Crack It Gujarat
Kanalga Telegram’da o‘tish
Computer , Culture & Current ને લગતા પુછાયેલા તથા પાઠ્યપુસ્તકના પ્રશ્નો આ ચેનલમાં મળશે. Admin id @NirmalsirAerda
Ko'proq ko'rsatish2 714
Obunachilar
+524 soatlar
+87 kunlar
+6330 kunlar
Postlar arxiv
2 714
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.
જવાબદેહી સૌથી મહત્વપૂર્ણ બાબત છે અને તે જ શરૂઆત છે...
આપણી શિક્ષણ વ્યવસ્થામાં હકારાત્મક ફેરફારો જોવા મળશે તેવી આશા છે...
2 714
ગુજરાત દેશના કુલ દરિયાઇ મત્સ્ય ઉત્પાદનમાં 21.09% હિસ્સો ધરાવે છે. વર્ષ 2024-25માં રાજ્યે 10.43 લાખ ટન મત્સ્ય-ઉત્પાદન કર્યું હતું અને મત્સ્ય-નિકાસ દ્વારા રૂ. 5,889.29 કરોડનું વિદેશી હૂંડિયામણ મેળવ્યું હતું.
2 714
📌 મુખ્ય કરંટ અફેર્સ મુદ્દાઓ (Key Polity Topics Covered)
૧. ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ ૨૦૨૫ (Immigration and Foreigners Act 2025):
આ કાયદો એપ્રિલ ૨૦૨૫ માં સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યો હતો અને ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ થી તેનો અમલ શરૂ થયો છે.
આ નવા કાયદાએ ૪ જૂના કાયદાઓ (પાસપોર્ટ એન્ટ્રી ઇન ટુ ઇન્ડિયા એક્ટ, રજીસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ ૧૯૪૬ અને ઇમિગ્રેશન લાયબિલિટી એક્ટ ૨૦૦૦) નું સ્થાન લીધું છે.
તે ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા અને નકલી દસ્તાવેજો માટેની સજાને વધુ કડક (૨ થી ૭ વર્ષની જેલ) બનાવે છે.
આ કાયદા દ્વારા 'બ્યુરો ઓફ ઇમિગ્રેશન' (Bureau of Immigration) ને વૈધાનિક દરજ્જો (Statutory Status) આપવામાં આવ્યો છે.
૨. વસ્તી ગણતરી અને જ્ઞાતિ આધારિત ગણતરી (Census and Caste Census):
૨૦૨૭ માં યોજાનારી વસ્તી ગણતરી એ ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી (Digital Census) હશે.
૧૯૩૧ પછી આ પ્રથમ એવી વસ્તી ગણતરી હશે જેમાં SC અને ST સિવાયની અન્ય જ્ઞાતિઓનો (Caste Data) પણ ડેટા સત્તાવાર રીતે એકત્રિત કરી જાહેર કરાશે.
વસ્તી ગણતરી એ બંધારણની ૭મી અનુસૂચિ મુજબ કેન્દ્ર સૂચિ (Union List) નો વિષય છે, તેથી માત્ર કેન્દ્ર સરકાર જ વસ્તી ગણતરી (Census) કરાવી શકે. રાજ્યો માત્ર સામાજિક કલ્યાણ માટે 'સર્વે' (જેમ કે બિહારે 'Caste Survey' કર્યો હતો) કરાવી શકે છે.
વસ્તી ગણતરી અધિનિયમ (Census Act) માં ક્યાંય એવું ફરજિયાત નથી લખ્યું કે દર ૧૦ વર્ષે જ ગણતરી કરવી, પરંતુ આ એક બ્રિટિશ સમયની પરંપરા છે.
૩. નેશનલ સિક્યોરિટી એક્ટ 1-૮૦ (National Security Act - NSA):
તાજેતરમાં સોનમ વાંગચુકની અટકાયત બાદ આ કાયદો ચર્ચામાં રહ્યો છે, જે પ્રિવેન્ટિવ ડિટેન્શન (Preventive Detention - અટકાયતી પગલાં) સાથે સંબંધિત છે.
