TAT(HS) PREPARATION
#"We provide Study material &Tet,Tat information"#
Ko'proq ko'rsatish1 030
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-37 kunlar
-1330 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Obunachilar o'sish tezligi
Ma'lumot yuklanmoqda...
Photo unavailableShow in Telegram
મિત્રો
👉👉👉ટાટ હાયર સેકેન્ડરી મુખ્ય પરીક્ષા નુ રિઝલ્ટ જાહેર
👉રિઝલ્ટ જોવા માટેની લિંક : http://sebexam.org/Form/printResult
👍 2
ક્રિકેટનો ટાઈફોઈડ ઊભો થયો છે; જાણે કે દેશમાં ચિંતાનો બીજો કોઈ વિષય જ ન હોય !
ક્રિકેટના વર્લ્ડ કપ મેચનું આયોજન કરતી BCCI-બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા એ ખાનગી ધંધાદારી સંસ્થા છે. તે ભારત સરકારની સંસ્થા નથી. એમાં રમતવીરોની કમાણી, જાહેરખબરોની કમાણી અને બોર્ડનો નફો વગેરે મહત્ત્વનાં બની ગયાં છે. BCCI એ નફો કરનારી કોઈ પણ મહાકાય કંપની જેવી સંસ્થા છે. પણ લોકોના દિમાગમાં BCCI એટલે India એવું પર્યાયવાચી સમીકરણ બેસી ગયું છે. BCCIની ટીમ જીતે કે હારે તો ઇન્ડિયા જીત્યું કે હાર્યું એમ સમજી લેવામાં આવે છે ! ભારત સરકાર પણ એમ સ્વીકારી લે છે. 2004માં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે BCCI ભારતના રાષ્ટ્રધ્વજ કે ભારતના રાષ્ટ્રગીતનો ઉપયોગ ન કરી શકે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં ‘જૂના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ’માં રમાશે, જે જોવા માટે 1 લાખ 30 હજાર લોકો આવશે. જેમાં ભારતના વડાપ્રધાનથી લઈને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ તેમજ અન્ય હસ્તીઓ હશે. આ તમામની સુરક્ષા માટે 6000થી વધુ પોલીસ રોકાશે ! બંદોબસ્તમાં IG અને DIG રેન્કના 4 સિનિયર IPS અધિકારી, 23 DCP-ડેપ્યુટી પોલીસ કમિશ્નર, 39 ACP-આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ અને 92 PI-પોલીસ ઇન્સ્પેક્ટર ખડેપગે રહેશે. ઉપરાંત કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ કે ન્યુક્લિયર ઇમરજન્સીની સ્થિતિમાં પહોંચી વળવા માટે NDRFની એક ટીમ તેમજ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વાડની 10 ટીમો તેમજ ચેતક કમાંડોની 2 ટીમો પણ તહેનાત કરવામાં આવશે. આ બધો ખર્ચ, ધંધાદારી કંપની માટે સરકાર ભોગવશે !
BCCI જે IPLનો ધંધો કરે છે તેમાં તો ક્રિકેટરો વેચાય છે. જીવતો માણસ બોલીમાં વેચાય છે ! આ સંસ્કૃતિ કહેવાય કે બજાર? જેનો ભાવ વધારે એની રમત બહુ સારી એવી ધારણા એમાં કામ કરે છે. જે બહુ ભાવે બોલીમાં વેચાય તેનું પાછું ગૌરવ થાય છે ! જૂના ઈતિહાસમાં માણસો બજારમાં વેચાતા હતા અને ખરીદાતા હતા !
ખેલાડી રમે છે કમાણી માટે, બોર્ડ યોજે છે મેચ નફા માટે અને લોકો સમજે છે કે આ બધું તો દેશના ગૌરવ માટે છે. આ સામૂહિક સંમોહન સિવાય કશું નથી. મીડિયા એક પ્રકારનું વશીકરણ સર્જે છે લોકોમાં.
