cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

જ્ઞાન ગંગા એકેડમી

🧠 જ્ઞાન ગંગા એકેડમી 🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા ● Join : @gyaanganga @mehul_pandya

Більше
Рекламні дописи
30 431
Підписники
+924 години
+817 днів
-5730 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કયા શહેરમાં 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું?🎡
Показати все...
💥 શિમલા💥
💥 મનાલી 💥
💥ધર્મશાળા 💥
💥સોલન 💥
👉🏽જવાબ જાણવા માટે ક્લિક કરો 👍
“આભ ગજે, ધરતી ધ્રુજે, ગાયે ગીત મેઘ મલ્હાર તમે ફરતા રહો દેશ વિદેશ, એજ અમારૂં ગુજરાત” ગુજરાત સ્થાપના દિનની આપણને સૌને શુભકામનાઓ… *ગુજરાત સ્થાપના દિવસ*
Показати все...
👍 5
Mehul sir કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યું. નક્કી થયા પ્રમાણે ૧૯૫૮ની ૭ ઓગસ્ટની રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલો ઓટલો તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે ૮ ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી દેવાયું અને ફરી આંદોલન શરૂ કરાયું. 📌આ સત્યાગ્રહને 'ખાંભી સત્યાગ્રહ' નામ આપવામાં આવ્યું. ૨૨૬ દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી.  📌 છેવટે સરકારને આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું. બે વર્ષ સુધીના સંઘર્ષ પછી ૧૯૬૦માં કેન્દ્ર સરકારે 'રાજ્ય પુનર્રચના કાયદો-1956'ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. ગુજરાતી ભાષા બોલતા લોકો માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મહારાષ્ટ્રની રચના કરાઈ. Mehul sir @gyaanganga 📌આઝાદી પહેલાથી ગુજરાત રાજ્યનો વિચાર વહેતો થયો હતો  ગુજરાતની રચના ભલે 1960માં થઈ હોય, પરંતુ તેનો વિચાર 'કુમાર' નામના એક સામયિકમાં 1928માં વહેતો થયો હતો. લેખક અને આઝાદીના લડવૈયા ક.મા.મુનશીએ 'મહાગુજરાત' વિચારને વહેતો મુક્યો હતો. 📌 1937માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. એ જ રીતે ગુજરાત રાજ્યનો પ્રથમ નકશો દેવશવજી પરમારે લખેલા 'ઉથરીષ્ટ જાગરત' નામની કવિતાના આગળના ભાગમાં જોવા મળ્યો હતો.  ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ @gyaanganga mehul sir © ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🍁પ્રાચીન ગ્રંથોમાં પણ છે ઉલ્લેખ🍁 📌 ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. 📌આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. 📌કૃષ્ણએ જે નગરી વસાવી હતી તે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું કહેવાય છે, પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. 📌 ત્યાર પછી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. પ્રાચીનકાળમાં ગુજરાતને 'પશ્ચિમ ભારતનું ઘરેણું' પણ કહેવાતું હતું.   ➖➖➖➖➖➖➖➖➖➖➖ Mehul sir © @Gyaanganga ➖➖➖➖➖➖➖➖➖➖➖
Показати все...
👍 5
📌 આજે ગુજરાત સ્થાપના દિવસ છે. મેહુલ સર જોડે ચર્ચા જેઓ જ્ઞાન ગંગા ગ્રૂપ એડમીન છે. 📌 1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચને 'સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956'ના આધારે કરવામાં આવી હતી. 📌 ભારત દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા. આઝાદી પછી દેશી રજવાડાઓનો ગુજરાતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા. અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે અને વડાપ્રધાન બનતા પહેલાં તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને શ્રીમંત મુકેશ અંબાણી પણ ગુજરાતના છે.  મેહુલ સર જ્ઞાનગંગા ગ્રૂપ 📌 સમગ્ર દેશમાં ગુજરાતનું વિકાસ મોડલ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખૂણે-ખૂણે નહીં પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યાં જાવ, ત્યાં તમને ગુજરાતી જરૂર મળી જશે.  