en
Feedback
Divya Bhaskar

Divya Bhaskar

Open in Telegram

Best News Channel in Telegram Divya Bhaskar News in Telegram દિવ્ય ભાસ્કર હવે તમારા મોબાઈલ પર. Telegram પર @Divyabhaskar Join કરો અને દરરોજ સમાચાર તમારા મોબાઈલ પર. Others: @SandeshNewsOfficials

Show more
5 824
Subscribers
-124 hours
+47 days
-1230 days
Posts Archive
તું જઈને ધોમ તડકામાં, પડેલી ટાલ જોઈલે. વિરહની રાત પણ, કાઢી હશે કેવી રીતે એણે ? હકીકત જાણવાં એનો, ભીનો રુમાલ જોઈલે, અરે જીવ્યો હશે કેવું ? એ કે'વાની જરુર શી છે ? નનામી પર ફુલોની સંગ, તું ગુલાલ જોઈલે. હવે હું શું કહું તુજને, કરમ કઠણાઈ જીવનની, અરે ખાલી વિરા "ચાતક", તું મારા હાલ જોઈલે. -ગફુલ રબારી ‘ચાતક’ જ્યાં સુધી આ જીવ અંદર શ્વાસ છે તારા ઉપર ત્યાં સુધી વિશ્વાસ છે, જ્યાં નજર તારી કદીએ ના પડી, એ જ જગ્યાએ પ્રભુનો વાસ છે. ભૂખ નિરાંતે સૂતી ફૂટપાથ પર, આ જ મારા દેશનો વિકાસ છે. માર્ક ઓછા આવવાથી એ મર્યો, એ હજુ જીવે છે જે નાપાસ છે. -વિપુલ અમરાવ ના ગમે એવું ઘણું કરવું પડે છે. રોજ મન સાથે પછી લડવું પડે છે. હો ભલેને લાગણી બેહદ છતાંયે, ડાળથી તો ફૂલને ખરવું પડે છે હોય જીવનમાં ઘણી કપરી પરીક્ષા, મોતની પહેલાં અહીં મરવું પડે છે. દેહને તો બાળશે મૃત્યુ પછી પણ, જીવતા રોજે ' કુસુમ ' બળવું પડે છે. -કુસુમ કુંડારિયા લઈને નોખા લાવ ને લશ્કર મારી અંદર, રાજ કરે છે એક સિકંદર મારી અંદર. બાથમબથ્થા અંદર અંદર મારી અંદર, જીન ભુત પીશાચ કલંદર મારી અંદર. સાતે દાહડા ખારાં પાણી મૂછો ઉપર, કોણે રોપ્યા સાત સમંદર મારી અંદર. ભોળી ભોળી જે આંખોની વાત કરું છું, એણે ફૂંક્યા કાળા મંતર મારી અંદર. ભૂરું સ્વેટર તારું એવુ મનમાં વસ્યું, અટકી બેઠો છે ડિસેમ્બર મારી અંદર. -આસિફખાન આસિર ​​​​​​​લઈને નોખા લાવ ને લશ્કર મારી અંદર, રાજ કરે છે એક સિકંદર મારી અંદર. બાથમબથ્થા અંદર અંદર મારી અંદર, જીન ભુત પીશાચ કલંદર મારી અંદર. સાતે દાહડા ખારાં પાણી મૂછો ઉપર, કોણે રોપ્યા સાત સમંદર મારી અંદર. ભોળી ભોળી જે આંખોની વાત કરું છું, એણે ફૂંક્યા કાળા મંતર મારી અંદર. ભૂરું સ્વેટર તારું એવુ મનમાં વસ્યું, અટકી બેઠો છે ડિસેમ્બર મારી અંદર. -આસિફખાન આસિર ​​​​​​​નજરો કેદ હૃદયે સાંકળ જો તૂટે તો કંઇક કહું. ફેલાયેલી યાદોની ઝાકળ પીઘળે તો કંઇક કહું. દિવસ રાત સમયનું બંધન છૂટે તો કંઇક કહું. શબ્દ પર મૌનનો પહેરો, કર્ફ્યું હટે તો કંઇક કહું. -પારમિતા મહેતા

કાવ્યાયન:‘મેરે પાસ મા હૈ...’ https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/mere-paas-ma-hai-133291150.html હરદ્વાર ગોસ્વામી મા પ્રેમિકા જેટલી સુંદર હોતી નથી અને થોડી વૃદ્ધ પણ હોય છે. આપણામાં જ્યારે સમજણ આવી જાય છે ત્યારે કહીએ છીએ ‘મા, તને કંઇ સમજણ પડતી નથી’. પછી મા કશું બોલતી નથી. ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને પોતાના વાથી પીડાતા પગને પંપાળ્યા કરે છે. પછી એક દિવસ મા મારી જાય છે અને આપણે બે હાથ જોડીને કહી પણ શકતા નથી માફ કરી દેજે મા. સ્ત્રીઓનાં બે સ્તનો વચ્ચેથી પસાર થતા રાજમાર્ગ પર દોડી દોડીને એક વાર હાંફી જઈએ ત્યારે ઈચ્છા થાય છે માના વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની ત્યારે ખ્યાલ આવે છે મા તો મરી ગઈ છે મા પ્રેમિકા જેટલી સુંદર નહોતી. -કિરીટ દૂધાત કિરીટ દૂધાત મૂળે તો પ્રથમ પંક્તિના વાર્તાકાર. પણ ક્યારેક કવિતાવિહાર કરે છે અને જ્યારે પણ કરે ત્યારે અદભુત સર્જન કરે. કોઈ પણ સ્વરૂપમાં કામ કરે ત્યારે નિસ્બતથી કરે છે. અગાઉ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે ઉત્તમ કામ કર્યું છે. અનેક સાહિત્યિક સંસ્થાઓમાં નિસ્વાર્થ સેવા આપી છે. સરકારમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હતા ત્યારે પણ બિલકુલ ડાઉન ટુ અર્થ રહ્યા છે. અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ‘પરબ’નું સંપાદન કરે છે. કિરીટભાઈ અઠંગ વાચક. ભારતીય સાહિત્ય સાથે વિશ્વ સાહિત્યનું પણ ઊંડું અધ્યયન કર્યું છે. એમની વાર્તા વાંચતા લાગે કે કવિતા વાંચીએ છીએ અને કવિતા વાંચતા લાગે વાર્તા વાંચીએ છીએ. મા સાહિત્યનો સાર્વત્રિક વિષય છે પણ એમાં કેવી અદભુત કવિતા આપી છે. આમ તો માનું ઋણ ક્યારેય ઉતરી ન શકે પણ જયારે સ્ત્રી મા બને છે ત્યારે આંશિક ઋણ ઉતરે છે. જગતના કલ્યાણ માટે ઈશ્વરને કહેવામાં આવ્યું હશે અને એમણે પૃથ્વી પર માતાને મોકલી હશે. જે ઘરમાં માતા દુઃખી હોય એ ઘરમાં કદી સમૃદ્ધિ આવી ન શકે. પુત્ર ગમે તેવો પાકે પણ માતા તો હંમેશા મમતાની મૂર્તિ. આપણી પહેલા આપણી વેદના જાણે-પિછાણે એ મા જ હોય છે. રામાયણના માર્ગી માર્ગમાં અને ભગવદગીતાના ગાર્ગી માર્ગમાં માતાનું મૂલ્ય અગ્રસ્થાને રહ્યું છે. માતા પ્રત્યેનો આદર સમૃદ્ધિને દોરી લાવે છે. એ પછી પેટજણી મા હોય કે કુળદેવી માતાજી હોય... આપત્તિના સમયે મા અંતિમ મુકામ પર જ દુર્ગારૂપ ધારણ કરી રક્તપાત કરે છે. ‘બધાની ઈચ્છા’ એ જ માતાની ઈચ્છા. ક્યારેક તેજસ્વીની રૂપ ધરીને વીજપાત પણ કરે છે. દુનિયાને ચકાચૌંધ કરી દે છે. ચક્ષુપાત એટલે કૃપાદ્રષ્ટિ. મોરારિબાપુ કહે છે કે ‘મા જગદંબાનું એક આંસુ અશોકવાટિકામાં પડ્યું ત્યાં જે રાક્ષસીઓ સગર્ભા હતી એના ગર્ભપાત થવા લાગ્યા.’ માતાની કથાઓ સાથે અનેક પાત જોડાયેલા છે. ગણેશજીના વધ પછી જ પાર્વતીમાતાએ દુર્ગારૂપ ધારણ કર્યું હતું. માની કઠોરકૃપાનું પણ એક મૂલ્ય છે. બાળકને લેસન કરવું ન ગમે તો પણ માતા એના સારા માટે બેસાડે છે. હૃદયમાં નિરાકાર માને રાખો અને આંખ સામે સાકાર માને રાખો. જ્યારે કોઈ મા પર અત્યાચાર થાય છે ત્યારે પહેલું આંસુ ઈશ્વરનું પડતું હોય છે ! બાળપણમાં અનેક કાલાઘેલા પ્રશ્નોના જવાબ મા આપતી હોય છે પણ જયારે એ વૃદ્ધ થાય ત્યારે એકાદ સવાલનો જવાબ આપવામાં પણ પુત્રને બળ પડતું હોય છે. વૃદ્ધાવસ્થા પણ એક પ્રકારનું બાળપણ જ છે. નેતાની અસલી ઓળખ એ ચૂંટાયા પછી થાય છે એમ પુત્રનો પાક્કો પરિચય માતા વૃદ્ધ થાય ત્યારે થતો હોય છે ! માનું સન્માન ન થાય તો એ કશું બોલશે નહીં પણ બાથરૂમમાં જઈ નળ ખોલી આંસુ વહાવશે ! એ આંસુથી સ્વર્ગ પણ ભસ્મીભૂત થઇ શકે છે. માતા એક નજરમાં બાળકનો એક્સ રે લઇ લે છે. બાળક જમે તો એનો ઓડકાર માને આવે છે. માના મૃત્યુ બાદ ભવ્ય બારમું કરો એમાં કાંઈ ખોટું નથી પણ જીવતે જીવ એની જરૂરિયાતને હથેળી આપજો. દેખો એક અપૂરવ ખેલા ! બંધ બારીઓ ખોલી નાખો, ખોલી દ્યો ભીતરના ડેલા... ડુંગરિયેથી દદડીને એ અગમ ટકોરા મારે, ભેદ ન પામે કાચી સમજણ, અવાક બેઠી બારે. સાવ મૂરખના મનમાં ક્યાંથી ઉતરે આવા રેલા... ભોગળ ભેદી, આસન વાળી નાદ મને સંબોધે, જલમ પછીથી ગુમ થયો છે એ જોગીને શોધે. ભરચક ભીડ વચાળે ભાઈ, ખુદ કો પાઉં અકેલા... જોવા કે જાણ્યાનો મતલબ વિંટાશે નહીં ધાગે, આંખ ભલેને રહી વાંઝણી અંદર ઝણઝણ વાગે. અમે અમારા કાન ફૂંકીએ, અમે અમારા ચેલા... -પૂજ્ય બાપુ વાતાવરણ વરસાદનું છે, ભીતરે વરસાદ છે, ઉત્સાહનો આનંદની સાથે થતો સંવાદ છે. વરસો વરસથી મીટ માંડી છે, છતાં પ્રત્યેક ક્ષણ ચાતક બનેલી આંખને વાદળ વિશે ફરિયાદ છે. જે સાંભળી ખુદનું સ્મરણ પણ ના રહે એવો સતત, ચોપાસ મારી ગુંજતો રહેતો અનાહત નાદ છે ! વરસો વરસથી કેદ આ હોવાપણાનો ભાર પણ, અસ્તિત્વમાંથી મુક્ત થઈને ઉડવા આઝાદ છે. જીવી ગયાં એ જિંદગી માટે જગતને નાઝ હો, બસ એ જ દુનિયાએ દીધેલી શ્રેષ્ઠ એવી દાદ છે ! -જિજ્ઞા ત્રિવેદી ભલે તું આજ જોઈલે, ભલે તું કાલ જોઈલે, પહેલાં જઈ, જરા લબડી પડેલી ખાલ જોઈલે. કેટલો સંઘર્ષ કર્યો છે, જિંદગી સામે લડી,

જો શોધવા જઈએ તો સ્વર્ગ ક્યાં નથી? અને ક્યાંક બીજે સ્વર્ગ છે એવી લાલચમાં ફસાઈને અત્યારે મળેલું સ્વર્ગ ખોવું નહીં. મોક્ષ ક્યાંય નથી અને પરલોક તરફ ગતિ કરતો આત્મા પણ અસ્તિત્વ ધરાવતો નથી.

