en
Feedback
GPSC MAINS Q&A

GPSC MAINS Q&A

Open in Telegram

💡GPSC ની મુખ્ય પરિક્ષા ના સવાલ જવાબો મુકવામાં આવે છે. 💥ગુજરાત ની એકમાત્ર ચેનલ જ્યાં ગુજરાતી તથા હિન્દીમાં સવાલ જવાબો મુકવામાં આવે છે. 🔮દરેક પરીક્ષામાં આ માહિતી ઉપયોગી થશે. ⭐દરેક ને મુખ્ય પરિક્ષા મા મદદ મળે એજ ઉદ્દેશ.... ✅સુચનો આવકાર્ય - @KuldipAhir

Show more
9 998
Subscribers
No data24 hours
-257 days
-28330 days
Posts Archive
Repost from GPSC Study Zone
આવતી કાલની વર્ગ ૧ અને ૨ ની પ્રાથમિક પરીક્ષા માટે તમામ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. :) પ્રવેશપત્ર પર આપનો અદ્યતન ફોટો લગાવવાનો ભુલાય નહીં અને એક વધુ ફોટો કાલે જોડે રાખવો. પરીક્ષાનો સમય સવારે ૧૦ વાગ્યાનો છે, કેન્દ્ર પર ૯.૩૦ સુધીમાં પહોંચી જવું. શાંત ચિત્તે, તમે જે વાંચન કરેલ છે તેના પર પૂર્ણ વિશ્વાસ રાખીને પેપર આપવું. આભાર. 🙏😊💐 #Team @GPSC_StudyZone

શ્રીમદ ભગવત ગીતા...નવું પાઠ્યપુસ્તક.pdf

💁🏻‍♂ અદભુત, અલોકિક, અકલ્પનીય, ઐતિહાસિક મહારાસ... સાડા પાંચ હજાર વર્ષ પહેલાં મન, વચન, કર્મ થી સમર્પિત ગોપીઓ એ કેવા આંતરનાદ ન
+2
💁🏻‍♂ અદભુત, અલોકિક, અકલ્પનીય, ઐતિહાસિક મહારાસ... સાડા પાંચ હજાર વર્ષ પહેલાં મન, વચન, કર્મ થી સમર્પિત ગોપીઓ એ કેવા આંતરનાદ ના ભાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસ ની રમઝટ બોલાવી હશે એ અર્વાચીન સમયે દ્વારકા મધ્યે આજે નજરે જોવા મળી. દ્વારિકા નગરીમાં સમસ્ત આહિર સમાજ દ્વારા "આહીરાણી મહારાસ મ" નું સુંદર આયોજન કરવામાં આવ્યું ... ગુજરાત ની આહીરાણી ઓ માં આજે પણ રાસ રૂપે કૃષ્ણ ધબકે છે તેના અદ્ભુત દ્ર્શ્યો જોવા મળ્યા વિશેષ, દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશની ભક્તિ માં લીન ૪૫૦૦૦થી૫૦,૦૦૦+ જેટલી આહીરાણી માતાઓ,બહેનો, દીકરીઓ ઓ એક સાથે આહિરોના ટ્રેડીશનલ પહેરવેશ માં રાસ રમીને ઈતિહાસ રચ્યો... આ ગૌરવમય ક્ષણનો સાક્ષી બનવાનો મને સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. અખીલ બ્રહ્માડના નાથની સાક્ષાત ઉપસ્થિતિ માં આયોજીત આ મહારાસને ભવ્ય સફળ બનાવવા બદલ આયોજક ટિમની દરેક માતાઓ-બહેનો અને વડીલોને કોટી કોટી વંદન સહ સમગ્ર સમાજને હ્રદયપુર્વકના અભિનંદન. જય દ્વારકાધીશ. @Gpscmainspractice ✍🏻 @KuldipAhir

💁🏻‍♂ ભારતમાં કુપોષણ #Essay #Gs3 #Economics 🔮 Credits - Respected Writer And Arthsankalan. 🧿 @Gpscmainspractice
+1
💁🏻‍♂ ભારતમાં કુપોષણ #Essay #Gs3 #Economics 🔮 Credits - Respected Writer And Arthsankalan. 🧿 @Gpscmainspractice

