ICD Academy
Open in Telegram
🙏Welcome to ICD...🙏 सफ़र में धूप तो होगी चल सको तो चलो सभी हैं भीड़ में तुम भी निकल सको तो चलो, किसीके वासते राहें कहाँ बदलती हैं तुम अपने आप को ख़ुद ही बदल सको तो चलो! 🔊 Subscribe on YouTube⬇️ https://www.youtube.com/channel/UChgnbbiYsFnV5_KVctoZ3mg
Show more374
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
374
🗓🗒🗓 સંવત 🗓🗒🗓
માલવગણ સંવત = ઈ.સ. પૂર્વે 57
વિક્રમ સંવત = ઈ.સ. પૂર્વે 57
શક સંવત = ઈ.સ. 78
ગુપ્ત સંવત = ઈ.સ. 319
હિજરી સંવત = ઈ.સ. 622
દિન-એ-ઇલાહી સંવત = ઈ.સ. 1582
374
પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષ પૂરા કર્યા છે. તેણે 2004માં બાંગ્લાદેશ સામે ડેબ્યુ કર્યું હતું. ધોની આ વર્ષે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ પછી એકપણ મેચ રમ્યો નથી. તે ડેબ્યુ કર્યાના ત્રણ વર્ષની અંદર જ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બન્યો હતો. તેની કપ્તાનીમાં ભારતે વનડે, T-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. તે આ ત્રણેય ટ્રોફી જીતનાર વર્લ્ડનો એકમાત્ર કપ્તાન છે. ધોનીના વખાણ માત્ર ફેન્સ નહીં પરંતુ ક્રિકેટર્સ પણ કરે છે. સચિને કહ્યું હતું કે, તે મારા કરિયરના સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે. જયારે સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, હું મર્યા પહેલા વર્લ્ડ કપ ફાઇનલમાં ધોનીએ મારેલી સિક્સ જોવા ઈચ્છીશ.
374
આપણે બધા જાણીયે છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તેનો મતલબ છે કે અહીની જનસંખ્યાનો એક મોટોભાગ કૃષિ પર નિર્ભર છે. ખેડૂતોના કારણે આપણા ભોજનની વ્યવસ્થા થાય છે. આજનો દિવસ 23 ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવવાનુ કારણ એ છે કે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનો જન્મ આજના દિવસે થયો હતો. તેઓ ખેડૂતોના હિતેચ્છુ હતા તેથી તેમના સન્માનમાં 23 ડિસેમ્બરને ખેડૂત દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. લોકો તેને ખેડૂતોના મસીહાના રૂપમાં પણ ઓળખે છે.
ચૌધરી ચરણસિંહ થોડા દિવસ માટે જ ભારતના વડાપ્રધાન રહ્યા હતા. તે દેશના પાંચમાં વડાપ્રધાન હતા/ તેમનો કાર્યકાળ 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 રહ્યો હતો. તેમનો જન્મ યુપીના હાપુડા જિલ્લામાં થયો હતો. તેઓ તેમના કાર્યકાળ દરમીયાન ભારતીય ખેડૂતોની પરિસ્થિતિ સુધારવા ઈચ્છતા હતા. તેમજ તેના માટે તેઓ ઘણી પોલીસી પણ લાવ્યા. તેઓ ખુદ ખેડૂત પરીવારમાંથી હતા અને ખેડૂતોની તકલીફ સારી રીતે સમજતા હતા. તેઓ સારા લેખક પણ હતા તેમનુ અંગ્રેજી ઘણુ શારૂ હતુ. તેમણે એબોલિશન ઓફ જમીનદારી, ઈન્ડિયાસ પ્રોર્વર્ટી એન્ડ ઈટસ સોલ્યુશન અને લેજંડ પ્રોપરાઈટરશિપ જેવી બુક પણ લખી છે.
374
શિક્ષકે એકવાર *એક ખીલ્લી* પાણીમાં નાખી..
તો ખીલીનું શું થયું..??
તે ખીલી ડૂબી ગઈ
પછી બીજીવાર શિક્ષકે *લાકડું* નાખ્યું તો શું થયું.. ??
તે લાકડું તરવા લાગ્યું...
જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન છે... આમા નવું કે ચમત્કાર જેવું શું થયું..??
ત્યારે શિક્ષકે ડૂબી ગયેલી *ખીલીને લાકડામાં હથોડા વડે જોડી દીધી..*
પછી એ લાકડું પાણીમાં નાખ્યું..તો *લાકડા સાથે ખીલી પણ તરવા લાગી...*
શિક્ષકે બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો પરંતુ જો પોતાના સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ.. તો આપણે તરી જઈએ...
🔴 કોઈપણ રીતે, કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે જોડાયેલા રહેવું...
*આપણે સહુ ૧ ખીલ્લી જ છીએ*
*કુટુંબ* રૂપી *લાકડા* માં ✊🏻 જોડાયેલા રહો તો ડૂબવાની ચિંતા નહી રહે...
🙏🏻સુવિચાર🙏🏻
374
1⃣ પાંડવોમાં ધનંજય નામે કોણ ઓળખાતું:- અર્જુન
2⃣જ્ઞાનબાલ ઉપનામ કોનું:- નરસિંહરાવ દિવેટિયા
3⃣કોના નિધન પ્રસંગે ગાંધીજીએ કહ્યું કે મારી સ્થિતિ હવે એક વિધવાથી પણ ખરાબ છે:- મોતીલાલ નહેરુ
4⃣નવલખા કોઠાર ક્યાં આવેલ છે:- પાવાગઢ
5⃣સાસુ વહુના કુવા ક્યાં આવેલ છે:- પાટણ
6⃣માણેકનાથ ડેમ ક્યાં આવેલ છે:- બનાસકાંઠા(દાંતા)
7⃣અમેરિકા મારી દ્રષ્ટિએ પુસ્તકના લેખક:- મનસુખલાલ મહેતા
8⃣રવિશંકર રાવળ કલા ભવન ક્યાં આવેલ છે:- અમદાવાદ
9⃣અક્ષાંશોની કુલ સંખ્યા કેટલી :- 181
1⃣0⃣સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદ માં આપવાના વ્યાખ્યાન અંગે ગુજરાતના ક્યા વિદ્વાનનું માર્ગદર્શન લેવા આવ્યા હતા:- મણિલાલ નભુભાઈ દ્વિવેદી
