༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
Open in Telegram
આ ચેનલ અકાઈદ, મસાઈલ, સંશોધન તેમજ વૈચારિક અને બૌદ્ધિક સુધારણા, તથા કુર્આન અને હદીષની સહીહ સમજૂતી પર આધારિત છે. તમારા વૉટ્સઍપના દરેક ગ્રૂપમાં શેયર કરો.
Show more1 973
Subscribers
-324 hours
-177 days
-1030 days
Posts Archive
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૧૦૮}
✳️ જુમ્મા ના દિવસે મૃત્યુ પામનાર ની મગફિરત થવા વિષે.
હદીષમાં આવે છે :
مَنْ مَاتَ يَوْمَ الْجُمُعَةِ أَوْ لَيْلَةَ الْجُمُعَةِ وُقِيَ فِتْنَةَ الْقَبْرِ.
[મુસ્નદે અહમદ : ૭૦૫૦]
જે કોઈ શુક્રવાર કે શુક્રવારની રાત્રે મૃત્યુ પામે છે તે કબરના અઝાબથી સુરક્ષિત રહેશે.
❇️ આ હદીષ બિલકુલ સહીહ અને અન્ય હદીષની કિતાબોમાં ઉલ્લેખિત છે. આ જ કારણે જુમ્માના દિવસે મૃત્યુને સૌભાગ્ય અને ખુશનસીબ વાળું મૃત્યુ ગણવામાં આવે છે.
અહીં એક સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે કે કબરની સજા માત્ર શુક્રવારના દિવસ પૂરતી જ હટાવવામાં આવે છે કે કયામત સુધી..? તો આ બાબતે કેટલાક વિદ્વાનો કહે છે કે માત્ર શુક્રવારના દિવસે જ કબરની સજા (અઝાબ) હટાવી લેવાય છે. જ્યારે કે કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે કયામત સુધી તેમના પરથી કબરની સજા હટાવી લેવામાં આવે છે. અને અલ્લાહની રહમત થી એવી જ આશા રાખવી જોઈએ કે તે કયામત સુધી કબરની સજાથી સુરક્ષિત રહેશે અને હંમેશા અમન તથા આરામ સાથે રહેશે.
અને જો કોઈ ગુનેગાર મુસ્લિમ અથવા બિન-મુસ્લિમ શુક્રવારના દિવસે કે રમઝાન મુબારકના મહિનામાં મૃત્યુ પામે, તો માત્ર શુક્રવાર અને પવિત્ર રમઝાન મહિનાના આદર માં શુક્રવાર અથવા રમઝાન મહિનો પૂરો થવા સુધી કબરની સજાથી સુરક્ષિત રહેશે, અને શુક્રવાર કે રમઝાન પૂરો થયા પછી તેને ફરીથી સજા (અઝાબ) થશે. [ઑનલાઈન ફતાવા બિન્નોરીઆ]
સારાંશ કે ફક્ત શુક્રવારે મૃત્યુ પામવાને જન્નતનું પ્રમાણપત્ર ન સમજવું જોઈએ, બલ્કે કુર્આનની બેસુમાર આયતો અને અસંખ્ય હદીસો થી માણસ માટે નેક (સદાચારી) કાર્યો અત્યંત જરૂરી છે.
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૧૦૭}
✳️ ઈદે મિલાદુન્નબી બિદઅત છે, તો તબ્લીગી જમાત બિદઅત કેમ નહીં..?
કેટલાક લોકો આ બારામાં સવાલ કરે છે કે જે કામ હુઝૂર ﷺ ના યુગમાં ન થયું હોય એટલે કે નવું હોય તે બિદઅત છે, જેમ કે ઈદે મિલાદુન્નબી ને કહેવામાં આવે છે, તો પછી તબ્લીગી જમાત નું કામ પણ હુઝૂર ﷺ ના યુગમાં ન થતું હતું, બલ્કે નવું કામ છે તો તે બિદઅત કેમ નહીં..?
❇️ આ સિદ્ધાંત યાદ રહે કે દરેક તે વસ્તુ જે નવી હોય તે બિદઅત નથી કહેવાતી, બલ્કે એવું કામ બિદઅત કહેવાય છે જેની મૂળ તાલીમ કુર્આન અને હદીષમાં ન હોય, તેમજ તેની તક (મોકો) હોવા છતાં હુઝૂર ﷺ તથા સહાબા એ તે કામ ન કર્યું હોય તેને બાદના યુગમાં ઈબાદત તરીકે કરવું બિદઅત કહેવાય છે.
હવે જુઓ ઈદે મિલાદુન્નબી હુઝૂર ﷺ ના બર્થ ડે મનાવવાને કહેવામાં આવે છે. અને કુર્આન તથા હદીષમાં બર્થ ડે નો કોઈ જ ખ્યાલ નથી. એટલે કે ઈસ્લામ માં આની કોઈ મૂળ નથી. તેમજ હુઝૂર ﷺ તથા સહાબા ના જીવનમાં આની દર વર્ષે ખૂબ તકો (મોકા) પણ આવ્યા તે છતાં બર્થ ડે મનાવવાનો કોઈ ઉલ્લેખ નથી મળતો. બલ્કે હુઝૂર ﷺ ની જન્મ તારીખ પણ સુરક્ષિત નથી, તેમાં પણ ઉલમાનો મતભેદ છે. જે આ વાતની દલીલ છે કે ઈસ્લામ માં આવી કોઈ વસ્તુના પ્રબંધનો ખ્યાલ જ નથી.
બીજી તરફ તબ્લીગી જમાતની બુનિયાદ (મૂળ) અમ્ર બિલ મઅરૂફ અને નહ્ય અનિલ મુન્કર (ભલાઈ તરફ બોલાવવા અને બુરાઈ થી રોકવા) પર છે જેનો હુકમ અને પ્રોત્સાહન કુર્આન અને હદીષમાં ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આનાથી ખબર પડી કે તબ્લીગી જમાતની મૂળ સાબિત છે.
જ્યાં સુધી વાત છે વર્તમાન તરીકાની કે આ કામ આ તરીકાથી હુઝૂર ﷺ થી તો સાબિત નથી. તો આનો જવાબ આ છે કે જે કામ શરિયતમાં કોઈ ખાસ તરીકે કરવાનું કહ્યું હોય તેને તો તે જ તરીકે કરવાનું હોય છે. પરંતુ જેનો કોઈ ખાસ તરીકો બતાવવામાં ન આવ્યો હોય તેને કોઈ પણ જાઈઝ તરીકાથી કરી શકાય છે આ શર્તે કે કોઈ પણ એક તરીકાથી જ કામ કરવાને જરૂરી સમજી લેવામાં ન આવે.