GPSCની તૈયારી કરતા બધા ઉમેદવારો માટે ....... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 તાજેતરની Gpsc ની ૩૦/૨૦૨૧૨૨ નંબર ની ભરતી એટલે કે class ૧&૨ ના મુખ્ય પરીક્ષાના પેપર તપાસમાં  ખુબજ છબરડા થયા છે .. જેના ખુબજ પુરાવા અમે એકઠા પણ કર્યા છે .. હજુ ઘણા પુરાવા એમને મળે તો એ બધા ડેટાના આધારે gpsc ની મુખ્ય પરીક્ષામાંની આ પેપર તપાસ ની સિસ્ટમ ની ખામી ને આપડે સુધારી શકીએ .... કારણ કે જો આ જ તપાસ પધ્ધતિ મતલબ કે 👇👇👇👇👇 (૧). જેમનું પેપર પેહેલા તપાસ થાય એ પાસ બાકી ના બધા નાપાસ (૨) મોટા ભાગ ના પ્રશ્નો માં તમે સાચું લાખો કે ખોટું  એક જ સરખા માર્કસ આપવાના ... ( Random checking and common marking pattern) આ બંને ખામીઓ યોગ્ય ઉમેદવારને   અયોગ્ય બનાવી દે છે ... આ પ્રથમ વખત નથી ભૂતકાળ માં પણ બન્યું છે .. પરંતુ આ જેમ ચાલે છે એમ ને એમ આપડે ક્યાં સુધી ચાલવા દઈશું .. ક્યાં સુધી ભાગ્ય પર કે નસીબ સારા હસે તો પેપર પેહેલા તપાસ થાય એ પર બેઠા રહીશું ....... હવે આપડે બધા એ મતલબ કે જેમને મુખ્ય પરીક્ષા આપી છે એ અને જે ભવિષ્યમાં આપનાર છે બંને એ આ સિસ્ટમમાં સુધારા લાવવા માટે લડવું પડશે.. આપડી આ લડાઇ કોઈ માટે વ્યક્તિગત નથી આ સિસ્ટમ ની જે ખામી છે એ સામે છે ........ શું શું ખામીઓ છે એ જાણવા માટે તમે અમારો સાથ આપો અને અમારા અભિયાનમાં  જોડાવો ... વધારે માહિતી માટે આ ગ્રુપમાં જોડવો તેમજ તમારા મિત્રોને પણ જોડો . https://t.me/QjvnLhfHpq81OTQ1

