GPSC Mains - Alaap Academy
Open in Telegram
💡 Smart Strategies for GPSC Mains 📋 Comprehensive Coverage of Key Topics 🔔 Stay Updated with Regular Insights 🧑🏫 Manan Sir | Founder: @AlaapAcademy
Show more2 084
Subscribers
No data24 hours
+197 days
+16630 days
Posts Archive
GPSC Mains - મોક ટેસ્ટ સિરીઝ સંદર્ભે આપનું મંતવ્ય આપશો. (GPSC પાસઆઉટ ઓફિસર્સ દ્વારા check કરવામાં આવશે.)
'Collector in Classroom' Initiative
- Best Practice #Governance #GPSCMains
@GPSCMainsByAlaap✅
📅 સંસ્કૃત શ્લોક| Mains માટે ઉપયોગી
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय। सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते॥ • શ્રીમદ્ ભગવદ્ ગીતા | અધ્યાય 2, શ્લોક 48⏺અર્થ: હે અર્જુન! આસક્તિનો ત્યાગ કરીને સમત્વભાવથી પોતાનું કર્તવ્ય બજાવ. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ જાળવવો એ જ યોગ કહેવાય છે. ⏺#Ethics: કર્તવ્યનિષ્ઠા, સમભાવ, આત્મનિયંત્રણ, નિષ્પક્ષતા, ભાવનાત્મક સ્થિરતા, અનાસક્તિ, નૈતિક પરિપક્વતા. ⏺#CivilServices: જાહેર સેવકે વ્યક્તિગત પસંદ-નાપસંદ, રાજકીય દબાણ કે પરિણામની ચિંતા કરતાં ઉપર ઊઠીને કાયદા, બંધારણીય મૂલ્યો અને જાહેર હિતના આધારે નિષ્પક્ષ નિર્ણય લેવો જોઈએ. ⏺#Essay: સફળતા–નિષ્ફળતામાં સમભાવ, કર્મ અને પરિણામ, ભાવનાત્મક પરિપક્વતા, નૈતિક નેતૃત્વ, નિષ્પક્ષ વહીવટ અને સંતુલિત જીવન @GPSCMainsByAlaap📲
Repost from Alaap Academy
🇮🇳મહિલા સશક્તિકરણ - For Mains
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⏺સંપત્તિ માલિકી: PMAY દ્વારા મહિલાની
ઘર-સંપત્તિમાં માલિકી અને સહ-
માલિકી વધી.
⏺નાણાકીય સમાવેશ: PMJDY અને મુદ્રા
જેવી યોજનાઓથી મહિલાઓની બેંકિંગ
અને ધિરાણ સુધી પહોંચ વધી.
⏺મહિલા ઉદ્યોગસાહસિકતા: મુદ્રા યોજના
અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ દ્વારા મહિલા
ઉદ્યોગસાહસિકતાને વેગ મળ્યો.
⏺શિક્ષણ અને લિંગ સમાનતા: બેટી બચાવો,
બેટી પઢાવો દ્વારા કન્યા શિક્ષણ અને
લિંગ સમાનતાને પ્રોત્સાહન મળ્યું.
⏺માતૃત્વ અને આરોગ્ય સુરક્ષા: PMMVY
અને ઉજ્જ્વલા જેવી પહેલોથી માતૃત્વ
સુરક્ષા, પોષણ અને સ્વચ્છ ઈંધણની
પહોંચ સુધરી. (Read PDF for More)
⏺સામૂહિક આર્થિક સશક્તિકરણ: મહિલા
SHGs અને સંઘો દ્વારા રોજગાર, આવક
અને નિર્ણયક્ષમતામાં વધારો થયો.
