cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Fast News By Rikesh

Fastet News, News Chenal Vedio, And Live News In Gujarati ● આ ચેનલ માં આપને તાજા સમાચાર, લાઈવ ન્યુઝ, બ્રેકીંગ ન્યુઝ, ન્યુઝ વિડિઓ મિનિટે મિનિટ ના તાત્કાલિક સમાચાર મેળવવા માટે નીચેની લિંક વડે જોડાવ.. અને આપના ગ્રુપ માં અને મિત્રો ને પણ શેર કરો.👇👇👇

Ko'proq ko'rsatish
Reklama postlari
1 167
Obunachilar
+124 soatlar
+37 kunlar
+230 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Lok Sabha Elections 2024: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થી નેતા અને ઉત્તર પૂર્વ દિલ્હીના કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમાર પર આજે (17મી મે) એક યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર પહેરાવવાના બહાને એક યુવકે કનૈયા કુમારને થપ્પડ ઝીંકી દીધી હતી. જો કે, કનૈયા કુમારના સમર્થકોએ યુવકને પકડી લીધો હતો. આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના ઉસ્માનપુર વિસ્તારના કરતાર નગરમાં બની હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના મહિલા કાઉન્સિલર છાયા શર્મા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મહિલા કાઉન્સિલરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મનોજ તિવારી પર આરોપ લાગ્યાવીડિયોમાં જોઈ શકાય છે કે, હાર પહેરાવ્યા બાદ એક યુવાન કનૈયા કુમારને થપ્પડ ઝીંકી દીધી હતી. કન્હૈયાને થપ્પડ મારનાર યુવાન કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કનૈયા કુમારના સમર્થકોનો આરોપ છે કે આ હુમલા પાછળ ભાજપના ઉમેદવાર મનોજ તિવારીનો હાથ છે.મહિલા કાઉન્સિલરે ફરિયાદ નોંધાવી આપના કાઉન્સિલર છાયા શર્માએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે સાંજે 4 વાગે કરતાર નગરમાં સત્યનારાયણ ભવન કાઉન્સિલરની ઓફિસમાં મીટિંગ પછી લગભગ 7-8 લોકો આવ્યા અને કનૈયા કુમારને હાર પહેરાવવાના બહાને તેમના હુમલો કર્યો હતો.મારી સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો અને મને અને મારા પતિને મારી નાખવાની ધમકી આપી હતી. 30થી 40 લોકો પર કાળી શાહી ફેંકવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. જેમાં ત્રણથી ચાર મહિલાઓને ઈજા થઈ હતી.દિલ્હીમાં 25મી મેના રોજ મતદાનદિલ્હીમાં લોકસભાની કુલ સાત બેઠક છે, જેમાંથી 25મી મેના રોજ  છઠ્ઠા તબક્કામા આ બેઠક પર મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી મનોજ તિવારીને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ બેઠક પરથી કનૈયા કુમારને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પર બંને વચ્ચે જોરદાર ટક્કર છે. 
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
VIDEO: હાર પહેરાવવાના બહાને કનૈયા કુમાર પર હુમલો, આરોપી મનોજ તિવારીના નજીકનો હોવાનો દાવો https://www.gujaratsamachar.com/news/national/north-east-delhi-congress-candidate-kanhaiya-kumar-attacked
Hammasini ko'rsatish...
