en
Feedback
અહાદીસ-એ-માસૂમીન(અ.)

અહાદીસ-એ-માસૂમીન(અ.)

Open in Telegram

હદીસના બારામાં કોઈ સવાલ અથવા કંઈ ભૂલ જણાય તો અહીં જાણ કરી શકો છો. @Abkhanusiya @Tahirabbas_Sunasara

Show more
The country is not specifiedReligion & Spirituality87 046
699
Subscribers
No data24 hours
-17 days
+930 days
Posts Archive
قال امام رضا علیه السلام : کُلُّنا سُفُنُ النَّجاه ولَکِن سَفینَه الحُسَین اَوسَع و اَسرَع. હઝરત ઇમામ અલી રઝા (અ.)એ ફરમાવ્યું: અમો બધા જ નજાતની કશ્તી છીએ પરંતું હુસૈન (અ.)ની કશ્તી વધારે વિશાળ અને વધારે ઝડપી છે. 📚 بحار الانوار، ج 93، ص 294

قال علي عليه السلام: الصَّدِيْقُ مَنْ كَانَ نَاهِيًاعَنِ الظُّلْمِ وَالْعُدْوَانِ مُعِيْنًا عَلَي الْبِرِّ وَالْإِحْسَانِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, મિત્ર એ છે કે જે જુલમ અને દુશ્મનીથી રોકનારો અને એહસાન અને નેકી પર મદદ કરનારો હોય. 📚 عيون الحكم و المواعظ

આપને અને આપના પરિવારને જશ્ને વિલાદતે હઝરત અમીરૂલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ (સ.) ખૂબ ખૂબ મુબારક થાય.

الإمامُ عليٌّ عليه السلام: العافِيَةُ عَشرَةُ أجزاءٍ، تِسعَةٌ مِنها في الصَّمتِ إلّا بِذِكرِ إلّا بِذِكرِ اللَّه، وواحدٌ في تَركِ مُجالَسَةِالسُّفَهاءِ. ઈમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, “સલમાતીના દસ ભાગ છે. તેમાંથી નવ ભાગ અલ્લાહના ઝિક્ર સિવાય મૌન રહેવામાં છે, અને એક ભાગ મૂર્ખ લોકો સાથેની બેઠકને છોડવામાં છે.” المصدر: كتاب منتخب ميزان الحكمة

قال الإمام الجواد(ع): من أصغى إلى ناطق فقد عبده فإن كان الناطق عن الله فقد عبد الله و إن كان الناطق ينطق عن لسان إبليس فقد عبد إبليس. ઇમામ જવાદ (અ.)એ ફરમાવ્યું: જે માણસ કોઈ પ્રવક્તા સામે ઝુકી ગયો, તેણે તેની ઇબાદત કરી નાખી; એટલે જો તે પ્રવક્તા અલ્લાહ તરફથી હોય, તો તેણે અલ્લાહની ઇબાદત કરી કહેવાય; અને જો તે પ્રવક્તા ઇબ્લીસની ભાષામાં પ્રવચન આપતો હોય, તો તેણે ઇબ્લીસની ઇબાદત કરી કહેવાય. المصدر: كتاب بحار الأنوار

صدا یہ عرش پر گونجی جری ابنِ جری آیا مدینے میں صدا گونجی کہ ہمشکلِ علیؑ آیا حُسینؑ ابنِ علیؑ کی گود میں غازیؑ یُوں لگتا ہے نبیؐ کی گود میں جیسے مُحمّدؐ کا وصیؑ آیا حضرت پیر سیّد مُحمّد کامران حُسین جعفری (مد ظلہ العالی) सदा ये अर्श पर गूँजी जरी इब्ने जरी आया मदीने में सदा गूँजी के हम-शक्ल-ए-अली (अ.) आया हुसैन इब्ने अली (अ.) की गोद में ग़ाज़ी (अ.) यूँ लगता है नबी (स.) की गोद में जैसे मुहम्मद (स.) का वसी (अ.) आया हज़रत पीर सैयद मुहम्मद कामरान हुसैन जाफ़री (मद्द ज़िल्लहुल-'आली)

સમજૂતી: પાડોશીને જિસ્માની જ તકલીફ આપવી એ તો તકલીફ છે જ, પરંતુ આપણે આપણા પાડોશીની કોઈ એબને જાણીએ અને તેની એબને જાહેર કરવી, તેના વિશે ગીબત કરવી, તોહમત મૂકવી આ બધું પણ તકલીફમાં આવે. તો ઈમામ કહે છે કે આવા લોકો અમારામાંથી નથી.

