fa
Feedback
પારસ દિવ્ય ગર્ભ સંવાદ ગ્રુપ

પારસ દિવ્ય ગર્ભ સંવાદ ગ્રુપ

رفتن به کانال در Telegram

ફક્ત પ્રેગનેટ બહેનો માટે એક ગ્રુપ શરૂ કરેલ છે *પારસ દિવ્ય ગર્ભ સંવાદ ગ્રુપ.* આ ગ્રુપમાં ફક્ત પ્રેગનેટ બહેનો જ જોડાઈ શકે છે. આ ગ્રુપમાં પ્રેગ્નેન્સી વિશે ની માહિતી , તેના પ્રશ્નો માં જવાબ અને ગર્ભ સંવાદ વિશેની માહિતી મુકવામાં આવશે. કૌશિક પારેખ પોરબંદર.

نمایش بیشتر
565
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+27 روز
+330 روز
آرشیو پست ها
*ગર્ભ સંવાદ* *પેટ ઉપર હાથ રાખીને વાંચવું જેથી બાળક સમજી શકે.* 👩‍🏫 *શિક્ષકો પ્રત્યે Gratitude — કૃતજ્ઞતા* 1️⃣ જ્ઞાનનો પ્રકાશ આપી અમારા જીવનને સાચી દિશા બતાવવા બદલ દરેક શિક્ષકનો હૃદયપૂર્વક આભાર. 🙏 2️⃣ માત્ર ભણતર નહીં, પરંતુ સંસ્કાર, શિસ્ત અને જીવન જીવવાની સમજ આપવા બદલ શિક્ષકોનો આભાર. 3️⃣ અમારી ભૂલો સુધારીને અમને વધુ સારું બનવા માટે પ્રેરણા આપવા બદલ દરેક શિક્ષકને સલામ. 4️⃣ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવા માટે નિષ્ઠા અને ધીરજથી કાર્ય કરવા બદલ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા. 5️⃣ સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ કરવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ તમામ શિક્ષકોને શત-શત નમન. 🌸 ✨ *શિક્ષકો માટે Affirmations — સકારાત્મક સંકલ્પ* 1️⃣ દરેક શિક્ષક જ્ઞાન, ધીરજ અને સકારાત્મક ઊર્જાથી પોતાના વિદ્યાર્થીઓનું જીવન ઉજ્જવળ બનાવી રહ્યા છે. 2️⃣ શિક્ષકોને તેમના કાર્યમાં સફળતા, સંતોષ અને સન્માન સતત પ્રાપ્ત થઈ રહ્યું છે. 3️⃣ દરેક વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષકોનો પ્રેરણાદાયક સાથ મળી રહ્યો છે. 4️⃣ શિક્ષકોની મહેનતથી જ્ઞાનસભર, સંસ્કારી અને જવાબદાર નવી પેઢીનું નિર્માણ થઈ રહ્યું છે. 5️⃣ મારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર દરેક શિક્ષક પ્રત્યે હું હંમેશા આદર અને કૃતજ્ઞતા રાખું છું. 🙏📚

