en
Feedback
🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳

🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳

Open in Telegram

આ ચેનલનો મુખ્યહેતુ આ માહિતીયુગમાં વૈચારિક જાગૃતતા લાવવાનો છે. નિસ્વાર્થ શિક્ષણકર્મીઓ દ્વારા માહિતી જરુરિયાતમંદને પુરી પાડવાનો છે. (IT+IT=IT) INDIA TODAY + INFORMATION TECHNOLOGY = INDIA TOMORROW સલાહસૂચન આવકાર્ય સહકારની અપેક્ષાએ આપનો @Deepakzala

Show more
2 425
Subscribers
No data24 hours
-17 days
-2330 days
Posts Archive
પંચમુખ મહાદેવનું મંદિર પ્રભાસ પાટણ સોમનાથ નજીક પાંચ મોઢાવાળું શિવલિંગનું મંદિર આવેલું છે જે દર્શનીય છે. આ મંદિરનાં ગર્ભગૃહના
+2
પંચમુખ મહાદેવનું મંદિર પ્રભાસ પાટણ સોમનાથ નજીક પાંચ મોઢાવાળું શિવલિંગનું મંદિર આવેલું છે જે દર્શનીય છે. આ મંદિરનાં ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર સૂર્ય, વિષ્ણુ, શિવ એવા અનેક દેવોની મૂર્તિઓ જોવા મળે છે. આ મંદિર અતિ પૌરાણિક છે અને તેમાં જોવા મળતા શિલ્પો ઈ.સ. 13-14મી સદી આસપાસનાં છે. #Atulyavarso #Heritage

ગુજરાતના ઉતરે આવેલ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ખૂબ જ કલાત્મક કોતરણી વાળી રંગબેરંગી હવેલીઓ આવેલી છે, આ હવેલીઓ વોહરા સમાજની છે
+3
ગુજરાતના ઉતરે આવેલ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ખૂબ જ કલાત્મક કોતરણી વાળી રંગબેરંગી હવેલીઓ આવેલી છે, આ હવેલીઓ વોહરા સમાજની છે અને કેટલીક હવેલીઓ પર જે તે માલિકનાં નામના પહેલા અક્ષર કોતરેલા હોય છે. અહી આ હવેલીઓ જોતા, સિદ્ધપુરની વહોરવાડ સ્મૃતિપટ પર છવાઈ જાય છે.

Repost from GPSC MAINS Q&A
💁🏻‍♂ GPSC Class 1 & 2 Main Exam All Question Paper 2022 🟡 Adv - 30/2021-22 #GASMains_30_2022 🔴 @Gpscmainspractice

https://youtu.be/eLRQ2MEj9KY Exploring Sampa Stepwell of Dahegam | Atulya Varso

Repost from GPSC MAINS Q&A
💁🏻‍♂ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ડેમોગ્રાફિક ડિઝાસ્ટર ન બને તે સુનિશ્ચિત કરવાની જરૂર. - સરકારી રોજગારીની વરવી વાસ્તવિકતા #Economic
💁🏻‍♂ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ડેમોગ્રાફિક ડિઝાસ્ટર ન બને તે સુનિશ્ચિત કરવાની જરૂર. - સરકારી રોજગારીની વરવી વાસ્તવિકતા #Economics #Essay @Gpscmainspractice

આઝાદીના અમૃત વર્ષે તમામ દેશવાસીઓ તન-મન-ધન ના વિકારોથી આઝાદ થઈએ એવી મહેચ્છાઓ સહ... 75 માં સ્વાતંત્ર્યદિન ની શુભેચ્છાઓ..! 🇮🇳🇮🇳જય.હિંદ🇮🇳🇮🇳 🇮🇳ભારત માતાકી જય..🇮🇳

એક સમયે ગુજરાતમાં સાબરમતી, મહી, ઓરસંગ, કરજણ, નર્મદા, ભાદર, માઝુમ, હિરણ તેમજ કચ્છની ખારી અને ભૂખી નદીની ભેખડોમાં આદિ માનવ વસવા
+1
એક સમયે ગુજરાતમાં સાબરમતી, મહી, ઓરસંગ, કરજણ, નર્મદા, ભાદર, માઝુમ, હિરણ તેમજ કચ્છની ખારી અને ભૂખી નદીની ભેખડોમાં આદિ માનવ વસવાટ કરતો હતો. આ બધી નદીની ભેખડોમાંથી પાષાણ યુગના અવશેષો પ્રાપ્ત થયા છે. છેલ્લા ડાંગમાં થયેલા સંશોધનો પરથી સાબિત થાય છે કે ગુજરાતના બધા ભાગોમાં આદિમાનવે ભ્રમણ કર્યું હતું. ડાંગ જિલ્લાના પાંડવા ગામ થી થોડાક અંતરે પ્રાચીન ગુફાઓ મળી આવી છે, જે બે લાખ વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે.