Parshottam Rupala Controversy : લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપ્યું હતું. ગઈકાલે (16 મે) ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી. આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે રૂપાલાને માફ કરવાની વાત કરી છે અને સંકલન સમિતિ દ્વારા આંદોલન સ્થગિત કરવાની જાહેરાત મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.કરણસિંહ ચાવડાએ કોની સલાહ પર આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો : પદ્મિનીબા વાળાક્ષત્રિય સંકલન સમિતિની જાહેરાત અંગે પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, 'કરણસિંહ ચાવડાએ જે નિર્ણય લીધો છે તે કોની સલાહ પર લીધો? તે કઈ રીતે અને કોના કહેવાથી લીધો છે? આપણા પોતાનાથી કોઈ નિર્ણય લેવામાં આવતો જણાતો નથી. ક્ષત્રિય સમાજનો વિરોધ કોનો હતો? કરણસિંહ બેવડી વાત કરી રહ્યો છે. અગાઉ સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ પણ ઓડિયો બહાર પાડ્યો હતો. જેમાં પી.ટી.જાડેજાએ સંકલન સમિતિના તૃપ્તિબા રાઓલ વિશે વાત કરી હતી. પરંતુ પી.ટી.જાડેજા હવે ક્યાં છે?'અમે તો રૂપાલાને માફ કરીએ છીએ : પદ્મિનીબા વાળારૂપાલાને માફી અંગે પદ્મિનીબાએ કહ્યું હતું કે, 'બહેન-દીકરીઓની અસ્મિતાને લઈને આ લડાઈ હતી. ચૂંટણી પછી પણ રૂપાલાએ કહ્યું હતું કે નારી શક્તિને સમજું છું અને માફી માંગું છું. અમે તો રૂપાલાને માફ કરી દઈએ છીએ. એક નિર્ણય હોવો જરૂરી છે. પરંતુ સંકલન સમિતિએ રૂપાલાને માફ નથી કરતા તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને માફ શું કામ કર્યા? મારૂં સ્ટેન્ડ એ જ છે. અતિની ગતિ ન હતો. અમને પણ રોષ અને ગુસ્સો હતો. મહાસંમેલનો પણ થયા, સરકારે માન ન રાખ્યું. પરંતુ હવે શું? આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું? હવે રૂપાલા પાસે ટિકિટ રદ્દ નથી કરાવી શક્યા તો રાજીનામું અપાવે તેવી સંકલન સમિતિની ત્રેવડ નથી કે તેઓ રાજીનામું અપાવી શકશે. સંકલન સમિતિએ અમને હાથો બનાવ્યો. મારી ટીમને હાથો બનાવ્યો. પોતે બધી પાર્ટી પાસે સારા રહ્યા.ક્ષત્રિય સમાજનું આંદોલન એક રીતે નિષ્ફળ ગયું : પદ્મિનીબા વાળાસંકલન સમિતિ પર આક્ષેપ કરતાં પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, 'સમાજે હવે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. તમે તમારી બહેનો અને દીકરીઓને ટેકો આપીને રાજનીતિ કરો છો. જો ક્ષત્રિયોમાં 120 સંસ્થાઓ હોય તો કઈ કહો? રૂપાલાને માફ કરો કે વિરોધ કરો. પોત્રામાં રેતી ન રાખવી. ક્ષત્રિય સમાજનું આંદોલન એક રીતે નિષ્ફળ ગયું છે. સમાજ એક થયો છે પરંતુ સમાજ ગેરમાર્ગે દોરાયો છે. સમાજ હેરાન થઈ ગયો છે. જે ભાઈઓ-બહેનો ભાજપમાં હતા તેમના રાજીનામાં અપાવી દીધા. હવે સંકલન સમિતિ શું કરવાની છે એજ ખબર નથી પડતી. સંકલન સમિતિ સ્પષ્ટ બોલતી જ નથી. સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો છે. સંકલન સમિતિએ યોગ્ય સમયે નિર્ણય લેવો પડે. રૂપાલાએ પાંચમી વખત માફી માગી છે. તો સંકલન સમિતિએ શું કરવું છે એજ ખબર નથી પડતી. આંદોલન પૂરૂ થઈ ગયું છે. રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારથી જ આંદોલન પૂરૂ થઈ ગયું. હું ક્ષત્રિય સમાજને કહેવા માંગું છું કે હવે સંકલન સમિતિનું આગળનું આંદોલન હશે તે ટિકિટ માટે જ હશે.'