તેથી જ્યારે પણ અમ્ર બિલ મઅરૂફ અને નહ્ય અનિલ મુન્કર માટે આ તરીકાને જરૂરી સમજી લેવામાં આવશે ત્યારે આ કામ પણ બિદઅત ની શ્રેણીમાં આવી જશે.
સારાંશ કે ઉપરની વિગતથી આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ઈદે મિલાદુન્નબી કેમ બિદઅત છે અને તબ્લીગી જમાત કેમ બિદઅત નથી.
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૧૦૬}
✳️ મોમિન એક જગ્યાએ થી બે વખત ધોકો નથી ખાતો હદીષની સમજૂતી.
એક હદીષમાં હુઝૂર ﷺ ઈરશાદ ફરમાવે છે કે :
لا يُلْدَغُ المؤمنُ من جُحْرٍ واحد مرتين.
[બુખારી : 6133 & મુસ્લિમ : 2998]
મોમિન એક જ કાણામાં થી બે વાર ડંખ નથી ખાતો.
❇️ આ હદીષમાં હુઝૂર ﷺ તરફથી મોમિન ના મુખ્ય ત્રણ ગુણોનો પરોક્ષ રીતે (indirectly) ઉલ્લેખ કર્યો છે તે ગુણ આ છે :
(૧) સાવધાની : મોમિન વ્યક્તિ ક્યારેય બેદરકાર કે અજાણ નથી રહેતો.
(૨) અનુભવથી શીખ : એકવાર ભૂલ થઈ જાય તો તેનાથી શીખ મેળવી ફરી તે ભૂલ નથી કરતો.
(૩) હિકમત : તે પરિસ્થિતિઓ નું અવલોકન કરીને બુદ્ધિ અને સમજદારીથી કામ લે છે.
આ રીતે હદીષનો ટૂંકમાં ખૂબસૂરત મતલબ આ નિકળે છે કે કોઈ મોમિન ભૂલ તો કરી શકે છે, પરંતુ જો તે પોતાની ભૂલમાંથી શીખતો નથી અને ફરીથી એ જ નુકસાન સહન કરતો રહે છે, તો આ મોમિન ને શોભા નથી આપતું અને ન આ તેની મહિમા (શાન) છે.
યાદ રહે કે સાચો નિર્ણય એ અનુભવનું પરિણામ હોય છે. અને અનુભવ ખોટા નિર્ણયોમાંથી મળે છે. તેથી ભૂલોથી ડરવાને બદલે તેનાથી જ શીખ મેળવીને એક મોમિને પરિપક્વ બનવું જોઈએ.
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૧૦૫}
✳️ એક દૂધ પીતા બાળકને જંગ માટે હુઝૂર ﷺ ની સેવામાં આપવા વિષે તહકીક.
આ કિસ્સો પણ ખૂબ જ પ્રચલિત છે કે એક સ્ત્રી હુઝૂર ﷺ પાસે દૂધ પીતા બાળક સાથે આવી અને કહ્યું કે તેને પોતાની સાથે જંગમાં લઈ જાઓ. લોકોએ તેમને પૂછ્યું : આ બાળક જંગમાં શું કરશે..? સ્ત્રીએ જવાબ આપતાં કહ્યું કે જો કંઈ ન થાય, તો તેને તમારા માટે ઢાલ તરીકે ઉપયોગ કરો.
❇️ હદીષની કિતાબોમાં ઘણી શોધખોળ કર્યા બાદ પણ આ કિસ્સો મળતો નથી. અને જ્યાં સુધી કોઈ ભરોસાપાત્ર સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને હુઝૂર ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવા બાબત સાવચેતી અપનાવવી જોઈએ.
અલબત્ત આનાથી મળતો એક કિસ્સો મળે છે જે ઝઈફ સનદથી કિતાબોમાં મળે છે, જેને ફઝાઈલ એટલે કે પ્રોત્સાહન આપવા માટે બયાન કરવામાં વાંધો નથી જે આ છે :
હઝરત શઅબી રહ. થી નકલ કરવામાં આવ્યું છે કે : એક સ્ત્રીએ ઉહદ (યુદ્ધ) ના દિવસે પોતાના દીકરાને એક તલવાર આપી, પરંતુ દીકરો તેને ઉઠાવી શકતો ન હતો. તે સ્ત્રીએ તલવારને (દીકરાના) હાથ સાથે (દોરી/પટ્ટી) થી બાંધી દીધી. પછી તે સ્ત્રી આપ ﷺ ની ખિદમતમાં હાજર થઈ અને કહ્યું : યા રસૂલલ્લાહ! મારો આ દીકરો આપના બચાવમાં (દિફામાં) લડશે.
આપ ﷺ એ ફરમાવ્યું હે મારા દીકરા! અહીંથી પકડ, એ મારા દીકરા! અહીંથી પકડ. તે દરમિયાન જ તે (છોકરો) જખમી થયો અને પડી ગયો. તેને આપ ﷺ ની પાસે લાવવામાં આવ્યો, તો આપ ﷺ એ ફરમાવ્યું: લાગે છે કે તું ગભરાઈ ગયો છે. છોકરાએ કહ્યું: યા રસૂલુલ્લાહ! હું ગભરાઈ નથી રહ્યો. [મુસન્નફ ઈબ્ને અબી શઅબી, અલ મુસ્તદરક]
સારાંશ કે ઉપરોક્ત કિસ્સો હદીષથી સાબિત નથી, તેથી તેને બયાન ન કરવો જોઈએ. હાં, બીજા નંબરનો કિસ્સો બયાન કરવામાં વાંધો નથી.
📗📕📘 [ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝા : ૨ / ૪૩૩]
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૧૦૪}
✳️ બીમાર વ્યક્તિ માટે નબવી માર્ગદર્શન
એક હદીષમાં હુઝૂર ﷺ ફરમાવે છે કે :
તમારા બીમારોને બળજબરી ખવડાવવા અને પીવડાવવાનો પ્રયત્ન ન કરો, કારણ કે અલ્લાહ તેમને ખવડાવે છે અને પીવડાવે છે. [તીરમીઝી : ૨૦૪૦]
❇️ આ હદીસમાં નબીએ કરીમ ﷺ એ મનાઈ ફરમાવી છે કે જો દર્દીનું મન ખાવા માટે ન ઈચ્છતું હોય અથવા તેનું મૂડ ન હોય, તો તેને જબરદસ્તી ખાવાનું ખવડાવવામાં ન આવે.
