અહાદીસ-એ-માસૂમીન(અ.)
Open in Telegram
હદીસના બારામાં કોઈ સવાલ અથવા કંઈ ભૂલ જણાય તો અહીં જાણ કરી શકો છો. @Abkhanusiya @Tahirabbas_Sunasara
Show moreThe country is not specifiedReligion & Spirituality87 046
699
Subscribers
No data24 hours
-17 days
+930 days
Posts Archive
قال علي عليه السلام: الشَّقِيُّ مَنِ اغْتَرَّ بِحالِه وَاْنخَدَعَ بِغُرُورِ آمالِه.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, બદનસીબ એ છે કે જે પોતાની પરિસ્થિતિથી ભ્રમિત થઈ જાય અને પોતાની મહત્ત્વાકાંક્ષાઓની ભ્રમણાઓ (ફરેબ)થી ધોકો ખાઈ લે.
📚 عيون الحكم و المواعظ
يُروى عن أمير المؤمنين الإمام عليّ (ع):
من لم يحتمل زلل الصّديق مات
وحيداً.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: જે માણસ મિત્રની ભૂલને સહન ન કરી શક્યો, તે એકલો જ મરી ગયો.
📕 عيون الحكم والمواعظ - ص٤٢٥
رسول اللّه صلی اللّه علیه و آله: نِعمَ الشَّیءُ العِلمُ، إذا طَلَبتُم فَأَحسِنوا فِی الطَّلَبِ وکونوا عُلَماءَ، فَإِن لَم تَکونوا فَتَعَلَّموا مِنَ العُلَماءِ، فَإِن لَم تَعَلَّموا مِنَ العُلَماءِ فَجالِسوا، فَإِن لَم تُجالِسُوا العُلَماءَ فَأَحِبُّوا العُلَماءَ، وإیّاکُم والأَربَعَ: أن لا تَکونوا عُلَماءَ، وأن لا تَعَلَّموا مِنَ العُلَماءِ، وأن لا تُجالِسُوا العُلَماءَ، وأن لا تُحِبُّوا العُلَماءَ فَیُکِبَّکُم فِی النّارِ.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: કેટલી સારી વસ્તુ છે ઇલ્મ! જ્યારે તમે તલબ કરો તો સારી વસ્તુની તલબ કરો અને આલિમો બનો, પછી જો તમે (આલિમ) ન બની શકો તો આલિમો પાસેથી શીખો, પછી જો તમે આલિમો પાસેથી શીખી ન શકો તો તમે (તેમની પાસે)બેસો, પછી જો તમે આલિમો પાસે બેસી ન શકો તો તમે આલિમોથી મોહબ્બત કરો, તમારે ચાર વસ્તુઓથી બચવું જોઈએ: પહેલી એ કે જો તમો આલિમો બની ન શકો, બીજી એ કે જો તમો આલિમોથી શીખી ન શકો, ત્રીજી એ કે જો તમો આલિમો પાસે બેસી ન શકો અને ચોથી એ કે જો તમો આલિમોથી મોહબ્બત ન કરી શકો તો તે (અલ્લાહ)તમોને ઊંધા મોઢે આગમાં નાખશે.
📕 الفردوس: ج ۴ ص ۲۵۸ ح ۶۷۶۱
قال علي عليه السلام: الدُّنْيا مُنْتَقِلَةٌ فانِيَةٌ إنْ بَقِيَتْ لَكَ لَمْ تَبْقَ لَها.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, દુનિયા પરિવર્તનશીલ અને નાશપામનારી છે ભલે ને તે તારા માટે બાકી રહે પરંતુ તું તેના માટે બાકી નહી રહે.
📚 عيون الحكم و المواعظ
قال علي عليه السلام: الدّهْرُ يُخْلِقُ الْأَبْدانَ وَيُجَدِّدُ الْآمالَ و يُدْنِي الْمَنِيَّةَ وَيُباعِدُ الْاُمْنِيَّةَ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે,સમય શરીરોને થકવી નાખે છે, ઉમ્મીદોમાં ફેરફાર લાવે છે, મોતને નજીક લાવે છે, અને મહત્વાકાંક્ષાને દૂર કરે છે.
