Divya Bhaskar
Open in Telegram
Best News Channel in Telegram Divya Bhaskar News in Telegram દિવ્ય ભાસ્કર હવે તમારા મોબાઈલ પર. Telegram પર @Divyabhaskar Join કરો અને દરરોજ સમાચાર તમારા મોબાઈલ પર. Others: @SandeshNewsOfficials
Show more5 824
Subscribers
-124 hours
+47 days
-1230 days
Posts Archive
5 824
જોકે, ‘કૃત્રિમ હાથ’ના ફાયદાઓ પણ ઘણા હશે. જેમ કે– એ હાથને પેટ નહીં હોય એટલે એ આપણી જેમ પેટને લીધે લાચાર નહીં હોય. પેટ જ નહીં હોય તો એ હાથ, કોઇ શેઠ, શાહુકાર કે સત્તા સામે ડર કે લાલચથી સલામ પણ નહીં ઠોકે! પેટ વિનાનો એકલો હાથ, કેટલો સ્વમાની હશેને? વળી, શરીર વિનાના એ હાથને મોઢું કે જીભ પણ નહીં હોય એટલે એ કોઇની ચાડી નહીં ખાય, ખોટું નહીં બોલે, બીજાની નિંદા નહીં કરે, ગાળો નહીં આપે. પોતે કરેલાં મામૂલી કામો માટે પોતે જ પોતાનો ઢોલ નહીં પીટે. આજે આવા સ્વાભિમાની, ખામોશ, મહેનતુ અને સજ્જન હાથની સમાજને ખૂબ જરૂર છેને?
એન્ડ ટાઇટલ્સ:
ઇવ: આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ વિશે શું માને છે?
આદમ: તારી ‘નેચરલ મૂર્ખતા’માંથી હજી બહાર નથી આવ્યું! }
5 824
રાગ બિન્દાસ:ક્યા હાલત હૈ, ભગવાન: આયા ‘આર્ટિફિશિઅલ ઇન્સાન’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/whats-up-god-nanny-artificial-human-133276719.html
ટાઇટલ્સ: સંવેદનાનું સોફ્ટવેર નથી હોતું. (છેલવાણી)
એક ગરીબે, એના અમીર મિત્રને ઘરે અજીબ મશીન જોયું. જેમાં તમે લોટ અને પાણી નાખો કે આપોઆપ લોટ બંધાઇ જાય. પછી નાના-નાના લૂવા બને. ત્યારબાદ આપોઆપ રોટલી ગોળાકારમાં વણાઇ જાય. પછી ધીમે ધીમે ઉદય પામતાં સૂર્યની જેમ ફૂલકા રૂપે રોટલી, દડા જેમ બનવા લાગે. કોઇ પ્રેમાળ પત્ની, પતિને પ્રથમવાર જમાડવી હોય એવી ગર્મ-ગર્મ નર્મ-નર્મ રોટલી તૈયાર! આવું અદ્્ભુત દૃશ્ય નીરખીને પેલા ગરીબના મોંમાં પાણી આવી ગયું ને એણે કહ્યું, ‘શું વાત છે! આને કહેવાય, ધન-દોલતની સાચી સાહ્યબી!’
ત્યારે અમીર મિત્રએ ભડકીને કહ્યું, ‘શેની સાહ્યબી? રોટલીના ટુકડા કોણ કરશે? અને ટુકડાને ચાવશે કોણ? મારો બાપ?’
જોક્સ અપાર્ટ, આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ. આઇ.) કે ‘કૃત્રિમ બુદ્ધિ’ના જમાનામાં રસ્તા વિનાની કાર કે આકાશ વિનાનું પ્લેન તો હવે સંભવ બનશે, પણ હવે શેક્સપીઅરની સ્ટાઇલમાં નાટક લખતા કે સલીમ-જાવેદની શૈલીમાં ઓટોમેટિકલી ફિલ્મ લખી શકતા પ્રોગામો પણ બનવા લાગ્યા છે. હવે કોઇ ગાલિબના ‘અંદાઝે-બયાં’ વડે પ્રિયતમા માટે ગઝલ લખાવી શકશે કે કવિ કાલિદાસની સ્ટાઇલમાં ઓટોમેટિકલી પ્રેમપત્ર ઘસડી મારશે તોય નવાઇ નહીં!
હવે જે પામવું છે, માણવું છે, જાણવું છે, એની જાનલેવા જદ્દોજહદ નહીં રહે. હવે તો એ દિવસ- સોરી… એ રાત, પણ દૂર નથી કે જેમાં બેડરૂમમાં ઓટોમેટિકલી પ્રેમ કરી આપનારાં સ્ત્રી-પુરુષોનાં શરીરો હશે, જે બધું જ એક નોર્મલ શરીરની જેમ શૃંગારમય રીતે કરી શકશે. સ્નેહ, સંવાદ, સંગતથી માંડીને સેકસ સુધી. રોમાંસથી માંડીને રૂઠવા-રીઝવવા સુધી. પણ શું એ ઓટોમેટિક સ્ત્રી કે પુરુષમાં દિલ તોડવાની ટેક્નિક હશે? એમાં બેદિલ બેવફાઇનું બટન હશે?
‘અર્ધસત્ય’ કે ‘આક્રોશ’ જેવી ક્લાસિક ફિલ્મો કે ‘સખારામ બાઇન્ડર’ કે ‘ઘાશીરામ કોતવાલ’ જેવાં અનેક ક્રાંતિકારી નાટકોના મરાઠી લેખક વિજય તેંદૂલકરે એકવાર લખેલું કે કોઇ વૈજ્ઞાનિકે એક ઓટોમેટિક હાથ બનાવેલો. માણસ વિનાનો જીવંત હાથ! એ હાથ, સવારે ઊઠીને ટૂથપેસ્ટની ટ્યૂબ દાબીને બ્રશ પર પેસ્ટ કાઢી શકે. વાળ ઓળી શકે, લિપસ્ટિક લગાડી શકે ને બહુ શીખવો તો એ નકલી હાથ, મહેબૂબાના હાથ પર મેંદી રચી શકે!
ઇન્ટરવલ:
તેરા હાથ, હાથ મેં આ ગયા, કિ ચિરાગ રાહ મેં જલ ગયે. (મજરૂહ)
પછી જ્યારે કલ્પનાઓ દોડાવી ત્યારે થયું કે ઓટોમેટિક હાથ, સવારસવારમાં દાંત ઘસતાં ઘસતાં ‘સાલુ… આજેય કમાવા જવું પડશે! હે ભગવાન, કેટલી કસોટી લઇશ, આ જન્મારે?’ એવું વિચારી શકશે? ઓટોમેટિક હાથ, રાજીનામાંનો લેટર ટાઇપ કરી આપશે પણ એને બોસના ટેબલ પર પટકીને, કંપનીમાં નોકરીના ત્રાસ વિશેની અશ્રુભીની ફરિયાદ બયાન કરી શકશે? એ ક્રિકેટ રમતી વખતે બોલિંગ કરી શકશે, પણ છેક 20 વર્ષ પહેલાં બોલિંગ કરતાં કરતાં ‘સ્કૂલના ફ્રેન્ડને કેવી રીતે અંચાઇથી આઉટ કરેલો?’ એના વ્યર્થ ગપ્પાં તો નહીં મારી શકેને?
એ હાથ, ઇલેક્શનમં આપોઆપ વોટ આપી શકશે પણ ‘કયા ઓછા ખરાબ નેતાને ચૂંટવો?’ એ વિશે વિચારી તો નહીં શકેને? એ હાથ પર વોટિંગ વખતે શાહીનું ટપકું તો લાગશે પણ શું એ લોકશાહી ટકાવી શકશે?
એ ઓટોમેટિક હાથમાં બધું જ હશે, પણ એની સાથે જોડાયેલો એક વિચારતો, ધબકતો, સિસકતો, જીવતો, ઝઝૂમતો, સાડા ત્રણ કરોડ રુંવાડાવાળો માણસ નહીં હોય. એ હાથની હથેળીમાં પરસેવાની ખરાશ નહીં હોય, એ હાથમાં સંઘર્ષનો સ્વાદ નહીં હોય! કારણ કે એ ઓટોમેટિક હાથ સાથે મૂડી-મનમૌજી-મતવાલો માણસ જોડાયેલો નહીં હોય.
જોકે, આવા કૃત્રિમ હાથ જેવાં જ અસંખ્ય લાચાર માણસો આપણા દેશમાં, દર મહિનાની આખરી તારીખ સુધી ચૂપચાપ કામ કર્યે જ રાખે છેને? સાહેબને સલામ કરીને, પોલીસથી મોં છુપાવીને, ભગવાન સામે હાથ જોડીને, મ્યુનિસિપાલટીમાં લાંચ આપીને, એવા અસંખ્ય કંટાળેલા, થાકેલા, હારેલા, કરોડો હાથ કેટલાય વખતથી ચાલ્યે જ રાખે છેને? પણ અફસોસ કે એ હતાશ હાથની સાથે એક દુ:ખી મન પણ જોડાયેલું હોય છે. એની સાથે વેદનાવાળું શરીર, નિરાશાવાળા ચહેરા છે, જેને ગમે તેટલીવાર પાણીથી ધોઇ લ્યો, ક્રીમથી ચમકાવો પણ એમાં હવે આશાઓ જન્મતી જ નથી.
સારું છે પેલા ઓટોમેટિક હાથને મન નથી, નહીં તો એ પણ બિચારો કેટલું પીડાતને? ઓટોમેટિક હાથના જનક વૈજ્ઞાનિકને કહેવાનું મન થાય છે કે એ કૃત્રિમ હાથમાં બધું જ છે પણ એમાં સંવેદના હશે? જ્યારે એકલું એકલું લાગે ત્યારે પીઠ પર પ્રેમથી હાથ ફેરવવાની એનામાં ભીની ભીની ભાવના હશે? વર્ષો જૂનો પ્રિયજનનો ચહેરો યાદ આવી જાય ને અચાનક આંખોમાં આંસુ છલકાઇ જાય તો એને લૂછવાની લાગણી હશે? અકારણ અજંપો જ નહીં હોય તો મુઠ્ઠીવાળીને હાથ પછાડવાની ઇચ્છા પણ નહીં હોયને?
5 824
કહેવાનું તાત્પર્ય એ નથી કે દરેક વ્યક્તિ પર શક કરવો કે સારા માણસ દુનિયામાં રહ્યા જ નથી, પરંતુ એટલું ચોક્કસ સમજવું જોઈએ કે કોઈ એક વ્યક્તિ લગ્ન પહેલાં લાખો રૂપિયાની માગણી કરે ત્યારે એનો ઈરાદો શું છે. લગ્ન પછી પણ પતિ-પત્નીના જોઈન્ટ અકાઉન્ટમાં પત્ની કમાયને ઠાલવતી જાય અને પતિ એ અકાઉન્ટ ખાલી કરતો જાય, એવા કિસ્સા આ દેશમાં ઓછા નથી-તેમ છતાં, ત્યાં એક સામાજિક જવાબદારી અથવા રિસ્પેક્ટિબિલિટી તો સંકળાયેલી છે જ. અહીં તો પૈસા ગુમાવીને, લાગણીથી છેતરાયા પછી પણ અંતે માતા-પિતા અને મિત્રો પાસેથી ‘તું મૂરખ છે’ સાંભળીને અપમાનિત થવું પડે છે.
‘વેડિંગ.કોન’ આવી અનેક સ્ત્રીઓની કથા છે, જે એમણે સ્વમુખે કહી છે. આગળ આવીને પોતાની વાત કહેનારી આ સ્ત્રીઓએ જે છેતરપિંડીનો-દગાનો અનુભવ કર્યો છે એ જાણીને આપણને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થાય કે આ બધી સ્ત્રીઓ એક જ માણસ પાસે એક કરતાં વધુ વખત મૂર્ખ બની છે! }
5 824
માય સ્પેસ:હમકો તુમ્હારે ઈશ્કને ક્યા ક્યા બના દિયા...
