Anand Temple
Відкрити в Telegram
Shri Swaminarayan Mandir - Anand channel on Telegram
Показати більше913
Підписники
+124 години
-37 днів
+930 день
Архів дописів
913
જય સ્વામિનારાયણ 🙏
સનાતન ધર્મમાં ભક્તિ સાથે ઉત્સવોનું વિશેષ મહત્વ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે હિંડોળા જેવા ઉત્સવો દ્વારા ભક્તિ, આનંદ અને સંસ્કારને જનમાનસ સુધી પહોંચાડ્યા. પરંતુ આજના ઝડપી યુગમાં બાળકોનું આકર્ષણ મનોરંજન અને સોશિયલ મીડિયાની તરફ વધુ હોવાથી આપણા ધર્મ, સંસ્કૃતિ અને ઉત્સવોનો મહિમા નવી પેઢી સુધી પૂરતો પહોંચી શકતો નથી.
આ જ ભાવનાથી આજે BAPS સ્વામિનારાયણ મંદિર, આણંદ ખાતે બાળકોને ભગવાનના દિવ્ય હિંડોળા દર્શન કરાવી, હિંડોળા ઉત્સવનું મહત્વ સમજાવવાનો અને તેમની અંદર ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને ભક્તિના બીજ રોપવાનો એક નાનો પરંતુ મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો.
આજના બાળકો આવતીકાલના સંસ્કારી નાગરિક અને સત્સંગી બને — એ જ હિંડોળા ઉત્સવનો સાચો સંદેશ છે.
"સંસ્કારથી સમૃદ્ધ બાળપણ, ભક્તિથી ઉજ્જવળ ભવિષ્ય." 🌿🙏
913
🎉 Jai Swaminarayan
गुरुरब्रह्मा गुरुरविष्णुः
गुरुरदेवो महेश्वरः।
गुरुः साक्षात् परब्रह्म
तस्मै श्रीगुरवे नमः॥
🎉 On the auspicious occasion of Guru Purnima tomorrow, you are cordially invited to participate in the special Gurupujan and the darshan of the Annakut, featuring an unique offering of fruits, dry fruits, and milk products at BAPS Shri Swaminarayan Mandir, Anand.
🟢 Mangala Arti; 6 am
🟢 Shangar Arti: 7:30 am
🟢 Gurupujan for all: 8 am to 12 pm
🟢 Evening Darshan and Gurupujan: 4 pm to 8 pm
🟢 Sandhya Arti: 7 pm
🟢 Shayan Arti: 8:30 pm
913
📿 _જય સ્વામિનારાયણ_ 📿
🎙️ *તા: ૨૧/૦૬/૨૦૨૬ ની અઠવાડિક રવિસભાનો લાભ ઓનલાઈન નીચે આપેલી લીંક પર ક્લિક કરીને પ્રાપ્ત થશે. અક્ષરફાર્મમાં આયોજન કરેલ નથી.*
🌏 *સભા લીંક:* _https://sabha.baps.org/_
913
*વચનામૃત ભાષ્યનો જય હો...*
પ્રતિ,
આણંદ - વલ્લભ વિદ્યાનગર અને આસપાસ વસતાં સૌ ભાવિક - ભક્તો
આપ સૌને જણાવતાં આનંદની અનુભૂતિ થાય છે કે સનાતન શાસ્ત્ર પરંપરા સંમત *અક્ષરપુરુષોત્તમ દર્શન* ના પ્રસ્થાનત્રયી ભાષ્યો અને વાદગ્રંથના લેખન કાર્ય બાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની પરાવાણીના ગ્રંથ વચનામૃત પર ભાષ્યગ્રંથ રચાય તેવો સંકલ્પ કર્યો છે. મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચનાર આ ગ્રંથનું લેખનકાર્ય આવતીકાલે તારીખ ૧૧ જૂન ૨૦૨૬,ગુરુવાર અધિક જેઠ વદ એકાદશીથી શરૂ થનાર છે. સારંગપુરમાં વિરાજિત પરમ પૂજ્ય સ્વામીબાપાને આ પ્રસંગે અદમ્ય ઉત્સાહ છે અને આ આનંદની ઉજમણીમાં આપણને સૌને સહભાગી બનવા આપણને સૌને પણ આગ્ના કરી છે. જે મુજબ આપણે સૌ BAPS મંદિર,આણંદ ખાતે સમગ્ર દિવસ દરમિયાન આ ઉજવણીમાં નીચે મુજબ સંમિલિત થઈશું.
સવારે ૬:૦૦ : મંગળા આરતી
સવારે ૬:૧૫ : ભાષ્ય પ્રારંભ મહાપૂજા
સવારે ૭:૩૦ : શણગાર આરતી
સવારે ૭:૪૫ : વચનામૃત રાજોપચાર પૂજન + કથા
સવારે ૮:૧૫ : અખંડ વચનામૃત પાઠ (દર્શને આવનાર પ્રત્યેક હરિભક્ત ઓછામાં ઓછી ૧૦ મિનિટ વચનામૃત નો પાઠ કરે.)
સાંજે ૬:૩૦ : સિધ્ધાંત કથા
સાંજે ૭:૦૦ : સંધ્યા આરતી + દીપમાળ દર્શન
સાંજે ૭:૨૦ : વચનામૃત શોભાયાત્રા
આવો,આપણે સૌ પણ તન - મન - ધનથી સેવા કરી આનંદના આ અવસરને અંતરમાં ભરીએ.
*નોંધ :* પરમ પૂજ્ય સ્વામીબાપાએ જે હરિભક્તો એકાદશીએ પ્રવાહી કે નિર્જળા ઉપવાસ કરે છે તે સૌ ભક્તોને ફરાળ કરી આ ઉજવણી કરવા આગ્ના કરી છે.
*વચનામૃત ભાષ્યનો જય હો...*
913
📿 _જય સ્વામિનારાયણ_ 📿
🎙️ *આવતીકાલ (તા: ૦૭/૦૬/૨૦૨૬) ની અઠવાડિક રવિસભાનો લાભ ઓનલાઈન નીચે આપેલી લીંક પર ક્લિક કરીને પ્રાપ્ત કરી શકાશે.*
🌏 *સભા લીંક:* _https://sabha.baps.org/_