@AlaapAcademy📲
📅 GPSC Mains Free Mentorship
Program
✅ 50 Days - 50 Lectures
✅ By Aazad Ma'am
⏺10+ Mains,
⏺6 GPSC Interviews
📝 || Click Here to Watch Lectures⬇️
https://youtube.com/playlist?list=PLdy-NQ_DsEhc&si=5j-RyJCx6ZZkw1nH
F A C T S F O R M A I N S〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ ⏺ભારતમાં આર્થિક અસમાનતા⏺ 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 1️⃣આવક અસમાનતા: ટોચના 1% લોકો રાષ્ટ્રીય આવકનો 22.6% હિસ્સો ધરાવે છે. (World Inequality Report - 2026) 2️⃣સંપત્તિ અસમાનતા: ટોચના 10% પાસે 65%, જ્યારે ટોચના 1% પાસે 40.1% સંપત્તિ છે. (World Inequality Report - 2026) 3️⃣આવક વિતરણ: ટોચના 10%નો આવકમાં હિસ્સો 57.7%, જ્યારે તળિયાના 50%નો માત્ર 15% છે. (World Inequality Report 2026) 4️⃣ગ્રામીણ-શહેરી વપરાશ તફાવત: વર્ષ 2023-24માં માસિક માથાદીઠ ખર્ચ ગ્રામ્ય વિસ્તારોમાં ₹4,122 અને શહેરી વિસ્તારોમાં ₹6,996 હતો. (Household Consumption Expenditure Survey 2023-24) 5️⃣લૈંગિક આવક અસમાનતા: કુલ શ્રમ આવકમાં પુરુષોનો હિસ્સો 82%, મહિલાઓનો માત્ર 18% છે. (World Inequality Report 2022) @AlaapAcademy 📲
📅સંસ્કૃત શ્લોક | Mains માટે ઉપયોગી
योगः कर्मसु कौशलम् • શ્રીમદ્ ભગવદ્ ગીતા | અધ્યાય 2, શ્લોક 50⏺Meaning:“Yoga is excellence in action.” True excellence lies in performing every duty with skill, wisdom and dedication. ⏺અર્થ:કર્મમાં કુશળતા એટલે માત્ર કાર્ય કરવું નહીં, પરંતુ તેને યોગ્ય પદ્ધતિ, વિવેક, નિષ્ઠા અને શ્રેષ્ઠતાની ભાવના સાથે કરવું. જ્યારે કર્તવ્યમાં કુશળતા અને નૈતિકતા જોડાય છે, ત્યારે વ્યક્તિનું કાર્ય સમાજ માટે મૂલ્યવાન બને છે. ⏺#Ethics:કર્તવ્યનિષ્ઠા, કાર્યદક્ષતા, જવાબદારી, વ્યાવસાયિક નૈતિકતા, સમર્પણ, શ્રેષ્ઠતાની ભાવના, પરિણામ- લક્ષી અભિગમ. ⏺#CivilServices: જાહેર સેવક માટે કાર્યમાં કુશળતા એટલે નિયમોનું પાલન કરતાં કાર્યક્ષમ, સમયબદ્ધ, પારદર્શક અને નાગરિકકેન્દ્રિત વહીવટ સુનિશ્ચિત કરવો. માત્ર સારો ઇરાદો પૂરતો નથી, તેને અસરકારક અમલમાં પરિવર્તિત કરવાની ક્ષમતા પણ જરૂરી છે. ⏺#Essay: કર્મની ગુણવત્તા, કાર્યસંસ્કૃતિ, શ્રેષ્ઠતા, જવાબદાર નેતૃત્વ, કાર્યક્ષમ શાસન અને રાષ્ટ્રનિર્માણમાં કર્તવ્યભાવ. @GPSCMainsByAlaap 📲
📅સંસ્કૃત શ્લોક | Mains માટે ઉપયોગી
सत्यं वद । धर्मं चर । • તૈત્તિરીય ઉપનિષદ | શિક્ષાવલ્લી, 11.1⏺Meaning:Speak the truth. Practise righteousness. ⏺અર્થ: સત્ય બોલો અને ધર્મનું આચરણ કરો. માત્ર સત્યને જાણવું પૂરતું નથી પરંતુ તેને વ્યવહાર અને આચરણમાં ઉતારવું એ સાચી નૈતિકતાનું લક્ષણ છે. ⏺ #Ethics: સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા, નૈતિક આચરણ, અખંડિતતા, જવાબદારી. ⏺ #CivilServices: જાહેર સેવક માટે સત્યનિષ્ઠ નિર્ણય, નિયમોનું પાલન, જાહેર હિત પ્રત્યે પ્રતિબદ્ધતા અને વ્યક્તિગત લાભથી ઉપર ઊઠીને કર્તવ્યનું પાલન કરવાની પ્રેરણા આપે છે. @GPSCMainsByAlaap 📲
આપ સહુને આઝાદી પર્વની શુભકામનાઓ.
