en
Feedback
GPSC MAINS Q&A

GPSC MAINS Q&A

Open in Telegram

💡GPSC ની મુખ્ય પરિક્ષા ના સવાલ જવાબો મુકવામાં આવે છે. 💥ગુજરાત ની એકમાત્ર ચેનલ જ્યાં ગુજરાતી તથા હિન્દીમાં સવાલ જવાબો મુકવામાં આવે છે. 🔮દરેક પરીક્ષામાં આ માહિતી ઉપયોગી થશે. ⭐દરેક ને મુખ્ય પરિક્ષા મા મદદ મળે એજ ઉદ્દેશ.... ✅સુચનો આવકાર્ય - @KuldipAhir

Show more
9 998
Subscribers
No data24 hours
-257 days
-28330 days
Posts Archive
Repost from GPSC Study Zone
photo content

🔴 સવાલ - 🏛 1967 ની સામાન્ય ચૂંટણી ઘણી બાબતોમાં વિશિષ્ટ હતી, જેમાં કેટલાક નવા વલણોનો જન્મ થયો હતો જેણે ભારતીય રાજકારણ પર મૂળગામી અને ઊંડી છાપ છોડી હતી. ચર્ચા કરો #Gs1 #Itihas #Polity ______ 🟡 માળખું • 1967 ની સામાન્ય ચૂંટણીઓના સમયે ભારતની રાજકીય સ્થિતિનું ટુંકમાં વર્ણન કરો. • ચૂંટણી ઉપરાંત નવી પ્રવૃત્તિઓના જન્મ વિશે ચર્ચા કરો. • ભારતીય રાજનીતિ પર તેનો પ્રભાવ જણાવી નિષ્કર્ષ લખો. ______ 🟢 જવાબ - 👥 15 ઓગસ્ટ, 1947 મા સ્વતંત્રતા પછી સંઘીય માળખા હેઠળ ભારત માં સંસદીય લોકતંત્રની સ્થાપના થઈ. શરૂઆતનાં સમયમાં કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્ર અને રાજ્ય સરકારો પર એકાધિકાર રહ્યો, કારણ કે લોકો કોગ્રેસને ભારતીય સ્વતંત્રતાનું મૂળ કારણ માનતા હતા. પણ 1967 ની સામાન્ય ચૂંટણી જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાઓના મૃત્યુ પછી થઈ રહી હતી. 🔊 કોગ્રેસની અંદર પણ સત્તા માટે અંદરોઅંદર ખેંચતાણ શરૂ હતી. 1967 ની સામાન્ય ચૂંટણી ‘નેહરુ પછી કોણ’ તેનો પણ જવાબ આપવા જઈ રહી હતી. આ ચુંટણી ઉપરાંત નવી પ્રવૃત્તિઓના જન્મ થયા જેની ભારતની રાજનીતિ ઉપર લાંબો પ્રભાવ પડ્યો, તેમાંથી મુખ્ય નીચે મુજબ છે 👉🏻 🔷 1967 ની ચૂંટણીમાં લોકસભામાં કોગ્રેસની બેઠકોની સંખ્યા ઘટીને 284 રહી ગઈ હતી અને 8 રાજ્યોમાં બિન-કોગ્રેસી સરકારોની સ્થાપના થઈ હતી. આ ભારતીય રાજનીતિ ઉપર કોગ્રેસના એકાધિકારના પતન ની શરુઆત હતી. 