en
Feedback
અતુલ્ય વારસો

અતુલ્ય વારસો

Open in Telegram

ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું મેગેઝીન.

Show more
1 372
Subscribers
No data24 hours
No data7 days
-4030 days
Posts Archive
The.Great.Indian.Kapil.Show.S02E02.South.Sensations.-.NTR.Saif.Ali.Khan.and.Janhvi.Kapoor.480p.NF.WEB-DL.AAC.H.264.mp4 Kapil Sharma Show Upcoming Episode Uploaded Here 👇 https://t.me/+BkCHl3yJizs1ZDU1 Admin - @kairax007

The Great Indian Kapil Show S02 E03 WebRip 480p x265 HEVC 10bit Upcoming Episode Uploaded Here 👇 https://t.me/+BkCHl3yJizs1ZDU1 🧍‍♂Admin : @Kairax007

The Great Indian Kapil Show S02 E07 WebRip 480p

નમસ્કાર ટીમ, વિધાર્થીઓ નાનપણથી જ વારસાની સમજ મેળવે અને જાણે-માણે તેવા હેતુસર 'એક કલાક હેરિટેજ શિક્ષણ માટે' નો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. પ્રારંભિક આ કામગીરી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓથી કરવાના છીએ. અમારો આ પ્રયાસ આવનારી પેઢીને આપણા ભવ્ય વિરાસતથી ઉજાગર કરવાના હેતુને સાર્થક કરશે તેવી અમોને આશા છે.

HERITAGE EDUCATION AV.pdf1.36 MB

હવેથી દર રવિવારે રાજ્યની વિવિધ સાઇટ પર વિનામૂલ્યે *અતુલ્ય વારસો ટોક શો* નું આયોજન કરવાનું નિયત થયું છે. જેના ભાગરૂપે આગામી રવ
હવેથી દર રવિવારે રાજ્યની વિવિધ સાઇટ પર વિનામૂલ્યે *અતુલ્ય વારસો ટોક શો* નું આયોજન કરવાનું નિયત થયું છે. જેના ભાગરૂપે આગામી રવિવાર તા- ૨૧/૦૭/૨૦૨૪ નાં રોજ સવારે ૦૯ થી ૧૨ દરમ્યાન *ગુજરાતમાં ડાયનાસોર* (Dinosaur in Gujarat) વિષય પર રૈયોલી, બાલાસિનોર ખાતે ટોક શો આયોજિત કર્યો છે. રસિક મિત્રોએ પધારવા વિનંતી. 🙏 રજિસ્ટ્રેશન કરાવવા માટે અહીં આપેલ લિન્કમાં આપની વિગતો ભરવા વિનંતી. https://forms.gle/FZFndmc6EkfJ9TB57

ગાંધીનગર\અમદાવાદથી નજીક આવેલ અડાલજ વાવ આપણામાંથી મોટાભાગના લોકોએ જોઈ હશે. હકીકતમાં આ વાવએ ગુજરાતની ઓળખ અને *ગુજરાતની અન્ય વાવોને આકર્ષવા માટેના આઈ ડી કાર્ડ* જેવી છે. વાવ (Stepwell) માં રસ ધરાવનાર સૌ માટે આ પ્રથમ પગલું ગણી શકાય. આજે *અતુલ્ય વારસો* દ્વારા આયોજન કરવામાં આવેલ અડાલજ વાવની યાત્રા હકીકતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ વાવ, વાવના પ્રકારો, પુરાતત્વ, ઈતિહાસ, સ્થાપત્ય-શૈલી, વિવિધ દંતકથાઓ, સાહિત્ય વગેરેને જોડતી કડીરૂપ હતી. અમારો પ્રયાસ હંમેશા એવો રહ્યો છે કે કોઈ પણ સ્મારકની સાથે આસપાસ સંકળાયેલ સ્થળો, ગામ, સ્થાનિક લોકોને જોડી *કોમ્યુનિટી બેઝ* પ્રવાસન વિકાસ થાય. મળીએ નવી યાત્રામાં (*અનેરો આનર્ત* – મોઢેરા, પાટણ, સિધ્ધપુર), જય હિંદ

