682
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+17 روز
+730 روز
در حال بارگیری داده...
کانالهای مشابه
ابر برچسبها
هیچ دادهای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
سپتامبر '26
سپتامبر '260
در 0 کانالها
اوت '26
+18
در 0 کانالها
Get PRO
ژوئیه '26
+8
در 0 کانالها
Get PRO
ژوئن '26
+7
در 0 کانالها
Get PRO
مه '26
+6
در 0 کانالها
Get PRO
آوریل '26
+5
در 0 کانالها
Get PRO
مارس '26
+9
در 0 کانالها
Get PRO
فوریه '26
+9
در 0 کانالها
Get PRO
ژانویه '26
+12
در 0 کانالها
Get PRO
دسامبر '25
+12
در 0 کانالها
Get PRO
نوامبر '25
+6
در 0 کانالها
Get PRO
اکتبر '25
+12
در 0 کانالها
Get PRO
سپتامبر '25
+5
در 0 کانالها
Get PRO
اوت '25
+15
در 0 کانالها
Get PRO
ژوئیه '25
+22
در 0 کانالها
Get PRO
ژوئن '25
+10
در 0 کانالها
Get PRO
مه '25
+5
در 0 کانالها
Get PRO
آوریل '25
+5
در 0 کانالها
Get PRO
مارس '25
+31
در 0 کانالها
Get PRO
فوریه '25
+33
در 0 کانالها
Get PRO
ژانویه '25
+15
در 0 کانالها
Get PRO
دسامبر '24
+12
در 0 کانالها
Get PRO
نوامبر '24
+30
در 0 کانالها
Get PRO
اکتبر '24
+24
در 0 کانالها
Get PRO
سپتامبر '24
+10
در 0 کانالها
Get PRO
اوت '24
+14
در 0 کانالها
Get PRO
ژوئیه '24
+16
در 0 کانالها
Get PRO
ژوئن '24
+13
در 0 کانالها
Get PRO
مه '24
+25
در 0 کانالها
Get PRO
آوریل '24
+27
در 0 کانالها
Get PRO
مارس '24
+17
در 0 کانالها
Get PRO
فوریه '24
+14
در 0 کانالها
Get PRO
ژانویه '24
+14
در 0 کانالها
Get PRO
دسامبر '23
+13
در 0 کانالها
Get PRO
نوامبر '23
+8
در 0 کانالها
Get PRO
اکتبر '23
+7
در 0 کانالها
Get PRO
سپتامبر '23
+4
در 0 کانالها
Get PRO
اوت '23
+16
در 0 کانالها
Get PRO
ژوئیه '23
+10
در 0 کانالها
Get PRO
ژوئن '23
+10
در 0 کانالها
Get PRO
مه '23
+8
در 0 کانالها
Get PRO
آوریل '23
+15
در 0 کانالها
Get PRO
مارس '23
+23
در 0 کانالها
Get PRO
فوریه '23
+11
در 0 کانالها
Get PRO
ژانویه '23
+28
در 0 کانالها
Get PRO
دسامبر '22
+22
در 0 کانالها
Get PRO
نوامبر '22
+36
در 0 کانالها
Get PRO
اکتبر '22
+36
در 0 کانالها
Get PRO
سپتامبر '22
+25
در 0 کانالها
Get PRO
اوت '22
+11
در 0 کانالها
Get PRO
ژوئیه '22
+19
در 0 کانالها
Get PRO
ژوئن '22
+24
در 0 کانالها
Get PRO
مه '22
+16
در 0 کانالها
Get PRO
آوریل '22
+51
در 0 کانالها
Get PRO
مارس '22
+88
در 0 کانالها
Get PRO
فوریه '22
+12
در 0 کانالها
Get PRO
ژانویه '22
+612
در 0 کانالها
| تاریخ | رشد مشترکین | اشارات | کانالها | |
| 04 سپتامبر | 0 | |||
| 03 سپتامبر | 0 | |||
| 02 سپتامبر | 0 | |||
| 01 سپتامبر | 0 |
پستهای کانال
*મુનાજાતે શાકીન*
હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન અલય્હિસ્સલામ ફરમાવે છે
અલ્લાહના નામથી જે ખૂબ મહેરબાન અને માફ કરનાર છે.
અય મારા મઅબૂદ! હું તારી સામે મારા નફ્સની ફરિયાદ કરું છું,
જે મને બુરાઈનો હુકમ કરે છે અને ગુનાહની તરફ ઝડપથી લઈ જાય છે.
જે તારી નાફરમાનીમાં રસ ધરાવે છે અને તારી નારાજગી વહોરી લે છે.
તે મને બરબાદીના રસ્તાઓ પર લઈ જાય છે.
અને મને તારી નજરમાં સૌથી વધુ હલકો અને બરબાદ બનાવે છે.
તે અનેક બહાનાં બનાવે છે અને લાંબી લાંબી આશાઓ રાખે છે.
જો તેને કોઈ તકલીફ પહોંચે તો તે ગભરાઈ જાય છે.
અને જો તેને સુખ-સગવડ મળે તો તે બીજાને આપવાથી રોકે છે.
તે રમત-ગમત અને દુનિયાની મોજમસ્તી તરફ વધારે ઝુકે છે.
અને ગફલત તથા ભૂલચૂકથી ભરેલું છે.
તે મને ગુનાહ તરફ ઝડપથી લઈ જાય છે અને તૌબા કરવામાં મોડું કરાવે છે.
અય મારા માઅબૂદ! હું તારી સામે એવા દુશ્મનની ફરિયાદ કરું છું જે મને ગેરમાર્ગે દોરે છે અને એવા શૈતાનની ફરિયાદ કરું છું જે મને બહકાવે છે.
તેણે મારા સીનાને વસવસાથી ભરી દીધું છે.
અને તેના ખરાબ વિચારો મારા દિલને ઘેરી રાખ્યાં છે.
તે મારી ખરાબ ઇચ્છાઓને મદદ કરે છે અને દુનિયાની મોહબ્બતને મારા માટે સારી બનાવીને બતાવે છે.
અને મારા તથા અલ્લાહની ઇતાઅત અને તેની નજીક પહોંચવા વચ્ચે અડચણ બને છે.
અય મારા માઅબૂદ! હું તારી સામે એવા દિલની ફરિયાદ કરું છું જે સખત થઈ ગયું છે અને વસવસાથી વારંવાર બદલાતું રહે છે.
અને જે ગફલત અને દિલની કાળાશથી ઢંકાઈ ગયું છે.
અને એવી આંખની ફરિયાદ કરું છું જે તારા ડરથી રડતી નથી.
અને જે વસ્તુ તેને ગમે છે તેની તરફ લલચાય છે.
અય મારા માઅબૂદ! તારી કુદરત સિવાય મારી પાસે કોઈ તાકાત અને શક્તિ નથી.
અને તારી હિફાઝત સિવાય હું દુનિયાની મુસીબતો અને બુરાઈઓથી બચી શકતો નથી.
પછી હું તારી ઊંડી હિકમત અને તારી પૂરી થતી મરજીના વાસ્તે તારી પાસે માગું છું,
કે તારી રહમત અને અતા સિવાય મને બીજા કોઈ તરફ હાથ ફેલાવનાર ન બનાવ.
અને મને ફિતનાઓનું નિશાન ન બનાવ.
અને દુશ્મનો સામે મારી મદદ કર.
અને મારા ઐબો તથા રુસવાઈઓ પર પડદો નાખ.
મને બલાઓથી બચાવ અને ગુનાહોથી દૂર રાખ.
તારી મહેરબાની અને રહમતના વાસ્તાથી એ સૌથી વધારે રહમ કરનાર.
| 2 | *સૂરે યુસુફ આયત 53*
وَ مَاۤ اُبَرِّیُٔ نَفۡسِیۡ ۚ اِنَّ النَّفۡسَ لَاَمَّارَۃٌۢ بِالسُّوۡٓءِ اِلَّا مَا رَحِمَ رَبِّیۡ ؕ اِنَّ رَبِّیۡ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۵۳﴾
(૫૩) અને હું મારા નફસને બૂરાઇથી પાક નથી ગણતો કારણકે (સરકશ) નફસ બદી (કરવા)નો હુકમ કરે છે, સિવાય કે જેના પર મારા પરવરદિગારે દયા કરી હોય, બેશક મારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે (ખુબજ વધારે માફ કરનાર અને મહેરબાન છે.)
*તફસીર:*
કુરઆનમાં નફ્સની અલગ અલગ હાલતો જણાવવામાં આવી છે:
1. નફ્સે અમ્મારા: એવી હાલત જેમાં નફ્સ માણસને ખરાબ કામો તરફ ધકેલે છે. જો તેને અકલ અને ઈમાન દ્વારા કાબૂમાં ન રાખવામાં આવે, તો માણસ અચાનક પતન તરફ જઈ શકે છે.
2. નફ્સે લવ્વામા: એવી હાલત જેમાં માણસ પોતાના ખોટા કામ માટે પોતાને ઠપકો આપે છે, પસ્તાવો કરે છે અને માફી માંગે છે. સૂરએ કયામતમાં પણ તેનો ઉલ્લેખ થયો છે.
3. નફ્સે મુત્મઇન્ના: એવી હાલત જે ફક્ત અંબિયા, અવલીયા અને તેમની સાચી તઅલીમ પામેલા લોકોમાં જોવા મળે છે. તેઓ દરેક વસવસા અને મુશ્કેલીમાંથી સફળતાપૂર્વક બહાર આવે છે અને તેમનું દિલ અલ્લાહ સાથે જોડાયેલું હોય છે.
હઝરત યુસુફ અલય્હિસ્સલામ પોતાની બેવફાઈથી બચવા અને આ પરીક્ષામાં સફળ થવાનું કારણ અલ્લાહની મહેરબાની અને રહેમતને માને છે. તેઓ એક એવા માણસ તરીકે, જેમાં માનવીય સ્વભાવ છે, પોતાને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરતા નથી.
ઘણી હદીસોમાં નફ્સના જોખમો વિશે જણાવવામાં આવ્યું છે અને પોતાના નફ્સથી ખુશ રહેવાને અકલના બગાડની નિશાની તથા શૈતાનની સૌથી મોટી જાળ ગણાવવામાં આવી છે.
ઇમામ સજ્જાદ અલય્હિસ્સલામે મુનાજાતે શાક્કિનમાં નફ્સના પંદર જોખમો જણાવ્યા છે, જેના પર ધ્યાન આપવું ખૂબ ઉપયોગી છે. (તે પડવા માટે તે દુઆ તરફ રૂજૂ કરવા વિનંતી છે)
પયગામ
1. ક્યારેય પોતાને સંપૂર્ણ પાક અને નિર્દોષ માનીને પોતાને બરી ન કરીએ.
2. કમાલની નિશાની એ છે કે આખી દુનિયા કોઈ વ્યક્તિને સંપૂર્ણ માને, તો પણ તે પોતાને સંપૂર્ણ ન માને. હઝરત યુસુફ અલય્હિસ્સલામના બનાવમાં તેમના ભાઈઓ, અઝીજે મિસરની પત્ની, સાક્ષી, બાદશાહ, શૈતાન અને કેદીઓ સૌ તેમની કમાલની સાક્ષી આપે છે, પરંતુ પોતે કહે છે કે હું મારા નફ્સને નિર્દોષ જાહેર કરતો નથી.
3. નફ્સની ઇચ્છાઓનું જોખમ ગંભીર છે, તેથી તેને સામાન્ય કે નાનું ન સમજવું જોઈએ. કુરઆનમાં નફ્સ માણસને ખરાબી તરફ ખેંચે છે એ વાત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.
4.અંબિયા અલય્હિમુસ્સલામ માસૂમ હોવા છતાં માનવીય લાગણીઓ અને સ્વાભાવિક ઇચ્છાઓ ધરાવે છે.
5. એક તરફ આરોપોથી બચવા માટે પોતાની પાકીઝગી અને પવિત્રતાનો બચાવ કરવો જોઈએ અને બીજી તરફ નફ્સની ખરાબ શરારતને સ્વીકારીને અલ્લાહની પનાહ માંગવી જોઈએ.
6. નફ્સ પોતાની ઇચ્છાને વારંવાર માણસ સામે રજૂ કરતો રહે છે, જેથી અંતે માણસને તેમાં ફસાવી શકે.
