en
Feedback
અહાદીસ-એ-માસૂમીન(અ.)

અહાદીસ-એ-માસૂમીન(અ.)

Open in Telegram

હદીસના બારામાં કોઈ સવાલ અથવા કંઈ ભૂલ જણાય તો અહીં જાણ કરી શકો છો. @Abkhanusiya @Tahirabbas_Sunasara

Show more
The country is not specifiedReligion & Spirituality87 046
699
Subscribers
No data24 hours
-17 days
+930 days
Posts Archive
قال علي عليه السلام: الْمُؤْمِنُ مَنْ طَهُرَ قَلْبُهُ مِنَ الرِّيبَةِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, મોમિન એ છે જેનું દિલ શકથી પાક હોય છે. 📚 عيون الحكم و المواعظ

قال علي عليه السلام: الدُّنْيا ظِلُّ الْغَمامِ وحُلُمُ الْمَنامِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, દુનિયા વાદળોના છાંયડાની જેમ અને ઊંઘમાં જોયેલા સપનાની જેમ છે. 📚 عيون الحكم و المواعظ

ابن شهر آشوب: قال الباقر (عليه السلام) في قوله تعالى: يُدْخِلُ مَنْ يَشاءُ فِي رَحْمَتِهِ: الرحمة: علي بن أبي طالب (عليه السلام) હઝરત ઇમામ મોહંમદ બાકિર (અ.) અલ્લાહ તઆલાના આ કૉલ 'તે જેને ચાહે છે તેને પોતાની રહેમતમાં દાખલ કરે છે' (સૂરા - શૂરા, આયત - ૮) વિષે ફરમાવ્યું: રહમતથી મુરાદ અલી ઇબ્ને અબી તાલિબ (અ.) છે. 📚 البرهان في تفسير القرآن، ج ۵، ص: ۵۵۷

قال علي عليه السلام: الْحَسُودُ دائمُ السُّقْمِ وَإنْ كانَ صَحيح الجِسْمِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, ઈર્ષા કરનાર માણસ હંમેશા બીમાર રહે છે ભલે તે શારિરીક રીતે સ્વસ્થ દેખાતો હોય. 📚 عيون الحكم و المواعظ

قال علي عليه السلام: الحِكْمَةُ شَجَرَةٌ تَنْبُتُ فِي الْقَلْبِ و تُثْمِرُ عَلي اللِّسانِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, હિકમત એક એવું ઝાડ છે કે જે દિલમાં ઊગે છે અને જબાન પર ફળ આપે છે. 📚 عيون الحكم و المواعظ

قال علي عليه السلام: الْكِبْرُ يُساوِرُ الْقُلُوبَ مُساوَرَةَ السُّمُومِ الْقاتِلَةِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, તકબ્બુર દિલ પર કાતિલ ઝહેરની જેમ હુમલો કરે છે. 📚 عيون الحكم و المواعظ

قال علي عليه السلام: البُكاءُ مِنْ خَشْيَةِ اللهِ تَعالي يُنيرُ القَلْبَ و يَعْصِمُ عَنْ مُعاوَدَةِ الذَّنْبِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, રડવું એ અલ્લાહના ડરમાંથી છે, તે દિલને નૂરાની બનાવે છે અને ફરી ફરીને આવનાર ગુનાહથી બચાવે છે. 📚 عيون الحكم و المواعظ

قال علي عليه السلام: الْفُرْصَةُ سَريعَةُ الْفَوْتِ بَطيئَةُ الْعَوْدِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, તક જલદીથી પસાર થઇ જાય છે અને પાછી આવવામાં ધીમેથી આવે છે. 📚 عيون الحكم و المواعظ

قال علي عليه السلام: اللَّئيمُ يَري سَوالِفَ إِحْسانِه دَيْناً لَهُ يَقْتَضيهِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, નીચ માણસ પોતાના નેક અમલના ખતમ થઇ જવાને પોતાના માટે દેવું માને છે જેને તે ચુકવે છે. 📚 عيون الحكم و المواعظ

قال علي عليه السلام: الْكَريمُ يَري أنّ مَكارِمَ أفْعالِه دَيْنٌ عَلَيْهِ يَقْضِيه. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, કરીમ માણસ પોતાના કાર્યોની બુલંદીને પોતાના પર દેવું માને છે જેને તે ચુકવે છે. 📚 عيون الحكم و المواعظ

قال علي عليه السلام: الْمالُ تَنْقُصُهُ النَّفَقَةُ، وَالْعِلْمُ يَزْكُو عَلي الْإِنْفاقِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, માલ ખર્ચ કરવાથી ઓછો થઈ જાય છે અને ઇલ્મ ખર્ચ કરવાથી વધે છે. 📚 عيون الحكم و المواعظ

હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, “જે માણસ માહે રમઝાનુલ મુબારકમાં દરેક વાજિબ નમાઝ પછી આ દુઆ પઢે તો અલ્લાહ તઆલા તેના કયામત સુધીના ગુના માફ કરી દેશે.” અને તે દુઆ આ છે: اللَّهُمَّ أَدْخِلْ عَلَى أَهْلِ الْقُبُورِ السُّرُورَ، اللَّهُمَّ أَغْنِ كُلَّ فَقِيرٍ اللَّهُمَّ أَشْبِعْ كُلَّ جَائِعٍ‏، اللَّهُمَّ اكْسُ كُلَّ عُرْيَانٍ اللَّهُمَّ اقْضِ دَيْنَ كُلِّ مَدِينٍ‏، اللَّهُمَّ فَرِّجْ عَنْ كُلِّ مَكْرُوبٍ اللَّهُمَّ رُدَّ كُلَّ غَرِيبٍ اللَّهُمَّ فُكَّ كُلَّ أَسِيرٍ، اللَّهُمَّ أَصْلِحْ كُلَّ فَاسِدٍ مِنْ أُمُورِ الْمُسْلِمِينَ‏، اللَّهُمَّ اشْفِ كُلَّ مَرِيضٍ اللَّهُمَّ سُدَّ فَقْرَنَا بِغِنَاكَ اللَّهُمَّ غَيِّرْ سُوءَ حَالِنَا بِحُسْنِ حَالِكَ‏، اللَّهُمَّ اقْضِ عَنَّا الدَّيْنَ وَ أَغْنِنَا مِنَ الْفَقْرِ إِنَّكَ عَلَى كُلِّ شَيْ‏ءٍ قَدِيرٌ. ‘યા અલ્લાહ! કબ્રોમાં દફન થયેલા લોકોને ખુશી અતા કર, યા અલ્લાહ! દરેક મોહતાજને માલદાર બનાવી દે, યા અલ્લાહ! દરેક ભૂખ્યાના પેટને ભરી દે, યા અલ્લાહ! દરેક નિ:ર્વસ્ત્રને લિબાસ પહેરાવી દે, યા અલ્લાહ! દરેક કર્ઝદારના કર્ઝને અદા કરી દે, યા અલ્લાહ! દરેક મુસીબતવાળાને સુકૂન અતા કર, યા અલ્લાહ! દરેક મુસાફરોને વતન પાછા લાવી દે, યા અલ્લાહ! દરેક કેદીને રિહાઈ અતા કર, યા અલ્લાહ! મુસલમાનોના કાર્યોમાંથી દરેક ખરાબીની સુધારણા કરી દે, યા અલ્લાહ! દરેક બીમારને શિફા અતા કર, યા અલ્લાહ! તારી દોલતમંદીથી અમારી મોહતાજીને દૂર કરી દે, યા અલ્લાહ! અમારા દુઃખને સુખમાં બદલી દે, યા અલ્લાહ! અમને તારું કર્ઝ અદા કરવાની તૌફીક આપ અને મોહતાજીથી બચાવી લે, બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.’ المصدر: كتاب بحار الأنوار، (العلامة المجلسي) ج ٩٥، الصفحة ١٢٠ / مفاتیح الجنان، ص ٣٤٧

قال علي عليه السلام:  الجَهْلُ بِالْفَضائِلِ مِنْ أقْبَحِ الرَّذائِلِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, ફઝીલતની સાથે અજ્ઞાનતા પસ્તી કરતાં પણ વધારે ખરાબ છે. 📚 عيون الحكم و المواعظ

حضرت امام حسن عسكري (ع.): نَحنُ كَهفٌ لِمَنِ التَجَأَ إلَينا، ونورٌ لِمَنِ استَضاءَ بِنا، و عِصمَةٌ لِمَنِ اعتَصَمَ بِنا، مَن أحَبَّنا كانَ مَعَنا فِي السَّنامِ الأَعلى، ومَنِ انحَرَفَ عَنّا فَإِلَى النّارِ۔ હઝરત ઇમામ હસન અસ્કરી (અ.) ફરમાવે છે કે, “અમે એ લોકો માટે પનાહગાહ (ગુફા) છીએ કે જે અમારી પનાહ લે છે, અમે તે લોકો માટે રોશની (નૂર) છીએ કે જે અમારાથી રોશની માગે છે, અમે એ લોકો માટે પાકીઝગી (ઇસ્મત) છીએ કે જે અમારાથી પાકીઝગી માગે છે, જે અમારાથી મોહબ્બત કરે છે તે અમારા સાથે બુલંદ મકામ પર હશે, અને જે અમારું ઉલ્લંઘન કરશે તે આગ તરફ ચાલ્યો જશે. كشف الغمّة، ج 3 ص 211

قال علي عليه السلام: البُخْلُ بإِخْراجِ مَا افْتَرَضَهُ اللهُ تَعالي فِي الْأَموالِ مِنْ أقْبَحِ الْبُخْلِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, અલ્લાહે જ્યાં માલને ખર્ચ કરવો વાજિબ કર્યો છે ત્યાં ન વાપરવો સૌથી ખરાબ કંજુસાઇ છે. 📚 عيون الحكم و المواعظ