બંધારણનો આર્ટિકલ ૨૨ પ્રિવેન્ટિવ ડિટેન્શન હેઠળ પકડાયેલી વ્યક્તિના અધિકારોની ચર્ચા કરે છે. સામાન્ય સંજોગોમાં વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ ૨૪ કલાકમાં રજૂ કરવો પડે, પણ પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં આ નિયમ લાગુ પડતો નથી.
NSA હેઠળ કોઈપણ વ્યક્તિને ઔપચારિક ચાર્જશીટ વગર ૩૬૫ દિવસ (૧ વર્ષ) સુધી જેલમાં રાખી શકાય છે. સંસદ અને રાજ્ય વિધાનસભા બંને પ્રિવેન્ટિવ ડિટેન્શન અંગે કાયદા બનાવી શકે છે.
PMLA અને પ્રિવેન્ટિવ ઓફ કરપ્શન એક્ટ જેવા કાયદાઓમાં પ્રિવેન્ટિવ ડિટેન્શનની જોગવાઈ નથી.
૪. મતદાનનો અધિકાર (Right to Vote) વિરુદ્ધ મુક્ત મતદાન (Freedom of Voting):
Right to Vote: સુપ્રીમ કોર્ટ (PUCL કેસ ૨૦૦૩) મુજબ મતદાનનો અધિકાર એ મૂળભૂત અધિકાર (Fundamental Right) નથી, પરંતુ તે એક બંધારણીય (Constitutional - Art 326) અને વૈધાનિક અધિકાર (Statutory Right - RPA 1951) છે. જો કોઈ બેઠક પર એક જ ઉમેદવાર હોય તો ચૂંટણી વગર તેને વિજેતા જાહેર કરાય છે, જેથી નાગરિકો મતદાન કરી શકતા નથી.
Freedom of Voting: પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવો એ આર્ટિકલ ૧૯(૧)(A) હેઠળ 'વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા' નો ભાગ હોવાથી તે મૂળભૂત અધિકાર છે.
૫. રાષ્ટ્રપતિ સંદર્ભ અને સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્રાધિકાર (Presidential Reference - Art 143):
અત્યાર સુધી આર્ટિકલ ૧૪૩ નો ઉપયોગ કરીને ૧૬ વખત રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટની સલાહ માંગવામાં આવી છે. છેલ્લે મે ૨૦૨૫ માં રાજ્યપાલની વીટો પાવર (Governor's Veto Power) અંગે સલાહ મંગાઈ હતી.
સુપ્રીમ કોર્ટની આ સલાહ સરકાર માટે બંધનકર્તા નથી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આર્ટિકલ ૨૦૦ હેઠળ રાજ્યપાલ પાસે બિલ અંગે ૩ જ વિકલ્પ છે (મંજૂરી આપવી, રોકી રાખવી અથવા રાષ્ટ્રપતિ માટે અનામત રાખવી). રાજ્યપાલ પાસે અનંતકાલીન પોકેટ વીટો (Pocket Veto) કે એબ્સોલ્યુટ વીટો નથી અને જો તેઓ બિલ પાસ કરવામાં બિનજરૂરી વિલંબ કરે તો કોર્ટ હસ્તક્ષેપ (Judicial Review) કરી શકે છે.
૬. એડહોક અને નિવૃત્ત ન્યાયાધીશોની નિયુક્તિ (Ad-hoc Judges - Art 224A):
હાઈકોર્ટમાં કેસોનું ભારણ ઘટાડવા માટે આર્ટિકલ ૨૨૪A હેઠળ નિવૃત્ત ન્યાયાધીશોને અસ્થાયી રૂપે પરત બોલાવી શકાય છે. તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં ૫ નિવૃત્ત જજની નિયુક્તિ કરાઈ હતી.
આ માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, સંબંધિત નિવૃત્ત જજની સંમતિ અને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવે છે, જેમાં સુપ્રીમ કોર્ટનું કોલેજીયમ (CGI + ૨ સીનિયર જજ) અંતિમ નિર્ણય લે છે.