*વાવ એટલે શું ?* *વાવ શેના માટે બનાવવામાં આવતી ? કેવી રીતે બનાવવામાં આવતી ?* *વાવમાં પાણીનો સંગ્રહ કેવી રીતે થાય છે?* *વાવના કેટલા પ્રકારો છે ?* અડાલજની વાવ કેવી શૈલીમાં બંધાઈ છે?, કેવા કેવા શિલ્પ કોતરણી કામ કરેલા છે?, આ વાવ કયા પ્રકારની ગણાય? જેવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે જોડાઓ આગામી શનિવારે *તા. ૦૬/૦૭/૨૦૨૪* *સવારે ૦૯:૦૦ વાગ્યાથી* રજીસ્ટ્રેશન કરાવવા માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો: https://forms.gle/nyDVGY7Dw5T3dgjx5 વધુ માહિતી માટે સંપર્ક કરો: +91-9328312363 અથવા info.atulyavarso@gmail.com

અમદાવાદની હેરિટેજ વોક એટલે ૨૦ વર્ષનાં સતત પ્રયાસોનું પરિણામ. સામાન્ય શબ્દોમાં કહીએ તો હેરિટેજ વોક એટલે કે કોઈ પણ શહેર/નગર/ગામને ઓછા સમયમાં જાણવા અને માણવાની અસ્મિતા યાત્રા. ટીમ અતુલ્ય વારસો તરફથી આજે અમદાવાદ શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આગામી સમયમાં ગુજરાતનાં અન્ય હેરિટેજ નગરો જેવા કે ધોળકા, વડનગર, સિધ્ધપુર, પાટણ, જુનાગઢ, ભુજ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી વગેરેનું સમયાંતરે અને સતત આયોજન થતું રહે તેવું આયોજન કરવામાં આવશે. #વારસો #હેરિટેજ #અતુલ્યવારસો #Atulyavarso #heritagewalk #gujarat

*અતુલ્ય વારસો શું છે ? તેના વિશે પ્રાથમિક પરિચય* આપસૌનું અતુલ્ય વારસોનાં What’s App ગૃપમાં સ્વાગત છે. મોટાભાગના પરિચિત મિત્રો ઉપરાંત કેટલાક નવા મિત્રો પણ છે તો અમારી કામગીરી વિશે પ્રાથમિક પરિચય આપવા માંગીશ. *હું કપિલ ઠાકર, સંસ્થાપક, અતુલ્ય વારસો*. અમો વર્ષ ૨૦૧૩થી રાજ્યમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ઉજાગર થાય, સચવાય એ માટે કાર્યરત છીએ. અતુલ્ય વારસો સામયિક છે સાથે સાથે વિધિવત નોંધાયેલ સંસ્થા હોવાથી સરકાર સાથે મળીને ઘણા હેરિટેજ અને પ્રવાસનને લગતા પ્રોજેક્ટ્સ પણ કરીએ છીએ જેમ કે હેરિટેજ વોક ડીઝાઈન કરવું, સંશોધન, સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ, સાઈટ ડેવેલોપમેન્ટ, સ્મારકોનું સમારકામ વગેરે. વિવિધ શહેરોમાં ટી પાર્ટી, હેરિટેજ ટુર્સ, સ્થાપત્યોની સાફ સફાઈને લગતા વર્કશોપ, દીકરીનો જન્મદિન હેરિટેજ સ્મારકોએ ઉજવણી, હેરિટેજ સાઈટમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સ્મારકો ઉજાગર કરવા જેવી વિવિધત્તમ લોકાજોડાણ કાર્ય અમો કરીએ છીએ.ઉપરાંત ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાંથી હેરિટેજ, લેખન અને કલા સંવર્ધન માટે કાર્યરત બાળકો સહીત કલા સાધકોને *અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ* એનાયત થાય છે. *આગામી ટૂંક સમયમાં અમો સમગ્ર રાજ્યમાં કલા-વારસો-પુરાતત્વ-હેરિટેજ પ્રવાસનને ઉજાગર કરવા માટે નક્કર કામગીરી થાય એવા હેતુસર સ્થાનિક સમિતિઓ બનાવી આપસૌને જોડવાનો પ્રયાસ કરવાના છીએ જે થકી ગુજરાતનાં નાનામાં નાના ગામમાં પણ કોઈ કલાકાર હોય, કે સ્મારક હોય કે કલા સાધક હોય તો તેને જોડી વિશ્વસ્તરે ઉજાગર કરી શકીએ* *નોંધ:* પ્રથમ બે ગૃપ ફૂલ થઇ ગયેલ હોવાથી *ત્રીજા ગ્રુપની લિંક* અહી શેર કરવામાં આવે છે. • જેઓને *અતુલ્ય વારસો - ગુજરાત* વોટ્સએપ ગૃપમાં જોડાવાનું બાકી હોય તેઓ આ ગ્રુપમાં જોડાશો. *અતુલ્ય વારસો* અને *ગુજરાતનાં વૈભવી વારસાને* લાગતી વિગતોથી માહિતગાર રહેવામાં આ ગ્રુપ આપને મદદરૂપ થશે. • *હેરિટેજ અને પ્રવાસનમાં* રસ ધરાવતા લોકોમાં *શેર* કરવા વિનંતી. https://chat.whatsapp.com/DltAvue9t54KGZLAHfZh4h