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/humko-tumhar-ishkan-kya-kya-bana-diya-133279311.html
લ્ટિનેશનલમાં કામ કરતી એક સ્ત્રી ફ્લાઈટમાં પ્રવેશ કરતી વખતે એક માણસને મળે છે. એ માણસ પોતાની ઓળખાણ એનઆરઆઈ બિઝનેસમેન તરીકે આપે છે. દુબઈ, સિંગાપોર, મલેશિયા અને હોંગકોંગમાં એના બિઝનેસ છે. એવી માહિતી સાથે કેટલાક પુરાવા પણ રજૂ કરે છે! અત્યંત નમ્ર, સાલસ અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા એ માણસની સાથે એની ઓળખાણ થાય છે. ધીમે ધીમે પ્રેમ પણ થાય છે. બે જણાં લગ્ન કરવાનું નક્કી કરે છે-એક દિવસ, એ માણસ આવીને એને વિનંતી કરે છે કે, એનું એક કન્સાઈન્મેન્ટ ફસાયું છે. પાંચ લાખ રૂપિયાની જરૂર છે. એ સ્ત્રી પેલા માણસને પાંચ લાખ રૂપિયા આપે છે અને અહીંથી શરૂ થાય છે એક રમત! સમય સમયાંતરે એ માણસ લગભગ 35 લાખ રૂપિયા પડાવે છે. એટલું ઓછું હોય એમ એની પાસે લોન લેવડાવે છે અને એ પૈસા પણ હજમ કરી જાય છે. એક દિવસ અચાનક એ માણસનો ફોન બંધ થઈ જાય છે. પેલી સ્ત્રી એને શોધી શકતી નથી... એ સ્ત્રી હજી સુધી લોન ભરી રહી છે, માણસ લાપતા છે!
આવો એક નહીં, અનેક કિસ્સાઓ સાથે જાણીતા ઓટીટી ઉપર એક ડોક્યુમેન્ટરી છે, ‘વેડિંગ.કોન’ લગ્નના નામે મોટી ઉંમરની, કમાતી, ઈન્ડિપેન્ડન્ટ અને બુદ્ધિશાળી કહી શકાય એવી સ્ત્રીઓને છેતરનારા અનેક પુરુષોની કથા આ ડોક્યુમેન્ટરીમાં રજૂ કરવામાં આવી છે. એક રીતે જોવા જાઓ તો આ માત્ર ડોક્યુમેન્ટરી નથી, ચેતવણી છે. એવી અનેક સ્ત્રીઓ માટે ચેતવણી જેમને લાગે છે કે, એમના લગ્નની ઉંમર વીતી ચૂકી છે! એ પ્રેમમાં પડવા માગે છે, જીવનમાં કોઈ સાથી શોધે છે અથવા એવી સ્ત્રીઓ માટે પણ આ ચેતવણી છે, જેમનાં માતા-પિતા દીકરીનાં લગ્ન ‘કોઈ પણ રીતે’ થઈ જાય એ માટે એમના પર દબાણ કરે છે...
સ્ત્રી સામાન્યતઃ ઈમોશનલ હોય છે. મોટી ઉંમર સુધી કારકિર્દીમાં વ્યસ્ત રહેલી છોકરીઓ ક્યારેક લગ્નની ઉંમર વટાવી જાય (જોકે, હવે લગ્નની ઉંમરની કોઈ વ્યાખ્યા રહી નથી) અથવા છૂટાછેડા થાય અથવા એકાદ-બે સંબંધોમાં દિલ તૂટ્યું હોય ત્યારે એક સ્ત્રીને ‘જીવનસાથ’ની ખોટ સાલે છે. સમાજમાં અથવા મિત્ર વર્તુળમાં એમની ઉંમરની બીજી છોકરીઓ પરણી ગઈ હોય છે-સંતાનોની મા બની ગઈ હોય છે. એવા સમયે એમના ‘સંસાર’ જોઈને કેટલીક છોકરીઓને ‘રહી ગયા’ની લાગણી થાય છે.
કેટલાક કિસ્સાઓમાં છોકરીને સંતાન હોય ત્યારે સિંગલ મધર તરીકે બાળકને ઉછેરવાની મુશ્કેલીઓ પણ એને નડે છે. સ્ત્રીની એકલતા ક્યારેક એને એટલી બધી વિવશ કરી નાખે છે કે એ મગજને બદલે દિલથી વિચારવા લાગે છે! આપણા સમાજનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે, જો પુરુષ મોટી ઉંમર સુધી ન પરણ્યો હોય તો એ ‘એલિજિબલ બેચલર’ કહેવાય છે-પરણેલા પુરુષો એની ઈર્ષા કરે છે અને એના ફ્રીડમ-ફ્લેમ્બોયન્સ વિશે અહોભાવ અનુભવે છે, પરંતુ 28-30ની છોકરી જો ન પરણેલી હોય તો એનાં માતા-પિતાને પ્રશ્નો પૂછીને સતત એવો અહેસાસ કરાવવામાં આવે છે કે, એ માતા-પિતા તરીકે પોતાની ફરજ ચૂક્યાં છે. છોકરીને સતત એવી અનુભૂતિ કરાવવામાં આવે છે કે, એ ‘એકલી’ રહી જશે.
છોકરી સાવ નાની હોય ત્યારથી એને શીખવવામાં આવે કે એણે ‘આકર્ષક’ બનવાનું છે. વજન ઉતારવાનું, વાળ લાંબા કરવાના, સ્કિન સારી રાખવાની... અને આ બધું શેને માટે કરવાનું? એ ‘પુરુષ’ને ગમે એ માટે! આજે પણ અખબારમાં છપાતી મેટ્રિમોનિયલ જાહેરાતોમાં ‘ઊંચી-પાતળી-ગોરી-સુશીલ સંસ્કારી’ વહુ શોધતાં કેટલાં માતા-પિતા પોતાના દીકરાના કેરેક્ટરની જવાબદારી લેવા તૈયાર થશે? કેટલાક સમાજમાં દીકરીનો બાપ એટલે આજે પણ ‘બિચારો!’ દહેજ વિરોધી કાયદો ઘડ્યા છતાં દહેજ લેવાતું કે અપાતું નથી, આવું કોઈ ખાતરીપૂર્વક કહી શકે ખરું? આ એક બીજું દૂષણ છે... જેને કારણે છોકરીઓ ફસાય છે.
ફ્લાઈટમાં, રેસ્ટોરાંમાં, ટ્રેનમાં, કોઈકની ઓફિસમાં મળેલા આવા ‘કોનમેન’ બરાબર જાણે છે કે 30 વટાવી ગયેલી કુંવારી કે સિંગલ મધર છોકરીઓને કેટલી આસાનીથી ‘દહેજ નથી જોઈતું’ અથવા ‘તને પ્રેમ કરું છું’ જેવા શબ્દો વાપરીને જાળમાં ફસાવી શકાય છે. ભણેલી, બુદ્ધિશાળી અને સારું કમાતી છોકરીઓ પણ આવા ‘કોનમેન’ની શિકાર બને છે, બલ્કે સાચું પૂછો તો બુદ્ધિશાળી અને સારી નોકરી કરતી, કમાતી છોકરીઓને જ આવા લોકો શિકાર બનાવે છે. એમની શારીરિક જરૂરિયાતો સંતોષાય અને સાથે સાથે લાખો રૂપિયા મળે... થોડો વખત આ રમત ચાલે ને પછી એક નવા શિકારની શોધમાં નીકળી જતા આવા લોકો બરાબર સમજે છે કે ભારતમાં એવી અનેક છોકરીઓ છે જે ‘પ્રેમ’ના નામ પર સર્વસ્વ કુરબાન કરી દેતાં જરાય નહીં અચકાય!
હિંદી સિનેમા અને આપણી ‘સંસ્કૃતિ’માં કહેવાતી કથાઓએ પણ સ્ત્રીને શીખવ્યું છે કે, ‘પ્રેમ’માં મારું-તારું ન હોય. સત્ય એ છે કે, આવી પરીકથાઓ આજના સમય માટે જરાય સાચી નથી. જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતી સારી કે માની ન શકાય એટલી ‘આઈડિયલ’ લાગે ત્યારે તો વધારે ડરવું જોઈએ, એવું ‘વેડિંગ.કોન’ જોઈને સમજાય છે.
5 824
તો મહામંત્ર એ મહત્પુરુષ દ્વારા પ્રાપ્ત થયેલો હોવો જોઈએ. અને ત્રીજું, મૂર્તિ પકડી રાખવી. લોકસાહિત્યના કલાકારો નથી કહેતા, શ્રદ્ધા હોય તો ઢીંગલી ધૂણે! શ્રદ્ધા શું ન કરી શકે?
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
તો ત્રીજું મૂર્તિપૂજા. ચોથું માળા. બેરખો હોય, મોટી માળા હોય, રુદ્રાક્ષની માળા હોય, તુલસીની માળા હોય. વૈષ્ણવોમાં તુલસીની માળા વધારે હોય. માળા કોઈ દિવસ છોડવી નહીં. છોડવું હોય તો ચાળા છોડી દેવા! દુનિયા ગમે તે કહે. એ કંઈ આપણો પરિચય થોડો આપે છે? એની ખાનદાનીનો પરિચય આપે છે! આપણો પરિચય એની પાસે હોય ક્યાં? એનું ગજું શું?
પાંચમો `મ’કાર છે `માનસ.‘ સાધુએ `રામચરિતમાનસ’ અને `ગીતા’ ન છોડવાં. `માનસ’ એટલે લોક અને `ગીતા’ એટલે શ્લોક. વૈષ્ણવ સાધુએ આનો સેતુ કરવાનો છે. `માનસ’ એ પાંચમી વસ્તુ. છઠ્ઠો `મ’કાર એ બધામાં બહુ જ મદદ કરશે એવું એક પરમ તત્ત્વ, એવું એક પ્રાણ તત્ત્વ, એનું નામ છે મારુતિ. મારુતિ આ બધાંનું રક્ષણ કરશે.
સાધુ સંત કે તુમ રખવારે. અસુર નિકંદન રામ દુલારે.
આ છ `મ’કાર આપણામાં આવે પછી સાતમું તત્ત્વ છે મૌન. આ બધું આવ્યા પછી બોલબોલ ન કરવું, સાધુએ ચૂપ રહેવું. મૌનની તાકાત બહુ ગજબ છે! અમારા ગૃહસ્થ સાધુઓની આ વૈષ્ણવી સંહિતા છે, જે મારા માટે મેં તૈયાર કરી છે; એમાં કેટલો ખરો ઊતરું એ ખબર નથી! }(સંકલનઃ નીતિન વડગામા)
5 824
માનસ દર્શન:વૈષ્ણવ ગૃહસ્થ સાધુ-સંહિતા
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/vaishnava-grihastha-sadhu-samhita-133279305.html
મે ગૃહસ્થ વૈષ્ણવ સાધુ છીએ; અમે વૈરાગી બાવા છીએ. અમારું અખિલ ભારતીય અને અખિલ ગુજરાતનું એક મંડળ સ્થપાયું ત્યારે મેં કહ્યું કે તમે `અખિલ ભારતીય વૈરાગી સાધુબાવા’માંથી `બાવા’ શબ્દ કાઢી નહીં નાખતા. એનો બીજા ગમે તે અર્થ કરે એ એની જવાબદારીએ કરે! અમે વૈરાગી બાવા છીએ. અને વૈરાગ એ જેવી તેવી વસ્તુ નથી. ભલે અત્યારે અમે ગૃહસ્થ છીએ. આ બધું નિભાવી ન શકીએ. કલિપ્રભાવ છે. પરંતુ અમારાં મૂળ તો એ છે; અમારા જીન્સ તો એ છે કે હજી અમને સમાધિઓ આડી આવે છે. કેટલીય ઓફિસોમાં વ્યાસપીઠને સમર્પિત યુવાન ભાઈ-બહેનો જે અધિકારીઓ છે, મોટા મોટા ઓફિસરો છે, એને કોઈ લાંચ-રુશ્વત આપવા જાય ત્યારે એ કહે, લેવાની તો બહુ ઈચ્છા થાય છે, પણ તલગાજરડાની ધોળી દાઢી આડી આવે છે! આ એમના શબ્દો છે. આ તલગાજરડાના વખાણ નથી. આ વૈરાગી બાવાસમાજનું સન્માન છે. એ અમારી પરંપરા છે.