દરઅસલ બીમારીની સ્થિતિમાં પેટ (મેદો) અને પાચનતંત્ર નબળા પડી જાય છે. આ સમયે ભૂખ ન લાગવી એ શરીરની એક કુદરતી બચાવ પ્રણાલી (natural defense mechanism) હોય છે, જેથી શરીર પોતાની બધી જ ઉર્જા (શક્તિ) પાચનને બદલે બીમારી સામે લડવામાં વાપરી શકે.
હદીસના છેલ્લા શબ્દો છે કે “ કારણ કે અલ્લાહ તઆલા તેમને ખવડાવે અને પીવડાવે છે ” આનો મતલબ આ છે કે અલ્લાહ તરફથી દર્દીને એવી આધ્યાત્મિક અને છુપી શક્તિ મળે છે, જે બાહ્ય ખોરાકની કમીને પૂરી કરી દે છે.
સારાંશ કે આનો હેતુ દર્દીની સુવિધા અને કુદરતી રિકવરી (સાજા થવા) નું ધ્યાન રાખવાનો છે, જો કે આનો અર્થ એવો બિલકુલ નથી કે દર્દીને કંઈ જ ન આપવું. જો દર્દી કંઈક ખાવા ઈચ્છે તો તેને હળવો અને જલ્દી પચી જાય તેવો ખોરાક (જેમ કે સૂપ, ફળ કે પાણી) પ્રેમ અને નરમાશથી આપી શકાય છે.
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૩
https://chat.whatsapp.com/KH6qiT3GpF8DOAnTpcKpe3
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૧૦૩}
✳️ ખત્મે નુબુવ્વત અને અંતિમ યુગના ફિત્નાઓ.
[ભાગ : ૨૫]
▣ વર્તમાન ફિત્ના :
(૩) નબી ﷺ ના હુકમને માત્ર કુર્આન પહોંચાડવા પૂરતો મર્યાદિત કરવો : કેટલાક લોકો નબી ﷺની ભૂમિકા માત્ર એટલી માને છે કે તેમણે અલ્લાહનો કુર્આન લોકો સુધી પહોંચાડ્યો. ત્યારબાદ તેમના હુકમ, નિર્ણય, સમજાવટ અને વ્યવહારને સ્વતંત્ર શરઈ સત્તા આપવામાં આવતી નથી.
જ્યારે કે કુર્આન પોતે નબી ﷺ ની આજ્ઞાપાલન અને તેમના નિર્ણયને માનવાની સ્પષ્ટ તાકીદ કરે છે.
(૪) કુર્આનના અર્થઘટનમાં સુન્નતને અનિવાર્ય ન માનવી : કેટલાક લોકો કુર્આનનો અર્થ માત્ર પોતાની ભાષાકીય સમજ, બુદ્ધિ અથવા આધુનિક વિચારના આધારે નક્કી કરવા માગે છે અને નબી ﷺ ની તફસીર તથા વ્યવહારિક સમજને અનિવાર્ય માનતા નથી. પરિણામે એક જ આયતના એવા અર્થો કાઢવાની શક્યતા ઊભી થાય છે જે નબી ﷺ ની સમજ અને અમલથી વિરુદ્ધ હોય.
જ્યારે કે કુર્આન અને સુન્નત વચ્ચેનો સંબંધ ઈસ્લામી શરઈ સમજણમાં મૂળભૂત હોય છે.
સારાંશ કે આ ફિત્નાઓનો મૂળ પ્રશ્ન એ છે કે નબી ﷺ ને અંતિમ નબી તો માનવામાં આવે, પરંતુ તેમની સુન્નત અને શરઈ માર્ગદર્શનની અંતિમ સત્તાને સ્વીકારવામાં ન આવે જે ખત્મે નુબુવ્વતના વ્યવહારિક અર્થને નબળો પાડે છે.
અંતમાં..!
ખત્મે નુબુવ્વત ઈસ્લામના મૂળભૂત અકીદાઓ માંથી એક છે, જેનો અર્થ આ છે કે હઝરત મુહમ્મદ ﷺ અલ્લાહના અંતિમ નબી છે અને તેમના પછી કોઈ પણ પ્રકારની નુબુવ્વત કે નવી વહી આવવાની નથી. નુબુવ્વતનો સિલસિલો પૂર્ણ થવા સાથે દીન અને શરિયત પણ પૂર્ણ થઈ ગઈ અને હવે કયામત સુધી કુર્આન તથા સુન્નત જ હિદાયતનો અંતિમ માપદંડ છે.
હઝરત મહદી અને ઈસા નું આગમન પણ હદીસોમાં વર્ણવાયેલું સત્ય છે, પરંતુ તેમના નામે ઊભા થતા દાવેદારોને હદીસોની નિશાનીઓ, સમય અને પરિસ્થિતિઓની કસોટી પર જ પરખવા જોઈએ.
ઈતિહાસથી લઈને આજ સુધીના ફિત્નાઓ આપણને શીખવે છે કે ચમત્કાર, રહસ્ય, વ્યક્તિગત દાવા, ઈલ્હામ, લોકપ્રિયતા કે ભાવનાત્મક પ્રચાર સત્યની કસોટી નથી, સત્યની કસોટી કુર્આન, સુન્નત અને એહલે સુન્નતના સહીહ અકીદા છે.
તેથી ખત્મે નુબુવ્વતને માત્ર એક અકીદો સમજીને નહીં, પરંતુ દરેક ખોટા દાવા અને ધાર્મિક ફિત્નાથી બચાવતી સુરક્ષિત હદ તરીકે સમજવું જરૂરી છે. (પૂર્ણ)
[સમાપ્ત]
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૬
https://chat.whatsapp.com/LArMpm8Nm4n0HouSdfcDJK
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૧૦૨}
✳️ ખત્મે નુબુવ્વત અને અંતિમ યુગના ફિત્નાઓ.
