3 205
Subscribers
No data24 hours
-97 days
-2430 days
Posts Archive
3 205
એક સિંગલ પેપર માં બધા ને એકદમ ન્યાયપૂર્વક પરીક્ષા લઈ શકાતી હોય તો આ બધું ક્યાં કરવાનું આવે ?
એજ વિચારવા જેવું છે કે સીધી રીતે જે કામ એકદમ સરળતાથી ઝડપ થી પૂરું થઈ શકતું હોય એને શું કામ જટિલ અને લાંબુ બનાવવું?
ઘણા કહેતા હોય છે કે અભણ નેતાઓ કરતા IAS કેટલું વધારે ભણેલા હોય છતાં એમનું સાંભળવું પડે અને દુઃખી થતા હોય
તો દેખી લો આ તમારા વધારે ભણેલા IAS સાહેબો નું જ્ઞાન પ્રદર્શન !
3 205
Behind every successful student,
there is a teacher who believed in them,
guided them, and never gave up on them.
Respect and gratitude to all teachers. 🙏
Happy Teacher’s Day!
3 205
fail યાત્રા અને ચોપડા નિર્માણ બંને ચેનલો વાળા LRD ભરતી ઓછી આવે કે ના આવે એમાં જ બહુ રસ છે. ( બંને એક જ છે)
અમે તો કોઈ દી કીધું નહીં કે આટલી LRD ની ભરતી આવશે કે આટલી PSI ની ભરતી આવશે.
વધારે આવે તો ઉમેદવારો ના ઘરે અજવાળું થાય એજ અમારી ઈચ્છા.
વર્ષો થી પોલીસ ભરતી ના નામે આવા ધંધાઓ નો ઠેકો તમે જ લીધેલો છે. કરે રાખો નાટકો તમારા !
3 205
ચોપડા નિર્માણ વાળી એક ચેનલ વાળા એ ego પર લઈ લીધું છે કે નવી મોટી પોલીસ ભરતી નહીં આવે.
આખો દિવસ એનો પ્રૂફ ભેગા કરવામાં જ જાય છે કે નવી મોટી ભરતી નહીં જ આવે.
જે દિવસે LRD જાહેરાત મોટી ભરતી ની આવશે મને તો શંકા છે કે હાર્ટ એટેક ના આવી જાય એને 😁😂😂
3 205
મહેસુલી મંડળે સરકારશ્રી ના બે દિવસ પહેલા જાહેર કરેલ ઠરાવ ની ઘણા મુદ્દાઓ ની કામગીરી ના કરવા આદેશ કરેલ છે.
આ બાબત છેલ્લા 5 વર્ષ થી ચાલે છે જેનો 2 દિવસ પહેલા સરકારશ્રી એ નિકાલ કર્યો છે.
જેનો બહિષ્કાર કરીને મહેસુલી મંડળે એમના જ વિભાગની ઘણી બધી કામગીરીઓ ના કરવાનો સરકારશ્રી સામે પડકાર ફેંક્યો છે.