રવીન્દ્રનાથ ટાગોરજીની કવિતાનો એક અંશ,
Where the mind is without fear and the head is held high Where knowledge is free Where the world has not been broken up into fragments By narrow domestic walls Where words come out from the depth of truth Into that heaven of freedom, my Father, let my country awake. 🇮🇳@GPSCMainsByAlaap✅
📅સંસ્કૃત શ્લોક | Mains માટે ઉપયોગી
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ • શ્રીમદ્ ભગવદ્ ગીતા | અધ્યાય 4, શ્લોક 7⏺Meaning: Whenever righteousness declines and unrighteousness rises, the Divine manifests to restore the balance of Dharma. ⏺અર્થ: જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ અને અધર્મનો ઉદય થાય છે, ત્યારે ધર્મની પુનઃસ્થાપના માટે દિવ્ય શક્તિ પ્રગટ થાય છે. અહીં ‘ધર્મ’નો અર્થ માત્ર ધાર્મિકતા નહીં પરંતુ ન્યાય, નૈતિકતા, કર્તવ્ય, સદાચાર છે. ⏺નૈતિક મૂલ્યો: નૈતિકતા, ધર્મનિષ્ઠા, નૈતિક સાહસ, નૈતિકતાનું પુનઃસ્થાપન, ન્યાય અને સુશાસન, નૈતિક નેતૃત્વ, સામાજિક પરિવર્તન, સત્તા અને જવાબદારી, ધર્મ અને કર્તવ્યનો સંબંધ. ⏺CivilServices: જ્યારે વ્યવસ્થામાં અનૈતિકતા, ભ્રષ્ટાચાર અથવા નિયમોના ઉલ્લંઘનની સ્થિતિ ઊભી થાય ત્યારે જાહેર સેવકનું કર્તવ્ય વ્યક્તિગત દબાણથી ઉપર ઊઠીને કાયદો, બંધારણીય મૂલ્યો અને જાહેર હિતનું રક્ષણ કરવાનું છે. ⏺Example – ટી. એન. શેષન: મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણીમાં થતી ગેરરીતિઓ અને આચારસંહિતાના ઉલ્લંઘન સામે કડક વલણ અપનાવી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા મજબૂત કરી. તેમનું કાર્ય દર્શાવે છે કે એક નૈતિક અને નિર્ભય જાહેર સેવક વ્યવસ્થામાં રહેલી અનૈતિક પ્રવૃત્તિઓ સામે ઊભો રહીને ન્યાય અને લોકશાહી મૂલ્યોનું પુનઃસ્થાપન કરી શકે છે. @AlaapAcademy 📲
F A C T S F O R M A I N S〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ ⏺ગરીબી(આર્થિક સર્વે 2025-26) ⏺ 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 1️⃣અત્યંત ગરીબી: World Bankની સુધારેલી $3 પ્રતિ દિવસની ગરીબી રેખા મુજબ 2022-23માં ભારતની અત્યંત ગરીબી 5.3% રહી. 2️⃣ગરીબીમાં ઘટાડો: વર્ષ 2011-12થી 2023-24 દરમિયાન ગરીબીનો દર 21.9%થી ઘટીને 2.3% થયો. 3️⃣બહુપરીમાણીય ગરીબી: NITI Aayogના MPI મુજબ બહુપરીમાણીય ગરીબી વર્ષ 2005-06ના 55.3%થી ઘટીને 2019-21માં 14.96% થઈ; 2022-23માં તે 11.28% રહેવાનો અંદાજ છે. 4️⃣વૈશ્વિક બહુપરીમાણીય ગરીબી: World Bankના Multidimensional Poverty Measure મુજબ 2022-23માં ભારતનો દર 15.5% હતો. 5️⃣નીચલા-મધ્યમ આવકની ગરીબી: $4.20 પ્રતિ દિવસની સુધારેલી ગરીબી રેખા મુજબ 2022-23માં ભારતનો ગરીબી દર 23.9% હતો. 6️⃣સામાજિક સુરક્ષા કવરેજ: સામાજિક સુરક્ષા વ્યવસ્થાઓથી આવરી લેવાયેલી વસ્તી 2016ના 22%થી વધીને 2025માં 64.3% થઈ. @GPSCMainsByAlaap 📲