5_6325342664900217723.pdf10.31 MB

💁🏻‍♂ ભારતના રાજપૂત રાજ્યો Std 7 chapter 1 Std 11  chapter 13 @Gpscmainspractice

Repost from GPSC Study Zone
photo content

🎎 તિબેટિયન રેફયુજી 💁🏻‍♂ ગઈકાલે તિબેટિયન સ્ટોલથી ગરમ કપડાંની ખરીદી પર આ સ્ટીકર જોયા. શિયાળામાં દરેક જીલ્લામાં ગરમ કપડાનાં વેચાણ માટે આપડે તિબેટિયન રેફયુજી નામથી સ્ટોલ જોયા હશે. ઘણા લોકોને એવું છે કે આ લોકો તિબેટથી અહીં ગરમ કપડા વહેંચવા આવે છે પરંતુ વાસ્તવિકતા જુદી છે. ➡️ જ્યારે 1950 માં, ચીને તિબેટને 'ઉદારીકરણ' કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તિબેટીયનોની સામાજિક અને રાજકીય સંસ્કૃતિમાં ચીની માર્ક્સવાદી વિચારધારા અને પ્રથાઓ લાદવાના પ્રયાસરૂપે મૂળ તિબેટીયનોને તેમની અનન્ય સંસ્કૃતિ પર હુમલો કરીને સતાવણી કરી. જ્યારે તિબેટિયનો બૌદ્ધ ધર્મનો પ્રચાર આધ્યાત્મિક નેતા તરીકે દલાઈ લામા સાથે કરતા હતા. તેમના 1959માં ચીની સામેના નિષ્ફળ વિદ્રોહ પછી પોતાને અને પોતાની ઓળખ બચાવવાના પ્રયાસરૂપે, દલાઈ લામા અને હજારો તિબેટીયન ભારતમાં નેફા (હાલ અરુણાચલ પ્રદેશ)માં આવ્યા. તેઓને ભારત સરકાર દ્વારા તરત જ આશ્રય આપવામાં આવ્યો અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી. 1980 ના દાયકાથી શરૂ કરીને અને 2000 ના દાયકા સુધી, દર વર્ષે થોડા હજાર તિબેટીયન ભાગી જતા હતા. તિબેટિયનો તેમના વતનમાંથી ભાગ્યા કારણ કે ચીને તિબેટને એક પોલીસ રાજ્યમાં ફેરવી દીધું જ્યાં તિબેટીઓ મુક્તપણે તેમના ધર્મનો અભ્યાસ કરી શકતા નથી અને તેનું પાલન કરી શકતા નથી, તેમની તિબેટની ઓળખને અર્થપૂર્ણ રીતે દર્શાવી શકતા નથી અથવા ચાઇનીઝ લોકો જેવા જ વિશેષાધિકારોનો આનંદ માણી શકતા નથી. ભારત સરકારે હિમાચલ પ્રદેશના ધર્મશાળા સીટીને તિબેટિયન રેફયુજી લોકો ને રહેવા માટે વિકસિત કર્યુ. 