🌸🙏 *ઓરો શ્રી ગર્ભ સંસ્કાર કેન્દ્રની એક સુંદર અને લાગણીસભર અનુભૂતિ 🙏🌸* આજે ઓરો શ્રી ગર્ભ સંસ્કાર કેન્દ્ર ખાતે *નીરાલીબેન, તેમના સવા વર્ષના વહાલા બાબા સર્વીલભાઈ રાજા* તથા *નીરાલીબેનના મમ્મી પધાર્યા હતા. 💐* *નીરાલીબેને* *ગર્ભાવસ્થાના બીજા મહિનાથી સાતમા મહિના સુધી નિયમિત રીતે ગર્ભ સંસ્કાર કેન્દ્રનો લાભ લીધો હતો* . 🤰🌷 આજે જ્યારે તેમના નાનકડા બાબા *સર્વીલભાઈને* જોયા અને *નીરાલીબેનના* અનુભવો સાંભળ્યા ત્યારે ખરેખર ખૂબ આનંદ અને સંતોષની લાગણી થઈ. ❤️ નીરાલીબેનના જણાવ્યા મુજબ, તેમના બાબાના જીવનમાં ગર્ભ સંસ્કારની સુંદર અસર જોવા મળે છે. 🌿 ✨ *રાત્રે નિયમિત રીતે લગભગ 10:00 વાગ્યે ઊંઘી જાય છે.* ✨ *આજ સુધી તેમને ખાંડ અને વધારાનું મીઠું આપવામાં આવ્યું નથી.* ✨ *તેમનું આરોગ્ય ખૂબ સારું રહે છે.* ✨ તેમની *રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) પણ સારી હોવાનું* પરિવાર જણાવે છે. ✨ સૌથી મહત્વની વાત—માતાએ ગર્ભાવસ્થા દરમિયાન કરેલા સારા સંસ્કાર, સકારાત્મક વિચારો, નિયમિતતા અને પ્રેમભરી કાળજીને તેઓ આજે પણ એક સુંદર અનુભવ તરીકે અનુભવે છે. 🌸 💖 ગર્ભ સંસ્કાર માત્ર ગર્ભાવસ્થાના નવ મહિનાની પ્રક્રિયા નથી… તે તો માતા, બાળક અને સમગ્ર પરિવાર વચ્ચે પ્રેમ, સકારાત્મકતા અને સારા સંસ્કારોનું સુંદર બીજ વાવવાની એક યાત્રા છે. 🌱 આજે સર્વીલભાઈને જોઈને અને નીરાલીબેનના અનુભવો સાંભળીને અન્ય ગર્ભવતી બહેનોને પણ એક સુંદર પ્રેરણા મળે એવી હાર્દિક શુભકામના. 🙏 🎥 વિડીયો નિરાંતે જુઓ અને સાંભળો. કદાચ આ નાનકડા સર્વીલભાઈની સુંદર સફર કોઈ ભાવિ માતાને પણ ગર્ભ સંસ્કારની યાત્રા શરૂ કરવા માટે પ્રેરણા આપશે. 💕🤰 કૌશિક પારેખ અને ભાવના પારેખ જય ભગવાન 🌺 ઓરો શ્રી ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં પધારીને ગર્ભ સંસ્કારનો લાભ લેવા બદલ નીરાલીબેન, તેમના મમ્મી અને સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. 🙏💐 *ઈશ્વર સર્વીલભાઈને સદાય સ્વસ્થ, સંસ્કારી, આનંદમય અને દીર્ઘાયુ જીવન આપે તથા સમગ્ર પરિવારને સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી હાર્દિક પ્રાર્થના. 🪷🙏* જય ભગવાન 🙏🌸

*🍲 હોર્મોનલ ઇમ્બેલેન્સ (PCOD/PCOS) મટાડવા અને થાઈરોઈડ રોકવા 'નાળિયેર અને સીડ્સ' નો નિયમ 🍲* > થાઈરોઈડ અને PCOD બંને હોર્મોન્સની ગરબડના રોગો છે. બપોરના ભોજનમાં યોગ્ય ફેટ્સ (ચરબી) ન મળવાથી હોર્મોન્સ બનતા નથી અને વાળ ખરવા, પીરિયડ્સની અનિયમિતતા તેમજ ચિડિયાપણું વધે છે. થાઈરોઈડ ગ્રંથિને 'સેલેનિયમ' અને સારા ફેટ્સની ખૂબ જરૂર હોય છે. *✅ શું ટાળવું:* ▪️ થાઈરોઈડના દર્દીઓએ બપોરના ભોજનમાં કોબીજ, ફુલાવર, બ્રોકોલી અને સોયાબીન (Soy products) સંપૂર્ણપણે કાચા ન ખાવા જોઈએ, તે ગ્રંથિને નુકસાન કરે છે. *✅ શું કરવું:* ▪️ બપોરે જમવા બેસો ત્યારે ૧ નાનો ટુકડો લીલું (તાજું) નાળિયેર અથવા સૂકું કોપરું ચાવી-ચાવીને અચૂક ખાવું. ▪️ જમ્યા પછી મુખવાસ તરીકે ૧ ચમચી શેકેલા સૂર્યમુખીના બીજ (Sunflower seeds) ખાવાની આદત પાડો. *✅ ફાયદા:* ▪️ નાળિયેરમાં 'મીડીયમ ચેન ટ્રાઈગ્લિસરાઈડ્સ' (MCTs) હોય છે જે મેટાબોલિઝમને ફાસ્ટ કરી થાઈરોઈડ ગ્રંથિની કામગીરી સુધારે છે. ▪️ સૂર્યમુખીના બીજ સેલેનિયમનો ભંડાર છે, જે અસ્તવ્યસ્ત થયેલા હોર્મોન્સને ફરીથી પાટા પર લાવે છે અને થાક તેમજ સુસ્તીને દૂર કરે છે. ➖➖➖➖➖➖➖➖➖➖