સાધુની વ્યાખ્યા તુલસીએ કરી. સાધુ એટલે કોણ? `સીલ ગહની સબકી સહની.’ બે જ વસ્તુ, જે શીલને પકડી રાખે અને બધાંનું સહન કરે એ સાધુ. અને સતત રામ રટે. આદિપુરુષ ભગવાન રામ, પરબ્રહ્મ.
રામ સચ્ચિદાનંદ દિનેસા. નહિં તહઁ મોહ નિસા લવલેસા.
સાધુઓ અને બ્રાહ્મણ તરફ આપણા દેશને હજી એટલો જ પૂજ્યભાવ છે. વૈષ્ણવ ગૃહસ્થ સાધુની એક સંહિતા તમે જેને બહુ જ પ્રેમ આપો છો એવા મોરારિબાપુએ તૈયાર કરી છે. `વૈષ્ણવ ગૃહસ્થ સાધુસંહિતા’, એનાં સાત લક્ષણ ઊભાં કર્યાં છે. એમાંનું પહેલું લક્ષણ છે મંત્ર. આપણે મહામંત્રનો જાપ કરનારાં માણસો છીએ. મહામંત્ર એટલે? `મહામંત્ર જોઈ જપત મહેસુ.’ શંકરથી તો કોઈ મોટો નથી જગતમાં. એ શંકરદાદા જે મંત્રનો જાપ નિરંતર કરે છે એ `રામ’ મહામંત્ર છે. આ સાતેય લક્ષણોની પાછળ `રામચરિતમાનસ’ ઊભું છે એટલે હું સાધિકાર કહી શકું છું. સાત જ લક્ષણ. એમાંનું પહેલું લક્ષણ મહામંત્ર છે. રામ મહામંત્ર પણ છે અને મંત્રરાજ પણ છે. ગોસ્વામી વાલ્મીકિના મુખમાં કહેવડાવે, `મંત્રરાજુ નિત જપહિં તુમ્હારા.’ રામનામ એ મહામંત્ર છે. એનું સેવન કરવું. એક `મ‘કાર. પહેલું, મહામંત્ર `રામ.‘ મારી પાસે પ્રમાણ છે.
રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે. સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને.
બીજો `મ‘કાર દ્વારા મળેલો મંત્ર છે મહત્પુરુષ, જેને હું બુદ્ધપુરુષ કહું છું. મહત્પુરુષ એટલે આપણા ગુરુ, આપણા સદ્્ગુરુ. જેના જે ગુરુ હોય. તમામ મહાન છે. જેનો જે માર્ગ હોય. એ મંત્ર મહત્પુરુષ દ્વારા પ્રાપ્ત થયેલો હોવો જોઈએ. ઘણી વખત જગતમાં વસ્તુ મૂલ્યવાન હોય છે, પણ પાત્ર નથી હોતું.
એક માણસે એક સાધુને જોઈને કહ્યું કે તમારા જેવો કોઈ સાધુ નહીં. તો પેલા સાધુએ કહ્યું કે તારી લાગણી છે, તારો આદરભાવ છે. ધન્યવાદ. પણ તું આમ રેખા ન ખેંચી લે કે તારા જેવો કોઈ સાધુ નહીં. મારા કરતાં કેટલાયે આગળ વધેલા છે. તેં જોયા નથી. આપણા જ ગામમાં છે. આપણા ગામમાં જે પિત્તળ અને તાંબાનાં વાસણને કલઈ કરે છે એ મારા કરતાં પણ ઊંચો છે. પેલો ધનવાન પુરુષ હતો. એને થયું, આ સાધુ કરતાં આ કલઈ કરનારો આટલો આગળ વધી ગયો! એ કલઈ કરનારા પાસે જાય છે; કહે છે, સાધુએ તમારા માટે આટલું મોટું પ્રમાણપત્ર આપ્યું છે! પેલો કહે, મોટા હોય એ તો એમ જ કહે ને! મોટાઓનો મહિમા એ છે. કોઈની નિંદા ન કરે એ મોટો. કોઈની ઈર્ષ્યા ન કરે એ મોટો. કોઈનો દ્વેષ ન કરે એ મોટો. કોઈની સાથે સ્પર્ધા ન કરે, પણ શ્રદ્ધાથી જીવે એનું નામ મોટો.
તો સાધુએ કીધું કે મારા માટે નક્કી ન કરી લે કે હું મોટો. પછી પેલાને એમ થયું કે હજુ એક પરીક્ષા કરી લઉં. બહુ ધનવાન હતો. એને ત્યાં સોના-ચાંદીનાં થાળી-વાટકા હતાં એ લઈને કલઈ કરવાવાળા પાસે ગયો. કહે, કલઈ કરી દો. પેલાએ કીધું, બાપ! માફ કરજો. સોનું મૂલ્યવાન છે, પણ કલઈને પાત્ર નથી! એમ જગતમાં ઘણા મૂલ્યવાન હોય છે, પણ અંદરથી ઊજળા થાય એવી લાયકાત નથી હોતી! અને કલઈ કરવાવાળો વાસણને અંદરથી ધોળે છે. સાધુ કોણ? જે મને ને તમને અંદરથી ઊટકી નાખે. અને કલઈ છે એટલે ઊતરી જાય, એમ સાધુના સ્થાને વર્ષે-વર્ષે જઈને ઊજળાં થવું પડે. મંત્ર લેવો તો મહત્પુરુષ પાસેથી લેવો.
તો પહેલો `મ’કાર છે મંત્રરાજ. બીજો `મ’કાર છે મહત્પુરુષ. વૈષ્ણવ સાધુઓમાં ત્રીજો `મ’કાર છે મૂર્તિ. અમે મૂર્તિપૂજક છીએ. અમે રામ, કૃષ્ણ, શિવ, જગદંબા આ મૂર્તિઓની પૂજા કરીએ. હા, આપણી ઘણી પરંપરાઓમાં મૂર્તિપૂજાનો વિરોધ થયો છે, કારણ કે ઈશ્વર અજન્મા છે. એ બધો શાસ્ત્રાર્થ કાશીને સોંપી દો! એ બધું તમે ત્યાં કર્યા કરો! ‘સગુન હી અગુન હી નહિં કછુ ભેદા.’ જેમ પાણી અને તરંગ જુદાં નથી એમ સગુણ અને નિર્ગુણ બોલવામાં જુદાં છે; તત્ત્વતઃ જુદાં નથી. પરંતુ આપણે મૂર્તિપૂજા કરીએ છીએ.
5 824
એન્કાઉન્ટર:સમય સાથે સમય કેવી રીતે મેળવવો?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/how-to-get-time-with-time-133279314.html
બાળક હસે તો સારું લાગે, પણ રડે ત્યારે? (જ્હાન્વી પરમાર, અમદાવાદ)
- રડવું આવી જાય એવો પ્રશ્ન પૂછ્યો છે તમે!
નવા નક્કોર રોડને ખોદવાની શરૂઆત ગટરના ઢાંકણાથી જ કેમ કરવામાં આવે છે?
(ડો.શૈલજા ઠક્કર, અમદાવાદ)
- હું એટલો બધો ઊંડો ઊતર્યો નથી!
સવારે અમારો સવાલ લેવાયો હશે કે નહીં, એની લ્હાયમાં શનિવારે ઊંઘ નથી આવતી!
(મહેશ સપનાવાલા, અમદાવાદ)
- તમે સપનાવાળા છો...ઊંઘવાળા નહીં!
AI એટલે કે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ફાયદાકારક કે નુકસાની?
(રણજીત કટેશીયા, સુરેન્દ્રનગર)
- તમારો આ સવાલ છપાય તો ફાયદાકારક!
પ્રભુને આશરે જીવન ખેંચી કઢાય?
(ડો. રાજેન્દ્ર હાથી, વડોદરા)
- તમારી ઉંમર જણાવશો.
જવાબ આપતી વખતે તમે સૌથી વધુ ધ્યાન શેનું રાખો છો? (ગુર્જરી પંડ્યા, વડોદરા)
- બસ, પ્રશ્ન પૂછનારાનું માન જળવાવું જોઇએ.
આબરૂના કાંકરા થઈ ગયા પછી એ કાંકરા શેના ઉપયોગમાં લેવાતા હશે? (કરણ દેસાઇ, વીરમગામ)
- પૂળા ખંખેરવાના!
પૈસાને હાથનો મેલ કેમ કહેવાય છે? (મિતુલ કોટેચા, સુરેન્દ્રનગર)
- તમારા કેસમાં તો તમારૂં સરનામું અને ફોન નંબરેય હાથનો મૅલ હશે!
પહેલા લગ્ન કોણ કરશે? પોપટલાલ, સલમાન ખાન કે રાહુલ ગાંધી? (અંકિતાબા જાડેજા, આદિપુર-કચ્છ)
- પોપટલાલને કરવા છે ને કોઈ મળતું નથી. સલમાનને કરવા નથી ને ઘણી તૈયાર છે. માટે દેશભરમાં કન્યાઓની ‘ચૂંટણી’ થાય તોય મેળ પડે એવું લાગતું નથી.
પેટમાં ગયા પછી દવાને કેવી રીતે ખબર પડે કે, દવા માથાના દુખાવાની છે કે ૫ગના દુખાવાની?
(વિક્રમ પંચોલી, રાજકોટ)
- એક વાર જુલાબ લઇ જુઓ. બધી ખબર પડી જશે.
આજના યુવાનો કયા વહેમમાં જીવી રહ્યા છે? (દિનકરરાય પાણેરી, ઊના-ગીરસોમનાથ)
- કોઇ શંકા કરવા જેવી નથી. દેશનો યુવાન સાચી દિશામાં મેહનત કરી રહ્યો છે
શું દરેક ઘરમાં સાસુ-વહુ વાઘ-બકરીની લાઇફ જીવતાં હશે? (રાજેન્દ્ર ઓઝા, જામનગર)
- તમારા ઘરની ખબર નથી. મારા ઘરમાં વાઘણ-વાઘણની લાઇફ જીવાય છે.
શું દુલ્હનીયા ફક્ત દિલવાળા જ લઇ જાય છે? (સાગર ખોરસીયા, પાલિતાણા)
- તો શું બીજા બધા ધડકતા ઢીંચણ કે ખભાવાળાઓ લઈ જતા હશે?
આદરણીય રતન ટાટા માટે શું માનો છો? (પૂનમ ભાયાણી, દ્વારકા)
- એમનાથી વધુ પવિત્ર કોઈ ઉદ્યોગપતિ થયો નથી.
જીવનમાં હાર-જીતથી શું શીખવા મળે છે? (અમરિશ ડી.મેહતા, અમદાવાદ)
- હાર કેમ થઇ, એનાં કારણો શોધવા પડે છે... જીત માટે કોઇ કારણ જરૂરી નથી.
દારૂમુક્તિનો ધાર્યો હતો, એટલો ઉહાપોહ થયો નહીં...! (હરેશ લાલવાણી, અમદાવાદ)
- સારું છે ને તમે પીતા નથી!
પ્રેમનું પ્રતીક ગુલાબ કે મોગરો?
(કિરણ મોવડીયા, માણસા)
- પેલીને જેમાં ખબર પડતી ન હોય તે!
નાળિયેરનું પાણી આટલું મીઠું કેમ?
(દર્શન શેઠ, ડીસા)
- એટલે જ પ્રભુએ એને સાતમા આસમાને ચડાવ્યું છે કે, દરિયો ખાલી થઈ જાય તો નાળિયેરી કામમાં આવે!
માખણ અને ચૂના વચ્ચે તફાવત શું?
(મહાસુખ દરજી, અમદાવાદ)
- બ્રેડ ઉપર ચૂનો લગાવીને ખાઈ જોજો!
પ્રાણી સંગ્રહાલયમાં વાઘ-સિંહના દાંત સાફ કરવાની નોકરી કરાય?
(ડો. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ)
- પછી તો બધું સાફ કરવું પડે!
