🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳
Open in Telegram
આ ચેનલનો મુખ્યહેતુ આ માહિતીયુગમાં વૈચારિક જાગૃતતા લાવવાનો છે. નિસ્વાર્થ શિક્ષણકર્મીઓ દ્વારા માહિતી જરુરિયાતમંદને પુરી પાડવાનો છે. (IT+IT=IT) INDIA TODAY + INFORMATION TECHNOLOGY = INDIA TOMORROW સલાહસૂચન આવકાર્ય સહકારની અપેક્ષાએ આપનો @Deepakzala
Show more2 425
Subscribers
No data24 hours
-17 days
-2330 days
Posts Archive
અતુલ્ય વારસો એવોર્ડ અંગે અગત્યની જાહેરાત
નમસ્કાર,
અમારી સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ - 2023” જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત સ્થાનિક સ્તરે નીચે દર્શાવેલ પાંચમાંથી કોઈપણ ક્ષેત્રે સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાયની વિગતો અમોને આ સાથે સામેલ ફોરમેટમાં ભરીને મોકલી આપશો. આ પુરસ્કાર પાછળ અમારો હેતુ એવો છે કે સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરીમામયી સન્માન થાય. અમને આશા છે કે અમારો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી સાબિત થશે.
સેવાકીય ક્ષેત્ર –
૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ
૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ
૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે)
૪) લેખન અને પ્રકાશન
૫) હેરીટેજ પ્રવાસન
વધુ માહિતી આપેલ ફોર્મની લિંક પર જઈને મેળવી શકશો.
https://forms.gle/hZaUo8mpmc1pZzFU8
અમદાવાદ અને ગાંધીનગરની સૌથી નજીક આવેલ એકમાત્ર સંપુર્ણ શિવ પંચાયતન સ્થાપત્યનો અણમોલ ખજાનો છે. નિહાળો અદ્દભુત દેવાલયની ઝલક…
https://youtu.be/40GsUedwcr4
આપણે વિદેશના વિવિધ સ્થળોનાં મનમોહક સ્થળો ખુબ જોઈએ છીએ. આજે એવા જ વિદેશી અનેક સ્થળોને ટક્કર મારતું આપણા કચ્છનાં અનોખા સ્થળને જોઈએ....... કાળિયો ધ્રો : નામ તો સુના હોગા !
https://youtu.be/HfDqS_dVo2g
અનેક અવનવી બાબતો હોય છે જે સામાન્ય રીતે માનવી મુશ્કેલ હોય છે પણ હકીકતે હોય છે. ઈતિહાસમાં અનેક વિશેષ બાબતો નોંધાયેલી છે. એમાં આ પણ એક વિશેષ છે કે બે પહાડોનાં લગ્ન થયા હતા. અહી એક પહાડ વિશે વાત કરવાની છે કે જ્યાં ગુફા લેખ મળે છે, ચિત્રો મળે છે અને ઐતિહાસિક હકીકતો મળે છે. તો આવો, જાણીએ અમીરગઢ નજીક આવેલ ભવ્ય વિરાસત વિશે. https://youtu.be/gvKhnEro1Ao
▪️અરવલ્લીની ગિરિમાળામાં સ્થિત *તારંગાના* ડુંગરોમાં કેટલાક બૌદ્ધ અવશેષો પ્રાપ્ત થયા છે, અહીં *જોગિડાના ડુંગર* પર ઉપર ચઢતા, કેટલાક *ગુફા ચિત્રો* જોવા મળે છે, કેટલાક અવશેષો સાબિત કરે છે કે પૌરાણિક સમયમાં અહીં કોઈ ભવ્ય નગર વસતું હોય.
વધુ માહિતી જુઓ વિડિયોમાં: https://youtu.be/kGKVEYahQiU
▪️વિડીયોને આપના પરિવાર તથા મિત્ર વર્તુળમાં પણ શેર કરશો તથા *અતુલ્ય વારસો યુટ્યુબ ચેનલ* ને સબસ્ક્રાઈબ જરૂર કરશો.
▪️જો આપને અતુલ્ય વારસો વિષે વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો *+91-9328312363* પર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને માહિતી મેળવી શકશો.