🗳️ અન્ય ટૂંકા મહત્વના તથ્યો:
ઉપરાષ્ટ્રપતિ વિશેષ: ભારતના ઇતિહાસમાં ૬ એવા ઉપરાષ્ટ્રપતિ છે જેઓ પાછળથી રાષ્ટ્રપતિ બન્યા છે (એસ. રાધાકૃષ્ણન, ડો. ઝાકિર હુસૈન, વી. વી. ગિરી, આર. વેંકટરામન, શંકર દયાળ શર્મા અને કે. આર. નારાયણન).
૧૩૦મું બંધારણીય સુધારો બિલ: જો કોઈ મંત્રી એવા ગુનામાં જેલમાં જાય જેમાં ૫ વર્ષ કે તેથી વધુની સજા હોય અને તે સતત ૩૦ દિવસ જેલમાં રહે, તો તે મંત્રી પદ ગુમાવશે તેવી જોગવાઈ આ બિલમાં (આર્ટિકલ ૭૫ અને ૧૬૪ માં સુધારો) પ્રપોઝ કરવામાં આવી છે.
2 714
🔳1929 :- વકીલ અને રાજનેતા સોમનાથ ચેટરજીનો જન્મ થયો.
🔳1958 :- IIT (Indian Institute of Technology) મુંબઇ ની સ્થાપના થઈ.
🔳1977 :- ભારતના બીજા કાર્યકારી રાષ્ટ્રપતિ બી. ડી. જતીનો કાર્યકાળ પૂરો થયો.
🔳1977 :- ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીએ સપથ લીધાં.
🔳1982 :- ભારતના 06 રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીનો કાર્યકાળ પૂરો થયો.
🔳1982 :- ભારતના 07માં રાષ્ટ્રપતિ તરીકે જ્ઞાની ઝેલસિંહએ સપથ લીધાં. અને 1987માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳1987:- ભારતના 08માં રાષ્ટ્રપતિ તરીકે આર. વેંકટરામનએ સપથ લીધાં. અને 1992માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳1992 :- ભારતના 09માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. શંકર દયાલ શર્માએ સપથ લીધાં. અને 1997માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳1997 :- ભારતના 10માં રાષ્ટ્રપતિ તરીકે કે. આર. નારાયણએ સપથ લીધાં. અને 2002માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2002 :- ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામએ સપથ લીધાં. અને 2007માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2007 :- ભારતના 12માં અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા દેવી પાટીલએ સપથ લીધાં. અને 2012માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2012 :- ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે પ્રણબ મુખર્જીએ સપથ લીધાં. અને 2017માં તેમનો કાર્યકાળ પૂરો થયો.
🔳2017 :- ભારતના 14માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ એ શપથ લીધા. અને 2022માં તેમનો કાર્યકાળ પૂરો થશે.
2 714
સુરત મહાનગરપાલિકા લેબોરેટરી ટેક્નીશીયન અને ત્રીજી શ્રેણી ક્લાર્ક (ઓડિટ) પરીક્ષા મુલતવી.
2 714
24 જુલાઈ 2026 દૈનિક વર્તમાન પ્રવાહો
પ્રશ્ન 1. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
(અ) બી.વી.આર. સુબ્રહ્મણ્યમ
(બ) અનુરાગ જૈન
(ક) અમિતાભ કાંત
(ડ) રાજીવ કુમાર
✅ સાચો જવાબ: (બ) અનુરાગ જૈન
સમજૂતી:
કેન્દ્ર સરકારે અનુરાગ જૈનની નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે બે વર્ષના કાર્યકાળ માટે નિમણૂક કરી છે. તેઓ 1989 બેચના મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી છે અને અગાઉ મધ્ય પ્રદેશના મુખ્ય સચિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
તેમણે બી.વી.આર. સુબ્રહ્મણ્યમનું સ્થાન લીધું છે.
નીતિ આયોગના CEOનાં મુખ્ય કાર્યો:
નીતિ આયોગના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કાર્ય કરવું.
નીતિ ઘડવામાં સહાય કરવી.
વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલન કરવું.
