અહાદીસ-એ-માસૂમીન(અ.)
Open in Telegram
હદીસના બારામાં કોઈ સવાલ અથવા કંઈ ભૂલ જણાય તો અહીં જાણ કરી શકો છો. @Abkhanusiya @Tahirabbas_Sunasara
Show moreThe country is not specifiedReligion & Spirituality87 046
699
Subscribers
No data24 hours
-17 days
+930 days
Posts Archive
۱۷۲۴- ۲- [۵] مُحَمَّدُ بْنُ عَلِیِّ بْنِ الْحُسَیْنِ قَالَ وَ رُوِیَ أَنَّهُ مَنْ یُقَلِّمُ أَظْفَارَهُ یَوْمَ الْجُمُعَةِ- یَبْدَأُ بِخِنْصِرِهِ مِنَ الْیَدِ الْیُسْرَی وَ یَخْتِمُ بِخِنْصِرِهِ مِنَ الْیَدِ الْیُمْنَی.
----------
[۵]: الفقیه ۱- ۱۲۷- ۳۰۴.
ઇમામ મોહંમદ ઇબ્ને અલી ઇબ્ને હુસૈન (અ.)થી રિવાયત કરવામાં આવી છે કે જે કોઈ જુમાના દિવસે પોતાના નખને કાપે તો તે શરુઆત ડાબા હાથની નાની આંગળીથી કરે અને અંત જમણા હાથની નાની આંગળી પર કરે.
يُروى عن أمير المؤمنين الإمام عليّ عليه السلام:
أشكر النّاس أقنعهم، وأكفرهم للنّعم أجشعهم.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: લોકોમાં સૌથી વધારે શુક્ર કરનાર એ માણસ છે જે લોકોમાં સૌથી વધારે સંતોષ કરનાર છે, અને લોકોમાં સૌથી વધારે નેઅમતોની નાશુક્રી કરનારો એ છે જે લોકોમાં સૌથી વધારે લાલચું છે.
📚 بحار الانوار، ج-٧٤،ص-٤٢٢
يُروى عن أمير المؤمنين الإمام عليّ عليه السلام:
إن كنتم للنّعيم طالبين فأعتقوا أنفسكم من شقاء الدّنيا.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: જો તમે સુખશાંતિની શોધમાં હો તો પોતાની જાતને દુનિયાની નાકામીથી આઝાદ કરી દો.
📚 عيون الحكم والمواعظ، ص-١٦٣
قال علي عليه السلام: العَقْلُ أنَّكَ تَقْتَصِدُ فَلاتُسْرِفُ و تَعِدُ فَلا تُخْلِفُ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે અક્લ એ છે કે તમે મધ્યમમાર્ગ અપનાવો અને હદથી આગળ ન વધી જાઓ અને વાયદો કરો તો તેને ન તોડો.
📚 عيون الحكم و المواعظ
આપને અને આપના પરિવારને વિલાદતે સાદિકૈન (હઝરત મોહંમદ મુસ્તુફા (સ.) અને હઝરત ઇમામ જાફર સાદિક (અ.)) તથા અલ્હાજ હઝરત પીર સૈયદ મોહંમદ મુજાહિદહુસૈન જાફરી (રહ.) અને હઝરત પીર સૈયદ મોહંમદ કામરાનહુસૈન જાફરી (મદ્દે.)ના જન્મ દિવસની ઉજવણી ખુબ ખુબ મુબારક થાય.
قَالَ الصَّادِقُ علیه السلام:
وَ زَکَاةُ الْوُضُوءِ أَنْ یَقُولَ الْمُتَوَضِّی اللَّهُمَّ إِنِّی أَسْأَلُکَ تَمَامَ الْوُضُوءِ وَ تَمَامَ الصَّلَاةِ وَ تَمَامَ رِضْوَانِکَ وَ الْجَنَّةَ فَهَذَا زَکَاةُ الْوُضُوءِ.
હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું: ... અને વુઝૂની (ઝકાત) એ છે કે વુઝૂ કરનાર કહે: "યા અલ્લાહ! હું તારાથી વુઝૂની પરિપૂર્ણતાની (સંપૂર્ણતાની), નમાઝની પરિપૂર્ણતાની (સંપૂર્ણતાની), તારા રાજીપાની પરિપૂર્ણતાની (સંપૂર્ણતાની) અને જન્નતની માગણી કરું છું" તો આ વુઝૂની ઝકાત છે.
📚 من لا يحضره الفقيه، ص- ١،ص-٣١
أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَآءُ وَالضَّرَّآءُ وَزُلْزِلُوا حَتّٰى يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ ءَامَنُوا مَعَهُۥ مَتٰى نَصْرُ اللَّهِ ۗ أَلَآ إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ
શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં ચાલ્યા જશો જ્યારે અત્યાર સુધી તમારા પર એવું વીત્યું નથી જેવું કે તમારા પૂર્વજો પર વીતી ગયું છે? (અર્થાત) તેમના ઉપર (એવી) સખ્તાઈ તથા દુઃખ આવી પડ્યાં કે તેઓ ધ્રુજી ગયા, અહીં સુધી કે રસૂલ તથા તેની સાથે ઈમાન લાવનારાઓ બોલી ઉઠ્યા કે (હવે) અલ્લાહની મદદ ક્યારે આવશે? (અલ્લાહ તરફથી કહેવામાં આવ્યું કે) ગભરાઓ નહિ નિસંશય અલ્લાહની મદદ નજદીક છે.