7. માણસનો નફ્સ સ્વભાવ પ્રમાણે ખરાબ વસ્તુ તરફ જાય છે જો અલ્લાહની મહેરબાની ન હોય તે નફ્સ ગુનાહ તરફ લઈ જવાની કોશિશ કરે છે
8. માણસની નજાતનો એકમાત્ર સાચો સહારો અલ્લાહની રહેમત છે. જો માણસને તેના પોતાના નફ્સના હવાલે છોડી દેવામાં આવે, તો તે પતન તરફ જઈ શકે છે.
9. હઝરત યુસુફ અલય્હિસ્સલામ અલ્લાહની ખાસ તઅલીમ હેઠળ હતા. તેમના શબ્દોમાં પોતાના પાલનહારનો ઉલ્લેખ વારંવાર આવે છે.
10. જે વ્યક્તિ તઅલીમ અને માર્ગદર્શન આપે છે, તેના અંદર રહેમત અને માફ કરવાની ભાવના હોવી જોઈએ.
11. અલ્લાહની માફી તેની રહેમત મેળવવાની શરૂઆત છે. પહેલા માફીનો ઉલ્લેખ થાય છે અને ત્યારબાદ રહેમતનો.
12. તમામ જોખમો અને મુશ્કેલીઓ હોવા છતાં અલ્લાહની રહેમતથી ક્યારેય નિરાશ ન થવું જોઈએ. અલ્લાહ માફ કરનાર અને રહેમ કરનાર છે.
(તફસીરે નૂર)
alvi110.in | 98 |
| 3 | *સૂરે યુસુફ આયત 52*
ذٰلِکَ لِیَعۡلَمَ اَنِّیۡ لَمۡ اَخُنۡہُ بِالۡغَیۡبِ وَ اَنَّ اللّٰہَ لَا یَہۡدِیۡ کَیۡدَ الۡخَآئِنِیۡنَ ﴿۵۲﴾
(૫૨) આ એ માટે કે તે જાણી લે કે મેં તેની પીઠ પાછળ તેના હકમાં કાંઇ ખયાનત કરી નથી અને એ કે અલ્લાહ ખયાનત કરનારાઓની મક્કારીને (કામ્યાબી તરફ) હિદાયત આપતો નથી.
*તફસીર:*
હઝરત યુસુફ અલય્હિસ્સલામે આ વાત ત્યારે કહી જ્યારે શાહી દરબારમાં નિર્ણય તેમના હકમાં થઈ ગયો. તેમણે જેલમાંથી મુક્ત થવાનું સ્વીકાર્યું નહીં અને પોતાના પર લગાવવામાં આવેલા આરોપની તપાસ કરવાની શરત રાખી, જેથી હકીકત સંપૂર્ણપણે સામે આવી જાય અને અઝીઝને ખબર પડે કે તેમણે છૂપી રીતે તેની ઇઝ્ઝત અને આબરૂ વિશે કોઈ દગો કર્યો નહોતો. તેમજ દુનિયાના લોકો પણ જાણી લે કે મકર અને ફ્રેબ પર આધારિત કોઈ સાજિશ ક્યારેય સફળ થતી નથી.
હઝરત યુસુફ અલય્હિસ્સલામે આ વાત દ્વારા જેલમાંથી બહાર આવવામાં મોડું કરવાનું કારણ જણાવ્યું કે તેમના કેસની ફરી તપાસ થાય અને તેમની ઇઝ્ઝત અને આબરૂ ફરીથી સાબિત થાય.
પયગામ
1- સારા અને ઇઝ્ઝતદાર માણસ બદલો લેવાની કોશિશ કરતો નથી, પરંતુ પોતાની ઇઝ્ઝત પાછી મેળવવા અને હકીકત જાણવા માંગે છે.
2- લોકોના મનમાંથી ખોટી શંકાઓ દૂર કરવી જોઈએ.
3- કોઈ પુરુષની પત્ની પર ખરાબ નજર રાખવી અથવા તેની ઇઝ્ઝતને નુકસાન પહોંચાડવાનો ઇરાદો રાખવો તે પુરુષ સાથે ખેયાનત છે.
4- ખેયાનત ખરાબ કામ છે, ભલે તે કોઈ કાફિર સાથે કરવામાં આવે.
5- સાચા ઈમાનની નિશાની એ છે કે માણસ છુપાઈને અને પાછળથી પણ ખેયાનત ન કરે.
6- ખેયાનત કરનાર પોતાના ખોટા કામને યોગ્ય ઠેરવવા માટે પણ યોજનાઓ બનાવે છે.
7- હઝરત યુસુફ અલય્હિસ્સલામ રાજાને સમજાવવા માંગતા હતા કે ઘટનાઓ અને બનાવોમાં અલ્લાહની મરજી અને તેની ઈલાહી સુન્નતનો મહત્વનો ભાગ હોય છે.
8- ખેયાનત કરનારને અંતે સફળતા મળતી નથી અને તેનો અંત સારો હોતો નથી. હા, જો આપણે પાક અને બેગુનાહ રહીએ, તો અલ્લાહ નાપાક લોકોને આપણી ઇઝ્ઝત બરબાદ કરવાની પરવાનગી આપતો નથી.
9- અલ્લાહની સુન્નતોમાંની એક એ છે કે ખેયાનત કરનારાઓ સફળ થતા નથી અને અંતે તેમની હાર તથા રુસવાઈ થાય છે.
alvi110.in | 101 |
| 4 | નેહજુલ બલાગહ પત્ર 31 ભાગ 15.
હિફઝે શખ્સિયત.
હઝરત અમીરૂલ મોમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અલય્હિસ્સલામ ફરમાવે છે:
જાણી લે કે તમારી બધી ઇચ્છાઓ પૂરી થવાની નથી, અને ઝિંદગી નક્કી થયેલ સમયથી વધવાની નથી. તું એ જ માર્ગે છે જેમાં તારા પહેલાના લોકો હતા તેઓ ગયા અને તું પણ જશે.
આથી દુનિયા મેળવવા માટે વધારે સમય ન દે, અને રોજી-રોટીમાં મધ્યમ માર્ગ અપનાવ. કેમ કે ઘણી વાર જોવામાં આવ્યું છે કે વધુ પડતી દોડધામ વિનાશ તરફ લઈ જાય છે. દરેક મહેનતુ વ્યક્તિને તેની રોજી નથી મળતી, અને દરેક મધ્યમ માર્ગે ચાલનાર વંચિત રહેતો નથી.
પોતાના નફ્સને દરેક પસ્ત ચીઝથી બચાવ, પછી ભલે તે પસ્તી તને તારી માંગણી સુધી પહોંચાડે. કેમ કે તેના બદલામાં તું તારી ઇજ્જત ગુમાવીશ, જેની કોઈ કિંમત કોઈ અદા કરી શકતું નથી
કોઈનો ગુલામ ન બન અલ્લાહે તને આઝાદ પેદા કર્યો છે.
એ ભલાઈ જે ખરાબી વિના ન મળે, તે ભલાઈ નથી અને એ સુખચેન જે અતિશય મુશ્કેલી વિના ન મળે, તે સુખ નથી.
એવી વસ્તુથી બચીને રહો જે લોભની સવારીઓ તને ઝડપથી વિનાશની જગ્યાએ ન પહોંચાડે.
જો શક્ય હોય તો અલ્લાહ અને તારી વચ્ચે કોઈ માધ્યમ ન રાખ, કેમ કે તારો હિસ્સો તો તને મળીને જ રહેશે જો મખલુકથી વધારે મળે તેના કરતા અલ્લાહ તરફથી થોડું પણ મળે તે મૂલ્યવાન છે જ્યારે કે બધી નિઅમતો અલ્લાહ તરફથી જ છે.
*વઝાહત: આય્તુલ્લાહ નાસિર મકારિમ શીરાઝી સાહબ*
આ વિભાગમાં ઈમામ અલી અલય્હિસ્સલામ પોતાના નૂરાની કલામમાં છ ખાસ પોઇન્ટ તરફ ઈશારો કરે છે અને તેની પહેલા એક ખાસ વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિ પોતાની બધીજ ઇચ્છાઓ અને આરઝૂ ને હાંસલ કરી શકતો નથી અને કોઈ મોતથી બચી શકતું નથી
૧. રોજીમાં મધ્યમ માર્ગ અપનાવો અને અતિરેકથી બચો
ઇમામ ફરમાવે છે: અતિરેકથી બચો અને રોજીમાં મધ્યમ માર્ગ અપનાવો કારણ કે ઘણી વાર વધુ દોડધામ વિનાશ તરફ દોરી જાય છે.
અલ્લાહ તઆલા કુરાનમાં ફરમાવે છે
ખાઓ-પીઓ પણ ઇસરાફ અને બગાડ ન કરો, બેશક અલ્લાહ બગાડ કરનારાઓને પસંદ નથી કરતો.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ફરમાવે છે.
દુનિયાની શોધમાં મધ્યમ માર્ગ અપનાવો, કારણ કે દરેકને તેના માટે જે નક્કી થયું છે તે આપવામાં આવે છે.
૨. નફ્સને પસ્તીથી બચાવો
ઇમામ અલી અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમારા નફ્સને દરેક પસ્તી અને ઝિલ્લતથી બચાવો, ભલે તે નીચાણ તમને ઇચ્છાઓ સુધી પહોંચાડે, કારણ કે તેના બદલામાં તમે પોતાની આબરૂ ગુમાવો છો.
અને એ વસ્તુની ઇચ્છા ન કરો કે જેમાં અલ્લાહએ તમને એકબીજા પર શ્રેષ્ઠતા આપી છે.
અને હદીસમાં છે જેણે પોતાની આબરૂને કોઈ વસ્તુ માંગીને વેચી દીધી તેણે ક્યારેય તેનો યોગ્ય બદલો મેળવ્યો નથી.
ગુનાહ કરીને ચિટિંગ કરીને અથવા બીજા કોઈ એવા ખરાબ કામ કરીને જયારે ઇન્સાન બદનામ થઈ જાય છે તો પછી તેને તે ઇઝ્ઝત ફરી વખત મળતી નથી
૩. બીજાના ગુલામ ન બનો
ઇમામ અલી ફરમાવે છે:
બીજાના ગુલામ ન બનો, અલ્લાહે તમને આઝાદ પેદા કર્યા છે.
બેશક અલ્લાહ તઆલા આદમની સંતાનોને માન-આબરૂ આપી છે તો તે આઝાદીનું આપણે મહત્વ સમજવું જોઈએ
ઇમામ હુસૈન અલય્હિસ્સલામ
ની આ હદીસ મશહૂર છે જેમાં આપ ફરમાવે છે અમારાથી અપમાન ઝિલ્લત દૂર છે.
૪. ખરાબ રસ્તે ભલાઈ નહીં
ઇમામ અલી અલય્હિસ્સલામ ફરમાવે છે:
એ ભલાઈ જે ખરાબ માર્ગ પરથી મળે તે ભલાઈ, ભલાઈ નથી અને એ રાહત આસાની જે મુશ્કેલી વગર મળે તે રાહત નથી.
જેથી આસાનીથી પૈસા મળે મેહનત વગર પૈસા મળે તેમાં કઈ ભલાઈ નથી.
માણસ મેહનત કરશે તો જ કામયાબી અને ભલાઈ મળશે.
હદીસમાં છે એ ભલાઈ સારી નથી, જેના પછી આગ (જહન્નમ) હોય.
૫. લોભથી બચો
ઇમામ અલી ફરમાવે એથી બચો કે લોભની સવારીઓ તમને ઝડપથી વિનાશના ઝરણાં સુધી પહોંચાડી દે
જે લોકો પોતાના જીવનના લોભથી બચાવી લે તો તે લોકો સફળ છે.
ઇમામ સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
લોભ એ શેતાની આદત છે શેતાન લોભી લોકોને આ કાર્યથી અઝાબે ઇલાહી માં ફેકે છે.
૬. અલ્લાહ સિવાય કોઈને માધ્યમ ન બનાવો
ઇમામ (અ.સ.) ફરમાવે છે: "જો શક્ય હોય તો તારી અને અલ્લાહની વચ્ચે કોઈ નેઅમત આપનારને માધ્યમ ન બનાવ.