🔷 જે રાજ્યોમાં બિન-કોગ્રેસી સરકાર બની હતી ત્યાં અન્ય ખાસ દળ સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી શક્યા નહોતા, જેથી ગઠબંધન સરકારોની સ્થાપના અને ગઠબંધન પરિણામ વિરોધી વિચારધારા રાખતા દળો પણ સાથે આવ્યા હતા. 🔷 સત્તા ની લાલચ માં દલબદલ પ્રવૃત્તિનો જન્મ થયો. ધારાસભ્યોની પક્ષ ભક્તિ સ્થિર ન રહી અને ટૂંક સમયની સરકારો ની સ્થાપના થઈ. 1967-70 ની વચ્ચે બિહારમાં સાત અને ઉત્તર પ્રદેશમાં ચાર સરકારોની રચના કરવામાં આવી. આ પ્રવૃતિ 1985 ના દલબદલ નિષેધ અધિનિયમ પછી ઓછી થઈ શકી. 🔷 કોગ્રેસની અંદર પણ શક્તિઓનો નિર્ણય આ ચૂંટણીઓ દ્વારા થઈ ચૂક્યો હતો. સિન્ડિકેટ દળના નેતા કે.કામરાજ સહિતના તેમના તમામ સહયોગીઓ ચૂંટણી હારી ગયા હતા. અને ઇંદિરા ગાંધી નિર્વિવાદ પણે કોગ્રેસના નેતા રૂપે સામે આવ્યા. 🔷 1964 માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાથી અલગ થઈ સી.પી.એમ. એ નક્સલી આંદોલનનો પ્રારંભ કર્યો હતો.  સીપીએમ એ 1967 ની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને પશ્ચિમ બંગાળમાં ગઠબંધન સરકારની સ્થાપના કરી. સી.પી.એમ. એ તેના બળવાખોર નેતાઓ ના વિરોધ ના દમન માટે સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો પણ આ નક્સલી ચળવળ અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ ગઈ, અને તે આજે પણ એક સમસ્યા છે. ⚪️ નિષ્કર્ષ - 1967 ની સામાન્ય ચૂંટણીમાં 61% મતદાન થયું હતું જે ખૂબ વધારે હતું. 1962 માં ચાઇના અને 1965 માં પાકિસ્તાન સાથેની લડાઇ, અનાજ સંકટ અને નહેરુ જેવા મોટા નેતાઓના મૃત્યુ જેવી મોટી સમસ્યાઓનો સામનો કર્યો હોવા છતાં ભારતમાં લોકતંત્રની વ્યવસ્થા અકબંધ રહી. ⚫️Source - Drishtiias ⚫️આવા જ સવાલ જવાબો ગુજરાતી માં મેળવવા આજે જ જોડાવ. 💥 GPSC અને UPSC માળખાના સવાલ જવાબ આપતી એકમાત્ર ગુજરાતી ચેનલ ⚫️ કોઈ પણ ચેનલ અથવા એકેડમી આ માહિતી શેર કરી શકે છે પણ માહિતી માં કોઈ ફેરફાર કરવા નહીં. ⚫️ Join - @Gpscmainspractice ✍🏻 @KuldipAhir 😊

