🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳
Open in Telegram
આ ચેનલનો મુખ્યહેતુ આ માહિતીયુગમાં વૈચારિક જાગૃતતા લાવવાનો છે. નિસ્વાર્થ શિક્ષણકર્મીઓ દ્વારા માહિતી જરુરિયાતમંદને પુરી પાડવાનો છે. (IT+IT=IT) INDIA TODAY + INFORMATION TECHNOLOGY = INDIA TOMORROW સલાહસૂચન આવકાર્ય સહકારની અપેક્ષાએ આપનો @Deepakzala
Show more2 425
Subscribers
No data24 hours
-17 days
-2330 days
Posts Archive
આશરે ૨૫૦૦ વર્ષ પહેલા રાજા શુદ્ધોદન અને મહામાયાના પારણે પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો. એ સમયે કેટલાક વિદ્વાનો અને મુનિઓએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મહાન રાજા અથવા મહાન ઉપદેશક થશે. અને થયું પણ એવુંજ ૨૯ વર્ષની વયે તેમણે સંસારનો ત્યાગ કર્યો અને તેઓ મુક્તિમાર્ગ શોધવા માટે તપસ્યા કરવા લાગ્યા.
આ સમય દરમિયાન સિદ્ધાર્થ કેટલાક ગુરુઓ પાસે ગયા અને ત્યાં તેઓએ શિક્ષા લીધી પરંતુ ત્યાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. સન્યાસી જીવન દરમિયાન એક વૃક્ષનીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ કહેવાયા, અને તે વૃક્ષને બોધી વૃક્ષ તરીકે નામના મળી.
ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્ય વારસો સચવાયેલો છે, તથા બુદ્ધના અસ્થિ પણ ગુજરાતમાં છે. મૌર્ય કાળ દરમિયાન બુદ્ધ ધર્મનો પ્રચાર ખુબજ થયો હતો, સમ્રાટ અશોક પણ બુદ્ધના અનુયાયી હતા. સમ્રાટ અશોકે તેમના ઉપદેશોને ૧૪ આજ્ઞારૂપે શિલાલેખોમાં કોતરાયેલા, પરંતુ હાલમાં જૂનાગઢના ગિરનારપાસે એક જ શિલાલેખ જળવાયેલો છે.
સૌરાષ્ટ્રમાં પ્રાચીન સમયથી ઘણા બુદ્ધ સમારકો આવેલા છે, જેમાં દેવની મોરી, જૂનાગઢના ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાના મહેલ, અશોકના સ્તંભ માર્ગ, ગીર સોમનાથની સાના ગુફાઓ, પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ, ભરૂચનો કડિયા ડુંગર, કચ્છની સિયોત ગુફાઓ, ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ, રાજકોટની ખંભાલિડા ગુફાઓ, વડનગરના બુદ્ધિસ્ટ સ્થળો, મહેસાણાના તારંગા હિલ ઉપરની બુદ્ધિસ્ટ ગુફાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં ઇ.સ. બીજી સદીથી લઈને ત્રીજી સદી સુધી બુદ્ધધર્મનો પ્રચાર પ્રસાર વધારે કરવામાં આવ્યો હતો અને તે સમયની કેટલીક બુદ્ધગુફાઓ અને તેના પુરાવાઓ મળી આવે છે. હાલના સમયમાં બુદ્ધની ગુફાઓ એ ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષાયેલી છે.
આધ્યાત્મિક જીવનમાં બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ છે. ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાના દિવસે થયું હોવાથી આ દિવસનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધી જાય છે.
ગુજરાતમાં બૌદ્ધ ધર્મની વધુ વિગતો માટે વાંચો અતુલ્ય વારસો બુદ્ધ અને વડનગર વિશેષાંક.
