અહાદીસ-એ-માસૂમીન(અ.)
Open in Telegram
હદીસના બારામાં કોઈ સવાલ અથવા કંઈ ભૂલ જણાય તો અહીં જાણ કરી શકો છો. @Abkhanusiya @Tahirabbas_Sunasara
Show moreThe country is not specifiedReligion & Spirituality87 046
699
Subscribers
No data24 hours
-17 days
+930 days
Posts Archive
الإمام الباقر عليه السلام أنه قال:
إن أعمال العباد تعرض على نبيكم كل عشية خميس فليستحيي أحدكم أن
يعرض على نبيه العمل القبيح
હઝરત ઇમામ મોહંમદ બાકિર (અ.)એ ફરમાવ્યું છે કે, “બેશક બંદાઓના આમાલ દરેક ગુરૂવાર ની સાંજે તમારા નબી (સ.) ની સામે રજુ કરવામાં આવે છે, આથી તમારા માંથી દરેકે તેના નબી ની સામે ખરાબ અમલ રજૂ થાય એ બાબત થી શરમ કરવી જોઈએ."
المصدر:
وسائل الشيعة
اِعۡلَمُوۡۤا اَنَّمَا الۡحَیٰوۃُ الدُّنۡیَا لَعِبٌ وَّ لَہۡوٌ وَّ زِیۡنَۃٌ وَّ تَفَاخُرٌۢ بَیۡنَکُمۡ وَ تَکَاثُرٌ فِی الۡاَمۡوَالِ وَ الۡاَوۡلَادِ ؕ کَمَثَلِ غَیۡثٍ اَعۡجَبَ الۡکُفَّارَ نَبَاتُہٗ ثُمَّ یَہِیۡجُ فَتَرٰٮہُ مُصۡفَرًّا ثُمَّ یَکُوۡنُ حُطَامًا ؕ وَ فِی الۡاٰخِرَۃِ عَذَابٌ شَدِیۡدٌ ۙ وَّ مَغۡفِرَۃٌ مِّنَ اللّٰہِ وَ رِضۡوَانٌ ؕ وَ مَا الۡحَیٰوۃُ الدُّنۡیَاۤ اِلَّا مَتَاعُ الۡغُرُوۡرِ
જાણી લો કે દુનિયાનું જીવન ફકત એક રમત-ગમત, ઝીનત (શોભા) આપસમાં ફખ્ર કરવું અને માલ અને ઔલાદમાં વધારો કરવાની ચાહત છે, તેની મિસાલ વરસાદ જેવી છે કે જેની ઉપજ ખેડૂતને ખુશ કરી દે છે, અને ત્યારબાદ તે કરમાઇ જાય છે અને તું તેને પીળી પડી ગયેલી જૂએ છે, અને અંતમાં તે સૂકાઇને ખડ થઇ જાય છે; અને આખેરતમાં સખત અઝાબ છે અથવા મગફેરત અને અલ્લાહની ખુશનુદી છે; અને દુનિયાનું જીવન છેતરામણી મૂડી સિવાય કશું જ નથી.
સૂરએ હદીદ, આયત: ૨૦
عن أمير المؤمنين عليه السلام: دع المماراة, ومجاراة من لا عقل له ولا علم.
હઝરત ઇમામ અલી (અ.) ફરમાવ્યું છે કે, "જે લોકો પાસે અક્લ અને ઈલ્મ નથી તેઓની સાથે ચર્ચા-વાદ વિવાદ કરવાનું અને તેમનો સાથ છોડી દો."
المصدر:
كتاب بحار الأنوار
*સંતુષ્ટ રહે જેથી..*
رسول خدا صلي الله عليه واله :اقنع بما اوتيته يخف عليك الحساب.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, "જે કંઈ તને આપવા મા આવ્યુ છે તેના થી સંતુષ્ટ રહે જેથી તારો હિસાબ હળવો લેવામાં આવે."
المصدر:
كتاب بحار الأنوار
وقال عليه السلام: حق الله في العسر الرضى والصبر، وحقه في اليسر الحمد والشكر.
હઝરત ઇમામ અલી (અ.) ફરમાવ્યું છે કે, " મુશ્કેલીના સમયમાં અલ્લાહ નો હક્ક એ છે કે સંતોષ ધરાવવો અને સબ્ર કરવી અને આસાની ના સમયમાં અલ્લાહ નો હક્ક એ છે કે તેની હમ્દ - વખાણ કરવા અને શુક્ર કરવો."
المصدر:
كتاب بحار الأنوار
قال علي عليه السلام: غضب الجاهل في قوله، وغضب العاقل في فعله.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, “જાહિલ નો ગુસ્સો તેની વાત-વાણી માં હોય છે અને બુદ્ધિશાળી નો ગુસ્સો તેનાં કાર્ય માં હોય છે."
