🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳
Open in Telegram
આ ચેનલનો મુખ્યહેતુ આ માહિતીયુગમાં વૈચારિક જાગૃતતા લાવવાનો છે. નિસ્વાર્થ શિક્ષણકર્મીઓ દ્વારા માહિતી જરુરિયાતમંદને પુરી પાડવાનો છે. (IT+IT=IT) INDIA TODAY + INFORMATION TECHNOLOGY = INDIA TOMORROW સલાહસૂચન આવકાર્ય સહકારની અપેક્ષાએ આપનો @Deepakzala
Show more2 425
Subscribers
No data24 hours
-17 days
-2330 days
Posts Archive
વડોદરા આસપાસ આવેલી વાવોના વિકાસ માટે આજરોજ કરજણ પાસે આવેલી અને સિસ્વા ગામની વાવની, ટીમ અતુલ્ય વારસો દ્વારા મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી. આ દરમિયાન કરજણ ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ અને તેમની ટીમ અમારી સાથે જોડાઈ હતી.
આ બાબતે ધ્યાન દોરી અને સંકલનમાં મદદ રૂપ થવા બદલ વડોદરા રૂરલ પોલીસ અધિક્ષકશ્રી રોહન આનંદ સરના અમો આભારી છીએ.
કચ્છના રહસ્મય સ્થાપત્યો
કચ્છના પદ્ધરગઢમાં આવેલ પથ્થરથી બનેલા સ્થાપત્યો રોચક છે, એવું કહેવાય છે કે તેની સ્થાપના રા'પુંઅરાએ ૧૦મી સદીમાં કરી હતી. અહીં વડી મેડી, નાની મેડી, રહસ્યમય કિલ્લો, એક દરવાજો દીવાલોના અંશો જોઈ શકાય છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે ધાર્મિક સ્થળો પથ્થરથી બાંધવામાં આવતા હતા, તેથી આ સ્થળોના અવશેષો નું કારણ સ્પષ્ઠ થાય છે.
ઝીંઝુવાડાની ઐતિહાસિક વિરાસત
સુરેન્દ્રનગરનું ઝીંઝુવાડા ૧૧-૧૨મી સદીની એક પ્રાચીન ભવ્ય નગરી હતી જેના આજે માત્ર કેટલાક અવશેષો જોવા મળે છે. હાલમાં અહીં પૌરાણિક ભવ્ય દરવાજાના ભગ્ન અવશેષો, ઐતિહાસિક તળાવ, પૌરાણિક વાવ, દીવાદાંડી વગેરે વિરાસત જોવા મળે છે.
#Atulyavarso
ગુજરાતના વિદ્યાર્થીઓ જે UPSC, GPSC તેમજ અન્ય પરીક્ષાઓની તૈયારી કરે છે તેમને ગુજરાતીમાં The Hindu, Indian Express, PIB, Chronical,The Times of Indiaનાં અગત્યના કરંટ અફેર્સને લગતા ટોપીક પહોચાડવાનો આ એક નાનકડો પ્રયાસ છે. આપને કન્ટેન્ટ સારો લાગે તો અન્ય વિદ્યાર્થીઓ સાથે અવશ્ય શેર કરજો.
WhatsApp Group
https://chat.whatsapp.com/KFIUgAoJtYB8ZROjq6ASrB
Telegram Channel link
https://t.me/+nGhMdkewlyRiOGE1
આભાર🙏😇✍📈
ભમ્મરીઓ કુવો, હાલીસા
દહેગામના હાલીસા ગામમાં આ ભમ્મરીઓ કુવો આવેલો છે. સામસામે બંને દિશામાં પ્રવેશ દ્વાર ધરાવતો આ કુવો ૯૦-૧૦૦ ફૂટની ઊંડાઈ ધરાવે છે. પાંચ માળની ઊંડાઈ ધરાવતા આ કૂવામાં નીચે જવા માટે બંને દિશામાં ગોળ ફરતે પગથિયાની વિશિષ્ટ રચના જોવા મળે છે. પોર્ટુગલ દેશમાં આવી જ રચના ધરાવતો કુવો આવેલો છે જે યુનેસ્કો ધરોહરમાં સામેલ છે. પરંતુ હાલીસા ગામના કુવા વિષે ગુજરાતના લોકો પણ ઘણું ઓછુ જાણે છે.