યાવજ્જીવેત્સુખં જીવેન્નાસ્તિ મૃત્યોરગોચરઃ । અસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કુતઃ ।। ‘મૃત્યુથી કોઈ બચી શકતું નથી, દેહ રાખ બની જાય, ભસ્મીભૂત થઈ જાય એટલે ફરી પાછા આ ધરતી પર આવવાનું નથી માટે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આનંદ કરીએ અને જીવીએ ત્યાં સુધી સુખમાં જીવીએ.' આ ચાર્વાકવાદની મહત્ત્વની ફિલોસોફી અથવા બિલીફ છે. ‘ચાર્વાક.' ચારુ+વાક્= મીઠી આકર્ષણવાળા અથવા મધુર ભાષા ધરાવતા એવા આ વાક્ ચતુર લોકો ચાર્વાક દર્શકનો હિસ્સો છે. એમ કહેવાય છે કે, ચાર્વાક કોઈ વ્યક્તિનું નામ નથી, જે લોકો પરલોક, પુનર્જન્મ, દેવના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતાં એવા લોકોની ઓળખ ચાર્વાક સંપ્રદાય અથવા દર્શનના વ્યક્તિ તરીકે કરવામાં આવે છે. તત્ત્વચિંતન, તત્ત્વજ્ઞાન, ફિલોસોફી કે સમજણ જેવી બાબતો માટે ‘દર્શન' શબ્દ વપરાય છે. માણસ પોતાની સમજણથી ભીતર જોઈને-ભીતરના અનુભવ અને સંવાદમાંથી જે મેળવે એને કદાચ ‘દર્શન' કહેતા હશે. દેવસ્થાનમાં મૂર્તિની સમક્ષ ઊભા રહેવા માટે પણ આ જ શબ્દ પ્રયોજાય છે. બૌદ્ધ, જૈન, સૂફી, તાવો જેવાં ‘દર્શન' એટલે કે ફિલોસોફીની જેમ જ ચાર્વાક પણ એક ફિલોસોફી છે. આને માટે લોકાયત બાર્હસ્પત્ય, ચાર્વાક, પૌરંદર જેવાં નામો પણ વપરાય છે. ‘લોકેષુ આયતમ્' એટલે કે લોકો અને માનવ સમાજમાં ફેલાયેલો એવો વિચાર લોકવ્યાપી અથવા પ્રચલિત વિચાર પણ ચાર્વાક દર્શનની એક ઓળખ છે. આ દર્શનને કેટલાક લોકો ભૌતિકવાદી, જડવાદી, નાસ્તિકવાદી, અનાત્મવાદી, સુખવાદી, સ્વભાવવાદી, સ્વાર્થવાદી અને સ્વેચ્છાચારવાદી જેવાં શબ્દોથી પણ ઓળખે છે. 2500 વર્ષ કે એથી પણ વધુ જૂનો આ વિચાર હોઈ શકે એવું પંડિતો માને છે. છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વેતર અને કથોપનિષદ વગેરે શાસ્ત્રોમાં કેટલાક વાક્યો એવા મળે છે જે ચાર્વાકવાદના માત્ર શારીરિક અસ્તિત્વ કે ભૌતિક અસ્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. એમની નીતિમત્તા જુદા પ્રકારની છે. એમના દર્શનને ‘સુખવાદ' પણ કહેવાય છે, કારણ કે ચાર્વાક પરંપરા માને છે કે જ્યાં સુધી જીવતાં હોઈએ ત્યાં સુધી શારીરિક સુખનો પૂરેપૂરો ઉપભોગ કરવો. સંયમ, નિરોધ, અવરોધ, ત્યાગ જેવી બાબતોનો ચાર્વાક પરંપરા વિરોધ કરે છે. ચાર્વાક પરંપરાનો એક શ્લોક કહે છે કે, માણસ જો એમ માને કે સંસારમાં દુઃખ જ દુઃખ છે અને સુખને ત્યાગવાથી દુઃખ નહીં મળે તો એ મૂર્ખ છે. દુઃખના ભયથી સુખને ત્યાગવા જેટલી મોટી મૂર્ખતા બીજી કોઈ નથી. અનાજમાં જેમ કાંકરા હોય એમ સુખની વચ્ચે રહેલા દુઃખને કાઢીને સુખ ભોગવવું એ જ ચાર્વાકની ફિલોસોફી છે. દેવોના ગુરૂ આંગિરસ બૃહસ્પતિ આ દર્શનના પ્રણેતા છે એમ કેટલાંક લોકો માને છે. ભારતીય સંસ્કૃતિના દર્શન પ્રમાણે અનેક બૃહસ્પતિ છે. કેટલાંક પંડિતો માને છે કે, દાનવોના ગુરૂ શુક્રાચાર્ય આ મત લઈ આવ્યા હોવા જોઈએ, પરંતુ જેણે પણ આ વિચાર મૂક્યો છે એ અન્યથી ભિન્ન અને એ સમયે પ્રવર્તી રહેલા આશ્રમ અને વર્ણવ્યવસ્થાના વિરોધમાં આ વિચારને રજૂ કરે છે એટલું નક્કી છે. એક ગ્રંથમાં વિગત છે કે, ચાર્વાક એક પ્રખ્યાત આચાર્ય હતા. વાચસ્પતિએ લખેલા લોકાયત શાસ્ત્રના પ્રચારમાં એમણે ચાર્વાક પરંપરાનો આરંભ કર્યો. મહાભારત શાંતિપર્વમાં ચાર્વાક એક રાક્ષસ સ્વરૂપે મળે છે. એ બ્રાહ્મણ વેશમાં દુર્યોધનનો મિત્ર બનીને આવે છે. એક ગ્રંથમાં ચાર્વાકને એક ઐતિહાસિક વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને એના પ્રમાણમાં પણ એ ગ્રંથમાંથી મળે છે. આ બધા વિવિધ મતો પરસ્પર વિરોધી છે, પરંતુ એક વાત નક્કી છે કે, જેણે પણ આ પરંપરાની સ્થાપના કરી એને ઈશ્વર અને યજ્ઞયાગાદિ, કર્મકાંડ સામે વિરોધ હોવો જોઈએ. વૈદિક પરંપરાઓ સામે બંડ પોકારનાર અને ભયાનક તર્ક ધરાવતો જ્ઞાની માણસ હોવો જોઈએ કારણ કે, એણે જે કંઈ લખ્યું છે એ તર્કબધ્ધ અને મજબૂત દલીલો સાથે લખ્યું છે. જુદા જુદા સમયમાં જુદા જુદા ચાર્વાકવાદીઓ અથવા પરંપરાના વાહકો મળ્યા છે. ઋગ્વેદના સમયમાં ધિષણ, પરમેષ્ઠિન, અનિલ, મહિદાસ, ભૃગુ વગેરે, ઉપનિષદના સમયમાં ઉદ્દાલક આરુણિ, રૈકવ, યાજ્ઞવલ્ક્ય વગેરે, પૌરાણિક કાળમાં જાબાલિ, ભારદ્વાજ વગેરે, બૌધ્ધના સમયમાં પુરણકશ્યપ, સંજય વેલટ્કિપુત્ત, અજિત કેશકમ્બલ, મક્ખલિ ગોસાલ, પ્રકુદ્ધ કાત્યાયન, નિગંઠ નાતપુત્ત વગેરે, જૈનકાળમાં રાજા પએસિ, ઈન્દ્રભૂતિ, વાયુભૂતિ, સમ્ભિન્નમતિ, કમ્બલાશ્વતર વગેરે અને બુધ્ધોતર સમયમાં પુરંદર, કૌટિલ્ય, વાત્સ્યાયન વગેરેને ચાર્વાકવાદી ગણાવી શકાય. જોકે, આ બધા સંપૂર્ણપણે ચાર્વાકવાદી નથી એવું પણ કેટલાંક ગ્રંથો કહે છે. મોટાભાગના તમામ ઋષિઓ ચાર્વાકવાદના કેટલાંક સિધ્ધાંતોને માનતા હતા. જેમ કે, પ્રમાણ-પ્રત્યક્ષ પ્રમાણ મળે તો જ એ સત્ય છે. ઈશ્વરના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી માટે ચાર્વાકવાદીઓ એને નકારે છે. ચાર્વાક પુનર્જન્મમાં માનતા નથી અને સ્વર્ગ-નર્કનો વિચાર પણ એ નકારે છે. ચાર્વાક દર્શનનો એક શ્લોક કહે છે, ન સ્વર્ગો નાપવર્ગોવા નૈવાત્મા પારલૌકિકઃ

પહેલું સુખ તે...:શા માટે હેવી વેઇટ લિફ્ટિંગ કરવું જોઇએ? https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/why-do-heavy-weight-lifting-133291078.html મારા વર્કઆઉટ્સનું સ્તર વધારવા માટે અને પછી એનું વાસ્તવિક પરિણામો જોવા માટે તૈયાર છો? ઘણા એવું વિચારતા હોય છે કે હેવી વેઇટ લિફ્ટિંગ માત્ર બોડી બિલ્ડરો માટે છે. તમે એક અનુભવી ફિટનેસ ઉત્સાહી હો અથવા હમણાં જ શરૂઆત કરી રહ્યાં હો પણ દરેક વ્યક્તિને તેમની દિનચર્યામાં થોડું હેવી વેઇટ લિફ્ટિંગ કરે તો તેની ફિટનેસ એક્ટિવિટીને ફાયદો થઇ શકે છે. વળી, આ એક્ટિવિટી લાગે છે એટલી બોરિંગ નથી. શા માટે વેઇટ લિફ્ટિંગને આપવું જોઇએ વર્કઆઉટમાં સ્થાન? સ્ટ્રેન્થ વધારે : હેવી વેઇટ લિફ્ટિંગ સ્ટ્રેન્થ વધારે છે. આના કારણે ફર્નિચરને ખસેડવાનું તેમજ કરિયાણાને ઉચકીને લઇ જવાનું કામ તો સહેલું બને જ છે, પણ સાથે સાથે હાઇકિંગ ટ્રિ્પમાં પણ સારું પરિણામ મળી શકે છે. ચયાપચય સુધારે : સ્નાયુ પેશી એ કેલરી બર્નિંગ મશીન છે, ભલે તમે સક્રિય રીતે કામ કરતા ન હો તો પણ સ્નાયુઓ કેલરીનો વપરાશ કરે છે. શરીરમાં વધારે સ્નાયુઓ હશે તો તમે આખો દિવસ મનપસંદ શો જોતાં જોતાં બેસી રહેશો તો પણ તમારી કેલરીનો વપરાશ થશે. શરીર ટોન્ડ બનાવે : હેવી લિફ્ટિંગ માત્ર મજબૂત બનવા વિશે નથી; તે તમારા શરીરને આકાર આપવા વિશે પણ છે. વેઇટ લિફ્ટિંગ કરવાથી શરીરને યોગ્ય ઘાટ મળે છે. મજબૂત હાડકાં : જેમ જેમ વય વધે છે તેમ તેમ હાડકાંની ઘનતા કુદરતી રીતે ઘટતી જાય છે. પરંતુ વેઇટ લિફ્ટિંગ કરવાથી આ સમસ્યાનો સામનો કરવામાં મદદ મળી શકે છે. આ એક્ટિવિટી તમારા હાડકાંને મજબૂત બનાવે છે. આત્મવિશ્વાસમાં વધારો : જીવનમાં પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવાથી આત્મવિશ્વાસનો સંચાર થાય છે. તમે જિમમાં જે આત્મવિશ્વાસ મેળવો છો તે જીવનના તમામ ક્ષેત્રોમાં દેખાય છે. હેવી વેઇટ લિફ્ટિંગ માટે પ્રેક્ટિકલ ટિપ્સ તમારું ‘હેવી વેઇટ શોધો’ શોધો : દરેક વ્યક્તિ માટેનું આદર્શ ‘હેવી વેઇટ’ અલગ અલગ હોય છે. તમારું ધ્યેય એ વજન પસંદ કરવાનું છે કે જે તમને દરેક સેટના છેલ્લા કેટલાક પુનરાવર્તનોમાં પડકાર આપે. ફોર્મની જરૂરિયાત : મોટાભાગે ઇજા માટે સ્લોપી ફોર્મ જેવી પરિસ્થિતિ જવાબદાર હોય છે. વેઇટ લિફ્ટિંગની તમારી ટેકનિકને સંપૂર્ણ બનાવવા માટે શરૂઆતમાં હળવું વજન પસંદ કરો અને પછી એમાં ક્રમશ: વધારો કરો. અહીં વ્યક્તિગત ટ્રેનરની ટિપ પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. પ્રોગ્રેસિવ ઓવરલોડ : સમય જતાં ધીમે ધીમે વજન વધારવાની પ્રેક્ટિસ કરો. દર કે બે અઠવાડિયે નાના વધારા માટે લક્ષ્ય રાખો. આ રીતે તમે મજબૂત થશો. રેસ્ટ અને રિકવર : જ્યારે તમે જિમમાં હો ત્યારે નહીં પણ જ્યારે તમે આરામ કરો છો ત્યારે સ્નાયુઓનો વિકાસ થાય છે. ભારે લિફ્ટિંગ સે વચ્ચે તમારી જાતને ઓછામાં ઓછો એક આરામનો દિવસ આપો. ઊંઘ, પોષણ અને હાઇડ્રેશન સમાન રીતે મહત્ત્વપૂર્ણ છે. મિક્સ એક્સરસાઇઝ : માત્ર ભારે વજન ઉપાડશો નહીં; તમારા દિનચર્યામાં કાર્ડિયો, મોબિલિટી વર્ક અને હળવા વેઈટ લિફ્ટિંગનો પણ સમાવેશ કરો. આ યોગ્ય અભિગમ છે. તમારા શરીરને સાંભળો : પીડા એ લાભ નથી. જો શરીરમાં ક્યાંય દુખાવો થતો હોય તો એક્સરસાઇઝ રોકો અને ફરીથી મૂલ્યાંકન કરો. વ્યાયામમાં ફેરફાર કરવામાં અથવા મદદ માટે પૂછવામાં ડરશો નહીં.