📚 عيون الحكم و المواعظ
رسول اللّه صلی الله علیه و آله :مَن تَعَلَّمَ مَسأَلَهً واحِدَهً قُلِّدَ یَومَ القِیامَهِ ألفُ قِلادَهٍ مِن نورٍ ، وغُفِرَ لَهُ ألفُ ذَنبٍ ، وبُنِیَ لَهُ مَدینَهٌ مِن ذَهَبٍ ، وکُتِبَ لَهُ بِکُلِّ شَعرَهٍ عَلی جَسَدِهِ حَجَّهٌ وعُمرَهٌ.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: જે માણસ કોઈ એક મસઅલો શીખે તો કયામતના દિવસે નૂરના એક હજાર હાર તેના ગળામાં પહેરાવવામાં આવશે, અને તેના એક હજાર ગુનાહો માફ કરી દેવામાં આવશે, અને તેના માટે સોનાનું એક શહેર બનાવવામાં આવશે, અને તેના શરીરના દરેક વાળના બદલામાં તેના માટે એક હજ અને ઉમરા લખી દેવામાં આવશે.
📚 بحارالأنوار : ج ١ ص ١٨٠ ح ٦٦
📚 روضه الواعظین , جلد ١ , صفحه ١٢
رسول اللّه صلی الله علیه و آله :مَن تَعَلَّمَ مَسأَلَهً واحِدَهً قُلِّدَ یَومَ القِیامَهِ ألفُ قِلادَهٍ مِن نورٍ ، وغُفِرَ لَهُ ألفُ ذَنبٍ ، وبُنِیَ لَهُ مَدینَهٌ مِن ذَهَبٍ ، وکُتِبَ لَهُ
بِکُلِّ شَعرَهٍ عَلی جَسَدِهِ حَجَّهٌ وعُمرَهٌ.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: જે માણસ કોઈ એક મસઅલો શીખે તો કયામતના દિવસે નૂરના એક હજાર હાર તેના ગળામાં પહેરાવવામાં આવશે, અને તેના એક હજાર ગુનાહો માફ કરી દેવામાં આવશે, અને તેના માટે સોનાનું એક શહેર બનાવવામાં આવશે, અને તેના શરીરના દરેક વાળના બદલામાં તેના માટે એક હજ અને ઉમરા લખી દેવામાં આવશે.
📚 بحارالأنوار : ج ١ ص ١٨٠ ح ٦٦
📚 روضه الواعظین , جلد ١ , صفحه ١٢
رسول اللّه صلی اللّه علیه و آله: اللّهُمَّ اغفِر لِلمُعَلِّمینَ ثَلاثاً، وأطِل أعمارَهُم، وبارِک لَهُم فی کَسبِهِم.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: યા અલ્લાહ! તું શિક્ષકોની મગ્ફેરત કર, આવું આપ (સ.)એ ત્રણ વખત કહ્યું (પછી ફરમાવ્યું) અને તેમની ઉંમરને લાંબી કર અને તેમની કમાણીમાં તેમને બરકત આપ.
📚 تاریخ بغداد: ج ۳ ص ۶۴
قال علي عليه السلام: الْعَطِيَّةُ بَعْدَ الْمَنْعِ أَجْمَلُ مِنَ الْمَنْعِ بَعْدَ الْعِدَةِ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, મનાઈ કર્યા પછી અતા કરવું એ વાયદો કર્યા પછી મનાઈ કરવા કરતાં સૌથી વધારે સુંદર છે.
📚 عيون الحكم و المواعظ
قال علي عليه السلام: الْمُؤْمِنُ مَنْ إِذا سُئِلَ أسْعَفَ و إِذا سَأَلَ خَفَّفَ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, મોમિન એ છે કે જેને સવાલ કરવામાં આવે છે તો સવાલને પૂરો કરે છે અને જ્યારે તે (બીજા પાસે) સવાલ કરે છે તો ઓછપથી કરે છે.