મહાન જર્મન દાર્શનિક થિયોડોર એડોર્નો (1903-1969) દ્વારા ભારત આઝાદ થયું તે વર્ષે એક પુસ્તક લખવામાં આવ્યું હતું: 'કલ્ચર ઇન્ડસ્ટ્રી.' તેમાં તેમણે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં માનવ સંસ્કૃતિનું એકેએક પાસું કેવી રીતે બજારમાં નફાનું માધ્યમ બને છે તેનું અદભૂત દર્શન કરાવ્યું છે. ક્રિકેટ હોય કે ફૂટબોલ કે પછી બીજી કોઈ પણ રમત; એનું મોટા પાયા પરનું આયોજન કે સંગઠન ધંધો બની ગયાં છે અને નફાનું સર્જન કરનાર બજાર.
થિયોડોર એડોર્નો કહે છે કે સંસ્કૃતિને બજાર બનાવવામાં સૌથી મોટી ભૂમિકા હોય છે મીડિયાની. ભારતમાં છેલ્લા કેટલાંક દિવસોથી મીડિયામાં એટલે કે ટીવી ચેનલો અને છાપાંમાં કેવી રીતે ક્રિકેટનો ટાઈફોઈડ ઊભો થયો છે ! જાણે કે દેશમાં ચિંતાનો બીજો કોઈ વિષય જ ન હોય ! મીડિયા પોતે પણ બજારની એક ચીજ છે કારણ કે તેને આ વર્લ્ડ કપ જાહેરખબરો આપે છે ! લોકોમાં આ ક્રિકેટ મેચનો જે નશો ઊભો થયો છે તેમાં આ નફાખોર મીડિયાની ભૂમિકા કંઈ ઓછી નથી.
એડોર્નોના મતે મિડિયા આવા કાર્યક્રમો દ્વારા લોકોને આજ્ઞાંકિત, કહ્યાગરા અને સંતુષ્ટ બનાવી દે છે, પછી ભલે ને તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોય ! શું ભારતમાં આવું બની રહ્યું નથી?
મૂડીવાદી અર્થતંત્રની ખાસિયત જ એ છે કે તે માનવ જીવનની તમામ બાબતોને બજારમાં લઈ આવે, મનુષ્યને પણ નફાનું એક સાધન બનાવી દે. કોઈક મેદાન કે ગલીમાં ક્રિકેટ રમતા અને આનંદ માણતાં યુવાનો અને બાળકો એ સંસ્કૃતિ છે, પણ વર્લ્ડ કપ કે એવી બીજી બધી ક્રિકેટ મેચમાં નફાકેન્દ્રી બજાર જ બજાર છે. લગભગ બધી રમતો માટે આમ જ બની ગયું છે. આ બજારુ રાષ્ટ્રવાદ છે ! ક્રિકેટ એ સામંતવાદી રમત છે, એટલે લોકોને બહુ ગમતી હશે? સૌજન્ય : હેમંતકુમાર શાહ.
👍 8
સંસાર છોડનારા સાધુઓને ક્રિકેટનો મોહ શામાટે હશે? શું ક્રિકેટ આદ્યાત્મિક બાબત છે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં ‘જૂના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ’માં હતી; તે પહેલાં ભારતની જીત માટે ઠેરઠેર હવન-પૂજાના કાર્યક્રમો થયા. જ્યોતિષીઓએ ગ્રહોનું ગણિત માંડીને કહ્યું કે ભારતની ટીમ જીતશે ! ‘નિયતિ જ્યોતિષ સંશોધન કેન્દ્ર’ના જ્યોતિષી નિતિન ત્રિવેદીએ મેચના આગલા દિવસે આગાહી કરેલ કે ‘ભારતની ટીમ આશ્ચર્યકારક રીતે જીતશે. મારી અગાઉની 10 મેચની આગાહી સાચી પડી છે.’ સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું કે ભારતની ટીમને હનુમાનદાદા જીતાડશે !