સગર્ભાવસ્થામાં સંસ્કૃત સ્તવનોના પાઠ --------------------------------------------------------- સંસ્કૃત ભાષા અનોખી છે. તેની વર્ણ માળાના દરેક અક્ષરનો સીધો સંબંધ આપણા અસ્તિત્વના આધ્યાત્મિક મેરૂદંડ સમાન સાત યૌગિક ચક્રો સાથે છે. તેમાં પણ સંસ્કૃત ભાષામાં જુદા જુદા દેવી દેવતાની સ્તુતિઓની ભાષાકીય રચના એ રીતે થયેલી છે કે તેના માત્ર ઉચ્ચારણથી યૌગિક ચક્રો સ્પંદિત થાય છે. સગર્ભાવસ્થામાં બાળક સંપૂર્ણપણે માતા સાથે જોડાયેલું હોય છે. અને માતાની પળેપળની વૃત્તિ - પ્રવૃત્તિ વડે તેના જન્મજાત સ્વભાવ અને પ્રકૃતિનું ઘડતર થાય છે. આ સમયમાં સંસ્કૃત સ્તવનોનો સગર્ભા માતા નિત્યપાઠ કરે તો બાળકની બુદ્ધિમત્તા સ્વાભાવિક રીતે ખીલે જ ને!

🙏 *Gratitude (આંખના સર્જન માટે આભાર)* ① હું ભગવાનનો આભાર માનું છું કે આંખના સર્જન લોકોની દ્રષ્ટિ બચાવી રહ્યા છે. ② હું આંખના સર્જનનો આભાર માનું છું કે આંખના સર્જન દર્દીઓને ધીરજ અને કરુણાથી સારવાર આપે છે. ③ હું આભાર માનું છું કે આંખના સર્જનની નિષ્ણાતતા ઘણા લોકોના જીવનમાં ફરી પ્રકાશ લાવી રહી છે. ④ હું આંખના સર્જનનો આભાર માનું છું કે આંખના સર્જન સતત નવી ટેકનિક અને જ્ઞાનથી જાતને અપડેટ રાખે છે. ⑤ હું આભાર માનું છું કે આંખના સર્જનની મહેનતથી ઘણા પરિવારોને ખુશી અને આશા મળે છે. ✨ *Affirmation* ① આંખના સર્જનની દ્રષ્ટિ અને કુશળતા દરેક દર્દીને ઉત્તમ પરિણામ આપે છે. ② આંખના સર્જનની સેવા અને સમર્પણથી સમાજમાં વિશ્વાસ અને સન્માન વધે છે. ③ આંખના સર્જન રોજ નવી સફળતા અને પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છે. ④ આંખના સર્જનની સારવારથી દર્દીઓનું જીવન વધુ પ્રકાશમય બની રહ્યું છે. ⑤ આંખના સર્જન સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર છે.

Repost from N/a
*ગર્ભ સંવાદ* *પેટ ઉપર હાથ રાખીને વાંચવું જેથી બાળક સમજી શકે.* 🙏 *Gratitude* ① હું મારા માતાપિતાનો આભાર માનું છું કે તેમણે મને અમૂલ્ય જીવન ભેટ આપ્યું છે. ② હું મારા માતાપિતાનો આભાર માનું છું કે તેમણે મારા માટે અઢળક બલિદાન આપ્યા છે. ③ હું મારા માતાપિતાનો આભાર માનું છું કે તેઓ હંમેશા મારી સાથે છે, મારી શક્તિ છે. ④ હું મારા માતાપિતાનો આભાર માનું છું કે તેમણે મને સારા સંસ્કાર અને મૂલ્યો આપ્યા છે. ⑤ હું મારા માતાપિતાનો આભાર માનું છું કે તેઓ મારી દરેક સફળતા પાછળનું મુખ્ય કારણ છે. 💫 *Affirmation* ① મારા માતાપિતા મારા જીવનમાં આશીર્વાદરૂપ છે અને હું તેમનું ગૌરવ અનુભવું છું. ② હું દરરોજ મારા માતાપિતાને ખુશ રાખવા માટે યોગ્ય નિર્ણયો લઈ રહ્યો છું. ③ મારા માતાપિતા મને અપરિમિત પ્રેમ, શક્તિ અને પ્રેરણા આપે છે. ④ હું મારા માતાપિતાનું સ્વાસ્થ્ય, સુખ અને દીર્ઘાયુ માટે સકારાત્મક ઊર્જા આકર્ષી રહ્યો છું. ⑤ હું મારા માતાપિતાના સપના અને આશાઓ પૂર્ણ કરવા માટે સતત પ્રગતિ કરી રહ્યો છું.

સવારે ઉઠતા પેટ ફૂલેલું કેમ લાગે છે? તેના કારણો અને ઉપાય
સવારે ઉઠતા પેટ ફૂલેલું કેમ લાગે છે? તેના કારણો અને ઉપાય