અહાદીસ-એ-માસૂમીન(અ.)
Open in Telegram
હદીસના બારામાં કોઈ સવાલ અથવા કંઈ ભૂલ જણાય તો અહીં જાણ કરી શકો છો. @Abkhanusiya @Tahirabbas_Sunasara
Show moreThe country is not specifiedReligion & Spirituality87 046
699
Subscribers
No data24 hours
-17 days
+930 days
Posts Archive
بغور دیکھو براہیمؑ و شہؑ کی قُربانی
تو شہؑ کے لالؑ کا زخمِ جگر چمکتا ہے
حضرت پیر سیّد مُحمّد کامران حُسین جعفری مد ظلہ العالی
ब-ग़ौर देखो बराहीम (अ.)-ओ-शेह (अ.) की क़ुरबानी
तो शेह (अ.) के लाल (अ.) का ज़ख़्म-ए-जिगर चमकता है
हज़रत पीर सैयद मुहम्मद कामरान हुसैन जाफ़री (मद्द.)
۴۷۵- و قال عليه السلام: «الْقَنَاعَةُ مَالٌ لَايَنْفَدُ. »
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: કરકસર એ એવો માલ છે કે જે નાશ થતો નથી. (નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૭૫)
۴۷۴- و قال عليه السلام: مَا الُمجَاهِدُ الشَّهِيدُ فِي سَبِيلِ اللَّهِ بِأَعْظَمَ أَجْراً مِمَّنْ قَدَرَ فَعَفَّ: لَكَادَ الْعَفِيفُ أَنْ يَكُونَ مَلَكاً مِنَ الْمَلَائِكَةِ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: અલ્લાહની રાહમાં શહીદ થનાર મુજાહિદ અજ્ર (સવાબ)ની રીતે એના જેટલો મહાન નથી કે જે પોતાની જાતને પાકદામન રાખે. (નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૭૪)
(પોતાની જાતને પાકદામન રાખવી એ અલ્લાહની રાહમાં શહીદ થવા કરતાં વધારે મહાન છે.)
۴۷۳- و قيل له عليه السلام: لو غيرت شيبك يا أميرالمؤمنين، فقال عليه السلام: الْخِضَابُ زِينَةٌ وَ نَحْنُ قَوْمٌ فِي مُصِيبَةٍ! (يريد وفاة رسول اللَّه صلى الله عليه و آله).
મૌલા અલી (અ.)ને પૂછવામાં આવ્યું કે અય અમીરુલ મોમિનીન જો આપે સફેદ દાઢી પર ખિઝાબ કર્યો હોત (તો કેવું સારુ થાત!) તો આપ (અ.)એ ફરમાવ્યું હાં, ખિઝાબ કરવો એ શણગાર છે, પણ અમે (અત્યારે) મુસીબતમાં છીએ. (આનાથી આપ (અ.)ની મુરાદ એ હતી કે અમે રસૂલલ્લાહ (સ.)ની વફાતના સોગમાં છીએ.) (નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૭૩)
۴۷۲- و قال عليه السلام في دعاء استسقى به: اللَّهُمَّ اسْقِنَا ذُلُلَ السَّحَابِ دُونَ صِعَابِهَا.
મૌલા અલી (અ.)એ વરસાદ માગવાની દુઆમાં ફરમાવ્યું: યા અલ્લાહ! અમને ફરમાબરદાર વાદળોથી પાણી પીવડાવ, ન કે બિહામણા વાદળોથી. (નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૭૨)
رسولُ اللّه ِ صلى الله عليه و آله:
من أحسن عبادة الله في شبيبته، لقاه الله الحكمة عند شيبته
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, “જે માણસ જવાનીમાં અલ્લાહ તઆલાની ઇબાદતને સારી રીતે કરે, તો અલ્લાહ તઆલા તેને ઘડપણમાં હિકમત અતા કરે છે.”
હવાલો : અઅલામુદ્દીન ફી સિફાતુલ મોમિનીન, જિલ્દ - ૧, સહફા - ૨૯૬
۴۷۰- و سئل عن التوحيد والعدل؛ فقال عليه السلام: التَّوْحِيدُ أَلَّا تَتَوَهَّمَهُ، وَالْعَدْلُ أَلَّا تَتَّهِمَهُ.
મૌલા અલી (અ.)ને તોહીદ અને અદ્લ વિશે પૂછવામાં આવ્યું તો આપ (અ.)એ ફરમાવ્યું: તોહીદ એટલે (અલ્લાહની ઝાતમાં) કોઇ પણ પ્રકારનો વહેમ ના હોય. અને અદ્લ એટલે (અલ્લાહની ઝાત પર) કોઈ પણ પ્રકારનું તોહમત ના હોય. (નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૭૦)
۴۶۹- و قال عليه السلام: يَهْلِكُ فِيَّ رَجُلَانِ: مُحِبٌّ مُفْرِطٌ، وَ بَاهِتٌ مُفْتَرٍ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: મારા વિશે બે માણસો હલાક થશે: એક એવો મોહબ્બત કરનાર કે જે હદથી આગળ વધી જાય, બીજો એવો તોહમત મુકનાર કે જે ઘડી કાઢેલી હોય. (નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૬૯)
قال الرضي: وهذا مثل قوله عليه السلام: هلك فيّ رجلان: محبّ غالٍ ومبغض قال.