તમે શેરબજારમાં ખરા?
(શશિકાંત મશરૂ, જામનગર)
- ના. બહાર ઊભો છું.
અડધી રાત્રે ભૂખ લાગે ને જમવાનું ન મળે તો? (રિયા ધોકાઈ, મીઠાપુર)
- હાલાં કરી જવાનું!
તમારી ડ્રીમ સિટીમાં પીવાની છુટ મળી ગઈ. અમારી ડાયમન્ડ-સિટીમાં ક્યારે? (ફિરોઝ હાફેઝી, સુરત)
- મળે ત્યારે કહેવડાવજો. અત્યારથી જીવ ન બળાવો!
5 824
પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ થતાં કાર્યસફળતા મળે. નવા કાર્યનો આરંભ કરી શકાય. કુટુંબપ્રેમ વધે. વ્યાપારમાં વૃદ્ધિ અને ધનલાભ થાય. સ્થિર સંપત્તિમાથી લાભ થાય. સામાજિક, શૈક્ષણિક અને વિવિધ રીતે પ્રસિદ્ધિ મળશે. નાની નાની વાતોમાં મન વ્યગ્ર થઈ જાય. હાડકાંની નબળાઈવાળાએ સાચવવું. તા. 09-12-13 સંબધો વિકસે. તા. 08 ગમગીની.
5 824
સાપ્તાહિક ભવિષ્યફળ:આ સપ્તાહમાં તા. 6 જુલાઇના રોજ કર્કનો શુક્ર તથા 12 જુલાઇના રોજ વૃષભનો મંગળ થાય છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/this-week-venus-in-cancer-on-july-6-and-mars-in-taurus-on-july-12-133279322.html
મેષ (અ. લ. ઈ.)
ઉત્સાહ વધે. કાર્યક્ષમતામાં સુધારો અનુભવાય. આર્થિક મજબૂતાઈ વધે. નવાં કામ કરવાનું સ્ફૂરે. માતા-પિતાની સુખાકારી વધશે. સંતાન સહાયરૂપ બનશે. ખેતીવાડીમાં સારી કામગીરી થઈ શકશે. સટ્ટાકીય સોદાબાજીમાં નહીં પડવા સલાહ છે, અન્યથા પૈસા ગુમાવવા પડે. વાહન સાચવીને ચલાવવું. તા. 08-12-13 વિત્તલાભ. તા. 09 વ્યથાનો અનુભવ.
વૃષભ (બ. વ. ઉ.)
વિચારોમાં સૌમ્યતા જળવાશે. વિદેશી વસ્તુઓના વ્યાપારમાં ફાયદો થાય. કર્મચારી વર્ગને કાર્યભારણ વધતું લાગે, જેને લીધે માનસિક તણાવ રહે. આજીવિકાને લઈ કરવામાં આવતા પ્રવાસમાં ફાયદો થાય. નાણાકીય સ્થિરતા અનુભવાય. આરોગ્યને દૃષ્ટિએ આંખની તકલીફથી સાચવવું. તા. 07-08-09 હર્ષ વધારે. તા. 12 ઉચાટ અનુભવાય.
મિથુન (ક. છ. ઘ.)
આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકાય. પરિવારજનોની મદદ મળશે. અર્થપ્રાપ્તિ માટે કોઈ નવો વિચાર સ્ફૂરે. સ્થાન પરિવર્તનના યોગો છે. વિદેશી સોદાબાજીમાં આગળ વધવાનો માર્ગ મળશે. સાહસિક વૃત્તિ ખીલશે તથા તેનાથી લાભ થાય. નીતિમત્તા જાળવી રાખવાથી પોતાની શાખ વધારી શકશે. આરોગ્ય સુખ સારું. તા. 09-10-11 શ્રેષ્ઠ રહે. તા. 07 નારાજગી.
કર્ક (ડ. હ.)
સુખાકારીમાં વધારો જણાશે. કાર્ય પ્રત્યેની સંકલ્પબદ્ધતા વધે. સ્વરાશિ પરથી પસાર થતો ચંદ્ર કલ્પનાશક્તિ સતેજ કરે. કવિત્વભાવ જાગૃત થાય. આત્મીય સ્વજનો સાથે પ્રેમ અને લાગણીનાં બંધનો વૃદ્ધિ પામે. આર્થિક ક્ષેત્રે ફાયદો થાય. વિદ્યાર્થીઓને ઉત્સાહ જણાય. આકસ્મિક માંદગીથી પરેશાની વધે. નેત્રપીડા થાય. તા. 08-11-13 આનંદ. તા. 10 બંધન.
સિંહ (મ. ટ.)
વ્યાપારીઓ અને વ્યાવસાયિકો માટે લાભકારક સપ્તાહ છે. સ્થિર સુખમાં વધારો થાય. આજીવિકાની નવી તકો ઊભી થાય તથા તે માટે નાણાકીય આયોજન પણ થશે. આત્મસન્માન જળવાય. નોકરિયાત વર્ગને માનસિક રાહત અનુભવશે. કલ્પનાના તરંગો કાબૂમાં રાખવા. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. તા. 09-10-11 મિલન-મુલાકાત. તા. 12 દુ:ખ.
કન્યા (પ. ઠ. ણ.)
સપ્તાહની શરૂઆતમાં લાભસ્થાનથી પસાર થતાં ચંદ્ર-બુધ-શુક્ર આપને નાણાકીય આવકમાં વધારો કરી આપે. વ્યાપાર-વ્યવસાયમાં લાભ મેળવી શકાશે. કાયદાકીય ગૂંચ ઉકેલી શકાય. દામ્પત્યજીવન અને સંતાન બાબતે પ્રસન્નતા ઊપજે. જળથી સાચવવું. હિતશત્રુઓથી હેરાનગતિ થાય. તા. 07-08-12 પ્રતિષ્ઠા વધે. તા. 10 સાધારણ રહે.
તુલા (ર. ત.)
આનંદ-પ્રમોદથી ભરપૂર સપ્તાહ રહેશે. ધારેલી નાણાકીય સિદ્ધિ મેળવી શકાય. નવાં વસ્ત્રો, આભૂષણો, સુખ-સગવડનાં સાધનો ખરીદી કરવાની મોકળાશ ઊભી થાય. શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાશે. જૂના અને હઠીલાં દર્દનું નિદાન થશે અને રાહત અનુભવાશે. નિરાશા ખંખેરી નાખવી. તા. 08-10-11 યશ અને માન મળે. તા. 13 મનોમંથન.
વૃશ્ચિક (ન. ય.)
ભવિષ્યનાં આર્થિક આયોજન કરી શકશો. સ્પર્ધાત્મક વેપારમાં ફાયદો જણાય. નોકરિયાત વર્ગ માટે સારું રહે. પરંતુ સરકારી દફતરે ગફલતમાં ન રહેવું. આવકમાં વધારો થાય. સ્ત્રી વર્ગ માટે વિવાહયોગ્ય વાતાવરણ સર્જાશે. વિદ્યાર્થી વર્ગનો ઉત્સાહ વધશે. અનિવાર્ય હોય તો જ વધારાનો પ્રવાસ ખેડવો. તા. 10-11-12 નિજાનંદ. તા. 07 અશાંતિ.
ધન (ભ. ધ. ફ. ઢ.)
આકસ્મિક સફળતાથી ધનવૃદ્ધિ થાય. સાહિત્ય અને લેખનકાર્યમાં રુચિ વધશે. શિક્ષક અને પ્રકાશક વર્ગને ફાયદો થાય. મોજશોખની પ્રવૃત્તિઓ માણી શકાશે. શેરબજારની તેજી આપના માટે લાભદાયક રહેશે. રોકાણોનું વળતર મળે. મનનું ધાર્યું ન થવા પર ક્રોધ ઊપજે. પેટની અસ્વસ્થતાની ફરિયાદ રહે. તા. 11-12-13 ખ્યાતિ અને પ્રતિષ્ઠા વધે. તા. 08 વિષાદ.
મકર (ખ. જ.)
સાહસ કરવાની પ્રેરણા જાગશે. આવક વધે. નોકરી-વ્યયસાયમાં કાર્યસ્થળે આનંદદાયક વાતાવરણ રહેશે. દામ્પત્યજીવનમાં ખુશી વર્તાય. ખેતીકાર્યમાં ધારેલી ઊપજ મળવાની આશા જન્મે. સંતાનથી સુખ મળે. વયસ્ક માતાની સંભાળ લેવી. વાદ-વિવાદ ટાળવા. નકારાત્મકતા જન્મે અને કૃત્રિમ ભય ઊપજે. તા. 08-11-12 પ્રગતિ. તા. 10 વેદના અનુભવાય.
કુંભ (ગ. શ. સ.)
તન-મનથી પ્રસન્ન રહેવાય. ચિંતાઓ હળવી થાય. ઉત્સાહ અને ધગશથી કાર્ય થાય. હરીફાઈમાં અગ્રેસર રહેવાય. વ્યવસાયના ક્ષેત્રમાં વ્યાપ વધશે. આર્થિક લાભ તથા સંપત્તિ સુખના યોગ મધ્યમ છે. પરિવારમાં સુમેળ સાધવો જરૂરી છે. શરીરમાં નબળાઈ વર્તાય. ઘરેલુ તકરારના નિરાકરણમાં વિલંબ થશે. તા. 08-09-10 માન મોભો વધશે. તા. 11 સ્નેહીજનથી વિયોગ.
મીન (દ. ચ. ઝ. થ.)
5 824
વિકાસની વાટે:સારપનું પલ્લું હંમેશાં નીચું જ રહેવાનું
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-length-of-the-snake-should-always-be-low-133279325.html
હસમુખ પટેલ રેન્ટિંગ ફોર પીસ’ના તાલીમ કાર્યક્રમ માટે હું જગન્નાથૃપુરી જતો હતો. અમદાવાદથી સાંજે ઊપડેલી અમારી ગાડી બીજા દિવસે સવારે મહારાષ્ટ્રમાંથી પસાર થઇ રહી હતી. મેં જોયું કે મારા ડબ્બામાં મુસાફરી કરી રહેલા એક ભાઇને દરેક સ્ટેશને 10-15 લોકો મળવા આવતા હતા. આ દોર આખો દિવસ ચાલ્યો. મને થયું કે આ ભાઇ કોઇ કંપનીના મોટા અધિકારી હશે.
સાંજ પડ્યે ઉડિશાના બાગબાહરા સ્ટેશન પર ગાડી વીસ-પચ્ચીસ મિનિટ ઊભી રહી. જિજ્ઞાસાવશ મેં આ ભાઇને મળવા આવેલા લોકો સામેના સંવાદ સાંભળવા કોશિશ કરી. હું તેમની વાતો ખાસ સમજી શક્યો નહીં, પરંતુ તેમની વચ્ચેનો સંવાદ ઊર્જા અને ઉત્સાહભર્યો હતો તેટલું સમજાયું. ગાડી ઊપડી ત્યારે દરવાજા સુધી મૂકવા આવેલા પેલા લોકોએ કહ્યું કે વળતી ગાડીએ તેઓ સવારે ચાર વાગ્યે પણ તેમને મળવા આવશે. પેલી વ્યક્તિએ એટલી વહેલી સવારે મળવા ન આવવા કહ્યું.
મેં સંકોચ મૂકી તેમને પૂછી જ લીધું કે તેઓ કોણ છે અને આટલા બધા લોકો આટલા ભાવથી તેમને મળવા કેમ આવે છે?
તેમણે જણાવ્યું, ‘હું રાજકોટમાં એન્જિન ડ્રાઇવરનો ઇન્સ્ટ્રક્ટર છું અને આખા દેશના ડ્રાઇવરોને ઓનલાઇન ભણાવું છું.’
મેં તો માની લીધેલું કે તેઓ કોઇ કંપનીના મોટા હોદ્દેદાર હશે, પણ આ તો એક ‘ઇન્સ્ટ્રક્ટરમાત્ર’ નીકળ્યા.