કુરાન ની આયાતમાં પણ આવ્યું છે કે જે અલ્લાહ પર ભરોસો કરે છે, તેના માટે અલ્લાહ પૂરતો છે
તમારા બધા કાર્યોમાં તમારા નફ્સને અલ્લાહ તરફ વાળો, કારણ કે તમે તેને મજબૂત કિલ્લા તરફ છો. | 112 |
| 5 | *સૂરે યુસુફ આયત 51*
قَالَ مَا خَطۡبُکُنَّ اِذۡ رَاوَدۡتُّنَّ یُوۡسُفَ عَنۡ نَّفۡسِہٖ ؕ قُلۡنَ حَاشَ لِلّٰہِ مَا عَلِمۡنَا عَلَیۡہِ مِنۡ سُوۡٓءٍ ؕ قَالَتِ امۡرَاَتُ الۡعَزِیۡزِ الۡـٰٔنَ حَصۡحَصَ الۡحَقُّ ۫ اَنَا رَاوَدۡتُّہٗ عَنۡ نَّفۡسِہٖ وَ اِنَّہٗ لَمِنَ الصّٰدِقِیۡنَ ﴿۵۱﴾
(૫૧) તે (બાદશાહે ઔરતોને બોલાવી)ને કહ્યુ તમોએ જયારે યુસુફને (શહેવત માટે) તલબ કર્યો ત્યારે તમારી સાથે શુ બન્યુ હતુ? તેણીઓએ કહ્યું કે અલ્લાહ પાક છે, અમોએ તેનામાં કંઇપણ બૂરાઇ જોઇ ન હતી મિસરના અઝીઝની બેગમે કહ્યુ કે હવે હક જાહેર થઇ ગયું; મેં જ તેને મારી પોતાની (શહેવત) માટે તલબ કર્યો હતો અને બેશક! તે સાચાઓમાંથી છે.
*તફસીર:*
આ બાદશાહ પોતે જ આ મામલાની તપાસ શરૂ કરે છે આ સ્ત્રીઓને સવાલ કરતા પહેલાં જ લાગે છે કે બાદશાહ આ મામલાની હકીકત સુધી પહોંચી ગયો હતો. તેથી બાદશાહના સવાલના શબ્દો દર્શાવે છે કે જ્યારે તમે યુસુફ અલય્હિસ્સલામને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આ મહત્વપૂર્ણ મામલો શું હતો અને તેની હકીકત શું હતી.
સ્ત્રીઓએ જોયું કે હવે ગુનોહ કબૂલ કરવા સિવાય કોઈ રસ્તો નથી. મામલો એટલો સ્પષ્ટ થઈ ગયો હતો કે સ્ત્રીઓએ પોતાની સફાઈ પણ રજૂ ન કરી, અને માત્ર યુસુફ અલય્હિસ્સલામની પાકદામનીની સાક્ષી આપી.
ત્યારબાદ આ ગુનાહની મુખ્ય વ્યક્તિ, અઝીઝે મિસરની પત્નીએ જોયું કે રહસ્ય ખુલ્લું પડી ગયું છે અને હકીકત સામે આવી ગઈ છે. તેથી તેણે પોતાનો ગુનોહ કબૂલ કર્યો અને યુસુફ અલય્હિસ્સલામની પાકદામનીની સાક્ષી આપી.
આ રીતે કેસનો અંત આવ્યો અને યુસુફ અલય્હિસ્સલામની જીત થઈ આ લાંબી સાજિશમાં કનઆનનો ગરીબ, વતનથી દૂર થયેલો ગુલામ તથા વર્ષો સુધી કેદમાં રહેલો માણસ સફળ થયો, જ્યારે અઝીઝે મિસર, તેની પત્ની અને મોટા મોટા પરિવારોની સ્ત્રીઓ નિષ્ફળ થઈ ગઈ અને અંતે હક સરબુલંદ થયો.
«ખિતાબ»નો અર્થ કોઈ મહત્વપૂર્ણ મામલા માટે બોલાવવું થાય છે અને «ખતીબ» એવી વ્યક્તિને કહેવામાં આવે છે જે લોકોને કોઈ મોટા હેતુ તરફ બોલાવે છે. «હસહસ»નો અર્થ હકનું બાતિલથી અલગ થઈને સ્પષ્ટ થઈ જવું છે.
*આ ઘટનામાં અલ્લાહની એક સુન્નત પણ સાબિત થાય છે કે તકવાના કારણે મુશ્કેલીમાંથી રસ્તો અને રાહત મળે છે. જે વ્યક્તિ અલ્લાહથી ડરે છે અલ્લાહ તેના માટે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો બનાવે છે અને તેને એવી જગ્યાએથી રિઝ્ક આપે છે જ્યાંથી તેને આશા પણ ન હોય.*
પયગામ
1. જ્યારે કોઈ મામલો ખૂબ જ મુશ્કેલ બની જાય, ત્યારે દેશના મુખ્ય જવાબદાર વ્યક્તિએ પોતે તેની તપાસ કરવી જોઈએ અને નિર્ણય લેવો જોઈએ.
2. આરોપી લોકોને પોતાની સફાઈ રજૂ કરવાની તક આપવી જોઈએ. અઝીઝની પત્ની પણ ત્યાં હાજર હતી.
3. મુશ્કેલીઓ પછી સરળતા આવે છે.
4. મિસરની સ્ત્રીઓએ માત્ર યુસુફ અલય્હિસ્સલામને નિર્દોષ કહ્યા નહીં, પરંતુ તેમનામાં કોઈપણ પ્રકારની ખરાબી કે ગુનોહ હોવાનો પણ ઇનકાર કર્યો.
5. હક હંમેશા છુપાયેલો રહેતો નથી. એક દિવસ તે સ્પષ્ટ થઈ જાય છે.
6. કેટલીક હકીકતો અને કેસો સ્પષ્ટ થવામાં સમય લાગે છે.
7. એક દિવસ અંતરાત્મા જાગે છે અને માણસ પોતાનો ગુનોહ કબૂલ કરે છે. અઝીઝની પત્નીએ જ્યારે બધી સ્ત્રીઓને યુસુફ અલય્હિસ્સલામની પાકદામનીની સાક્ષી આપતા જોયા, ત્યારે તેણે પણ પોતાનો ગુનોહ કબૂલ કર્યો.
8.અઝીઝે મિસર ઇચ્છતો હતો કે ઝુલૈખા અને યુસુફ અલય્હિસ્સલામનો મામલો છુપાયેલો રહે, પરંતુ અલ્લાહે આ હકીકત બધાની સામે સ્પષ્ટ કરી દીધી, જેથી યુસુફ અલય્હિસ્સલામની પાકદામની સાબિત થાય.
9. જ્યારે અલ્લાહ ઇચ્છે છે, ત્યારે દુશ્મન પોતે જ માણસની નિર્દોષતા અને સચ્ચાઈ સાબિત કરવાનું કારણ બની જાય છે.
(📚તફસીરે અતીબુલ બયાન
તફસીરે નૂર)
alvi110.in | 98 |
| 6 | *ઈમામ સાદિક અલય્હિસ્સલામ પોતાના એક શિઆના ગુનાહની પરદા પોશી કરી*
નામ છે સૈયદ હિમયરી જે એક શાયર હતા.
અબૂ હાશિમ અથવા અબૂ આમિર, સૈયદ ઇસ્માઈલ બિન મોહમ્મદ યઝીદ બિન રબીઅ હિમ્યરી, જેને સૈયદ તરીકે ઓળખવામાં આવે છે, તે શિઆના એક શાયર અને મઝહબના સમર્થક હતા. તેમની શાયરી ખૂબ જ સરળ અને સુંદર હતી. તેમના બધા જ અશઆર એકઠા કરીને સંપૂર્ણ દીવાન તૈયાર કરવો આજ સુધી શક્ય થયો નથી તેમની હાશિમિયાત નામની શાયરીમાંથી લગભગ ૨૩૦૦ કસીદાઓ ભેગા કરવામાં આવ્યા છે.
કહેવાય છે કે શરૂઆતમાં તેઓ શિયા ન હતા. પછી ઈમામ સાદિક અલય્હિસ્સલામની ઇનાયતથી તેઓ હક તરફ આવ્યા અને ઈમામિયા મઝહબ સ્વીકાર્યો. ત્યારબાદ આખી જિંદગી શિઆ રહ્યા.
સૈયદનું નસબ કબીલા હિમ્યર સુધી પહોંચે છે, જે મૂળ યમનનું હતું. તેઓ કુરૈશી ન હતા. સૈયદ ઇસ્માઈલ હિમ્યરી ન ફાતિમી હતા અને ન અલવી અહીં *સૈયદ* શબ્દનો અર્થ આકા અથવા માનનીય વ્યક્તિ છે અને સૈયદ તેમના નામનો જ એક ભાગ હતો અથવા અટક હતી.
તેમના વિશે તનકિહુલ મકાલ નામની કિતાબમાં એક અજાયબ અને શીખ આપવા જેવી ઘટના લખવામાં આવી છે.
એક દિવસ સૈયદ હિમ્યરી મદીના તરફ જઈ રહ્યા હતા અને તેમની પાસે શરાબથી ભરેલો એક ઝરફ હતું. રસ્તામાં અચાનક તેમની મુલાકાત ઈમામ સાદિક અલય્હિસ્સલામ સાથે થઈ.
ઈમામ અલયહિસ્સલામ જાણતા હતા કે ઘડામાં શું છે, છતાં પૂછ્યું:
હિમ્યરી! તારી પાસે શું છે?”
હિમ્યરીએ કહ્યું:
યબન રસૂલુલ્લાહ! ઘડામાં દૂધ છે. જયારે કે શરાબ હતું અને તેણે મન માં અલ્લાહ પાસે માફી માંગી અને કહ્યું યા અલ્લાહ આજે મારે ઇજ્જત બચાવી લે આજ પછી હું કોઈ દિવસ શરાબને હાથ પણ નહીં લગાડીશ મને માફ કરી દે
ઈમામ સાદિક અલયહિસ્સલામે ફરમાવ્યું:
તેમાંથી થોડું દૂધ મારી હથેળીમાં રેડો
હિમ્યરીએ ઘડો નમાવ્યો તો આશ્ચર્યથી જોયું કે ઘડામાંથી ખરેખર થોડું દૂધ ઈમામ અલયહિસ્સલામની મુબારક હથેળીમાં આવી ગયું!
આ જોઈને ઈમામ અલયહિસ્સલામે પૂછ્યું:
તમારા જમાનાના ઈમામ કોણ છે?
હિમ્યરીએ જવાબ આપ્યો:
મારા ઈમામ તો એ જ છે જે શરાબને દૂધમાં બદલી આપે છે!
સૈયદના જીવનચરિત્રમાં લખવામાં આવ્યું છે કે વફાત પહેલાં તેમણે પોતાના ગુનાહની એટલે કે શરાબ પીવાની તૌબા કરી હતી અને ઈમામ સાદિક અલયહિસ્સલામે તેમના માટે દુઆ ફરમાવી હતી. | 111 |
| 7 | *સૂરે યુસુફ આયત 50*
وَ قَالَ الۡمَلِکُ ائۡتُوۡنِیۡ بِہٖ ۚ فَلَمَّا جَآءَہُ الرَّسُوۡلُ قَالَ ارۡجِعۡ اِلٰی رَبِّکَ فَسۡـَٔلۡہُ مَا بَالُ النِّسۡوَۃِ الّٰتِیۡ قَطَّعۡنَ اَیۡدِیَہُنَّ ؕ اِنَّ رَبِّیۡ بِکَیۡدِہِنَّ عَلِیۡمٌ ﴿۵۰﴾
(૫૦) અને બાદશાહે કહ્યુ કે તેને મારી પાસે લઇ આવો. પછી જ્યારે તે કાસીદ તેની પાસે આવ્યો ત્યારે તેણે કહ્યું કે તું તારા માલિક પાસે પાછો જા. તેને આ સવાલ કર કે તે ઔરતો કે જેમણે પોત પોતાના હાથ કાપી નાખ્યા હતા તેનો બનાવ શું હતો ? બેશક મારો પરવરદિગાર તેણીઓની મક્કારીને જાણે છે.