આને પ્રેમ ન કહેવાય. એને શાંતિથી બેસીને સમજાવશો તો એ જરૂર સમજશે.

મીઠી મૂંઝવણ:પતિના મૃત્યુ પછી સાસરિયાં જોબ કરવાની ના પાડે છે... https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/mother-in-law-refuses-to-work-after-husbands-death-133291085.html મોહિની મહેતા પ્રશ્ન : મારાં લગ્ન થયાં તે પહેલાં જે યુવાનને હું પ્રેમ કરતી હતી, તે હવે મારા પતિની જ ઓફિસમાં જોબ કરે છે. મારા પતિનો એ મિત્ર બની ગયો છે અને ઘણી વાર મારા પતિ એને ઘરે પણ લઇને આવે છે. મને ડર લાગે છે કે એ અમારા પ્રેમસંબંધની વાત મારા પતિને કહી દેશે તો? મારે એ યુવાનને પતિથી દૂર કઇ રીતે કરવો? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમારા લગ્ન પહેલાં જે પ્રેમસંબંધ હતો, તેના પર તમારા અન્યત્ર લગ્ન થવાથી હવે પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. હવે એ યુવાન તમારા પતિની ઓફિસમાં કામ કરતો હોય અને તેમનો સારો મિત્ર બની ગયો હોય, તો એ યોગાનુયોગ છે. એમાં તમારા ભૂતકાળના પ્રેમીનો કોઇ દોષ ન ગણાય. તમને ડર એ વાતનો છે કે એ તમારાં બંનેના પ્રેમસંબંધ અંગે તમારા પતિને કહી દેશે, પણ જો એણે કહેવું જ હોત, તો એણે પહેલાં જ કહી દીધું હોત. તમારે ડરવાની જરૂર નથી. એ એક મિત્ર તરીકે ઘરે આવે છે, તમારા પ્રેમી તરીકે નહીં. જો તમે પતિને એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરશો, તો બિનજરૂરી ઘરમાં તણાવ ઊભો થશે. માટે જેમ ચાલે છે તેમ ચાલવા દો. પ્રશ્ન : મારો દીકરો અઢાર વર્ષનો છે. એ એની ઉંમર કરતાં ઘણો નાનો લાગે છે અને એને દાઢી-મૂંછ પણ આવ્યા નથી. એના મિત્રો ઘણી વાર એની મજાક ઉડાવે છે જેના કારણે એ હવે લઘુતાગ્રંથિ અનુભવવા લાગ્યો છે. એને કેવી રીતે સમજાવવો? એક પુરુષ (વડોદરા) ઉત્તર : તમારા દીકરો અઢાર વર્ષનો હોવા છતાં નાની ઉંમરનો લાગે છે, તેનું કારણ કદાચ તેના હોર્મોન્સ બરાબર સક્રિય ન થયા હોય એવું હોઇ શકે. એને દાઢી-મૂંછ નથી આવ્યા, તે પાછળ પણ આ જ કારણ જવાબદાર છે. હા, આ કારણસર એના મિત્રો એની મજાક ઉડાવે તે યોગ્ય નથી. તમે એના મિત્રોને સમજાવો અને તમારા દીકરાને પણ સમજાવો કે ઘણી વાર હોર્મોન્સ મોડા સક્રિય થાય તો આમ બની શકે છે. એથી એણે લઘુતાગ્રંથિ અનુભવવાની જરૂર નથી. જરૂર જણાય તો કોઇ સેક્સોલોજિસ્ટની સલાહ લો. પ્રશ્ન : હું જ્યાં જોબ કરું છું, ત્યાં એક સહકર્મીને ઓફિસની જ એક મહિલા કર્મચારી સાથે સંબંધ છે. એ પરિણીત છે તેમ જ એક પુત્રની માતા છે. આમ છતાં એની સાથે જે સહકર્મીને સંબંધ છે. તેનું કહેવું છે કે મને એ ગમે છે, એટલે હું એની સાથે સંબંધ રાખીશ. એના પરિવારજનો પણ એના આવા વર્તનથી ચિંતિત છે. એને કઇ રીતે સમજાવવો? એક પુરુષ (સુરત) ઉત્તર : તમારો સહકર્મી જે પરિણીત મહિલા કર્મચારી સાથે સંબંધ રાખે છે, તેને વિજાતીય આકર્ષણ જ કહી શકાય. એ મહિલા કર્મચારી પરિણીત અને એક સંતાનની માતા હોવા છતાં જો એ સંબંધ રાખતો હોય, તો બનવાજોગ છે કે એનો બીજો કોઇ ઇરાદો પણ હોય. વળી, તમારા સહકર્મીએ જ એની સાથે સંબંધ રાખ્યો હોય એવું માની લેવાની જરૂર નથી, મહિલા સહકર્મીની પણ એની સાથે સંબંધ રાખવા ઇચ્છતી હોય. એ સહકર્મીના પરિવારજનોને આ વાતની જાણ છે અને તેઓ ચિંતિત છે પરંતુ એને નિયંત્રિત નથી કરી શકતા. આના પરથી તમે સમજી શકો છો કે બંને પોતપોતાની રીતે એકબીજા સાથે સંબંધ રાખવા માગે છે. તમારે કોઇએ આ બાબતે પરેશાન થવાની જરૂર નથી. પ્રશ્ન : મારા પતિનું છ મહિના પહેલાં અવસાન થયું છે. એ જ્યાં જોબ કરતા હતા, એ જોબની ઓફર મને મળે છે, પણ મારાં સાસુ-સસરા મને જોબ કરવાની ના કહે છે. તેમની દલીલ એવી છે કે દીકરો ગુમાવ્યા પછી મારી કમાણી પર જીવવાનું એમને નહીં ગમે. મારે એમને કઇ રીતે મનાવવા? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તમારા પતિના સ્થાને જો તમને જોબ મળી રહી હોય, તો ચોક્કસપણે તમારે એ સ્વીકારી લેવી જોઇએ અને સાસુ-સસરાને પણ સમજાવવાં જોઇએ કે પુત્રના સ્થાને પુત્રવધૂને કમાવાની તક મળે છે એ જતી કરવા જેવી નથી. અત્યારે લોકોને જોબ મેળવવા કેટલો સંઘર્ષ કરવો પડે છે. તમારા સાસુ-સસરાને સમજાવો કે ભલે એમનો દીકરો નથી રહ્યો, પણ હવે તેમની જવાબદારી તમારી છે અને તમે એ નહીં ઇચ્છો કે તમારાં સાસુ-સસરા પરેશાન થાય કે તેમને પોતાના દીકરાની ખોટ સાલે. આ વાત તમે સમજાવશો તો તેઓ ચોક્કસ માની જશે. જરૂર લાગે તો કોઇ વડીલને આમાં મધ્યસ્થી તરીકે રાખી શકો છો. પ્રશ્ન : હું કોલેજમાં પ્રાધ્યાપક છું. મારા ક્લાસમાં એક યુવતી ખૂબ હોશિયાર છે. એણે એક વાર મારી સમક્ષ એની લાગણી વ્યક્ત કરી હતી. એનું કહેવું હતું કે એ મને ખૂબ પ્રેમ કરે છે. મને એની આવી વાત અયોગ્ય લાગે છે. એને શું કહું? એક પુરુષ (પોરબંદર) ઉત્તર : તમે એ યુવતીને સમજાવો કે તમે એના ગુરુ છો અને એ તમારી શિષ્યા છે. આપણે ત્યાં ગુરુ-શિષ્યની પરંપરા સાવ અલગ છે. ગુરુ પ્રત્યે પ્રેમ હોય, પણ એ સન્માન ધરાવતો પ્રેમ હોય. આ રીતે પ્રેમ કરવો એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે, જે ખરેખર યોગ્ય નથી. તમારે એક શિક્ષકની સાથોસાથ મિત્ર બનીને એ યુવતીને સમજાવવાની જરૂર છે કે એ જેને પ્રેમ માને છે, તે માત્ર વિજાતીય આકર્ષણ છે.

મૂડ એન્ડ માઇન્ડ:સંબંધોની સાપસીડી https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/relationship-ladder-133291118.html ડો. સ્પંદન ઠાકર દિતિની રિલેશનશિપ આ વખતે 4-5 મહિના ચાલી.કદાચ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી લાંબી રિલેશનશિપ હતી. આ બ્રેકઅપ વખતે તેના બોયફ્રેન્ડ એ કીધું હતું કે આટલી બધી ડિમાન્ડ કોઈ સહન નહિ કરી શકે. એક વ્યક્તિ પોતાની બધી એનર્જી તને આપી દે તો પણ તને ઓછું પડે છે. આ શબ્દો અદિતીના મનમાં ઘુમરાઈ રહ્યા હતા. તેને ખબર પડી રહી ન હતી કે તે ક્યાં ખોટી હતી.એવું તો શું કર્યું જે સામેવાળા માટે અસહ્ય બની ગયું. અદિતીએ એકવાર બેસીને ખૂબ જ ઊંડું મનોમંથન કર્યું. આ પહેલીવાર ન હતું કે રિલેશન્સ તૂટ્યા હોય. દર વખતે રિલેશનશિપ ચાલુ થાય ત્યારે તો બધું બરાબર રહે પણ ધીમે ધીમે અદિતી ક્યારે વધુ પઝેસિવ બની જાય તેને પોતાને જ ખબર ના પડે. રોજ મળવાનું, ફોન ઉપર વાત કરવાની, એને મૂકીને ક્યાંય જવાનું નહીં, પાર્ટનરની દરેક ક્ષણની ખબર રાખવાનું આ બધા તેની રિલેશન્સના કાયદા બની જાય. જરાપણ એવો સમય આવે જયારે પાર્ટનર તેને ટાઈમ આપી શકે નહીં તો સીધું તેનું ઈમોશનલ બ્રેકડાઉન થઇ જાય. સતત અકળાવાનું, રડવાનું, વસ્તુઓ ફેંકવાનું ચાલુ થઇ જાય. આ સમયે તેને મનાવતા નાકે દમ આવી જાય. દરેક વખતે અદિતીને રિલેશનશિપમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈએ. છેલ્લે બોયફ્રેન્ડ કંટાળી જાય અને મોટો ઝગડો થાય અને બ્રેકઅપની વાત ઉપર આવી જાય ત્યારે અદિતી એકદમ બદલાઈ જાય. તે બધી વાત માનવા લાગે, શાંત થઇ જાય, કોઈ ડિમાન્ડ ના કરે અને સ્પેસ પણ આપે, પણ માંડ એક અઠવાડિયા માટે. પાછું એનું એ જ. આ સ્વભાવ અદિતીનો બધા જોડે ન હતો. માત્ર અને માત્ર ક્લોસ રિલેશનશિપમાં જ આ લક્ષણો આવે. અદિતીને સેપરેશન એંગ્ઝાઇટી હતી. બચપણમાં થયેલા અમુક ટ્રોમા તેના મન ઉપર ઊંડી છાપ છોડી ગયા હતા. એકલી પડી જઈશ એવો દર સતત મનમાં રહેતો હતો. કોઈ ઉપર તેને વધારે ટ્રસ્ટ બેસતો ન હતો. પોતાની સેલ્ફ એસ્ટીમ પણ ઘણી ઓછી હતી અને બધા મને મૂકીને ચાલ્યા જશે એ ડર તેના મનમાં હંમેશાં રહેતો. અદિતી સભાન અવસ્થામાં બધું મેનેજ કરી લે પણ જયારે કોઈ વ્યક્તિ તેને થોડી વધુ કેર અને હૂંફ આપે ત્યારે તેના સુષુપ્ત અવસ્થામાં રહેલો આ ભય તેને વધુ પઝેસિવ બનાવી જતો. આ રિએક્શન તેના ડરના લીધે આવતું તે કોઈને સમજાય તેવું ન હતું. રિલેશનશીપની શરૂઆતમાં અદિતી કંઈક અલગ હોય અને થોડા વખત પછી બદલાઈ જાય. આવા ઘણાબધા અનુભવો બાદ અદિતીએ કાઉન્સેલિંગ થેરાપી લેવાનું નક્કી કર્યું. યોગ્ય નિદાન અને બિહેવિયર મોડિફિકેશન ટેક્નિક દ્વારા કોઈપણ વ્યક્તિના મનમાં ચાલતા ભયને ધીમે ધીમે દૂર કરી શકાય છે. આ થેરાપી વ્યક્તિની સ્વભાવગત લાક્ષણિકતા ને યોગ્ય દિશામાં વાળવામાં મદદ કરે છે. મૂડ મંત્ર : બ્રેકઅપ થયા બાદ તરત નવા સંબંધમાં જોડાવા કરતા થોડો સમય લઈને જયારે સ્ટેબિલિટી અનુભવાય તો જ નવા રિલેશન તરફ કદમ ઉઠવા જોઈએ.