🍁મહાગુજરાત આંદોલન અને ખાંભી સત્યાગ્રહ @gyaanganga🍁 📌 ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જોકે, ૧૯૫૬માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. 📌 ૧૯૫૬માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 'મહાગુજરાત આંદોલન' તરીકે પ્રસિદ્ધિ પામ્યું. 📌 ૧૯૫૬ની ૭મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા ગયા હતા. વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો હતા, પણ સામે થ્રી-નોટ-થ્રી રાઈફલ હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. 📌 ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો. એ પછી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને મોરારજીની નેતાગીરીને તમાચો માર્યો. 📌 ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા. લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનના ઓટલા ઉપર જ શહીદ સ્મારક બનાવાની જાહેરાત કરી. ખંતિલા યુવાનોને સ્મારકની કામગીરી સોંપાઈ.   ➖➖➖➖➖➖➖➖➖➖ @gyaanganga 🍁 Mehul sir © ➖➖➖➖➖➖➖➖➖➖
Показати все...
👍 1 1
🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
Показати все...
  💫💫આકાર હરિન્દ્ર દવે💫💫
💫💫  ચૌલા દેવી ધૂમકેતુ💫💫
 💫💫 અમૃતા રઘુવીર ચૌધરી💫💫
લોહીની સગાઇ ઇશ્વર પેટલીકર
જવાબ જાણવા માટે અહી ક્લિક કરો
🕌 રાણી સીપ્રીની મસ્જિદ 🕌 ⛓ સીપ્રીના નામે જાણીતી આ મસ્જિદ સુલાતન અહમદની પત્ની રાણી અસમીએ ઈ.સ. ૧૫૧૪ (હિજરી સંવત ૯૨૮)માં બંધાવી હતી. ⛓ “મીરાંતે સિકંદરી’માં તેનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. ⛓ અમદાવાદમાં આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી આ મસ્જિદ કદમાં નાની છે, પણ સ્થાપત્યકલાનો ઉત્ક ષ્ટ નમૂનો છે. ⛓ તેનું નકશીકામ અત્યંત ઝીણું અને નાજુક છે. અત્યંત બારીક, કલાત્મક નકશીકામ ધરાવતી આ મસ્જિદ છે. ⛓ તેને “મસ્જિદે નગીના'નું ઉપનામ આપવામાં આવ્યું છે. Join :
Показати все...
*▪️તળપદા શબ્દો▪️* ૧.પિયારું➖પારકું ૨.ખટ➖ષટ્ ૩.પો'ર➖પરહર ૪.જગન➖યજ્ઞ ૫.હિમારી➖તમારી ૬.અનંભે➖નિર્ભય ૭.ઓળો➖છાયા ૮.લાંક➖મરોડ ૯.હટાણું➖ખરીદી ૧૦.અડાળી➖રકાબી ➖➖➖➖➖➖➖➖➖➖➖ @gyaanganga
Показати все...
🌹જળ સંસાધનનો મુખ્ય સ્રોત ક્યો છે ? 👉🏻 વૃષ્ટિ 🌹'પૃષ્ઠીય જળ'નો મુખ્ય સ્રોત ક્યો છે ? 👉🏻 નદીઓ 🌹 કાવેરી નદીમાંથી કઇ નહેરનું નિર્માણ થયું ? 👉🏻 નર્મદા નહેર 🌹 ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ પ્રદેશ બનાવે છે ? 👉🏻 મહાનદી 🌹 કૃષ્ણા નદી ક્યા રાજ્યની નદી છે ? 👉🏻 આંધ્ર પ્રદેશ 🔥🔥Join:- @gyaanganga🔥🔥
Показати все...
💥🤖 *રોબોટ વિશે અવનવું* 🤖💥 👉 પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા ' રોબોટ - મિત્ર (Mitra) (Most IMP) 👉 પ્રથમ ભારતીય ઇન્ડસ્ટ્રીયલ રોબોટ - બ્રાબો (BRABO), ટાટા ઇન્ડસ્ટ્રીઝ 👉 પ્રથમ ભારતીય બેન્કીંગ રોબોટ - લક્ષ્મી, સિટી યુનિયન બેન્ક 👉 પ્રથમ ભારતીય રોબોટ રેસ્ટોરન્ટ- ચેન્નાઇ 👉 પ્રથમ ભારતીય પોલીસ રોબોટ - હૈદરાબાદ 👉 પ્રથમ ભારતીય ટ્રાફિક રોબોટ- ઈન્દોર 👉 પ્રથમ રોબોટ જેને નાગરિકતા પ્રાપ્ત થઈ - સોફિયા, સાઉદી અરેબિયા ની નાગરિકતા (Most IMP) 👉 પ્રથમ રોબોટ જે દેશમાં ચુંટણી લડશે - સેમ, ન્યુઝીલેન્ડ દેશમાં (IMP) 👉 પ્રથમ રોબોટ પોલીસ - રોબોકોપ, દુબઈ પોલીસ 〰〰♦️♦️〰〰♦️♦️〰〰♦️♦️〰 Join:- @gyaanganga 〰〰♦️♦️〰〰♦️♦️〰〰♦️♦️〰
Показати все...
👍 2
💫💫 સામાન્ય વિજ્ઞાન.💫💫 🍓🍓 સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે🌹 💐ફ્લોરિન 🍓🍓સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે🌹 💐સિઝિયમ 🍓🍓સૌથી હલકું તત્વ કયું છે🌹 💐હાઇડ્રોજન 🍓🍓સૌથી હલકું ધાતુ તત્વ કયું છે🌹 💐લિથીયમ 🍓🍓સૌથી ભારે તત્વ કયું છે🌹 💐કાર્બન ડાયોક્સાઇડ 🍓🍓સૌથી ભારે ધાતુ તત્વ કયું છે🌹 💐ઓસ્મિયમ 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋 Join:- @gyaangang💫💫 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
Показати все...