પોરબંદર પાસે આવેલ બરડા ડુંગર પર સોનકંસારીના મંદિર તરફ જતા વચ્ચે એક પૌરાણિક શિવલિંગ જોવા મળે છે, અને પાસે એક મૂર્તિ જોઈ શકાય છ
પોરબંદર પાસે આવેલ બરડા ડુંગર પર સોનકંસારીના મંદિર તરફ જતા વચ્ચે એક પૌરાણિક શિવલિંગ જોવા મળે છે, અને પાસે એક મૂર્તિ જોઈ શકાય છે. આ શિવલિંગની ઊંચાઈ ૨ થી ૩ ફૂટ જેટલી છે. અહીં નંદીની ભગ્ન અવસ્થામાં મૂર્તિ પણ જોવા મળે છે.

નમસ્તે, અતુલ્ય વારસો ધોળાવીરા વિશેષાંક પ્રકાશિત થઈ ચૂક્યો છે, જેને ડિજિટલ સ્વરૂપે અહી રજુ કરી રહ્યા છીએ. આ વિશેષાંકમાં કચ્છની ધરા પર સ્થિત ખડિર બેટનાં અજાણ્યા વારસા વિશે અને હરપ્પન નગરી ધોળાવીરા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, વધુમાં ખડિરના પક્ષી જગત અને સંસ્કૃતિ વિશે માહિતી આપવામાં આવી છે.

અતુલ્ય_વારસો_ધોળાવીરા_વિશેષાંક.pdf5.55 MB

કચ્છના અંજારમાં આવેલ ઐતિહાસિક મેકમડો બંગલાની દીવાલ પર કચ્છી કારીગરો દ્વારા ખુબ જ સુંદર ભીંતચિત્રો બનાવવામાં આવેલ છે. આ બંગલો આશરે ૨૦૦ વર્ષ જુનો છે અને રાજ્ય રક્ષિત સ્મારક છે, પરંતુ હાલમાં તેની હાલત ખુબ જ દયનીય છે.

Repost from GPSC MAINS Q&A
💁🏻‍♂ વલભી વિધાપીઠ #History @Gpscmainspractice
+1
💁🏻‍♂ વલભી વિધાપીઠ #History @Gpscmainspractice

નમસ્તે, રાજ્યનાં જળ સ્થાપત્યો વિશે લોકજાગ્રુતિ આવે અને ખાસ કરીને વાવ સ્થાપત્ય વિશેની સમજ શૈક્ષણિક દ્રષ્ટીએ કેળવાય તેના માટે અ
નમસ્તે, રાજ્યનાં જળ સ્થાપત્યો વિશે લોકજાગ્રુતિ આવે અને ખાસ કરીને વાવ સ્થાપત્ય વિશેની સમજ શૈક્ષણિક દ્રષ્ટીએ કેળવાય તેના માટે અમો *હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર* (HCRC) દ્વારા ગાંધીનગર નજીક આવેલ ઉવારસદ ગામમાં વાવ અને તેની આસપાસનાં વિસ્તારને આવરીને *સ્ટેપવેલ મ્યુઝિયમ (STEPWELL MUSEUM)* તૈયાર કરવા જઈ રહ્યા છીએ. જો આપની પાસે જળ, જળ સંશાધનો, જળસ્ત્રોતો, વાવ, તળાવ, કુંડ, સરોવર, નદીઓ વગેરે વિષયને આવરીને કોઈ ગ્રંથ/પુસ્તક/બ્રોશર્સ/અન્ય સાહિત્ય હોય તો અમોને 9328312363 (ટીમ અતુલ્ય વારસો) પર મોકલી આપવા નમ્ર વિનંતી છે.

આજ તા.૩૦ જુલાઈ ૨૦૨૨ રોજ હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રાચીન વાવ ઉવારસદ (૩ વર્ષ માટે) અને પ્રાચીન કૂવો, હાલિસા
+8
આજ તા.૩૦ જુલાઈ ૨૦૨૨ રોજ હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રાચીન વાવ ઉવારસદ (૩ વર્ષ માટે) અને પ્રાચીન કૂવો, હાલિસાને (૨ વર્ષ માટે) ગ્રામ પંચાયત સાથે MoU કરીને દત્તક લેવામાં આવ્યા હતા. બંને પૌરાણિક જગ્યાને લોક ભાગીદારીથી ઉજાગર કરવા તથા જીવંત કરવા માટે આગમી આયોજન કરવામાં આવશે. ઉવારસદ ખાતે વાવને ૩ વર્ષ માટે દત્તક લેવામાં આવી છે, અને અહીં આગામી સમયમાં વાવને લગતું મ્યુઝિયમ બનશે, જેમાં વાવ વિશેની પૂરી માહિતી અહીંથી પ્રાપ્ત થઈ શકશે અને હાલિસા ખાતે કૂવાને ૨ વર્ષ માટે દત્તક લેવામાં આવ્યો છે, શૈક્ષણિક રીતે તથા ટુરિઝમ બાબતે આગામી આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ઉવારસદ ખાતે કન્યા શાળાની ૧૧ દીકરીઓ દ્વારા વાવમાં નવા નીરના વધામણા કરી તેનું પૂજન કરાયું હતું તથા હાલિસા ખાતે પ્રાથમિક શાળાની દીકરીઓ દ્વારા જળ દેવતાની આરતી કરી પૂજન કરવામાં આવ્યું હતું. આ બંને ગામમાં ગ્રામજનો ખુબજ ઉત્સાહથી જોડાયા હતા.