ઉત્તર : પોતાને સ્વસ્થ રાખવા માટે લોકો સવાર કે સાંજના સમયે ચાલવાનું પસંદ કરે છે. આ એક એવી કસરત છે જે તમારા શરીરને માત્ર લાભ આપે છે. હાલના દિવસોમાં લોકોમાં રિવર્સ વોકિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે. એક્સપર્ટના મત પ્રમાણે રિવર્સ વોકિંગથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આ બિનપરંપરાગત કસરત તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર હકારાત્મક અસર કરે છે. રિવર્સ વોકિંગમાં, ફોરવર્ડ વોકિંગની સરખામણીમાં વિવિધ સ્નાયુ જૂથો સક્રિય થાય છે. તે કાફ મસલ્સ, કવોડ્સ અને હેમસ્ટ્રિંગ્સ પર દબાણ લાવે છે, જે વર્કઆઉટને સંતુલિત કરે છે અને ત્યાંથી શરીરના સ્નાયુઓને ટોન અને મજબૂત બનાવે છે. આ કસરત એથ્લેટ્સ અને ફિટનેસ ફ્રીક્સ માટે અત્યંત ફાયદાકારક છે. વધુમાં, રિવર્સ વોકિંગ સંતુલન અને સંકલન સુધારે છે. પાછળની તરફ ચાલતી વખતે એકાગ્રતા અને જાગૃતિ રાખવી પડે છે. આ એકાગ્રતા પડવાનો ડર ઘટાડે છે, જે લોકોને માનસિક રીતે ખૂબ જ મજબૂત બનાવે છે. અભ્યાસ મુજબ, આગળ ચાલવા કરતાં પાછળ ચાલવાથી હૃદયના ધબકારા વધુ વધે છે. આ કસરત હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને ઝડપથી કેલરી બર્ન કરીને વજનને પણ નિયંત્રિત કરે છે.

ઉત્તર : સેલ્યુલાઇટ એટલે શરીરમાં સંગ્રહાયેલી અનિચ્છનીય ચરબી. હાથના ઉપરના ભાગમાં, નિતંબમાં કે કમર જેવા વિવિધ ભાગમાં જમા થયેલા ચરબીના કોષોને સેલ્યુલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યા મોટાભાગે તાણભરી જીવનશૈલી વિતાવતા કે બેઠાડું લોકોમાં જોવા મળે છે. સેલ્યુલાઇટ એક એવી સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જ જોવા મળે છે. આ સમસ્યા જાંઘની નીચે અને પેટ પર થાય છે. સેલ્યુલાઇટ સ્કિનની અંદર ફેટનું એક લેયર બનાવી દે છે જેનાથી સ્કિન સોજેલી દેખાય છે. સેલ્યુલાઇટનું મુખ્ય કારણ હોર્મોનલ ચેન્જિસ અને ખાનપાનની ખોટી રીત હોય છે. આ સિવાય સ્ટ્રેસ, મેદસ્વિતા અને અનેક બાયોટાઇપ બીમારી પણ આ સમસ્યા ઉત્પન્ન કરે છે. સેલ્યુલાઇટ ત્વચાની નીચે જામતી ચરબીને કારણે થાય છે. આ માટે નિયમિત કસરત એ સૌથી અસરકારક ઉપાય છે. શરીરને ચુસ્ત બનાવવા માટે તમારી ફિટનેસ એક્ટિવિટીમાં સ્ટ્રેચિંગનો સમાવેશ કરો. બ્યુટી પાર્લરમાં સેલ્યુલાઇટ માટે આપવામાં આવતી ટ્રીટમેન્ટમાં સ્લિમિંગ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. અસરગ્રસ્ત વિસ્તાર પર તેલ લગાવવામાં આવે છે અને નીચેથી ઉપર સુધી માલિશ કરવામાં આવે છે. આ માટે આપવામાં આવતા મસાજ સ્ટ્રોક પણ સ્ટ્રોન્ગ હોય છે. ત્વચા પર બોડી બ્રશ અથવા ડ્રાય બ્રશનો ઉપયોગ કરવાથી પણ સેલ્યુલાઇટની અસર ઘટાડી શકાય છે કારણ કે આના ઉપયોગથી રક્ત પરિભ્રમણ વધે છે. સારા પરિણામો મેળવવા માટે અઠવાડિયામાં એક વાર તો ડ્રાય બ્રશનો ઉપયોગ કરવો જ જોઇએ. જોકે ધ્યાનમાં રાખો કે એક જગ્યાએ વધુ પડતા સ્ટ્રોક લગાવવાથી સ્નાયુઓને નુકસાન થાય છે અને ત્વચા શુષ્ક થઈ શકે છે. જો સમસ્યા ઓછી હોય તો ઘરે આ પ્રકારના તેલથી યોગ્ય રીતે માલિશ કરવાથી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. જો સમસ્યા ગંભીર હોય તો સારવાર લેવી પડે છે. પ્રશ્ન : હું 28 વર્ષની મહિલા છું. મેં 15 દિવસ પહેલાં જ બાળકીને જન્મ આપ્યો છે. મારી દીકરીના જન્મ પછી પણ મારા પેટનો ભાગ બહુ વધી ગયો છે. મને મારી ફ્રેન્ડે કહ્યું છે કે બેલી બાઈન્ડિંગ કરવાથી ફાયદો થશે. શું આ વાત સાચી છે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે. ડિલિવરી નોર્મલ થઇ હોય કે સિઝેરિયન, બેલી બાઈન્ડિંગથી માતાના પેટને સપોર્ટ મળે છે એ વાત સાચી છે પણ એનો ઉપયોગ શરૂ કરતા પહેલાં એક વખત તમારા ડોક્ટરની સલાહ લઇ લેવી જરૂરી છે. પ્રેગ્નન્સી પછી ઘણી વખત યુરિન લીકેજની તકલીફ વધી જાય છે. પોસ્ટપાર્ટમ બેલી બાઈન્ડિંગ કરવાથી પેલ્વિક ફ્લોરના મસલ્સ પર લોડ પડે છે અને ફરીથી તે તેની પોઝિશન લઇ લે છે. આનાથી યુરિન લીકેજની તકલીફ દૂર થઇ જાય છે. બેલી બાઇન્ડિંગને કારણે પેટ અંદરની તરફ દબાય છે અને શરીર તેના જૂના શેપમાં આવી જાય છે. જોકે બેલી બાઇન્ડિંગ કરવામાં થોડું ધ્યાન રાખવું અને પેટ અંદર જાય તેના ચક્કરમાં બહુ ટાઈટ રેપ ના કરો. આ બાંધતાં દુખતું હોય તો બેલી રેપ ના કરવું જોઈએ. ડોક્ટરની સલાહ પછી જ બેલી બાઈન્ડિંગ ટ્રાય કરવું. પ્રશ્ન : હું 31 વર્ષની મહિલા છું અને સગર્ભા છું. મારી ડોક્ટરે મને પહેલાંથી જ કહી દીધું છે કે મારી સિઝેરિયન ડિલિવરી જ કરવી પડશે. થોડા સમય પહેલાં જ મારી ફ્રેન્ડની પણ સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી પણ એના ટાંકા પાકી જતા તે બહુ હેરાન થઇ હતી. મારી સાથે આવું ન થાય એ માટે મારે શું ધ્યાન રાખવું? એક મહિલા (મહેસાણા) ઉત્તર : સિઝેરિયન ડિલિવરી સૌથી મોટી સર્જરીઓમાંથી એક ગણાય છે. તેમાં પેટ ઉપર એક ડીપ કટ લગાવવામાં આવે છે, ત્યારબાદ માતાના ગર્ભની અંદરથી શિશુને બહાર લાવવામાં આવે છે. સિઝેરિયન ડિલિવરી બાદ ટાંકાનો ખ્યાલ રાખવો જોઇએ, નહીં તો મોટી પરેશાની આવી શકે છે. જો ઓપરેશન બાદ ટાંકા બાદ યોગ્ય કૅર ના કરવામાં આવે તો તેમાં ઇન્ફેક્શન થઇ શકે છે, ત્યારબાદ રિકવરીમાં સમય લાગે છે. આવું ન થાય એ માટે ડોક્ટરની સલાહનું સારી રીતે પાલન કરો. જો બેન્ડેજની સાથે જ ઘરે જઇ રહ્યા હોવ તો દિવસમાં એકવાર ડ્રેસિંગ ચોક્કસથી કરો. ડોક્ટર તમને જણાવશે કે ક્યાં સુધી તમારાં ઘાને ઢાંકીને રાખવાના છે. ઘાવાળી જગ્યાને માઇલ્ડ સાબુ અથવા પાણીથી સાફ કરવાનો આગ્રહ રાખો. સિઝેરિયન બાદ મૂવમેન્ટ જરૂરી છે, પરંતુ તેની સાથે પુરતો આરામ પણ કરવો જોઇએ. શિશુની સાથે તમે પણ પૂરતી નીંદર થાય એ વાતનું ધ્યાન રાખો. ઓપરેશન બાદ શરૂઆતના અમુક અઠવાડિયામાં ભારે સામાન ના ઉઠાવો. ડોક્ટરની સલાહ પર દર્દ નિવારક દવાઓ પણ લઇ શકો છો. જો તમે ડોક્ટરની સલાહનું યોગ્ય રીતે પાલન કરશો તો આવી સમસ્યા નહીં થાય. ઘણી મહિલાઓની સિઝેરિયન ડિલિવરી થતી હોય છે પણ દરેક મહિલાને આવી સમસ્યા નથી થતી એટલે ડરવાની જરૂર નથી. પ્રશ્ન : હું 26 વર્ષની યુવતી છું. હું એક ફિટનેસ ગ્રુપની મેમ્બર છું. હાલમાં અમને ટ્રેનિંગ આપવા આવનાર એક એક્સપર્ટે જણાવ્યું કે રિવર્સ વોક કરવાથી બહુ ફાયદો થાય છે. શું આ વાત સાચી છે? એક યુવતી (સુરત)