*તફસીર:*
તઅબિરે ખ્વાબ સાંભળ્યા પછી બાદશાહે અંદાજ લગાવ્યો હશે કે હઝરત યુસુફ અલય્હિસ્સલામ એક મહાન વ્યક્તિ છે તેઓ માત્ર સપનાઓની તઅબિર જાણતા ન હતા, પરંતુ યુવાનીનો સમય જેલમાં પસાર કરવા અને યુવાન તથા ઓછા અનુભવી હોવા છતાં રાજ્ય ચલાવવાની સારી સમજ અને આયોજનની કાબેલિયત પણ રાખે છે.
બીજી વાત એ છે કે હઝરત યુસુફ અલય્હિસ્સલામે કોઈ પર આરોપ મૂકવાને બદલે હકીકતની તપાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે અઝીઝે મિસરની પત્નીનો ઉલ્લેખ કર્યો નહીં, પરંતુ ઘટનાના સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો. હઝરત યુસુફ અલય્હિસ્સલામ એવું નહોતા ઈચ્છતા કે પોતાના પર લાગેલા આરોપનો દાગ લઈને માત્ર બાદશાહની માફીથી જેલમાંથી મુક્ત થાય.
હઝરત યુસુફ અલય્હિસ્સલામે બાદશાહના સપનાની તઅબિર અને સમજદારીભરી યોજના જણાવીને, કોઈ સ્વાર્થ કે શરત રાખ્યા વગર સાબિત કરી દીધું કે તેઓ સામાન્ય ગુનેહગાર કે કેદી નથી.
જ્યારે બાદશાહનો સંદેશવાહક, કાસિદ હઝરત યુસુફ અલય્હિસ્સલામ પાસે આવ્યો, ત્યારે આપે તરત જ મુક્તિ સ્વીકારી નહીં. આપે પોતાના જૂના કેસની ફરી તપાસ કરવાની માંગ કરી. તેઓ માત્ર બાદશાહની માફીથી મુક્ત થવા માંગતા ન હતા, પરંતુ પોતાની નિર્દોષતા અને પાકદામની સાબિત કરવા માંગતા હતા.
હદીસમાં આવે છે કે રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ હઝરત યુસુફ અલય્હિસ્સલામના સબર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જ્યારે અઝીઝે મિસરને તઅબિરની જરૂર હતી ત્યારે તેમણે એવું ન કહ્યું કે પહેલાં મને જેલમાંથી છોડો પછી તઅબિર કરીશ. પરંતુ જ્યારે તેમને છોડવા માટે સંદેશ આવ્યો ત્યારે પણ આપ ત્યાં સુધી બહાર ન આવ્યા જ્યાં સુધી પોતાના પર લાગેલો આરોપ દૂર ન થયો.
કદાચ હઝરત યુસુફ અલય્હિસ્સલામે અઝીઝે મિસરની ઇજ્જતને ધ્યાનમાં રાખીને તેની પત્નીનું નામ લીધું નહીં અને મહિલાઓની મહેફિલમાં બનેલી ઘટના તરફ ઈશારો કર્યો.
પયગામ
1- દેશ માટે જરૂરી એવા કાબિલ લોકો જો કોઈ ગુનાહમાં દોષિત ન હોય અને જેલમાં હોય, તો તેમને મુક્ત કરીને તેમની કાબેલિયતથી લાભ લેવો જોઈએ.
2- ખાસ કરીને મુશ્કેલીના સમયમાં સમજદાર અને કાબિલ લોકોની સેવાઓ લેવામાં મોડું ન કરવુ જોઈએ.
3- હુકૂમતોને સમજદાર, આયોજનશીલ અને કાબિલ લોકોની જરૂર હોય છે.
4- અલ્લાહ જ્યારે ઈચ્છે ત્યારે એક શક્તિશાળી બાદશાહને પણ એક કેદીનો મોહતાજ બનાવી દે છે.
5- હઝરત યુસુફ અલય્હિસ્સલામ બાદશાહને પોતાનો સાચો માલિક માનતા ન હતા.
6- નેતાઓ અને હુકૂમતના અધિકારીઓ સાથે, ભલે તેઓ ઇસ્લામ પર ન હોય, યોગ્ય સન્માનથી વાત કરવી જોઈએ.
7- દરેક કિંમતે મળેલી આઝાદી મહત્વની નથી. પોતાની નિર્દોષતા સાબિત કરવી આઝાદી કરતાં વધુ મહત્વની છે.
8- જે કેદી મુક્તિ મળવા છતાં પોતાના કેસની ફરી તપાસની માંગ કરે, તે પોતાની નિર્દોષતા પર વિશ્વાસ ધરાવે છે.
9- હઝરત યુસુફ અલય્હિસ્સલામે પહેલાં લોકોના મનમાંથી શંકા દૂર કરી અને પછી જવાબદારી સ્વીકારી.
10- પોતાની ઇજ્જત અને આબરૂની રક્ષા કરવી જરૂરી છે.
11- અન્યાય સામે બિન-ઇસ્લામી હુકૂમત પાસે પણ ફરિયાદ કરવી યોગ્ય છે.
12- મહત્વના મામલામાં કોઈની આબરૂ બચાવવા માટે સત્ય છુપાવવું યોગ્ય નથી.
13- હઝરત યુસુફ અલય્હિસ્સલામે મહિલાઓ દ્વારા પોતાના હાથ કાપી લેવાની ઘટના યાદ કરાવી, કારણ કે આ ઘટના જાણીતી હતી અને તેને નકારી શકાય તેમ નહોતું.
14- ગુનાહ અને અખલાકી બાબતોનો ઉલ્લેખ શક્ય હોય ત્યાં સુધી ઢંકાયેલી ભાષામાં કરવી જોઈએ.
15- દુશ્મનની ચાલ ભલે કેટલી મોટી હોય, અલ્લાહ તેની દરેક ચાલથી વાકેફ છે અને પોતાના નેક બંદાઓને તેની ચાલથી બચાવે છે.
alvi110.in | 97 |
| 8 | આપ (અ.સ.)એ એક એવો ઈલ્મી મરકઝ ઉભો કર્યો જ્યાંથી હદીસ, ફિક્હ, તફસીર, અકીદા અને દીની તઆલીમનો ઈલ્મ આગળની પેઢીઓ સુધી પહોંચ્યો.
એટલા માટે ઈમામ (અ.સ.)ની ખિદમતને માત્ર એક ઈમામની જીવનકથા તરીકે નહીં, પરંતુ ઈલ્મે અહલેબૈત (અ.સ.)ને દુનિયા સુધી પહોંચાડવાની અઝીમ ખિદમત તરીકે જોવી જોઈએ. | 114 |
| 9 | *હઝરત ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામનુ જીવન, ઈલ્મ અને દીન માટેની અઝીમ ખિદમત*
ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ આપણા છઠ્ઠા ઈમામ છે. આપ (અ.સ.)ના વાલિદે મોહતરમ ઈમામ મોહમ્મદ બાકિર અલય્હિસ્સલામ અને વાલિદાએ મોહતરમા જનાબે ઉમ્મે ફરવા હતી.
આપ અલય્હિસ્સલામની વિલાદત મદીનામાં થઈ. વિલાદતની તારીખ માટે રિવાયતોમાં 17 રબીઉલ અવ્વલ હિજરી સન 80 અથવા 83 નો ઉલ્લેખ મળે છે.
ઈમામત
ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ની શહાદત બાદ ઈમામ જાફર સાદિક (અ.સ.) ઈમામતના મન્સબ પર ફાએઝ થયા. આપ (અ.સ.)નો ઈમામતનો સમય લગભગ 34 વર્ષ રહ્યો. આ સમય ઈસ્લામી દુનિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ હતો, કારણ કે આ જ જમાનામાં બની ઉમૈયાનો ઝવાલ પસ્તી તરફ ગઈ અને બની અબ્બાસની હુકૂમત શરૂ થઈ હતી.
આ રાજકીય ઉથલપાથલ વચ્ચે થોડો એવો મોકો મળ્યો કે ઈમામ (અ.સ.)એ અહલેબૈત (અ.સ.)નું ઈલ્મ મોટા પાયે લોકો સુધી પહોંચાડ્યું.
*ઈલ્મનું અઝીમ મરકઝ*
ઈમામ જાફર સાદિક (અ.સ.) એ સૌથી મોટું મહાન કાર્ય એ કર્યું હતું કે આપે મદીનાને એક વિશાળ ઈલ્મી મરકઝ બનાવી દીધું.
લોકો દૂર દૂરથી મદીનામાં આપ (અ.સ.)ની ખિદમતમાં આવતા અને દીનના મસાઈલ, હદીસ, તફસીર, અકીદા અને બીજા ઈલ્મી સવાલોના જવાબ મેળવતા.
આપ (અ.સ.) પાસેથી રિવાયત કરનાર લોકોની સંખ્યા છે જે લગભગ ચાર હજાર સુધી જણાવવામાં આવી છે.
આથી ઈમામ (અ.સ.)ના ઈલ્મી મકામનો અંદાજ લગાવી શકાય છે કે આપ (અ.સ.) પાસેથી હદીસ અને દીની ઈલ્મનો કેટલો મોટો ખજાનો ઉમ્મત સુધી પહોંચ્યો.
*ફિક્હે જાફરી*
શિયા ઈમામિયા ફિક્હને ફિક્હે જાફરી કહેવામાં આવે છે. તેનું એક મોટું કારણ એ છે કે ઈમામ જાફર સાદિક (અ.સ.) પાસેથી અહલેબૈત (અ.સ.)ની ફિક્હ અને હદીસનો બહુ મોટો જથ્થો લોકો સુધી પહોંચ્યો.
નમાઝ, રોજા, હજ, ઝકાત, મોઆમલાત, નિકાહ અને બીજા ઘણા દીની અહકામ વિશેની રિવાયતો આપ (અ.સ.)થી મોટી સંખ્યામાં નકલ થઈ છે. ઈમામિયા ફિક્હમાં આપ (અ.સ.)ની રિવાયતોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે.
ઈમામ (અ.સ.)ની ઈલ્મી દરસોમાં માત્ર ફિક્હ જ નહીં પરંતુ વિવિધ પ્રકારના ઈલ્મી વિષયો પર ચર્ચા થતી હતી.
તેમાં ખાસ કરીને:
કુરઆનની તફસીર
હદીસ
ફિક્હ
અકીદા અને કલામ
અખલાક અને તઝકિયા
દીની મસાઈલ
બુદ્ધિ અને દલીલ આધારિત ચર્ચાઓ
આપ (અ.સ.)ના જમાનામાં મુસ્લિમ સમાજમાં ઈલ્મી જાગૃતિનો એક વિશેષ સમય હતો અને વિવિધ ઈસ્લામી તથા અકીદતી મુદ્દાઓ પર ચર્ચાઓ થતી હતી.
*ઈમામ (અ.સ.)ના મશહૂર શાગિર્દો*
ઈમામ જાફર સાદિક (અ.સ.)ની ઈલ્મી મજલિસમાંથી ઘણા મોટા આલિમો અને રાવી તૈયાર થયા.જેમકે
અબાન બિન તગલિબ, હિશામ બિન હકમ, જાબિર બિન હય્યાન, જમિલ બિન દરરાજ, અબ્દુલ્લાહ બિન મસ્કાન,
ઝુરારા બિન અયન અને હમ્માદ બિન ઈસા જેવા નામોનો ઉલ્લેખ મળે છે.
આપ (અ.સ.)ની ઈલ્મી મજલિસની ખાસિયત એ હતી કે લોકો માત્ર જવાબ સાંભળતા નહીં, પરંતુ પોતાના સવાલો રજૂ કરતા અને ઈમામ (અ.સ.) દલીલ સાથે તેમને સમજાવતા.
ઈમામ (અ.સ.) અને ઈલ્મી મુબાહિસા
ઈમામ જાફર સાદિક (અ.સ.)ના જમાનામાં અનેક અકીદતી અને ફિક્હી વિચારો સામે આવી રહ્યા હતા. અલગ અલગ ફિરકાઓ અને વિચારધારાઓ વચ્ચે ચર્ચાઓ ચાલતી હતી.
આવા સમયમાં ઈમામ સાદિક અલય્હિસ્સલામે અહલેબૈત (અ.સ.)ના અકીદાને કુરઆન અને હદીસને અક્લની દલીલોથી સમજાવ્યો.