امام زین العابدین علیہ السلام: اللّهُمَّ وثَبِّت في طاعَتِكَ نِيَّتي، وأَحكِم في عِبادَتِكَ بَصيرَتي، و وَفِّقني مِنَ الأَعمالِ لِما تَغسِلُ بِهِ دَنَسَ الخَطايا عَنّي، وتَوَفَّني عَلى مِلَّتِكَ ومِلَّةِ نَبِيِّكَ مُحَمَّدٍ عَلَيهِ السَّلامُ إذا تَوَفَّيتَني. હઝરત ઇમામ ઝૈનુલ આબેદીન (અ.) સહીફએ સજ્જાદીયામાં દુઆ માંગતા આ રીતે કહે છે. "અય અલ્લાહ! મારી નિય્યતને તારી ઈતાઅતમાં સાબિત કદમ રાખ, મારી અંતરદ્વષ્ટિને તારી ઇબાદતમાં મજબુત બનાવી દે, મને આમાલમાંથી એવા આમાલ બજાવી લાવવાની તોફિક અતા કર કે જેના કારણે મારા પાછલા ગુનાહો માફ થઈ જાય અને જ્યારે મને મોત આપે ત્યારે તારા દીન ઉપર અને તારા નબી મોહંમદ (સ.)ના દીન ઉપર હોઉં એવી તોફિક અતા કર. صحيفہ سجاديہ، دعا 31

ગઈ કાલે રાત્રે આપણે જોયું થોડાક સમય માટે ઈન્ટાગ્રામ અને ફેસબુક બંધ થઈ ગયું હતું તો લોકો ચિંતામા આવી ગયા કે હવે મારો એકાઉન્ટ નહીં ખૂલે. પરંતુ હકીકી ચિંતા આપણે આપણી આખેરતની કરીએ છીએ કે ના એ પણ આપણે જોવું જોઈએ. કેમ કે ઇમામ આપણને પણ સમજાવે છે હિશામ ના ઝરીએ તો પછી આપણે જરૂર હોય એ પ્રમાણે જ જો ટેકનોલોજી નો ઉપયોગ કરીએને તો આપણે ક્યારેય પણ આવી શોશિયલ મીડિયાથી પ્રભાવિત ના થઇએ.

قال علي عليه السلام: الدُّنْيا غُرُورٌ حَائِلٌ و سَرابٌ زَائِلٌ و سِنَادٌ مَائِلٌ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, દુનિયા અટકાવનાર છેતરપિંડી, અદ્રશ્ય થનાર મૃગજળ અને ઝુકાવનાર સ્તંભ છે. 📚 عيون الحكم و المواعظ

عَنْ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ ع قَالَ قَالَ رَسُولُ اللَّهِ ص: أَكْثِرُوا مِنْ ذِكْرِ هَادِمِ اللَّذَّاتِ فَقِيلَ يَا رَسُولَ اللَّهِ وَ مَا هَادِمُ اللَّذَّاتِ قَالَ ص الْمَوْتُ فَإِنَّ أَكْيَسَ الْمُؤْمِنِينَ أَكْثَرُهُمْ ذِكْراً لِلْمَوْتِ وَ أَحْسَنُهُمْ لِلْمَوْتِ اسْتِعْدَاداً મૌલા અલી (અ.) ઇબ્ને અબી તાલિબ (અ.)એ ફરમાવ્યું કે રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: લઝ્ઝતોને ખત્મ કરનારી વસ્તુને વધુ પ્રમાણમાં યાદ કરો. તો પૂછવામાં આવ્યું કે યા રસૂલલ્લાહ (સ.)! લઝ્ઝતોને ખત્મ કરનારી વસ્તુ કઈ છે? આપ (સ.)એ ફરમાવ્યું: મોત માટે, મોમિનોમાં સૌથી વધારે હોશિયાર એ છે કે જે તેઓમાં સૌથી વધારે મોતને યાદ કરનારો હોય અને તેઓમાં સૌથી વધારે સારી મોત માટેની તૈયારી કરનારો હોય. 📚 مستدرك وسائل ج-٢، ص-١٠٠  

امام رضا کی نظر میں مومن کی صفات امام علی رضا علیه السلام فرماتے ہیں: المُؤمِنُ إذا غَضِبَ لَم یُخرِجهُ غَضَبُهُ عَن حَقٍّ، وَ إذا رضَیِ لَم یُدخِلهُ رضِاهُ فی باطِلٍ، و إذا قَدرَ لَم یَأخُذ َاکثرَ مِن حَقّهِ۔ مومن جب ناراض ہوتا ہے تو اس کا غصہ اس کو گمراہ نہیں کرتا ہے اور جب وہ خوشحال اور راضی ہوتا ہے تو خوشحالی اسے باطل کی طرف نہیں لے جاتی ہے اور جب بھی اسے اقتدار ملتا ہے تو وہ اپنے حق سے تجاوز نہیں کرتا ہے۔ મોમિન જ્યારે નારાજ થાય છે ત્યારે તેનો ગુસ્સો તને ગુમરાહ નથી કરતો, અને જ્યારે તે ખુશ થાય છે ત્યારે તેની આ ખુશહાલી બાતિલ તરફ નથી લઈ જતી, અને જ્યારે તેને કોઈ અધિકાર મળે છે તો હદથી આગળ નથી વધી જતો. (بحارالانوار، ج 75، ص 355)