Maths Buddies By Janisir
Открыть в Telegram
આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.
БольшеСтрана не указанаКатегория не указана
626
Подписчики
Нет данных24 часа
+67 дней
-1330 день
Архив постов
https://t.me/mathsbyjanisir
ચાલો મિત્રો આવી જાવ ટેલીગ્રામ પર આપડી ચેનલ માં હમણાં જ આપડી વચ્ચે પ્રશ્નો આવશે ..... ત્યાં સુધી આ લિંક ને શેર કરો...
જય હિન્દ .... કાલે આપડે 20 પ્રશ્નો જોયા હતા અને આજે પણ 10 પ્રશ્નો સોલ્વ કરવાના છે👌👌 માટે તમામ વિધાર્થીઓ સુધી આ ચેનલની લિંક શેર કરો અને ગણિત, રિજનિંગ જેવા વિષયો સાથે દોસ્તી કરો ...😂😂
પંચાયતી રાજ વ્યવસ્થા:
📌 પંચાયતી રાજ વ્યવસ્થા શું છે?
ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીને મજબૂત બનાવવા માટે રચાયેલી ત્રણ સ્તરીય સ્થાનિક સ્વરાજ્ય પ્રણાલી એટલે પંચાયતી રાજ વ્યવસ્થા. તેમાં ગામના લોકો પોતાના પ્રતિનિધિઓ દ્વારા વિકાસ અને શાસનમાં સીધી ભાગીદારી કરે છે.
🏛 ઇતિહાસ અને વિકાસ
🔹 પ્રાચીન ભારતમાં ગામ પંચાયતો અસ્તિત્વમાં હતી.
🔹 ૧૯૫૭માં બાલવંતરાય મહેતા સમિતિએ પંચાયતી રાજની ભલામણ કરી.
🔹 ૨ ઑક્ટોબર ૧૯૫૯એ રાજસ્થાનમાં પ્રથમ વખત પંચાયતી રાજનો અમલ થયો.
🔹 ૧૯૯૨માં ૭૩મો બંધારણીય સુધારો અધિનિયમ પસાર થયો.
🔹 ૨૪ એપ્રિલ ૧૯૯૩થી પંચાયતોને બંધારણીય દરજ્જો મળ્યો.
📜 ૭૩મો બંધારણીય સુધારો – મુખ્ય મુદ્દા
✅પંચાયતોને બંધારણીય માન્યતા
✅ત્રણ સ્તરીય રચના ફરજિયાત
✅દર ૫ વર્ષે ચૂંટણી
✅મહિલા અને પછાત વર્ગ માટે આરક્ષણ
✅રાજ્ય ચૂંટણી આયોગની રચના
🏗 પંચાયતી રાજના ત્રણ સ્તરો
🔸 ગ્રામ પંચાયત
✅ ગ્રામ સ્તરે કાર્ય કરે છે
✅ સરપંચ મુખ્ય વડા હોય છે
✅ગામ વિકાસના કાર્યો સંભાળે છે
🧑🤝🧑 સભ્યો અને આરક્ષણ
➡️ મહિલા માટે ઓછામાં ઓછું ૩૩% આરક્ષણ
➡️ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે વસ્તી પ્રમાણે આરક્ષણ
➡️ ગુજરાતમાં મહિલાઓ માટે ૫૦% આરક્ષણ અમલમાં છે
🗳 ચૂંટણી વ્યવસ્થા
➡️દર ૫ વર્ષે નિયમિત ચૂંટણી
➡️રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજન
➡️મતદાન દ્વારા સીધી લોકભાગીદારી
🎯 પંચાયતી રાજનું મહત્વ
✅લોકશાહીનું મૂળ સ્તર
✅જનભાગીદારી વધે
✅સ્થાનિક સમસ્યાઓનો ઝડપી ઉકેલ
✅ગ્રામ્ય વિકાસને વેગ
✅પ્રશાસનમાં પારદર્શિતા
Padmashri Sureshbhai Soni Passing Away
: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત સુરેન્દ્રનગર ના સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે નિધન થયું છે. હૃદય રોગના હુમલા બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.સુરેશભાઈ સોનીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજ દ્વારા તરછોડાયેલા કુષ્ઠરોગીઓની નિસ્વાર્થ સેવા માટે અર્પણ કરી દીધું હતું. તેમણે સુરેન્દ્રનગર ખાતે 'સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ' સંસ્થાની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં હજારો કુષ્ઠરોગીઓને માત્ર સારવાર જ નહીં, પરંતુ રહેવા-જમવા અને સન્માનજનક જીવન જીવવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હતી. તેમની આ અપ્રતિમ સેવા બદલ ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત 'પદ્મશ્રી' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
Уже доступно! Исследование Telegram 2025 — ключевые инсайты года 