ઉપાધ્યક્ષ, પૂર્ણકાલીન સભ્યો અને પદેન સભ્યો સાથે મળીને કાર્ય કરવું.
પ્રશ્ન 2. ગ્લાસગો 2026 રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતના ધ્વજવાહક કોણ છે?
(અ) લવલીના બોરગોહેન
(બ) નીરજ ચોપરા
(ક) મીરાબાઈ ચાનુ
(ડ) પી.વી. સિંધુ
✅ સાચો જવાબ: (ક) મીરાબાઈ ચાનુ
સમજૂતી:
ગ્લાસગો 2026 રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતના ધ્વજવાહક તરીકે મીરાબાઈ ચાનુની પસંદગી કરવામાં આવી હતી.
જ્યારે લવલીના બોરગોહેનને બેટનવાહક (Baton Bearer) બનાવવામાં આવ્યા હતા.
મીરાબાઈ ચાનુ વિશે:
પૂરું નામ: સાઇખોમ મીરાબાઈ ચાનુ
રાજ્ય: મણિપુર
રમત: ભારોત્તોલન
ટોક્યો ઓલિમ્પિક્સ 2020: રજત ચંદ્રક
2017 વિશ્વ ભારોત્તોલન ચેમ્પિયનશિપ: સુવર્ણ ચંદ્રક
મુખ્ય પુરસ્કારો: પદ્મશ્રી અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર
પ્રશ્ન 3. વિદેશી અંશદાન (વિનિયમન) સુધારા વિધેયક, 2026 કયા અધિનિયમમાં સુધારો કરવા માટે લાવવામાં આવ્યું છે?
(અ) સોસાયટીઝ રજીસ્ટ્રેશન અધિનિયમ, 1860
(બ) વિદેશી અંશદાન (વિનિયમન) અધિનિયમ, 2010
(ક) વિદેશી ચલણ વ્યવસ્થાપન અધિનિયમ, 1999
(ડ) કંપની અધિનિયમ, 2013
✅ સાચો જવાબ: (બ) વિદેશી અંશદાન (વિનિયમન) અધિનિયમ, 2010
સમજૂતી:
વિદેશી અંશદાન (વિનિયમન) અધિનિયમ, 2010ને FCRA — Foreign Contribution (Regulation) Act તરીકે ઓળખવામાં આવે છે.
આ કાયદો ભારતમાં:
NGO
ટ્રસ્ટ
સોસાયટી
વગેરે સંસ્થાઓને વિદેશી નાણાં મેળવવા અને તેનો ઉપયોગ કરવા માટેના નિયમો નક્કી કરે છે.
સુધારો શા માટે લાવવામાં આવ્યો?
જો કોઈ NGOનું FCRA નોંધણી રદ થાય, સમર્પિત કરવામાં આવે અથવા બંધ થઈ જાય, તો વિદેશી નાણાંથી ખરીદેલી સંપત્તિનું શું કરવું—આ બાબતે અગાઉ સ્પષ્ટ જોગવાઈ ન હતી.
નવા સુધારા મુજબ:
સંપત્તિ અસ્થાયી રીતે નિયુક્ત સત્તાધિકારીને સોંપવામાં આવશે.
નોંધણી પુનઃસ્થાપિત થાય તો સંપત્તિ NGOને પરત આપવામાં આવશે.
નોંધણી પુનઃસ્થાપિત ન થાય તો સંપત્તિ કાયમી રીતે નિયુક્ત સત્તાધિકારી પાસે રહેશે.
પ્રશ્ન 4. ચર્ચામાં રહેલો તીસ્તા તબક્કો-VI જળવિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે?
(અ) ઉત્તરાખંડ
(બ) હિમાચલ પ્રદેશ
(ક) અરુણાચલ પ્રદેશ
(ડ) સિક્કિમ
✅ સાચો જવાબ: (ડ) સિક્કિમ
સમજૂતી:
તીસ્તા તબક્કો-VI જળવિદ્યુત પ્રોજેક્ટ સિક્કિમના નામચી જિલ્લામાં આવેલો છે.