મારી અંગત સલાહ છે નવા રેવન્યુ તલાટી મિત્રો ને કે આ હડતાળ માં જોડાઈ ને કામગીરી નો બહિષ્કાર કરતા પહેલા વિચારજો. કેમકે તમે 2 દિવસ પહેલા જાહેર કરેલા તમારા જ વિભાગ ના પરિપત્ર નું ઉલ્લંઘન કરી રહ્યા છો. તમે ફિક્સ પે માં હોવાથી નોટિસ નો સામનો કરશો અને કાર્યવાહી થશે તો તમને જ ઉદાહરણ બનાવવામાં આવશે , ગયા વર્ષે જ આરોગ્ય વિભાગ ની હડતાળ માં ઘણા ફિક્સ પે કર્મચારીઓ ને ઘર ભેગા કરી દીધા હતા ને આવા ઘણા જૂના કિસ્સાઓ છે જે ધ્યાને લેજો. જ્યારે તમારા પર કાર્યવાહી થશે ત્યારે કોઈ મંડળ ના હોદેદારો બચાવવામાં આવતા નથી, હોદ્દેદારો અને રાજકારણીઓ માં ઝાઝો ફરક હોતો નથી એ પણ વહેલા મોડે તમને ખબર પડી જશે. અને છેલ્લે હેરાન તમે થશો. માટે ધ્યાન થી વિચારીને નિર્ણય લેજો, એટલું ધ્યાને લેજો કે પગાર તમારો વિભાગ આપે છે જે તમને પરિપત્ર થી કામગીરી કરવાનું કહેલ છે, મંડળ નથી આપતું પગાર. અને કાર્યવાહી માં કોઈ સાથ નહીં આપે
- અનુભવ અને અવલોકનો ના ઓરડે થી
( છેલ્લે તો આપે નિર્ણય કરવાનો છે, આતો એટલા માટે કહ્યું કે પાછળ થી કોઈ કહે નહીં કે ચેતવ્યા નહોતા)
3 205
તો ય આજકાલ ઘણા મહેસુલી કર્મચારીઓ - ક્લાર્ક / તલાટીઓ એવું કહેતા જોવા મળ્યા છે કે
તલાટીઓ તો અઠવાડિયા માં 1 વાર જ દેખાય.
તો એમને કહેવું છે કે 1 વાર પણ આવે તો છે.
રેવન્યુ તલાટીઓ તો વર્ષો થી આવતા નહીં
ઘણા રેવન્યુ તલાટીઓ તો ગામ નો રસ્તો ય ભૂલી ગયા હશે.
અને ગામ માં હજુ મોટા ભાગ ના લોકો ને ખબર પણ નથી કે 2 પ્રકાર ના તલાટીઓ આવે
એમના માટે તો તલાટી એટલે તલાટી કમ મંત્રી
એના પર થી જ વિચારો કે રેવન્યુ તલાટી ની હાજરી આટલા વર્ષો માં કેટલી હતી ? !!!
3 205
રેવેન્યુ તલાટી કેડર 2010 માં અસ્તિત્વ માં આવી અને ફાઇનલ જોબ ચાર્ટ 2026 માં ? કોઇ ત્યાં પણ હિસાબ માંગો કે જોબ ચાર્ટ વગર 16 વર્ષ શું કર્યું?
તલાટી કેડર સૌથી જૂની હોવા છતાં આઝાદી થી આજ દિન સુધી માત્ર 6 ક્લાસ 2 સુધી પહોંચી શક્યા છે એનો પણ વિચાર કરજો
3 205
કામગીરી વધારે તલાટી કમ મંત્રી એ કરવાની અને પગાર, પ્રમોશન રેવેન્યુ તલાટી ને વધારે
હજુ પણ આમાં અન્યાય ચાલુ જ છે !
3 205
આ જોબ ચાર્ટથી રેવન્યુ તલાટીને અન્યાય થયો કે નહીં એ ચર્ચાનો વિષય હોઈ શકે;
પરંતુ એટલું ચોક્કસ છે કે આ જોબ ચાર્ટથી તલાટી કમ મંત્રી સાથે વર્ષોથી ચાલતા કેડર-સ્તરના અન્યાયમાં ઓછામાં ઓછું થોડું સંતુલન જરૂર આવ્યું છે. અન્યાય તો હજું ચાલુ જ છે.
કારણ કે તલાટી કમ મંત્રી માટે આ કોઈ નવી જવાબદારી નથી — વર્ષોથી તેઓ આ જવાબદારીઓ ઉઠાવતા આવ્યા છે. હવે માત્ર જવાબદારીનું વિભાજન કાગળ પર સ્પષ્ટ થયું છે.
3 205
નવો જોબ ચાર્ટ આવ્યો એટલે રેવેન્યુ તલાટીઓ ને અન્યાય લાગ્યો? તો આખો કેડર-ચાર્ટ પણ જોઈ લો...
આજથી તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીનો અલગ-અલગ જોબ ચાર્ટ અમલમાં આવ્યો છે. જોબ ચાર્ટ જાહેર થયા બાદ કેટલાક નવા રેવન્યુ તલાટીઓ દ્વારા એવો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે — “આટલી બધી કામગીરી કેવી રીતે કરીશું? આટલું બધું કામ અમને કેમ સોંપવામાં આવ્યું?”