▪️નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વ્યક્તિને મળવાના છીએ જે ઉમરમાં નાની અને કામમાં મોટી નામના ધરાવે છે અને એ પણ આપણા હેરિટેજ વિષયમાં. જેને યુનેસ્કો ઓળખે છે, જેને વિશ્વનાં ઘણા હેરિટેજ પ્રેમીઓ ઓળખે છે એને આપણે પણ ઓળખવી એટલી જ જરુરી બને છે.
▪️જી મિત્રો આજે આપણે મળવાના છીએ *શ્રી આર્યા ચાવડા*ને. કે જેઓ ફક્ત *૧૨ થી ૧૩ વર્ષ*નાં છે અને *સારા લેખક, ચિત્રકાર, વક્તા, હેરિટેજ અને પર્યાવરણ* બચાવવા અને ઉજાગર કરવા માટે સક્રિય છે.
▪️તો ચાલો મળીએ, જાણીએ કંઈક નવું, કંઈક વિશેષ – *અતુલ્ય વારસો ટોક શો* માં *આજે રાત્રે ૮ વાગ્યે*. નીચે આપેલ લીંક દ્વારા વિડીઓ જોઈ શકશો. જો વિડીયોને આપના પરિવાર તથા મિત્ર વર્તુળમાં પણ શેર કરશો તથા *અતુલ્ય વારસો યુટ્યુબ ચેનલ* ને સબસ્ક્રાઈબ જરૂર કરશો.
https://youtu.be/6328ipyaK1c
▪️જો આપને અતુલ્ય વારસો વિષે વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો *+91-9328312363* પર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને માહિતી મેળવી શકશો.
રઢુનો ઘી વારસો । કેવી છે પ્રથા । ક્યારથી ચાલુ છે આ અનોખો વારસો । ૧૧૦૦ માટલામાં ૭૦૦ વર્ષ જૂનું ઘી ।
https://youtu.be/y2DruXn_708
ઈતિહાસ અને પુરાતત્વ ઘણા જ રોમાંચક વિષય છે અને આ વિષયમાં સંશોધન તમને પ્રાચીન કાળમાં લઈ જાય છે. તો આવો, જાણો કે હેરિટેજ એક્ષ્પ્લોરેશનમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને કોઈ ગામ, શહેર કે સ્થાપત્યનું દસ્તાવેજીકરણ, નોધણી કઈ રીતે કરવી, આ બધી જ બાબતો જાણીએ અને સમજીએ.
https://youtu.be/7xXLo698vYM
નમસ્કાર મિત્રો, અતુલ્ય વારસો ટોક શોમાં આજે આપણે મળવાનાં છીએ ડૉ. માણેક પટેલ “સેતુ”ને. કે જેઓ દાંતનાં ડૉકટર છે પણ એથીય વિશેષ જાણીતા લેખક, સંશોધક અને ઈતિહાસપ્રેમી છે. પોતાની કર્મભૂમિ અમદાવાદ અને વતન ગોઝારિયાનાં વારસાને ઉજાગર કરવાની તેમની આ સફરને જાણીએ અને તેમનો આ શોખ થકી તેઓએ સમાજમાં હેરિટેજ ક્ષેત્રે કરેલા પ્રદાનની ગાથા સમજીએ.
આજે રાત્રે ૮ કલાકે લાઈવ
https://youtu.be/q_J8-oYKLCM
ગુજરાતમાં અંબાજી ખાતે આવનાર વિવિધ દુર દુરના યાત્રિકો એક જ સ્થાને શક્તિનાં ૫૧ રૂપોનાં દર્શન એક જ સ્થાને કરી શકે એ માટે ગુજરાત સરકાર અહી ગબ્બરને ફરતે ૫૧ શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે. જાણો તેનું મહત્વ, જય અંબે
https://youtu.be/Njr9zpTbKhI
કેમ છો 🙋🏻♂️ મિત્રો...
સૌની કુશળતાની પ્રાર્થનાઓ.. પ્રેમ..🌻🌈
જોડાઈ રહ્યા છોને🤝 અમારી સાથે..?