💁🏻‍♂ Lesson learnt from today's match Ur mocks performance doesnt determine ur  outcome People don't see ur struggle they see only ur success.. 🇮🇳

The 5.8cr concurrent viewers exceeds the combined population of Australia and New Zealand by more than 1.5 times!

👨🏻‍💻 Deepfakes Are real Threat @Gpscmainspractice
👨🏻‍💻 Deepfakes Are real Threat @Gpscmainspractice

👩‍👩‍👧‍👧 રુદાલી: મહિલાઓએ વેઠેલી એક વિચિત્ર પ્રથા. #culture @namrata_guidance
👩‍👩‍👧‍👧 રુદાલી: મહિલાઓએ વેઠેલી એક વિચિત્ર પ્રથા. #culture @namrata_guidance

🔥
🔥

Adv 30 Class 1/2 Final Result @HarmonyGPSC

FR-30-202122.pdf

🔴 સવાલ - 🥦 કૃષિ વ્યવસાયમાં હવે યુવાનો ને આકર્ષણ નથી કારણ કે તેની આવક અને ઉત્પાદકતા ઓછી છે. શું સરકાર દ્વારા ઝડપી, સમાવિષ્ટ અને ટકાઉ વિકાસની વ્યૂહરચના દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવી શકે છે? દલીલ આપો. #Gs3 #Economics ______ 🟡 માળખું • અસરકારક ભૂમિકા લખો. • કૃષિની ઓછી ઉત્પાદકતાનાં કારણો વર્ણવો. • સરકાર દ્વારા કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના પગલા અપનાવવા સૂચન. • અંતે એક સંક્ષિપ્ત નિષ્કર્ષ લખો. ______ 🟢 જવાબ -> ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં કૃષિ એ માત્ર આર્થિક વ્યવસાય અને રોજગારનો પ્રશ્ન નથી પરંતુ તે સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા અને લોકોની આસ્થા સાથે સંબંધિત છે જ્યાં તહેવારો ખેડૂતોના પાક અનુસાર નક્કી કરવામાં આવે છે. પરંતુ  તાજેતરમાં કેટલાક પ્રકાશિત અહેવાલોમાં જાણવા મળ્યું છે કે 40% ખેડૂતો તેમના બાળકોને ખેતીકામ કરવા દેવા માંગતા નથી અને યુવાનો પણ હવે કૃષિ કાર્યને ખોટનો વ્યવહાર માને છે. હાલમાં જો આપણે કૃષિ નિર્વાહ માટે ઉત્તમ સ્રોત ન હોવાના કારણો વિશે ચર્ચા કરીએ તો તે સ્પષ્ટ થઈ જશે કે કોઈ એક મુખ્ય કારણ તેના માટે જવાબદાર નથી પરંતુ એક આખી સાંકળ જ દોષી છે. જેમાં શામેલ છે 👉🏻 • સિંચાઈ માટે ચોમાસા પર નિર્ભરતા. • જાહેર રોકાણના ગુણવત્તાની નબળાઇ હોવી. • ઉર્જા, પરિવહન, સંગ્રહ અને વિતરણના ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓનું પછાતપણું. • કૃષિ ધિરાણની સમસ્યાઓ, ખામીયુક્ત ન્યૂનતમ સપોર્ટ સિસ્ટમ (MSP). • જમીન સુધારણાની સમસ્યા. • તકનીકી કુશળતાનો અભાવ વગેરે. 🍅 જો સરકાર દ્વારા નીચેની વ્યૂહરચના અપનાવવામાં આવે તો કૃષિ એ ફાયદો સાબિત થઈ શકે છે. • ખેડુતોને ખેતીની સાથે પશુપાલન, મધમાખી ઉછેર, મત્સ્યોદ્યોગ જેવા આજીવિકાના વૈકલ્પિક સ્ત્રોતો અપનાવવા પ્રોત્સાહિત કરવા. • કૃષિ-વનીકરણ, કાર્બનિક કૃષિ, મિશ્ર કૃષિ, શૂન્ય બજેટ કૃષિ જેવા ટકાઉ કૃષિ પગલાં અપનાવવા. • ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન, યોગ્ય સ્ટોરેજ વગેરેની ખાતરી કરવી. • કૃષિ માટે સુક્ષ્મ સિંચાઇ જેવી કે ટપક પદ્ધતિ, ફુવારા પઘ્ધતિ વગેરેને અપનાવવી. • ખેડુતોને જમીનની ગુણવત્તા અને આબોહવા મુજબ પાકની પસંદગી માટે તાલીમ આપવી. • કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને ખેડુતોને જીએમ પાક, જળચરઉદ્યોગ વગેરે તરફ તૈયાર બનાવવા જોઈએ. ⚪️ નિષ્કર્ષ -> ઉપરોક્ત સૂચવેલ પગલાંથી માત્ર ખેડુતોની આવક જ વધશે નહીં પરંતુ પર્યાવરણીય સંરક્ષણ માટે પણ તે ખૂબ જ સુસંગત છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદકતામાં સુધારણા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના, ઇ-નામ અને સોઇલ હેલ્થ કાર્ડ જેવી સરકારી પહેલ પણ ખૂબ ઉપયોગી છે, પરંતુ સરકારે તેમના અમલીકરણ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ⚫️Source - Drishtiias ⚫️આવા જ સવાલ જવાબો ગુજરાતી માં મેળવવા આજે જ જોડાવ. GPSC અને UPSC માળખાના સવાલ જવાબ આપતી એકમાત્ર ગુજરાતી ચેનલ Join - @Gpscmainspractice ✍🏻@KuldipAhir