ગુજરાતના હિસ્ટોરિક્લ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા
તાજેતરમાં જ તૈયાર કરવામાં આવેલ કચ્છની મનમોહક ભૂમિને સમર્પિત "અતુલ્ય વારસો કચ્છ વિશેષાંક" આજરોજ કચ્છ મહારાણીશ્રી પ્રીતિદેવીજીને અર્પણ કરવામાં આવ્યો. આ નિમિત્તે રાજવી પરિવારના અન્ય સભ્યો પણ જોડાયા હતા તથા કચ્છ પ્રવાસન અને તેના ઇતિહાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ૨૦૨૩-૨૪ ના હેરિટેજ પ્રવાસન (દેવપર હોમસ્ટે) કેટેગરીમાં નોમિનેટેડ કૃતાર્થસિંહ જાડેજાને અતુલ્ય વારસો ટીમ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટીમ અતુલ્ય વારસોમાંથી કપિલ ઠાકર, નરેન્દ્ર ઓતિયા અને રોનક રાણા જોડાયા હતા અને કચ્છથી સંજય ઠાકર, નરેશ અંતાણી, બીપીન સોની, પ્રમોદ જેઠી, દલપત દાણીધારીયા વગેરે જોડાયા હતા.
ટીમ અતુલ્ય વારસોને કચ્છ મહારાણીશ્રી પ્રીતિદેવીજી એ કરેલ સહયોગ બદલ તેમનો ખૂબ ખુબ આભાર 🙏🏼
નમસ્તે, આગામી ૨૨ માર્ચ વિશ્વ જળ દિન નિમિતે, આવો માનીએ જળનો આભાર, જળ ઉપાસના દ્વારા.
સ્થળ: ભમ્મરિયો કુવો, હાલીસા (ગાંધીનગર)
સમય: સાંજે ૦૬ કલાકે
Atulya Varso Tea Party @ Zinzuwada
Let's Explore and Talk about the ancient gates, fort, culture, festivals, waterbodies, Temples and people of Zinzuwada with a cup of a tea.
Date: 18/02/2024
Time: 09:00 to 11:00 am
For More Information: +91-93283 12363
કચ્છની ઓળખસમા ભુજિયા ડુંગરનો ભવ્ય પ્રવેશદ્વાર.
#Kutch #Heritage #Tourism
અમદાવાદ-
ઉતરાયણ પૂર્વે કરુણા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
ઉતરાયણમાં ઘાયલ થનાર અબોલા પક્ષીઓને બચાવવા ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે અભિયાન
૨૦૧૭ થી શરૂ થયેલ અભિયાનમાં ૮૫ હજાર પક્ષીને સારવાર અપાઈ
સારવાર અપાયેલ પૈકી ૭૫ હજાર પક્ષીઓને બચાવવામાં આવ્યા
અભિયાન હેઠળ ૪૫૯ કલેક્શન સેન્ટર અને ૪૮૮ સારવાર કેન્દ્ર
વન વિભાગે ૧૯૨૬ અને પશુપાલન વિભાગે ૧૯૬૨ હેલ્પલાઈન નંબર જાહેર કાર્યો
નાગરિકો ઘાયલ પશુઓ માટે ૮૩૨૦૦૦૨૦૦૦ મોબાઈલ નંબર પર પણ ફોન કરી શકશે
અમદાવાદમાં ૨૦ સારવાર કેન્દ્રો અને ૧૧૮ કલેક્શન સેન્ટર તૈયાર કરાયા
અમદાવાદમાં ૨૧૬ વેટરનિટી ડોક્ટર અને ૨૮૦૦ સ્વયંસેવકોની ટીમ તૈયાર
Repost from GPSC MAINS Q&A
💁🏻♂ અદભુત, અલોકિક, અકલ્પનીય,
ઐતિહાસિક મહારાસ...
સાડા પાંચ હજાર વર્ષ પહેલાં
મન, વચન, કર્મ થી સમર્પિત ગોપીઓ એ કેવા આંતરનાદ ના ભાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસ ની રમઝટ બોલાવી હશે એ અર્વાચીન સમયે દ્વારકા મધ્યે આજે નજરે જોવા મળી.
