🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳
Open in Telegram
આ ચેનલનો મુખ્યહેતુ આ માહિતીયુગમાં વૈચારિક જાગૃતતા લાવવાનો છે. નિસ્વાર્થ શિક્ષણકર્મીઓ દ્વારા માહિતી જરુરિયાતમંદને પુરી પાડવાનો છે. (IT+IT=IT) INDIA TODAY + INFORMATION TECHNOLOGY = INDIA TOMORROW સલાહસૂચન આવકાર્ય સહકારની અપેક્ષાએ આપનો @Deepakzala
Show more2 425
Subscribers
No data24 hours
-17 days
-2330 days
Posts Archive
ગિરનારની લીલી પરિક્રમા: મારી નજરે
https://iastalk.com/girnar-ni-lili-parikrama/
દેવભૂમિ દ્વારકામાં આવેલ કલ્યાણપુર તાલુકામાં રાણ પીંડારાના નામથી ઓળખાતું પીંડારા ગામ, પાંડવોના યુગની ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલું મનાય છે. મહાભારતના યુદ્ધ પછી ઋષિમુનીઓની સલાહ થી પાંડવોએ આ સ્થળે પિંડ તારવ્યા હોવાની માન્યતા છે. દર વર્ષે ભાદરવા માસની અમાસે જ્યારે દરિયામાં ઓછી ભરતી હોય ત્યારે લોકો આ સ્થળની મુલાકાત લે છે.
Repost from GPSC Study Zone
#DemoGujaratiPaper
Here after 4 Papers will be shared before the DySO Mains Mock Test start. So you can check the quality of the papers, you are going to join.
Click to Join
Contact @LA_RLZ (9998429832)
@GPSC_StudyZone
सर्वेषां स्वस्ति भवतु, सर्वेषां शान्तिर्भवतु
सर्वेषां पूर्न भवतु, सर्वेषां मड्गलं भवतु
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया
सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग्भवेत्।।
આજથી શરુ થતા નૂતનવર્ષ વિક્રમ સંવત ૨૦૭૯ની આપ સર્વને શુભકામનાઓ.
આસો મહિનાના છેલ્લો દિવસ દિવાળી - પ્રકાશના પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને એક માન્યતા પ્રમાણે પ્રભુ શ્રી રામ, રાવણનો વધ કરી આ દિવસે અયોધ્યા પરત ફર્યા હતાં. આ શુભ દિને લક્ષ્મી પૂજનનું ખૂબ જ મહત્વ છે. ધંધા – રોજગારવાળા વેપારી આ દિવસે ચોપડા પૂજન પણ કરે છે.
પ્રકાશના આ ઉત્સવ સાથે આવો આપણે દીપ પ્રગટાવી આપણા અતુલ્ય અને અમુલ્ય વારસાને ઉજાગર કરીએ.
આપ સર્વેને દિવાળીની અનેકો શુભકામનાઓ
#Diwali #dipawali
ઋષિ વંદના @વડનગર
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરેથી ઋષિઆરા સુધી ૫૧ ઋષિ કુમારો દ્વારા પદયાત્રા કરવામાં આવી હતી. આ યાત્રા વડનગરના હેરિટેજ રૂટ પર યોજવામાં આવી હતી અને ઋષિઆરા ખાતે મહા આરતી કરવામાં આવી. ગુજરાત ટુરિઝમ અને અતુલ્ય વારસો ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.
આવો આપણે સૌ સપ્તર્ષિ વંદના કરીએ
સંસ્કૃતના વિદ્વાન દ્વારા શ્લોકો સાથે પદયાત્રા કરી ઋષિના આરે મહાઆરતીથી આપણા મહાન ઋષિઓને વંદન કરીએ
પદયાત્રા રૂટ: હાટકેશ્વર મંદિર થી ઋષિનો આરો
મળવાનું સ્થળ: હાટકેશ્વર મહાદેવ મંદિર, સાંજે ૦૪:૧૫ કલાકે
તારીખ: ૧૬ ઓકટોબર ૨૦૨૨
આપણા પૂર્વજોએ તૈયાર કરેલ પાણીની વ્યવસ્થા ખુબજ કમાલની છે.
વડનગરના શર્મિષ્ઠા તળાવમાં વરસાદી પુર અને નહેરનું સીધું પાણી નુકસાન ન કરે તેથી શરૂમાં આ પાણી વિશ્વામિત્ર નામના તળાવમાં જાય છે ત્યારબાદ બીજા તળાવ-નાગધરા-નાગતીર્થમાં પ્રવેશે છે અને છેલ્લે સ્વચ્છ પાણી શર્મિષ્ઠા તળાવમાં આવે છે.
#Atulyavarso
શું તમે જાણો છો?
બનાસકાંઠાના આદિવાસીઓ વિશિષ્ટ ઓળખ ધરાવે છે.
અહી ભીલ અને ગરાસિયા આદિવાસીઓ વસે છે, અને તેઓની કલા કારીગરી અને સંસ્કૃતિ અનોખી છે. તેઓ ચાંદીથી બનેલા દાગીના વધુ પહેરે છે, અને કુદરત સાથે હમેશા જોડાયેલા રહે છે. તેમનો પોશાકમાં પણ તેમના નામ લખેલા જોવા મળે છે.
#Aadivasi #Atulyavarso
શું તમે પૌરાણિક સોમનાથ મંદિરના અવશેષો જોયા છે?
જો ના હોય હોય તો આ વીડિયો જુઓ અને કલ્પના કરો કે સોમનાથ મંદિર કેટલું ભવ્ય હશે.
#Somnath #Temple
નવ ખુણીયા, વ્હોરવાડ, કપડવંજ
ઐતિહાસિક કપડવંજ નગરના વ્હોરા સમાજના મકાનોમાં આ પ્રકારના નવ ખુણીયા જોવા મળે છે, જે મોટા ભાગે બધા જ વ્હોરા મકાનોમાં હોય છે. કેટલાક મકાનોમાં તો સાત, તેર અથવા વધારે ખૂણા પણ જોઈ શકાય છે.
મહેમદાવાદની શેરીઓ
આ નગરમાં પૌરાણિક વાવ, જૂના મકાનો, અને વિવિધ પોળ, વાળા, પાડા આવેલા છે. આ નગર વાત્રક નદીના કિનારે વસેલું છે.
#Cityexploration #Atulyavarso
ઐતિહાસિક નગર કપડવંજના લાકડાની કોતરણી અને જે તે સમયની સંસ્કૃતિને રજૂ કરતા કલાત્મક મકાનો.
#Kapadvanj
Repost from GPSC MAINS Q&A
💁🏻♂ અહેવાલ લેખન
🔴 સવાલ - 🌳 તાજેતરમાં ગુજરાતના કોઈ એક સાંસ્કૃતિક વનની આપે આપના પરીવાર સાથે લીધેલ મુલાકાતનો અહેવાલ લખો.
#Gujrati #Aheval
🟢 જવાબ - 👆🏻👆🏻👆🏻
@Gpscmainspractice