બીજી જ પળે મને ચાણક્યનું પેલું સૂત્ર, ‘શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં ખેલતાં હોય છે.’ યાદ આવ્યું. ચાણક્યે તો શિક્ષકને બહુ ઊંચા આસને બેસાડ્યો છે, પરંતુ આજે આપણી દૃષ્ટિએ શિક્ષકનું સ્થાન એટલું ઊંચું નથી. આપણી સંસ્થા કે સમાજની દૃષ્ટિએ આપણું સ્થાન ગમે તે હોય આપણાં કતૃત્વ દ્વારા આપણે તેને ઊંચું લઇ જઇ શકીએ છીએ. આવું જીવનના દરેક ક્ષેત્રમાં બને છે.
કોઇ વ્યક્તિ કેટલી નાની કે મોટી તે નક્કી કરવાનું બીજાઓના નહીં તેના પોતાના જ હાથમાં હોય છે. મોટા ભાગની વ્યક્તિઓ સમાજ કે સંસ્થાએ નક્કી કરેલાં ધોરણોના દાયરામાં જીવી જાય છે, ત્યારે ઇશ્વરે આપેલી અનંત સંભાવનાઓ મૂરઝાઇ જાય છે.
ઘણીવાર આપણે વ્યવસ્થા પણ એવી ઊભી કરીએ છીએ કે કહેવાતા નાના માણસને વિકસવાની તક ન મળે. પણ, કેટલીક વિરલ વ્યક્તિઓ આવી મર્યાદાઓની પરવા કર્યા વિના પોતાનું શ્રેષ્ઠ આપવા મથતા રહેતા હોય છે. કરેલું ક્યારેય એળે જતું નથી. આવા વિરલાઓ ધ્રુવતારક બની રહે છે.
દરેક સ્ટેશને મળવા આવતા એન્જિન ડ્રાઇવરો માટે પણ મને એટલું જ માન થયું. ભૌતિક બાબતોના પાયા પર ચાલવા અગ્રેસર આપણા સમાજમાં આપણે સ્વાર્થ વિના સંબંધ રાખતા નથી. સામેવાળી વ્યક્તિ પાસેથી આપણને કયો આર્થિક લાભ મળી શકે તેને આધારે આપણે તેને માન આપીએ તેવું આજે વધી રહ્યું છે. હું સમજું છું ત્યાં સુધી આ ઇન્સ્ટ્રક્ટર પાસે એવી કોઇ સત્તા નહીં હોય. તેમના જ્ઞાન અને વ્યવહારથી પ્રેરિત થઇ લોકો તેમને આદર આપી રહ્યા હતા. ભૌતિક મૂલ્યોનું સ્થાન ગમે તેટલું વધે સારપનું પલ્લું હંમેશાં નીચું જ રહેવાનું છે. }
5 824
લઘુકથા:આનંદમાં
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/in-joy-133276306.html
પ્રફુલ્લ ર. શાહ ચીનુભાઈ અને શાંતિભાઈ સામસામે રહેતા હતા. રોજ સવારે ચીનુભાઈ દરવાજો ખોલે અને શાંતિભાઈનો ચહેરો દેખાય. ચીનુભાઈ ઘરમાંથી લહેકો કરી પૂછે, ‘કેમ છો શાંતિભાઈ?’
શાંતિભાઈ ઉત્સાહથી જવાબ આપે, ‘પ્રભુકૃપાથી આનંદમાં છું.’
ચીનુભાઈ વિચારે પ્રભુએ મને કેમ સુખ નથી આપ્યું? વિચારમાં પડી જતા, તેઓ શમણામાં સરી પડ્યા. આકાશવાણી સંભળાઈ, ‘શંકર ભગવાનને પ્રસન્ન કર!’
તેઓ ‘ૐ નમઃ શિવાય’નો જાપ કરવા લાગ્યા. શંકર ભગવાન પ્રસન્ન થયા. ચીનુભાઈએ શાંતિભાઈની ખુશી માગી અને પોતાનું દુઃખ શાંતિભાઈને મળે એવી માગણી કરી. ‘તથાસ્તુ!’ કહી શંકર ભગવાન અલોપ થઇ ગયા. ચીનુભાઈ મનોમન ખુશ થયા.
બીજે દિવસે ચીનુભાઈએ કુતૂહલતાથી દરવાજો ખોલ્યો. લહેકા સાથે હંમેશની જેમ શાંતિભાઈને પૂછ્યું, ‘કેમ છો?’ શાંતિભાઈએ કહ્યું, ‘આજે તો પરમ આનંદમાં છું. પ્રભુની કૃપા વધી છે.’
ચીનુભાઈ ફરી વિચારમાં પડી ગયા, ‘તો શું હું શાંતિભાઈ કરતાં વધુ સુખી હતો?’
ફરી શંકર ભગવાને પ્રસન્ન કરવા તપ કર્યું. શંકર ભગવાનના દર્શન થતાં ચીનુભાઈએ કહ્યું, ‘પ્રભુ મને મારી વસ્તુ પાછી આપો. માફી ચાહું છું.’ પ્રભુએ હસતાં હસતાં કહ્યું, ‘તથાસ્તુ!’
બીજે દિવસે ચીનુભાઈએ દરવાજો ખોલ્યો ત્યારે શાંતિભાઈએ ચીનુભાઈને પૂછ્યું, ‘કેમ છો?’
ચીનુભાઈએ કહ્યું, ‘આનંદમાં.’}
5 824
‘સામાન્ય માન્યતા’ઓની ચોકી કરવાને બદલે ધર્મગુરુઓએ પોતાના પાપડ શેકી ખાધા છે. મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારાના ઉધામાઓનો કોઇ પાર નથી. થોડાં ઉદાહરણ આપું? ચર્ચની માન્યતાને ખોટી ઠેરવનારો ગેલિલિયો જો માફી ન માગત તો જરૂર મોત પામત. જગન્નાથપુરીના પંડાઓએ વિનોબાને મારેલા, કારણ કે તેઓ એક માણસને માણસનો દરજ્જો આપવા માટે મંદિરમાં પ્રવેશ કરવા માગતા હતા. મુલ્લાઓએ મન્સૂરને શૂળીએ ચડાવ્યો, કારણ કે એણે ‘હું ખુદા છું (અનલહક) એવું ‘સત્ય’ ઉચ્ચાર્યું!
જગતનો ઇતિહાસ સામાન્ય માન્યતાઓથી જરાક જુદા પડનારા ચંદ મહામાનવોએ હસતે મોઢે વેઠેલી યાતનાઓની વાર્તા સિવાય કશું નથી. આવા કોઇ મહામાનવને આપણા તરફથી કોઇ હેરાનગતિ ન પહોંચે એટલું કરીએ તોય ઘણું છે. જગતનો કોઇ પ્રશ્ન એવો નથી, જે ખુલ્લા મનથી ન ઉકેલી શકાય. આ મહાવાક્યમાં આટલું ઝટપટ ઉમેરી દઇએ કે જગતનો કોઇ પ્રશ્ન એવો નથી જે બંધિયાર રાખીને ઉકેલી શકાય.
હવે તક મળે ત્યારે તેલની કડાઇમાં તળાતી પૂરીને ધ્યાનથી જોજો. કદાચ તમને એ ફૂલેલી ગરમાગરમ પૂરીમાં બેઠેલો એક ભસ્મીભૂત માણસ નજરે પડે એમ બને.
એ માણસ તમે પોતે પણ હોઇ શકો.
પાઘડીનો વળ છેડે
એક મુસલમાન વાચકમિત્રે ભગવદ્ ગીતાના પુસ્તક પર હસ્તાક્ષર માગ્યા અને પછી કહ્યું કે કશુંક લખી આપો. જે લખી આપ્યું તે વાંચીને એ ભાઇ ગળગળા થઇ ગયા! લખાણ આ પ્રમાણે હતું:
મંદિરના ઘુમ્મટ
અને
મસ્જિદના મિનારાની ફરતે આવેલું આકાશ
એક જ છે! }
5 824
વિચારોના વૃંદાવનમાં:તેલની કડાઇમાં તળાતી ગરમાગરમ પૂરીની વાર્તા: પૂરીને પણ નિહાળવી પડે!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-story-of-hot-puri-frying-in-an-oil-pan-puri-must-be-watched-too-133276287.html
મે કદી કડાઇમાં તળાતી પૂરીને ધારીધારીને જોઇ છે? વારંવાર વેલણ ફેરવીને લોકો એના અસ્તિત્વને પહેલાં તો ચપ્પટ કરી નાખે છે. પછી એને ઊકળતાં તેલમાં સરકાવી દેવામાં આવે છે. થોડીક વારમાં તો એ બિચારી તળિયે જ બેસી જાય છે. જ્યારે એ તેલની સપાટી પર આવીને નૃત્ય કરવા માંડે અને ફૂલવા લાગે ત્યારે લોકો કહે છે: ગરમ ગરમ પૂરી તૈયાર છે!
સદીઓથી સમાજ, પોતાની રીતે જીવવા મથનારા ચંદ અલગારી આદમીઓ સાથે આ જ રીતનો વ્યવહાર કરતો આવ્યો છે. એણે બાગની મેંદીને કાપીકૂપીને એનાથી ભારતનો નકશો બનાવવાની જ ચેષ્ટા કરી છે.
માણસનાં મૂળભૂત અરમાનોને અને સાવ જ અપ્રદૂષિત લાગણીઓને રિવાજને નામે, સંસ્કારને નામે અને વળી ધર્મને નામે ખલમાં વાટ્યા પછી લગભગ ભસ્મ બની ગયેલું જે વ્યક્તિત્વ બચે તેને લોકો ‘નોર્મલ પર્સનાલિટી’ કહે છે. જરાક ઉફરાટું ચાલ્યો કે માણસ વિચિત્ર, શેખચલ્લી, નંગ, નમૂનો, વિચિત્ર, ખપત, આઇટમ અને એબનોર્મલ બની જાય!
આખો સમાજ સામાન્ય માન્યતાના હાઇ-વે પર ચાલતાં ઘેટાં જેવો છે. સામાન્ય માન્યતા યુગેયુગે બદલાતી રહે છે અને વળી દેશ અને સ્થળ પ્રમાણે પણ એ જુદી જુદી જોવા મળે છે. તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન સદીઓથી માનવજાતે સેવેલી સામાન્ય માન્યતાઓની મર્યાદાઓને વાળી-ઝાટકીને દૂર કરીને આપણી સમજને સમૃદ્ધ અને સ્વચ્છ કરતાં રહ્યાં છે.
પૃથ્વી સપાટ નથી પણ ગોળ છે એવી સામાન્ય માન્યતામાંથી સમજનું નિર્માણ કરવામાં સદીઓ વીતી ગઇ. પૃથ્વી ગોળ છે એમ દિલથી માનનારી ઇતિહાસની આ પહેલી સદીમાં આપણે જીવીએ છીએ. ટૂંકમાં, સામાન્ય માન્યતા (કોમન બીલિફ) કાયમ છાતીએ વળગાડીને ફરવા જેવી ચીજ નથી.
તત્ત્વજ્ઞાની અને વિજ્ઞાનીનો ધર્મ છે કે સામાન્ય માન્યતામાં રહેલી અશુદ્ધિઓને દૂર કરતા રહે અને નવાં સત્યોના આવિષ્કારને જગત સમક્ષ ધરતા રહે. વાસ્તવમાં આમ જ બનતું આવ્યું છે. ઇતિહાસ પ્રત્યેક સદીએ નવી નલી સામાન્ય માન્યતાઓનો કાંપ પૃથ્વી પર ઠાલવતો રહે છે.
બર્ટ્રાંડ રસેલે સામાન્ય માન્યતાઓમાં રહેલી ત્રણ મુખ્ય મર્યાદાઓ આ પ્રમાણે ગણાવી છે:
(1) માન્યતાઓ જડબેસલાક હોય છે.
(2) માન્યતાઓ સંદિગ્ધ (અસ્પષ્ટ) હોય છે.
(3) માન્યતાઓ વચ્ચે આંતરવિરોધ (સેલ્ફ કોન્ટ્રાડિક્શન)
હોય છે.