પ્રોજેક્ટની મહત્વપૂર્ણ માહિતી:
સ્થાન: નામચી જિલ્લો, સિક્કિમ
નદી: તીસ્તા નદી
ક્ષમતા: 500 મેગાવોટ
અમલીકરણ સંસ્થા: NHPC
પ્રકાર: રન-ઓફ-ધ-રિવર જળવિદ્યુત પ્રોજેક્ટ
તીસ્તા નદી:
ઉદ્ગમ: ઉત્તર સિક્કિમમાં ત્સો લ્હામો સરોવર
તીસ્તા નદી બ્રહ્મપુત્ર નદીની ઉપનદી છે.
ભારત અને બાંગ્લાદેશમાંથી વહે છે.
પ્રશ્ન 5. ‘AAROH (Annual Report on Mine Closure)’ ભારતનો પ્રથમ વાર્ષિક અહેવાલ કયા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે?
(અ) ખાણ મંત્રાલય
(બ) પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
(ક) કોલસા મંત્રાલય
(ડ) ભારે ઉદ્યોગ મંત્રાલય
✅ સાચો જવાબ: (ક) કોલસા મંત્રાલય
સમજૂતી:
કોલસા મંત્રાલય દ્વારા AAROH — Annual Report on Mine Closure નામનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે.
આ ભારતનો ખાણ બંધ કરવાની પ્રક્રિયા અંગેનો પ્રથમ વાર્ષિક અહેવાલ છે.
આ અહેવાલમાં જણાવવામાં આવે છે કે જે કોલસાની ખાણોમાં હવે ખનન થતું નથી, તેને:
વૈજ્ઞાનિક રીતે કેવી રીતે બંધ કરવામાં આવી,
જમીનનું સ્થિરીકરણ કેવી રીતે કરવામાં આવ્યું,
પર્યાવરણનું પુનઃસ્થાપન કેવી રીતે કરવામાં આવ્યું,
પાણીનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવ્યું,
અને બંધ થયેલી જમીનનો ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે.
વૈજ્ઞાનિક ખાણ બંધ પ્રક્રિયામાં:
જમીનનું સ્થિરીકરણ
પર્યાવરણનું પુનઃસ્થાપન
જળ વ્યવસ્થાપન
વનસ્પતિનું પુનઃસ્થાપન
ટકાઉ ભવિષ્યના જમીન ઉપયોગનું આયોજન
2 714
સુરત મહાનગરપાલિકા લેબોરેટરી ટેક્નીશીયન અને ત્રીજી શ્રેણી ક્લાર્ક (ઓડિટ) પરીક્ષા મુલતવી.
2 714
શબ્દસમૂહ માટે એક શબ્દ
📌 તારાઓનો સમૂહ: ભગણ/ઉડુગણ/તારકવૃંદ
📌 વખાણ કરનાર: બંદીજન/ભાટ/ચારણ
📌 અન્યનાં દોષ શોધવાનું વલણ: છિદ્રાન્વેષીપણું
📌 આધાર વગરની તરંગી વાત: ઉટાંગ
📌 પવિત્ર હોવાનું ઢોંગ કરતું: ચાગલું
📌 વેતન લીધાં વગર કામ કરનારું: માનાર્હ/માનદ
📌 સવારનો નાસ્તો: શિરામણ
📌 ચંદ્ર પાસે તારાઓનું ઝૂમખું: ગચુમલી
📌 સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી: વૈખરી
2 714
ખાસ નોંધ - હાલ પૂરતી પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં હાલ પ્રવરતી રહેલ ભારેથી અતિભારે વરસાદી પરિસ્થિતિને કારણે ઉમેદવારોના વિશાળ હિત ધ્યાને લઈને મંડળની જા.ક્ર. ૩૭૬, ૩૯૦, ૪૦૦, ૪૦૩, ૪૦૭ /૨૦૨૫૨૬, વર્ગ-૩ની તા.૨૪/૭/૨૬ના રોજ આયોજીત થનાર પરીક્ષા હાલ પૂરતી મૂલતવી રાખવામાં આવે છે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