કિતાબના લેખક સૈયદ રઝી કહે છે કે, આપ (અ.)નો આના જેવો કોલ છે કે: બે માણસો મારા વિશે હલાક થઈ ગયા: એક એવો મોહબ્બત કરનાર કે જે ગુલૂ કરનાર (હદથી વધી જનાર) હોય, બીજો એવો દુશ્મની કરનાર કે જે બકવાસ કરનાર હોય.
عن الإمام علي بن أبي طالب عليه السلام:
إِنَّ اللَّهَ سُبْحَانَهُ لَمْ يَعِظْ أَحَداً بِمِثْلِ هَذَا الْقُرْآنِ
ઇમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, " બેશક, અલ્લાહ સુબ્હાનહૂએ આ કુરઆન વડે જેવી નસીહત કરી છે, તેવી નસીહત બીજી કોઈ વસ્તુથી કરી નથી."
المصدر:
نهج البلاغه
رسولُ اللّه ِ صلى الله عليه و آله:
المؤمن دعب لعب، والمنافق قطب غضب.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, "મોમિન આનંદી અને મોજીલો હોય છે, અને મુનાફિક ગમગીન અને ગુસ્સામાં હોય છે."
المصدر:
بحار الانوار
۴۶۸- و قال عليه السلام: يَأْتِي عَلَى النَّاسِ زَمَانٌ عَضُوضٌ، يَعَضُّ الْمُوسِرُ فِيهِ عَلَى مَا فِي يَدَيْهِ وَ لَمْ يُؤْمَرْ بِذلِكَ، قَالَ اللَّهُ سُبْحَانَهُ: «وَ لَاتَنْسَوا الْفَضْلَ بَيْنَكُمْ». تَنْهَدُ فِيْهِ الْأَشْرَارُ، وَ تُسْتَذَلُّ الْأَخْيَارُ، وَ يُبَايِعُ الْمُضْطَرُّونَ، وَ قَدْ نَهَى رَسُولُ اللَّهِ صلى الله عليه و آله عَن بِيَعِ الْمُضْطَرِّينَ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: લોકો પર એક એવો ઝમાનો આવશે કે જેઓ બીજાને દાંતો વડે ખાતા હશે (તે બીજાને કઈ નહી આપે પણ એની પાસેથી ખાઈ જશે.), માલદારો પોતાના હાથમાં જેટલું હશે તે પ્રમાણે કંજૂસાઈ કરશે, જેનો હુકમ તેમને કરવામાં આવ્યો નહી હોય. અલ્લાહ સુબ્હાનહુએ ફરમાવ્યું છે કે તમે આપસમાં સારા વર્તાવને ન ભૂલી જાઓ. એ સમયે બદમાશ લોકો છાતી ફુલાવીને ફરશે, નેક લોકો ઝલીલ થશે. મજબૂર લોકોને (મજબૂર થઈને પોતાની વસ્તુઓ) વેચવી પડશે. જો કે રસૂલલ્લાહ (સ.)એ મજબૂર લોકોથી વેચાણ કરવાની મનાઈ કરી છે.
(નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૬૮)
وَ قَالَ صَلَّى اَللَّهُ عَلَيْهِ وَ آلِهِ:
أَيُّ اِمْرِئٍ ضَيَّعَ مِنْ عُمُرِهِ سَاعَةً فِي غَيْرِ مَا خُلِقَ لَهُ لَجَدِيرٌ أَنْ تَطُولَ عَلَيْهِ حَسْرَتُهُ يَوْمَ اَلْقِيَامَةِ.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, "જે કોઈ માણસ પોતાની જિંદગીનો એક કલાક એવી બાબતમાં વ્યર્થ કરે કે જેના માટે તેને પેદા કરવામાં નથી આવ્યો, તો તેના પર કયામતના દિવસે તેનો અફસોસ ખૂબ જ તીવ્ર હશે."
المصدر:
إرشاد القلوب
رسول الله (صلى الله عليه وآله): إن الله تعالى يبعث لهذه الأمة على رأس كل مائة سنة من يجدد لها دينها.
(ميزان الحكمة،الصفحة ٢٥٥٤)
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, "બેશક અલ્લાહ આ ઉમ્મત માટે દરેક સદીના છેડે (એક એવી વ્યક્તિને) મોકલે છે કે જે ઉમ્મત માટે દીનને તાજો કરે છે."
رسول الله (صلى الله عليه وآله): إن الله تعالى يبعث لهذه الأمة على رأس كل مائة سنة من يجدد لها دينها.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, "બેશક અલ્લાહ આ ઉમ્મત માટે દરેક સદીના છેડે (એક એવી વ્યક્તિને) મોકલે છે કે જે ઉમ્મત માટે દીનને તાજો કરે છે."