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ ખાતે હેરિટેજ વોકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલે છે. હેરિટેજ વૉક એટલે અસ્મિતા યાત્રા. જો આપે આ યાત્રા ન કરી હોય તો ટીમ *અતુલ્ય વારસો* તરફથી આગામી રવિવારે તેનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ફોર્મ ભરીને આપ જોડાઇ શકો છો. *હેરીટેજ વોક @ અમદાવાદ* _તા. ૩૦/૦૬/૨૦૨૪_ _સવારે ૦૭:૩૦ કલાકે થી_ *વોક પ્રારંભ સ્થાન: કાલુપુર સ્વામીનારાયણ મંદિર, કાલુપુર* રજીસ્ટ્રેશન માટેની લિંક: https://forms.gle/MEf2Y7wMvgpuBiob9 *નોંધ:* _૧. વોક માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે._ _૨. દરેક વ્યક્તિએ ૦૭:૨૦ સુધીમાં નક્કી કરેલ સ્થળ પર પહોચવાનું રહેશે_ _૩. વોક સવારે ૦૭:૩૦ વાગ્યે શરુ થઇ જશે_ _૪. પેમેન્ટ એડવાન્સમાં કરવાનું રહેશે_ _૫. અનિવાર્ય સંજોગો કે વરસાદના કારણે વોક કેન્સલ કરવાની સત્તા *અતુલ્ય વારસો* ની રહેશે._ _૬. વોક પૂર્ણ થયા બાદ ચા- નાસ્તો કરવામાં આવશે._

શું આપ હેરિટેજ પ્રેમી છો? શું આપ અતુલ્ય વારસો સાથે જોડાવવા માંગો છો, ગુજરાતમાં થતી વિવિધ હેરિટેજ પ્રવૃતિઓમાં ભાગ લેવા માંગો છો? તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ આપ સહભાગી થઈ શકો છો. Link: https://chat.whatsapp.com/Bt5u6k1C7Ji9uTi6nLK5IA

નમસ્તે મિત્રો, રાજ્યભરમાં થતી વિવિધ હેરિટેજ અને કલા વિષયક માહિતી મેળવવા તથા કાર્યક્રમોમાં જોડાવવા માટે આપ અમારા અતુલ્ય વારસો વોટસએપ ગ્રુપમાં નીચેની લિંક દ્રારા જોડાઈ શકશો. આભાર Link: https://chat.whatsapp.com/Bt5u6k1C7Ji9uTi6nLK5IA