الإمامُ الرِّضا عليه السلام: ليسَ مِنّا مَن لَمْ يأمن جارُهُ بَوائقَهُ. ઈમામ રઝા (અ.)એ ફરમાવ્યું છે કે, “જે માણસની તકલીફોના કારણે તેનો પાડોશી સુરક્ષિત ન હોય, તે અમારામાંથી નથી.” المصدر: كتاب منتخب ميزان الحكمة

قال الإمام الباقر(ع): اعلم بأنك لا تكون لنا وليا حتى لو اجتمع عليك أهل مصرك وقالوا:إنك رجل سوء لم يحزنك ذلك ولو قالوا : إنك رجل صالح لم يسرك ઇમામ બાકિર (અ.)એ ફરમાવ્યું: તું જાણી લે કે તું અમારો વલી ત્યાં સુધી નહીં થઈ શકે જ્યાં સુધી કે તારા વિરુદ્ધ તારા દેશના લોકો ભેગા મળીને એમ પણ કહી દે કે તું ખરાબ માણસ છે, તોય તને તેનાથી દુઃખ ન થાય; અથવા તો જો એમ પણ કહી દે કે તું સારો માણસ છે, તોય તું ફૂલી ન જાય. المصدر: كتاب بحار الأنوار

رسولُ اللَّهِ صلى اللَّه عليه وآله: إياكُم ومُجَا لَسةَ الَموتى ! قيلَ: يا رسولَ اللَّهِ، مَنِ الَموتى؟ قال: كُلُّ غَنيٍّ أطْغاهُ غِناهُ. રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું, “મૃત્યુ પામેલ લોકોના સંગાથે બેસવાથી બચો.” તો આપ (સ.)ને પૂછવામાં આવ્યું કે, “યા રસૂલલ્લા (સ.), મૃત્યુ પામેલા કોણ છે?” તો આપ (સ.)એ ફરમાવ્યું કે, “એ દરેક માલદાર વ્યક્તિ કે જેના માલે તેને તાગૂત (સરકશ) બનાવી દીધો હોય.” المصدر: كتاب منتخب ميزان الحكمة

સમજૂતી : જ્યારે પણ આપણે બીમાર થઇએ યા તો પછી કોઇ એવી મુસીબત આવી પડે કે જે આપણે ક્યારે સોચી પણ ન હોય તો આને અલ્લાહ તઆલા તરફથી મળેલી નેઅમત સમજવી, કેમ કે અલ્લાહ તઆલા તેના પસંદીદા બંદાની જ આજમાઈશ કરે છે. જે માણસ નવરો બેઠો હોય એટલે આરામ કરતો હોય એવો આરામ કે જે અલ્લાહ તઆલાની યાદ પણ ન આવતી હોય તો આવી નવરાશ મુસીબત છે. કે જેમાં અલ્લાહની તઆલાની યાદથી ગાફિલ રહેવામાં આવે. જ્યારે અલ્લાહ તઆલા તરફથી કોઇ મુસીબત આવી ગઈ તો એ મુસીબત પર સબ્ર કરી લીધી તો હકીકતમાં આવી સબ્ર ગફલત એટલે કે આરસની અંદર રહેવા કરતા બહેતર છે.