المصدر:
كتاب بحار الأنوار
جَامِعُ الْأَخْبَارِ، قَالَ الْبَاقِرُ علیه السلام: مَنْ قَرَأَ عَلَی أَثَرِ وُضُوئِهِ آیَةَ الْكُرْسِیِّ مَرَّةً أَعْطَاهُ اللَّهُ ثَوَابَ أَرْبَعِینَ عَاماً وَ رَفَعَ لَهُ أَرْبَعِینَ دَرَجَةً وَ زَوَّجَهُ اللَّهُ أَرْبَعِینَ حَوْرَاءَ ۔
હઝરત ઇમામ મોહંમદ બાકિર (અ.)એ ફરમાવ્યું: જે માણસ વુઝૂ કરીને આયતુલ કુરસી એક વખત પઢે તો અલ્લાહ તઆલા તેને ચાલીસ વર્ષનો સવાબ આપે છે અને તેના ચાલીસ દરજ્જાઓ બુલંદ કરે છે અને અલ્લાહ તઆલા તેની ચાલીસ હૂરો સાથે શાદી કરાવે છે.
📚 جامع الأخبار، ص-٥٣
📚 بحار الانوار، ج-٧٧، ص-٣١٩، ح-٩
رسول اللّه صلی اللّه علیه و آله: مَن قَرَأَ التَّوحیدَ دُبُرَ کُلِّ فَریضَةٍ عَشرًا زَوَّجَهُ اللّهُ مِنَ الحورِ العینِ.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: જે માણસ દરેક વાજિબ નમાઝ પછી દસ વખત સૂરા તૌહીદ પઢશે તો અલ્લાહ તઆલા તેની હૂરુલ ઐનથી શાદી કરાવશે.
📚 مستدرک الوسائل: ج ۵ ص ۱۰۵ ح ۵۴۴۴
📚 کنز العمّال: ج ۱ ص ۵۹۹ ح ۲۷۳۲
قَالَ أَمِيرُ اَلْمُؤْمِنِينَ عَلَيْهِ السَّلاَمُ :
اُنْظُرْ إِلَى مَا قَالَ وَ لاَ تَنْظُرْ إِلَى مَنْ قَالَ .
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: શું કહી રહ્યો છે તેની તરફ ધ્યાન આપ પરંતુ કોણ કહી રહ્યું છે તેની તરફ ધ્યાન ન આપ.
📚 غرر الحکم و درر الکلم ج ۱، ص ۳۶۱
امام علی علیه السلام:
يَا بُنَيَّ أَكْثِرْ مِنْ ذِكْرِ الْمَوْتِ وَ ذِكْرِ مَا تَهْجُمُ عَلَيْهِ وَ تُفْضِي بَعْدَ الْمَوْتِ إِلَيْهِ حَتَّى يَأْتِيَكَ وَ قَدْ أَخَذْتَ مِنْهُ حِذْرَكَ وَ شَدَدْتَ لَهُ أَزْرَكَ وَ لَا يَأْتِيَكَ بَغْتَةً فَيَبْهَرَكَ
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું:
અય મારા વ્હાલા બેટા! મોતને વધારે પ્રમાણમાં યાદ કરો અને તેના અચાનક આવી પડવા અને મોત પછી જે કંઈ થશે તેને પણ યાદ કરો, જેથી તે તારી પાસે આવે ત્યારે તું સંપૂર્ણ રીતે તૈયાર હોય, એવું ન બને કે તે તારી પાસે અચાનક આવે અને તારા પર હાવી થઈ જાય.
📚 نهج البلاغة، الرسالة -۳۱
قال علي عليه السلام: الْجُبْنُ وَ الْحِرْصُ وَالْبُخْلُ غَرائِزُ يجْمَعُهُمْ سُوءُ الظَّنِّ باللهِ تَعالي.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, (બુઝદિલી) કાયરતા, લાલચ અને કંજુસાઈ એવા ગુણ છે કે જેમને અલ્લાહ તઆલા પ્રત્યેનું સુએઝન એક જગ્યાએ એકઠા કરે છે.
📚 عيون الحكم و المواعظ
قال علي عليه السلام: الجَزَعُ لا يَدْفَعُ الْقَدَرَوَلكِنْ يُحْبِطُ الأَجْرَ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, બેસબ્રી (માણસની) ઇજ્જતને ઓછી નથી કરતી પરંતુ સવાબને બરબાદ કરી દે છે.
📚 عيون الحكم و المواعظ
امام جعفر صادق علیه السلام:
اَلْحَاجُّ لَا يَزَالُ عَلَيْهِ نُورُ اَلْحَجِّ مَا لَمْ يُلِمَّ بِالذَّنبِ
હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું: હાજી જ્યાં સુધી ગુનાહમાં ન સપડાય ત્યાં સુધી હજનું નૂર તેના ઉપર જ રહે છે.
