Suvichar 🧿
Открыть в Telegram
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar. And Video's... કોઈ ને પોતાની પોસ્ટ કરવી હોય તો ...👇આયા મેસેજ કરવો... Contact @Suvicharbot રિપ્લે મા થોડું વેલા મોડું થઈ શકે થોડીક રાહ જોવી😊🙏 Channel : @Suvichar Instagram: SuvicharNet
Больше4 230
Подписчики
Нет данных24 часа
-27 дней
Нет данных30 день
Архив постов
4 230
જો પતંગિયાનો પીછો કરવામાં આવે તો તેઓ ઉડી જશે
પરંતુ જો સુંદર બગીચો બનાવવામાં સમય પસાર કરીએ તો પતંગિયાઓ આવશે.
લાગણી નું પણ એવું જ છે
@Suvichar
4 230
❛❛માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર,
આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ.❜❜
- ભાવિન ગોપાણી
@Suvichar
4 230
ભરીભરીને આપ્યું છે જિંદગીએ,
જે ન મળ્યું, તેનો હિસાબ શું રાખવો?
મળ્યાં છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી,
કાંટાના જખમનો હિસાબ શું રાખવો?
જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ,
તો મળવા, ન મળવાનો હિસાબ શું રાખવો?
કઈંક તો સરસ છે જ, હર કોઈમાં,
થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો?
@Suvichar
4 230
તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.
- ગૌરાંગ ઠાકર
@Suvichar
4 230
હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !
ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !
આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !
મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !
એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !
કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !
ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?
એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !
આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …
એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!
હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી !
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…
રિષભ મહેતા
@Suvichar
4 230
કારણ વગર મઝામાં રહેતા આવડી જાય ને
તો દુનિયામાં તમારાથી વધુ
" નસીબદાર "
કોઈ ન હોય શકે...!!
Happy New Year
@Suvichar
4 230
હૃદયમાં જે વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું!
તમારા સમ! તમારા પર વધારે વ્હાલ રાખું છું!
તમે મનમાં હજારો વાર મારું નામ બોલો છો,
તમે રાખો ન રાખો હું બધો અહેવાલ રાખું છું!
મળે કે ના મળે મંઝિલ સફરનો લૂંટવા આનંદ,
તમે ચાલો છો એ રસ્તે જ મારી ચાલ રાખું છું!
કહો ને પ્રેમ માંગ્યો આપનો તો ખોટું શું માંગ્યું?
કદીયે પ્રેમ કરવામાંય ક્યાં હું કાલ રાખું છું!
@Suvichar
4 230
❛❛તમે નજદીકથી ક્યાં જોઈ છે સાચી વફાદારી,
નથી ઊડી જતું પંખી, ઉઘાડું પીંજરું ભાળી.❜❜
- કિશોર જિકાદરા✍️
@Suvichar
4 230
આજના દિવસે દિપાવલી પર્વનો મહિમા.
અજાનભુજ અશ્વિની અમાસે,
અવધ પધાર્યા તા' આજ;
દિપ પ્રજ્વાળી ઉજવે દિપાવલી,
ત્યારથી સૌ સમાજ.
✍🏻અજાન.
🪔દિપાવલી
આજના દિવસે રઘુકુલભૂષણ શ્રીરામચંદ્ર પ્રભુ પિતાના વચને બારવર્ષનો વનવાસ પૂર્ણ કરી, રાવણ રૂપી અહંકાર, અંધકાર, આસુરીત પર વિજય પ્રાપ્તકરી જ્યારે અયોધ્યા પાછાં ફર્યા ત્યારે
સંધ્યાનો સમય હતો, સર્વ જન સમુદાયે પ્રભુનું સ્વાગત દિપ પ્રગટાવી કર્યું. ત્યારથી અંધકાર પર જ્ઞાન રૂપી પ્રકાશના વિજય પ્રતીક રૂપે દિપાવલી મહાપર્વ તરીકે ઉજવાય છે.
ભારતીય સુદાયમાં ઘણાં તહેવારો ઉજવવામાં આવે છે એમાં દિપાવલી ત્યોહારોનો રાજા સમાન મહા ત્યોહાર છે.
બીજે જ દિવસે ક્ષત્રિયશ્રેષ્ટ સૂર્યવંશ દિવાકર શ્રી રાઘવેન્દ્ર સરકારનો રાજ્યાભિષેક થયો અને રામરાજ્ય સ્થપાયું તે દિવસથી કાર્તિક સુદ પડવાથી નુતનવર્ષ તરીકે ઉજવીએ છીએ..
પરંપરાઓને અનુસરતા આ મહાપર્વ આસો વદ અગિયારસ 'રમા એકાદશી'થી શરૂ થાય છે, વાઘબારસ(વાગ્બારસ), ધનતેરસ, કાલીચૌદશ, અમાસ(દિપાવલી), નવવર્ષના કાર્તિક સુદ પડવો(બેસતું વર્ષ), ભાઈબીજથી લાભપાંચમ સુધી મહાપર્વ ઉજવાય છે.