29 એપ્રિલ 1959ના રોજ, 14મા દલાઈ લામા તેનઝિન ગ્યાત્સોએ મસૂરીમાં તિબેટીયન વહીવટીતંત્રની સ્થાપના કરી, જ્યારે તેમને તિબેટમાંથી ભાગી જવું પડ્યું. મે 1960માં, સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનને ધર્મશાળામાં ખસેડવામાં આવ્યું જ્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને અને તેમના અનુયાયીઓને ધર્મશાલાની ઉત્તરે મેકલિયોડ ગંજમાં સ્થાયી થવાની મંજૂરી આપી. ત્યાં તેઓએ 1960માં "ગવર્નમેન્ટ-ઈન-એક્સાઈલ" અને નમગ્યાલ મઠની સ્થાપના કરી. 1970માં, દલાઈ લામાએ તિબેટીયન વર્ક્સ એન્ડ આર્કાઈવ્સની લાઈબ્રેરી ખોલી જે તિબેટોલોજી માટે સૌથી મહત્વપૂર્ણ સંસ્થાઓમાંની એક છે. હજારો તિબેટીયન નિર્વાસિતો હવે તે વિસ્તારમાં સ્થાયી થયા છે જ્યાં મઠો, મંદિરો અને શાળાઓ આવી છે. તે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ્સ સાથે એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ બની ગયું છે, જે પ્રવાસન અને વાણિજ્યમાં વૃદ્ધિ તરફ દોરી જાય છે. આજે તો દેશના વિવિધ શહેરોમાં તિબેટિયન રેફયુજીનો વસવાટ છે. ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિમાં ભારતની તિબેટ નીતિમાં પરિવર્તન આવ્યું છે. ભારત સરકારે જાહેર મંચોમાં દલાઈ લામા સાથે સક્રિય રીતે સંચાલન કર્યું છે. પરંતુ આજે પણ તેઓ પોતાના તિબેટ ને અલગ દેશ બનાવવાની વિચારધારા સાથે સંકળાયેલા છે અને સમયાંતરે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દાને ઉઠાવતા જોવા મળે છે. જ્યારે ભારત સરકાર આ બાબતે પાછલા થોડા વર્ષોમાં જ સક્રિય જોવા મળી છે. આજે વિશ્વનો સૌથી સફળ શરણાર્થી સમુદાય તરીકે તેમને જોવામાં આવે છે કારણકે તેઓએ પરંપરાગત તિબેટીયન વસ્ત્રો અને એસેસરીઝ, ગરમ કપડાંના, હાથથી બનાવેલ હસ્તકલા, તિબેટીયન ધૂપ અને થંગકા (તિબેટીયન ધાર્મિક ચિત્રો) સહિત વિવિધ સામાન ઉપરાંત, આ બજારોમાંના ઘણા શેરી વિક્રેતાઓ પણ છે જે તિબેટીયન ખોરાક જેમ કે મોમોઝનું વેચાણ કરે છે. આજે પણ તેઓ પોતાના હક્ક માટે લડે છે જેનું જીવંત ઉદાહરણ ત્યાંથી લીધેલ ગરમ વસ્ત્ર પરના સ્ટીકર પરથી જોવા મળે છે. જ્યારે ૯૯% લોકો ને આ સ્ટીકર નો મતલબ ખબર જ નથી. ✍🏻 @KuldipAhir @Gpscmainspractice

