પારસ દિવ્ય ગર્ભ સંવાદ ગ્રુપ
Відкрити в Telegram
ફક્ત પ્રેગનેટ બહેનો માટે એક ગ્રુપ શરૂ કરેલ છે *પારસ દિવ્ય ગર્ભ સંવાદ ગ્રુપ.* આ ગ્રુપમાં ફક્ત પ્રેગનેટ બહેનો જ જોડાઈ શકે છે. આ ગ્રુપમાં પ્રેગ્નેન્સી વિશે ની માહિતી , તેના પ્રશ્નો માં જવાબ અને ગર્ભ સંવાદ વિશેની માહિતી મુકવામાં આવશે. કૌશિક પારેખ પોરબંદર.
Показати більше549
Підписники
Немає даних24 години
Немає даних7 днів
-530 день
Архів дописів
Repost from પારસ એક્યુપ્રેશર માહિતી ચેનલ
*🥨 આંતરડાના સ્વસ્થ્ય માટેના ખોરાક 🏋️* જરૂર વાંચજો 👌
સ્વસ્થ આંતરડા = સારું સ્વાથ્ય
Repost from પારસ એક્યુપ્રેશર માહિતી ચેનલ
🌿 આંતરિક બળ – 2463 🌿
– રોગ મનમાં જન્મે છે (1)
તમારા મનમાં માત્ર એ જ વિચારો ચાલવા જોઈએ, જે તમારા જીવનના લક્ષ્ય સાથે જોડાયેલા હોય.
શરીર તમારા મનનો સેવક છે. તમે જેવું વિચારશો, શરીર ધીમે-ધીમે તેવું બનવા લાગશે.
સારા સાહિત્યનું વાંચન કરો. સ્વાસ્થ્ય, આત્મવિકાસ અને સકારાત્મક વિચારોને પ્રેરણા આપતી પુસ્તકો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
હંમેશા ખુશમિજાજ, સકારાત્મક અને શુદ્ધ મન ધરાવતા લોકોની સાથે રહો. તેમની ઉપસ્થિતિ તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ બનશે.
પક્ષીઓ, પ્રકૃતિ, ફૂલો, વૃક્ષો, ઝરણાં અને સમુદ્ર જેવી કુદરતી સુંદરતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ તમને ઉત્તમ સ્વાસ્થ્ય અને આંતરિક શાંતિ તરફ દોરી જશે.
શરીરના વિવિધ અંગોમાં થતી ઘણી પીડા અને વેદનાના મૂળમાં માનસિક દુઃખ, તણાવ અને નકારાત્મક ભાવનાઓ રહેલી હોય છે.
ઘણા રોગોની જડ માત્ર શરીરમાં જ નહીં, પરંતુ મનમાં પણ રહેલી હોય છે.
🌸 ખુશ રહેતા લોકો પર બીમારીઓનો પ્રભાવ પ્રમાણમાં ઓછો જોવા મળે છે.
🌿 સકારાત્મક વિચાર – સારું સ્વાસ્થ્ય – સુખી જીવન 🌿
Repost from પારસ એક્યુપ્રેશર માહિતી ચેનલ
*❇️ ડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે નું બેસ્ટ ઘરેલુ હેર માસ્ક*
• પપૈયામાં એન્ઝાઇમ પેપેઇન શામેલ હોય છે જે ફક્ત વાળને જ પોષે છે, દહીંમાં પ્રોટીન અને ફેટી એસિડ હોય છે જે વાળને નરમ અને સૂકા વાળની સારવાર માટે પોષક બનાવે છે .⤵️
*➡️જરૂરી સામગ્રી* : પપૈયા ની 2 થી 3 સ્લાઈસ અને 1 કપ દહીં
*➡️કઈ રીતે ઉપીયોગ કરવો* : એક બાઉલ ની અંદર પપૈયા ને છુન્દી અને તેનો પલ્પ બનાવો ત્યાર બાદ તેની અંદર દહીં ઉમેરો અને તેને સરખી રીતે મિક્સ કરો ત્યાર બાદ આ મિક્સચર ને તમારા સ્કાલ્પ અને વાળ ની અંદર સરખી રીતે લગાવો તેને 30 મિનિટ માટે મુકી દો ત્યાર બાદ માથું ધોઈ નાખો.
➖➖➖➖➖➖➖➖
માતા પિતા અને બાળકો માટે ખાસ ધ્યાનમાં રાખવાની દસ બાબતો આજના જમાનામાં ખાસ જરૂરી છે
> *"જો તમે તકલીફ વિશે જ સતત વિચારતા રહેશો, તો તે વધતી જ જશે. તમે તેના પર ધ્યાન આપશો તો તે ફૂલશે-ફાલશે, કારણ કે તેને લાગશે કે તેનું સ્વાગત થઈ રહ્યું છે. પરંતુ તમે તેને જરા પણ ધ્યાન નહીં આપો, તો તે તમારામાં રસ નહીં લે અને પોતે જ દૂર થઈ જશે."*
— શ્રીમાતા (The Mother)
સરળ સમજણ
આ સંદેશનો અર્થ એ છે કે ઘણી વખત આપણે સમસ્યા કરતાં સમસ્યાના વિચારોમાં વધુ ફસાઈ જઈએ છીએ.
જો મનમાં વારંવાર એ જ દુઃખ, ચિંતા કે તકલીફને યાદ કરીએ, તો તે વધુ મોટી લાગવા લાગે છે.
આપણું ધ્યાન અને ઊર્જા જ્યાં જાય છે, તે વસ્તુ વધુ મજબૂત બને છે.
તેથી દરેક સમયે મુશ્કેલી વિશે વિચારવાને બદલે, મનને સારા વિચારો, પ્રાર્થના, સેવા, કામકાજ અથવા આનંદદાયક પ્રવૃત્તિઓમાં લગાવવું જોઈએ.
જ્યારે આપણે તકલીફને સતત મહત્વ આપવાનું બંધ કરીએ છીએ, ત્યારે તેનું મન પરનું પ્રભુત્વ ધીમે ધીમે ઓછું થવા લાગે છે.
એક નાનું ઉદાહરણ
જો હાથમાં નાનો કાંટો વાગ્યો હોય અને આપણે આખો દિવસ એ જ વિચારતા રહીએ કે "મને દુખે છે, મને દુખે છે", તો દુખાવો વધુ અનુભવાય છે.
પરંતુ જરૂરી સારવાર કરીને પછી ધ્યાન બીજા કામમાં લગાવીએ, તો એ જ દુખાવો ઓછો અનુભવાય છે.
સંદેશનો સાર:
🌸 સમસ્યાને ઓળખો, તેનું યોગ્ય સમાધાન કરો, પરંતુ તેને મનમાં સતત સ્થાન આપશો નહીં. તમારું ધ્યાન ભગવાન, સકારાત્મકતા અને સારા કાર્ય તરફ રાખો. 🌸
આપનો હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર.
જય ભગવાન. 🙏🌹
Вже доступно! Дослідження Telegram за 2025 — головні інсайти року 