*અતુલ્ય વારસો ટોક શો* નમસ્તે, જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડૉ. હિરેન શાહ હેરિટેજ પ્રેમીઓમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને એ છે તેમના વિશેષ સંગ્રહ અને હાઉસ મ્યુઝિયમ માટે. ખાસ કરીને તેઓનો તાળાનો સંગ્રહ વિશેષ છે. તેઓની વિશેષ યાત્રાને અનુલક્ષીને ટીમ અતુલ્ય વારસો દ્વારા *ટોક શો* તૈયાર કરવામાં આવ્યો છે. જે અતુલ્ય વારસો યુટ્યુબ ચેનલ પર આજે સાંજે ૦૮:૦૦ વાગ્યે પ્રીમિયર નિહાળી શકશો. #talkshow #atulyavarso https://youtu.be/tlCzNVdxb_g?si=WHSzdnPo-YdIzZsQ

ગુજરાત પૌરાણિક સમયથી વિશ્વના દેશો સાથે વ્યાપાર સાથે સંકળાયેલું છે, ભારતના વિવિધ પ્રદેશોના લોકો વ્યાપાર અર્થે ગુજરાતથી વિશ્વના
+3
ગુજરાત પૌરાણિક સમયથી વિશ્વના દેશો સાથે વ્યાપાર સાથે સંકળાયેલું છે, ભારતના વિવિધ પ્રદેશોના લોકો વ્યાપાર અર્થે ગુજરાતથી વિશ્વના દેશોમાં મુસાફરી કરતા હતા. ગુજરાતના એવા કેટલાય નગરો છે જે વ્યાપારના મુખ્ય બજારો હતા અને કેટલાક વ્યાપારીઓ મકાનો બનાવીને ગુજરાતના વિવિધ નગરોમાં સ્થાયી થયા હતા, સમય જતા આ નગરોનું સ્થાન બીજા નગરોએ લીધું અને ધીરે ધીરે આ જગ્યાઓ ખાલી થવા લાગી, જેમાંના કેટલાક નગરોમાં તેમના ખાલી મકાનો જોઈ શકાય છે. #Atulyavarso

ટીમ અતુલ્ય વારસો દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે વિવિધ વિભાગોમાં શુભેચ્છા મુલાકાત કરાઇ હતી, જેમાં આર્કીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા
+6
ટીમ અતુલ્ય વારસો દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે વિવિધ વિભાગોમાં શુભેચ્છા મુલાકાત કરાઇ હતી, જેમાં આર્કીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંહ રાવતજી, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમના ડાયરેક્ટર જનરલ મીનાક્ષી સક્સેનાજી, નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરમેન કિશોર મકવાણાજી તથા સિનિયર આર્કીટેક્ટ દિવય ગુપ્તાજી સાથે વિવિધ વિષયો પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી, જેમાં ભારતના પશ્ચિમ ભાગમા હેરિટેજ ટુરિઝમ, રૂરલ ટુરિઝમ, હેરિટેજ શિક્ષણ, પબ્લિક અવેરનેસ, ગુજરાતમાં વોટર કોન્ઝર્વેશન વિગેરે જેવી બાબતો પર આવનાર સમયમાં કામગીરી હાથ ધરવામાં અંગે અને તેને આનુસાંગિક આયોજનો કરવાનું નિયત થયું તથા અતુલ્ય વારસો સામયિકનું ભવિષ્યમાં અંગેજી પ્રકાશન કરવામાં આવે તેવી માંગ કેન્દ્રનાં વિવિધ મહાનુભાવો થકી કરવામાં આવી જે થકી રાજ્યનો વારસો વિશ્વસ્તરે પહોચાડી શકાય, જે અંગે ટીમ અતુલ્ય વારસો ટૂંકમાં આયોજન કરશે. કેન્દ્રની હકારાત્મક મુલાકાતો ટીમ અતુલ્ય વારસોની આગામી કામગીરીને વેગ આપશે તેવી અમોને આશા છે. #Atulyavarso #Heritage #Gujarat