આપ (અ.સ.)નો અંદાજ માત્ર જવાબ આપવાનો નહોતો; સવાલ કરનારની સમજ પ્રમાણે વાત સમજાવવી અને યોગ્ય દલીલથી હકીકત સ્પષ્ટ કરવી આપ (અ.સ.)ની ઈલ્મી રીત હતી.
*ઈબાદત અને અખલાક*
ઈમામ જાફર સાદિક (અ.સ.) માત્ર ઈલ્મના આલિમ જ નહોતા, પરંતુ ઈબાદત, તકવા, સબર અને અખલાકમાં પણ અહલેબૈત (અ.સ.)ના ઉચ્ચ નમૂના હતા.
આપ સાદિક અલય્હિસ્સલામે પોતાના શાગિર્દોને માત્ર ઈલ્મ શીખવ્યુ નહીં, પરંતુ ઈલ્મ સાથે અમલ, તકવા અને સારા અખલાકની પણ તાલીમ આપી.
કારણ કે અહલેબૈત (અ.સ.)ની તઆલીમમાં ઈલ્મનો હેતુ માત્ર જાણકારી મેળવવાનો નથી, પરંતુ માણસના અમલ અને અખલાકને સુધારવાનો છે.
*મન્સૂર અબ્બાસીની દુશ્મની*
ઈમામ (અ.સ.)ની વધતી ઈલ્મી મકબૂલિયત અને લોકોનો આપ (અ.સ.) તરફ વધતો રુઝાન હુકૂમત માટે ચિંતાનો વિષય હતો.
ઈમામ (અ.સ.) રાજકીય સત્તા મેળવવા માટે નહીં પરંતુ દીને મોહમ્મદી અને અહલેબૈત (અ.સ.)ના ઈલ્મને જીવંત રાખવા માટે પોતાની જવાબદારી અદા કરતા રહ્યા.
મન્સૂર દવાનિકીના સમયમાં આપ (અ.સ.) પર સખ્ત નજર રાખવામાં આવી અને આપ (અ.સ.)ને તકલીફો પણ આપવામાં આવી અને અંતે મન્સૂરે આપ (અ.સ.)ને ઝેર આપી શહીદ કરી દીધા.
આપ (અ.સ.)ને મદીનાના જન્નતુલ બકીમાં દફન કરવામાં આવ્યા, જ્યાં આપના પિતા ઈમામ મુહમ્મદ બાકિર (અ.સ.), દાદા ઈમામ ઝૈનુલ આબેદીન (અ.સ.) અને ઈમામ હસન (અ.સ.) પણ મદફૂન છે.
આપ (અ.સ.) પછી ઈમામતનો મન્સબ આપના ફરઝંદ ઈમામ મૂસા કાઝિમ અલય્હિસ્સલામને મળ્યો.
ઈમામ જાફર સાદિક (અ.સ.)નો સૌથી મોટો વારસો
ઈમામ જાફર સાદિક (અ.સ.)નું જીવન આપણને શીખવાડે છે કે જ્યારે એક મોમિનને ઈલ્મનો મોકો મળે તો તેણે માત્ર પોતે ઈલ્મ મેળવવો નહીં, પરંતુ તેને આગળ પહોંચાડવો જોઈએ. | 127 |
| 10 | ઇબ્ને સઅદે ઝોહરી પાસેથી નકલ કર્યું છે કે હઝરત આમે ના કહેતાં હતાં: જ્યારે હું મારા બાળકથી હામેલા થઈ, ત્યારથી લઈને તેની વિલાદત થઈ ત્યાં સુધી મને કોઈ પ્રકારની તકલીફ કે પરેશાની થઈ નહીં.
આ સમય દરમિયાન તેમને કોઈ ખાસ તકલીફ, પેટમાં દુખાવો કે એવી બીમારી પણ થઈ નહીં જે સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીઓને થતી હતી.
અને તેમણે કહ્યું કે કોઈ પણ સ્ત્રીનો ગર્ભ મારા કરતાં વધુ હળવો અને બરકતવાળો મેં જોયો નથી.
આ વાત પર તમામ ઐતિહાસિક હવાલઓમાં સહમતી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ આલેહી વ સલ્લમ ની વિલાદત મક્કા મુઅઝ્ઝમામાં થઈ હતી. પરંતુ આપની વિલાદત કયા ચોક્કસ સ્થળે થઈ હતી, તેના વિશે બે મંતવ્યો મળે છે:
૧. પ્રખ્યાત અને વધારે સ્વીકારાયેલું કોલ.
નિકાહ પછી હઝરત આમેના અબ્દુલ્લાહના ઘરે શોઅબે બની હાશિમમાં રહેવા ગયાં. આ જગ્યા પછી શોઅબે અબી તાલિબ અથવા શોઅબે અલીના નામથી મશહૂર થઈ.
આ જ જગ્યાએ હઝરત આમેનાએ પોતાના ફરઝંદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ને જન્મ આપ્યો પછી આ જગ્યા મૌલિદુન્નબી ના નામથી જાણીતી થઈ.
પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ એ આ જગ્યા અકીલ બિન અબી તાલિબને આપી અકીલની સંતાનોએ આ જગ્યા મોહમ્મદ બિન યુસુફ સકફીને વેચી દીધી. મુહમ્મદ બિન યુસુફે તેને પોતાના ઘરમાં સામેલ કરી દીધી અને તે જગ્યા તેના નામથી જાણીતી થઈ.
હારૂનના સમયમાં તેમની માતા ખૈઝરાને આ જગ્યા મેળવી અને તેને મોહમ્મદ બિન યુસુફના ઘરથી અલગ કરી ત્યાં એક મસ્જિદ બનાવી ત્યારબાદ તે જગ્યા ઝિયારતની જગ્યા બની ગઈ.
પરંતુ જ્યારે વહાબીઓએ હિજાઝ પર કબજો કર્યો અને મક્કા તથા મદીના પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું, ત્યારે તેમણે મક્કા-મદીનામાં દીનના અને ઇમામો અને ઇસ્લામના મોટા બુઝુર્ગોની કબરોને નષ્ટ કરી. આ જગ્યાને પણ નષ્ટ કરીને તબેલામાં ફેરવી નાખી.
પછીના સમયના અમુક લોકોની વિનંતીથી ત્યાં એક પુસ્તકાલય કિતાબ ખાનું બનાવવાનું નક્કી થયું. આજે આ જગ્યા મક્તબતુ મક્કતુલ મુકર્રમા ના નામથી ઓળખાય છે.
૨. બીજું, પરંતુ ઓછો પ્રખ્યાત કોલ.
કેટલાક લોકોનું કહેવું છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની વિલાદત કોહે સફાની નજીક આવેલા એક ઘરમાં થઈ હતી.
*વિલાદત સમયે થયેલી અસાધારણ ઘટનાઓ*
રિવાયતોમાં આવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની વિલાદતની રાત્રે દુનિયાના જુદા જુદા ભાગોમાં ઘણી મહત્વપૂર્ણ અને અસાધારણ ઘટનાઓ બની હતી. આ પ્રકારની ઘટનાઓને ઇરહાસાત કહેવામાં આવે છે. આ અંગે સૌથી વિસ્તૃત રિવાયતોમાંની એક રિવાયત શૈખ સદૂકે પોતાની કિતાબ અલ અમાલીમાં ઇમામ સાદિક અલય્હિસ્સલામ પાસેથી નકલ કરી છે. આ જેવી બીજી રિવાયતો પણ અન્ય કિતાબોમાં મળે છે.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની વિલાદત સાથે સંબંધિત આ ઘટનાઓને નીચે પ્રમાણે સમજાવી શકાય:
૧. તે સમયે બધી મૂર્તિઓ મોઢા પર પડી ગઈ.
૨. મદાયનમાં કિસરાનો મહેલ ધ્રૂજી ઊઠ્યો અને તેના 13 અથવા 14 મિનારા પડી ગયા.
૩. ફારસનું અગ્નિમંદિર, જે લગભગ એક હજાર વર્ષથી સળગી રહ્યું હતું, તે બુઝાઈ ગયું.
૪. સાવાહ નામનું સરોવર સુકાઈ ગયું.
૫. એક એવો નૂર પ્રગટ થયો કે જેના પ્રકાશથી મક્કાનું વાતાવરણ રોશન થઈ ગયું.
૬. શયાતીન અને જિન્નાતને આકાશમાં જવાથી રોકવામાં આવ્યા.
શયાતીનો અગાઉ આકાશમાં જતા અને ત્યાં ફરિશ્તાઓની વાતો સાંભળતા હતા. પરંતુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની વિલાદત પછી તેમને આકાશના સમાચાર સાંભળવાથી રોકી દેવામાં આવ્યા.
એક રિવાયતમાં આવ્યું છે:
ઇમામ સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે કે શયાતીનો આકાશોમાં આવજા કરતા હતા. હઝરત ઈસાની વિલાદત પછી તેમને ત્રણ આકાશોમાં જવાથી રોકવામાં આવ્યા અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની વિલાદત પછી સાત આકાશોમાં જવાથી રોકવામાં આવ્યા.
૭. જાદુગરોનો જાદુ બેકાર થઈ ગયો અને કાહિનો પાસેથી તેમનું કાહિનપણાનું જ્ઞાન છીનવાઈ ગયું.
ઇબ્ને શહેર આશૂબે ઇમામ સાદિક અલય્હિસ્સલામ થી નકલ કર્યું છે કે ઇમામે ફરમાવ્યું:
રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની મહાન વિલાદતના સમયે મૂર્તિઓ મોઢા પર પડી ગઈ... કોઈ બાદશાહ એવો ન રહ્યો કે તેનો તાજ ઊંધો ન થઈ ગયો હોય અને તે દિવસે તેની જીભ બંધ ન થઈ ગઈ હોય. કાહિનો પોતાના જ્ઞાનથી વંચિત થઈ ગયા... તે રાત્રે હિજાઝની જમીનમાંથી એક નૂર પ્રગટ થયું અને ફેલાતું ફેલાતું પૂર્વ સુધી પહોંચી ગયુ. | 120 |
| 11 | *ખાતેમુન નબીયીન રેહમતુલ લીલ આલમીન હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ વિશે મુખ્તસર માહિતી*
ઇમામ અલી અલય્હિસ્સલામ અરબોની જાહિલિયતના સમયની હાલત વિશે ફરમાવે છે:
અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ ને પોતાના પયગંબર બનાવીને મોકલ્યા, જેથી તેઓ દુનિયાના લોકોને અલ્લાહના અઝાબથી ડરાવે અને અલ્લાહની આયતોના અમીન બને.
તે સમયે અરબ લોકો સૌથી ખરાબ દીન અને રીતરિવાજ પર હતા અને સૌથી ખરાબ જમીનમાં રહેતા હતા. તેઓ કઠણ અને ખરબચડા પથ્થરો વચ્ચે જીવન પસાર કરતા હતા તેમની આસપાસ એવા સાપ હતા, જેમને જાણે સાંભળવાની શક્તિ ન હોય અને તેથી તેઓ કોઈ વસ્તુથી ડરતા પણ ન હતા.
તેઓ ગંદુ પાણી પીતા અને ખરાબ તથા નાપસંદ ખોરાક ખાતા હતા એકબીજાનું લોહી વહાવતા, સગાં-સંબંધીઓ સાથેના સંબંધો તોડી નાખતા અને પોતાની વચ્ચે મૂર્તિઓ ઊભી કરીને તેમની પૂજા કરતા હતા ગુનાહોએ તેમના સમગ્ર જીવનને ઘેરી લીધું હતું.
આવા જાહિલિયતના માહોલમાં શુક્રવાર, 16 રબીઉલ અવ્વલ, 1 આમુલ ફીલના દિવસે, ફજર પછી મક્કા મુઅઝ્ઝમામાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમની વિલાદત થઈ.