Dipotsavi 2023 (2079).pdf10.89 MB

💁🏻‍♂ દીપોત્સવી અંક - ૨૦૨૩
💁🏻‍♂ દીપોત્સવી અંક - ૨૦૨૩

🔴 સવાલ - > પાણીપતની બીજી લડાઇએ ભારતીય ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો તે મત સાથે તમે કેટલા સહમત છો? #Gs1 #Itihas ______________________ 🟡 માળખું • પાણીપત ના બીજા યુદ્ધની પૃષ્ઠભૂમિ. • પાણીપત ના બીજા યુદ્ધૈ ભારતીય ઇતિહાસ ની ધારા કેવી રીતે બદલી તેનો ઉલ્લેખ કરો. • નિષ્કર્ષ. ______________________ 🟢 જવાબ -> હુમાયુએ સુર સામ્રાજ્યને વેરવિખેર કરી દિલ્હીની ફરી સ્થાપના કરી, તેમ છતાં, તેના મૃત્યુ પછી એવી પરિસ્થિતિઓ સર્જાઈ કે મુગલો માંડ માંડ ભારતમાંથી નીકળતા બચ્યા, 1556 માં પાણીપતની બીજી લડાઇમાં હેમુની હારના પરિણામો લાંબા ગાળાના સાબિત થયા. પાણીપતની બીજી લડાઇએ મુગલોની તરફેણમાં ભારતીય ઇતિહાસનો રસ્તો નીચે મુજબ બદલ્યો: હેમુનો ઉદય એ અફઘાનિસ્તાન સાથે વિકસિત પ્રમાણમાં વધુ ખુલ્લા સમાજ અને હિન્દુ રાજાઓ સાથેના અફઘાનોના વધતા જોડાણનું પ્રતિબિંબ હતું. આમ ભારતીય ઇતિહાસમાં અફઘાન લોકો માટે હેમુનો વિજય એક મહત્વપૂર્ણ પ્રસંગ બની શકેત. હેમુ સશસ્ત્ર અને પ્રશિક્ષિત હાથીઓ પર વધુ પડતો આધાર રાખતો હતો, જેના કારણે મુગલોને તોપખાના પર કાબૂ મેળવવાની તક મળી, જેનુ નુકસાન હેમુએ સહન કરવું પડ્યું. આ યુદ્ધમાં હેમુ લગભગ વિજયની ધાર પર હતો, પણ એક તીર તેની આંખમાં પડ્યું અને તે બેભાન થઈ ગયો. તેથી, અકબર ધૈર્ય અને હિંમતની સાથે નસીબના આધારે મોગલ સામ્રાજ્યને મજબૂત બનાવવામાં સફળ થયા. અફઘાનના સરદારોની અસંતોષ, તોપખાનાની બેદરકારી હોવા છતાં, હેમુએ મોગલોને નોંધપાત્ર નુકસાન પહોંચાડવામાં સફળતા મેળવી. પરંતુ હેમુ બેભાન થઈ ગયા પછી સૈન્ય તેને જોઈને ગભરાઈ ગયો અને મેદાનથી ભાગ્યો, જેનો લાભ મુગલોએ લીધો. ⚪️નિષ્કર્ષ -> પાણીપતનું બીજું યુદ્ધ મોગલો માટે નિર્ણાયક સાબિત થયું. પાણીપતના બીજા યુદ્ધમાં ભારતીય ઇતિહાસમાં મોગલોના ઉદભવની વાસ્તવિક શરૂઆત થઈ છે. ⚫️Source - Drishtiias ⚫️આવા જ સવાલ જવાબો ગુજરાતી તથા હિન્દી માં મેળવવા આજે જ જોડાવ. ✅GPSC અને UPSC માળખાના સવાલ જવાબ આપતી એકમાત્ર ગુજરાતી ચેનલ 💡Join - @Gpscmainspractice