📚 الكافي، ج ٤، ص: ٢٥٥
قال علي عليه السلام: الشَّكُّ يُفْسِدُ الْيَقينَ وَيُبْطِلُ الدِّينَ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, શક યકીનને ખરાબ અને દીનને બાતિલ કરી દે છે.
📚 عيون الحكم و المواعظ
قال علي عليه السلام: العاقِلُ مَنْ وَضَعَ الْأَشْياءَ مَواضِعَها وَالْجاهِلُ ضِدُّ ذلِكَ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, આકિલ એ છે કે જે કોઈ પણ વસ્તુને તેની યોગ્ય જગ્યાએ મુકે અને જાહિલ એ છે જે આના વિરૂદ્ધમાં કામ કરે.
📚 عيون الحكم و المواعظ
رسولُ اللَّهِ صلی اللَّه علیه وآله: أربَعٌ مَن کُنَّ فیهِ کانَ فی نُورِ اللَّهِ الأعظَمِ: شهادَةُ أن لا إلهَ إلّا اللَّهُ وأنّی رسولُ اللَّهِ، ومَن إذا أصابَتهُ مُصیبَةٌ قالَ: إنّا للَّهِ ِ وإنّا إلَیهِ راجِعونَ، ومَن إذا أصابَ خَیراً قالَ: الحَمدُ للَّهِ ِ رَبِّ العالَمِینَ، ومَن إذا أصابَ خَطیئةً قالَ: أستَغفِرُ اللَّهَ وأتُوبُ إلَیهِ.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું, જે માણસમાં ચાર બાબતો હોય તે અલ્લાહના અઝીમ નૂરમાં હોય છે.
૧. લા ઇલાહ ઇલ્લલ્લાહ અને હું અલ્લાહનો રસૂલ છું તેની ગવાહી
૨. માણસને જ્યારે મુસીબત પહોંચે ત્યારે કહે: ઇન્ના લિલ્લાહે વ ઇન્ના ઇલૈહે રાજેઊન
૩. માણસને જ્યારે ભલાઈ પહોંચે ત્યારે કહે: અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન
૪. અને માણસથી જ્યારે ભૂલ (ગુનાહ) થઈ જાય તો કહે: અસ્તગ્ફેરુલ્લાહ વ અતૂબો ઇલૈહ.
مشکاة الأنوار: ۲۶۰/۷۶۷.
الإمامُ زينُ العابدينَ عليه السلام : المؤمنُ يَصمُتُ لِيَسْلَمَ، ويَنْطِقُ لِيَغْنَمَ.
ઈમામ ઝૈનુલ આબેદીન (અ.)એ ફરમાવ્યું છે કે, "મોમિન ચૂપ રહે છે, જેથી બચેલો રહે, અને બોલે છે જેથી ફાયદામંદ રહે"
المصدر:
الكافي
قال علي عليه السلام: الحَزْمُ النَّظَرُ فِي الْعَواقِبِ و مُشاوَرَةُ ذَوِي الْعُقُولِ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, ઇન્સાફપસંદી પરિણામમાં ગોરોફિક્ર કરવી અને અક્કલવાળાઓથી મશ્વેરો લેવો છે.
📚 عيون الحكم و المواعظ
عنه صلى الله عليه و آله : زَيِّنُوا الْعِيْدَيْنِ بِالتَّهْلِيْلِ وَ التَّكْبِيْرِ وَ التَّحْمِيْدِ وَ التَّقْدِيْسِ .
રસૂલુલ્લાહ (સ.)એ ફરમાવ્યું: “ તમે બંને ઈદો (ઈદુલ ફિત્ર અને ઈદુલ અઝ્હા)ને તહલીલ, તકબીર, તહમીદ અને તકદીસ વડે શણગારો.”
તહલીલ એટલે لَا إِلٰهَ إِلاَّ اللّٰه કહેવું
તકબીર એટલે اَللّٰهُ اَكْبَر કહેવું
તહમીદ એટલે اَلْحَمْدُ لِلّٰه કહેવું
તકદીસ એટલે سُبْحَانَ اللّٰه કહેવું.
كنز العمّال : 24095.
قال علي عليه السلام: العاقِلُ إِذا عَلِمَ عَمِلَ وَإِذا عَمِلَ أخْلَصَ و إِذا أخْلَصَ اعْتَزَلَ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, આકિલ માણસ જ્યારે જાણી લે છે તો અમલ કરે છે, જ્યારે અમલ કરે છે તો ખુલૂસતાવાળો બને છે, અને જ્યારે ખાલિસ બને છે તો (બુરાઇઓ)થી દૂર રહે છે.
📚 عيون الحكم و المواعظ