આમુલફીલ એટલે હાથીનું વર્ષ એ વર્ષ જેમાં હાથીઓ સાથેનું લશ્કર કાબા મુઅઝ્ઝમાને નષ્ટ કરવા અને મક્કા પર કબજો કરવા આવ્યું હતું.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ એવી ઉમ્મતમાં પેદા થયા જ્યાં જાહિલિયતનો અંધકાર છવાયેલો હતો અલ્લાહ તઆલાએ તેમને એવી મહાન રેસાલત આપી જે અગાઉ આવેલા તમામ અલ્લાહના દીનોની ઇલ્મનું સંપૂર્ણ સ્વરૂપ હતુ અને આપ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમને તમામ અંબિયા અને રસૂલોના અંતિમ નબી બનાવ્યા.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમનું પિતાની તરફથી નસબ આ પ્રમાણે છે:
અબ્દુલ્લાહ બિન અબ્દુલમુત્તલિબ બિન હાશિમ બિન અબ્દે મનાફ બિન કુસય બિન કુલાબ બિન મુર્રહ બિન કઅબ બિન લુવઈ બિન ગાલિબ બિન ફહર બિન માલિક બિન નઝર બિન કિનાના બિન ખુઝૈમા બિન મુદરિકા બિન ઇલ્યાસ બિન મુઝર બિન નિઝાર બિન મઅદ બિન અદનાન.
અને આપની માતા આમેનહ બિન વહબ બિન અબ્દે મનાફ બિન ઝુહરા બિન કુલાબ ની દુખતર હતા.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમના પિતા, માતા, દાદા-દાદી અને પરદાદા-પરદાદી સૌ મુસલમાન અને મોમિન હતા. આપ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ની નૂરાની નસલ કોઈ એવા ખાનદાન અથવા ગર્ભમાં આવી નથી જ્યાં કુફ્ર અને શિર્ક હોય.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ હઝરત ઇસ્માઈલ ઝબીહ ની નસલમાંથી, હઝરત ઇબ્રાહીમ ખલીલના ફરઝંદ અને હઝરત આદમ ની નસલમાંથી છે.
કુરઆનથી દલીલ
અલ્લાહ તઆલા સૂરા શોઅરામાં ફરમાવે છે:
«وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ • الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ • وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ • إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ»
અને અઝીઝ અને રહેમ કરનાર અલ્લાહ પર ભરોસો રાખો! જે તમને જુએ છે જ્યારે તમે (ઇબાદત માટે) ઊભા થાઓ છો અને (સજદો કરનારાઓની વચ્ચે) તમારી અવરજવર પણ જુએ છે. બેશક,તે જ સાંભળનાર અને જાણનાર છે
કેટલીક રિવાયતો અને તફસીરો મુજબ
وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ
નો અર્થ એ છે કે રસૂલુલ્લાહ ના અગાઉના પૂર્વજો પેઢી દર પેઢી સજદો કરનારા, અલ્લાહની ઇબાદત કરનારા અને તૌહીદ પર કાયમ રહેનારા હતા.
જેમ કે અલામા મજલિસી આ આયતની તફસીરમાં શૈખ તબરેસીથી નકલ કર્યું છે કે અહીં સાજિદીનથી મુરાદ મુવહ્હિદીન એટલે કે તૌહીદ ને માનનારા લોકો છે એટલે રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમની નૂરાની નસલ એક નબી પાસેથી બીજા નબી તરફ પેઢી દર પેઢી મુન્તકિલ થતી આવી હતી.
અલ્લામા મુહમ્મદ બાકિર મજલેસી પણ બિહારુલ અનવારમાં ફરમાવ્યું છે:
આપણે મૂત્તફિક તરીકાથી એવું માનતા આવ્યા છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ આલેહી વ સલ્લમ ના પિતા-માતા અને તેમના તમામ પૂર્વજો, હઝરત આદમ સુધી સૌ મુસલમાન અને એક અલ્લાહ પર ઈમાન રાખનારા હતા. એટલું જ નહીં, તેઓ સિદ્દીકીન માંથી હતા. એટલે કે તેઓ કાં તો અલ્લાહના મોકલેલા નબી હતા અથવા નબીઓના વસી હતા.
અને શક્ય છે કે તેમનામાંથી કેટલાક લોકોએ તકિય્યા અથવા કોઈ બીજી મસલેહતના કારણે પોતાનું ઇસ્લામ જાહેર ન કર્યું હોય.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ આલેહી વ સલ્લમની વિલાદત પહેલાં હઝરત આમેના જ્યારે આપથી હામેલા હતાં, તે સમય દરમિયાન કેટલીક અજાયબ અને સામાન્યથી અલગ ઘટનાઓ જોવા મળી હતી.
તે સમયના લોકો પાસે તબીબી અને આરોગ્યની સુવિધાઓ બહુ ઓછી હતી અને હિજાઝ, ખાસ કરીને મક્કાની હવા અને પરિસ્થિતિને કારણે સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થાનો સમય મુશ્કેલીથી પસાર થતો હતો.
પરંતુ કેટલાક અહેવાલો મુજબ હઝરત આમેના માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ આલેહી વ સલ્લમ ની વિલાદતના સમય ખૂબ જ આસાન હતો. | 106 |
| 12 | *સૂરે યુસુફ આયત 48*
ثُمَّ یَاۡتِیۡ مِنۡۢ بَعۡدِ ذٰلِکَ سَبۡعٌ شِدَادٌ یَّاۡکُلۡنَ مَا قَدَّمۡتُمۡ لَہُنَّ اِلَّا قَلِیۡلًا مِّمَّا تُحۡصِنُوۡنَ ﴿۴۸﴾
ثُمَّ یَاۡتِیۡ مِنۡۢ بَعۡدِ ذٰلِکَ عَامٌ فِیۡہِ یُغَاثُ النَّاسُ وَ فِیۡہِ یَعۡصِرُوۡنَ (۴۹)
(૪૮) પછી તે બાદ સાત વર્ષ સખ્તાઇ (દુષ્કાળ)ના આવશે એટલે તમોએ આના માટે જે કાંઇ પહેલાંથી સાચવીને રાખ્યું હશે તે ખવાય જશે, સિવાય થોડુ કે જે તમે સાચવી રાખ્યું હશે.
તે પછી એક એવું વર્ષ આવશે જેમાં લોકોને ખૂબ સારો વરસાદ મળશે અને તે વર્ષે લોકો રસ નિતારશે.
*તફસીર:*
યુગાસુન્નાસ શબ્દના બે અર્થ થઈ શકે છે: એક અર્થ એ કે અલ્લાહ લોકોની મદદ કરશે. બીજો અર્થ એ કે વરસાદ વરસશે અને મુશ્કેલીઓનો અંત આવશે.
સાત જાડી અને સાત દુબળી ગાયો તથા સાત લીલા અને સાત સૂકા ડૂંડા, જે બાદશાહે સપનામાં જોયા હતા, તેની હઝરત યુસુફ અલય્હિસ્સલામે 14 વર્ષના સારા સમય અને દુષ્કાળ તરીકે તઅબિર કરી પરંતુ 15મું વર્ષ વરસાદ અને ભરપૂર સારું વાતાવરણ રહેશે. તેનો ઉલ્લેખ બાદશાહના સપનામાં નહોતો. આ ગૈબની ખબર હતી, જે હઝરત યુસુફ અલય્હિસ્સલામે અલ્લાહ તરફથી જણાવી.
*સમાજમાં સારા સંચાલન માટે જરૂરી બાબતો*
1- લોકોનો વિશ્વાસ
2- સચ્ચાઈ
3- જ્ઞાન અને સમજ
4- ભવિષ્યનું સાચું અનુમાન અને આયોજન
5- લોકોનો સહકાર અને પેરવી
*પયગામ*
1- લોકોને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ વિશે પહેલેથી જાણ કરવી જોઈએ, જેથી તેઓ તેનો સામનો કરવા તૈયાર થઈ શકે.
2- મુશ્કેલ સમય માટે બચત અને આયોજન કરવું મહત્વનું છે.
3- ભવિષ્ય માટે વિચારવું અને યોગ્ય આયોજન કરવું એક કૌમને મોટી મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે.
4- ખર્ચ કરતી વખતે થોડું અનાજ બીજ અને ભવિષ્ય માટે બચાવી રાખવું જોઈએ.
5- મુશ્કેલ સમયમાં પોતાની મુખ્ય મૂડી અને જરૂરી વસ્તુઓને સુરક્ષિત રાખવી જોઈએ.
6- ખાદ્ય વસ્તુઓને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાની રીતો શીખવી જોઈએ, જેથી તે બગડી ન જાય.
7- મુશ્કેલી પછી સરળતા આવે છે.
8- લોકોને ભવિષ્ય માટે આશા આપવી જોઈએ, જેથી તેઓ મુશ્કેલીઓ સહન કરી શકે.
9- વરસાદ અને હવામાન વિશે જાણકારી ખેતીના આયોજનમાં ઉપયોગી છે.
10- કેટલાક સપનાઓ ભવિષ્યની ઘટનાઓ તરફ ઈશારો કરી શકે છે અને માણસ માટે માર્ગદર્શન બની શકે છે.
11- લોકોની મુશ્કેલી દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, ભલે તેઓ આપણા પોતાના વિસ્તાર કે દેશના ન હોય.
12- ઇલ્મ, જ્ઞાન અને સમજ હુકૂમતની પ્રગતિ, સમાજની સુરક્ષા અને લોકોની ખુશહાલીનું મહત્વનું કારણ છે.
alvi110.in | 139 |
| 13 | *સૂરે યુસુફ આયત 47*
قَالَ تَزۡرَعُوۡنَ سَبۡعَ سِنِیۡنَ دَاَبًا ۚ فَمَا حَصَدۡتُّمۡ فَذَرُوۡہُ فِیۡ سُنۡۢبُلِہٖۤ اِلَّا قَلِیۡلًا مِّمَّا تَاۡکُلُوۡنَ ﴿۴۷﴾
(૪૭) યૂસુફે કહ્યું: તમે સતત સાત વર્ષ સુધી ખેતી કરતા રહેશો આ વર્ષોમાં જે પાક કાપો, તેમાંથી થોડો જ ભાગ ખાવા માટે રાખો અને બાકીનો પાક તેની કણસલીઓમાં જ રહેવા દો.
*તફસીર:*
હઝરત યુસુફ અલય્હિસ્સલામે પોતાના સાથીને કોઈ ફરિયાદ ન કરી કે તે કેમ ભૂલી ગયો હતો. તેમજ બાદશાહના સપનાની તઅબિર કરવા માટે કોઈ શરત પણ ન રાખી અને તરત જ સપનાની તઅબિર કરી. કારણ કે જ્યારે સમાજને ઇલ્મની જરૂર હોય ત્યારે જ્ઞાન અને ઇલ્મ છુપાવવું નેક અને સારા લોકોનું કામ નથી.
હઝરત યુસુફ અલય્હિસ્સલામે માત્ર સપનાની તઅબિર જ ન કરી, પરંતુ દુષ્કાળનો સામનો કરવા માટે સ્પષ્ટ યોજના પણ જણાવી. આનાથી ખબર પડે છે કે તેઓને સપનાની તઅબિરનું ઇલ્મ ઉપરાંત આયોજન અને વ્યવસ્થાપનની પણ શક્તિ હતી.
આ આયતમાંથી ખેતીનું જ્ઞાન, અનાજનો સંગ્રહ અને ખર્ચમાં બચત કરવાની શીખ પણ મળે છે.
પયગામ
1- પોતાની સારી અને ઉપયોગી યોજનાઓ કોઈ ઉપકાર ગણાવ્યા વગર અને કોઈ સ્વાર્થ રાખ્યા વગર લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ.
2- સમાજને બચાવવા માટે ક્યારેક પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓ ભૂલી જવી જોઈએ. હઝરત યુસુફ અલય્હિસ્સલામે પોતાની જેલની વાત ન કરી, પરંતુ લોકોની સમસ્યા હલ કરવા વિશે વિચાર્યું.
3- મુશ્કેલ અને સંકટના સમયમાં સમાજનું સારું સંચાલન કરવું હુકૂમતની મહત્વની જવાબદારી છે.
4- હુકૂમતોએ દુષ્કાળ અને સૂકા જેવી મુશ્કેલીઓ માટે પહેલેથી તૈયારી કરવી જોઈએ અને સારા સમયમાં આયોજન કરીને મુશ્કેલ સમયની તકલીફ ઓછી કરવી જોઈએ.
5- જ્યારે પરિસ્થિતિ સારી હોય ત્યારે તેનો પૂરતો લાભ લેવો જોઈએ.
6- જ્યારે ભવિષ્યમાં સંકટ આવવાનું હોય ત્યારે ઉત્પાદન અને મહેનત વધારવી જોઈએ.