પ્રત્યેક માણસને પોતાની માન્યતા વહાલી હોય છે. ક્યારેક તો આપણી માન્યતા કેવળ આપણી છે માટે સાચી જણાય છે. ગાંધીજીની કોઇ પણ વાત અંગે ગાંધીવાદીઓ ગાંધીજી જેટલા ખુલ્લા મનના નથી જણાતા. ગાંધીજી ખુલ્લા મનના રહી શક્યા, કારણ કે એમને કેવળ સત્યની ખોજ કરવામાં રસ હતો. વિજ્ઞાનીઓ પણ કશી વાતને જડબેસલાક રીતે વળગી રહેવાના રોગમાંથી બચી જાય છે.
આ રોગને સમજવા માટે એક જ ઉદાહરણ પૂરતું છે. કાલે ઊઠીને આરોગ્ય વિજ્ઞાન એવા નિર્ણય પર આવે કે રોજ ત્રણ ચમચી વ્હિસ્કી પીવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે તો પણ નક્કી માનજો કે આવા સંશોધન પછી પણ અમુક લોકો વ્હિસ્કી નહીં પી શકે. એમની માન્યતાઓ જડબેસલાક છે. આપણી માન્યતાઓને આપણા અહંકારની ખસખસ વળગેલી હોય છે. સત્યની શોધમાં આવો અહંકાર બાધક છે.
માન્યતાઓ સંદિગ્ધ (વેગ) કે અસ્પષ્ટ હોય તોય, આપણે નમ્રતાપૂર્વક ખુલ્લું મન નથી રાખી શકતા. જૈન દર્શનની જગતને મળેલી બે મહાન ભેટ તે સ્યાદવાદ અને અનેકાંત એટલે જે કંઇ આપણને સત્ય જણાય, તે બીજાને ન પણ જણાય. સૂર્યને કોઇ અણુવિજ્ઞાની હિલિયમની રાસાયણિક પ્રતિક્રિયાઓની હારમાળા તરીકે જુએ.
સામાન્ય માણસ એને કેવળ એક અગનગોળા તરીકે જુએ છે. હજી તો આપણા વિજ્ઞાનીઓને સૂર્યનું માંડ એકાદ ટકા જેટલું સત્ય લાદ્યું હશે. અપરિચયનો પ્રદેશ બહુ જ મોટો છે. સામાન્ય માન્યતા સતત બદલાની રહે છે. એ કદી આખરી સત્યના શિખર પર બિરાજતી નથી, કારણ કે અપરિચયનો વિશાળ પ્રદેશ આપણી બાથમાં સમાતો નથી. આવી ઊંડી સમજદારીને અંતે કહ્યું હશે:
‘પ્રત્યક્ષ હિ અલ્પં, અન્લ્પં અપ્રત્યક્ષં.’
આ એક જ સૂત્ર મહર્ષિ ચરકની મહાનતાને વંદન કરવા માટે પૂરતું છે. મહાન માણસોને લાધેલી નમ્રતા ક્યારેક આપણા જેવા સામાન્ય માણસને પ્રાપ્ત નથી થતી અને તેથી જ આપણે તો વટપૂર્વક કહી શકીએ છીએ: આ વાત એકસો ને દસ ટકા સાચી છે.
આપણી માન્યતાઓ વચ્ચે રહેલા આંતરવિરોધનો કોઇ પાર નથી. જે તે વખતે સતી પ્રથા મૌજૂદ હતી, ત્યારે પણ સતી પ્રથામાં માનનારો પુરુષ પણ પત્ની પાછળ સતી થવા તૈયાર ન હતો. પ્રદૂષણનો સખત વિરોધ કરનારો, પ્રદૂષણ માટે જવાબદાર બધી ચીજોને ઘરમાં વસાવે છે. જંગલો કપાય તેની સામે આક્રોશ ઠાલવનારાને ત્યાં પણ (ટાળી શકાય એવો) લાકડાંનો દુર્વ્યય થયેલો જોવા મળે છે. માન્યતાઓના આંતરવિરોધની ક્યારેક દંભ જન્મે છે.
5 824
જીવનના હકારની કવિતા:સમયસર નિખાલસતાનું કબૂલાતનામું...
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-timely-confession-of-candor-133276718.html
ખાલસ થવાનો પ્રયત્ન ન કરવો પડે! એ તો સહજ પ્રક્રિયા છે. નિખાલસ માણસ દંભનો આંચળો ન પહેરી શકે. નિખાલસ જેટલા વધારે એટલા સાલસ પણ વધારે. કળી ઊઘડે છે ત્યારે એની નિખાલસતા અનુભવી શકાય છે. વળી, સમય વીત્યા પછી નિખાલસ થવાનો પણ મતલબ નથી. કળીની જેમ સમયસર નિખાલસ થવામાં સ્વભાવની સરળતા પકડાઈ જાય છે. નિખાલસ માણસો દુઃખી ઓછા હશે. મનમાં ઠાંસીઠાંસીને ભરવામાં ક્યારેક પોતાનાથી જ ભરાઈ જવાય છે.
આખી ગઝલમાં સમયસર નિખાલસતાનું કબૂલાતનામું છે. આયનામાં રોજ ચહેરો જોઈએ છીએ. રોજ એની સામે તૈયાર થઈએ છીએ, પણ આયનાની તરસ પૂછી છે કદી? એને પણ નિર્જન – અવાવરું ઘર સહન નહીં જ થતું હોય ને? આયનાની એકલતા જાણે એ જ સર્જક. એની તરસને પોતાની ગણીને કવિએ ગઝલમાં ઢાળી છે. આયનાની સાથે બધા જ હોવા છતાં ઘરની એકલતાને બીજા એંગલથી કવિએ બોલવા દીધી છે.
સહેજ પાંચમાં ઓળખાયા અને દરજ્જો, હોદ્દો, સ્થાન બધું જ અલગ થઈ જાય છે. પહેલાંની સરળતા ગુમ થઈ જાય છે. પવનની જેમ ફરી શકાતું નથી. પવન વજન વગરનો છતાં એનું ‘વજન’ વધારે. એની જેમ બનીએ તો કોઈકનો શ્વાસ પણ બની શકીએ. શ્વાસની જેમ અજાણ્યાના શરીરમાં જઈને એના નિસાસા પણ પિછાણી શકીએ, પણ એ સરળતા લાવવી ક્યાંથી?
આકાશ ભણી પણ નથી કે ધરતીમાં ઊંડા ઊતરેલા મૂળિયા પણ નથી. કોઈએ બાંધ્યા પણ નથી. વળગણ પણ નથી. સાવ ખાલી છીએ. આગળ નકશો નથી અને પાછળનો રસ્તો ભૂલી ગયા છીએ – એવી અવસ્થા છે. મૂળ જેવું પણ કશું નથી. પગ છે ચાલે છે પણ ન ચાલ્યા જેવું! સ્હેજ પણ ખસાતું નથી. બધું યંત્રવત્ ચાલે છે છતાંય સ્થિર છે.
કાપવામાં પણ માલ નથી. છેદી નાખવામાં પણ અસ્તિત્વ જેટલી ઘડીનું છે એમાં ફેરફાર થવાનો નથી. તપાવશો તો પણ કશું મળશે નહીં કારણ કે બરફ છું. અને છતાં પિગળાતું નથી. બરફ પિગળવા માટે જ બરફ બન્યો છે. પણ પરિસ્થિતીનો બરફ ન પિગળવાની હઠ લઈને બેઠો છે.
મન દિશાહીન છે. અને એની દશા પણ અવર્ણનીય છે. જાણે, મન જ ન હોય એમ જીવાય છે. મન સાવ મન વગરના કામોમાં પરોવાયેલું છે. જાણે મન જેવું કશું જ જણાતું નથી.
તળેટી પરથી શિખર ઉપર આવ્યા. શિખર સર કર્યું. પણ શિખર ઉપર કાયમના નિવાસી ક્યાં બનાય છે. તમે કશુંક પામો છો, મેળવો છો, સફળતાને વરો છો પછી નિષ્ફળતાના સહુથી પહેલાં પગથિયાને યાદ રાખવા માટેનો નિર્દેશ કરતી આ ગઝલ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’ ગુજરાતી ગઝલનું ખુમારીભર્યું લોકપ્રિય નામ છે. એમના વગર એમની ગઝલબાની સૂની લાગે છે. એમના જ એક શેરથી ‘જીવનના હકારની કવિતા’ના આ લેખનો અંત કરું છું.
મરણ બાદ ક્યારેક જોવાઈએ
મળી આવીએ, એમ ખોવાઈએ }
5 824
સોશિયલ મીડિયા રીલ્સ:કાળી વાદલડી તુંને વિનવે રે રીલ્સપ્રિય ગીતની રિયલ કથા
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/real-story-of-kaali-vadaldi-tune-vinve-re-reelspriya-song-133276291.html
કાળી વાદલડી તુંને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
જાય છે મારી સાહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગમોરલા બાર બાર મહિને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
કરી લે રે બે ઘડી ટહૂકાર રે
બે ઘડીક નાચી લે રંગમોરલા બોલવું તોય નથી બોલતો રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
ભલો થઈ તું અબોલા તું ભાંગ્ય રે
બે ઘડીક નાચી લે રંગમોરલા કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
જાય છે મારી સાહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગમોરલા ઓલી વાદલડી કેરી વિનંતી રે
રંગભર નાચે છે રંગમોરલો
મનડું કળાયેલ મોર રે
રંગભર નાચે છે રંગમોરલો નાચે વનરા, નાચે ડુંગરા રે
રંગભર નાચે છે રંગમોરલો
નાચે છે નદીયું કેરા નીર રે
રંગભર નાચે છે રંગમોરલો આભે ઢોલિડાં ધડૂકીયા રે
રંગભર નાચે છે રંગમોરલો
ત્રિભુવન ઝીલે છે એનો તાલ રે
રંગભર નાચે છે રંગમોરલો ઢેલડિયું તો ઢુંગે વળે રે
રંગભર નાચે છે રંગમોરલો
ભૂલી ગ્યો દુનિયા કેરું ભાન રે
રંગભર નાચે છે રંગમોરલો ‘કાગ’ જીવો ઝાઝું મોરલો રે
રંગભર નાચે છે રંગમોરલો
કળાયેલ સૃષ્ટિનો શણગાર રે
રંગભર નાચે છે રંગમોરલો ચોમાસુ શરૂ થઈ ગયું છે અને ઝડપથી એક પછી એક ગિયર પણ બદલી રહ્યું છે. શહેરીજનનોને તો ગરમીમાંથી રાહત મળી ત્યાં ભરાયેલાં પાણી અને પાતાળલોકના ભૂવાઓ તરફથી આવકાર મળી રહ્યો છે.
શહેરોથી જરા દૂર નજર કરીએ તો, ચોમાસાએ અલંકારિક રૂપ ધારણ કરી લીધું છે. ચોમાસુ આકાશમાંથી ધરતી પર આવે એ સાથે જ સોશિયલ મીડિયામાં રીલ્સ સ્વરૂપે પણ આવે. રીલ્સ એ તો જાણે ‘ઈન્સ્ટાગ્રામ’નું ટૂંકું વિડીયો ફોર્મેટ છે, પરંતુ બધા જ ટૂંકા વિડીયો હવે રીલ્સ તરીકે ઓળખાવા લાગ્યા છે.
એ રીલ્સમાં સૌથી વધુ લોકપ્રિય ગીતોમાં એક ગીત છે ‘કાળી વાદલડી તુંને િવનવે રે..’ કવિ કાગની એ રચના છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી એ ગીતની લોકપ્રિયતામાં ઉછાળ આવ્યો છે. સારી વાત એ છે કે રીલ્સના સાંકડા દ્વારા આપણું મહામૂલું લોકસાહિત્ય નવી પેઢી સુધી પહોંચી રહ્યું છે. તો નરસી વાત એ છે કે ગીતનો અર્થ જાણ્યા-સમજ્યા વગર તેની મજાક પણ થતી રહે છે. તો પણ સરવાળે તો ગીત લોકપ્રિય થઈ રહ્યું છે.