પેરેન્ટિંગ:ટાઇમ આઉટ ટેક્નિક : બાળકને શિસ્તમાં રાખવાનો નવતર પ્રયાસ https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/time-out-technique-an-innovative-attempt-to-discipline-a-child-133291133.html હેલાના પેરેન્ટિંગ અને આજના પેરેન્ટિંગ વચ્ચે દુનિયાનો તફાવત છે. પહેલાના સમયમાં જ્યારે માતા-પિતા તેમના બાળકોને કોઈપણ ભૂલ માટે બેધડક ઠપકો આપતા હતા ત્યારે આજકાલ માતાપિતા તેમના બાળકો સાથે મોટેથી બોલતા પહેલા બે વાર વિચારે છે. આ પરિવર્તનનું કારણ બાળકોનું માનસિક સંતુલન છે. આજકાલ નાના બાળકો પણ નાની નાની બાબતોમાં તણાવમાં આવી જાય છે, આવી સ્થિતિમાં માતા-પિતા તેમના બાળકોને મોટા અવાજમાં ઠપકો આપવાનું કે તેમના પર હાથ ઉપાડવાનું ટાળે છે. જ હાલમાં પેરેન્ટિંગ ખરેખર એક પડકારજનક કાર્ય બની ગયું છે ત્યારે કેટલાક વાલીઓ તેમના બાળકોને ઠપકો આપવાને બદલે તેમને સુધારવા માટે નવી ટેકનિકનો ઉપયોગ કરવા લાગ્યા છે કારણ કે તેઓ સમજી ગયા છે કે થોડા સમય પછી ઠપકો કે મારવાની બાળકો પર કોઈ અસર થતી નથી. આવી સ્થિતિમાં વાલીઓએ ‘ટાઈમ આઉટ ટેક્નિક’ અપનાવવાનું શરૂ કર્યું છે. ટાઈમ આઉટ ટેક્નિક શું છે? ટાઈમ આઉટ ટેક્નિક એ પેરેન્ટિંગની એક અનોખી પદ્ધતિ છે જેમાં બાળકને તેની ભૂલો માટે ઠપકો આપવામાં આવતો નથી પરંતુ તેને થોડા સમય માટે રૂમમાં એકલું છોડી દેવામાં આવે છે. આ સમય દરમિયાન પરિવારનો કોઈ સભ્ય તેની સાથે વાત પણ કરતો નથી. અહીં તેની પાસે ન તો વાત કરવા માટે કોઈ છે અને ન તો રમવાની કોઈ સુવિધા. આ સ્થિતિમાં, બાળક પોતાને બીજા બધાથી અલગ કરી શકે છે અને વિચારે છે કે કદાચ તેને આ ભૂલને કારણે આ સજા મળી છે. આમ કરવાથી તે ફરીથી તે ભૂલ કરવાનું ટાળે છે. એટલું જ નહીં, આ સાથે તે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પણ સરળતાથી સમજી લે છે. શાંત મન અને હૃદયથી તે પોતાના માટે વધુ સારું વિચારવા સક્ષમ બને છે. બાળકો માટે ફાયદાકારક ટાઈમ આઉટ ટેક્નિક બાળકને માનસિક રીતે મજબૂત બનાવે છે, જે તેમની વધતી ઉંમરમાં તેમના માટે ખૂબ જ મદદરૂપ છે. ઠપકો આપવો અથવા મારવાથી બાળક ગુસ્સે અથવા હિંસક બની શકે છે પણ ટાઈમ આઉટ ટેક્નિકની મદદથી તમારું બાળક તેની ભૂલ સરળતાથી સમજી જશે અને તેનો ગુસ્સો સ્વભાવ ધીમે ધીમે નરમ થતો જશે. ટાઈમ આઉટ ટેક્નિકની મદદથી બાળકો તેમના માતાપિતાની આજ્ઞાનું સરળતાથી પાલન કરવાનું શરૂ કરે છે અને વધુ આગ્રહ કરતા નથી. આ સાથે બાળકના વર્તનમાં પણ સકારાત્મક ફેરફારો જોવા મળે છે. ટાઈમ આઉટ ટેક્નિક બાળકોને સ્વ-નિરીક્ષણ કરવાની તક આપે છે અને તેઓ તેમના માતા-પિતાની વાત ધ્યાનથી સાંભળે છે. બાળક જ્યારે ‘ટાઇમ આઉટ’માંથી પસાર થઇ રહ્યું હોય જ્યારે તમારું બાળક ‘ટાઇમ આઉટ’ના તબક્કામાંથી પસાર થઇ રહ્યું હોય ત્યારે તમે સામાન્ય રીતે જે પ્રવૃત્તિ કરી રહ્યા હો એ જ કરવાનો પ્રયાસ કરો. જોકે આની સાથે તમારું બાળક કંઈપણ જોખમી કામ તો નથી કરી રહ્યું ને એ જાણી શકો એ માટે પૂરતા નજીક રહો. તમારા બાળક ‘ટાઇમ આઉટ’ની પ્રક્રિયામાંથીપસાર થઇ હોય ત્યારે તમારે કે પરિવારમાંથી કોઇએ તેના તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. આ સમય દરમિયાન તમારા બાળકને જોશો નહીં, તમારા બાળક સાથે વાત કરશો નહીં અને તમારા બાળકને સ્પર્શ કરશો નહીં. એ વાતનું ધ્યાન રાખો કે ‘ટાઇમ આઉટ’ દરમિયાન બાળકના ભાઈઓ અને બહેનો પણ તેનાથી દૂર રહે.

એક્સેસરીઝ:કઇ રીતે પસંદ કરશો પરફેક્ટ રેઇનકોટ? https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/how-to-choose-the-perfect-raincoat-133291311.html રસાદની સિઝનમાં ભીંજાવાની મજા ખાસ હોય છે. જોકે દરેક વખતે ભીંજાવાનું શક્ય નથી હોતું આ સંજોગોમાં ચોમાસામાં સાથે રેઇનકોટ રાખવાથી બહુ ફાયદો થાય છે. જોકે આ રેઇનકોટની ખરીદી વખતે કેટલીક પાયાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કારણ કે જો યોગ્ય ફીટિંગનો રેઇનકોટ ખરીદવામાં ન આવે તો વરસાદમાં ભીનું થઇ જવાય છે અને એ બિલકુલ સારો નથી લાગતો. જે રીતે આઉટફિટ યોગ્ય ફીટિંગનું હોય એ જરૂરી છે એવી જ રીતે રેઇનકોટ પણ યોગ્ય સાઇઝનો જ લેવો જોઇએ. સ્લીવ્ઝ : રેઇનકોટની સ્લીવ્ઝનું ફીટિંગ ચેક કરવા માટે એને પહેરીને હાથ ઊંચા કરીને જુઓ. જો એ ટાઇટ પડી રહી રહી હોય તો આ રેઇનકોટ ન ખરીદો. આવો અયોગ્ય ફીટિંગવાળો રેઇનકોટ બિલકુલ કમ્ફર્ટેબલ નહીં લાગે. લંબાઇ : રેઇનકોટની લંબાઇ બહુ મહત્ત્વની હોય છે. રેઇનકોટની લંબાઇ ઘૂંટણથી થોડી નીચે સુધીની તો હોવી જ જોઇએ. જોકે એ એટલો લાંબો પણ ન હોવો જોઇએ જેથી એનો નીચેનો હિસ્સો કાદવથી ખરડાઇ જાય. કોલર : રેઇનકોટનો કોલર શર્ટ કે પછી ટી-શર્ટ જેવો ન હોવો જોઇએ. જો તમને વરસાદ સામે સંપૂર્ણ પ્રોટેક્શન જોઇતું હોય તો હાઇ નેક સ્ટાઇલવાળો રેઇનકોટ જ યોગ્ય વિકલ્પ છે. રેઇનકોટ કેપ : તમે વ્હીકલનો ઉપયોગ કરતા હો કે ન કરતા હો પણ ક્યારેય કેપ વગરનો રેઇનકોટ ન ખરીદો. ક્યારેક બહુ વરસાદ હોય ત્યારે રેઇનકોટ કેપ બહુ કામ લાગે છે. રેઇનકોટના યોગ્ય રંગની પસંદગી મોટાભાગે ફેશનિસ્ટાઓ ટ્રાન્સપરન્ટ રેઇનકોટ પહેરવાનું જ પસંદ કરતી હોય છે કારણ કે એમાં રેઇનકોટ પહેર્યા પછી પણ તેનો સ્ટાઇલિશ ડ્રેસ સારી રીતે દેખાઇ શકે છે. જો આમ છતાં રંગીન રેઇનકોટ જ પસંદ કરવો હોય તો બ્રાઇટ કે પછી નિયોન રંગની પસંદગી કરી શકાય. આવો રંગ દૂરથી પણ સરળતાથી જોઇ શકાય છે.

બ્યૂટી:વરસાદી મોસમ માટે બ્યૂટી મંત્ર... https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/beauty-mantra-for-rainy-season-133291319.html રસાદની સિઝન એટલે પ્રકૃત્તિની સુંદરતા માણવાની મોસમ. જોકે આ સમયગાળામાં યુવતીઓ માટે પોતાની સુંદરતાનું કામ જાળવવાનું થોડું મુશ્કેલ બની જાય છે કારણ કે વરસાદની ઋતુ આવતા જ ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે અને ઓપન પોર્સ, નિર્જીવ ત્વચા, તૈલી ત્વચા અને ખીલની સમસ્યા થવા લાગે છે. આ સિવાય આ સિઝનમાં વાળ થોડા ભીના રહે તે બીજી સમસ્યા બની જાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, ચોમાસા દરમિયાન ત્વચા અને વાળ સંબંધિત આ સમસ્યાઓને દૂર કરવા માટે અગાઉથી તૈયારી કરવી જરૂરી છે. જેથી ત્વચા અને વાળને કોઈ નુકસાન ન થાય. ડીપ ક્લિનિંગ જો તમે વરસાદમાં ભીના થાઓ છો, તો તમારા ચહેરા અને પગને સારી રીતે ધોઈ લો અને સાફ કરો. તેમને સ્વચ્છ અને સૂકા રાખવાનો પ્રયાસ કરો. તમારો ચહેરો ધોવા માટે માઇલ્ડ ફેશ વોસ પસંદ કરો જેથી તે તમારી ત્વચાને સાફ કરે, પરંતુ તમારા ચહેરા પર હાજર કુદરતી તેલને દૂર ન કરો કારણ કે આ તેલ તમારા ચહેરા પર સ્વસ્થ ગ્લો લાવે છે. એક્સફોલિયેશન વરસાદ દરમિયાન ત્વચા સ્વસ્થ રહે એ માટે અઠવાડિયામાં એકવાર એક્સ્ફોલિયેશન જરૂરી છે. ચોમાસામાં ચહેરાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ ઋતુમાં બેક્ટેરિયાના ગ્રોથ અને પોર્સ બ્લોકેજની સમસ્યા વધી જાય છે. અઠવાડિયામાં એકવાર ચહેરાને હળવા હાથે એક્સફોલિએટ કરવાથી ત્વચા પર હાજર મૃત કોષો દૂર થાય છે અને નવા કોષોનો વિકાસ પણ વધે છે. આ ઉપરાંત, તે રંગને પણ નિખારે છે. હોટ ઓઇલ મસાજ હળવા ભીના વાળ ખૂબ નાજુક હોય છે. આ સરળતાથી નુકસાન થઈ શકે છે અને ખેંચાઈ અને તૂટી શકે છે. આવી સ્થિતિમાં, ચોમાસામાં તમારા વાળને ટુવાલ વડે થપથપાવીને સુકાવો અને ભીના વાળને ક્યારેય ખેંચીને ન બાંધો. આ સિઝનમાં વાળને અંદરથી પોષણ આપવું અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે. આ માટે માથાની ચામડી અને વાળ પર હૂંફાળા તેલની માલિશ એટલે કે ગરમ તેલની માલિશ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

