1 494
Підписники
+124 години
+127 днів
+9130 день
Архів дописів
આથી કોલેજના તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આવતીકાલ તારીખ; ૧/૮/૨૦૨૬ ને શનિવારના રોજ સાબરકાંઠા કલેક્ટરશ્રીના આદેશથી અતિ ભારે વરસાદની આગાહી હોય કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. કોલેજમાં રજા રહેશે જેની તમામ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી
આથી કોલેજના તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપણી આસપાસ કોઈ વિદ્યાર્થી મિત્રને બી.એ સેમ-૧ માં પ્રવેશ મેળવવાનો બાકી રહી ગયેલ હોય તો તેઓએ ઉપરના શિડ્યુલ મુજબ પ્રકિયા કરી સત્વરે પ્રવેશ મેળવી લેવોનો રહેશે
ગ્રંથાલય માં દરેક સેમ નું મટીરિયલ અને આંતરિક પરીક્ષા ના દરેક વિષય ના પ્રશ્ન પત્ર અને યુનિ પરીક્ષા ના પ્રશ્ન પત્ર. ,,છે જેનો અભ્યાસ સાથે સમજ પડશે પ્રશ્ન પત્ર માળખું અને ગુણભાર
યુનિ અને સરકાર શ્રી ના એન ઇ પી પરિપત્ર ૨૦૨૦ મુજબ દરેક સત્ર માં ત્રણ ટેસ્ટ દરેક વિષય ના લેવાના થાય છે અને એસાઈ મેન્ટ ફરજીયાત લખી જમા કરાવવા ના છે ત્યારે August માં બીએ સેમ ૧,૩&૬ અને એમ એ સેમ૧&૩ ફરજિયાત ટેસ્ટ લેવા માટે કોલેજ પરીક્ષા વિભાગ અને દરેક વિષય અધ્યક્ષ કમિટી આ કામગીરી હાથ પર લીધી છે ત્યારે દરેક વિધ્યાર્થીઓ પોતાના વિષય ગ્રુપ જાણી ટેસ્ટ તારીખ સમય અને પ્રશ્ન પત્ર જાણી લેવા જેથી આપેલ ટેસ્ટ ગુણ આંતરિક પરીક્ષા માં અને કરેલ લેખિત પ્રેક્ટિસ યુનિ પરીક્ષા માં કામે લાગશે.
આથી કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે ઓનલાઇન સ્કોલરશીપ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ હોય સત્વરે કોલેજ કાર્યાલયમાં ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાના રહેશે.
તાકીદ ની સૂચના....એમ.એમ ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્રનગર માં બીએ સેમ ૧,૩&૫ અને એમ એ સેમ ૧&૩ માં પ્રવેશ લેનાર તાત્કાલિક સ્કોલરશીપ ઓનલાઈન ફોર્મ ભરી નકલ કોલેજ સ્કોલરશીપ વિભાગ માં ઓનલાઈન ફોર્મ સાથે ડોક્યુમનેટ જમા કરાવો જો સમય પહેલા. ફોર્મ જે વિધાર્થી ભરશે. નહીં અને જમા કરાવશે નહીં તો જે તે વ્યક્તિગત વિધાર્થી ની જવાબદારી રહેશે ..., સમય મર્યાદામાં ફોર્મ ભરવાની કામગીરી ના થાય તો સ્કોલર શિ નો લાભ સરકાર સમાજકલ્યાણ આપી સકે નહીં કારણ ફોર્મ ભર્યા બાદ સરકારી વિભાગ ને અન્ય પ્રોસેસ કરવા સમય લાગે છે માટે તાકીદ છે સૂચના નું પાલન કરો,
આથી તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે પી.જી (એમ.એ/ બી.એડ) માટે તબક્કો-૨ gcas દ્વારા આપવામાં આવ્યો હોય જે કોઈ મિત્રોને પ્રથમ રાઉન્ડમાં કોઈ ઓફર તેમજ ફોર્મમાં કોઈપણ જાતની ભૂલ હોય તો પણ સુધારી શકાશે. જે વિદ્યાર્થી મિત્રોને નવું રજીસ્ટ્રેશન તેમજ ફોર્મ ભરવાનું બાકી હોય તે પણ આ સમય દરમિયાન ભરી શકશે. ઉપરના શિડ્યુલ મુજબ વિદ્યાર્થી મિત્રોએ કામગીરી કરવાની રહેશે જેની તમામે નોંધ લેવી
નોંધ:- જે વિદ્યાર્થી મિત્રોને પ્રથમ રાઉન્ડમાં ઓફર મળી હોય અને તેમને તેઓ ઓફરનો અસ્વીકાર કર્યો હોય તેઓએ પોતાનું લોગીન ચેક કરી આપણે કરેલી અરજી નોન એક્ટિવ થયેલ નથી તે ખાસ ચેક કરી લેવાનું રહેશે. જો નોન એક્ટિવ બતાવતું હોય તો કોલેજનો સંપર્ક કરવાનો રહેશે.