photo content

🔴 સવાલ - 💁🏻‍♀ તાજેતરમાં વૈશ્વિક ધરોહરનો દરજ્જો પ્રાપ્ત કરેલ ધોળાવીરાની આપે લીધેલ મુલાકાતનો અહેવાલ લખો. 🟢 જવાબ - 👆🏻👆🏻
+1
🔴 સવાલ - 💁🏻‍♀ તાજેતરમાં વૈશ્વિક ધરોહરનો દરજ્જો પ્રાપ્ત કરેલ ધોળાવીરાની આપે લીધેલ મુલાકાતનો અહેવાલ લખો. 🟢 જવાબ - 👆🏻👆🏻 #Aheval #Gujrati @Gpscmainspractice

💫
💫

photo content
+1

#Question43 🔴 સવાલ - 🌏 પશ્ચિમી વિક્ષોભની પદ્ધતિ સમજાવો. ઉપરાંત ભારતના સંદર્ભમાં તેની પ્રાસંગિકતાને પ્રકાશિત કરો. #Gs1 #Geo __________________________ 🟡 માળખું • પશ્ચિમી વિક્ષોભની પદ્ધતિ સમજાવો. • તેની સુસંગતતા વિશે સમજાવો. __________________________ 🟢 જવાબ - 🌨 'પશ્ચિમી વિક્ષોભ' એ એક મોસમી ઘટના છે જે પશ્ચિમ તરફના પવનના ઉપલા હવા પરિભ્રમણ ક્ષેત્રમાં વિકસિત નીચા દબાણવાળુ ક્ષેત્ર અથવા ખાઈ છે, જે હવાના તાપમાન, દબાણ અને હવાના પરિભ્રમણમાં પરિવર્તન લાવી વરસાદ ની સ્થિતિ ઉભી કરે છે. 🔮 પદ્ધતિ : તેની ઉત્પત્તિ ભૂમધ્યસાગર ક્ષેત્રમાં સૂર્યની દક્ષિણ તરફની ગતિને કારણે ધ્રુવીય વાતાવરણનું દક્ષિણ તરફ ખસવુ તેમજ તેના ઉષ્ણકટિબંધીય ચક્રવર્તી પવન સાથે મિશ્ર થવા ના પરીણામ સ્વરૂપ, ધ્રુવીય પવનોને સહારે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની રચના દ્વારા થાય છે. આ ચક્રવાત પાછળના જેટ પ્રવાહની મદદથી પશ્ચિમ એશિયામાંથી પસાર થતા ભારતીય ઉપખંડમાં પ્રવેશ કરે છે. ભારત પહોંચ્યા પછી આ ચક્રવાત સુષુપ્ત અવસ્થામાં પહોચી જાય છે, જેના કારણે ગરમ હવા ઉપરની તરફ વિસ્થાપિત થાય છે અને ઠંડા પવનો જમીન પર પ્રસરે છે. 💨 તેમ છતાં ભારતીય ઉપખંડમાં તેની હાજરી પશ્ચિમ પવનના પ્રભાવ હેઠળ વર્ષભર હોય છે, તથા જાન્યુઆરી અને ફેબ્રુઆરીના શિયાળાના મહિનાઓમાં પશ્ચિમ પવનો દક્ષિણ તરફનું અવતરણ તેના વિકાસ માટે એક આદર્શ સ્થિતિ આપે છે. 🔮 સંબંધિતતા 👉🏻 • આ વિક્ષેપ ચક્રવાતી વરસાદ લાવે છે જે ભારતના શિયાળાના પાક જેવા કે ઘઉં, કઠોળ, તેલીબિયાં વગેરે માટે ફાયદાકારક છે. • તે હિમાલયના ઉપરના ક્ષેત્રમાં હિમવર્ષા માટે જવાબદાર છે, જે ભારતની સદાબહાર નદીઓના સ્થિરતા અને પર્યટનના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. • તે પશ્ચિમ અને વાયવ્ય ભારતમાં રવી પાકના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવામાં મદદગાર છે. • તે શિયાળામાં વરસાદ લાવીને ભૂગર્ભ જળ સપાટીને ઉપર લાવે છે અને જળ સંચયને પ્રોત્સાહન આપે છે. • તે સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે. • આનાથી સમગ્ર વાતાવરણ અને ઇકોલોજીના ઉત્પાદકતાના સ્તરમાં વધારો થાય છે. ⚪️ નિષ્કર્ષ - આ પશ્ચિમી વિક્ષોભ ના ઘણાં નુકસાન પણ છે જેમ કે ક્યારેક વધારે વરસાદ કૃષિ ના પાક ને નુકસાન પહોંચાડે છે તો ક્યારેક આ વિક્ષોભ ચોમાસાની ઋતુ ને પણ અનિયમિત બનાવે છે. ⚫️Source - Drishtiias ⚫️આવા જ સવાલ જવાબો ગુજરાતી માં મેળવવા આજે જ જોડાવ. GPSC અને UPSC માળખાના સવાલ જવાબ આપતી એકમાત્ર ગુજરાતી ચેનલ ⚫️ કોઈ પણ ચેનલ અથવા એકેડમી આ માહિતી શેર કરી શકે છે પણ માહિતી માં કોઈ ફેરફાર કરવા નહીં. ⚫️ Join - @Gpscmainspractice ✍🏻 @KuldipAhir