વુમનોલોજી:બેબી બમ્પ : બેશરમી નહીં, એક મોટો બદલાવ https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/baby-bump-not-a-shame-a-big-change-133291072.html પિકા મમ્મી બનવાની છે. કેવો મસ્ત ફોટો છે, એના પેટના ઉભારને સ્મિત સાથે સ્પર્શ કરતી તસ્વીર બહુ સરસ લાગે છે. પ્રતિક્ષણ અનેક સ્ત્રીઓ ગર્ભ ધારણ કરે છે અને અનેક બાળકોનો જન્મ થાય છે કારણકે એ કુદરતનો ક્રમ છે પરંતુ જયારે કોઈ પણ ક્ષેત્રની સેલિબ્રિટી મહિલા ગર્ભ ધારણ કરે અથવા બાળકને જન્મ આપે ત્યારે તે ચર્ચા અને સમાચારનું કારણ બને છે. રૂપ અને ફિગર માટે સતત સભાન રહેતા સેલિબ્રિટી સ્ત્રીઓ પોતાના ગર્ભાધાન સમયના ફોટા જાહેર માધ્યમમાં મૂકે એ સાહજિક ન હતું. માત્ર સિનેમાની અભિનેત્રીઓ જ નહીં આપણા સમાજમાં પણ સ્ત્રી જયારે ગર્ભવતી બને ત્યારે પરિવાર એની જાહેરાત ટાળે છે. જ્યારે ધીમે-ધીમે પેટનો ઉભાર દેખાવાનો શરૂ થાય છે ત્યારે સ્ત્રી એની તમામ શક્તિ તેને ઢાંકવામાં લગાડે છે. ગર્ભવતી મહિલાઓ માટે ખાસ એવાં કપડાં નક્કી થાય જેથી તેનો ગર્ભ ન દેખાય. આ એક સામાજિક માન્યતા પણ હતી કે જેનું એક કારણ માતા કે ગર્ભસ્થ શિશુને નજરથી બચાવવાનું હતું અને બીજું કારણ સ્ત્રીની શરમ હતું. હવે ચિત્ર બદલાયું. આપણે સોશિયલ મીડિયામાં ઘણી વખત પ્રેગનન્ટ સ્ત્રીના અદ્્ભુત ફોટો-શૂટ જોયા છે. બેબી શાવર એટલેકે સીમંતની વિધિના પણ વિશેષ ફોટા અને વિડીયો તૈયાર થાય છે. આ માત્ર સામાજિક પરિવર્તન નથી, પરંતુ સ્ત્રી સાથે જોડાયેલ મૂંઝવણ, શરમ અને સમાજની નજરમાં મોટો બદલાવ છે. હવે ગર્ભવતી સ્ત્રીઓ માટે વિશેષ રૂપે ડિઝાઇન કરેલા પોશાક પણ બને છે. આ તમામ વર્તનમાં માત્ર શોકેસિંગ નથી બલ્કે વર્ષોથી ચાલી આવતી સંકુચિત માનસિકતામાંથી મુક્તિ પણ છે. માતૃત્વ ધારણ કરવું અને નવજાત શિશુની સંભાળ રાખવી એ આ સૃષ્ટિની સૌથી અનુપમ અને ઉત્તમ ઘટના ગણાય છે પરંતુ ગ્લેમર વર્લ્ડ માટે સ્ત્રી માટે માતા બનવું પડકારજનક છે. અભિનેત્રી અને મોડેલ નેહા ધુપિયાના લગ્ન અને પ્રેગ્નન્સી જાહેર કરવામાં એને ક્ષોભ અનુભવાતો હતો. ઘણા સમય સુધી ગર્ભવતી હોવાનું છુપાવ્યા બાદ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મને કામ નહીં મળે એની ચિંતા હતી. લોકો તેને અનફિટ માનશે એ વિચારે છ મહિના સુધી ગર્ભનો ઉભાર ના દેખાયો તેનાથી તે ખુશ હતી કારણકે બોલિવુડની એ વિચારધારા હતી. હવે એમાં પણ બદલાવ આવ્યો. આલિયા કે દીપિકાની તસવીરો જોઈને એમના દર્શકો અને ભાવકો ખુશ થાય છે. એ માતા બનશે એટલે "હિરોઈન’ના માપદંડ પુરા નહીં થઇ શકે એવી વિચારધારામાં પણ બદલાવ આવ્યો છે માતૃત્વની સુંદરતાને શરીરની સુંદરતા કરતા વધુ સન્માન મળ્યું. માતૃત્વની ગરિમાને શરમ અને સંકોચમાંથી બહાર નીકળીને હવે સ્વાસ્થ્ય અને સજ્જતાનાં સરનામાં મળ્યાં. બેબી બમ્પ દેખાય તો એને અન્ય કોઇ પણ નજરે જોવાને બદલે માત્ર સ્વીકૃતિ, સંભાળ અને સન્માન સાથે જોવું જોઈએ.

હવે આ રોજનો ક્રમ હતો કે સવારે વહેલાં જાગીને નાથુ અને કાશી દરિયાપટ્ટી પર જઈ વ્યાયામ કરે બે કલાક. ત્યાં સુધીમાં રૂખી ટિફિન અને નાસ્તાનો ડબ્બો તૈયાર કરે. આવીને નાથુ તૈયાર થઈ ટિફિન લઈ ફેક્ટરીએ જાય ને ત્યાં કામની વચ્ચે ટાઇમ મળે કે ડ્રિલ્સનો અભ્યાસ કરે. આજની આધુનિક ક્રિકેટની રમત કેમ રમાય અને એની ટેક્નિક શી છે? કાશી નાસ્તાનો ડબ્બો લઈ નિશાળે જાય, નિશાળથી આવી થોડું ઘરકામ કરે, નિશાળનું ઘરકામ હોય તે કરે. રૂખી પોતાનું ઘરકામ કરે ને ગંગા આખો દિવસ જુદી જુદી પ્રવૃત્તિમાં પોતાની ધૂનમાં રહે. સાંજે ક્રિકેટ પ્રેક્ટિસમાં જોડાઈ જાય. સાંજ પડે ને નાથુ ઘરે આવે, હાથ-પગ ધોઈ કાશીને પોતે આખો દિવસ જે ડ્રિલ્સ જોઈ-સમજી હોય એ બધી જ પ્રેક્ટિસ કરાવે. આવું રોજ ચાલતું. પ્રેક્ટિસની મજા એ હતી કે દરેક ડ્રિલ રોજ કરવાની અને નવી ડ્રિલ્સ રોજ એડ થતી, રોજ સાંજે પણ બે કલાક પ્રેક્ટિસ કર્યા પછી ચારેય સાથે બેસીને જમે ને થાકીને બધાં તરત પથારીમાં પડે એવાં ઊંઘી જાય. સવારે જાગવામાં પણ તકલીફ પડતી. આમ, ખૂબ મહેનતથી કાશીને તૈયાર કરવામાં આવતી. આવું સતત બે મહિના ચાલ્યું અને જુદી જુદી ડ્રિલ્સથી કાશી પરફેક્ટ પ્લેયર બનવાની શરૂઆત થઈ ગઈ. અત્યાર સુધી કાશીને જે આવડતું એ ગલી ક્રિકેટમાં અવ્વલ હતી. હવે એ પ્રોફેશનલ ક્રિકેટ માટે પણ અવ્વલ આવે એવી તૈયાર થઈ રહી હતી, કારણ કે નાથુ પોતે એક સારો ક્રિકેટર રહી ચૂક્યો છે ને એમાં પણ બેસ્ટ બોલર માટે નાથુ પોતે જ રસ લઈ તૈયાર કરતો એટલે કાશી સરસ પ્લેયર બનશે જ એમાં બે મત નથી. રોજની ડ્રિલ્સ.. નાથુ ડ્રિલ્સમાં સૌપ્રથમ ડ્રાઇવ પચાસ વખત કરાવે. તેમાં ખભા અને ગળાની વચ્ચે બોલ મૂકી કાશી કિટ પહેરી સ્ટમ્પ પાસે ઊભી રહી, જાતે જ એ બોલ છોડે એટલે એના પગ પાસે પડે ને પછી ડ્રાઈવ મારે. સામે ગંગા હોય. બોલ એની પાસે પહોંચે ને એ પાછો આપે નાથુને. નાથુ ફરી કાશીના ખભા અને ગળાની વચ્ચે બોલ મૂકી આપે. કાશી બોલની પકડ છોડે, બોલ પગ પાસે પડે ને કાશી ડ્રાઇવ મારે.. આમ, સતત પચાસ વખત કરવામાં આવે. હવે બીજી ડ્રિલ. કાશી કિટ પહેરી પ્લેયર ઊભા રહે તે જ જગ્યા ઢીંચડા પર બેસી જાય. નાથુ બોલ નાખે ને કાશીએ ઓફ-ડ્રાઇવ મારવાની. જો ચૂકી જાય તો સ્ટમ્પની પાછળ વિકેટ-કીપર ગંગા છે જ. એ બોલ પકડીને નાથુને પાછો આપે. આ ડ્રિલ્સ પણ પચાસ વાર કરવાની. ત્યાર બાદ ત્રીજી ડ્રિલ્સ. એમાં પણ કાશી પોતાની જગ્યાએ કિટ સાથે ઊભી રહે. નાથુ અડધી પીચ પર ઊભો રહે. ગંગા વિકેટ-કીપર બંને ગ્લવ્ઝ સાથે ને નાથુ ડાયરેક્ટ બોલ કાશીના ખભા કે મોં પાસે થ્રો કરે. કાશીએ આ બોલ પર ચાંપતી નજર રાખીને પુલ શોટ મારવાનો. જો બોલ ચૂકે તો મોં પર આવે. હેલ્મેટ હોવાથી વાગવાના ચાન્સ ન રહે, પણ નજર તો ચાંપતી રાખવી જ પડે. આ પણ પચાસ વખત કરવાનું. પછી કાશી પોતાની જગ્યા પર ઊભી રહે. ગંગા વિકેટ-કીપર, નાથુ અડધી પીચ પર રહે ને ફૂલટોસ બોલ ઓફમાં આવે અને હવે કાશી પોઇન્ટ અને ગલીની વચ્ચેથી શોટ મારે ને પાવરશોટ મારે. ગ્રાઉન્ડ પર આ ગેપ હોય માટે જો આ શોટ વાગે તો ચાર રન જાય. આ પણ પચાસ વખત કરવાનું. ત્યાર બાદ નાથુ પોતાની ઓરિજિનલ સ્ટાઇલમાં મેચમાં બોલિંગ કરતો, એવી બોલિંગ કરે ને કાશીએ નોક્સ કરવાનું દરેક બોલે. આવા પચાલ બોલ રમવાના. આમ, નાથુ રોજ આટલી ડ્રિલ્સ કમ્પલ્સરી કરાવતો ને વધુ ને વધુ ડ્રિલ્સ કરાવી કાશીને ખૂબ મહેનત કરાવતો. (ક્રમશ:)