[ભાગ : ૨૪]
▣ વર્તમાન ફિત્ના :
આજના યુગમાં ખત્મે નુબુવ્વતના સંદર્ભમાં ફિત્નાનું સ્વરૂપ પણ બદલાયું છે. કેટલાક લોકો સ્પષ્ટપણે નુબુવ્વત, મહદી અથવા મસીહ હોવાનો દાવો કરે છે. પરંતુ કેટલાક અન્ય ફિત્ના સીધો એવો દાવો કર્યા વિના નબી ﷺ પછી મળેલી અંતિમ દૈવી હિદાયતની (ઈલાહી માર્ગદર્શનની) સત્તાને નબળી પાડવાનો પ્રયત્ન કરે છે.
તેથી ખત્મે નુબુવ્વતની સાચી સમજ માત્ર ખોટા નબી, ખોટા મહદી અથવા ખોટા મસીહથી બચવા માટે જ નહીં, બલ્કે એવા બૌદ્ધિક અને ધાર્મિક ફિત્નાઓથી બચવા માટે પણ જરૂરી છે જે નબી ﷺની સુન્નત, હદીસ અને અંતિમ ધાર્મિક માર્ગદર્શનની સત્તાને તથા ખયાલ ને નબળી પાડે છે.
આજના આધુનિક યુગમાં પરોક્ષ રીતે (Indirectly) નબી ﷺ ની ધાર્મિક સત્તાને નબળી પાડનારા ફિત્ના મુખ્ય ચાર પ્રકારના છે :
(૧) મુનકિરીને હદીષ : (કુરઆનિઝમ) : કેટલાક લોકો કુર્આનને ઈસ્લામનો એકમાત્ર ધાર્મિક સ્ત્રોત માનીને હદીસ અને સુન્નતની શરઈ સત્તાને નકારે છે. પરિણામે નબી ﷺ ના અનેક સ્પષ્ટ આદેશો અને તેમની વ્યવહારિક સુન્નતને ધાર્મિક માર્ગદર્શનમાંથી અલગ કરી દેવામાં આવે છે.
જ્યારે કે એહલે સુન્નતના નજીક કુર્આન સાથે નબી ﷺ ની સુન્નત પણ દીનને સમજવા અને અમલમાં મૂકવા માટે મૂળભૂત સ્થાન ધરાવે છે.
(૨) નબી ﷺ ની સુન્નતને માત્ર ઐતિહાસિક પરંપરા ગણવી : કેટલાક લોકો નબી ﷺ ના જીવન, વચનો અને કાર્યોને માત્ર ઈસ્લામના પ્રારંભિક ઈતિહાસનો ભાગ માને છે, પરંતુ તેને કયામત સુધી માટે અનુસરવા યોગ્ય ધાર્મિક માર્ગદર્શન માનતા નથી. આ દૃષ્ટિકોણથી સુન્નતની શરઈ અને અનુસરણ યોગ્ય સત્તા નબળી પડી જાય છે. (ક્રમશઃ)
[વધુ આવતા અંકે ઈંશા અલ્લાહ]
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૬
https://chat.whatsapp.com/LArMpm8Nm4n0HouSdfcDJK
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૧૦૧}
✳️ ખત્મે નુબુવ્વત અને અંતિમ યુગના ફિત્નાઓ.
[ભાગ : ૨૩]
▣ ઈતિહાસના ખોટા દાવેદારો :
❍ મુહમ્મદ જૌનપુરી :
● નામ : આનું મૂળ નામ મુહમ્મદ બિન અબ્દુલ્લાહ હતું. આ અલાવા મીરાં સૈયદ જૌનપુરી, મીરાં સાઈં સિંધમાં, અને નૂર પાક મકરાણ અને બલોચિસ્તાનના ઝિક્રી સંપ્રદાયમાં પ્રચલિત છે.
● જન્મ - મૃત્યુ : આનો જન્મ ૧૪ જમાદિલ અવ્વલ ૮૪૭ હિજરી (૯ સપ્ટેમ્બર ૧૪૪૩) ના રોજ જૌનપુર, ઉત્તર પ્રદેશ (ભારત) માં થયો હતો.
અને મૃત્યુ ૧૯ ઝીલ કઅદા ૯૧૦ હિજરી (૨૩ એપ્રિલ ૧૫૦૫) ના રોજ ફરાહ નગર (અફઘાનિસ્તાન) માં થયું અને ત્યાં જ દફન કરવામાં આવ્યા.
● ટૂંકમાં પરિચય : તેઓ શરૂઆતમાં પોતાના સમયના એક માનનીય આલિમ, ઝાહિદ (તપસ્વી) અને સૂફી હતા. તેમની વંશાવળી ૧૨મી પેઢીએ હઝરત મૂસા કાઝિમ (રહ.) સાથે મળે છે, અને તેમની માતાનું નામ આમિના ખાતૂન બતાવવામાં આવે છે.
તેમણે જૌનપુર છોડીને ભારતના વિવિધ વિસ્તારો (ગુજરાત, અહમદનગર) અને મક્કા મુઅઝ્ઝમાનો પ્રવાસ કર્યો, જ્યાં તેમની તપસ્યા અને પરહેઝગારીના કારણે લોકો તેમના મુરીદ (શિષ્ય) બન્યા.
● દાવો : તેમણે પહેલાં ૯૦૧ હિજરીમાં મક્કા મુઅઝ્ઝમામાં હજરે અસ્વદ અને મકામે ઈબ્રાહીમ વચ્ચે, અને ત્યારબાદ ૯૦૫ હિજરીમાં અમદાવાદ (ગુજરાત, ભારત) માં દાવો કર્યો કે હું જ અલ્લાહ દ્વારા વચન આપેલો આખરી જમાનાનો ઈમામ મહદી છું.
● દાવાનું કારણ : હદીસોમાં આવ્યું છે કે ઈમામ મહદીનું નામ મુહમ્મદ અને તેમના પિતાનું નામ અબ્દુલ્લાહ હશે. કારણ કે તેમનું અને તેમના પિતાનું નામ પણ આ જ હતું, તેથી તેમણે આને પોતાના હકમાં એક સંકેત સમજી લીધો.
તેમજ ૯ મી સદી હિજરીના અંતમાં ભારત અને મુસ્લિમ વિશ્વમાં ભારે નૈતિક, સામાજિક અને ધાર્મિક પતન આવી ચૂક્યું હતું. આ વાતાવરણમાં તેમણે સ્થિતિ સુધારવાના ઉત્સાહ અને કેટલીક આંતરિક-સૂફીયાના સ્થિતિઓ (કશ્ફ વગેરે) ના પ્રભાવ હેઠળ આવીને પોતાને મહદી સમજી લીધા.