الإمامُ الكاظمُ عليه السلام : لَن تكونوا مؤمنينَ حتّى تَعُدّوا البلاءَ نِعمَةً والرَّخاءَمُصيبَةً، وذلكَ أنَّ الصَّبرَ عِند البلاءِ أعظَمُ مِن الغَفلةِ عندَ الرَخاءِ. ઇમામ કાઝિમ (અ.)એ ફરમાવ્યું, “તમે ક્યારેય મોમિન થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે આઝમાઈશને નેઅમત અને આરામને મુસીબત તરીકે ન ગણો, અને મુસીબતના સમયે સબ્ર કરવી એ આરામના સમયે ગફલતમાં રહ્યા કરતાં બહેતર છે.” المصدر: كتاب منتخب ميزان الحكمة

الإمامُ عليٌّ عليه السلام: مَنِ استَقصى على صَدِيقِهِ انقَطَعَت مَوَدَّتُهُ. ઈમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, “જે તેના મિત્રની જાસૂસી કરે છે, તેની મિત્રતા તૂટી જાય છે.” المصدر: كتاب منتخب ميزان الحكمة

مرتبہ آپ کا کس درجہ ہے برتر بی بیؑ! اپنی ماں آپ کو کہتے ہیں پیمبرؐ بی بیؑ بدر صفّین و اُحد خندق و خیبر بی بیؑ سب کا غازی ہے فقط آپ کا شوہر بی بیؑ یہ کرم اہلِ جہاں پر ہو کہ ہو جائے ابھی سارے گُمراہوں کا حُرؑ جیسا مُقدّر بی بیؑ جس میں اُلفت ہی نہیں آپ کی اے بنتِ نبیؐ دل وہ ہے اصل میں پتّھر کے برابر بی بیؑ! حضرت پیر سیّد مُحمّد کامران حُسین جعفری (مد ظلہ العالی) मरतबा आप का किस दरजा है बरतर बीबी (अ.) अपनी माँ आप को कहते हैं पयम्बर (स.) बीबी (अ.) बद्र सिफ़्फ़ीन-ओ-उहद ख़न्दक़-ओ-ख़ैबर बीबी (अ.) सब का ग़ाज़ी है फ़क़त आप का शौहर बीबी (अ.) ये करम अहले जहाँ पर हो के हो जाए अभी सारे गुमराहों का हुर (अ.) जैसा मुक़द्दर बीबी (अ.) जिस में उलफ़त ही नहीं आप की ऐ बिन्ते नबी (अ.) दिल वो है अस्ल में पत्थर के बराबर बीबी (अ.) हज़रत पीर सैयद मुहम्मद कामरान हुसैन जाफ़री (मद्दे.)

قال ابو عبدالله علیه السلام: *شِيعَتُنَا الَّذِينَ إِذَا خَلَوْا ذَكَرُوا اللَّهَ كَثِيراً.* હઝરત ઇમામ જાફર સાદિક (અ.) ફરમાવે છે કે,"અમારા શીઆ એ છે કે જ્યારે તેઓ એકાંતમાં હોય છે ત્યારે અલ્લાહનો પુષ્કળ ઝિક્ર કરે છે." موسوعة أحاديث أهل البيت ؑ- الشيخ هادي النجفي - ج ٤ - الصفحة ١٤، الكافي ج 2 ص 499

قال علي عليه السلام: الْعُلَمَاءُ أطْهَرُ النّاسِ أخْلاقاً و أقَلُّهُمْ فِي الْمَطامِعِ أَعْراقاً. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે આલિમો લોકોમાં સૌથી વધારે પાક અખ્લાકવાળા અને સૌથી ઓછી ઇચ્છાઓ ધરાવનારા હોય છે. 📚 عيون الحكم و المواعظ

قال علي عليه السلام: الْمُنْصِفُ كَثيرُ الْأَوْلِياءِ وَالْأَوِدّاءِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે ઇન્સાફ કરનારના દોસ્તો અને દુશ્મનો ખૂબ જ હોય છે. 📚 عيون الحكم و المواعظ

عَنْ أَبِی عَبْدِ اللّهِ علیه السلام، قَالَ: «مَنْ أَحَبَّ لِلّهِ وَأَبْغَضَ لِلّهِ وَأَعْطی لِلّهِ فَهُوَ مِمَّنْ کَمَلَ إِیمَانُهُ». હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું:"જે કોઈ અલ્લાહ ખાતર મોહબ્બત કરે અને અલ્લાહ ખાતર બુગ્ઝ (દુશ્મની) રાખે અને અલ્લાહ ખાતર કોઈને કઈ અતા કરે તો તેવા માણસનું ઈમાન સંપૂર્ણ છે." અલ-કાફી, જિલ્દ-4, સફહા-5