દ્વારિકા નગરીમાં સમસ્ત આહિર સમાજ દ્વારા "આહીરાણી મહારાસ" નું સુંદર આયોજન કરવામાં આવ્યું ... ગુજરાત ની આહીરાણી ઓ માં આજે પણ રાસ રૂપે કૃષ્ણ ધબકે છે તેના અદ્ભુત દ્ર્શ્યો જોવા મળ્યા વિશેષ, દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશની ભક્તિ માં લીન ૪૫૦૦૦ થી ૫૦,૦૦૦+ જેટલી આહીરાણી માતાઓ,બહેનો, દીકરીઓ ઓ એક સાથે આહિરોના ટ્રેડીશનલ પહેરવેશ માં રાસ રમીને ઈતિહાસ રચ્યો...
અખીલ બ્રહ્માડના નાથની સાક્ષાત ઉપસ્થિતિ માં આયોજીત આ મહારાસને ભવ્ય સફળ બનાવવા બદલ આયોજક ટિમની દરેક માતાઓ-બહેનો અને વડીલોને કોટી કોટી વંદન સહ સમગ્ર સમાજને હ્રદયપુર્વકના અભિનંદન.
જય દ્વારકાધીશ.
@Gpscmainspractice
✍🏻 @KuldipAhir
Repost from GPSC MAINS Q&A
🎎 તિબેટિયન રેફયુજી
💁🏻♂ ગઈકાલે તિબેટિયન સ્ટોલથી ગરમ કપડાંની ખરીદી પર આ સ્ટીકર જોયા. શિયાળામાં દરેક જીલ્લામાં ગરમ કપડાનાં વેચાણ માટે આપડે તિબેટિયન રેફયુજી નામથી સ્ટોલ જોયા હશે. ઘણા લોકોને એવું છે કે આ લોકો તિબેટથી અહીં ગરમ કપડા વહેંચવા આવે છે પરંતુ વાસ્તવિકતા જુદી છે.
➡️ જ્યારે 1950 માં, ચીને તિબેટને 'ઉદારીકરણ' કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તિબેટીયનોની સામાજિક અને રાજકીય સંસ્કૃતિમાં ચીની માર્ક્સવાદી વિચારધારા અને પ્રથાઓ લાદવાના પ્રયાસરૂપે મૂળ તિબેટીયનોને તેમની અનન્ય સંસ્કૃતિ પર હુમલો કરીને સતાવણી કરી. જ્યારે તિબેટિયનો બૌદ્ધ ધર્મનો પ્રચાર આધ્યાત્મિક નેતા તરીકે દલાઈ લામા સાથે કરતા હતા. તેમના 1959માં ચીની સામેના નિષ્ફળ વિદ્રોહ પછી પોતાને અને પોતાની ઓળખ બચાવવાના પ્રયાસરૂપે, દલાઈ લામા અને હજારો તિબેટીયન ભારતમાં નેફા (હાલ અરુણાચલ પ્રદેશ)માં આવ્યા. તેઓને ભારત સરકાર દ્વારા તરત જ આશ્રય આપવામાં આવ્યો અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી.
1980 ના દાયકાથી શરૂ કરીને અને 2000 ના દાયકા સુધી, દર વર્ષે થોડા હજાર તિબેટીયન ભાગી જતા હતા. તિબેટિયનો તેમના વતનમાંથી ભાગ્યા કારણ કે ચીને તિબેટને એક પોલીસ રાજ્યમાં ફેરવી દીધું જ્યાં તિબેટીઓ મુક્તપણે તેમના ધર્મનો અભ્યાસ કરી શકતા નથી અને તેનું પાલન કરી શકતા નથી, તેમની તિબેટની ઓળખને અર્થપૂર્ણ રીતે દર્શાવી શકતા નથી અથવા ચાઇનીઝ લોકો જેવા જ વિશેષાધિકારોનો આનંદ માણી શકતા નથી.