અગત્યની નોંધ : સંશોધક ઉલમાના મતે તેમના પિતાનું નામ અબ્દુલ્લાહ અને માતાનું નામ આમિના ન હતું. બલ્કે હદીસોમાં સાચા મહેદીના સંકેતો સાથે સુસંગતતા (મેળ) સ્થાપિત કરવા માટે તેમણે પહેલા તે બન્નેના નામ બદલ્યા અને પછી મહેદી હોવાનો દાવો કર્યો.
આની સૌથી મોટી દલીલ આ છે કે તેમના સમકાલીન ઉલમા પૈકી કોઈ પણ તેમના પિતાનું નામ અબ્દુલ્લાહ અને માતાનું નામ આમિના નથી બતાવતા. બલ્કે તેમણે જે નામ લખ્યું છે તે આ છે કે પિતાનું નામ સૈયદ ખાન (જેઓ બુડ્ઢ હુસૈની તરીકે જાણીતા હતા) અને માતાનું નામ આકા મલિક જણાવે છે.
આ અમુક તે દાવેદારો છે જેમના અનુયાયીઓ હજુ પણ તેમને મહેદી તથા ઈસા માની તેમના ગલત વિચારો અને અકાઈદને આગળ ધપાવે છે. આ સિવાયના અન્ય પણ છે, પરંતુ અહીં પ્રખ્યાત દાવેદારોને લઈને ટૂંકમાં ચર્ચા કરી. (ક્રમશઃ)
[વધુ આવતા અંકે ઈંશા અલ્લાહ]
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૬
https://chat.whatsapp.com/LArMpm8Nm4n0HouSdfcDJK
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૧૦૦}
✳️ ખત્મે નુબુવ્વત અને અંતિમ યુગના ફિત્નાઓ.
[ભાગ : ૨૨]
▣ ઈતિહાસના ખોટા દાવેદારો :
❍ શકીલ બિન હનીફ :
● નામ : આનું મૂળ નામ મુહમ્મદ શકીલ, અને તેના પિતાનું નામ હનીફ છે. આ રીતે તે શકીલ બિન હનીફ તરીકે ઓળખાય છે. તેની અટક ખાન છે.
● જન્મ - મૃત્યુ : ભારતના બિહાર રાજ્યના દરભંગા જિલ્લાના ઉસ્માનપુર ગામમાં તેનો જન્મ થયો હતો. તેના જન્મનું વર્ષ સ્પષ્ટ નથી, પરંતુ તેની પ્રવૃત્તિઓ ૨૦૦૦ ના દશક પછી ચરમસીમાએ પહોંચી હતી.
આ વ્યક્તિ હજુ જીવીત છે અને કાયદા તથા ઉલમાની પકડથી બચવા માટે અંડરગ્રાઉન્ડ (છૂપો) થઈને પોતાનું ગુમરાહ કરનારું મિશન ચલાવી રહ્યો છે. તેનું વર્તમાન કેન્દ્ર મહારાષ્ટ્રનું ઔરંગાબાદ (મેહદી નગર/રહમત નગર) શહેર છે.
● ટૂંકમાં પરિચય : શકીલ બિન હનીફ વર્તમાન યુગનો એક ખતરનાક ફિત્નો ફેલાવનાર અને ખોટો દાવેદાર છે. નોકરીની શોધમાં તે બિહારથી દિલ્હી આવ્યો હતો. ત્યાં તે એક ધાર્મિક પ્રવૃત્તિ (તબ્લીગી જમાત) સાથે જોડાયો હતો, પોતાની તકરીરો માં મોટાભાગે કયામતની નિશાનીઓ તથા મહેદી ઈસા વગેરેને ચર્ચાનો વિષય બનાવતો હતો.
આગળ જતાં તેણે પોતાની માનસિક વિકૃતિ, અહંકાર અને પ્રસિદ્ધિની ભૂખમાં ગુમરાહીનો માર્ગ અપનાવ્યો. અને દિલ્હીના વિસ્તારો (નબી કરીમ અને લક્ષ્મી નગર) માં શિક્ષણ સંસ્થાઓના ઓછું ધાર્મિક જ્ઞાન ધરાવતા મુસ્લિમ યુવાનોને લક્ષ્ય બનાવીને એક નવા ફિત્નાની શરૂઆત કરી જેને ઉલમા નવી કાદિયાનિયય્ત કહે છે. તેમજ આ ફિરકો આજે ફિત્નએ શકીલીય્યત (શકીલ નો ફિત્નો) તરીકે પણ ઓળખાય છે.
● દાવો : તેણે એક સાથે બે મોટા ખોટા દાવા કર્યા છે :
- પ્રથમ દાવો : ઈમામ મહદી મૌઊદ હોવાનો દાવો (૨૦૦૨ માં કર્યો).
- બીજો દાવો : હઝરત ઈસા અ.સ. (મસીહ મૌઊદ) હોવાનો દાવો.
દરઅસલ તે હઝરત ઈસા અ.સ. ના શારીરિક રીતે આકાશમાંથી ઉતરવાનો અસ્વીકાર કરે છે અને પોતાને તેમના વિકલ્પ તરીકે રજૂ કરે છે.
● દાવાનું કારણ : તે પરંપરાગત ઈસ્લામી સંકેતોને સ્વીકારવાને બદલે વૈજ્ઞાનિક દલીલો અને મનઘડત તત્વજ્ઞાન (ફિલસૂફી) રજૂ કરીને આધુનિક શિક્ષિત યુવાનોને પ્રભાવિત કરે છે.
તદુપરાંત આ ફિત્નાનો અસલ હેતુ મુસ્લિમોના મૂળભૂત અકીદા (અંતિમ પયગંબરનો અકીદો અને કિયામતની નિશાનીઓ) ને નષ્ટ કરવાનો છે, જેની પાછળ ઈસ્લામ વિરોધી તાકાતોનું ભારે આર્થિક ફંડિંગ અને નેટવર્ક છે. તેઓ ભોળા મુસ્લિમોને પગાર પર નોકરીએ રાખીને ગુમરાહ કરે છે. (ક્રમશઃ)
[વધુ આવતા અંકે ઈંશા અલ્લાહ]
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૬
https://chat.whatsapp.com/LArMpm8Nm4n0HouSdfcDJK
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૦૯૯}
✳️ ખત્મે નુબુવ્વત અને અંતિમ યુગના ફિત્નાઓ.