* * *
‘કાગવાણી’ના ચોથા ભાગમાં એ ગીત છે અને સાથે કાગનું વર્ણન પણ છે. બરાબર 70 વર્ષ પહેલાં 1954માં એ લખાયેલું છે. ‘મોરલા નાચી લે’ શીર્ષક હેઠળ લખાયેલું એ વર્ણન અહીં યથાતથ શબ્દોમાં મૂક્યું છે :
‘બાર બાર માસનાં વિયોગી વાદળાં કાળાં મલીર ઓઢી આકાશને ઘેરી વળે છે. અષાડ માસ આવ્યો છે. વીજળી ઝબકારા મારે છે. આકાશ અને ધરતીને ભેદી નાખે એવો ગેબી અવાજ વાદળદળમાં થાય છે. પવનનું મહાતોફાન ઊપડે છે. ઝીણો ઝીણો વરસાદ પડે છે. નૈઋત્ય દિશામાંથી વાદળાંનાં જૂથને પવન ઈશાન તરફ લઈ જાય છે. એમાંથી એક નાની વાદળી વિખૂટી પડી જાય છે. ગીરની ધરતીમાં એક નાના ડુંગરા પર એક મોરલો સૂનસાન ઊભો છે. વાદળી પર્વત પાસેથી પસાર થાય છે અને મોરલાને કહે છે કે—હે મોર! વર્ષાઋતુ એ તો તારી ઋતુ કહેવાય. આજ તો મોરનાં કુળ નાચી ઊઠે. તું કેમ નાચતો નથી? મારે તારો નાચ જોવો છે. ઘડીક નાચી લે. મારી સહેલીઓનો સાથ આગળ ચાલ્યો જાય છે. જલદી નાચી લે. હું તારો નાચ જોવા ઘડી ઊભી છું. હે મયૂર! આપણે તો પાછાં બાર મહિને મળશું, માટે તારી ઉદાસીનતા છોડીને નાચવા માંડ.
ભલા ભાઈ! કેમ બોલતો નથી? ગળાના ત્રણ ત્રણ કટકા કરી અને ટહુકા કેમ કરતો નથી ? હે મોર! આપણો કેટલો જૂનો સંબંધ છે! જ્યારથી જગતમાં ઋતુ બની અને મોરકુળ સરજાયાં; ત્યારથી આપણો સંબંધ છે, માટે અબોલા ભાંગી દે. છેવટે વાદળીની વિનંતી સાંભળીને મોર નાચી ઊઠ્યો. આકાશમાં ઘેરા ઘેરા ઢોલ વાગે છે. વીજળી ચમકે છે. નદીઓના ઘોર અવાજ આવે છે, આ બધી સામગ્રી મોરના નાચની સાથે તાલ દેતી હોય તેમ લાગે છે. અને મોરલાના તાલ સાથે જાણે બ્રહ્માંડ તાલ દેતું હોય તેમ લાગે છે. ઢેલું આવીને ચોતરફ આડીઅવળી ફરે છે, પણ મોરલાનું ધ્યાન તો વાદળી સામે લાગ્યું છે. બીજી બધી દુનિયાનું અને ઘરબારનું ધ્યાન મોરલો વીસરી ગયો છે. આપણે પણ ઘડી આવા મોર બનીએ તો બેડો પાર થાય.’
* * *
રસપ્રદ વાત એ છે કે કવિ કાગ અને મેરુભા ગઢવીએ આ ગીત ગાયું પણ છે. એ ઓડિયો પણ ડિજિટલ યુગમાં માવજીભાઈ ડોટ કેમ જેવી સાઈટ્સ પર ઉપલબ્ધ છે. ત્યાં તેનો અસલ રણકો પણ માણી શકાય
એમ છે. હવે આ ગીતની રીલ બનાવીએ કે પછી રીલ્સમાં સાંભળીએ ત્યારે મનોમન તેના અર્થને યાદ રાખીશું તો આપણો મનમોરલો પણ નાચી ઊઠશે.}
5 824
IDIOT સિન્ડ્રોમથી કઇ રીતે બચવું?
ઇન્ટરનેટને તમારી માહિતીનો એકમાત્ર સ્ત્રોત ના રાખો. જે તે વિષયના નિષ્ણાત સાથે ચર્ચા કરવાનું અથવા તો તેને સંબંધિત પુસ્તકો પર આધાર રાખો.
સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી માટે ડોક્ટર પર ભરોસો કરો, ઇન્ટરનેટ પર નહીં. ઇન્ટરનેટ પરથી મળેલી માહિતી અંગે ડોક્ટર સાથે ચર્ચા કરો.
ડોક્ટરની સલાહ લીધા વગર ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર આવતી સારવાર ક્યારેય શરૂ ના કરવી જોઇએ.
જ્યાંથી માહિતી મળે છે તેનો સોર્સ તપાસો, ઉપરાંત તે માહિતી પણ ક્રોસ ચેક કરવાનું રાખો.
તમારા પરિવાર અને મિત્રો ખાસ કરીને વડીલોને સમજાવો કે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર આવતું બધું સાચું નથી હોતું. તેના પર આંખ મીચીને વિશ્વાસ ના કરાય.
યાદ રાખો કે પીળું એટલું સોનુ નથી હોતું.} બ્લેક એન્ડ વ્હાઇટ તથા કલર નેગેટીને ડિજીટલ ફોર્મેટમાં કેવી રીતે ફેરવવી ?
જૂના કેમેરા રોલની નેગેટિવને ડિજિટલ બનાવવાના ઘણાબધા રસ્તા છે. સૌથી સરળ રસ્તો છે એપ્લિકેશનના ઉપયોગથી. ‘પ્લે સ્ટોર’ પર આ માટે ઘણી બધી એપ્લિકેશન ઉપલબ્ધ છે. પ્લે સ્ટોર પર જઇને Negative Scanner સર્ચ કરશો એટલે ઘણી બધી એપ્લિકેશન આવશે. જેમાં Photo Negative Scanner: View નામની એપ હશે તેનો ઉપયોગ કરી શકો. આ સિવાયની પણ એપ ઉપયોગી છે. આ ઉપરાંત નેગેટિવના ફોટો લઇને ફોટોશોપમાં પણ ડિજિટલ કરી શકો. જેના ટ્યૂટોરિયલ યૂટ્યૂબ પર ઉપલબ્ધ છે. જોકે આ બધી રીત વડે એકદમ પ્રોપર રિઝલ્ટ જ મળશે તેની કોઇ ગેરંટી નથી. રોલને ડેવલપ કરવા જેવું રિઝલ્ટ તો નહીં મળે. આમ છતાં તમે ટ્રાય કરી શકો.
આ સવાલ વાચક સિદ્ધાર્થ ચંદારાણા, રાજકોટ દ્વારા મોકલાયો છે.
ટેક્નોલોજી, સોશિયલ મીડિયા સંબંધિત તમારા સવાલો kevalumretiyaa@gmail.com પર પૂછી શકો છો.
5 824
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/idiot-syndrome-a-disease-in-search-of-a-cure-133276721.html
કેવલ ઉમરેટિયા લ્લા એકથી દોઢ દાયકા દરમિયાન દેશ અને દુનિયામાં ઇન્ટરનેટની ક્રાંતિ થઇ. જેની સાથે જ માહિતીનું ઘોડાપૂર આવ્યું, જે હવે માહિતીના મહાસાગરમાં પરિવર્તન પામ્યું છે. ઇન્ટરનેટ પર આજે તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. તમામ વિષયની જાણકારી આપણી આંગળીના ટેરવે છે. બસ! ફોન હાથમાં લઇને ‘ગૂગલ’ કરો એટલી જ વાર. દિવસમાં અનેક વખત સવાલ લઇને આપણે ગૂગલબાબાના શરણે જઇએ છીએ, અને ગૂગલબાબા પાસે દરેક સવાલનો જવાબ છે.
મજાની વાત એ છે કે ઇન્ટરનેટ પરથી જે જવાબ મળે છે તેને આપણે સાચો પણ માની લઇએ છીએ. આપણી જિજ્ઞાસા સંતોષવા તેમજ નવું જાણવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કરવું એ સારી બાબત છે, પરંતુ નીરક્ષીર વિવેક હોવો પણ જરૂરી છે. સાથે બીજી પણ એક વાત યાદ રાખવી કે અતિની ગતિ ના હોય. એટલે કે દરેક વાત માટે ઇન્ટરનેટ પર સર્ચ કરવું અને તેને જ સાચું માનવું એ એક પ્રકારની માનસિક બીમારી છે. ઇડિયટ સિન્ડ્રોમ પણ આ જ શ્રેણીમાં આવે છે.
ઇડિયટ સિન્ડ્રોમ શું છે?
દરેક વાત માટે ઇન્ટરનેટ પર સર્ચ કરતા લોકો કોઇ પણ બીમારી કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા માટે પણ ઇન્ટરનેટ પર જ આધાર રાખે છે. બીમારીનાં લક્ષણો વિશે સર્ચ કરીને તેની સારવાર પણ ઇન્ટરનેટ પ્રમાણે જ કરે છે. તેનાથી પણ એક સ્ટેપ આગળ કહું તો, આવા લોકોને ડોક્ટર કરતા વધારે ભરોસો ઇન્ટરનેટ પર હોય છે.
આ બધાં એક પ્રકારના સિન્ડ્રોમ એટલે કે બીમારીનાં લક્ષણ છે, જેને મેડિકલની ભાષામાં ઇડિયટ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઇડિયટ શબ્દનો અર્થ મૂર્ખ નથી થતો. Idiot એટલે કે Internet Derived Information Obstruction Treatment. સરળ ભાષામાં કહીએ તો, ઇન્ટરનેટ પરથી મળેલી માહિતીથી બીમારીની સારવારમાં ઉત્પન્ન થતો અવરોધ.
એવા લોકોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે કે જેઓ ઇન્ટરનેટ પર બીમારી વિશે સર્ચ કરીને જાતે જ સારવાર ચાલું કરી દે છે, મેડિકલમાંથી જે તે દવા પણ લઇ આવે છે. જે ઘણી વખત ઘાતક અને જોખમી નીવડે છે. બીમારીની સારવાર થવાના બદલે વધએ છે. આવા તમામ લોકો Idiot સિન્ડ્રોમનો શિકાર છે.
‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ (WHO) દ્વારા આ પ્રકારની બીમારીને ‘Infodemic’ એવું પણ નામ આપવામાં આવ્યું છે. Infodemic એટલે કોઇ રોગ કે શારીરિક સમસ્યા વિશે સાચી અને ખોટી બંને પ્રકારની અઢળક માહિતી. જેમાં લોકો નક્કી જ ના કરી શકે કે સાચું શું છે અને ખોટું શું છે. કોરોના વખતે આપણને બધાને આ વાતનો અનુભવ થયો છે.
IDIOT સિન્ડ્રોમનાં લક્ષણો
ડોક્ટર પાસે જવાના બદલે શરીરની કોઇ સમસ્યા કે બીમારી વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરવું અને એ મુજબ સારવાર પણ શરૂ કરી દેવી.
ડોક્ટર કે નિષ્ણાત વ્યક્તિ કરતા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી ઉપર ભરોસો કરવો. ડોક્ટર દ્વારા સારવાર શરૂ હોય તો તેને બંધ કરી ઇન્ટરનેટની સારવાર શરૂ કરવી.
નાની સમસ્યા વિશે સર્ચ કરતા રહેવાથી બાદમાં તે બીમારી તરીકે મગજમાં ઘર કરી જાય છે, જ્યારે હકીકતમાં કશું નથી હોતું. એટલે કે જાતે બીમારી ઊભી કરે છે.
ઇન્ટરનેટ પર જોઇને સારવાર શરૂ કર્યા બાદ ધાર્યું પરિણામ ના મળતા (મોટે ભાગે નથી જ મળતું) તે વ્યક્તિ એન્ઝાયટી અને ડિપ્રેશનનો શિકાર બને છે.