#Heritage #Stepwell #Gujarat #Travel
🌷આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, શ્રાવણ મહિનો શિવજીની મહિમા અને ભક્તિનો ઉત્તમ સમય છે. સમગ્ર શિવાલયો હર હર ભોલે ના નાદ થી ગુંજી ઉઠે છે અને ભક્તો શિવજીને રીઝવવા અનેક રીતે તેમની ભક્તિ કરતા જોવા મળે છે.
🌷શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી જેવા તહેવારોની પણ ઉજવણી થાય છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ એક પછી એક તહેવારોની વણઝાર પણ શરૂ થઈ જાય છે.
🌷ગુજરાતમાં શ્રી સોમનાથ મહાદેવનો અનેરો મહિમા છે, સાથે જ અહીં કેટલાય પૌરાણિક શિવાલયો પણ જોવા મળે છે. જેમાં આજે પણ વિશિષ્ટ ઉર્જાનો અનુભવ કરી શકાય છે. ગુજરાતના ખૂણે ખૂણામાં પૌરાણિક મંદિરો જોવા મળે છે અને તે સ્થાપત્ય્કીય અને ઐતિહાસિક દ્રષ્ટીએ વિશેષ છે. આ સૌ મંદિરોનો પુનરુદ્ધાર થાય અને તે ફરીથી તેની મૂળ અવસ્થામાં બેઠા થાય તેવી અભ્યર્થના🙏.
🌺પવિત્ર શ્રાવણ માસની અનેક શુભકામનાઓ
*Discover the Mystique of Ancient Gujarat with Atulya Varso Tours!*
Embark on an Enchanting Journey to *Modhera, Patan, and Siddhpur* – Where Time Comes Alive.
Unveil the Wonders:
🌞 Modhera - Sun Temple
🥻 Patan - Rani ni Vav, Patola House
🛕 Siddhpur - Bohra Havelis, Rudra Mahalay
Your Luxurious Expedition Includes:
🚌 Comfortable A/C Bus Travel
🍽️ Delectable Lunch and Dinner
🧑🏻🏫 Expert Tour Guide
💧 Refreshing Water Bottles
🎟️ Entry Tickets to Exquisite ASI Monuments
Convenience Redefined:
🚏 Pick-Up and Drop at Paldi Cross Road
All of This at an Unbelievable Price:
💰 Just 2500/- per Person
For a Journey You'll Forever Cherish, Reach Us at:
📞 +91-9328312363
Uncover the Treasures of Gujarat – Book Your Voyage Now!
અતુલ્ય વારસો દ્વારા અમદાવાદમાં અને રાજ્યનાં અન્ય ઐતિહાસિક શહેરોમાં સમયાંતરે ટી પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોતાની ઐતિહાસિક ધરોહરની જાળવણી અને તેના પ્રચાર પ્રસાર માટે ગૌરવ લેનાર લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવે છે અને ચા પીતા પીતા શહેરનાં ઐતિહાસિક ધરોહરની વર્તમાન સ્થિતી અને આગામી સમયમાં તેની જાળવણી માટે કરવાની થતી પ્રવૃતિઓ વિશે ચર્ચા અને આયોજન કરવામાં આવે છે. સ્થાનિક લોકોમાં એક વિચાર ધરાવતા લોકો વચ્ચે જોડાણ વધે છે.