[ભાગ : ૨૧]
▣ ઈતિહાસના ખોટા દાવેદારો :
❍ મિર્ઝા ગુલામ અહમદ કાદિયાની :
● દાવાની હકીકત : વિશ્વભરના તમામ મુસ્લિમ વિચારધારાઓ નો સર્વસંમતિથી નિર્ણય છે કે મિર્ઝા ગુલામ અહમદનો નુબુવ્વતનો દાવો સંપૂર્ણપણે જૂઠ અને છળકપટ પર આધારિત હતો. કુર્આન અને હદીસ મુજબ હુઝૂર ﷺ અલ્લાહના અંતિમ પયગંબર છે. તેમના પછી કોઈપણ પ્રકારના નબી આવવાનો દાવો કરવો એ ઈસ્લામના મૂળભૂત અકીદા પર હુમલો છે.
અહમદિયા સમુદાય મિર્ઝા ગુલામ અહમદને સાચા મસીહ અને મહદી માને છે. તેમનો અકીદો છે કે ઈસા અ.સ. કુદરતી મૃત્યુ પામ્યા છે અને મિર્ઝા સાહેબ તેમનું આધ્યાત્મિક રૂપ છે. તેઓ તેમને પયગંબર મોહમ્મદ સાહેબ હેઠળના એક નવી શરિયત વગરના નબી તરીકે સ્વીકારે છે. આ સમુદાય પોતાની અહમદી મુસલમાન તરીકે ઓળખ આપે છે, અને મુસ્લિમ સમાજમાં કાદિયાની ફિરકા તરીકે પ્રચલિત છે.
● ઈબરતનાક અંત : મિર્ઝા ગુલામ ૨૬ મે ૧૯૦૮ના રોજ લાહોરમાં મૃત્યુ પામ્યો હતો. તે ગંભીર કોલેરા (મરડો / ઊલટી, ઝાડા) નો ભોગ બન્યો હતો, જેના કારણે તેની હાલત લથડી અને તેણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધો.
નુબુવ્વતનો ખોટો દાવો કરનારનો આ એક બોધપાઠ સમાન (ઈબરતનાક) અંત હતો. તેણે પોતે કહ્યું હતું કે હું ખોટો હોઉં તે મારી અપમાનજનક મોત આવે, કેમ કે ખોટા દાવેદારો અપમાનજનક મૃત્યુ (કોલેરા કે પ્લેગ) થી મરે છે, અને છેવટે તેનો અંત પણ આ જ દાવાની સત્યતાનો પુરાવો હતો.
સારાંશ કે આ ઈતિહાસ ના એક એવા ખોટા અને જુઠ્ઠા દાવેદાર ની ટૂંકી માહિતી છે જેના અનુયાયીઓ આજે પણ તેનો પ્રચાર પ્રસાર કરે છે. (ક્રમશઃ)
[વધુ આવતા અંકે ઈંશા અલ્લાહ]
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૬
https://chat.whatsapp.com/LArMpm8Nm4n0HouSdfcDJK
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૦૯૮}
✳️ ખત્મે નુબુવ્વત અને અંતિમ યુગના ફિત્નાઓ.
[ભાગ : ૨૦]
▣ ઈતિહાસના ખોટા દાવેદારો :
❍ મિર્ઝા ગુલામ અહમદ કાદિયાની :
● દાવાનું કારણ : ઉલમાએ અહલે સુન્નત અને ઈતિહાસકારો એ મિર્ઝા ગુલામ અહમદ કાદિયાની દ્વારા કરવામાં આવેલા નુબુવ્વતના દાવા પાછળના બ્રિટિશ સામ્રાજ્યવાદ ઉપરાંત અન્ય ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને તાર્કિક કારણો દર્શાવ્યા છે. જે પૈકીના મુખ્ય કારણો નીચે મુજબ છે :
૧) રાજકીય પૃષ્ઠભૂમિ : વિદ્વાનોના મતે, મિર્ઝા ગુલામે તે સમયના અંગ્રેજ શાસન પ્રત્યે સંપૂર્ણ વફાદારી બતાવી અને તલવારથી કરાતા જિહાદને રદ્દ કરીને માત્ર કલમ અને વાણીના જિહાદ નો પ્રચાર કર્યો.
અંગ્રેજો પણ ઈચ્છતા હતા કે મુસ્લિમોમાંથી સશસ્ત્ર ક્રાંતિ અને જિહાદનો આવેગ શાંત પડી જાય. તેથી આ નવી ધાર્મિક ચળવળથી પોતાના રાજકીય હિતો સધાતા જોઈને બ્રિટિશ સરકારે મિર્ઝા ગુલામને કાર્ય કરવા માટે અનુકૂળ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું.
૨) નેતૃત્વ અને સાંસારિક હોદ્દાની લાલસા : ઉલમાના મતે દરેક ખોટા દાવેદાર (કઝ્ઝાબ) ની જેમ તેની અંદર પણ પોતાની એક અલગ જમાત, અલગ ઓળખ અને વંશપરંપરાગત ધાર્મિક ગાદી (સલ્તનત) ઊભી કરવાની તીવ્ર ઈચ્છા હતી.
તે ઈચ્છતો હતા કે મુસ્લિમ ઉમ્મતના એક મોટા વર્ગ પર તેમનું સંપૂર્ણ આધ્યાત્મિક અને રાજકીય વર્ચસ્વ હોય. અને પોતાના અનુયાયીઓ પાસે પોતાની બયઅત (વફાદારીની શપથ) લેવડાવીને એક અલગ સમુદાય સ્થાપિત કરવો.
૩) પંજાબનું સામાજિક અને ધાર્મિક વાતાવરણ : ૧૯મી સદીના ઉત્તરાધમાં પંજાબમાં ધાર્મિક અસ્થિરતા અને સ્પર્ધાનો માહોલ હતો. ખ્રિસ્તી મિશનરીઓ, આર્ય સમાજ અને સનાતન ધર્મીઓ વચ્ચે સતત ડિબેટ થતા હતા. સામાન્ય મુસ્લિમો પોતાના ધર્મના રક્ષણ માટે કોઈ મજબૂત નેતા કે વક્તાની શોધમાં હતા.