સવાલ થવો સ્વાભાવિક છે.
પરંતુ સવાલ માત્ર નવા જોબ ચાર્ટના 45 મુદ્દા જોઈને નહીં, સમગ્ર કેડરની કામગીરી, જવાબદારી, ભૂતકાળ અને પ્રમોશનની તકો સાથે કરવો જોઈએ.
પહેલા ઇતિહાસ તો જોઈ લો...
છેલ્લા લગભગ 60–70 વર્ષથી ગ્રામ્ય કક્ષાએ મહેસુલી કામગીરી તલાટી કમ મંત્રી જ સંભાળતા આવ્યા છે.
એ કામગીરી પંચાયત વિભાગની મૂળભૂત કામગીરીનો ભાગ ન હોવા છતાં તલાટી કમ મંત્રીઓએ વર્ષોથી મહેસુલી કામગીરી બજાવી છે.
માત્ર કામગીરી જ નહીં — ઘણી વખત મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર કક્ષાની મહેસુલી નોટિસોનો સામનો પણ તલાટી કમ મંત્રીઓએ જ કર્યો છે; જવાબદાર ઠેરવાયા છે અને સસ્પેન્શન જેવી કાર્યવાહી પણ ભોગવી છે.
હવે નવા જોબ ચાર્ટને જરા ધ્યાનથી વાંચો...
રેવન્યુ તલાટીના જોબ ચાર્ટમાં અનેક સ્થળે સ્પષ્ટ રીતે “તલાટી કમ મંત્રી મદદમાં રહેશે” એવું દર્શાવવામાં આવ્યું છે.
પરંતુ તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટમાં ક્યાંય એવું લખાયેલું જોવા મળતું નથી કે “રેવન્યુ તલાટી મદદમાં રહેશે.”
ઉલટું, તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટમાં પોતાના વિભાગની કામગીરી ઉપરાંત અન્ય વિભાગની કામગીરીમાં પણ મદદરૂપ થવાની જવાબદારી દર્શાવવામાં આવી છે — જેમાં ગ્રામ સેવકને મદદરૂપ થવા સુધીની કામગીરીનો પણ સમાવેશ થાય છે.
રેવન્યુ તલાટી જોબ ચાર્ટ— લગભગ 45 મુદ્દા
તલાટી કમ મંત્રી જોબ ચાર્ટ — લગભગ 70 મુદ્દા
રેવન્યુ તલાટીના ઘણા મુદ્દાઓમાં — તલાટી કમ મંત્રી મદદમાં
પરંતુ તલાટી કમ મંત્રીના જોબ ચાર્ટમાં — રેવન્યુ તલાટી મદદમાં એવી સમકક્ષ જોગવાઈ નથી.
તો પછી માત્ર “અમને બહુ કામ છે” એવું કહીને કેડરનો આખો હિસાબ અધૂરો રાખી શકાય?
અને વાત અહીં પૂરી થતી નથી...
જોબ ચાર્ટ અલગ થયા પછી પણ ગ્રામ્ય કક્ષાએ ઘણી મહેસુલી કામગીરી તલાટી કમ મંત્રી પાસે જ ચાલુ રહેવાની છે.
ઉદાહરણ તરીકે જન્મ, મરણ, લગ્નની નોંધણી અને તેના દાખલાઓ જેવી કામગીરી હજુ પણ તલાટી કમ મંત્રી સાથે જોડાયેલી રહે છે.
એટલે જોબ ચાર્ટ અલગ થયો છે એટલે તલાટી કમ મંત્રીની તમામ મહેસુલી જવાબદારી ખતમ થઈ ગઈ — એવું માનવું પણ યોગ્ય નથી.
હવે સાચો અન્યાય ક્યાં છે એ પણ જુઓ
શરૂઆતમાં બંને કેડરનો ગ્રેડ પે 1900 છે.