આ ઉજવણી દરમિયાન આખા વર્ષના લેખા-જોખા યાદ કરવાનો સમય અને નવા વર્ષ માટે માં જગદંબા સ્વરૂપ દેવી સરસ્વતી અને મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે શારદા પૂજન, કાળીચૌદશે ભૈરવ અને શુરાપુરાના કસુંબા કરાવવાનો અને પૂજન કરવાનો સમય, ચોપડા પૂજન કરવાનો પર્વ એટલે દિવાળી.
शुभं करोतु कल्याणं आरोग्यं धनसंपदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते।।
✍🏻ધર્મરાજસિંહ જયવીરસિંહ વાઘેલા(છબાસર)
આવા દિવ્ય મહાપર્વની આપ સર્વે મિત્રોને, સ્નેહીજનો, સ્વજનોને અમારા અને અમારા પરિવાર વતિ ખૂબ ખૂબ શુભકામનાઓ.
@Suvichar
4 230
'કાળી ચૌદશ'
કાળી ચૌદશ એટલે વિક્રમ સવંતના અંતિમ દિવસ પહેલાનો અંધકાર મય દિવસ (કૃષ્ણ પક્ષ કે અંધારિયા)ની અશ્વિન (આસો)માસની ચતુર્દશી.
એ અંધકારને આપણે બીજે દિવસે અમાવસ્યાની રાત્રે દીપ પ્રજ્વલિત કરીને અંધકાર થી નવા વર્ષે પ્રકાશ તરફની ગતિ કરીએ છીએ એ 'બ્રહ્મદારણ્યકોપનિષદ' માં આ શ્લોક દ્વારા કહેવામાં આવ્યું છે કે :
'असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मामृतं गमय'
પરંતુ આપણે વાસ્તવિકતા સમજ્યા વગર આપણી પરંપરાગત સંસ્કૃતિના પાવન પર્વો ઉજવતા થઈ ગયા છીએ.
આ કાળીચૌદશને 'નરક ચતુર્દશી' પણ કહે છે. દ્વાપરયુગ દરિમયાન પ્રાગજ્યોતિષ પુરમાં નરકાસુરનામના દૈત્યનો ખૂબ જ ત્રાસ હતો. એણે 16000 સ્ત્રીઓને પોતાની બંદી બનાવી નર્ક સમાન યાતના આપતો હતો. સ્ત્રીશક્તિને તુચ્છ સમજનાર નરકાસુરને એ બંદીવાન સ્ત્રીઓનો શ્રાપ હતો કે એક સ્ત્રી જ એને મારશે.
આમ શ્રી કૃષ્ણએ પોતાના પટરાણી અને ભૂ-દેવીનો અવતાર સત્યભામાજી સાથે રહી ગરુડ પર સવાર થઈ સ્ત્રીઓના આત્મગૌરવની રક્ષા કરવા સત્યભામાજીના હાથે નરકાસુરનો આજના દિવસે એના 8 પુત્રો સહિત વધ કર્યો હતો. અને 16000 સ્ત્રીઓને મુક્ત કરાવી. પરંતુ આજની પેઢીને ખબર નઈ હોય કે એક રાક્ષસ દ્વારા હરણ કરેલી સ્ત્રીઓને સમાજ ક્યારેય સમ્માનની દ્રષ્ટિએ નહિ જોવે અને કોણ તે સ્ત્રીઓને પત્ની તરીકે અપનાવે? માટે એ 16000 સ્ત્રીઓને સમ્માન આપતા ભગવાને સ્વયં તેમની સાથે વિવાહ કરી દ્વારિકાની રાણીનું સમ્માન આપ્યું હતું. સ્ત્રી સમ્માનનું આવું ઉદાહરણ તો શ્રી કૃષ્ણ જેવા ક્ષત્રિય જ આપી શકે.
માટે આજનો દિવસ સ્ત્રી સમ્માનનો દિવસ છે, સ્ત્રી શક્તિ ને મહાકાળી, મહા સરસ્વતી, અને મહાલક્ષ્મી રૂપે પૂજવાનો પર્વ છે. નહિ કે અંધ વિશ્વાસનો.
✍🏻 ધર્મરાજસિંહ છબાસર
@Suvichar
4 230
હેપ્પી દશેરા
"દશેરા" એટલે "દશ-હરા" એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે કે દસ અવગુણો નો નાશ કરવો. "અહંકાર", "અમાનવતા", "અન્યાય", "કામ-વાસના", "ક્રોધ", "લોભ", "મદ-મોહ", "ઈર્ષા", "નિંદા" અને સ્વાર્થ" આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો એજ "વિજયા દશમી."
સૌને "દશેરા" અને "વિજયા દશમી" ની ખુબ ખુબ શુભકામના.
@Suvichar
