en
Feedback
Sandesh News

Sandesh News

Open in Telegram

🚩 Channel was restricted by Telegram

Show more
2 659
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
photo content

કોર્ટની અવગણના કરવા બદલ દોષી ઠેરવવામાં આવેલા સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણના સમર્થનમાં ઘણા જજ અને વકીલો આગળ આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સંખ્યા 3000થી વધુ છે. તેમણે સુચન કર્યું છે આ ચુકાદાનો ત્યાં સુધી અમલ ન થવો જોઈએ, જ્યાં સુધી કોરોના મહામારી પછી શરૂ થનારી કોર્ટની નિયમિત સુનાવણીમાં લાર્જર બેન્ચ તેનો રિવ્યું ન કરે. પ્રશાંતના સમર્થનમાં આવેલા જજ અને વકીલોએ તેમના સુચનમાં કહ્યું છે કે અમને આશા છે કે સુપ્રીમ કોર્ટે છેલ્લા 72 કલાકમાં ઉઠેલા તમામ અવાજોને સાંભળ્યાં હશે અને ન્યાયને ખ્તમ થવાથી રોકવા માટે સુધારાના પગલા ઉઠાવવામાં આવશે. જેથી સામાન્ય લોકોમાં ફરીથી કોર્ટ માટે સન્માન અને વિશ્વાસ પેદા થઈ શકે. 3000થી વધુ જજ અને વકીલોના સમર્થનમાં આવ્યા હોવાનો દાવો પ્રશાંત ભૂષણના પક્ષમાં હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની સાથે સંબધિત એપ્લિકેશન પર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 13 જજ સહિત 3000થી વધુ વકીલ હસ્તાક્ષર કરી ચૂક્યા છે. જોકે ન્યુઝ એજન્સી પીટીઆઈએ તેની સંખ્યા 41 જણાવી છે. આ વકીલ પ્રશાંતના સમર્થનમાં પ્રશાંત ભૂષણના સમર્થનમાં આવેલા વકીલમાં જનક દ્વારકાધીશ, નવરોજ એચ સીરવઈ, દાઈરસ જે ખંભાતા, જયંત ભૂષણ, અરવિંદ પી દાતાર, હુફેજા અહમદી, સી યૂ સિંહ, શ્યામ દીવાન, સંજય હેગડે, મિહિર દેસાઈ અને મેનકા ગુરસ્વામીના નામ પ્રકાશમાં આવ્યા છે. 14 ઓગસ્ટે દોષી ઠેરવવામાં આવ્યા હતા પ્રશાંત ભૂષણને જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી 3 જજની બેન્ચે 14 ઓગસ્ટે ક્રિમિનલ કન્ટેમ્પ્ટના દોષી ઠેરવ્યા હતા. તેમણે જ્યુડિશિયરી પર 2 અપમાનજનક ટ્વિટ કરી હતી. હવે આ મામલામાં 20 ઓગસ્ટે સજા પર દલીલ કરવામાં આવશે. તેમને 6 મહિનાની કેદ અથવા 2000 રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. પ્રશાંત ભૂષણના આ 2 ટ્વિટને અવગણના ગણવામાં આવ્યા પ્રથમ ટ્વિટઃ 27 જૂન- જ્યારે ઈતિહાસકાર ભારતના છેલ્લા 6 વર્ષને જોશે તો તેમને ખ્યાલ આવશે કે કઈ રીતે ઈમરજન્સી વગર દેશમાં લોકતંત્રને ખત્મ કરવામાં આવ્યું. તેમાં(ઈતિહાસકાર) સુપ્રીમ કોર્ટ, ખાસ કરીને 4 પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની ભૂમિકા પર સવાલ કરશે. બીજું ટ્વિટઃ 29 જૂન- તેમાં વરિષ્ઠ વકીલે ચીફ જસ્ટિસ એસ એ બોબડેનો હાર્લે ડેવિડસન બાઈક સાથેનો ફોટો શેર કર્યો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બોબડેની ટીકા કરતા તેમણે લખ્યું કે કોરોનામાં કોર્ટને બંધ રાખવાનો તેમણે આદેશ આપ્યો હતો. ભૂષણને પહેલા અવગણના કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી પ્રશાંત ભૂષણને નવેમ્બર 2009માં પણ સુપ્રીમ કોર્ટે અવગણના કરવા અંગેની નોટિસ આપી હતી. ત્યારે તેમણે એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં સુપ્રીમ કોર્ટના જજ પર ટિપ્પણી કરી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today (https://f87kg.app.goo.gl/V27t)