📚 عيون الحكم و المواعظ
رسول اللّه صلی اللّه علیه و آله: العالِمُ وَکیلُ اللّهِ تَعالی، یُعطیهِ بِکُلِّ حَدیثٍ نوراً یَومَ القِیامَةِ، وکَتَبَ اللّهُ لَهُ بِکُلِّ حَدیثٍ عِبادَةَ ألفِ سَنَةٍ.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: આલિમ અલ્લાહ તઆલાનો વકીલ છે, તેને દરેક હદીસના બદલામાં કયામતના દિવસે એક નૂર આપવામાં આવશે અને અલ્લાહ તઆલા તેના માટે દરેક હદીસના બદલે એક હજાર વર્ષની ઇબાદત લખી દેશે.
📚 تنبیه الغافلین: ص ۲۸۶ ح ۳۹۰
وحينما تجدل صنديد العرب صريعا بصق في وجه الإمام آيسا بائسا، فوقف صلوات الله عليه، وتمهل ولم يبادر إلى حز رأسه لئلا يكون في عمله ذرة من غضب.
જયારે ઇમામ અલી (અ.)એ અરબના બહાદુરને લડતાં લડતાં નીચે પછાડ્યો, તો તે નિરાશ અને દુઃખમાં ઇમામ (અ.)ના ચહેરા પર થૂંક્યો, તો આપ (અ.) રોકાઈ ગયા અને તેના માથા પર વાર કરવામાં ઉતાવળ ન કરી, કે જેથી આપ (અ.)ના કાર્યમાં થોડો પણ ગુસ્સો શામિલ ન રહે.
المصدر:
تاريخ الطبري
وحينما تجدل صنديد العرب صريعا بصق في وجه الإمام آيسا بائسا، فوقف صلوات الله عليه، وتمهل ولم يبادر إلى حز رأسه لئلا يكون في عمله ذرة من غضب.
જયારે ઇમામ અલી (અ.)એ અરબના બહાદુરને લડતાં લડતાં નીચે પછાડ્યો, તો તે નિરાશ અને દુઃખમાં ઇમામ (અ.)ના ચહેરા પર થૂંક્યો, તો આપ (અ.) રોકાઈ ગયા અને તેના માથા પર વાર કરવામાં ઉતાવળ ન કરી, કે જેથી આપ (અ.)ના કાર્યમાં થોડો પણ ગુસ્સો શામિલ ન રહે.
المصدر:
تاريخ الطبري
رسول الله صلى الله عليه وآله:
ذو الوجهين في الدنيا يأتي يوم القيامة وله وجهان من نار.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, "દુનિયામાં બે ચહેરાવાળો માણસ કયામતના દિવસે એવી રીતે આવશે કે તેના બન્ને ચહેરા આગવાળા હશે."
المصدر:
كتاب منتخب ميزان الحكمة
قال أمير المؤمنين عليه السلام: من مشى في طلب العلم خطوتين.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું:
જે માણસ ઇલ્મ પ્રાપ્ત કરવા બે કદમ ચાલ્યો
و جلس عند العالم ساعتين.
અને આલિમ પાસે બે ઘડી બેઠો
و سمع من العلم كلمتين.
અને ઇલ્મના બે શબ્દ સાંભળ્યા
أوجب اللّه عزّ و جلّ له جنّتين.
તો અલ્લાહ અઝ્ઝ વ જલ્લે તેના માટે બે જન્નત વાજિબ કરી
كما قال تعالى: وَ لِمَنْ خافَ مَقامَ رَبِّهِ جَنَّتانِ (سورة رحمن، آيت ٤٦)
જેમ કે, અલ્લાહ તઆલાએ ફરમાવ્યું: અને જે માણસ પોતાના રબની સામે ઊભો રહેવાથી ડર્યો તેના માટે બે જન્નત છે.
📚 إرشاد القلوب ج ١ ص ٣٦٥ الباب ٥٣.
