CHANAKYA CAREER ACADEMY JUNAGADH
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી મટીરીઅલ્સ અને વર્તમાન પ્રવાહોની સચોટ માહિતી માટે અમારી ચેનલ જોઈન કરો Call us -,9978517103, 6355309139,7265959351 9825403274 https://www.chanakyeducation.com
Show more1 757
Subscribers
+124 hours
+47 days
-130 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
આજે ક્લાસે સંપૂર્ણ રજા રાખેલ છે.. કાલે સવારે 9 વાગ્યે ધોરણ 9 ની સામાજિક વિજ્ઞાન ટેસ્ટ ભરવા આવવાનું છે
Daily Current Affair
ચાણક્ય કરિયર એકેડેમી જૂનાગઢ
3-7-2024 નાં રોજનું કરન્ટ અફેસ
1.ડિક સ્ટોફે નેધરલેન્ડના વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા.
2.વિશ્વ સીમાશુલ્ક સંગઠન (WCO) ના અધ્યક્ષ તરીકે દક્ષિણ આફ્રિકાના એડવર્ડ કીસવેટરની ફરીથી નિમણૂક.WCOની સ્થાપના 1952માં કરવામાં આવી હતી અને તેનું મુખ્યાલય બ્રુસેલ્સ, બેલ્જિયમમાં છે.
3.જસ્ટિસ બી.આર.સારંગીની ઝારખંડના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક .
4.સ્પોટર્સ બ્રાન્ડ પ્યુમાએ આસામના ક્રિકેટર રિયાન પરાગ અને આંધ્રપ્રદેશના ક્રિકેટર નીતીશકુમાર રેડ્ડીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી.
5.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડુએ NTR ભરોસા પેંશન યોજના શરૂ કરી.
6.3 थी 16 5 જુલાઇ 2024 સુધી ચાલનારા ભારત અને મોંગોલિયા વચ્ચેનો 16મો સંયુક્ત સૈન્ય અભ્યાસ
'નોમેડિક એલિફન્ટ 'નો મેઘાલયના ઉમરોઈમાં પ્રારંભ. 7.સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેતા શાહરૂખ ખાનને કરિયર
અચીવમેન્ટ એવોર્ડ -પાર્ડો અલા કરિયર અસકોના લોકાર્નો ટૂરિઝમ એવોર્ડ અપાયો. આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય.
8.લોસ એંજલિસમાં આયોજિત ઈંડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ઋચા ચઢ્ઢા અને અલી ફઝલની ફિલ્મ 'ર્ગલ્સ વિલ બી ગર્લ્સ 'ને ગ્રાન્ડ જયૂરી એવોર્ડ અપાયો.
9.FIDE વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ -2024, 15 નવેમ્બરથી 20 ડિસેમ્બર 2024 દરમિયાન સિંગાપુરમાં યોજાશે.
10.પવનકુમાર અને ટી.વી. રવિચંદ્રનની ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી.
11.કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ UPSC ઉમેદવારો માટે NIRMAN પોર્ટલ લોન્ચ કર્યું UPSCની પ્રિલિમ પાસ કરનાર SC/STના ઉમેદવારો, બહેનો અને થર્ડ જેન્ડરને રૂ.આઠ લાખની આવકમર્યાદા ધરાવનારને રૂ.1 લાખ આપવામાં આવશે.
12.3 જુલાઇ આંતરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તરીકે ઉજવાય છે.
તેમને વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
-----------
*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી*
-----------
*શૈક્ષણિક વર્ષ: 2024-25માં રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો*
-----------
*આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી થશે*
-----------
*TET-1 અને TET-2 પાસ સહિતના યુવાઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારનો ઉદ્દાત અભિગમ*
-----------
*પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કરી વિસ્તૃત જાહેરાત*
-----------
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.
પ્રવક્તા મંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.
આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.
સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.
આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.
એટલું જ નહીં, વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
Join @Gsssb_02
શિક્ષકોની ભરતી માટે આજે સાંજે થઈ શકે છે મહત્વની જાહેરાત. 24,700 શિક્ષકોની ભરતીને રાજ્ય સરકારે આપી મંજૂરી. સાંજે મળનારી પ્રેસ કોન્ફરન્સ માં થનારીસત્તાવાર જાહેરાત તરફ મીટ.. રાજ્ય સરકાર તબક્કાવાર કરશે ભરતી
ચાણક્ય- કરિયર એકેડમી - જૂનાગઢ
ધોરણ 12 પછી સરકારી અધિકારી બનવા સંપર્ક કરો ચાણક્ય કરિયર એકેડેમીનો
પોલીસ કોન્સ્ટેબલ & જનરલ બેંચ CCE GROUP -B AMC ઓફ્લાઈન બેચ
એડમિશન પ્રકિયા ચાલું છે.( મર્યાદિત સીટ)
.
* ફ્રી ડેમો માટે રજીસ્ટેશન ફરજીયાત કરાવાનુ રહેશે
➡ સમય સવારે -11:00 થી 1:00 બપોર 2:00 થી 4:00
➡ ફ્રી ડેમો માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ Google link 👇👇
https://docs.google.com/forms/d/e/1FAIpQLSerjLzbZ5uWX1JNBLDKYdDR17tUCBS005FVFZ68QpudwlbtWw/viewform?usp=sf_link
📱 આજે જ તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો
7265959351,9978517103
👍 1
👆 ખાસ શેર કરીને સ્ટેટસમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, આટલું તો અમારા માટે તમે કરી જ શકો વિદ્યાર્થી મિત્રો.
Choose a Different Plan
Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.