ભારત સરકારે હિમાચલ પ્રદેશના ધર્મશાળા સીટીને તિબેટિયન રેફયુજી લોકો ને રહેવા માટે વિકસિત કર્યુ. 29 એપ્રિલ 1959ના રોજ, 14મા દલાઈ લામા તેનઝિન ગ્યાત્સોએ મસૂરીમાં તિબેટીયન વહીવટીતંત્રની સ્થાપના કરી, જ્યારે તેમને તિબેટમાંથી ભાગી જવું પડ્યું. મે 1960માં, સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનને ધર્મશાળામાં ખસેડવામાં આવ્યું જ્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને અને તેમના અનુયાયીઓને ધર્મશાલાની ઉત્તરે મેકલિયોડ ગંજમાં સ્થાયી થવાની મંજૂરી આપી. ત્યાં તેઓએ 1960માં "ગવર્નમેન્ટ-ઈન-એક્સાઈલ" અને નમગ્યાલ મઠની સ્થાપના કરી. 1970માં, દલાઈ લામાએ તિબેટીયન વર્ક્સ એન્ડ આર્કાઈવ્સની લાઈબ્રેરી ખોલી જે તિબેટોલોજી માટે સૌથી મહત્વપૂર્ણ સંસ્થાઓમાંની એક છે.
હજારો તિબેટીયન નિર્વાસિતો હવે તે વિસ્તારમાં સ્થાયી થયા છે જ્યાં મઠો, મંદિરો અને શાળાઓ આવી છે. તે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ્સ સાથે એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ બની ગયું છે, જે પ્રવાસન અને વાણિજ્યમાં વૃદ્ધિ તરફ દોરી જાય છે. આજે તો દેશના વિવિધ શહેરોમાં તિબેટિયન રેફયુજીનો વસવાટ છે.
ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિમાં ભારતની તિબેટ નીતિમાં પરિવર્તન આવ્યું છે. ભારત સરકારે જાહેર મંચોમાં દલાઈ લામા સાથે સક્રિય રીતે સંચાલન કર્યું છે. પરંતુ આજે પણ તેઓ પોતાના તિબેટ ને અલગ દેશ બનાવવાની વિચારધારા સાથે સંકળાયેલા છે અને સમયાંતરે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દાને ઉઠાવતા જોવા મળે છે. જ્યારે ભારત સરકાર આ બાબતે પાછલા થોડા વર્ષોમાં જ સક્રિય જોવા મળી છે.
આજે વિશ્વનો સૌથી સફળ શરણાર્થી સમુદાય તરીકે તેમને જોવામાં આવે છે કારણકે તેઓએ પરંપરાગત તિબેટીયન વસ્ત્રો અને એસેસરીઝ, ગરમ કપડાંના, હાથથી બનાવેલ હસ્તકલા, તિબેટીયન ધૂપ અને થંગકા (તિબેટીયન ધાર્મિક ચિત્રો) સહિત વિવિધ સામાન ઉપરાંત, આ બજારોમાંના ઘણા શેરી વિક્રેતાઓ પણ છે જે તિબેટીયન ખોરાક જેમ કે મોમોઝનું વેચાણ કરે છે.
આજે પણ તેઓ પોતાના હક્ક માટે લડે છે જેનું જીવંત ઉદાહરણ ત્યાંથી લીધેલ ગરમ વસ્ત્ર પરના સ્ટીકર પરથી જોવા મળે છે. જ્યારે ૯૯% લોકો ને આ સ્ટીકર નો મતલબ ખબર જ નથી.
✍🏻 @KuldipAhir
@Gpscmainspractice
નમસ્કાર મિત્રો, આગામી ૧૯ નવેમ્બર, ૨૦૨૩ રવિવારનાં રોજ ટીમ અતુલ્ય વારસો દ્વારા દરબારગઢ, દેવપુરનાં સંયુક્ત ઉપક્રમે ટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ વિષય સાથે સંકળાયેલ હેરિટેજ પ્રેમીઓ સાથે મળી કચ્છનાં હેરિટેજની ચર્ચા કરશે અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. રવિવારે સવારે ૦૯ થી ૧૧ દરમ્યાન આ કાર્યક્રમ દરબારગઢ, દેવપુર ખાતે આયોજિત કરેલ છે. તો આપશ્રી પણ આ બેઠકમાં ચાય પિવા માટે અને પોતાના વિચારો રજુ કરવા માટે આમંત્રિત થયા છે. આવો મળીએ ૧૯ તારીખે ટીમ કચ્છને.