Ref:-સુરએ બકરહ: 214
سُئِلَ الصَّادِقُ علیه السلام عَنِ الصَّلَاةِ فِی الْقَلَنْسُوَةِ السَّوْدَاءِ فَقَالَ لَا تُصَلِّ فِیهَا فَإِنَّهَا لِبَاسُ أَهْلِ النَّارِ.
હઝરત ઇમામ જાફર સાદિક (અ.)ને કાળી ટોપી પહેરીને નમાઝ પઢવા વિષે પુછવામાં આવ્યું તો આપ (અ.)એ ફરમાવ્યું: તેમાં તું નમાઝ ન પઢ, કારણ કે તે જહન્નમવાળાઓનો લિબાસ છે.
📚 من لا يحضره الفقيه، ص- ١،ص-١٦٢
عن الإمام علي بن أبي طالب عليه السلام:
إِذَا وَثِقْتَ بِمَوَدَّةِ أَخِيكَ فَلَا تُبَالِ مَتَى لَقِيتَهُ وَلَقِيَكَ
હઝરત ઇમામ અલી (અ.)એ ફરમાવ્યું: જો તમારા ભાઈ પ્રત્યે તમારી મવદ્દત મજબૂત હશે તો ફર્ક નથી પડતો કે તમે તેને ક્યારે મળ્યા અને તે તમને ક્યારે મળ્યો.
المصدر:
كتاب غرر الحكم ودرر الكلم
قال علي عليه السلام: الصِّدْقُ خَيرُ مَبْنِيٍّ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે સચ્ચાઈ શ્રેષ્ઠ પાયો છે.
📚 عيون الحكم و المواعظ
يُروى عن أمير المؤمنين الإمام عليّ عليه السلام:
لا يَتْرُكَ الْعَمَلَ بِالْعِلْمِ إِلاَّ مَنْ شَكَّ فِي الثَّوابِ عَلَيْهِ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: માણસ ઇલ્મ પ્રમાણે અમલ કરવાનું છોડતો નથી પરંતુ (કેવળ અમલ કરવાનું એ માણસ જ છોડે છે) જેને તેના પર મળનારા સવાબમાં શક હોય.
📚 عيون الحكم والمواعظ، ص-٥٤٣
الإمام الصادق عليه السلام:
يَعيشُ النَّاسُ بإحسانِهِم أكثر مِما يَعيشُونَ بأعمارِهِم، ويَموتُونَ بذُنوبِهِم أكثرَ مِما يَموتُونَ بِآجالِهِم.
ઇમામ સાદિક (અ.)એ ફરમાવ્યું: "લોકો પોતાની ઉંમર કરતાં, પોતાની નેકીના કારણે વધારે જીવે છે, અને પોતાના નક્કી કરેલા મોતના સમય કરતાં, પોતાના ગુનાઓના કારણે વધારે મરે છે."
المصدر:
كتاب ميزان الحكمة
قال علي عليه السلام: الْوَرَعُ ثَمَرَةُ الْعَفافِ
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે ઇબાદતગુઝાગારી પાકદામનીનું ફળ છે.
📚 عيون الحكم و المواعظ
يُروى عن أمير المؤمنين الإمام عليّ عليه السلام:
لا شَيْءَ أَعْوَدُ عَلى الاْءِنْسانِ مِنْ حِفْظِ اللِّسانِ وَ بَذْلِ الاْءِحْسان.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: જીભની હિફાઝત અને નેકી કરવા કરતાં ઇન્સાન માટે કોઈ વસ્તુ વધારે ફાયદાકારક નથી.
📚 عيون الحكم والمواعظ، ص-٥٤٣
يُروى عن رسول الله محمّد صلى الله عليه و آله وسلم:
خير الرّجال من كان بطيء الغضب سريع الرّضا.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: માણસોમાં શ્રેષ્ઠ માણસ એ છે જે મોડા નારાજ થનાર હોય અને ઝડપથી રાજી થઈ જનાર હોય.
📚 ميزان الحكمة، ج- ١، ص-٨٤٥
امام صادق علیه السلام:
اَلنَّـوْمُ راحَةٌ لِلْجَـسَدِ وَ النُّـطْقُ راحَةٌ لِلرُّوحِ وَ السُّكُوتُ راحةٌ لِلْعَقْلِ؛
ઇમામ સાદિક (અ.)એ ફરમાવ્યું: "ઊંઘ શરીર માટે આરામ છે,બોલવું રૂહ માટે આરામ છે અને ચૂપ રેહવું અક્લ માટે આરામ છે."
من لا يحضره الفقيه: ج ۴، ص ۴۰۲
يُروى عن أمير المؤمنين الإمام عليّ عليه السلام:
لا يَجْمَعُ الْمالَ إِلاَّ الْحِرْصُ وَ الْحَريصُ شَقِيٌّ مَذْمُومٌ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: લાલચ સિવાય માલ ભેગો થતો નથી અને લાલચુ કંગાળ અને નિંદાપાત્ર છે
📚 عيون الحكم والمواعظ، ص-٥٤٢
قال علي عليه السلام: الوَرَعُ جُنَّةٌ مِنَ السَّيِّئاتِ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે ઇબાદતગુઝારી ગુનાહોની સામે ઢાલ છે.
📚 عيون الحكم و المواعظ
قال علي عليه السلام: الكُتُبُ بَساتينُ الْعُلَماءِ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે કિતાબો આલિમોના બગીચાઓ છે.
📚 عيون الحكم و المواعظ