7- અલ્લાહના નેક બંદાઓએ લોકોની ભલાઈ માટે વિચારવું જોઈએ અને ટૂંકા તથા લાંબા સમયની યોજનાઓ બનાવવી જોઈએ.
8- આયોજન અને સંચાલનમાં સમયનું ખૂબ મહત્વ છે.
9- માત્ર સમસ્યાની સ્થિતિ સમજાવવી પૂરતી નથી, તેનો ઉકેલ અને યોજના પણ આપવી જોઈએ.
10- ઉત્પાદનનું આયોજન, બચત અને સંગ્રહ કરવો જરૂરી છે.
11- સંકટના સમયમાં ઉત્પાદન અને વસ્તુઓના વહેંચાણ પર હુકૂમતનું ધ્યાન અને નિયંત્રણ જરૂરી છે.
12- ઘઉંને તેના કણસલીઓમાં રાખવાથી તે લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે.
13- યોગ્ય આયોજન દ્વારા દુષ્કાળ, ભૂકંપ અને પૂર જેવી કુદરતી આફતો માટે પહેલેથી તૈયારી કરી શકાય છે.
14- ભવિષ્ય માટે આયોજન કરવું અલ્લાહ પર તવક્કુલ રાખવાની વિરુદ્ધ નથી. આયોજન પણ કરવું અને અલ્લાહ પર ભરોસો પણ રાખવો.
15- યોજના એવી હોવી જોઈએ કે જેના પર ખરેખર અમલ કરી શકાય.
16- દરેક મુશ્કેલી ખરાબ નથી હોતી. ક્યારેક મુશ્કેલી પણ ભવિષ્યમાં કોઈ ભલાઈનું કારણ બને છે.
17- દેશ અને સમાજની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે.
18- આજની બચત આવતીકાલે આત્મનિર્ભરતા લાવે છે અને આજનો ઇસરાફ આવતીકાલે જરૂરિયાત ઊભી કરે છે.
19- કાફિરોનું સપનું પણ ક્યારેક હકીકત તરફ ઈશારો કરી શકે છે અને સમાજની ભલાઈ માટે માર્ગદર્શન આપી શકે છે.
20- સારું આવતીકાલ બનાવવા માટે આજથી મહેનત અને તૈયારી કરવી જોઈએ.
alvi110.in | 132 |
| 14 | હુસૈનિયત ઝિંદાબાદ
યઝીદિયત મુર્દાબાદ
14 રબીઉલ અવ્વલ યઝીદ મલઊનની હલાકતનો દિવસ છે
યઝીદની હુકૂમત મુસ્લિમ ઉમ્મત માટે એક અઝાબ જેવી હતી. આ સજા જાણે તે કાર્યનું પરિણામ હતું જે ઉમ્મતે સકીફાના મોકા ઉપર કર્યું હતું.
સકીફાના મોકા હઝરત અલી અલય્હિસ્સલામની બયઅત ન કરવા માટે એક બહાનું એ પણ આપવામાં આવતું હતું કે અલી હજુ જવાન છે.
તે સમયે હઝરત અલી અલય્હિસ્સલામ 33 વર્ષના હતા
અને બયઅત ન કરનારાઓએ હિજરી સન 60માં 34 વર્ષના શરાબી, ફાસિક અને ફાજિર યઝીદની બયઅત કરી અને તેની હુકૂમતને સ્વીકારી પણ લીધી
એટલું જ નહીં, કેટલાક લોકો યઝીદના ગુનાહ પર પડદો નાખવો આજે પણ ઈમાન તરીકે રજૂ કરે છે.
યઝીદની ચાર વર્ષ જેટલી હુકૂમતના ત્રણ મોટા ગુનાહો
1. કરબલાનો બનાવ
મદીનામાં ઇમામ હુસૈન અલય્હિસ્સલામ પાસેથી બયઅત લેવાનો પ્રયાસ.
મક્કામાં હજ દરમિયાન ઇમામ હુસૈન અલય્હિસ્સલામને શહીદ કરવાની સાજિશ.
કૂફામાં જનાબ મુસ્લિમ અને બીજા સાથીઓની શહીદ કર્યા.
કરબલામાં ઇમામ હુસૈન અલય્હિસ્સલામ અને તેમના સાથીઓ માટે પાણી બંધ કરવું.
ઇમામ હુસૈન અલય્હિસ્સલામ અને તેમના પાકીઝા સાથીઓને શહીદ કર્યા.
અહલે હરમના ખેમાઓ લૂંટયા અને તેમાં આગ લગાવવી.
અહલે હરમને કેદ કરીને કૂફા અને શામમાં ફેરવવામાં આવ્યા
2. વાકેઅ હર્રા
મદીનાવાસીઓનો કત્લેઆમ કરવો, જેમાં બદરના સહાબા અને કુરઆનના હાફિઝો પણ સામેલ હતા.
મદીનાના લોકોના માલ-મિલકતની લૂંટફાટ કરવી.
મદીનાની મુસ્લિમ સ્ત્રીઓની આબરૂ પર હુમલા કરવો.
મસ્જિદે નબવીમાં ઘોડા બાંધવા.
મદીનાવાસીઓ પાસેથી અપમાનજનક રીતે ગુલામી જેવી બયઅત લેવી.
3. મક્કા પર હુમલો
મક્કાને ઘેરી લેવું.
કાબા તરફ આગના ગોળા ફેંકવા.
કાબાને આગ લગાડવી અને તેને નુકસાન પહોંચાડવું.
મક્કા પર હુમલો ચાલી રહ્યો હતો ત્યારે જ યઝીદની હલાકતના સમાચાર આવ્યા.
હુસૈનિયત ઝિંદાબાદ
યઝીદિયત મુર્દાબાદ | 184 |
| 15 | હઝરત ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ ફરમાવે છે:
તમે જે ઇલ્મ હાંસિલ કરો છો તે લખો અને તમારું ઈલ્મ તમારા મોઅમિન ભાઈઓ સુધી ફેલાવો, અને જ્યારે તમારી મોત થાય ત્યારે તમારી કિતાબો તમારી ઓલાદોને વારસામાં આપો; કારણ કે લોકો પર અફરાતફરી અને ફિત્નાનો એવો સમય આવશે જેમાં તેઓ ફક્ત કિતાબોથી જ સુકુન અને દિલાસો મેળવી શકશે.
(અલકાફી ભાગ 1 પાના 100) | 163 |
| 16 | بدون متن... | 186 |
| 17 | *સૂરે યુસુફ આયત 45*
وَ قَالَ الَّذِیۡ نَجَا مِنۡہُمَا وَ ادَّکَرَ بَعۡدَ اُمَّۃٍ اَنَا اُنَبِّئُکُمۡ بِتَاۡوِیۡلِہٖ فَاَرۡسِلُوۡنِ ﴿۴۵﴾
(૪૫) અને બંને (કેદીઓ)માંથી છુટીને આવેલાએ (લાંબી) મુદ્દત બાદ તેણે (યુસુફને) યાદ કરતાં કહ્યું કે હું તમને આની તઅબીર જણાવીશ, માટે મને (યુસુફ પાસે) મોકલો.
*તફસીર:*
ઉમ્મત શબ્દનો સામાન્ય અર્થ લોકોનો સમૂહ થાય છે, પરંતુ અહીં તેનો ઉપયોગ દિવસો અને લાંબા સમયના સમૂહ એટલે કે એક લાંબા સમયગાળા માટે થયો છે.
પયગામ
1. સારા કાર્યોની અસર વહેલી કે મોડે જરૂર દેખાય છે.
2. માત્ર જરૂર પડે ત્યારે જ જૂના મિત્રો અને સાથીઓને યાદ ન કરવા જોઈએ. જ્યારે તેમને ખ્વાબની તઅબિરની જરૂર પડી, ત્યારે તેમને હઝરત યુસુફ અલય્હિસ્સલામ યાદ આવ્યા.
3. હોદ્દો અને સારો દરજ્જો મળ્યા પછી સામાન્ય રીતે લોકો પોતાના ભૂતકાળને અને જૂના સંબંધોને ભૂલી જાય છે.
4. જે વ્યક્તિ બીજાઓને કોઈ કામ માટે માર્ગદર્શન આપે, તે જાણે પોતે જ તે કામ કર્યું હોય તેવું છે.
5. હઝરત યુસુફ અલય્હિસ્સલામના જેલના સાથીને તેમની ખ્વાબની તઅબિર કરવાની કુશળતા પર એટલો વિશ્વાસ હતો કે તેણે બાદશાહની સામે ચોક્કસપણે ખ્વાબની તઅબિર જણાવવાનું વચન આપ્યું.
6. જાણકાર અને કુશળ લોકોને સમાજ સમક્ષ લાવવા જોઈએ, જેથી લોકો તેમના ઇલ્મથી લાભ મેળવી શકે.
7. કેટલાક નિષ્ણાત અને જાણકાર લોકો એકાંતમાં અથવા લોકોની નજરથી દૂર હોય છે તેથી તેમને ભૂલી ન જવા જોઈએ.
8. ઇલ્મ અને શીખવા માટે આપણે પોતે ઉસ્તાદ અને જાણકાર પાસે જવું જોઈએ, ઉસ્તાદને પોતાની પાસે બોલાવવાની અપેક્ષા ન રાખવી જોઈએ.
alvi110.in | 191 |
| 18 | *સૂરે યુસુફ આયત 44*
قَالُوۡۤا اَضۡغَاثُ اَحۡلَامٍ ۚ وَ مَا نَحۡنُ بِتَاۡوِیۡلِ الۡاَحۡلَامِ بِعٰلِمِیۡنَ ﴿۴۴﴾
(૪૪) તેમણે (દરબારી જાદુગર) જવાબ આપ્યો (આ) ગૂંચવણ ભરેલા ખ્વાબ (છે), અને અમે (આવા) ખ્વાબની તઅબીર જાણતા નથી.
*તફસીર:*
હઝરત યુસુફ અલય્હિસ્સલામ માત્ર ખ્વાબની તઅબિર પર જ અટકતા નથી, પરંતુ આવનારી પરિસ્થિતિઓ માટે આયોજન પણ જણાવે છે. નહિતર ખ્વાબની તઅબિર તો એટલી જ હતી કે તંદુરસ્ત ગાયો નેઅમતની વધારે પ્રમાણમાં આવવાની અને લીલા દાણા સારા ખેતીવાડીના પ્રતીક છે. દુબળી ગાયો અને સુકાયેલા દાણા દુષ્કાળના પ્રતીક છે.
સાત તંદુરસ્ત ગાયોનું સાત દુબળી ગાયો દ્વારા ખાઈ જવું એ વાત તરફ ઈશારો કરે છે કે દુષ્કાળના સાત વર્ષ દરમિયાન પહેલાંના સાત વર્ષોમાં ભેગું કરેલું અનાજ વાપરવાનું રહેશે. સુકાયેલા દાણા એ વાતનો પણ સંકેત આપે છે કે પાકને તેના દાણામાં જ સાચવી રાખવો જોઈએ, જેથી આટલા લાંબા સમય સુધી તે ખરાબ ન થાય.
આ ઉપરાંત હઝરત યુસુફ અલય્હિસ્સલામે પોતાની ફરાસત અથવા વહી દ્વારા બીજી બે વાતો પણ જણાવી: એક એ કે દુષ્કાળના વર્ષોમાં કેટલાક દાણા બીજ માટે સાચવી રાખવા જરૂરી છે, નહિતર દુષ્કાળ પૂરો થયા પછી પણ ખેતી થઈ શકશે નહીં. બીજી વાત એ કે સાત વર્ષ પછી ફરી હરિયાળી અને ખુશહાલી શરૂ થશે.
અઝ્ગાસ શબ્દ ઝગ્સનું બહુવચન છે. તેનો અર્થ મિશ્રણ કરવું થાય છે અને ઝિગ્સ નો અર્થ ભેળસેળ કરેલા લાકડાંના સમૂહનો થાય છે. અહલામ શબ્દ હુલ્મનું બહુવચન છે, જેનો અર્થ હેરાન પરેશાન કરે તેવો ખ્વાબ થાય છે. અઝ્ગાસુ અહલામ એટલે એવા વેરવિખેર અને અસ્તવ્યસ્ત ખ્વાબો, જેમાં તઅબિર કરનારને કોઈ સ્પષ્ટ સંકેત મળી શકતો નથી.
