વિદ્યાદર્શી by Dr. Vibha Trivedi✍️🏆
*Dr.Vibha Trivedi* 📚🖋️ UPSC, Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા TET-TAT , police, psi,Asi, sub account, high court assistant વગેરે માટે ઉપયોગી પ્રશ્નોત્તરી અને એના માટે ભાષાસજ્જતા *કેળવણીપરબ*.......
نمایش بیشتر1 072
مشترکین
-124 ساعت
+297 روز
+28930 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤
══════════════════════
1) UPSC Compulsory
નિબંધ - સંક્ષેપ - ગદ્યસમિક્ષા
2) UPSC Optional
Gujarati Mains
➡️ Limited વિદ્યાર્થીઓ લેવાના હોવાથી
વહેલાં તે પહેલાંના ધોરણે પ્રાધાન્ય
આપવામાં આવશે.
📲 For Registration: 9924152434
🌐 Be a Part of Our Instagram
Family: https://www.instagram.com/_vidyadarshi?igsh=MWs4ZWltYzFvdzJkeQ==
❤️ @VidyadarshiOfficial
❤ 3👏 2🤩 2🔥 1
GPSC 1/2 ની પ્રિલીમ પરીક્ષામાં જે વિદ્યાર્થીમિત્રોએ સફળતા મેળવી છે એ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન..અઢળક શુભેચ્છાઓ 💐💐🌄💐
🙏 5
Repost from જ્ઞાનઆરસી by Aastha Rajput🌅✍📚
Photo unavailableShow in Telegram
Gpsc 1/2 અને UPSC ( compulsory) ના વિદ્યાર્થીઓ માટે કેટલાક નિબંધો :
૧) ભારતીય કલા અને સંસ્કૃતિ પર વૈશ્વિકીકરણની અસર
૨) જિજ્ઞાસુપણું એ ' સ્વશિક્ષણ ' નું બીજું નામ છે.
૩) શું ભારતમાં યુવાનોએ રાજનીતિને કારકિર્દી તરીકે ગણવી જોઈએ ?
૪) સ્વસ્થ પર્યાવરણ માટે આપણે મજબૂત અર્થ વ્યવસ્થાને બલિદાન આપવાની જરૂર નથી.
૫) બંદર પરનું જહાજ સલામત છે , પણ જહાજની રચના બંદર પર સ્થાયી રહેવા માટે થઈ નથી.
આપનો વિચાર કૉમેન્ટ થકી મૂકી શકો છો.
👍 10
Repost from N/a
અખો ભગત રચિત પંક્તિ :
મધ્યકાળના સિધ્ધહસ્ત જ્ઞાનમાર્ગી કવિ અખા ભગત રચિત પ્રસ્તુત પંક્તિમાં જીવજીવનની યથાર્થતા વર્ણવાઈ છે.
જીવ માત્રને પોતાના મૂળિયા વિશે કોઈ જ્ઞાન નથી. પોતે ક્યાંથી આવ્યો છે અને પોતાની જવાની સાચી દિશા કંઈ છે, એનાથી બિલકુલ અજાણ જીવ દુષ્કૃત્યો કરતા અચકાતો નથી.
ટૂંકમાં, આ પંક્તિ દ્વારા કવિએ ' તત્વમસિ ' ની વ્યાખ્યા સમજાવી છે.
👍 2
Repost from N/a
પ્રહલાદ પારેખ રચિત પંક્તિ મુજબ :
" અહી આધુનિક યુગના માનવીના જીવનની ઘરેડ વર્ણવી છે. પ્રથમ પુરુષ એ. વ માં લખાયેલી આ પંક્તિમાં માનવીની પોતાના જીવન પ્રત્યેની ઉદાસીનતા પ્રદર્શિત કરે છે. રોજિંદી કામગીરીમાં આજનો માનવી એ રીતે વણાઈ ચૂક્યો છે કે એને આ કામગીરી આનંદ નથી આપતી . કરવું પડે છે એટલે કામ કરે છે. જીવવું પડે છે એટલે જીવ છે. આજના માનવીને જિંદગીના કોરા ચિત્રમાં રંગ પૂરવાની જાણે ઈચ્છા રહી નથી !! કહેવાય છે કે , " આપણે જે કામ કરીએ છીએ એ કામ કરવા માટેના નિશ્ચિત લક્ષ્યથી અવગત આપણે હોવા જ જોઈએ "
આધુનિક યુગે માનવીને ભૌતિકવાદી બનાવ્યો છે પણ જિંદગી જીવવા કરતાં જિંદગી વેંઢારતો કરી દીધો છે એવું કહેવામાં કશી અતિશયોક્તિ નથી.
- વિદ્યાદર્શી
👍 4
વિદ્યાર્થી મિત્ર દ્વારા પૂછવામાં આવેલી પંક્તિનો સારરૂપ ઉત્તર બીજા વિદ્યાર્થી મિત્રો માટે મૂકું છું. જે પૈકી આ પ્રશ્ન છે.
જે મિત્રોએ કાલે મૂકેલા વિચારને વાચા આપી છે એ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સૌ સમજવામાં સફળ રહ્યા છો. ક્યાંક ક્યાંક વાક્યોને પરીક્ષાના સ્તરે મૂકવાની પીઢતા ઉમેરવી પડશે , એ નમ્ર સૂચન ! જોકે આવી જશે 😊
અર્થ મારી દ્વષ્ટિએ :
" વરસાદ એ જીવ માત્રને કાળઝાળ ગરમીમાં મીઠી શાતા અર્પે છે. જેથી ગરમી જ્યારે પ્રકોપ બતાવે છે ત્યારે સૌ કોઈ વરસાદની રાહ જોતાં હોય છે જે સામાન્ય વાત છે.એટલે કે , જેની સૌ કોઈ રાહ જોતા હોય એવું ' સ્પેશિયલ ' વ્યક્તિત્વ પ્રાપ્ત કરવું હોય તો સૌ પ્રથમ પોતાના સમગ્ર વ્યક્તિત્વનું હનન કરવાની શકિત અને સૂઝ કેળવવી જ પડે. પો. તાનો વિનાશ કર્યા પછી પોતાનો વિકાસ કરવાની શકિત જેનામાં હશે એ જ જીવનમાં ' સ્પેશિયલ ' એટલે કે આગવી પ્રતિભા મેળવી શકે છે. આ જ સત્ય છે પ્રકૃતિનું અને આપણું પણ.
પડ્યા પછી ઉભુ થવાનો આત્મવિશ્વાસ જેનામાં અડગ હોય એને કોઈ તત્ત્વ નિષ્ફળ કરી શકતું નથી..
🙏😊
👍 16🙏 3