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી આર્ષ લઈને આવી રહ્યું છે ગુજરાત-ગુજરાતીતાનો એક નવ્ય ઉત્સવ, "આર્ષ સંવાદ" !🪂
"ચિયા તે ગામની 'બોલી' રાજ" - 🤓આ કાર્યક્રમ આર્ષની નવી પહેલની પહેલી શ્રેણીનો પહેલો મણકો છે, જેમાં ગુજરાતની વિવિધ બોલીઓની ઝાંખી મેળવવાનો પ્રયાસ થવાનો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ ઉપરાંત પારસી ગુજરાતી બોલી પણ અહીં એક સાથે, એક જ કલાકમાં અવતરશે.🤓
1 મે, ગુજરાત સ્થાપનાદિનની ઢળતી સાંજે, 8 વાગ્યે, યુટ્યુબના આંગણે તમારી રાહ જોઈશું.😁🥰😇
https://www.youtube.com/live/eA0Tw_bjh1w?feature=share
-જોડાઈ રહ્યાં છોને અમારી સાથે,🦄 આ રાત કાળીને 🧜🏻♀️કામણગારી કરવા? અચકો-મચકો કાં રે લી રમવા?🙃🙂
પ્રતીક્ષામાં રહીશું...
(આર્ષ સામયિક(www.aarshmagazine.in)ના ઉપક્રમે આર્ષ સંવાદઃ ગુજરાત, ગુજરાતી ગુજરાતીતા અને ગુર્જર સંસ્કૃતિનો ઉત્સવ.ગુજરાત અને ગુજરાતી ભાષાના ગૌરવગાન-પરિચયના ઉદ્દેશ સાથે આર્ષ સંવાદ હેઠળ ભાષા-બોલીઓની શ્રેણી આજથી શરૂ થઈ રહી છે.
આ શ્રેણીના પહેલા મણકામાં અમે હાજર છીએ ગુજરાતના વિવિધ વિસ્તારોના મિત્રો સાથે જે પોતપોતાના વિસ્તારની બોલીનો રમૂજી અને રસાળ પરિચય આપવાના છે.સૂત્રધાર નીરજ કંસારાના સંચાલનમાં કચ્છના પ્રતિનિધિ તરીકે ઉત્કંઠા ધોળકિયા, સુરતનાં નેહા ગાંધી, ભાવનગરના જયકિશન ઉમરાળિયા, રાજકોટનાં ચાંદની શુક્લ-પંડિત અને ઉત્તર ગુજરાતના સુનીલ મેવાડા, વગેરે પોતપોતાના ભૂભાગોની બોલીનો પરિચય આપણને કરાવશે. સાથે સૂત્રધાર નીરજ કંસારા પારસી ગુજરાતી બોલીની પણ ઝાંખી આપવાના છે.)
ટીમ અતુલ્ય વારસો ગુજરાતનાં વિવિધ સ્થળોએ મુલાકાત લઈ નવી નવી વિગતો ઉજાગર કરવા સતત કાર્યરત છે. આ જ પ્રકારનાં સંશોધનનાં ભાગરુપે કપડવંજ નજીક આવેલ હમીરપુરા ગામમાં અમારા એક મિત્ર વિમલ ભાઈ પટેલ સાથે મુલાકાત થઈ. તેઓશ્રીના મોટાભાઈ અને પિતાશ્રીને મળવાનું થયું. તેમના ઘરે મુલાકાત બાદ અમોને સૌપ્રથમ જાણવા મળ્યું કે ગુજરાતમાં એક નાના ગામમાં એક ખેડૂત પરિવાર જે ખેતીની સાથે સાથે ૩૫૦૦ થી વધારે તાળાઓ સંગ્રહ કરી બેઠો છે. વિવિધ તાળાઓ ઉપરાંત પાણીના લોટા અને એ ઉપરાંત ઘણું બધું સંગ્રહ કરેલો છે. આ શોખ તેમને ક્યાંથી લાગ્યો અને કઈ રીતે અધધ કહી શકાય એટલા તાળાઓ સંગ્રહ કર્યા અને તાળાઓ પાછળ તેમના વિચારો, વર્તમાન પરિસ્થિતિ આવી અનેકવિધ વાતો જાણવા મળી. જે આપ સૌ સમક્ષ રજુ કરી રહ્યા છીએ. આ જગ્યા હકીકતમાં જોવા જાણવા અને માણવા લાયક છે. આ પરિવારને પણ મળવું અને સાંભળવા લ્હાવો છે.