المصدر:
ميزان الحكمة،الصفحة٢٥٥٤
رسول الله (صلى الله عليه وآله): إن الله تعالى يبعث لهذه الأمة على رأس كل مائة سنة من يجدد لها دينها.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, "બેશક અલ્લાહ આ ઉમ્મત માટે દરેક સદીના છેડે (એક એવી વ્યક્તિને) મોકલે છે કે જે ઉમ્મત માટે દીનને તાજો કરે છે."
المصدر:
ميزان الحكمة،الصفحة ٢٥٥٤
رسولُ اللّه ِ صلى الله عليه و آله:
مَن تَعَلَّمَ في شَبابِهِ كانَ بِمَنزِلَةِ الرَّسمِ في الحَجَرِ ، و مَن تَعَلَّمَ و هُو كبيرٌ كانَ بمَنزِلَةِ الكِتابِ على وَجهِ الماءِ
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, “જે માણસ પોતાની જવાનીમાં ઈલ્મ મેળવે તો તે પથ્થર પર લકીર દોરવા સમાન છે, અને જે ઘડપણમાં ઈલ્મ મેળવે તો તે પાણીની સપાટી પર લખવા સમાન છે.”
المصدر:
بحار الانوار
قال رسول الله صلى الله عليه وآله: أعدل الناس من رضي للناس ما يرضى
لنفسه، وكره لهم ما يكره لنفسه
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, “લોકોમાં સૌથી વધારે અદ્દલ કરવાવાળો એ છે જે પોતાના માટે પસંદ કરે તે બીજા માટે પસંદ કરે, અને જે પોતાના માટે ના પસંદ કરે છે તે બીજાના માટે પણ ના પસંદ કરે.”
مَوْتٌ فِی عِزّ خَیْرٌ مِنْ حَیَاةٍ فِی ذُلّ.
امام حسین (ع) فرمود: «مرگ با عزت برتر از زندگی با ذلّت است».
હઝરત ઇમામ હુસૈન (અ.)એ ફરમાવ્યું છે કે, “ઈઝ્ઝત ની સાથે મૃત્યુ પામવું એ ઝિલ્લત ની સાથે જીવન જીવવા કરતાં બેહતર છે."
المصدر:
بحار الانوار
عن الإمام علي بن أبي طالب عليه السلام:
إِنَّكُمْ إِلَى الْعَمَلِ بِمَا عَلِمْتُمْ أَحْوَجُ مِنْكُمْ إِلَى تَعَلُّمِ مَا لَمْ تَكُونُوا تَعْلَمُونَ.
ઇમામ અલી (અ.)એ ફરમાવ્યું: તમે જે ઇલ્મ ધરાવો છો તેના પર અમલ કરવાની તમને વધારે જરૂર છે, તમે જે ઇલ્મ નથી ધરાવતા તેને શીખવાની કોશિશ કરવા કરતાં.
المصدر : غرر الحكم ودرر الكلم
رسول اللّه صلی اللّه علیه و آله لِعَلیٍّ علیه السلام: إذا أرَدتَ أن تَحفَظَ کُلَّ ما تَسمَعُ وتَقرَأُ فَادعُ بِهذَا الدُّعاءِ فی دُبُرِ کُلِّ صَلاةٍ وهُوَ:
રસૂલલ્લાહ (સ.)એ મૌલા અલી (અ.)ને ફરમાવ્યું: જ્યારે જ્યારે તમે ચાહો કે એ બધું તમને યાદ રહે જે તમે સાંભળો અને વાંચો તો તમે દરેક નમાઝ પછી આ દુઆ વડે (અલ્લાહને) પોકારો. અને તે (દુઆ આ પ્રમાણે) છે:
"سُبحانَ مَن لا یَعتَدی عَلی أهلِ مَملَکَتِهِ،
પાક છે એ અલ્લાહ કે જે પોતાની ખિલ્કત પર હદથી વધારે વધી જતો નથી.
سُبحانَ مَن لا یَأخُذُ أهلَ الأَرضِ بِأَلوانِ العَذابِ،
પાક છે એ અલ્લાહ કે જે જમીનવાળાઓ પર જુદા જુદા અઝાબ વડે પકડતો નથી.
سُبحانَ الرَّؤُوفِ الرَّحیمِ،
પાક છે એ અલ્લાહ કે જે મહેરબાન અને રહેમત વરસાવનાર છે
اللّهُمَّ اجعَل لی فی قَلبی نورًا وبَصَرًا وفَهمًا وعلمًا إنَّکَ عَلی کُلِّ شَیءٍ قَدیرٌ".
યા અલ્લાહ! તું મારા દિલમાં નૂર, અંતરદ્રષ્ટિ, સમજદારી અને ઇલ્મ અતા કર, ખરેખર તું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
📚 فلاح السائل: ص ۱۶۸،
📚 بحارالأنوار: ج ۸۶ ص ۹ ح ۸.