શરૂઆતમાં મિર્ઝા સાહેબે બરાહીને અહમદિયા પુસ્તક લખીને વિરોધીઓ સામે ઈસ્લામનો પક્ષ રાખ્યો, જેનાથી સામાન્ય મુસ્લિમોમાં તેમની લોકપ્રિયતા વધી. આ લોકપ્રિયતાનો ઉપયોગ તેમણે પાછળથી પોતાના વ્યક્તિગત દાવાઓ સ્થાપિત કરવા માટે કર્યો.
૪) વહી અને ઈલ્હામ નો ખોટો ખ્યાલ : ઉલમાએ અહલે સુન્નતના મતે મિર્ઝા ગુલામ પોતાની કાલ્પનિક વાતો, સ્વપ્નો અને મનમાં આવતા વિચારોને અલ્લાહની વહી (ઈશ્વરીય સંદેશ) માનવાની ભૂલ કરી બેઠો.
તે પોતાની માનસિક પ્રેરણાઓને કુર્આનની આયાતોની સમકક્ષ ગણવા લાગ્યો. વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કેટલાક ઉલમાએ એ પણ નોંધ્યું છે કે તે કેટલાક શારીરિક અને મનોવૈજ્ઞાનિક રોગોથી પીડાતો હતો, જેના કારણે તેને ભ્રમ (Hallucinations) થતો હતો, જેને તેણે વહી સમજી લીધી.
૫) અજ્ઞાની અને ભોળા લોકોનું અંધઅનુસરણ : પંજાબના ગ્રામીણ અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોના લોકો ધાર્મિક બાબતોમાં ઊંડું જ્ઞાન ધરાવતા નહોતા.
જ્યારે તેમણે મિર્ઝા ગુલામ ના અરબી વક્તવ્યો, સુંદર શાયરીઓ અને વિધર્મીઓ સામેના મુનાઝરા જોયા, ત્યારે તેઓ પ્રભાવિત થઈ ગયા અને તેમની પાછળ આંખ બંધ કરીને ચાલવા લાગ્યા, જેનાથી મિર્ઝા ગુલામને ઉત્સાહ અને દાવાઓને વધુ બળ મળ્યું.
ટૂંકમાં ઉલમાએ અહલે સુન્નતના મતે મિર્ઝા ગુલામ અહમદ કાદિયાનીનો નબુવ્વતનો દાવો એ વ્યક્તિગત ઈરાદો નહીં, બલ્કે ભ્રામક પ્રેરણાઓ (ઈલ્હામ), સામાજિક પરિસ્થિતિઓ નો દુરૂપયોગ અને બ્રિટિશ સરકારનું પ્રોત્સાહન, આ તમામ પરિબળોનું મિશ્રણ હતું. (ક્રમશઃ)
[વધુ આવતા અંકે ઈંશા અલ્લાહ]
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૬
https://chat.whatsapp.com/LArMpm8Nm4n0HouSdfcDJK
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૦૯૭}
✳️ ખત્મે નુબુવ્વત અને અંતિમ યુગના ફિત્નાઓ.
[ભાગ : ૧૯]
▣ ઈતિહાસના ખોટા દાવેદારો :
❍ મિર્ઝા ગુલામ અહમદ કાદિયાની :
● નામ : તેનું નામ ગુલામ અહમદ, તેના પિતાનું નામ ગુલામ મુરતઝા અને દાદાનું અતા મુહમ્મદ હતું. મિર્ઝા તેની અટક હતી.
● જન્મ - મૃત્યુ : આનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૩૫ માં કાદિયાન, જિલ્લો ગુરુદાસપુર, પંજાબ, બ્રિટિશ ઈન્ડિયા ના સમયે થયો હતો. અને મૃત્યુ ૨૬ મે ૧૯૦૮ માં થયું હતું. તેની અંતિમવિધિ લાહોરના કાદિયાનમાં થઈ હતી.
● ટૂંકમાં પરિચય : મિર્ઝા ગુલામ અહમદ કાદિયાની પંજાબના એક જમીનદાર પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો. તેણે પરંપરાગત અરબી અને ફારસીનું શિક્ષણ મેળવી થોડો સમય સિયાલકોટની બ્રિટિશ અદાલતમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી.
૧૮૮૦ માં તેણે તેનું પ્રખ્યાત પુસ્તક બરાહીને અહમદિયા લખ્યું હતું, જેમાં ખ્રિસ્તી મિશનરીઓ અને હિન્દુ પંડિતો સામે ઈસ્લામનો બચાવ કર્યો હતો. આ પુસ્તક પછી તે ઉપખંડના મુસ્લિમોમાં લોકપ્રિય થયો, પરંતુ પાછળથી પોતાના ખોટા ધાર્મિક દાવાઓને કારણે તે મુસ્લિમ ઈતિહાસની સૌથી વિવાદાસ્પદ શખ્સિયત બની ગઈ. તેણે ૨૩ માર્ચ ૧૮૮૯ના રોજ અહમદિયા જમાતની સ્થાપના કરી હતી, જેના અનુયાયી આજે પણ અહમદી તરીકે ઓળખાય છે.
● દાવા : મિર્ઝા ગુલામ અહમદે પોતાના જીવન દરમિયાન ધીમે ધીમે ક્રમિકતા સાથે વિવિધ અને મોટા દાવા કર્યા હતા :
- મુજદ્દિદનો દાવો (૧૮૮૫) : તેણે દાવો કર્યો કે તેઓ ચૌદમી સદી હિજરીના મુજદ્દિદ (ધાર્મિક સુધારક) છે.
- મસીહ મૌઊદ અને મહદીનો દાવો (૧૮૯૧) : તેણે ઈસા અલયહિસ્સલામ (ઈસુ) ના શારીરિક આગમનનો અસ્વીકાર કર્યો અને દાવો કર્યો કે તેઓ પોતે જ ઈસા (મસીહ) અને મહદી છે.
- નુબુવ્વતનો દાવો (૧૯૦૧) : તેણે દાવો કર્યો કે તેઓ અલ્લાહના નબી (પયગંબર) છે, આ અર્થઘટનની સાથે કે તેમની નુબુવ્વત ઝિલ્લી અને બરૂઝી એટલે કે શરીયત વગરની, પયગંબર મુહમ્મદ સાહેબના અનુસરણમાં છે. મતલબ હું નબી તો છું, પરંતુ નવી શરિયત સાથે નહીં, બલ્કે હુઝૂર ﷺ ની શરિયત ને જારી કરવા માટે.