બન્યું એવું કે ઓસ્ટ્રેલિયાની ટીમનો વિજય થયો ! જ્યોતિષીઓને ખગોળશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી. તેથી તેમનું ગણિત ખોટું જ પડે ! જો જ્યોતિષીઓને ગ્રહોની દશા અને તેની અસરની જાણકારી હોય તો જ્યોતિષીના ઘેર ચોરી કેમ થાય છે? જ્યોતિષીની દીકરી ઘેરથી નાસી કેમ જાય છે? જ્યોતિષીની દિકરી વિધવા કેમ થાય છે? જ્યોતિષીની પત્ની છૂટાછેડા કેમ લે છે? જો સ્વામિનારાયણના સાધુના કહેવાથી હનુમાનદાદા ભારતની ટીમને વિજયી બનાવે?
સૌથી દુ:ખની બાબત એ છે કે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી તેમાં ગુજરાત તક/ ઝી ન્યૂઝ/ VTV ન્યૂઝ/TV9 ગુજરાતી/ સંદેશ/ abp અસ્મિતા/ ન્યૂઝ 18 ગુજરાતી/ દૂરદર્શન/ મંતવ્ય ચેનલના રીપોર્ટર હાજર રહેલ. શું આવી બાબતોનું રીપોર્ટિંગ કરવાથી સમાજની/દેશની પ્રગતિ થાય? શું આવા રીપોર્ટિંગથી સમાજમાં અંધશ્રદ્ધાનું પૂર ફરી ન વળે? સવાલ એ છે કે સંસાર છોડનારા સાધુઓને ક્રિકેટનો મોહ શામાટે હશે? શું ક્રિકેટ આદ્યાત્મિક બાબત છે? ધર્મની બાબત છે? બાવાના મોહને દૂરદર્શન મહત્વ આપે? શાસ્ત્રીને પ્રેસ કોન્ફરન્સ કરવાની ખંજવાળ કેમ ઉપડી હશે? આ જુગારી માનસિકતા છે. જો ભારતની ટીમની જીત થઈ હોત તો આ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો જયજયકાર થઈ જાત ! કોર્પોરેટ સ્વામિ બની જાત ! ભારતની ટીમની હાર થઈ છે એટલે શાસ્ત્રીની ખોટી આગાહી પણ થોડાં સમયમાં લોકો ભૂલી જશે ! આ કારણે ભગવાધારી ક્રિકેટમાં જંપલાવે છે ! ભારતની ટીમ જીતે તો હિમાલય જેટલો ફાયદો અને આગાહી ખોટી પડે તો કોઈ નુકસાન નહીં ! 2014 પછી જ્યોતિષીઓ અને બાવાઓનો ત્રાસ બહુ જ વધી ગયો છે ! સવાલ એ પણ છે કે શું સાળંગપુરના હનુમાનદાદા, શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીથી ત્રાસી ગયા હશે?
સૌજન્ય :rs IPS રમેશ સવાની
👍 11
📌પુરેપુરી લગન થી મહેનત કરો પણ એ પરીક્ષા હોય, સ્પર્ધા હોય કે નોકરી હોય ભગવાને આપેલ જીવથી મોટુ કશું નથી 25 -50 હજારની નોકરી માટે અબજોના આપડા જીવ ને ક્યારેય જોખમમા ન મુકવો ના પ્રત્યક્ષ કે ના પરોક્ષ રીતે.
👍 7
Photo unavailableShow in Telegram
મિત્રો
કરાર આધારિત અને આઉટસોસ કર્મચારીઓની વિગતો મોકલી આપવા બાબત
👍 1
સંપૂર્ણ ડાંગ જિલ્લો
આની બહાર એક પણ પ્રશ્ન નહીં જાય
વધુ જિલ્લા માટે આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો
🥰 1