GPSC Mains with adv number conducted under new chairperson List is arranged chronologically i.e. 1st exam is the earliest exam under new regime and last 12th is latest exam that is been conducted by GPSC. Observe the trend that how GPSC is evolving with each exam. @HarmonyGPSC

GPSC Mains with adv number conducted under new chairperson List is arranged chronologically i.e. 1st exam is the earliest exa
GPSC Mains with adv number conducted under new chairperson List is arranged chronologically i.e. 1st exam is the earliest exam under new regime and last 12th is latest exam that is been conducted by GPSC. Observe the trend that how GPSC is evolving with each exam. @HarmonyGPSC

Class 1-2, 20-202223 Mains Dates 19 to 24 February 2024
Class 1-2, 20-202223 Mains Dates 19 to 24 February 2024

🔴 સવાલ - ⚓️ ભારતના સમુદ્રના અંદરની સુરક્ષા ને વિશ્વસનીય બનાવવા માટે પરંપરાગત અને પરમાણુ સંચાલિત સબમરીનનો વિકાસ અનિવાર્ય છે. સમીક્ષા કરો. (અહીં પરંપરાગત મતલબ ડિઝલ-ઈલેક્ટ્રીક) #Gs3 #Vigyan_techno ______ 🟡 માળખું • ભૂમિકા • પરમાણુ સબમરીન અને પરંપરાગત સબમરીનની લાક્ષણિકતાઓ સમજાવીને ભારતીય પરિપ્રેક્ષ્યમાં તેમની જરૂરિયાતને સમજાવો અને ચીનનો સમુદ્રમાં ભારત માટે વધી રહેલા પડકારોની તુલના કરો. • નિષ્કર્ષ. ______ 🟢 જવાબ - 🌊 ભારતને તેની લાંબી દરિયાઇ સીમા પર નજર રાખવા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં દરિયાઇ સીમાનું રક્ષણ કરવા પાણીની અંદર (અંડર વોટર) ક્ષમતા વધારવાની જરૂર છે. આ માટે ભારતે પરંપરાગત અને પરમાણુ બંને સબમરીન વિકસાવવાની જરૂર છે. આપણે સબમરીનના વિકાસની અનિવાર્યતાને નીચેના મુદ્દાઓ દ્વારા સમજી શકાય 👉🏻 🔮 પરંપરાગત સબમરીન : • તેઓ સંચાલન કરવા માટે પ્રમાણમાં સરળ છે અને ઝડપી તૈનાત થવાની ક્ષમતા ધરાવે છે. • ડીઝલ-ઇલેક્ટ્રિક ઇંધણ પર સંચાલિત હોવાને કારણે સરળ બળતણ ઉપલબ્ધતા એ પણ એક તેની વિશેષતા છે. • તેનો ઉપયોગ દરિયાઇ દેખરેખમાં થઈ શકે છે. • તેમની સાથે નકારાત્મક પાસું એ છે કે તેઓ લાંબા સમય સુધી પાણીની નીચે રહી શકતા નથી. તેમને બેટરી ચાર્જ કરવા માટે સપાટી પર આવવું પડે છે. 🔮 પરમાણું સબમરીન : • વર્તમાન બદલાતા ભૌગોલિક રાજકીય દૃશ્યમાં ભારતને પરંપરાગત તેમજ પરમાણુ સબમરીનની જરૂર છે. • આ સબમરીન ઘણા મોટા શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. • તે લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. તેથી યુદ્ધ સમયગાળા દરમિયાન તેમનું મહત્વ વધુ વધે છે. • આ ઉપરાંત ઉંડા સમુદ્ર સંસાધનોમાં આંતરિક ભૌગોલિક, પર્યાવરણીય અને વ્યૂહાત્મક હિતોને સુરક્ષિત કરવા માટે, દેશને તેની પાણીની અંદર ક્ષમતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ⚪️ નિષ્કર્ષ - હિંદ મહાસાગર વિસ્તારમાં ચીનની વધતી પ્રવૃત્તિઓને સંતુલિત કરવા ભારતે પણ પોતાનો સબમરીન કાફલો વધારવાની જરૂર છે. હાલમાં ચીન પાસે 11 પરમાણુ અને 57 પરંપરાગત સબમરીન છે, જ્યારે ભારત પાસે 1 પરમાણુ (આઈએનએસ અરિહંત) અને લગભગ 13 પરંપરાગત સબમરીનની ક્ષમતા સાથે ચીનથી ઘણું પાછળ છે. થોડા સમય પહેલા શ્રીલંકા અને પાકિસ્તાનના બંદરો પર ચીની સબમરીન જોવી ભારત માટે ચિંતાનો વિષય છે. હાલમાં ભારત પ્રોજેક્ટ-75 હેઠળ પરંપરાગત સબમરીનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ બંને પ્રકારની સબમરીન ઉપરાંત ભારતે ડીપ સબમરજ્નસ રેસ્ક્યૂ વેસેલ (ડીએસઆરવી) બનાવવાની પણ જરૂર છે, જે સબમરીના અકસ્માત દરમિયાન બચાવ કામગીરી હાથ ધરવામાં કુશળતા ધરાવે છે. હાલમાં ભારત દ્વારા આવી 1 ડીએસઆરવી ખરીદવામાં આવી છે. ⚫️Source - Drishtiias ⚫️આવા જ સવાલ જવાબો ગુજરાતી માં મેળવવા આજે જ જોડાવ. GPSC અને UPSC માળખાના સવાલ જવાબ આપતી એકમાત્ર ગુજરાતી ચેનલ ⚫️ કોઈ પણ ચેનલ અથવા એકેડમી આ માહિતી શેર કરી શકે છે પણ માહિતી માં કોઈ ફેરફાર કરવા નહીં. ⚫️ Join - @Gpscmainspractice ✍🏻 @KuldipAhir