ગુજરાતનાં _*અતુલ્ય વારસા*_ ને જાણવા અમારી યુટ્યુબ ચેનલને _*SUBSCRIBE*_ કરીને _*SHARE*_ અવશ્ય કરશો.
આપનો સહયોગ ગુજરાતનાં દુર્ગમ ક્ષેત્રોનાં ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાનાં અમારાં ઉત્સાહમાં વધારો કરશે.
*આભાર..*
*વંદે માતરમ*
તો ચાલો કરીએ સફર તાળા નગરીની.
https://youtu.be/455GHCHEPjo
અતુલ્ય વારસો દ્વારા પંચમહાલ જિલ્લામા આવેલ તરસંગ ગામમાં જૂના ગુફા ચિત્રોની શોધ કરવામાં આવી હતી એ દરમ્યાન અહિં આદિમાનવ કાલના ગુફા ચિત્રો ઉપરાંત જૂના નગરના, કિલ્લાના, દેવાલયના અવશેષો મળ્યાં હતા. જાણો વિશેષ અહેવાલ https://youtu.be/vlokd1vATJ8
ગુજરાતમાં અનેકવિધ ઐતિહાસિક દેવાલયો પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે અને પોતાની પાવન ઉર્જા વાતાવરણમાં ફેલાવે છે. આજે એવા જ એક પ્રાચીન દેવાલયને ઉજાગર કરવાનો નાનો પ્રયાસ આ વિડીયોફિલ્મનાં માધ્યમથી કરવામાં આવ્યો છે. વિસનગર નજીક આવેલ ખંડોસણ ગામમાં સોલંકીકાલીન અદ્દભુત શિલ્પ સ્થાપત્ય ધરાવતા દેવાલયો આવેલા છે. ગામના મુખ્ય તળાવ નજીક પ્રાચીન વડથી ઘેરાયેલ આ દેવાલયો તત્કાલીન સમયની ઉચ્ચ કક્ષાની સ્થાપત્યકલા દર્શાવે છે. વધુ વિગતો માટે ક્લિક કરો *ખંડોસણમાં આવેલ ભવ્ય દેવાલયો | ગુજરાત | ઉત્તર ગુજરાતની અસ્મિતા | આનર્ત*
https://youtu.be/Ny0DSsArIaM
અને હેરિટેજ પ્રેમીઓમાં શેર કરશો.
આવો, મળીએ એક એવા મહાનુભાવને કે જેમના જીવનમાં કોરોનાકાળથી આવ્યું મોટું પરિવર્તન અને અમદાવાદની ઝડપી જીદંગી છોડી ફર્યા પરત ગામ તરફ. આપણા મૂળ તરફ પાછા ફરવાની તેમની યાત્રા જાણવા જેવી છે. આજે તેઓ *ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે* અને નીતનવા પ્રયોગો દ્વારા ઓર્ગેનિક ખેતીમાં આગળ વધવાની સાથે જન સમુદાય ઓર્ગેનિક તરફ આગળ વધે એ માટે માંથી રહ્યા છે. જી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ *શ્રી હિમાંશુભાઈ શાહ* વિશે. આવો, તેમના વિશે વિસ્તારથી જાણીએ અમારા વિશેષ શો માં. આજે રાત્રે ૦૮ કલાકે...
ગુજરાતનાં _*અતુલ્ય વારસા*_ ને જાણવા અમારી યુટ્યુબ ચેનલને _*SUBSCRIBE*_ કરીને _*SHARE*_ અવશ્ય કરશો.
આપનો સહયોગ ગુજરાતનાં દુર્ગમ ક્ષેત્રોનાં ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાનાં અમારાં ઉત્સાહમાં વધારો કરશે.
*આભાર..*
*વંદે માતરમ*
https://youtu.be/9DP7rxuf6A4
Repost from GPSC MAINS Q&A
🔴 સવાલ - 🛕 તાજેતરમાં તમે તમારા મિત્રો સાથે પોરબંદર ખાતે યોજાયેલ માધવપુર ઘેડ મેળાની લીધેલ મુલાકાત વિશે અહેવાલ લખો.
#Aheval #Gujarati
#Sanskrutikvarso #Culture
🔴 જવાબ - 👆👆👆
@Gpscmainspractice