આજ રોજ માન. પૂંજાબાપુ વાળા જેઓ વર્ષોથી હેરિટેજ પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે અને પોતે રાજવી પરિવાર સાથે જોડાયેલા છે તેઓનાં નિવાસસ્થાને ચાય પી ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને આસપાસનાં ઘણા હેરિટેજ પ્રેમીઓ જોડાયા હતા અને રાજ્યમાં હેરિટેજ પ્રવાસન વિકાસને લગતી આગામી તબક્કાની કામગીરી અને આયોજનને લગતી ચર્ચા કરવામાં આવી હતી. #culture #heritagelovers #ahmedabad #atulyavarso
સૂર્યમંદિર, મોઢેરા
ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ૩૦ કિલોમીટર જેટલા અંતરે દક્ષિણ દિશામાં આવેલા મોઢેરા ગામ ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે. આ સૂર્યમંદિર સ્થાપત્ય કળા તેમજ શિલ્પકામનો અજોડ નમૂનો પ્રસ્તુત કરે છે. ઈ. સ. ૧૦૨૬માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
#AtulyaVarso #Heritage
ગુજરાતનું સૌથી પ્રાચીનત્તમ મંદિર
જામનગરથી લગભગ પચાસ માઈલના અંતરે આવેલ ગોપનું મંદિર ગુજરાતના સૌથી પ્રાચીન મંદિરોમાં ગણાય છે. આજથી ૧૫૦૦ વર્ષ અગાઉ આશરે છઠ્ઠા સૈકા પહેલા આ મંદિર બંધાયાનું જણાઈ આવે છે. કોઈ પણ પ્રકારના સીમેન્ટનો ઉપયોગ કર્યા સિવાય સળંગ મોટા પથ્થરોથી બાંધવામાં આવ્યું છે
*માતૃભાષા અભિયાન* અને તેની સહયોગી સંસ્થાઓના ઉપક્રમે રથયાત્રાના (૨૦ જૂને)પવિત્ર દિવસે *ગુજરાતનો ભવ્ય વારસો અને આપણે* તે વિષય પર "ગોઠડી"નું આયોજન અમદાવાદમાં Tea Post પર કરવામાં આવ્યું. "અતુલ્ય વારસો" સામયિકના *તંત્રી શ્રી કપિલ ઠાકર* દ્વારા હેરિટેજ વિષયમાં તેમનો પ્રવેશ, અનુભવો, વિવિધ પ્રોજેક્ટો અને અન્ય ઘણી બધી વારસાને કેન્દ્રમાં રાખી વાતો કરી હતી જેની સંપૂર્ણ વિગતો અત્રેની લિંક દ્વારા આપ જાણી શકશો.
ગોઠડી કાર્યક્રમ અને માતૃભાષા અભિયાન વિશે વધુ માહિતી માટે આપ *શ્રી ભાવિનભાઈ શેઠ* નો - ૯૧૭૩૬ ૫૦૦૨૬ સમ્પર્ક કરી શકો છો.
https://youtu.be/pYGHL5effAs
રોગન આર્ટ
કચ્છ ના નિરોણા ગામમાં આવેલ પદ્મશ્રી અબ્દુલગફુર ખત્રી પરિવાર આ કલાને કાપડ પર વિશિષ્ટ ભાતો માં તૈયાર કરે છે. આ કલામાં વપરાતા રંગો વનસ્પતિ જન્ય તેલમાંથી તૈયાર કરવામાં આવે છે.
#Kuchchh #Art #Artist
પ્રકૃતિ એ કુદરતે આપેલો એક અમૂલ્ય વારસો છે. અને પ્રકૃતિનું જતન કરીને જ તેને વધારી શકાય છે. આપણી પાસે નદી, સમુદ્ર, પહાડો, જંગલ, હવા, ધરતી વગેરે જન્મજાત વારસો મળ્યો છે, આવો આપણી આસપાસ રહેલા આ વારસાનું જતન કરી વિશ્વ પર્યાવરણ દિને વિશ્વને સાચી ભેટ આપીએ.
#EnvironmentDay
લોક કલા-સાહિત્ય અને લોક સંસ્કૃતિનું બહોળા પ્રમાણમાં દસ્તાવેજીકરણ કરી કલાકારોની કલા જીવંત રહે એ માટે સતત સક્રિય એવા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની અનોખી અને પ્રેરણાત્મક જીવનગાથાને જાણી, માણી લોકો સમક્ષ ઉજાગર કરવાનો એક નમ્ર પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો છે. જેનાં પ્રસારણની લિંક આ સાથે મોકલી રહ્યા છીએ. અમારો આ પ્રયાસ કલા-સંસ્કૃતિ વિશે પ્રેમ રાખનાર સૌને પ્રેરણાદાયી બની રહેશે તેવી અમોને આશા છે. જય હિંદ 🙏
https://youtu.be/FAtfIHzodNc