- અન્ય ધર્મોના સુધારકનો દાવો : તેણે હિન્દુઓ માટે પોતાને શ્રીકૃષ્ણનો અવતાર પણ ગણાવ્યો હતો.
આ રીતે તેણે પોતાના જીવનમાં ધીમે ધીમે નબી અને છેવટે અવતાર સુધીનો દાવો કરી દીધો હતો. (ક્રમશઃ)
[વધુ આવતા અંકે ઈંશા અલ્લાહ]
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૬
https://chat.whatsapp.com/LArMpm8Nm4n0HouSdfcDJK
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
♻•°•° બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ •°•°♻
•┄┅❂❀❖❖❀❂┅┈•
👁🗨 ༺ ઈસ્લાહી આર્ટીકલ્સ ༻
•┄┅❂❀❖❖❀❂┅┈•
સબક નંબર {૧૦૯૬}
✳️ ખત્મે નુબુવ્વત અને અંતિમ યુગના ફિત્નાઓ.
[ભાગ : ૧૮]
▣ ઈતિહાસના ખોટા દાવેદારો :
❍ સજ્જાહ બિન્તે હારિસ :
● નામ : આ એક મહિલા હતી, તેનું આખું નામ સજ્જાહ બિન્તે હારિસ બિન સુવૈદ બિન ઉકફાન અલ તમીમિયા હતું. અને ઉપનામ (કુનિયત) ઉમ્મે સાદિર હતું.
● જન્મ - મૃત્યુ : લગભગ ૨૫ હિજરી પૂર્વે જઝીરા ફુરાતિયા (ઈરાક) માં થયો હતો, અને મૃત્યુ ૫૫ હજરી બસરા (ઈરાક) માં થયું હતું. હઝરત મુઆવિયા રદી. ના શાસનકાળ દરમિયાન જ્યારે તેમનું અવસાન થયું, ત્યારે બસરાના ગવર્નર હઝરત સમુરા બિન જુન્દબ રદી. એ તેમની જનાઝાની નમાઝ પઢાવી હતી.
● ટૂંકમાં પરિચય : સજ્જાહનો સંબંધ બનુ તમીમ કબીલા સાથે હતો, પરંતુ તે તેના મોસાળ બનુ તગ્લિબ કબીલા (ઈરાક) માં ઉછરી હતી, જેઓ ધર્મે ખ્રિસ્તી (ઈસાઈ) હતા. તે અસાધારણ રીતે બુદ્ધિશાળી અને અદ્રશ્ય (ગૈબ) ની વાતો જણાવનારી કાહિના (જ્યોતિષી) તરીકે પ્રખ્યાત હતી.
હુઝૂર ﷺ ના વફાત (અવસાન) પછી જ્યારે અરબમાં ઈરતિદાદ (ધર્મ ત્યાગ) નો ફિત્નો ફેલાયો, ત્યારે તેણે પોતાના કબીલાનું નેતૃત્વ સંભાળ્યું અને લશ્કર એકઠું કરીને મદીના પર હુમલો કરવાના ઈરાદાથી નીકળી હતી.
● દાવો : તેણે નુબુવ્વત (પયગંબર હોવાનો) ખોટો દાવો કર્યો હતો અને પોતાને "નબિય્યા" (મહિલા પયગંબર) કહેવડાવતી હતી.
● દાવાનું કારણ : રાજકીય અને લશ્કરી સત્તાની પ્રાપ્તિ હતી. તે અરબસ્તાનમાં મુસ્લિમોની કેન્દ્રીય સત્તા (મદીના મુનવ્વરા) ને નબળી જોઈને પોતાનું રાજકીય અને લશ્કરી સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગતી હતી.
જ્યારે તેણે જોયું કે અસ્વદ અલ-અન્સી અને મુસૈલમા કઝ્ઝાબ જેવા લોકો નુબુવ્વતનો દાવો કરીને પોતાના કબીલાના વડા અને સત્તાધીશ બની બેઠા છે, તો તેણે પણ પોતાના જાદુ, ચમત્કારો અને જિન્નાતોના પ્રભાવનો લાભ ઉઠાવીને નુબુવ્વતનો ઢોંગ રચ્યો.
● અંત : પ્રથમ તો તેણીએ પોતાના જ સમયના જુઠ્ઠા દાવેદાર મુસય્લમા સાથે શાદી કરી. પરંતુ જ્યારે હઝરત ખાલીદ બિન વલીદ રદી. એ યમામા પર હુમલો કર્યો અને યમામાના યુદ્ધમાં મુસય્લમા કઝ્ઝાબ માર્યો ગયો, ત્યારે સજાહનો આખો ફિત્નો વિખેરાઈ ગયો અને તે પોતાનો જીવ બચાવીને બસરા ભાગી ગઈ.
ત્યારબાદ બસરામાં રોકાણ દરમિયાન તેણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, ખોટા દાવાથી તૌબા કરી અને ફરીથી ઈસ્લામ સ્વીકારી લીધો. ઈતિહાસકારોના મતે પાછળથી તેનો ઈસ્લામ ખૂબ સરસ રહ્યો અને તે એક સામાન્ય મુસ્લિમ મહિલા તરીકે બસરામાં રહેતી રહી.
સારાંશ કે આ ચાર તે ખોટા દાવેદાર હતાં જેમણે હુઝૂર ﷺ ના સમયમાં જ અથવા તેમના બાદ તુરંત નુબુવ્વત ના દાવા કર્યા, જે પૈકી છેલ્લા બે એ તો તૌબા કરી લીધી હતી. હવે તે દાવેદારો જોઈએ જેમણે હમણાં નજીકના સમયમાં જ નુબુવ્વત, તથા મહેદી અથવા ઈસા મસિહ નો દાવો કર્યો છે. (ક્રમશઃ)
[વધુ આવતા અંકે ઈંશા અલ્લાહ]
✍ એમ.એફ.જી.
📱+265 980 26 85 59
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૪
https://chat.whatsapp.com/E58Vx0N65O73fu7ZHqBYOC
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૫
https://chat.whatsapp.com/EuCIl8YmZEH5VbxFXdDaMB
🪀 વૉટ્સઍપ ગ્રૂપ લિંક નંબર :- ૦૬
https://chat.whatsapp.com/LArMpm8Nm4n0HouSdfcDJK
🌐 બ્લોગ લિંક :-
https://islamicartic.blogspot.com/
ટેલિગ્રામ ગ્રૂપ લિંક
https://telegram.me/Dinimasaill