photo content
+1

#Question18 🔴 સવાલ - સિંધુ કાળની સ્થાપત્ય કળા નું વર્ણન કરો. #Gs1 #Itihas #Sanskrutikvarso __________________________ 🟡 માળખું • સિંધુ/હડપ્પા સ્થાપત્ય કળા પરિચય. • હડપ્પન સ્થાપત્ય કળાની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. • નિષ્કર્ષ. __________________________ 🟢 જવાબ -> ભારતમાં પ્રથમ હડપ્પન સંસ્કૃતિમાં સુવ્યવસ્થિત સ્થાપત્ય નિર્માણ ના પુરાવા મળે છે. હડપ્પન સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિની લાંબી અને વૈવિધ્યસભર વાર્તાનો પ્રારંભિક બિંદુ છે. ભારતીય સ્થાપત્ય કળાના પ્રારંભિક નમુનાઓ હડપ્પા, મોહેંજોદારો, રોપર વગેરેમાંથી મળી આવ્યા છે. હડપ્પન પૂર્વેની ગ્રામીણ સંસ્કૃતિઓને શહેરી સભ્યતા બનવામાં હજાર કરતાં વધુ વર્ષોનો સમય લાગ્યો હતો. તેથી, હડપ્પન સંસ્કૃતિના સ્થાપત્યની મુખ્ય લાક્ષણિકતાઓમાં તેની નગર નિર્માણ યોજના શામેલ છે. 👉🏻 હડપ્પન સ્થાપત્ય કળાની મુખ્ય લાક્ષણિકતાઓ - 🔷 નગર સ્થાપત્ય યોજના : • હડપ્પન સંસ્કૃતિના તમામ શહેરો ગ્રીડ પ્લાનિંગ હેઠળ સ્થાયી થયા હતા, એટલે કે લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલા શહેરો, જ્યાં રસ્તાઓ એકબીજાને કાટખૂણા પર છેદે છે. • ઇમારતોમાં પાકી અને નિશ્ચિત કદની ઇંટો સિવાય લાકડા અને પથ્થરનો ઉપયોગ પણ થતો હતો. • વરંડા ઘરની વચ્ચે બાંધવામાં આવતા હતા. • ડ્રેનેજ સિસ્ટમ સિંધુ સંસ્કૃતિની એક અનોખી સુવિધા છે. • ઘરના ગંદા પાણીના નિકાલ માટે ઢાંકેલી ગટર નાળીઓ બનાવવામાં આવી હતી. • હડપ્પન શહેરોમાં તમામ પ્રકારની ઇમારતો મળી આવી છે, પરંતુ મંદિરના સ્પષ્ટ પુરાવા મળ્યા નથી. 🔷 ઇંટોનો સંદર્ભ : • હડપ્પન સંસ્કૃતિના લોકોએ પહેલીવાર પાકી ઇંટો બનાવી, જે સુડોળ, હળવા રંગની અને નિશ્ચિત પ્રમાણની હતી. • ઇંટોના આકારમાં સમરૂપતા જોવા મળે છે, પછી તે લોથલમાં બનાવવામાં આવી હોય કે મોહેંજોદારોમાં. 🔷 મોટા સ્નાનાગર : • વિશાળ સ્નાનાગર હડપ્પન સંસ્કૃતિની મુખ્ય ઇમારતોમાં ગણવામાં આવે છે. તે મોહેંજોદારોના ગઢી ક્ષેત્રમાંથી મળી આવ્યું છે. • આને સંકુલ કહેવામાં આવતું હતું કારણ કે તેમાં સ્નાનાગર ની સાથે બીજા ત્રણ વરંડા પણ છે, વરંડા પર જ એક ઓરડો, સીડી, તળાવ અને કૂવો પણ છે. ⚪️ નિષ્કર્ષ -> સિંધુ સંસ્કૃતિની સ્થાપત્ય કળા ખૂબ વિકસિત હતી, જેણે હાલના શહેરી સ્થાપત્યને પણ દિશા આપી છે. ⚫️Source - Drishtiias ⚫️આવા જ સવાલ જવાબો ગુજરાતી માં મેળવવા આજે જ જોડાવ. GPSC અને UPSC માળખાના સવાલ જવાબ આપતી એકમાત્ર ગુજરાતી ચેનલ Join - @Gpscmainspractice

💁🏻‍♂ Helpful for Mains @Gpscmainspractice

MAINS MODE - DR SUNIL SUMESARA.pdf14.58 MB

💁🏻‍♂ Helpful for Mains @Gpscmainspractice

MAINS MODE - DR SUNIL SUMESARA.pdf14.58 MB