RAM RATHOD'S GUIDANCE
ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી માટે ઉપયોગી * Authentic PDF * Daily Current Affairs * Motivation Dose * Regular GK Update કોઈપણ પ્રશ્ન માટે સંપર્ક કરો @RAMRATHODSIR ______________________
Больше2 988
Подписчики
-124 часа
+177 дней
+4030 дней
- Подписчики
- Просмотры постов
- ER - коэффициент вовлеченности
Загрузка данных...
Прирост подписчиков
Загрузка данных...
✨✨પેરિસ ઓલમ્પિક 2024✨✨
સંસ્કરણ👉 33 મું (પ્રથમ 1896)
ક્યાં આયોજિત થશે👉 પેરિસ ફ્રાન્સ
દર કેટલા વર્ષે આયોજન👉 4 વર્ષે
ઉદ્ઘાટનના ધ્વજવાહક👉શરથ કમલ અને પી.વી સિંધુ
Join✨ @Ram_rathods_guidance
મશાલવાહક👉 અભિનવ બિન્દ્રા
સેફ ડે મિશન👉 ગગન નારંગ
સ્પોન્સર કોણ કરશે👉 અદાણી ગ્રુપ
નવી કેટલી રમતો ઉમેરાઈ👉 4
ભારતીય ટીમનું નેતૃત્વ કોણ કરશે👉 નીરજ ચોપડા ( ગોલ્ડન બોય)
2028 નો ઓલમ્પિક ક્યાં રમાશે👉 લોસ એન્જેલસ
ભારતમાં ક્યારે યોજાશે👉2036
ક્રિકેટને ક્યારથી સામેલ કરશે👉 2028 થી
Join @Ram_rathods_guidance
તમારા મિત્રો સુધી શેર કરજો...
👍 2
Фото недоступноПоказать в Telegram
"ગ્રીન ગુજરાતના સંકલ્પને સાર્થક કરવા પાયારૂપ ચાર નવીન યોજનાઓનો પ્રારંભ."
૧. હરિત વન પથ યોજના
– આ યોજના અંતર્ગત વિવિધ માર્ગોની બન્ને બાજુએ દર કિલોમીટરે ૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવશે.
૨. પંચરત્ન ગ્રામ વાટિકા
– આ યોજના અંતર્ગત રાજ્યભરના ૧ હજાર ગામોમાં ૫૦ હજાર (ગામ દીઠ પચાસ) રોપાનું વાવેતર કરવામાં આવશે.
૩. અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર
– આ યોજના અંતર્ગત અમૃત મહોત્સવ નિમિત્તે નિર્મિત થયેલા અમૃત સરોવરની ફરતે ૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવશે.
૪. નર્સરીમાં ટોલ સીડલિંગ તૈયાર કરવાનું મોડલ
– આ યોજના અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ હસ્તકની નર્સરીઓમાં ટોલ સીડલિંગ તૈયાર કરવામાં આવશે.
👍 7
Фото недоступноПоказать в Telegram
અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, - 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવતા દેશમાં કટોકટી લાગુ કરીને ભારતીય લોકશાહીના આત્માનું ગળું દબાવી દીધું હતું.
લાખો લોકોને કારણ વગર જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો.
ભારત સરકારે દર વર્ષે 25 જૂનને 'બંધારણ હત્યા દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે.
આ દિવસ એ તમામ લોકોના વિરાટ યોગદાનની યાદ અપાવશે, જેમણે 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરી હતી.
ભારતના બંધારણના અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવાનો અધિકાર છે.
વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળના મંત્રીમંડળની લેખિત ભલામણ પર કટોકટીની જાહેરાત કરવામાં આવે છે.
આના હેઠળ નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો મોકૂફ થઈ જાય છે.
જ્યારે સમગ્ર દેશ કે કોઈ રાજ્યમાં દુકાળ, બાહ્ય દેશોના આક્રમણ કે આંતરિક વહીવટી અવ્યવસ્થા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ ઉત્પન્ન થાય, તે સમયે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં ચાલી જાય છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત કટોકટી લાગુ થઈ ચૂકી છે.
આમાં વર્ષ 1962, 1971 તથા 1975માં અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે 1975માં કટોકટી લાગુ કરવાની જાહેરાત અલાહાબાદ હાઈકોર્ટના એક ચુકાદા બાદ આવી હતી. હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીના ચૂંટણીને પડકારતી અરજી પર 12 જૂન 1975ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો.
હાઈકોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની રાયબરેલીથી ચૂંટણીને રદ કરી દીધી હતી અને આગામી 6 વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો.
આ પછી ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગ શરૂ થઈ ગઈ અને દેશમાં જગ્યા-જગ્યાએ આંદોલનો થવા લાગ્યા.
સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો.
આ પછી કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી.
રાજકીય પક્ષો આને અલોકતાંત્રિક નિર્ણય ગણાવતા ઇન્દિરા સરકાર અને કોંગ્રેસને ઘેરતા રહ્યા. જે પરિસ્થિતિઓમાં કટોકટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે રીતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આની જાણકારી આપી, તે અંગે સવાલો ઉઠ્યા. ઇન્દિરા સરકારના નિર્ણયને સરમુખત્યારશાહી ગણાવતા વિવિધ સંગઠનો વિરોધમાં ઉતરી આવ્યા અને ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો.
👍 1
GST લાગુ થયો હતો : 1 જુલાઈ 2017
GSTનું મોડલ કયાથી લેવામાં આવ્યું હતું: કેનેડા
GST બીલ પાસ કરનાર પ્રથમ રાજ્ય : અસમ
GST લાગુ કરનાર પ્રથમ રાજ્ય:- તેલંગણા
GST લાગુ કરવાનો વિચાર: વિજય કેલકર સમિતિ દ્વારા આપવામાં આવેલો
GSTનું ગઠન : અનુરછેદ 279 A
Join @Ram_rathods_guidance
GST અધિનિયમ : 101 અનુસાર
GST પરિષદનું મુખ્યાલય :દિલ્હી
GST બીલના અધ્યક્ષ : ભારતના નાણામંત્રી
GST અપનાવવાવાળા દેશની સંખ્યા : 160
GST ડ્રાફ્ટના પ્રથમ અધ્યક્ષ : અસીમ દાસ ગુપ્તા
GST લાગુ કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ : ફ્રાંસ
GST ના પ્રકાર : CGST, SGST, IGST
GSTનું પૂરું નામ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
👍 7
પેરિસ સમર ઓલિમ્પિક્સ, 2024 ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ અને ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલને નિયુક્ત કરવામાં આવ્યા છે...
Join @Ram_Rathods_guidance
👍 2
Выберите другой тариф
Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.