પયગામ
1. પોતાની અજ્ઞાનતા અને જાણકારીના અભાવ માટે બહાના ન બનાવવા જોઈએ. દરબારીઓને બાદશાહના ખ્વાબની સાચી તઅબિર ખબર નહોતી, તેથી તેમણે કહ્યું કે બાદશાહનો ખ્વાબ અસ્તવ્યસ્ત છે.
2. ઘણા એવા ખ્વાબો પણ હોઈ શકે છે જે ઉપરથી વેરવિખેર લાગે પરંતુ તેમની તઅબિર થઈ શકે છે.
3. દરેક કામ તે કામના જાણકાર અને નિષ્ણાતને સોંપવું જોઈએ. તઅબિરનો જાણકાર તઅબિર કરી શકે છે, જ્યારે અજાણ વ્યક્તિ તેને અસ્તવ્યસ્ત અને તઅબિર ન થઈ શકે તેવો ખ્વાબ કહી દે છે.
alvi110.in | 190 |
| 19 | *સૂરે યુસુફ આયત 43*
وَ قَالَ الۡمَلِکُ اِنِّیۡۤ اَرٰی سَبۡعَ بَقَرٰتٍ سِمَانٍ یَّاۡکُلُہُنَّ سَبۡعٌ عِجَافٌ وَّ سَبۡعَ سُنۡۢبُلٰتٍ خُضۡرٍ وَّ اُخَرَ یٰبِسٰتٍ ؕ یٰۤاَیُّہَا الۡمَلَاُ اَفۡتُوۡنِیۡ فِیۡ رُءۡیَایَ اِنۡ کُنۡتُمۡ لِلرُّءۡیَا تَعۡبُرُوۡنَ ﴿۴۳﴾
(૪૩) મિસરના બાદશાહે કહ્યું:
મેં સપનામાં સાત મોટી ગાયો જોઈ, જેને સાત દુબળી ગાયો ખાઈ જાય છે અને સાત લીલી વાળી અને સાત સૂકી વાળી.
અય કોમના મોટાઓ! જો તમને સપનાનો અર્થ સમજાવતાં આવડે તો મારું સપનું સમજાવો.
*તફસીર:*
કુરઆન મજીદ હઝરત યુસુફ અલય્હિસ્સલામના સમયમાં મિસરના બાદશાહને અલ-મલિક એટલે કે બાદશાહ કહે છે જ્યારે બાઇબલ તેને ફિરઔન કહે છે હઝરત યુસુફ અલય્હિસ્સલામના સમયનો બાદશાહ અરબી વંશનો હતો, જ્યારે ફિરઔન શબ્દ મિસરીઓની એક ધાર્મિક ઉપાધિ હતી. તેથી અરબી વંશના બાદશાહોને ફિરઔન કહેવું હકીકતની વિરુદ્ધ છે.
આ બાબત કુરઆનની હકાનીયત અને બાઇબલના લેખકોની અજ્ઞાનતા તથા તેમની તરફથી થયેલી તહરીફ અને બદલાવને સાબિત કરે છે.
કારણકે તૌરાતમાં આવ્યું છે:
અને ફિરઔન જાગ્યો અને જોયું કે તે એક ખ્વાબ હતો પછી સવારના સમયે તેનું દિલ ઘબરાઈ ગયું. ત્યારબાદ તેણે મિસરના બધા જાદુગરો અને દાનિશમંદોને બોલાવ્યા. ફિરઔને પોતાનો ખ્વાબ તેમને સંભળાવ્યો પરંતુ તેમાંથી કોઈ પણ ફિરઔનના ખ્વાબની તઅબિર કરી શક્યું નહીં.
અત્યાર સુધી આ સૂરામાં ચાર ખ્વાબનો ઉલ્લેખ થયો છે: હઝરત યુસુફ અલય્હિસ્સલામનો પોતાનો ખ્વાબ, જેલના બે સાથીઓના ખ્વાબ અને મિસરના બાદશાહનો ખ્વાબ. પહેલો ખ્વાબ હઝરત યુસુફ અલય્હિસ્સલામ માટે મુશ્કેલીનું કારણ બન્યો પરંતુ બીજાઓના ખ્વાબની તઅબિર તેમના માટે ઇઝ્ઝત અને સન્માનનું કારણ બની.
તૌરાતમાં આવ્યું છે કે બાદશાહે એક વખત ખ્વાબમાં જોયું કે દુબળી ગાયો તંદુરસ્ત ગાયોને ખાઈ રહી છે અને બીજી વખત લીલા છોડના દાણા પાસે સુકાયેલા છોડના દાણા જોયા.
કિતાબે કાફીમાં આવ્યું છે કે ખ્વાબ ત્રણ પ્રકારના હોય છે: ક્યારેક અલ્લાહ તરફથી ખુશખબરી હોય છે, ક્યારેક શેતાન તરફથી ડર અને ભય પેદા કરવા માટે આવે છે અને ક્યારેક ખ્વાબો બિનઅર્થપૂર્ણ અને નકામાં હોય છે.
પયગામ
1- અલ્લાહ એક ઝાલિમ બાદશાહને પણ ખ્વાબ દેખાડે છે, જો તેની તઅબિર કરનાર હઝરત યુસુફ અલય્હિસ્સલામ જેવા હોય, તો એક આખી કૌમને દુષ્કાળમાંથી બચાવી શકે છે.
2- ખ્વાબની દુનિયામાં વસ્તુઓ અને પ્રાણીઓના ચોક્કસ પ્રતીકાત્મક અર્થ હોય છે. ઉદાહરણ તરીકે, દુબળી ગાય દુષ્કાળનું અને તંદુરસ્ત ગાય સમૃદ્ધિનું પ્રતીક બની શકે છે.
3- શાસકો અને શક્તિશાળી લોકો ક્યારેક નાની અણગમતી ઘટના કે ખરાબ સંકેતથી પણ ડરી જાય છે કે ક્યાંક તેમની સત્તા છીનવાઈ ન જાય.
4- શાસકોને જુદા જુદા વિષયોમાં નિષ્ણાત અને જાણકાર લોકોની સલાહની જરૂર હોય છે.
5- ખ્વાબની તાબિર માટે તેના જાણકાર અને લાયક વ્યક્તિ પાસે જવું જોઈએ અને દરેક વ્યક્તિની તઅબિર પર વિશ્વાસ ન કરવો જોઈએ.
alvi110.in | 187 |
| 20 | *સૂરે યુસુફ આયત 42*
وَ قَالَ لِلَّذِیۡ ظَنَّ اَنَّہٗ نَاجٍ مِّنۡہُمَا اذۡکُرۡنِیۡ عِنۡدَ رَبِّکَ ۫ فَاَنۡسٰہُ الشَّیۡطٰنُ ذِکۡرَ رَبِّہٖ فَلَبِثَ فِی السِّجۡنِ بِضۡعَ سِنِیۡنَ ﴿ؕ٪۴۲﴾
(૪૨) અને તે બંનેમાંથી જેના છૂટી જવાનું તેને ઇલ્મ હતું તે (કેદી)ને તેણે કહ્યું: તારા માલિક પાસે મને યાદ કરજે, પછી શેતાને તેને તે (માલિક પાસે યાદ કરવાનુ) ભૂલાવી દીધું, તેથી તે (યુસુફ) અમુક વર્ષો કૈદમાં રહ્યો.
*તફસીર:*
આ આયતમાં “ઝન્ન” શબ્દનો ઉપયોગ યકીનના અર્થમાં થયો છે કુરઆનની કેટલીક બીજી આયતોમાં પણ આ શબ્દ યકીનના અર્થમાં આવ્યો છે.
રબ શબ્દનો એક અર્થ માલિક પણ થાય છે. જવહરીએ કહ્યું છે દરેક વસ્તુનો રબ્બ તેનો માલિક હોય છે તેથી રબ શબ્દ જ્યાં હકીકી માલિક એટલે કે અલ્લાહ માટે વપરાય છે ત્યાં તેના બીજા યોગ્ય અર્થોમાં વાપરવામાં પણ કોઈ વાંધો નથી.
જેમ કે ઔલિયા અને વલી શબ્દ તાગૂત માટે પણ વપરાયો છે: «وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ» અને અલ્લાહ તઆલા માટે પણ આવ્યું છે
«اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا»
તેથી આ વાંધો યોગ્ય નથી કે એક નબીએ બાદશાહને રબ કેવી રીતે કહ્યું અહીં રબ નો અર્થ માલિક અથવા આકા છે અલ્લાહ નથી.
તેમજ, કારણો અને સાધનોનો સહારો લેવો ઇખ્લાસ અને તવક્કુલની વિરુદ્ધ નથી. તેથી હઝરત યુસુફ અલય્હિસ્સલામે જેલમાંથી છૂટવા માટે માધ્યમો શોધ્યા, તે તેમના ઇખ્લાસ અને અલ્લાહ પરના તવક્કુલની વિરુદ્ધ નહોતું.
બિઝઅ દસથી ઓછી સંખ્યાને કહેવામાં આવે છે અને મોટા ભાગના મુફસ્સિરીનના મતે હઝરત યુસુફ અલય્હિસ્સલામ જેલમાં સાત વર્ષ રહ્યા હતા.
કેટલીક તફસીરોમાં “ફઅન્સાહુશ્શૈતાન”નો અર્થ એવો કરવામાં આવ્યો છે કે શેતાને હઝરત યુસુફ અલય્હિસ્સલામને અલ્લાહની યાદ ભૂલાવી દીધી અને તેમણે અલ્લાહ પાસે મદદ માંગવાને બદલે બાદશાહના સાકી તરફ ધ્યાન આપ્યું. આ હઝરત યુસુફ અલય્હિસ્સલામ માટે તર્કે અવલા હતું અને તેથી તેઓ થોડાં વધુ વર્ષો જેલમાં રહ્યા.
પરંતુ સાહિબે અલ-મીજાન લખે છે કે આવી રિવાયતો કુરઆનની વિરુદ્ધ છે, કારણ કે કુરઆને હઝરત યુસુફ અલય્હિસ્સલામને મુખ્લસીન ગણાવ્યા છે અને શેતાનને મુખ્લસીન પર કાબૂ નથી ઉપરાંત, બે આયતો પછી આવ્યું છે કે લાંબા સમય પછી જે વ્યક્તિ છૂટી ગઈ હતી તેને હઝરત યુસુફ અલય્હિસ્સલામ યાદ આવ્યા. આનાથી ખબર પડે છે કે ભૂલનાર સાકી હતો, હઝરત યુસુફ અલય્હિસ્સલામ નહીં.
પયગામ
1- અંબિયા પણ પોતાની મુશ્કેલીઓ ઉકેલવા માટે સામાન્ય અને કુદરતી વસીલાઓ અપનાવે છે અને આ તૌહીદ તથા તવક્કુલની વિરુદ્ધ નથી.
2- દરેક વિનંતી લાંચ નથી હઝરત યુસુફ અલય્હિસ્સલામે ખ્વાબની તઅબિર બદલ કોઈ મહેનતાણું કે લાંચ માંગી નહોતી, પરંતુ કહ્યું હતું કે મારી મઝલૂમિયતની વાત બાદશાહ સુધી પહોંચાડજે.
3- પોતાની બેગુનાહી અને પાકદામની સાબિત કરવા માટે જવાબદાર અધિકારીઓ સુધી પોતાની ફરિયાદ પહોંચાડવા માટે દરેક હલાલ અને યોગ્ય રસ્તો અપનાવવો જોઈએ.
4- મહેલોમાં રહેવું, આરામ અને સુખ-સગવડ ક્યારેક પીડિત અને મુશ્કેલીમાં રહેલા લોકોના દુઃખ ભૂલી જવાનું કારણ બને છે.
5- સામાન્ય રીતે લોકો હોદ્દો, મરતબો અને સુખ-સગવડ મળ્યા પછી પોતાના જૂના મિત્રો અને સાથીઓને ભૂલી જાય છે.
6- હઝરત યુસુફ અલય્હિસ્સલામનું જેલમાંથી બહાર આવવું અને તેમના પરનો આરોપ દૂર થવો શેતાનના હેતુઓની વિરુદ્ધ હતું તેથી તેણે ષડયંત્ર કર્યું હતું.
alvi110.in | 165 |