https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/kashi-chapter-limit-of-10-villages-133291178.html રાકેશ પૂજારા નાથુએ હવે ઓફિસમાં એના મિત્રોને કહેવાનું હતું કે તેઓ પોતાનો ફોન વાપરવા આપે. થોડા ખચકાટ પછી નાથુ પોતાનો એક મિત્ર ઋતુલભાઈ, જે વર્ષોથી એની સાથે કામ કરતો હતો એને આખી વાતની જાણ કરે છે અને નાથુ રૂતુલભાઈને યૂ-ટ્યૂબ વાપરવા માટે સમજાવી દે છે. રૂતુલભાઈ પણ ‘નાથુ એની દીકરી માટે આટલું બધું કરે છે તો નાથુની દીકરી માટે થોડીક મહેનત કરવા હું કેવી રીતે ના પાડી શકું?’ એમ વિચારી યૂ-ટ્યૂબ ખોલી નાથુને આજની ટેક્નિકવાળી ક્રિકેટ ડ્રિલ્સ બતાવે છે. કેટલીક ડ્રિલ્સ તો એવી હતી, જે જોઈ નાથુ પણ અવાક થઈ ગયો. એ પોતે ક્રિકેટ જાણતો હોવા છતાં ક્રિકેટના ટેક્નિકલ બદલાવને સમજી રહ્યો હતો, જાણી રહ્યો હતો અને કાશી પાસે આ ડ્રિલ કેવી રીતે કરાવવી એ વિચારી રહ્યો હતો. આમ, નાથુએ કાશીને ક્રિકેટ શીખવવા પોતે ઘણો અભ્યાસ કરવો પડતો અને પછી આ રોજનો ક્રમ બની ગયો હતો કે સવારે પ્રૅક્ટિસ કરવી કાશી સાથે, જેનાથી મનોબળ અને શારીરિક બળ વધે, પછી ફેક્ટરીએ આવવું. જ્યારે પણ સમય મળે ત્યારે રૂતુલભાઈ પાસે બેસી યૂ-ટ્યૂબમાં નવી નવી ડ્રિલ્સ જોઈ અભ્યાસ કરવો અને રાત્રે ઘરે જઈ પોતાના આંગણામાં બનાવેલી સુંદર પીચ પર કાશી સાથે એ ડ્રિલ્સનો અભ્યાસ કરવો. આમ, નાથુએ કાશીને તૈયારી કરાવવા માટે પોતે જ ખૂબ મહેનતથી અભ્યાસ કરવો પડતો અને તૈયારી કરવી પડતી. હવે કાશી અને નાથુનો નિત્યક્રમ નક્કી હતો. સવારે જાગીને દરિયા પર જવું અને દરિયાની પટ્ટી પર શારીરિક કસરત કરી શરીરને કસીને સોનું બનાવવું, પછી ઘરે પાછાં આવી કાશી નિશાળે જાય ને નાથુ ફેક્ટરીએ. નિશાળેથી આવીને કાશી ઘરનું કામ અને નિશાળનું ઘરકામ બંને બતાવી સાંજ પડવાની રાહ જોતી. સાંજે નાથુ આવે, હવે નશો કર્યા વગર અને આવીને તરત કાશી સાથે પ્રેક્ટિસમાં લાગી જાય ને પછી બે કલાક સતત પ્રેક્ટિસ કર્યા પછી ચારેય જણાં સાથે જમીને સૂઈ જાય. આમ, આ નિત્યક્રમ ઘણા દિવસોથી ચાલી રહ્યો હતો ને આ બધું જોઈને ગામમાં કેટલાક લોકોના પેટમાં તેલ રેડાતું. કેટલાક ગામલોકોએ ધીમે ધીમે ગામમાં વાતો ચાલુ કરી છે. ગામમાં રહેતો કનુ, જે કેરોસીનનો ધંધો કરે છે, એ સરપંચને જઈ મળે છે અને કહે છે કે, ગામ માટે આ સારી વાત નથી. સરપંચ કહે, ‘કંઈ સરખું કે’ તો ખબર પડે. તારી વાત પહેલેથી જ ધડ-માથા વગરની હોય છે!’ કનુ કે’, ‘પણ કઉંં છું આખી વાત.. આ નાથુ ખરો ને, એણે એની છોકરીને આ બોલ-બેટ રમાડવાનું શરૂ કર્યું છે. આ રમત છોકરાઓ રમે, સરપંચજી! અને આણે આ છોડીને રમાડવાનું શરૂ કર્યું છે ને પાછો કે’ છે કે, હું એને ભારતની મહિલા ટીમમાં સામેલ કરાવવા ઇચ્છું છું. આ બધું ઠીક નથી. તમે જ કંઈ કરો..!’ સરપંચ કે’, ‘હા, આ વાતની મને ખબર છે, પણ ઈ તો ઈની સોડી છે. ઈને જીમ વિચાર કરવો હોય એમ કરે. ઈમાં ગામના સરપંચ હુ કરે..!’ કનુ : પણ તમે કાંઈ કો’ તો સારું, બાકી, આમ ને આમ તો ગામની બીજી સોડીયુંય બગડશે. પછી મર્યાદા જેવું કાંઈ રહેશે નંઈ.. સરપંચ : હારું, હાલ પંચ ભેગું થવા દે આ વખતે. હું પંચમાં જ વાત મૂકું છું. પછી ખબર પડે કે હુ કરવું. સરપંચના ત્યાં આ વાત કરવા બહાર બધા ભેગા થયેલા. જાણે નક્કી કરીને આવ્યા હોય ને કનુ એમનો નેતા હોય. સરપંચ ને કનુ બેઉ બહાર આવ્યા. બહાર આવી સરપંચે જોયું ચાર-પાંચ જણા વાતો કરતા હતા કે, ‘આપણે સરપંચને કહેવું જ જોઈએ ને આમ ના ચાલે.’ સરપંચે પોતે જ બહાર આવીને પૂછી લીધું, ‘ઓય, શું ના ચાલે હેં ભાઈ...! આ નાનુ એની... હા ભાઈ હા હવે... આ કનુએ ઈ જ વાત કરી ને મેં ઈને કીધું કે હું પંચમાં વાત મૂકું ને પછી નક્કી કરીએ કે શું કરવું. આ હાલવા દેવું કે બંધ કરાવવું...!’ કનુ કે’, ‘હા, મારે સરપંચ હારે એ જ વાત થઈ છે. તો હવે થોડીક રાહ જોવી પડશે. પછી કાં’ક રસ્તો થાશે..’ પાંચ-સાત જણા હતા એમાંથી એક કે’, ‘પણ આમાં ગામની મર્યાદાનો સવાલ છે.’ બીજો કે’, ‘આમ બાઈમા’ણા દડે રમે તો પછી પત્યું...’ સરપંચ : હા હવે, નાહક ચિંતા મૂકો. પંચમાં વાત કરું પછી કરીએ કાંઈક, હોં... હાલો ઊપડો બધા, મારે ઘણાં કામ છે.. બધા વિખરાઈને પોતાપોતાનાં કામે લાગી ગયા. સરપંચે પણ વિચાર્યું કે આ નાથુ જે કરે છે, એ યોગ્ય તો નથી, કેમ કે આખા ગામમાં આ વાતો વિરોધમાં તો ચાલુ થઈ જ છે કે નાથુ જે કરે છે એ બરાબર નથી. હવે મનેય સમજાતું નથ કે આ બાબતમાં હુ કરવું. નાથુ એની દીકરીને રમતવીર બનાવવા મહેનત કરે છે ને એ જે દારૂ પીતો એય છોડી દીધો ને કસરત ને વ્યાયામ કરવા લાગ્યો, ગામનો એક જુવાનિયો હારા રસ્તે થ્યો તે ઈ તો હારું કે’વાય, પણ ગામને ઈ નથ દેખાતું ને દેખાય છે તો ઈ કે છોડી છોકરાની જેમ રમે છે! આખા ગામની મર્યાદા નંઈ રે’. બોલો હવે, પંચ કરે ઈ થાય... પંચમાં હું તો મારો નિર્ણય રજૂ કરીશ પણ બીજા બધ્ધાનું કહેવું શું થાય ઈએ સાંભળવું રહ્યું...!

લગભગ પાંચસો પગલાં ચાલીને રેવત એક જગ્યા પર ઊભો રહી ગયો. જમીન પર પાથરણું પાથરીને બે-ત્રણ સ્થાનિક માણસો બરફ પર ચાલવા માટેનાં શૂઝ, હાથમોજાં, કાનટોપી વગેરે ભાડે આપતાં હતાં. એ ધારણ કરીને બંને જણાએ આરોહણ શરૂ કર્યું. બરફની ચાદર પર ચાલવું કઠિન હતું. તીરવા એક હાથથી રેવતનો ખભો પકડીને એક-એક ડગલું ભરતી જતી હતી, બીજા હાથથી મોબાઇલમાં વિડીયો ઉતારતી જતી હતી. ભીડથી સહેજ દૂર જવાના આશયથી બંને જમણા હાથ તરફ વળી ગયાં. ત્યાં બેકગ્રાઉન્ડ દૃશ્ય વધુ સુંદર હતું. તીરવાનો મૂડ જોઇને રેવતે કહ્યું, ‘તું સામે ઊભી રહી જા; હું તારા ફોટોઝ…’ ‘ના, મારી એકલીના પિક્સ નહીં, આપણા બંનેના સાથે લઇએ. મને સેલ્ફી લેવા વધારે ગમે છે.’ કહીને તીરવાએ એક ‘સ્પોટ’ પસંદ કર્યું. આકાશમાં સૂરજ ચમકતો હતો. બરફની સપાટી પરથી પરાવર્તિત થતા તેનાં કિરણો આંખને નુકસાન ન કરે એ માટે બંનેએ કાળા ગોગલ્સ પહેરેલાં હતાં. તીરવાએ મોબાઇલ કેમેરાને સેલ્ફી મોડ ઉપર મૂક્યો. સ્ક્રીન પર દેખાતું દૃશ્ય જોઇને એ બોલી ઊઠી, ‘વાઉ! વ્હોટ એ બ્યૂટીફુલ કપલ! જ્યાં એ ફોટો ક્લિક કરવા ગઇ એ સાથે જ કશુંક તૂટવાનો અવાજ આવ્યો. કંઇ સમજાય તે પહેલાં તો એમના પગ નીચેની બરફની સપાટીમાં મોટું બાકોરું પડી ગયું હતું. બંને પતિ-પત્ની દસ-બાર ફીટ ઊંડાં પાણીમાં ગરકાવ થઇ ગયાં. કેટલાક સહેલાણીઓએ આ દુર્ઘટના જોઇ એટલે ત્યાં દોડી આવ્યા પણ કોઇને ખબર ન પડી કે શું કરવું. ડ્રાઇવરો અને સ્થાનિક મજૂરોએ હ્યુમન ચેન બનાવીને બંનેના મૃતદેહો બહાર કાઢ્યા. પડતી વખતે તીરવાનો મોબાઇલ ફોન કરતા એના હાથમાંથી છટકીને સહેજ દૂર બરફ પર પડી ગયો હતો. કોઇએ એ ઉઠાવીને જોયું. સેલ્ફીની પાગલ શોખીન એવી તીરવાએ મરતા પહેલાં છેલ્લો ફોટો પાડી લીધો હતો. (તાજેતરના કાશ્મીર પ્રવાસમાં અમારા ડ્રાઇવર પાસેથી જાણેલી ઘટના.) }

રણમાં ખીલ્યું ગુલાબ:અપની મૌત ભી ક્યા મૌત હોગી,એક દિન યૂં હી મર જાયેંગે તુમ પર મરતે મરતે https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/apni-maut-bhi-kya-maut-hogi-ek-din-yoon-hi-mar-jayenge-par-tum-marte-marte-133276737.html નમર્ગના બરફાચ્છાદિત પહાડો જોઇને તીરવા આનંદવિભોર થઇ ગઇ. ડ્રાઇવરે ગાડી ઊભી રાખી એ સાથે જ એ ડોક ખોલીને કારમાંથી બહાર નીકળી પડી. એનો ઉમંગ અને ઉત્સાહ જોઇને રેવત પણ ખુશ થઇ ગયો. તીરવાના હોઠ પરથી વાક્ય સરી પડ્યું, ‘કેટલું ખૂબસૂરત છે કાશ્મીર! હું નાની હતી ત્યારથી અહીં આવવાનું સપનું જોતી હતી, એ સાકાર કરવામાં દાયકાઓ નીકળી ગયા.’ ઠંડીની ઋતુએ મહિના પહેલાં જ વિદાય લીધી હતી. અઠવાડિયા પહેલાં શ્રીનગર-સોનમર્ગ વચ્ચેનો માર્ગ ખૂલ્યો હતો. પર્યટકોના પહેલા જથ્થામાં મોટા ભાગનાં હનિમૂનિયા કપલ્સ હતાં. તીરવા અને રેવત પણ ‘ઓવન ફ્રેશ’ પતિ-પત્ની હતાં. સગાઇ થઇ ત્યારે જ તીરવાએ રેવત પાસેથી વચન માગી લીધું હતું, ‘હનિમૂન માટે મને કાશ્મીર લઇ જઇશ?’ રેવત ઉત્સાહથી બોલી ગયો હતો, ‘કાશ્મીર તો શું ચીજ છે? તું કહેશે તો હું તને સ્વિત્ઝર્લેન્ડ લઇ જઇશ.’ ‘ના, મારી ઇચ્છા કાશ્મીર જવાની છે. વાર્તાઓમાં, નવલકથાઓમાં, હિંદી ફિલ્મોમાં મેં કાશ્મીર વિશે ખૂબ વાંચ્યું છે, જોયું છે અને જાણ્યું છે. ત્યારથી મારા દિમાગમાં એના વિશે એક ખ્યાલ બંધાઇ ગયો છે. કાશ્મીર એ ધરતી પરનું સ્વર્ગ છે. એનાથી વધારે રમણીય સ્થાન જન્નત પણ ન હોઇ શકે. મોગલ બાદશાહ જહાંગીરે જેના માટે કહ્યું હોય: ‘ગર ફિરદૌસ બર્્રુએ ઝમીં અસ્ત; હમીં અસ્તો, હમી અસ્તો, હમીં અસ્તો, એ સ્થળ વાસ્તવમાં જમીન પરનું ફિરદૌસ જ હોવું જોઇએ. મારે પહેલગામની પાસે આવેલી બરફાચ્છાદિત પર્વતમાળા જોવી છે, બેતાબ વેલીના વિશાળ લીલાછમ ઘાસછાયા મેદાનમાં બેસીને લિદર નદીનાં ઊછળતા ઠંડા જળપ્રવાહમાં પગ બોળવા છે, મારે ચંદનવાડીની બરફીલી પાટ પર બેસીને ડૂબતા સૂરજની સાક્ષીએ અમરનાથની દિશામાંથી પાછા ફરી રહેલા ઘોડાઓના થાકને નિહાળવો છે, મારે સોનમર્ગના બરફના જાડા થર પર ઊભા રહીને તારી સાથે સેલ્ફી લેવી છે, મારે ગુલમર્ગના ઉતાર-ચડાવવાળા ગોલ્ફના મેદાનમાં બેસીને કાશ્મીરી કાવાની લિજ્જત માણવી છે. મારે તારી સાથે મારી નજરથી કાશ્મીરનું સૌંદર્ય માણવું છે.’ તીરવા બોલી રહી હતી અને રેવત એને સાંભળી રહ્યો હતો; ખરું પૂછો તો એ સાંભળી પણ નહોતો રહ્યો, એ માત્ર સામે ઊભેલી સૌંદર્યમૂર્તિને જોઇ રહ્યો હતો. મનમાં વિચારી રહ્યો હતો, ‘આ જીવતીજાગતી જન્નત જેવી છોકરીને પૃથ્વી પરનું જન્નત જોવાની ઝંખના છે!’ લગ્ન પછીના પ્રવાસનું વચન રેવતીએ તીરવાને લગ્ન પૂર્વે જ આપી દીધું. આગલા દિવસે ગુલમર્ગમાં હતા ત્યારે તો વાતવાતમાં રેવતે તીરવાને કહી પણ દીધું હતું. જ્યારે તીરવાએ ગુલમર્ગની મુક્તમનથી પ્રશંસા કરી કે ગુલમર્ગ ખૂબ નયનરમ્ય છે, ત્યારે રેવત બોલી ઊઠ્યો હતો, ‘તને ગુલમર્ગ જેટલું નયનરમ્ય લાગે છે એના કરતાં મને જે દેખાય છે તે ગુલમર્ગ વધારે ખૂબસૂરત છે, કારણ કે મને દેખાતા ગુલમર્ગમાં મારી ગુલબદન પણ સામેલ છે.’ લગ્ન પછીના બીજા જ દિવસે બંને જણા નીકળી પડ્યાં હતાં. સુહાગરાત પણ મનાવી ન હતી. એ આખી રાત સુહાગરાતની વાતોમાં જ વિતાવી દીધી હતી. વિમાનમાં બેસીને સીધા શ્રીનગર એરપોર્ટ પર અને ત્યાંથી હોટલ પર પહોંચી ગયાં હતાં. ફ્રેશ થઇને અગિયાર વાગે ભાડાની કારમાં સીધા ગુલમર્ગ જવા નીકળી ગયાં હતાં. બે દિવસ ત્યાં હનિમૂન માણીને પાછા શ્રીનગર અને ત્રીજા દિવસે સીધા સોનમર્ગ જવા રવાના થયાં. શ્રીનગરથી એંશી કિલોમીટરનો માર્ગ કાપતા પૂરા બે કલાક લાગી ગયા. રસ્તામાં ઠેર ઠેર પ્રકૃતિએ છુટ્ટા હાથે વેરેલું દાન જોઇ શકાતું હતું. નાની નાની ટેકરીઓ બરફમાં ઢંકાઇને સફેદ દાઢીવાળા દાદાજીનો ભાસ કરાવતી હતી, એના પર રખડતાં ઘેટાં અને બકરીઓ દાદાની ગોદમાં રમતાં સંતાનો જેવાં લાગી રહ્યાં હતાં. બે કલાકના પ્રવાસમાં બાર વાર તો તીરવા ગાડી ઊભી રખાવીને સેલ્ફી લેવા માટે નીચે ઊતરી પડી હતી. ધરતી પરનું અમાપ સૌંદર્ય જોઇને એ પાગલ જેવી થઇ ગઇ હતી. એનું ચાલે તો પળે પળે બદલાતો પ્રત્યેક લેન્ડસ્કેપ એ પોતાના મોબાઇલ ફોનના કેમેરામાં ઝડપી લે. એકાદ વાર તો ડ્રાઇવર અસલમ પણ બોલી ગયો હતો, ‘દેરી હો રહી હૈ, મે’મસાબ. આપ ખામખાં વક્ત જાયા કર રહી હૈં. ફોટુ ખીંચને કી સહી જગહ તો સોનમર્ગ પર મિલેગી.’ ડ્રાઇવરની વાત સાચી પડી. સોનમર્ગ પહોંચ્યા પછી તીરવા અવાચક બની ગઇ. ધાર્યું હતું તેના કરતાં પણ વધારે સુંદર સ્થાન જોઇને એના હોઠ સિવાઇ ગયા. આંખ સામે શ્વેત બરફથી આચ્છાદિત પર્વતીય ઢોળાવો હતા. સહેલાણીઓ પ્રકૃતિની મોજ લૂંટવા માટે ઊમટી પડ્યા હતા. અસલમે કાર પાર્ક કરી અને સૂચના આપી, ‘સાહબ, દો ઘંટેમેં વાપસ આ જાના. મૈં આપકા યહીં પર ઇન્તેઝાર કરુંગા.’

ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરે રડતાં રડતાં જે કહ્યું તેની વડાપ્રધાને પોતાના ભાષણમાં નોંધ સુધ્ધાં નહોતી લીધી. આંખ આડા કાન કરો અને જો એ થાય એમ ન હોય તો કાર્પેટ તળે છુપાવી દો. હોમી દસ્તૂરે કરેલા ઉહાપોહ પછી ન્યાયતંત્ર ચાર દાયકા તો જેમ તેમ ટકી ગયું, પણ હવે જુદો સમય છે. બધું ઉઘાડું છે અને બધાને બધી ખબર છે. }

એ પછી 32 વરસે એ સમયના દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરે એક સભામાં વડાપ્રધાનની હાજરીમાં અને વડાપ્રધાનને ઉદ્દેશીને અક્ષરસઃ રડતાં રડતાં કહ્યું હતું કે પ્લીઝ ન્યાયતંત્રને બચાવી લો. દેશના મુખ્ય ન્યાયમૂર્તિની રડીને કાકલૂદી કરતી એ ભાષાણની ક્લીપ યૂટ્યૂબ પર જોવા મળશે. એ પછી 40 વરસે પ્રધાન મમતા બેનર્જીએ હાથ જોડીને કાકલૂદી કરીને કોલકાતામાં એક સભામાં મંચ પર ઉપસ્થિત દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડને ઉદ્દેશીને કહ્યું હતું કે દેશનાં ન્યાયતંત્રને બચાવી લો. એની તટસ્થતા, ગરિમા, બંધારણીય મૂલ્યો માટેની નિસ્બત, પ્રાથમિકતા જળવાઈ રહેવી જરૂરી છે. અન્યથા દેશ લોકતંત્ર ગુમાવી બેસશે. અદાલત એ ન્યાયનું મંદિર છે. મંદિરમાં પવિત્રતા અને મર્યાદા નહીં જળવાય તો ક્યાં જળવાશે! ચાર દાયકા થયા અને ન્યાયતંત્રને બચાવી લેવાની ગુહાર તો તેનાથી પણ જૂની છે. પાંચ દાયકા કરતાં પણ વધારે જૂની. ન્યાયતંત્રમાં સુધારા સૂચવતી કાયદાપંચની ભલામણો પાંચ દાયકા જૂની છે. પણ અહીં મેં ગુહારની જે ત્રણ ઘટનાઓ ટાંકી એમાં એક ફરક નજરમાં આવ્યો? પહેલી બે કાકલૂદીમાં ન્યાયતંત્રને કેસોનો ભરાવો, જજોની નિમણૂકમાં કરવામાં આવતો વિલંબ, અપર્યાપ્ત અદાલતોની સંખ્યા, લાંબીલચક દલીલો અને તારીખ પછી તારીખ માગનારી સુનાવણીઓ વગેરે બાહ્ય પરિબળોથી બચાવી લેવાની માગણી કરવામાં આવી છે. મંદિરના સ્થપતિઓને કાકલૂદી કરવામાં આવી છે કે આ પવિત્ર મંદિરને બચાવી લો. બેશક આખુ ન્યાયતંત્ર ખોટું છે એવુ કોઈ કહેતુ નથી, પણ જ્યાં ખોટું થતું હોય ત્યાં ધ્યાન દેવાની વાત છે. દેશના વ્યાપક હિત માટે આ જરૂરી છે. તેનાથી ઊલટું આ વખતે મમતા બેનર્જીએ મંદિરના મુખ્ય પૂજારીને કહ્યું છે કે તમારાં મંદિરને બચાવી લો. સેવ કેપિટાલિઝમ ફ્રોમ કેપિટાલિસ્ટ એમ જે કહેવાય છે એમ મમતા બેનર્જીએ કહ્યું છે કે સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસ. શરૂઆત થઈ હતી સેવ જ્યુડિશિયરીથી અને વાત પહોંચી સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસ સુધી. આને પતન કહેવાય અને જો કોઈ પણ પ્રશ્નને સમયસર હાથ ધરવામાં ન આવે અને ઉપરથી તેને કાર્પેટ તળે ધકેલવામાં આવે તો આવું થાય. હવે શાસકોને કાકલૂદી કરવાની વાત પાછળ રહી, હવે વડા પ્રધાન સમક્ષ રડવાની વાત વીતી ગઈ હવે મંદિરના મુખ્ય પૂજારીને કહેવું પડે છે કે કેટલાક પૂજારીઓને કારણે મંદિર અભડાઈ રહ્યું છે. પ્લીઝ કાંઈક કરો. મેં મારી તરુણાવસ્થામાં ન્યાયતંત્રને બચાવી લેવાની પહેલી ગુહાર સાંભળી છે અને અત્યારે 70 વરસની ઉંમરે ગુહાર સાંભળી જેમાં ફરક એ છે તેમણે સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસની વાત કહી છે. આ સ્થિતિ માટે વર્તમાન શાસકો કરતાં માજી શાસકો, ખાસ કરીને કોંગ્રેસના શાસકો વધારે જવાબદાર છે. શાસકો પોતાના લાભમાં વ્યવસ્થાને શીથીલ કરે છે અને શિથિલ થયેલી વ્યવસ્થા જ્યાં સુધી લાભ આપે ત્યાં સુધી તેમાં સુધારા કરતા નથી. સુધારાના અભાવમાં વ્યવસ્થા હજુ વધુ શિથિલ બને છે અને એક દિવસ તે હાથમાંથી સરકી જાય છે અને લાભની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની વચ્ચે સમય કાઢીને બૌદ્ધિકોની એક સભામાં લખનૌ ગયા હતા અને ત્યાં તેમણે તેમની ભાષામાં લગભગ આ જ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે સત્તાલક્ષી રાજકારણ કરવામાં ઘણી ભૂલો કરી છે. પણ ભૂલોમાંથી કોઈ શીખતું નથી, શાસકો તો જરાય શીખતા નથી એટલે વર્તમાન શાસકો એ જ ભૂલ કરી રહ્યા છે જે આગળના શાસકોએ કરી હતી. જે આજે તમારા માટે અનુકૂળ થઈ શકે એ આવતીકાલે કોઈ બીજા માટે અનુકૂળ થઈને તમારા માટે પ્રતિકૂળ પણ થઈ શકે છે. અનૈતિક માર્ગે અનુકૂળ કરવામાં છેવટે અનુકૂળ કરનારને નુકસાન તો કરે જ છે, પરંતુ લાલચમાં આવીને અનૈતિક બનીને અનુકૂળ થયેલાઓ એ સંસ્થાને, દેશને અને સમાજને જે નુકસાન પહોંચાડે છે તેની તો કોઈ સીમા જ નથી. મમતા બેનર્જીએ એ તરફ મુખ્ય ન્યાયમૂર્તિનું ધ્યાન દોર્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ તેમના પિતા ન્યાયમૂર્તિ વાય. વી. ચંદ્રચૂડની જેમ શબ્દોના સ્વામી છે. તેમણે મમતા બેનર્જીની આખી વાત જ ઉડાડી દીધી અને કહ્યું કે અદાલત એ મંદિર નથી. જો અદાલતને મંદિર બનાવી દઈશું તો જજ પોતાને ભગવાન સમજતા થઈ જશે અને એ દેશહિતમાં નહીં હોય. જજો તો સમાજના ન્યાય કરનારા સેવક છે અને બંધારણીય મૂલ્યોના રખેવાળ છે. તેમણે એટલે કે જજોને પોતાને જે મૂલ્યો અભિપ્રેત છે તે મુજબ ન્યાય કરવાનો નથી, બંધારણને જે મૂલ્યો અભિપ્રેત છે તે અનુસાર ન્યાય કરવાનો છે. આ તો આદર્શ સ્થિતિની વાત થઈ જે નાગરિકશાસ્ત્રમાં ભણાવવામાં આવે છે. મમતા બેનર્જીએ ન્યાયતંત્રમાં આ આદર્શનો અંત આવી રહ્યો છે તેના તરફ ધ્યાન દોર્યું હતું. તેને મંદિર કહો, અદાલત ખંડ કહો, ન્યાયતંત્ર કહો, જે કહેવું હોય એ કહો, વાત એમ છે કે જ્યાં સડો ન પેસવો જોઈએ ત્યાંથી દુર્ગંધ આવી રહી છે. અને આની જાણ દેશના વિદ્વાન અને બાહોશ મુખ્ય ન્યાયમૂર્તિથી વધારે કોને હોય!