પરંતુ 10 વર્ષ અને 20 વર્ષ પછી બંને કેડરની સ્થિતિ શું છે? એ જોવી વધુ મહત્વની બાબત છે.
શરૂઆત
તલાટી કમ મંત્રી - 1900
રેવન્યુ તલાટી - 1900
10 વર્ષ પછી
તલાટી કમ મંત્રી - 2800
રેવન્યુ તલાટી - 4400
20 વર્ષ પછી
તલાટી કમ મંત્રી - 4200
રેવન્યુ તલાટી - 4600 - ક્લાસ 2 અધિકારી સમકક્ષ
અર્થાત્ શરૂઆતમાં બંને સમાન દેખાય છે, પરંતુ કારકિર્દીના લાંબા ગાળામાં બંને કેડર ના પગારધોરણ માં જમીન આસમાન નો ફરક પડે છે.
પ્રમોશનની વાત તો હજુ વધુ મહત્વની છે
લગભગ 12000 તલાટી કમ મંત્રી સામે માત્ર 700 જેટલી વિસ્તરણ અધિકારીની જગ્યાઓ હોવાના કારણે મોટા ભાગના તલાટી કમ મંત્રીઓને પ્રમોશનની તક મળતી નથી
બીજી તરફ, રેવન્યુ તલાટીને આશરે 10 વર્ષ કે ત્યારબાદ નાયબ મામલતદાર તરીકે પ્રમોશનની તક મળે છે, અને ત્યાંથી આગળ મામલતદાર બનવાની કારકિર્દીનો માર્ગ પણ ખુલ્લો રહે છે.
તલાટી કમ મંત્રી માટે આવી સમકક્ષ કારકિર્દી-પ્રગતિની તક નથી.
એટલે વાત “કામ વધારે કે ઓછું?”ની નથી.
વાત છે:
કામ + જવાબદારી + પગારધોરણ + પ્રમોશન + કારકિર્દીનો માર્ગ + વર્ષોથી કરાતી કામગીરી — આ બધું સાથે જોઈને કેડરનું મૂલ્યાંકન કરવાની.
આજે રેવન્યુ તલાટી કહે કે:
“અમારા જોબ ચાર્ટમાં આટલું બધું કામ કેમ?”
તો જવાબ એટલો જ છે:
“કામનો ચાર્ટ એકલો ન વાંચો; કેડરનો આખો ઇતિહાસ વાંચો.”
કારણ કે તલાટી કમ મંત્રીએ વર્ષોથી પોતાના મૂળ પંચાયત વિભાગની બહારની મહેસુલી કામગીરી પણ સંભાળી છે, જવાબદારી પણ ભોગવી છે અને આજે પણ પોતાના 70 જેટલા મુદ્દાઓની કામગીરી સાથે અન્ય વિભાગોને મદદ કરવાની જવાબદારી ધરાવે છે.
અંતે વાત એટલી જ...
આ જોબ ચાર્ટ આવ્યા બાદ રેવન્યુ તલાટીને અન્યાય થયો છે એવું કહેતા પહેલાં તલાટી કમ મંત્રી સાથે થયેલા વર્ષોના અન્યાયને પણ જોવો પડશે.
જો કામની વાત કરો છો તો બંનેના કામની તુલના કરો.
જો પગારની વાત કરો છો તો 10–20 વર્ષની કારકિર્દીની તુલના કરો.
જો પ્રમોશનની વાત કરો છો તો બંને કેડરનો આખો career path જુઓ.
અને જો ન્યાયની વાત કરો છો તો માત્ર આજથી નહીં — છેલ્લા 60–70 વર્ષથી કોણે શું કર્યું છે એ પણ યાદ રાખો.
3 205
આ પોસ્ટ ને કોઈ વ્યક્તિ વિશેષ કે "જે બહુ મોટું પરિવર્તન લાવવાના હતા, જેમના લીધે લાખો ઉમેદવારો હેરાન થાય છે, જેમણે બહુ મોટો ego છે" થી કોઈ સંબંધ નથી !!!
20મી સદી ના ગાંધીજી આવું ક્યારેય ના કરે !
21મી સદી માં બધું શક્ય છે !