એક સમય બાદ ઇન્ટરનેટ પરથી ધાર્યો જવાબ ના મળે તો પણ તે વ્યક્તિ ડિપ્રેશનમાં જતી રહે છે
સોશિયલ મીડિયાએ આ બીમારી વધારી
સોશિયલ મીડિયાના કારણે દુનિયા ભલે નાની થતી જાય છે પરંતુ ખોટી માહિતીનો પહાડ સતત મોટો થતો જાય છે. ‘યૂટ્યૂબ’, ‘ફેસબુક’, ‘ઇન્સ્ટાગ્રામ’, ‘વૉટ્સએપ’ વગેરે પ્લેટફોર્મ પર જાતે બની બેઠેલા ડોક્ટરોની સંખ્યા વધી રહી છે. કોઇ કસરત કે ડાયેટ વગર વજન ઘટાડતા શિખવાડે છે, કોઇ ડાયાબિટિસનો દેશી ઉપચાર બતાવે છે તો વળી, કોઇ આયુર્વેદના નામે વ્યૂઝ મેળવવાનો ધંધો કરે છે. આ પ્રકારના વિડીયો, મેસેજ અને માહિતી દરરોજ આપણી સામે આવે છે. વળી પાછા સેંકડો લોકો આને સાચું પણ માને છે.
40 વર્ષ ઉપરની એક આખી પેઢી એવી છે કે જેમના હાથમાં હમણા જ ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન આવ્યો છે, તેઓ તો એવું જ માને છે કે ‘યૂટ્યૂબ’, ‘ફેસબુક’, ‘ઇન્સ્ટાગ્રામ’ કે ‘વૉટ્સએપ’માં આવે એ સનાતન સત્ય જ હોય છે. એમને કોણ સમજાવે કે ઇન્ટરનેટ પર અત્યારે સાચા કરતા ખોટી માહિતી વધારે છે. ઉપરાંત સરકારને આવી ખોટી માહિતી રોકવામાં કોઇ રસ નથી લાગતો. એટલે જ તો ખુલ્લેઆમ લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.
ડોક્ટરોનું શું કહેવું છે?
ઘણા ડોક્ટરો એવું કહે છે કે એવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જે તેમની પાસે આવતા પહેલાં ‘ગૂગલ’ પર સર્ચ કરીને આવે છે. જેથી તેમને બીમારી વિશે સમજાવવું અને સારવાર કરવી બંને મુશ્કેલ બને છે. ઘણા લોકો તો ડોક્ટરે આપેલી દવા વિશે તેમની સામે જ ગૂગલ પર સર્ચ કરતા થયા છે. ડોક્ટરોનું કહે છે કે બીમારીની સારવાર કરતા પહેલાં તેમના મગજમાં જે ખોટી માહિતી હોય છે તેને દૂર કરવી પડે છે.
5 824
ભારતે હજુ સુધી ઇઝરાયલને શસ્ત્રો સપ્લાય કરવાની પુષ્ટિ પણ નથી કરી કે નકારી પણ નથી. ભારત ગાઝામાં સંઘર્ષનું વાટાઘાટ દ્વારા સમાધાન ઈચ્છવાની વાત કરતું રહ્યું છે. ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષના કાયમી ઉકેલ માટે પેલેસ્ટાઈન રાજ્યની રચનાને સમર્થન આપવાની વાત ભારતે કરી છે.
આવનાર સમયમાં ભારત આરબ દેશોને કઈ રીતે પોતાના પક્ષે જાળવી રાખે છે એ જોવું રસપ્રદ હશે, કારણ કે એ માટે ખૂબ જટિલ ડિપ્લોમસી જરૂરી બનશે. ઇરાન સાથે પણ ચાબહાર પોર્ટ તેમજ અન્ય વિકાસ કામોમાં ભારત પાછું જોડાયું છે. ઇરાનના પ્રમુખની હત્યા થઈ ત્યારે ભારતે ઉપરાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપવા મોકલ્યા હતા.
એક બાજુ ઇઝરાયલ, બીજી બાજુ હમાસ અને હિઝબુલ્લા, ત્રીજી બાજુ ઇરાક અને ચોથી બાજુ આરબ રાષ્ટ્રો – ચાર ખૂણે બાંધેલા ચાર દોરડા પર ભારતે ‘ટાઈટ રોપ વોકિંગ’ કરવાનું છે. ભારતીય ડિપ્લોમસીની આ અગ્નિપરીક્ષા હશે એમાં કોઈ શંકા નથી.}
5 824
ડૉ. જય નારાયણ વ્યાસ રબ દેશો સાથે સારા સંબંધો હોવા છતાં ભારતે ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપ્યા છે. મધ્ય-પૂર્વમાં યહૂદી દેશ ઇઝરાયલની રચના સંયુક્ત રાષ્ટ્ર મારફત 1948માં કરવામાં આવી હતી. ઇઝરાયલ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં યહૂદીઓ પેલેસ્ટાઇની વિસ્તારમાં શરણાર્થી તરીકે રહેતા હતા.
ભારત અને ઇઝરાયલના રાજદ્વારી સંબંધનો ઇતિહાસ બહુ લાંબો નથી. ઇઝરાયલની રચના થયા બાદ ભારતે ખાસ્સો લાંબો સમય તેને એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા નહોતી આપી. એવું કહેવાય છે કે ભારત ઇઝરાયલની રચનાની વિરુદ્ધમાં હતું અને એણે સંયુક્ત રાષ્ટ્રમાં પણ ઇઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
વિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન યહૂદી હતા. ભારતનું ઇઝરાયલને સમર્થન મળે તે માટે એમણે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને લખેલ પત્રમાં લખ્યું હતું કે, યહૂદીઓ સદીઓથી દમનની સ્થિતિમાં જીવે છે. લાખો યહૂદીઓને બરબાદ કરી નાખવામાં આવ્યા છે. દુનિયામાં એવી કોઈ જગ્યા નથી, જ્યાં યહૂદીઓ સલામતીનો અનુભવ કરી શકે. એક સામાજિક અને રાષ્ટ્રીય મુક્તિ આંદોલનના નેતા તરીકે હું તમને અપીલ કરું છું કે યહૂદીઓનું આંદોલન પણ આવું જ છે અને તમારે તેમની પડખે ઊભું રહેવું જોઈએ.
જવાહરલાલનો જવાબ એક ઘડાયેલ રાજકારણી કઈ રીતે ભર્યા તળાવમાંથી કોરો બહાર નીકળે તેનું આદર્શ ઉદાહરણ છે. તેમણે આઇન્સ્ટાઇનને કહ્યું કે, મારા મનમાં યહૂદીઓ પ્રત્યે પારાવાર સહાનુભૂતિ છે. મારા મનમાં આરબો પ્રત્યે પણ પારાવાર સહાનુભૂતિ છે. યહૂદીઓએ પેલેસ્ટાઇનમાં શાનદાર કામ કર્યું છે, લોકોનું જીવનસ્તર બહેતર બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે એ હું જાણું છું, પરંતુ એક સવાલ મને કાયમ પરેશાન કરે છે કે આટલું હોવા છતાં આરબોમાં યહૂદીઓ પ્રત્યે ભરોસો કેમ બંધાયો નથી?
આમ છતાંય નેહરુજીએ પોતાનો વિચાર બદલીને 17 નવેમ્બર, 1950માં ઇઝરાયલને સ્વીકૃતિ આપી. ભારત કોઈ છાવણીમાં સામેલ નહોતું અને બિનજોડાણની નીતિને અનુસરતા રાષ્ટ્રોમાં એ અગ્રણી હતું. ભારતને આરબ દેશો સાથે પણ સારો સંબંધ હતો. એના કદાચ બે કારણો હતાઃ ક્રૂડ ઑઇલ અને એ દેશોમાં નોકરી કરતા ભારતીય લોકો, જે વિદેશી હૂંડિયામણ દેશને મોકલતા.
ભારતમાં મુસ્લિમોની મોટી વસ્તી પણ ઇઝરાયલ સાથેના સંબંધોમાં અંતર રાખવા માટેનું એક કારણ ગણી શકાય. દરમિયાનમાં વૈશ્વિક સત્તાનાં સમીકરણો બદલાયા. ઇઝરાયલ મધ્ય-પૂર્વમાં એક શક્તિશાળી દેશ તરીકે ઉભર્યું. ભારત પોતાના સૈનિકો માટે હથિયારો અને દારૂગોળો મેળવવા રશિયા ઉપર જ આધારિત હતું. રશિયા વીંખાયું એટલે ભારતને સૈન્ય પુરવઠા માટે એક આધાર રાખી શકાય તેવો સાથી જોઈતો હતો. ઇઝરાયલ અમેરિકાની છાવણીમાં હતું. ઇઝરાયલ અને અમેરિકા બંને ભારતની શસ્ત્રોની જરૂરિયાત સંતોષી શકે તેમ હતા પણ ભારત અને અમેરિકાના સંબંધો બહુ સારા નહોતા.
અમેરિકન પ્રમુખના રાજકીય સલાહકાર ડૉ. હેનરી કિસિન્જર ભારત માટે બહુ કૂણી લાગણી નહોતા ધરાવતા. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ અમેરિકા ઇઝરાયલના મજબૂત સાથી તરીકે ઊભું રહેતું અને 33 વખત ઇઝરાયલ માટે એણે પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે.
ભારતને શસ્ત્રોની જરૂર હતી પણ ઇઝરાયલ અમેરિકાની મંજૂરી વગર કંઈ કરી શકે તેમ નહોતું. જેવું રશિયાનું પતન થયું, ભારતે અમેરિકા તેમજ ઇઝરાયલ સાથે નજદીકી કેળવવાની શરૂઆત કરી. દરમિયાનમાં કેમ્પ ડેવિડ સમજૂતી મુજબ આરબ વર્લ્ડ અને ઇઝરાયલ વચ્ચે પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રક્રિયા શરૂ થઈ. ભારત આ પ્રક્રિયામાં ભાગ લેવા માગતું હતું પણ તે જ્યાં સુધી ઇઝરાયલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધ સ્થાપિત ના કરે ત્યાં સુધી આ શક્ય નહોતું. તે સ્થિતિમાં ભારતના તત્કાલીન વિદેશ સચિવ જે. એન. દીક્ષિતે 23 જાન્યુઆરી, 1992ના રોજ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધ સ્થાપવાની જાહેરાત કરી.
હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ હજુ પૂરું થવાનું નામ નથી લેતું. નેત્યનાહુના નેતૃત્વ હેઠળના ઇઝરાયલે વેસ્ટ બૅન્ક અને ગાઝાપટ્ટીમાં એક લાખ કરતાં વધુ નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા છે. બાકી બચેલા લોકો ઇઝરાયલની નાકાબંધીને કારણે આવશ્યક વસ્તુઓની તીવ્ર અછતનો સામનો કરતાં મરવાના વાંકે જીવી રહ્યા છે.
આ બધા વચ્ચે તાજેતરમાં એક અખબારમાં ભારત ઇઝરાયલને શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડીને ભૂતકાળમાં ઇઝરાયલે કરેલી મદદનો બદલો ચુકવી રહ્યું હોવાનો અહેવાલ છપાયો છે. ઇઝરાયલના ભારતમાં રહી ચૂકેલા રાજદૂત ડેનિયલ કાર્મોનનું કહેવું છે કે 1999ના કારગીલ યુદ્ધ સમયે ઇઝરાયલે ભારતને કરેલ મદદનું ઋણ ભારત અત્યારે ઇઝરાયલને શસ્ત્રો પૂરો પાડીને ચૂકવી રહ્યું છે. આનો દાખલો આપતા ડેનિયલ કહે છે કે મે, 2024માં સ્પેને કાર્ગો જહાજ મરિયાને ડેનિકાને કાર્ટેજેના બંદર ખાતે અટકાવ્યું હતું જે ઇઝરાયલના સશસ્ત્ર દળો માટે 27 ટન દારૂગોળો લઈ જતું હતું. ફેબ્રુઆરી, 2024માં ભારતે ઇઝરાયલને હૈદરાબાદ ખાતે નિર્મિત અતિઆધુનિક વીસ હર્મેશ-900 ડ્રોન પૂરા પાડ્યા હોવાની વાત સપાટી પર આવી હતી.