આથી તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે પી.જી (એમ.એ/ બી
એડ) માટે તબક્કો-૨ gcas દ્વારા આપવામાં આવ્યો હોય જે કોઈ મિત્રોને પ્રથમ રાઉન્ડમાં કોઈ ઓફર તેમજ ફોર્મમાં કોઈપણ જાતની ભૂલ હોય તો પણ સુધારી શકાશે. જે વિદ્યાર્થી મિત્રોને નવું રજીસ્ટ્રેશન તેમજ ફોર્મ ભરવાનું બાકી હોય તે પણ આ સમય દરમિયાન ભરી શકશે. ઉપરના શિડ્યુલ મુજબ વિદ્યાર્થી મિત્રોએ કામગીરી કરવાની રહેશે જેની તમામે નોંધ લેવી
નોંધ:- જે વિદ્યાર્થી મિત્રોને પ્રથમ રાઉન્ડમાં ઓફર મળી હોય અને તેમને તેઓ ઓફરનો અસ્વીકાર કર્યો હોય તેઓએ પોતાનું લોગીન ચેક કરી આપણે કરેલી અરજી નોન એક્ટિવ થયેલ નથી તે ખાસ ચેક કરી લેવાનું રહેશે. જો નોન એક્ટિવ બતાવતું હોય તો કોલેજનો સંપર્ક કરવાનો રહેશે.
જ્ઞાનધારા ના કન્વીનર તરીકે સર્વે સ્ટાફ મિત્રોને વિદ્યાર્થી મિત્રો ગુરુપૂર્ણિમા કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ
હવેથી માર્કશીટ કે ડિગ્રી સર્ટિફિકેટ લેવા માટે ગ્રંથાલયમાં આવવાનું રહેશે અને રીસીપ્ટ લઈને જાતે જ આવવાનું રહેશે સમય સવારે 10 થી 12 ની વચ્ચે મેળવી લેવાની રહેશે આચાર્યશ્રી ની સૂચનાથી
વિદ્યાર્થી મિત્રો
બીએ સેમ ત્રણ અને બીએ સેમ પાંચના વિદ્યાર્થીઓ આવાત ધ્યાને લે જે વિદ્યાર્થી મિત્રો પાસે ગ્રંથાલયમાંથી લીધેલા બીએ સેમ વનના પુસ્તકો છે હજુ સુધી જમા નથી કરાવ્યા તેઓ તાત્કાલિક જમા કરાવે
*બેંક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, હિંમતનગર દ્વારા આગામી 07.08.2026 થી (1) ફોટોગ્રાફી- વિડિયોગ્રાફી અને (2) રેફ્રિજરેશન - એરકન્ડિશનિંગની 30 દિવસીય ટ્રેનિંગ શરૂ થઈ રહી છે. આ ટ્રેનિંગ તદન નિઃશુલ્ક આપવામાં આવે છે તો સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ બેરોજગાર યુવાનો ઍડમિશન મેળવવા માટે આપેલ લિંક પર અરજી કરો: https://barodarsetisabarkantha.org/admission/*
*વધુ માહિતી માટે સંપર્ક કરો: 8200181855, 8849985826*
ચાલુ અભ્યાસ સાથે ધો ૧૨ પાસ લાયકાત વાળા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ માન્ય સ્વામી વિવેકાનંદ યોગ અભ્યાસ કેન્દ્ર o૯૦૩ રાજેન્દ્રનગર આપની કોલેજ માં ચાલે છે એક વર્ષ નો ડિપ્લોમા યોગ કોર્ષ ફ્ક્ત ૪૭૦૦/ ફી સાથે વાર્ષિક કોર્ષ બે વિષય એક પ્રાયોગિક પરીક્ષા આપણી કોલેજ માં લેવાય છે મટીરિયલ પણ અભ્યાસ કેન્દ્ર માંથી વિના મૂલ્યે આપવામાં આવે.છે આપ કે આપના ભાઈ બહેનો અન્ય ચાલુ અભ્યાસ સાથે ડિપ્લોમા યોગ કોર્ષ શરૂ કરી શકે અને દરેક ગામ માં આરોગ્ય વિભાગે શરૂ કરેલ વેલનેસ સેન્ટરમાં યોગ શિક્ષક ની જગ્યા હોય છે એમાં દૈનિક બે કલાક જવાની અને નિયમાનુસાર કલાક ના ૨૫૦/ લેખે મહિને ૮ થી ૧૦ હજાર પગાર મળે આપણી કોલેજ માંથી ૪૦૦ અભ્યાસ કરી ગયા અને નોકરી કરે છે રાયગઢ માં ..વેલનેસ સેન્ટર માં નોકરી કરતા ભાઈ ને મળો. જે આપણા સ્વામી વિવેકાનંદ યોગ અભ્યાસ કેન્દ્ર રાજેન્દ્રનગર ના વિધાર્થી છે... હાલ પ્રવેશ ચાલુ છે માટે લાબું વિચારી તક લેવી હિત માં છે ઘર આંગણે કોર્ષ માં પ્રવેશ મેળવો અને અન્ય ને જોડો
ચાલુ અભ્યાસ સાથે નિયમિત કોલેજ સાથે આપણી કોલેજ માં ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અભ્યાસ કેન્દ્ર ૧૭૩૩ છે જેમાં અનેક ઉપયોગી સર્ટિ કોર્ષ ડિપ્લોમા કોર્ષ ચાલે.ch જે કરી શકો વ્યાજબી ફી સાથે પુસ્તકો ઘરે આવે પરીક્ષ. જો છ મહિના નો સર્ટિફિકેટ કોર્ષ હોય તો છ મહિના પછી પરીક્ષા ડિપ્લોમા કોર્ષ હોય તો વર્ષ ના અંતે લેવાય છે રૂમ ૧૫ માં થી માહિતી મળે અથવા મો૯૪૨૭૬૭૭૩૩૧ થી મળે.ફોર્મ અર્બુદા ઝેરોક્ષ ચાર રસ્તા રાજેન્દ્રનગર માં ભરી આપશે....ઓનલાઈન ફોર્મ ભરવા નું હોય છે