ઇદે ગદીરનુ શું મહત્વ છે તેના વિશે જોઈએ👇🏻
ઇદે ગદીરની ફઝીલત વિશે એક રિવાયતમાં છે કે ઈમામ જાફર સાદિક (અ.)થી પૂછવામાં આવ્યું કે,જુમ્આ ,ઈદુલ ફિત્ર અને ઈદુલ અઝહાના સિવાય પણ મુસલમાનો માટે કોઈ ઈદ છે?આપ (અ.)એ ફરમાવ્યું:હા, એના સિવાય પણ એક ઈદ છે,અને તે ઘણી ફઝીલત ધરાવે છે.પૂછવામાં આવ્યું તે કઈ ઈદ છે?આપ (અ.)એ ફરમાવ્યું કે,તે દિવસ કે જેમાં રસૂલલ્લાહ(સ.)એ અમીરુલ મોમિનીન હઝરત અલી(અ.)ની ઓળખાણ પોતાના જાનશીન તરીકે કરાવી.આપ (અ.)એ ફરમાવ્યું હતું કે,જેનો હું મૌલા છું તેના અલી પણ મૌલા છે.અને તે૧૮મી ઝિલ્હજનો દિવસ છે.રાવીએ અરજ કરી કે એ દિવસે અમે શું અમલ કરીએ? આપ (અ.)એ ફરમાવ્યું કે તે દિવસે રોઝો રાખો અને અલ્લાહની ઈબાદત કરો,મોહંમદ(સ.)વ આલે મોહંમદ(અ.)નો ઝિક્ર કરો,અને તેમના પર સલવાત મોકલો.
ઈદે ગદીરના આમાલ વિષે મફાતિહુલ જિનાનમાં લખવામાં આવ્યું છે કે મુસ્તહબ છે કે આ દિવસે સારો પોષાક પહેરે,ખુશ્બુ લગાવે,મોમિનીનને ખુશ કરે,તેમની ભૂલોને માફ કરે,રિશ્તેદારોથી નેક વર્તાવ કરે,અહલોઅયાલ માટે ઉમદા ખાવાનો બંદોબસ્ત કરે,અને તેમની ખુશમિજાઝથી મુલાકાત કરે અને હદીયો આપવામાં આવે.અને આજની અઝીમ નેઅમત એટલે કે હઝરત અલી(અ.)ની વિલાયત માટે અલ્લાહનો શુક્ર બજાવી લાવે અને વધુમાં વધુ પ્રમાણમાં સલવાત પઢે.
(મફાતિહુલ જિનાન)
દુઆ: અય મા'બૂદ !અમને રસૂલલ્લાહના સાચા જાનશીનની ઈતાઅત કરવાની તૌફીક અતા ફરમાવ.અય પાલનહાર! અમારું ઈમાન વિલાયતે અલી પર કાએમ રાખ. માસુમીન(અ.) ની હિદાયત પર ચાલવાની નેક તૌફીક અતા ફરમાવ. અય ગુનાઓની માફી આપવવાળા!અમારા તમામ ગુનાહ માફ ફરમાવ. અય ઈલાહી આલમીન! અમારા પીરાને તરીકત અને તેમના પુરા ઘરાના ને તંદુરસ્ત, આબાદ અને ખુશહાલ રાખ.અને અમારો શુમાર તારી આખરી હુજ્જતના ચાહનારાઓમાં કરીદે અમારા બારમા માસૂમ ઈમામ ને અમારા થી રાજી રાખ. અને આજે આ ખુશીના મોકા પર દરેક ની નેક મુરાદ પૂરી કર.અય દરેક શેય પર કુદરત ધરાવનારા ! અમારી દુઆ ને કબૂલ ફરમાવ.આમીન.
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا ۚ
આજે મેં તમારા માટે તમારો દીન સંપૂર્ણ કરી દીધો છે, અને તમારા ઉપર મારી નેઅમતને તમામ કરી દીધી છે, અને હું તમારા માટે દીન તરીકે ઈસ્લામથી રાજી થઈ ગયો છું.
સૂરા માએદા, આયાત :૩