photo content

3000થી વધુ જજ અને વકીલોનું સુચન- પ્રશાંત ભૂષણને કોર્ટની અવગણના કરવાના કેસમાં થનારી સજાનો અમલ લાર્જર બેન્ચના રિવ્યુ પહેલા ન કરવામાં આવે https://www.divyabhaskar.co.in/national/news/lawyers-support-prashant-bhushan-in-contempt-case-say-verdict-holding-him-guilty-be-not-be-given-effect-127626576.html

He was given the responsibility of the third state in a year, after Jammu and Kashmir was the governor of Goa

photo content

23 ઓગસ્ટ 2018ના મલિકે જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 30 ઓક્ટોબર 2019 સુધી ત્યાં રહ્યા. 3 નવેમ્બર 2019ના તેમને ગોવાના રાજ્યપાલ તરીકે શપથ લીધા. હવે તેમને મેઘાલયની જવાબદારી સોંપવામા આવી છે. ગત વર્ષે કેન્દ્ર સરકારે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યો ત્યારે મલિક ત્યાં રાજ્યપાલ હતા. 2018માં અમુક મહિના માટે તેમને ઓરિસ્સાનો વધારાનો પ્રભાર પણ મળ્યો હતો. તેઓ 1980-86 અને 1986-1992 સુધી ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સદસ્ય પણ રહ્યા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today (https://f87kg.app.goo.gl/V27t)

photo content

ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયૂક્ત કરવામા આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ગોવાનો વધારાનો હવાલો સોંપવામા આવ્યો છે. મોદી કેબિનેટના આ નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. એક વર્ષમાં મલિકની આ ત્રીજી બદલી છે. અત્યારે તેઓ ગોવાના રાજ્યપાલ છે. અગાઉ તેઓ જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યપાલ રહી ચૂક્યા છે.

photo content

એક વર્ષમાં ત્રીજા રાજ્યની જવાબદારી આપવામા આવી, જમ્મૂ-કાશ્મીર પછી ગોવાના રાજ્યપાલ હતા https://www.divyabhaskar.co.in/national/news/he-was-given-the-responsibility-of-the-third-state-in-a-year-after-jammu-and-kashmir-was-the-governor-of-goa-127626616.html

Home Minister Amit Shah was again admitted to AIIMS Hospital

photo content

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ… Download Dainik Bhaskar App to read Latest Hindi News Today (https://f87kg.app.goo.gl/V27t)

photo content

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સની એક ટીમ તેમનું ઓબ્ઝર્વેશન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને ફરી થોડો તાવ આવવા અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ગઈ કાલે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ડો. રણદીપ ગુલેરિયાની ટીમ તેમની સારવાર કરી રહી છે. ચાર દિવસ પહેલાં જ જીતી છે કોરોના સામે જંગ 14 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાની માહિતી જાતે જ ટ્વિટર પર આપી હતી. ત્યારપછી તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને હોમ આઈસોલેશન રહેવાની સલાહ આપવામાં આવી હતી. ગઈ કાલે રાતે તેમને સામાન્ય તાવ આવ્યો હતો અને ત્યારપછી તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSએ કહ્યું- તેઓ ઠીક છે, હોસ્પિટલથી કામ કરે છે

photo content

હોસ્પિટલે કહ્યું- તેમને થાક-શરીરમાં કળતરની ફરિયાદ હતી, તેઓ ઠીક છે-હોસ્પિટલમાંથી કામ કરે છે, હાલમાં જ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો https://www.divyabhaskar.co.in/national/news/home-minister-amit-shah-was-again-admitted-to-aiims-hospital-127626571.html

photo content

17 ઓગસ્ટ સુધીમાં છ કરોડથી વધુની વસ્તીની તુલનાએ માત્ર 2.2 ટકા જ ટેસ્ટિંગ કરાયું, ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 1 ટકા જ ટેસ્ટિંગ https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/know-the-status-of-corona-test-in-gujarat-as-of-august-17-total-1358364-had-been-tested-over-more-than-6-crore-population-127626583.html