સંકલન સમિતિએ કોંગ્રેસ પાર્ટીને ઉભી કરી દીધી : પદ્મિનીબા વાળાસંકલન સમિતિ પર સવાલ ઉઠાવતા પદ્મિનીબાએ કહ્યું હતું કે, 'સંકલન સમિતિએ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો. સમાજને ગેરમાર્ગે લઈ ગયા અને પથારી ફેરવાઈ ગઈ. કોંગ્રેસ પાર્ટીને ઉભી કરી દીધી. અમે સામાજિક છીએ રાજકીય નથી. તો તેમાં ટિકિટ ક્યાંથી આવી. અમે આવતી ચૂંટણીમાં ટિકિટની માંગ કરીશું. રાજ શેખાવતે પણ માંગ મૂકી હતી. જેપી ભાઈએ પણ માંગ મૂકી હતી. સામાજિક છો તો સમાજિક જ રહો.'હું અને મારી ટીમ પરશોત્તમ રૂપાલાની મુલાકાત લઈશું : પદ્મિનીબા વાળાપરશોત્તમ રૂપાલા અંગે પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, 'જો પરશોત્તમ રૂપાલા ઈચ્છશે તો હું અને મારી નારીશક્તિ ટીમ તેમની મુલાકાત લઈશું. સામેથી ફોન કરશો તો મળીશું. જયરાજસિંહ જાડેજાએ બરાબર કર્યું. સંકલન સમિતિએ આખરે એવું જ કર્યું.'
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
'અમે માફ કરીએ છીએ, પરંતુ...', પરશોત્તમ રૂપાલા સામેના આંદોલનને મોકૂફ રાખવા મુદ્દે પદ્મિનીબાનું મોટું નિવેદન https://www.gujaratsamachar.com/news/gujarat/parshottam-rupala-controversy-padminiba-vala-pardon-kshatriya-coordinating-committee
Hammasini ko'rsatish...
Wrong Relationship: જો તમારો પાર્ટનર આવી વાતો કરી છે, તો સમજી લો કે તમને ખોટા સંબંધમાં ફસાઈ ગયા છો https://gujarati.abplive.com/lifestyle/if-your-partner-says-these-lines-to-you-then-this-is-the-sign-of-red-flag-893794 Wrong Relationship: જો તમારો પાર્ટનર આવી વાતો કરી છે, તો સમજી લો કે તમને ખોટા સંબંધમાં ફસાઈ ગયા છો
Hammasini ko'rsatish...
Watch: ચાલું મેચમાં અર્જુન તેંડુલકરનો પિત્તો ગયો,જાણો કોને આપી દીધી ધમકી, જુઓ વીડિયો https://gujarati.abplive.com/sports/cricket/arjun-tendulkar-threatens-marcus-stoinis-reaction-during-mumbai-indians-lucknow-super-giants-match-mi-vs-lsg-ipl-2024-893788 Watch: ચાલું મેચમાં અર્જુન તેંડુલકરનો પિત્તો ગયો,જાણો કોને આપી દીધી ધમકી, જુઓ વીડિયો
Hammasini ko'rsatish...
Elections 2024: માળા પહેરાવવા આવેલા યુવકે કનૈયા કુમાર પર કર્યો હુમલો, જુઓ વીડિયો https://gujarati.abplive.com/elections/kanhaiya-kumar-attacked-during-lok-sabha-election-campaign-in-delhi-893782 Elections 2024: માળા પહેરાવવા આવેલા યુવકે કનૈયા કુમાર પર કર્યો હુમલો, જુઓ વીડિયો
Hammasini ko'rsatish...
ફરી 'નાયક' અવતારમાં જોવા મળશે અનિલ કપૂર, Nayak 2ને લઈને પ્રોડ્યૂસરે કરી મોટી જાહેરાત https://gujarati.abplive.com/entertainment/bollywood/nayak-2-confirmed-after-23-years-rani-mukherji-and-anil-kapoor-may-be-reunite-in-this-movie-893770 ફરી 'નાયક' અવતારમાં જોવા મળશે અનિલ કપૂર, Nayak 2ને લઈને પ્રોડ્યૂસરે કરી મોટી જાહેરાત
Hammasini ko'rsatish...