નમસ્તે, ઉજાસના પર્વ દિવાળીના પાવન પ્રસંગે આપ સૌ સમક્ષ *અતુલ્ય વારસો દિવાળી વિશેષાંક* ડિજિટલ અંક પ્રસ્તુત કરી રહ્યા છીએ. ટુંક સમયમાં પ્રિન્ટ અંક પણ આપ સમક્ષ આવી જશે.
આપ સૌને દિવાળી અને આવનાર નવ વર્ષની શુભકામનાઓ.
- ટીમ અતુલ્ય વારસો
ગુજરાત પ્રવાસન નિગમ લિ., ગાંધીનગર દ્વારા વડનગર આવતા હેરિટેજ રસિકો, શાળા-કોલેજનાં વિધાર્થીઓ અને અન્ય પ્રવાસીઓ માટે અસ્મિતા યાત્રા (હેરિટેજ વોક) ડીઝાઈન કરવાનું આયોજન કર્યું છે. હેરિટેજ વોક એટલે કોઈ પણ શહેરનાં ઈતિહાસ, કલા - સંસ્કૃતિ, સ્થાપત્ય અને લોક જીવનને ઓછા સમયગાળામાં (એકાદ બે કલાકમાં) જાણવા અને માણવાની યાત્રા. આ હેરિટેજ વોક તૈયાર કરવાની અમલીકરણ કામગીરી અતુલ્ય વારસો સંસ્થા દ્વારા પાર પાડવામાં આવશે.
આ હેરિટેજ વોક આગામી સમયમાં લોકો માટે ખુલ્લી મુકાશે જેના ભાગરૂપે હાલમાં વિવિધ સંશોધન, સર્વેક્ષણ અને આર્કિટેકચરલ દસ્તાવેજીકરણની કામગીરી ચાલી રહી છે. આગામી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ નાં રોજ વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોનાં અભ્યાસનાં ભાગરૂપે નગરના વારસાનો અભ્યાસ કરવામાં આવશે. આ દિને પ્રાયોગિક ધોરણે હેરીટેજ વોક, સર્વેક્ષણ અને નગરજનો સાથે ચર્ચા કરી વિગતો મેળવવાનો પ્રયાસ થશે. સ્થાનિક સર્વેને અમારા આ પ્રયાસમાં જોડાવવા અને પોતાના વિચારો અને માર્ગદર્શન રજુ કરવા આમંત્રિત કરીએ છીએ.
આજરોજ અતુલ્ય વારસોનો ગુજરાતમાં બૌદ્ધ ધર્મ અને વડનગર વિશેષાંકનું વિમોચન પાટણ કલેકટરશ્રી અરવિંદ વિજયન સર અને અધિક કલેકટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ સરનાં વરદ હસ્તે પાટણ જિલ્લા વહીવટીતંત્રના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ અંકમાં ગુજરાતમાં આવેલ બૌદ્ધ ધર્મના કેન્દ્રો, ગુજરાતમાં બૌદ્ધ સ્થાપત્યો, ગૌતમ બુધ્ધ અને બૌદ્ધ ધર્મ, વડનગરમાં તાજેતરમાં ઉત્ખનન થયેલ સાઈટ, ગ્રંથો અને શિલાલેખોમાં વડનગર અને નગરના સ્થાપત્યો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આપેલી છે.
અરવલ્લીની ગિરિમાળામાં સ્થિત તારંગા એક અદ્ભુત અને રમણીય સ્થળ છે, એડવેન્ચરના શોખીનો માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે, પૌરાણિક સમયમાં આ સ્થળ એક બૌદ્ધ કેન્દ્ર હતું તેવું અહીંથી મળેલ પુરાવાઓ સાબિત કરે છે. અહીંથી બુદ્ધની પ્રતિમાઓ, બૌદ્ધ ગુફાઓ, સ્તુપો વગેરે મળી આવેલ છે.
દાહોદ ના સ્થાપના દિવસ એ એક વિરલ વ્યક્તિત્વ એ વિદાય લીધી.
સ્વ.વજેસિંહ પારઘી
વેદનાઓ સાથે આજીવન ઝઝૂમ્યા
પોતાની કલમ થકી બીજાને જગાડ્યા
દદૅ નો દેદાર કરાવવા કાજ
લખતા રહ્યા અંતિમ દિન સુધી આજ
નાનપણ થી જવાની
જવાની થી અંતિમ સફર
વેદના , વ્યથા ને વેઢારતા રહ્યા
મન તન થકી બેબાક રહ્યા
જવાબદારી ના બોજ તળે જીવતા રહ્યા
સંઘર્ષ ના એ સોદાગર થયા
સફળતા ના એ મોહતાજ ના રહ્યા.
જેના જીવનની શરૂઆત જ પોતાના જીવનમાં સંઘર્ષ લઈને આવ્યા . ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેના જીવનમાં આવી બધી વિટંબણાઓ વચ્ચે પણ અડગ રહીને પોતાનું જીવન જીવ્યા હશે.
પારિવારિક જીવન ને સામાજિક જીવન , પોતાના શરૂઆત થઈ સુધી સતત હોસ્પિટલમાં દવાઓ દ્વારા જીવન જીવવું ને કામ કરવું ઘણું અસહ્ય રહ્યું હતું. ગાંધીજી સ્થાપિત નવ જીવન ટ્રસ્ટ ના પ્રુફ રિડર સુધી પહોંચવું ને આ સ્થાન હાંસલ કરવું એ કોઈ જેવી તેવી સિદ્ધિ નથી.
છેલ્લે ચાર દિવસ પહેલાં જ્યારે હું વજેસિંહ ભાઈ ને મળ્યો ત્યારે કીધું હતું કે નાહર નો પોરિયો રાલ એ થોડો કશું હારે ને માં બેઠી હોય તો મોત પણ પાછું જતું રહે.
હસતાં હસતાં કીધુ સતિષભાઈ હવે દદૅ સહન થતું નથી ને હવે જીવન જીવવાની ઈચ્છા પણ ઓછી રહી છે.
બે દિવસ પહેલા જ રૂબરૂ ગયો તો જાણવા મળ્યું કે હવે રજા લઈ લીધી છે. ખવાતું પણ નહોતું .
આજે સવારે જ જાણ્યું ને જે વિચાર્યું હતું એ જ થયું દુનિયા નું અંતિમ સનાતન સત્ય મૃત્યુ .
કોઈ અજરા અમર નથી પણ એમણે એમના જીવન કાયૅ થકી જીવી રહ્યા દીપી રહ્યા ને સમગ્ર સાહિત્ય જગત ને એક નવી રાહ બતાવી ગયા. જ્યારે કલમ ની તાકાત મજબૂરી અનુભવે ત્યારે વજેસિંહ ભાઈ ને વાંચી લેવા ..
આપ અમર રહો
આદિવાસી સમાજ નું ઘરેણું આજે નથી રહ્યું
દાહોદ ની ધરાનો એ અમૂલ્ય વારસો આપનાર જતા રહ્યા
આપના કાયૅ હર હંમેશ આમ જેવા ને માગૅદશૅન આપતા રહેશે.
આજે એમની કવિતા નું પઠન કરી બે મિનિટ મૌન પાળ્યું. વજેસિંહ પારગી આપ અમર રહો સદગત ની દિવ્ય ચેતના ને નમન , અંતિમ જોહાર દાદા.
જોડણી ને જીવતર ની ભૂલો સુધારનાર જતા રહ્યા.
ભૂલ ચૂક માફ દાદા .
સતિષ પરમાર
અજમાવત કોટ
કપડવંજના આંતરસુબા ગામથી ૫ કિમી દૂર આ કોટ આવેલો છે. એવું કહેવાય છે કે દિલ્લીના બાદશાહે અઝમલખાન નામના સુબાને અહી ખંડણી વસૂલવા માટે મોકલ્યો હતો. કોટમાં ચાર કમાન હતી જેમાંથી એક તૂટી ગઈ છે, અને તેની દીવાલો પર ચિત્રો હતાં જે ઝાંખા થઈ ગયેલા જોવા મળે છે.
