈ જાય ત્યારે તેને બદલી નાખો. સંખ્યાના ના આધારે જંતુનાશકોનો છંટકાવ કરો. ટ્રેપ વિષે વધુ જાણવા IPM લખીને 9825229966 ઉપર વોટ્સએપ કરો વધુ માહિતી મળશે. 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan

----------------------- કપાસ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે ----------------------- ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ ય
----------------------- કપાસ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે ----------------------- ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના, 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan