fa
Feedback
Limited 10 પોસ્ટ✍

Limited 10 પોસ્ટ✍

رفتن به کانال در Telegram

18000 વાચકો, નિજાનંદ અને માતૃભાષાના પ્રસાર માટે ધબકતું, Limited 10 ✉ પોસ્ટ ગ્રુપ, મારી ડિજિટલ પોકેટ 📚 લાઈબ્રેરી

نمایش بیشتر
کشور مشخص نشده استدسته بندی مشخص نشده است
3 702
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+27 روز
+7030 روز

در حال بارگیری داده...

ابر برچسب‌ها
هیچ داده‌ای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
دسامبر '24
دسامبر '24
+1
در 0 کانال‌ها
نوامبر '24
+7
در 0 کانال‌ها
Get PRO
اکتبر '24
+7
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '24
+32
در 0 کانال‌ها
Get PRO
اوت '24
+339
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '240
در 0 کانال‌ها
Get PRO
ژوئن '240
در 0 کانال‌ها
Get PRO
مه '240
در 0 کانال‌ها
Get PRO
آوریل '240
در 0 کانال‌ها
Get PRO
مارس '240
در 0 کانال‌ها
Get PRO
فوریه '240
در 0 کانال‌ها
Get PRO
ژانویه '240
در 0 کانال‌ها
Get PRO
دسامبر '230
در 0 کانال‌ها
Get PRO
نوامبر '230
در 1 کانال‌ها
Get PRO
اکتبر '230
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '230
در 0 کانال‌ها
Get PRO
اوت '230
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '230
در 0 کانال‌ها
Get PRO
ژوئن '230
در 0 کانال‌ها
Get PRO
مه '230
در 0 کانال‌ها
Get PRO
آوریل '230
در 0 کانال‌ها
Get PRO
مارس '230
در 0 کانال‌ها
Get PRO
فوریه '23
+21
در 0 کانال‌ها
Get PRO
ژانویه '23
+63
در 0 کانال‌ها
Get PRO
دسامبر '22
+70
در 0 کانال‌ها
Get PRO
نوامبر '22
+53
در 0 کانال‌ها
Get PRO
اکتبر '22
+52
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '22
+100
در 0 کانال‌ها
Get PRO
اوت '22
+116
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '22
+123
در 0 کانال‌ها
Get PRO
ژوئن '22
+112
در 0 کانال‌ها
Get PRO
مه '22
+99
در 0 کانال‌ها
Get PRO
آوریل '22
+116
در 0 کانال‌ها
Get PRO
مارس '22
+140
در 0 کانال‌ها
Get PRO
فوریه '22
+102
در 0 کانال‌ها
Get PRO
ژانویه '22
+148
در 0 کانال‌ها
Get PRO
دسامبر '21
+172
در 0 کانال‌ها
Get PRO
نوامبر '21
+100
در 0 کانال‌ها
Get PRO
اکتبر '21
+97
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '21
+94
در 0 کانال‌ها
Get PRO
اوت '21
+125
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '21
+106
در 0 کانال‌ها
Get PRO
ژوئن '21
+137
در 0 کانال‌ها
Get PRO
مه '21
+123
در 0 کانال‌ها
Get PRO
آوریل '21
+142
در 0 کانال‌ها
Get PRO
مارس '21
+2 688
در 0 کانال‌ها
تاریخ
رشد مشترکین
اشارات
کانال‌ها
09 دسامبر0
08 دسامبر0
07 دسامبر0
06 دسامبر0
05 دسامبر0
04 دسامبر0
03 دسامبر0
02 دسامبر0
01 دسامبر+1
پست‌های کانال
08/03/2022 ✉ *English Post* ✉ *The Blind Men and The Elephant* Source: https://t.me/moral_stories A long time ago in the valley of the Brahmaputra River in India there lived six men who were much inclined to boast of their wit and lore. Though they were no longer young and had all been blind since birth, they would compete with each other to see who could tell the tallest story. One day, however, they fell to arguing. The object of their dispute was the elephant. Now, since each was blind, none had ever seen that mighty beast of whom so many tales are told. So, to satisfy their minds and settle the dispute, they decided to go and seek out an elephant. Having hired a young guide, Dookiram by name, they set out early one morning in single file along the forest track, each placing his hands on the back of the man in front. It was not long before they came to a forest clearing where a huge bull elephant, quite tame, was standing contemplating his menu for the day. The six blind men became quite excited; at last they would satisfy their minds. Thus it was that the men took turns to investigate the elephant’s shape and form. As all six men were blind, neither of them could see the whole elephant and approached the elephant from different directions. After encountering the elephant, each man proclaimed in turn: “O my brothers,” the first man at once cried out, “it is as sure as I am wise that this elephant is like a great mud wall baked hard in the sun.” “Now, my brothers,” the second man exclaimed with a cry of dawning recognition, “I can tell you what shape this elephant is – he is exactly like a spear.” The others smiled in disbelief. “Why, dear brothers, do you not see,” said the third man, “this elephant is very much like a rope,” he shouted. “Ha, I thought as much,” the fourth man declared excitedly, “this elephant much resembles a serpent.” The others snorted their contempt. “Good gracious, brothers,” the fifth man called out, “even a blind man can see what shape the elephant resembles most. Why he’s mightily like a fan.” At last, it was the turn of the sixth old fellow and he proclaimed, “This sturdy pillar, brothers, mine, feels exactly like the trunk of a great areca palm tree.” Of course, no one believed him. Their curiosity satisfied, they all linked hands and followed the guide, Dookiram, back to the village. Once there, seated beneath a waving palm, the six blind men began disputing loud and long. Each now had his own opinion, firmly based on his own experience, of what an elephant is really like. For after all, each had felt the elephant for himself and knew that he was right! And so indeed he was. For depending on how the elephant is seen, each blind man was partly right, though all were in the wrong. #moral #synergy ---------------------------- ટીમ ✍🏼 *Limited 10 પોસ્ટ* વતી, પ્રતિત પટેલ (આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) [ 85 ગ્રુપ, 18000 જેટલા વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી] *જોડાઓ, અમારી સાથે* વોટ્સએપ: 07041143511 ટેલિગ્રામ: https://t.me/limited10post

2
09/03/2022
122
3
સ્પેનિશ કહે છે કે બેમાંથી એક જ્યારે ગજવામાં હાથ નાખે છે ત્યારે એક મિત્ર હસે છે બીજો રડે છે. ચાર્લ્સ ડિકન્સે લખેલું કે આંધળા કરી દેતી પૃથ્વીની ધૂળ ધોવા માટે આંસુનો વરસાદ જરૂરી છે એ સ્વર્ગ સમજે છે. શું આંસુ ગંદકી કરે છે? આંસુ બિભત્સ વસ્તુ છે? રડવું દુર્જનતા છે? રડવું ગેરકાયદેસર છે? ગોથે તો એટલે સુધી કહે છે કે રડતાં હો ત્યારે કશું ખાવ જેથી જીવનનો સ્વાદ સમજાય. સેમ્યુઅલ બેકે માનતા કે વિશ્વના કુલ આંસુનો જથ્થો કાયમ એનો એ જ રહે છે, ક્યારેક કોઈ રડે તો ક્યારેક કોઈ અન્ય. વર્લ્ડમાં અમુક આઇટમ આંસુને બોટલમાં પેક કરે છે. બાઇબલમાં આંસુને શીશીમાં ભરવાના શબ્દો છે એટલે ઘણે ઠેકાણે પ્રતીક રૂપ આંસુ ભરેલી બોટલ ગિફ્ટમાં આપવી હૂંફ દર્શાવાની રીત છે. ગીતાના બીજા અધ્યાયના પહેલા શ્લોકમાં સંજય જુએ છે કે અર્જુનની આંખ અશ્રુપૂર્ણ છે. આંસુ વિષાદની બાય પ્રોડક્ટ છે. આંસુ ટોચ પર પહોંચાડતા ઘણાં પગથિયાંમાંના અમુક પાકા પગથિયાં છે. આંસુ ટંકાર છે. પોકાર છે. કોઈ ગમે તે કહે 'ને પરિસ્થિતિ જે હોય તે આંસુ આપણાં પોતાના ફળ 'ને તેમાં રહેલાં બીજ છે. *બુઝારો:-* આવશ્યકતા પૂરી કરવા, લાચારી દૂર કરવા 'ને પસ્તાવો ના થાય એ માટે પાડેલા આંસું એળે જાય ત્યારે રડવાનું મરી જાય. ---------------------------- ટીમ ✍🏼 *Limited 10 પોસ્ટ* વતી કૃષિત પટેલ (આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) [85 ગ્રુપ, 18000 જેટલા વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી] *જોડાઓ, અમારી સાથે* વોટ્સએપ: 07041143511 ટેલિગ્રામ: https://t.me/limited10post
123
4
રડવું એ કોમ્યુનિકેશનની રીત પણ છે. આંખ ભીની થયેલી યોગ્ય જીવને દેખાય એ પછી શબ્દો રિલે કરવાની આવશ્યકતા ઓછી રહે. નિ:સંદેહ મગરનાં આંસુ પાડનારા સાપ, અજગર 'ને ડાયનોસોર જેવા માણસો હોય છે. ભીની આંખ કે ચોધાર આંસુ વડે ઇમોશ્નલ બ્લેકમેલ કરનારા પડ્યા છે એની ના જ નથી. રડવા પછી સારું ફિલ થાય એ પહેલાં આંખો લાલ થાય, ધ્રુજારી થાય, મોંમાં લાળ આવે, નાક દદડે એવું બને. આસપાસ દર્શકો છે 'ને મને સ્ટેજ મળ્યું છે એમ માનીને અમુક શરીર ઢળી પાડવાનું પસંદ કરે એ ઘટનાને જવા દઈએ. શરીર નબળું હોય તો કોઈને ચક્કર આવે કે બેભાન થઈ જાય એવું પણ બને. ખૂબ મોટી ખોટ પડી હોય તો અન્ય ટ્રોમેટિક ઇફેક્ટ પણ આવી શકે છે. ખેર, રોજ રડવું એ અયોગ્ય. રડવાનું રોકી ના શકો એમ રડ્યા કરવું એ ઠીક નથી. અસામાન્ય રીતે ચીસો પાડીને કે અન્ય વિશિષ્ટ ક્રિયા કરતાં રડવું બરાબર નથી. નિત્યકર્મમાં અટકાવ આવે એમ રડવું એ ખોટું. કારણ વિના રડવું તો સાવ ખરાબ. બાકી રડવું એ ગુડ 'ને રાઇટ ચોઇસ. રડવાના સમયે ના રડો તો ઊંઘ બરાબર ના આવે. સંભવ છે કે ઊંઘ આવે તો બોગસ સપના આવે કે ઊંઘ ઊડી જાય. લહે છે કે અમેરિકન પુરુષ ૧.૯ વાર મહિનામાં રડે છે 'ને મહિલા ૩.૫ વાર. ના રે કેટલી વાર રડવું એના કોઈ વૈશ્વિક સ્ટાન્ડર્ડ ના હોય. સંશોધનથી જાણવા મળ્યું છે કે રડવાથી બ્રેઇનમાં ઓક્સીટોસિન 'ને એન્ડોર્ફિનનો સ્રાવ થાય છે. રડવું એ હેપિનેસ સાથે સંકળાયેલું ના હોત તો ખુશીના આંસુ હોત જ ના. દર્દના આંસુ પણ શારીરિક હેપિનેસ આપે છે, ભલે બધાં માનવી પોતે અનુભવ ના કરી શકે. આયુર્વેદ કહે છે કે રડવાનું રોકવાથી સ્વાસ્થ્યને નુકસાન જાય છે. આયુર્વેદ પિત્ત, કફ 'ને વાયુ મુજબ આંસુના પ્રકાર પાડી વિવરણ કરે છે કેમ કે આંસુ ઇમ્પોર્ટેંટ એન્ટિટી છે. રડવું એ કુદરતી આવેગ છે જેના પર બંધ બાંધી રખાય, પણ એ આવેગને સીલ કરીને કાયમી બંધ ના રખાય. ક્યારેક ના રડવાના નવ લાભ હોય શકે છે, બાકી યુઝવલિ રડે એની રીચ વધે 'ને એની લાઇફમાં રિચનેસ ઉમેરાય. રડી નાખવાની કે રડી કાઢવાની રીત ભિન્ન સ્તરની સ્કિલ છે જે ઘણી વાર અમાનવીય કે બિનઆધ્યાત્મિક હોય છે. જર્મન સોસાયટી ઓફ ઓપ્થેલ્મોલોજિ કહે છે કે જગતમાં સ્ત્રીઓ વરસમાં ત્રીસથી ચોસઠ વાર રડે છે 'ને પુરુષ છથી સત્તર વાર. એનો અર્થ એવો ના કઢાય કે સ્ત્રીઓ વધુ દુખી છે 'ને વધુ લાગણીશીલ છે અથવા પુરુષ જડ છે 'ને સુખી છે. રોતડુ માણસ સજ્જન કે નૈતિક હોય એવું જરૂરી નથી. હસતો રહેતો હોય એ પૈસાદાર 'ને સંસારમાં સફળ હોય એવું જરૂરી નથી એમ ના રડનારો જાનવર હોય એવું નથી. જોડકા જોડી શકાય, નિશ્ચિત કોઠો બનાવવો યોગ્ય નથી. શિશુના રડવાના ત્રણ પ્રકાર બેઝિક, એન્ગર 'ને પેઇન ક્રાય એડલ્ટના સંદર્ભમાં પણ વાપરી શકાય. એંગર 'ને પેઇન રાખવાની કે મોટા કરવાની ચીજ નથી. બીજાને પહેરાવવાની ચીજ પણ નથી. શિયા મુસ્લિમ એમના ધર્મ કાજે જેમને શહીદ થઈ ગયેલા માને છે એમની પાછળ રડવું મહત્વની ધાર્મિક ક્રિયા ગણે છે. વિશ્વમાં ક્યાંક ઘણાં ક્રાઇંગ ડે ઉજવે છે. આપણે એટલું તો સ્વીકારીએ કે સામાન્ય માણસ અસાધારણ સંજોગોમાં રડે તો સારું 'ને સાચું. મનોરંજનના ક્ષેત્રમાં વાર્તા 'ને ગીત લખનારા સિવાય સંગીત પીરસનારાને રડાવતા આવડવું જોઈએ. અમુક ફિલ્મમાં આંસુને મોતીની ઉપમા ના આપતા ડાયમંડની આપી તેની પ્રાઇસનું કેલ્ક્યુલેશન કરીને ના રડવાનું સમજાવતો સેન્ટિમેન્ટલ સિન હોય છે. બ્રેક-અપ કે ડાઉન પછી તેરે આંસુ તો ચાઇનિઝ ડાયમંડ હેં એવો સંવાદ મૂકી શકાય. એવા કોઈ કેસમાં મેશ મશ્કરા લાલીના ધોવાણને કારણે આંસુની પ્રાઇસ ચેન્જ થાય? કે કોઈના પગમાં આવે તો વાગે? હશે. શેકસપિયર 'ને રાજ કપૂરે માહિતી ના આપી હોત તોય લોકો પોતાની રીતે દુનિયાને રંગમંચ 'ને જીવનને ખેલ ગણે છે કે બનાવે છે. ના રડે એ યોગી કે ભગવાન કહેવાય? એક રિક્ષા પાછળ લખેલું કે રામ કભી રોતા નહીં ઔર શ્યામ કભી સોતા નહીં. જો કે વાલ્મીકિએ રામને વિરહમાં રડતાં બતાવ્યા છે. વારુ, ગોપીના આંસુ અલગ. સુના હેં કી દિલ્હીના બાદશાહે ચૈતન્ય મહાપ્રભુના આંસુની ધાર વિષે સાંભળ્યું તો ચિત્રકારને બંગાળ મોકલ્યા 'ને કીધું એ ચિત્ર બનાવી લાવો. લકઝમબર્ગ દેશમાં કહાવત છે કે છોકરીઓ સિસોટી મારે તો મધર મેરીને રડવું આવે. મોરોક્કોમાં કહે છે કે જે તમારી ખુશામત કરીને તમને હસાવે છે એ ભવિષ્યમાં તમને રડાવશે. કોંગોમાં કહે છે કે મિત્રતા હોય એ પછી રડવા માટે મરી કે મરચાં ના જોઈએ. અંગ્રેજો કહે છે કે ઢળી ગયેલા દૂધ પાછળ ના રડો. ટર્કી કહેવત છે કે જે જાતે પડે છે એ રડતો નથી. અરબીમાં ઉક્તિ છે કે એ મને મારીને રડતોરડતો અદાલતમાં મારી વિરુદ્ધ ફરિયાદ કરવા ગયો. ઘણાં માને છે કે માર નાકને પડે છે 'ને આંસુ આંખ વહાવે છે. રશિયન કહેવત છે કે બાળક રડે ના ત્યાં સુધી એ ખુશ કઈ રીતે રહે છે એની ફિકર ના કરો. આફ્રિકામાં કહે છે કે જે બાળક રડતું નથી તેની સારસંભાળ લેવાઈ નથી. સવારના નાસ્તા પહેલાં ગીત ગાશો તો સૂતા પહેલાં રડશો. લેબેનોનમાં કહે છે કે જાતને લાફો મારનારે રડવું ના જોઈએ. જાપાનિઝ કહાવત છે કે તમે હસો કે રડો, તમારા વર્ષો એના એ રહેશે.
91
5
બાળકને માબાપ, વડીલ 'ને શિક્ષકો શીખવાડે છે કે ઊર્મિઓ પર કાબૂ રાખવો. વિદ્યાર્થીને શાળામાં કોઈ અન્ય વિદ્યાર્થી ચીડવે કે ટીખળ વડે નારાજ કરે ત્યારે શિકાર બનેલા વિદ્યાર્થીને પોતાની લાગણી અંકુશમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. ધર્મ 'ને કાયદો પણ એ જ આગ્રહ રાખે છે. વાલી કહેશે કે પહેલા તું રડવાનું બંધ કર. પ્રેમી બોલશે કે હે પ્રિયે તું રડવાનું બંધ કરી દે બસ. મિત્ર કહેશે કે પાવલીની જેમ રડ ના. બાળક મોટું થાય એમ અવલોકન કરતું જાય છે 'ને અનુભવ પામે છે કે ગુસ્સો, નિરાશા જેવી લાગણી બહાર કોઈને દેખાડીએ ના તો વાંધો નથી આવતો. ઉપરથી એવું કરીએ તો મજબૂત બન્યા છે એવું બધાં કહે છે. મોટા ભાગના કિસ્સામાં બાળક પુખ્ત બને ત્યાં સુધીમાં એ લાગણી કચડી નાખવાની આવડત વિકસાવી ચૂક્યો હોય છે. એમાં નર યાને પુરુષ બન્યા પછી તો મર્દ કો દર્દ નહીં હોતા એવો શો કરવો મસ્ટ રિચ્યુઅલ બની જાય છે. સ્ટ્રોંગ દેખાવું એટલે સ્ટ્રોંગ હોવું થઈ જાય છે. ફિલિંગ્સ 'ને ઇમોશન્સ મારી નાંખવા કે બેભાન કરી નાખવા એ સદગુણ મનાય છે, કળા મનાય છે 'ને સ્માર્ટનેસ પણ મનાય છે. મેચ્યોર 'ને પ્રેક્ટિકલ માણસ રડે ના. એમાં જો કોઈ ભૂલથી આંસુ રોકી ના શક્યું તો અમુક વ્યક્તિઓ તરત જાહેર કરવા માંડશે કે આ તો વાતવાતમાં રડે છે અથવા આટલી નાની વાતમાં શું રડવાનું? સામાજિક ફિલ્મ કે સિરિયલ જોઈને ઢીલો, નબળો, મૂર્ખ હોય એ મનુષ્ય રડે એવું સમાજે જાતે શોધી કાઢ્યું છે. પરંતુ પ્રોફેસર સ્ટિફન સાઇડ્રોફ કહે છે કે અભિવ્યક્ત ના કરવાથી આપણે ઇમોશન્સ કેવળ મસ્તિષ્કમાં નહીં, શરીરના અન્ય ભાગમાં પણ ભરી રાખીએ છીએ. આપણે જાણીએ છીએ કે શરીરમાં ભરાઈ પડેલા ઇમોશન્સ અંગે સમાજને કશી પડી નથી. ખરી વાત તો એ છે કે રડવા સિવાયની પણ કોઈ લાગણી દબાવીને સંઘરી રાખો તો એ શરીરમાં બગાડો કરે. એ ખરું કે રડવા પાછળની લાગણી અન્ય લાગણીની સામે એટલે વિશેષ મહત્વની છે કે એ લાગણીમાં દિલનું દુ:ખ સમાયેલું છે. જીવનમાં પ્રગતિ કેમ કરવાની? બહુમતી કહેશે દુ:ખ દૂર કરવા. તો દુ:ખ ભેગું કરીને સાચવી રાખવાનો શું અર્થ? સ્ટિફન ઉવાચ એ લાગણીઓમાં શક્તિ છે. તેને પકડી રાખવા તમારે તેનું સંકોચન કરવું પડે છે જે નૈસર્ગિક 'ને સહજ થતી પ્રક્રિયાઓમાં બાધા ઊભી કરે છે. અસમતોલન સર્જાય છે. કેમ કે શરીરને તો જે જોઈએ એ જોઈએ જ 'ને શરીર જેમ ચાલવું જોઈએ તેમ જ ચાલવું જોઈએ. તરસ લાગે તો પાણી 'ને ભૂખ લાગે તો ખાવાનું જોઈએ જ. એક વાર રડવા પાછળની ફિલિંગ્સ દબાવવાની ટેવ પડી જાય એ પછી અન્ય લાગણીઓએ જેવી કે હર્ષ 'ને અનુકંપા દબાવવાનો નશો થવા માંડે. સ્પષ્ટ રીતે રડવું એ મન 'ને તનની મૂળભૂત જરૂરિયાત છે જે યોગ્ય રીતે પૂર્ણ ના કરીને ઘણાં સ્વયં સાથે અન્યાય કરે છે. પોતાના મનને સમજીને તેના પર કાબૂ રાખવા 'ને એ રીતે આગળ આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે પણ આંસુને પ્રયાસ પૂર્વક ના રોકવા જોઈએ. "ધ એમ્પાથસ સર્વાઇવલ ગાઈડ: લાઇફ સ્ટ્રેટેજિઝ ફોર સેન્સિટિવ પીપલ" પુસ્તકના લેખક 'ને મનોચિકિત્સક ડોક્ટર જ્યુડિથ ઓર્લોફ કહે છે કે ના રડવાથી કે રડવાનું દબાવવાથી માનસિક તંદુરસ્તી પર નકારાત્મક અસર પડે છે. શક્ય છે કે અગાઉ રડવાનો ખાસ અનુભવ ના હોય તો રડવાથી ચિંતા જેવા ભાવ જન્મી શકે છે, પણ વાસ્તવમાં આંસુ વડે મનોભાર મનની બહાર જાય છે. રડવું એ સ્ટ્રેસનો એક્ઝિટ રોડ છે 'ને આંસુ એ વાહન છે. અડીઘડી રડી પડવું કે ખરેખર રોતલ હોવું એ જુદી બાબત છે. લાગણી એવમ સંવેદનાનો કંટ્રોલ કરવો કે મેનેજમેન્ટ કરવું તેનો અર્થ એ નથી કે લાગણી સપ્રેસ કરવી કે સંવેદના ક્રશ કરવી. રડવાથી નબળાઈ છતી થાય કે આસપાસના વ્યક્તિઓ પોતાના પર કાબૂ મેળવી જાય એમ ઘણાને થાય છે. પરંતુ, એ સારું છે કેમ કે એવું થાય તો મન 'ને મગજ સાબદું રહેવા વધુ મહેનત કરે. મન 'ને મગજ કસરત ના કરે 'ને એવામાં આકસ્મિક નકારાત્મક સ્થિતિ આવે ત્યારે શું થાય? ત્યારે એ સક્ષમતાથી સામનો કરે એ માટે પહેલાં રડવાની કસરત કરી હોય તો યુઝફુલ સાબિત થાય. રડવાથી કેવળ આંખ ચોખ્ખી નથી થતી, નજર યા નજરિયો પણ સ્વચ્છ થાય છે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની પ્રવૃત્તિ માનસિક ભારના સમયે ખૂબ વધે છે. રડવું એ ગિયર છે જે પડે એટલે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની કામગીરી ઓપ્ટિમાઇઝ થાય 'ને ચેતાઓ રિલેક્સ થાય. રડવાનું આસન મન માટે કઠિન આસનો કર્યા પછીનું શવાસન છે. જાપાનીઓએ ગ્રુપમાં રડવાનું એટલી હદે ગંભીરતાથી લીધું છે કે ત્યાં બધે રૂઈકત્સુ નામક ક્રાઇંગ-ક્લબ હોય છે. લાફિંગ-ક્લબના ફાયદા આપણે લઈએ છેં, હવે વારો છે ક્રાઇંગ-ક્લબનો. આંસુ નીકળી જાય એટલે દિલ 'ને દિમાગ બંને બોલી ઉઠે કે વ્હોટ એ રિલીફ. ઘણા માને છે કે જે થાય તે થવા દેવું 'ને બધું ઇશ્વરની ઇચ્છા છે એટલે રડવું નહીં. જીવવની શરૂઆત જેનાથી થાય છે એ રડવું ઈશ્વરે ખાલીખાલી આપ્યું છે? ના, ક્રાઇંગ ઇઝ એ બેઝિક નેચરલ મિકેનિઝમ મેડ સ્પેશ્યલિ ફોર હ્યુમન્સ પ્રોગ્રેસ. સૂધિંગ 'ને સ્મૂધિંગ વગર મૂડ બેટર કરવો એટલે ફ્લોરની સાફસફાઇ કર્યા વિના ઉપર ગાલીચો પાથરી દેવો. વળી રડવામાં કોઈને સાથ આપો તો બોન્ડ સ્ટ્રોંગ થાય કે ડેવલપ થાય.
80
6
08/03/2022 📒 *મનપસંદ પોસ્ટ* 📒 *રડવું સ્વાસ્થ્યપ્રદ છે* *ચર્નિંગ ઘાટ:-* અભિયાન મેગેઝિન લેખક – ✒ *ગૌરાંગ અમીન* *Source:-* https://m.facebook.com/story.php?story_fbid=5529832837045714&id=100000571565658 *-રડતાં આવડતું હોય તો દુ:ખમાં ઉપયોગ કરો* *આંસુ તગેડી રોગ હરો 'ને હાસ્યનો ભોગ ધરો* * રડવું મનુષ્ય માટે શ્વાસ લેવાની ફરજિયાત કુદરતી પ્રવૃત્તિ સિવાય સૌથી પહેલી ક્રિયા છે. બાળકને હસવાનું શિખતા અઠવાડિયાઓ લાગી જાય છે. રડવાનું કામ એ કરી જ કાઢે છે. એને શીખવું એટલે શું એ પછી ખબર પડે છે. જન્મ આપે એ જ સમયે માતા મૃત્યુ પામે 'ને આસપાસ કોઈ અન્ય જીવ ના હોય તોય બાળક રડે છે. અન્ય કોઈ સામે જુએ કે અડે ત્યારે એ સ્મિત આપી શકે છે. મહામારીમાં અચ્છાભલા રડી પડ્યા. કોરોનાની વૈશ્વિક કે રાષ્ટ્રીય સમસ્યાનો વિરોધ કરવા કે કશાને સપોર્ટ કરવા ક્રાઇંગ સેલ્ફિ પોસ્ટ કરવાનો સેલિબ્રિટીમાં હજુ કોઈ ટ્રેન્ડ નથી આવ્યો. હા, ૨૦૨૧ના નવેમ્બરમાં પચીસ વર્ષની સુપર મોડેલ બેલા હદિદે રડતી સેલ્ફિની સીરિઝ તરતી મૂકેલી. એણે કહ્યું કે બધાં ઇન્સાન અલગ છે, છતાં મૂળભૂત રીતે સૌ એક સરખું જ ફિલ કરે છે. રડવું એ વિદ્યા નથી, વૃત્તિ 'ને કૃતિ હોઈ શકે છે. મનુષ્ય બન્યો ત્યારથી રડ્યો છે. ઘણાં કહે છે કે જીવન એટલે બે રુદન વચ્ચે રડવું. તો ઘણાં વિજ્ઞાન ભણેલા કહે છે કે રડવું તંદુરસ્તી માટે સારું. રિઅલી? આપણે ત્યાં કોઈ રડે કે તરત એને કોઈ રૂમાલ આપે 'ને પશ્ચિમી હોય એ ટિસ્યૂ ધરે. હાથ ફેરવે 'ને પાણી આપે. શબ્દ વડે સાંત્વન આપે. શક્ય છે કે સાથે ડૂસકાં ભરવા માંડે. બીજી બાજુ ડૂમો ભરાયો હોય તેવા જીવને અન્ય માણસો રડાવવા કોશિશ કરે. રડતાં ના આવડતું હોય અથવા રડી ના શકતા હોય એને નજીકના ખભો આપે 'ને કહે કે હૈયું ઠાલવી દે. કેમ કે આંસુ અંદર ભરી રાખવાથી ભાર રહે. નુકસાન જાય. વડીલો કહે કે શિશુ રડે તો એનાં ફેફસાં મજબૂત થાય. કહે છે કે દુનિયાના મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિને જણાવેલું કે મને વરસાદમાં ચાલવું ગમે છે કેમ કે એમ કરવાથી કોઈ મારા આંસુ જોઈ નથી શકતું. ચાર્લી આંસુ છૂપાવાની વાત કરે છે, પણ રડવાને આવકારે છે. રડવું માણસનો સ્વભાવ છે. રડવું એ પહેલી ભાષા છે જેમાં માણસ જ્ન્મતા સાથે સિદ્ધ થવા લાગે છે. ખરાબ કે ખોટું લાગે ત્યારે માણસ રડે છે. એ સિવાય પણ ઘણાં કારણ હોઈ શકે છે. પરંતુ, વિજ્ઞાન કહે છે કે કારણ હોવા છતાં જો માણસ રડવાનું રોકી રાખે તો ખોટું 'ને ખરાબ. રડવું એ એવું જૈવિક એટલે કે પ્રાકૃતિક સૌંદર્ય-પ્રસાધન છે જે બહારથી એપ્લાય નથી કરવાનું, પણ અંદરથી બહાર ખેંચી કાઢવાનું છે 'ને એને જાતકે અનએપ્લાય, ડિસએપ્લાય કે મિસએપ્લાય કરવાનો છે. માનવીનો દેહ દરરોજ અવનવા રસાયણ ધારણ કરે છે. દેહોત્સર્ગની પ્રોસેસ એવી છે કે દેહ માટે જે નકામું 'ને નુક્સાનકારક હોય એ દેહ બહાર ફેંકી દે છે. પેશાબ, મળ ત્યાગ, થૂંકવું, પરસેવો વળવો વગેરે સાથે રડવાની ક્રિયા પણ બોડિનો વેસ્ટ બહાર કાઢવાનું કામ કરે છે. મનુષ્ય સિવાયના જીવની આંખો આંસુનો સ્રાવ કરે છે તેનું કારણ એ છે કે તેમનું શરીર આંખોનું ઓઇલિંગ કરવા માંગતું હોય છે. સાયન્સ સેઝ એ જીવો પોતાની લાગણી પ્રદર્શિત કરવા રડતાં નથી. અત: મનુષ્ય એક માત્ર પ્રાણી છે જે લાગણીનો ભરાવો આંસુ વાટે બહાર કાઢે છે. એ ખરું કે વિજ્ઞાન લાગણીના ભરાવાને સીધી રીતે કચરો નથી કહેતું, પણ એ ભરાવો ભરાઈ રહે તો કચરાનું કામ કરી શકે છે એમાં કોઈ શક નથી. અલબત્ત, સાહિત્યકારો 'ને કવિઓ સંઘરેલા આંસુને કૂડા કર્કટ ના કહે એ સમજી શકાય છે. એક હોય છે ઇમોશ્નલ આંસુ જે ઊંડી કે સઘન લાગણી થકી જન્મે છે, લાગણી આંનદની હોય કે વેદનાની હોય. બીજા છે બેઝલ આંસુ જે આંખની માલિશ કરી તેને સ્વચ્છ રાખી વિઝન ક્લિયર રાખે છે. ત્રીજા છે રિફલેક્સ આંસુ જે આંખમાં ધૂળ કે અન્ય કોઈ રજકણ જાય કે ડુંગળી સમારતા નીકળે એવો કોઈ વાયુ આંખને હેરાન કરે ત્યારે પ્રગટ થાય છે. યુનિવર્સિટી ઓફ પિટસબર્ગના મનોચિકિત્સા 'ને માનસશાસ્ત્ર વિભાગના પ્રોફેસર લૌરેન જણાવે છે કે માણસની ઉંમર વધે એ પછી એ જે ઇમોશ્નલ આંસુ વહાવે છે તેનો ધ્યેય અન્ય મનુષ્ય પાસેથી લાગણી મેળવવાનો 'ને એ દ્વારા સામાજિક સંબંધ ગાઢ કરવાનો હોય છે. બેશક ઘણાંને પર્સનલ અનુભવ હોય છે કે અમુક વખતે એકાંતમાં કોઈ હાજર ના હોય ત્યારે રડવાની વિધિ પૂરી કરવામાં આવે છે. મનુષ્યને પોતાની સંવેદના ઓળખવા, સમજવા 'ને સ્વીકારવા માટે કોઈ જુએ ના એમ રડવાની પ્રોસેસ કામ લાગી શકે છે. યસ, રડવું એ વ્યક્તિગત તેમ જ અંગત કાર્ય બની શકે છે. ઘણી વાર બીજા કોઇની હાજરીમાં એક્ટિવલી પ્રયત્ન કરવામાં આવે છે કે આંસુ બહાર ના જ નીકળે. ઘણી વાર માણસ એકલો હોય તોય એ ના રડે તેનું ધ્યાન રાખે છે. "ધ પાથ: માસ્ટરિંગ ધ નાઇન પિલર્સ ઓફ રિઝિલ્યન્સ એન્ડ સક્સેસ" પુસ્તકના લેખક 'ને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના મનોચિકિત્સા તથા વર્તનવિજ્ઞાન વિભાગમાં કામ કરનાર શિક્ષક સ્ટિફન સાઇડ્રોફ કહે છે કે ભીતરની ભાવના અભિવ્યક્ત ના કરવાની કે દબાવી રાખવાની વૃત્તિ આપણામાં બાળપણથી હોય છે.
72
7
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે સ્ટ્રોબેરીમાં વિટામિન સીની માત્રા પ્રચૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. બીમારીને દૂર ભગાવીને શરીરને તંદુરસ્ત રાખવા માટે તાજા ફળ ખાવાનો આગ્રહ નિષ્ણાત આહારતજ્જ્ઞો રાખતા હોય છે. શરીરને ચેપી રોગ તથા વાઇરસથી બચાવવા વિટામિન સીના ગુણોથી ભરપૂર સ્ટ્રોબેરીનો આહારમાં ઉપયોગ અવશ્ય કરવા જેવો છે. -------- કેન્સર જેવા રોગથી બચાવે છે આજકાલ ફાસ્ટફૂડના રસિયાઓ શહેર હોય કે ગામ હોય બધે જ જોવા મળતા હોય છે. ખરાબ તેલમાં વારંવાર તળાતી વાનગીઓ લાંબે ગાળે શરીરને નુકસાન કરતી હોય છે. આવા સંજોગોમાં ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણો ધરાવતી સ્ટોબેરીનું સેવન કરવાથી શરીરમાં કેન્સર પેદા કરતા સેલનો નાશ કરવામાં મદદ મળે છે. વળી સ્ટ્રોબેરીમાં ફ્લેવોનૉઈડ, ફોલે કેંપેરોલ તથા વિટામિન સી જેવાં આરોગ્ય માટે આવશ્યક વિવિધ સત્ત્વ સમાયેલાં છે, તેથી જાન લેવા બીમારીથી બચવા તાજી તાજી રસદાર સ્ટ્રોબેરીનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી એક શોધ પ્રમાણે સ્ટ્રોબેરીમાં એવા ઘટક સમાયેલા જોવા મળ્યા છે જેને કારણે તેમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સની માત્રા અત્યંત ઓછી જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીના શરીરમાં વધતા ગ્લુકોઝ લેવલ તથા લિપિડ પ્રોફાઈલને સુધારવામાં મદદ કરે છે. વળી નિયમિત સ્ટ્રોબેરીનું સેવન કરવાથી ટાઈપ ટૂ ડાયાબિટીસના જોખમને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. સ્ટ્રોબેરી તાજી ખાવી જ તેમના માટે યોગ્ય ગણાય છે. તેનો જ્યુસ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. અનેક લોકો બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે સ્ટ્રોબેરીના પાઉડરનો ઉપયોગ કરે છે. ---------- સ્ટ્રોબેરી કેક સામગ્રી: પોણો કપ ક્ધડેન્સ્ડ મિલ્ક. સાડાત્રણ ચમચી માખણ, ૨૦૦ ગ્રામ મેંદો ચાળીને લેવો. ૧ નાની ચમચી બેકિંગ પાઉડર, અડધી ચમચી ખાવાનો સોડા ૧૦૦ ગ્રામ દૂધમાં બરાબર ભેળવી લેવું. જો ઘટ્ટ લાગે તો થોડું દૂધ ભેળવી શકાય છે. ઢોસાના ખીરા જેવું મિશ્રણ તૈયાર કરવું. બનાવવાની રીત: સૌપ્રથમ એક કડાઈમાં સ્ટેન્ડ મૂકીને ધીમા તાપે ગરમ કરવા મૂકવું. એક કેક ટિનમાં માખણ લગાવીને લેવું. તેમાં થોડો મેંદો છાંટી દેવો. એક બાઉલમાં ક્ધડેન્સ્ડ મિલ્ક લેવું. તેમાં માખણ ભેળવીને બરાબર મિક્સ કરી લેવું. બરાબર મિક્સ થાય એટલે તે મિશ્રણમાં ચારણીમાં ચાળેલો મેંદો ભેળવી દો. બૅકિંગ પાઉડર તથા બૅકિંગ સોડા ભેળવી દેવા. ૧૦૦ ગ્રામ દૂધ ભેળવીને મિશ્રણને બરાબર હલાવી લેવું. તૈયાર કરેલા મિશ્રણને અડધો કલાક બૅક કરવું. કેક ઠંડી થાય એટલે અનમૉલ્ડ કરી લેવી. કેકને ખાંડવાળા પાણીથી થોડી ભીની કરવી. તેના પર સ્ટ્રોબેરી ક્રશ હળવે હાથે લગાવી દેવું. ઉપર ક્રીમ લગાવીને કેક તૈયાર કરવી. સજાવટ કરવા માટે સ્ટ્રોબેરીને વચ્ચેથી કાપીને તમને પસંદ હોય તેવી રીતે ગોઠવી દેવી. ઘરે બનાવેલી તાજી કેક ખાવાનો આનંદ માણવો. --------- ખીલની સમસ્યામાં ગુણકારી યુવાવસ્થામાં ખીલની તકલીફ વધુ જોવા મળે છે. તેનાં કારણોમાં ફાસ્ટફૂડનો વધુ પડતો આહારમાં સમાવેશ, કબજિયાતની તકલીફનું મૂળ કારણ છે વારંવાર ચટર-પટર ખાતા રહેવાની આદત, રાત્રે મોડે સુધી જાગતા રહેવાની આદતનો સમાવેશ થાય છે. સ્ટ્રોબેરીનું સેવન કરવાથી શરીરને વિટામિન સીની માત્રા મોટા પ્રમાણમાં મળી રહે છે. વળી તેમાં પૉલીફેનોલ્સ પણ સમાયેલા છે જે ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા એન્ટિ-ઈન્ફ્લેમેટરી તરીકે કામ કરે છે. સ્ટ્રોબેરીમાં એંથોકાયનિન નામનું તત્ત્વ પણ જોવા મળે છે, જેને કારણે સ્ટ્રોબેરીનો રંગ લાલ તથા ચમકદાર જોવા મળે છે, જે ત્વચાને હાનિકારક સૂર્યકિરણોથી બચાવવાનું કામ કરે છે. સ્ટ્રોબેરીના માવાનો ઉપયોગ અનેક સૌંદર્ય પ્રસાધનોમાં પણ કરવામાં આવે છે. -------- આંખોનું તેજ વધારવામાં મદદરૂપ સ્ટ્રોબેરીનું સેવન આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે. તેમાં સમાયેલા ઍન્ટિ-ઓક્સિડન્ટ ગુણોને કારણે મોતિયાબિંદુ તથા અન્ય નેત્રરોગથી બચાવવામાં મદદ કરે છે. એક સંશોધન પ્રમાણે સ્ટ્રોબેરીમાં સમાયેલું ફ્લેવૉનોઈડ નામનું કમ્પાઉન્ડ ક્વેરસેટિનની માત્રા વધવાને કારણે મોતિયાબિંદુને રોકવાની સાથે દૃષ્ટિ સુધારવામાં મદદ કરે છે. કબજિયાતમાં ગુણકારી સ્ટ્રોબેરીનું ફળ કબજિયાતની તકલીફથી સતત પરેશાન રહેતી વ્યક્તિને માટે રામબાણ ઉપાય ગણાય છે. સ્ટ્રોબેરીમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. ફાઈબરયુક્ત ફળોનો આહારમાં સમાવેશ કરવાથી પાચન સંબંધી તકલીફમાં રાહત મળે છે. https://www.bombaysamachar.com/ ------------------------------ ટીમ ✍🏼 Limited 10 પોસ્ટ વતી આદિત્ય દેસાઈ (આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) [85 ગ્રુપ, 18000 જેટલા વાંચકો, *નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું* , મારુ Limited 10 ✉ પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી] જોડાઓ, અમારી સાથે વોટ્સએપ: 07041143511 ટેલિગ્રામ: https://t.me/limited10post
67
8
08-03-2022 🩺💊 *હેલ્થ સ્પેશિયલ્સ: હેલ્થ ટીટબિટ્સ* 🩺💊 *પ્રેમના પ્રતીક સમી સ્ટ્રોબેરીમાં આરોગ્યવર્ધક ગુણોનો ભંડાર ભરેલો છે* *સ્વાસ્થ્ય સુધા* *✒લેખક: શ્રીલેખા યાજ્ઞિક* *Source:-* https://www.bombaysamachar.com/article/the-symbol-of-love-sami-strawberry-is-full-of-healing-properties વસંત ઋતુમાં યુવા હૈયામાં પ્રેમની કૂંપળો ધીમે ધીમે ફૂટતી રહેતી હોય છે. પ્રેમનો રંગ લાલ ગણાય છે. વસંત ઋતુમાં જ આવતા વેલેન્ટાઈન્સ ડેને દિવસે લાલ રંગનું ગુલાબ પ્રેમી-પ્રેમિકા એકમેકને આપીને પ્રેમની અભિવ્યક્તિ કરે છે. આ તહેવારની ઉજવણી વિદેશોમાં તો પ્રત્યેક વયના લોકો ઉત્સાહિત થઈને કરતા જોવા મળે છે. હા, પ્રેમનો એકરાર જેની સામે કરવાનો હોય તે વ્યક્તિ ભિન્ન હોઈ શકે છે. કોઈ પોતાના સંતાનની પાસે પ્રેમનો એકરાર કરતું હોય તો કોઈ સંતાન માતા-પિતાની પાસે લાગણી વ્યક્ત કરે તો કોઈ પોતાનાં ભાઈ-બહેનની સમક્ષ એકબીજા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતું જોવા મળે. પ્રેમી-પ્રેમિકાને તો એકબીજા પ્રત્યે પ્રેમનો અકરાર કરવાનો મોકો મળે. હા, પ્રેમનો એકરાર કરવા લાલ રંગના પુષ્પ કે ફળનો પણ ઉપયોગ ખાસ કરવામાં આવતો હોય છે. તો ચાલો, આજે લાલચટક રંગ ધરાવતી સ્ટ્રોબેરી વિશે કેટલીક અગત્યની વિગતો જાણી લઈએ. વૈજ્ઞાનિકો સ્ટ્રોબેરીને બેરીઝ ગણતા નથી, કારણ કે બેરીઝમાં વચ્ચે ઠળિયો હોય છે, જ્યારે સ્ટ્રોબેરીઝમાં ઠળિયો હોતો નથી તેથી જ બોટનિસ્ટો સ્ટ્રોબેરીમાં જોવા મળતા પ્રત્યેક કુમળા નાના બીને એક અલગ ફળ ગણે છે. સ્ટ્રોબેરીનું ફળ વાસ્તવમાં નાનું જ જોવા મળે છે, પરંતુ અનેક લોકો સ્ટ્રોબેરીનું એવું ફળ પકવે છે જે સફરજન જેટલું મોટું હોય છે. સ્ટ્રોબેરીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા ગાજર કરતાં પણ વધુ હોય છે, જે આંખની તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે. મોતિયાની તકલીફથી બચાવવામાં મદદ કરે છે. સ્ટ્રોબેરી દેખાવમાં જેટલી આકર્ષક હોય છે તેટલી જ તે સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી, ફોલિક એસિડ, કૅલ્શિયમ તથા ફોસ્ફરસ જેવાં અનેક ખનીજ તત્ત્વો સમાયેલાં છે. એક કપ સ્ટ્રોબેરીમાં એક સંતરામાં હોય તેનાથી પણ વધુ વિટામિન સીની માત્રા સમાયેલી જોવા મળે છે. સ્ટ્રોબેરીમાં અફ્રોડીસીએફ નામનું તત્ત્વ સમાયેલું જોવા મળે છે જે કામોત્તેજના વધારવામાં તથા પુરુષોને નપુંસકતાની ફરિયાદમાં લાભદાયક ગણવામાં આવે છે. ૧ કપ સ્ટ્રોબેરીમાં ૫૦ કૅલરીની માત્રા સમાયેલી હોય છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વિશ્ર્વમાં સ્ટ્રોબેરીની ૬૦૦થી પણ વધુ જાતો જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે ચૈંડલર, ટિયોગા, સેલ્વા વગેરેની ખેતી મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે. સ્વાદમાં સૌથી શ્રેષ્ઠ સ્ટ્રોબેરી છે ડે-ન્યુટ્રલ, જેનો પાક ગરમીમાં વધુ જોવા મળે છે. એવર-બિયરિંગ પણ સ્ટ્રોબેરીનો પ્રકાર છે, જેનો પાક વર્ષમાં બે વખત ઊતરે છે - ગરમીમાં તથા વસંત ઋતુમાં. એવર-બિયરિંગ પ્રકારની સ્ટ્રોબેરીની સૌથી પ્રસિદ્ધ જાતિ છે લારમી તથા ઓજાર્ક બ્યુટી. જૂન બિયરિંગ સ્ટ્રોબેરીની ઉત્કૃષ્ટ જાતિમાં અર્લીગ્લો, જ્વેલ, હોનોઈ, ઑલસ્ટાર વગેરેનો સમાવેશ થાય છે. ભારતનાં વિવિધ રાજ્યોમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને ગરીબ ખેડૂત પોતાની મહેનતનું યોગ્ય વળતર મેળવીને ધનવાન બની રહ્યા છે. સ્ટ્રોબેરીની ખેતી ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ તથા રાજસ્થાનમાં થતી જોવા મળે છે. સ્ટ્રોબેરી દેખાવમાં હૃદય આકારની હોવાથી અત્યંત આકર્ષક લાગે છે તો સ્વાદમાં પણ તે અત્યંત મીઠી મધુરી લાગે છે. સ્ટ્રોબેરીની કેક, સ્ટ્રોબેરીનો આઈસક્રીમ હોય કે સ્ટ્રોબેરીનો મિલ્કશૅક, તેનો સ્વાદ અચૂક માણવા જેવો હોય છે. સ્ટ્રોબેરીમાં પોટેશિયમની માત્રા પ્રચૂર જોવા મળે છે, જે શરીરના બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. સ્ટ્રોબેરીમાં ખરાબ કૉલેસ્ટરોેલને નિયંત્રણમાં રાખી શકે તેવા ત્વરિત ઓગળી જાય તેવા ફાઈબરની માત્રા સમાયેલી જોવા મળે છે, જે લોહીના ઊંચા દબાણને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. -------- સ્ટ્રોબેરીના આરોગ્યવર્ધક ગુણો હૃદયરોગમાં લાભદાયક ૨૧મી સદીમાં જીવન સતત ભાગદોડભર્યું બની ગયું છે. તેમાં પણ વળી કોવિડને કારણે લોકો સતત ચેપી રોગથી પોતા તથા કુટુંબના સભ્યો બચી શકશે કે નહીં તેના ટેન્શનમાં રહેતા હોય છે. તણાવને કારણે હદયરોગની બીમારીના શિકાર બનતા જોવા મળે છે. નિયમિત સ્ટ્રોબેરી ખાવાને કારણે વ્યક્તિ માનસિક તાણ તથા હૃદયરોગના વિવિધ રોગથી બચી શકે છે. સ્ટ્રોબેરીમાં ફ્લેવોનૉઈડસ્ તથા ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે, જેને કારણે ખરાબ કૉલેસ્ટરોલને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. રક્તકોશિકામાં લોહી જમા થઈ જવાની શક્યતા ઘટી જાય છે. ધૂમ્રપાન કરતા લોકો જો સ્ટ્રોબેરીનો આહારમાં સમાવેશ કરે તો લિપિડ પેરાક્સિડેશનને ઘટાડે છે, જે દિલની બીમારીના જોખમને વધારે છે.
63
9
નાના-મોટા પાયે આ બધાની સામે બધી વસ્તુ ના કારણે રશિયામાં વિરોધ ચાલુ થઈ ગયો છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ થતી હોય છે ત્યારે આ પ્રકારના લીડર કોઈક પ્રકારની નાની-મોટી જંગ છેડી દેશને યાદ આપવવાની કોશિશ કરતા હોય છે કે જે વિરોધ કરનાર વ્યક્તિ છે અથવા વિરોધ કરનાર મંડળી છે એની પાસે આંતરરાષ્ટ્રીય દુશ્મનોને ધ્વસ્ત કરવાની તાકાત નથી. આવા લીડર યાદ આપવાની કોશિશ કરે છે કે એ જ સાચા મૂછાળા મર્દ છે અને એટલે દેશને ડરથી તો ડરથી પરંતુ એમની જરૂર છે અને એમના વિના દેશ ધ્વસ્ત થઈ જશે. આવા લીડરો માટે પ્રજા થોડું એવું વિચારે કે આપણી આજુબાજુમાં દુશ્મન દેશો છે તે હંમેશા તેમના ફાયદામાં છે. આ જ કારણથી જિંનપિંગ ચીનમાં કેવું વર્તન કરે છે અને પુતિન યુક્રેન અને સીરિયા જોડે એવું વર્તન કરે છે. પોતાની ખુરશી બચાવી રાખવા માટે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે પુતિને દેશને યાદ અપાવવું પડે કે આપણા દેશની આજુબાજુ કેટલા બધા દુશ્મન સાથે લડી શકવાની તાકાત માત્ર મારામાં છે. આવી પરિસ્થિતિમાં એ પણ જોવું એટલું જ રસપ્રદ છે કે દુનિયાના દરેક નેતા પુતિનની આ જંગની ટીકા તો ચોક્કસ કરે છે પરંતુ કોઈપણ દેશ પોતાના સૈનિકોને યુક્રેનની મદદ કરવા નથી મોકલતું. દુનિયાના મોટાં -મોટાં દેશ જેમ કે, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ વગેરે યુક્રેનને કરોડો ડૉલર અને અબજો ડૉલરનાં સાધનો લડવા માટે આપ્યાં. સાથે-સાથે તેમણે રશિયાના ખૂબ પૈસાદાર લોકો અને રશિયાની બેંકો પર પણ ખૂબ દબાણો પેદા કર્યાં.આ કારણોસર રશિયાની કરન્સી તેની ઈતિહાસમાં સૌથી નીચી કક્ષાએ આજે છે. આ દબાણોના કારણે રશિયા એક એટલી ખરાબ આર્થિક પરિસ્થિતિમાં મુકાઈ જવાનું કે જેનો સાચો અર્થ આપણને આજથી પાંચ વર્ષ પછી જ ખબર પડશે. પરંતુ અમેરિકા અને અફઘાનિસ્તાનના જંગ પરથી આખી દુનિયાએ શીખી લીધું છે કે બીજા કોઈકની જગ્યામાં પોતાના સૈનિકોને મારવા ન મોકલવા. એક સમયે જો બીજા કોઈ દેશ પોતાના સૈનિકોને યુક્રેન-રશિયા સામે લડવા મોકલે તો રશિયાના મિત્ર દેશ પણ પોતાના સૈનિકોને મોકલે.આ જ રીતે અગાઉના બે વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ હતી . છેલ્લે તાજેતરમાં જ એક એટલી મોટી ઘટના બની કે રશિયાના પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિને સતત વાતો કરવાના દબાણમાં રાખતા હતા. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિએ ચોક્કસપણે એવું કહ્યું કે મને બેલારુસમાં અમે વાત કરવા તૈયાર નથી, કારણકે બેલારુસની જમીનનો ઉપયોગ યુક્રેન પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો. પરંતુ પુતિન એવા દેશમાંથી આવે છે કે જેણે દુનિયાને ગણી ન શકાય એટલા ચેસના ચેમ્પિયન આપ્યા છે.રશિયાની સ્કુલમાં પાંચમા ધોરણથી જ ચેસ ભણાવવામાં આવે છે. એટલે આ પગલાંને જવાબ આપવા માટે પુતિને પોતાના સૈન્યને ન્યુક્લિયર વેપન તૈયાર રાખવાની અનુમતિ આપતા એની જ પ્રેસમાં પણ સમાચાર પહોંચાડી દીધા.આ સમાચાર ન્યુઝમાં આવવાના ત્રણ કલાકની અંદર યુક્રેનના રાષ્ટ્રપતિએ બેલારુસમાં વાત કરવાની અનુમતિ આપી. *મન:* આખી વૈશ્વિક પરિસ્થિતિ વિશે તમારું શું માનવું છે અને તમને અંતિમ પરિણામ શું આવશે શું લાગે છે? નીચેના email id પર જણાવો. mananrthakral@gmail.com ( લેખક સાઈકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડ-અપ કોમેડિયન છે) *સૌજન્ય:* દિવ્ય-ભાસ્કર ---------------------------- ટીમ ✍🏼 *Limited 10પોસ્ટ* વતી જેનિશ શાહ (આ પોસ્ટ *કોપીરાઈટ* થી આરક્ષિત હોવાથી, તેના લખાણમાં કોઈ ફેરફાર ન કરવો) [85 ગ્રુપ 18000જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી] *જોડાઓ, અમારી સાથે* વોટ્સએપ: 07041143511 ટેલિગ્રામ: https://t.me/limited10post
62
10
08/03/2022 *યુક્રેન પર હુમલો કરવા પાછળ પુતિનનું મનોવિજ્ઞાન દેશને ડરથી તો ડરથી, પરંતુ લીડરની જરૂર છે પ્રજાને એ જતાવવું જરૂરી* *મનન કી બાત -* રંગત-સંગત ✒લેખક: *ડૉ. મનન ઠકરાર* https://www.facebook.com/drmanan5 સામાન્યપણે જ્યારે હું પોલિટિક્સ થી જોડાયેલી કોઇ વસ્તુનું મનોવિજ્ઞાન લખું છું ત્યારે મને સૌથી વધુ રિસ્પોન્સ આવે છે અને તમે મને જણાવ્યું છે કે એ વાંચવામાં મજા પડે છે. આજે પ્રયાસ કરીશ પોલિટિક્સ અને મનોવિજ્ઞાનનું એવું મિશ્રણ આપવું કે તમને જાણવું રસપ્રદ લાગે. રૂસના રાષ્ટ્રપતિ પુતિન એક ખૂબ જ રસપ્રદ પર્સનાલિટી છે. આજકાલ કોઈપણ દેશ- વિદેશના સમાચારમાં રશિયાને અને યુક્રેન વચ્ચે થઈ રહેલાં યુદ્ધ વિશે જ વાતો થઈ રહી છે. આપણે ઈતિહાસમાં ભાગ્યે જ એવી ઘટનાઓ બને કે જ્યારે ગામના છાપાંથી લઈને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલો પણ એક જ પોસ્ટ વિશે વાત કરતી હોય અને રશિયા -યૂક્રેનનું યુદ્ધ આવી એક ઘટના છે.આખા યુદ્ધના મુખ્ય સૂત્રધાર એટલે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન છે. એ જાણવું ખૂબ રસપ્રદ છે કે આજકાલના જમાનામાં પુતિન જેવા લીડર શા માટે દિવસે ને દિવસે વધુ પ્રખ્યાત થતા જાય છે અને વધુ ને વધુ તાકાતવર પણ થતા જાય છે. પુતિનનો ઈતિહાસ જોઇએ તો એમના પિતા પણ અમેરિકા વિરુદ્ધ જંગોમાં ભાગીદાર હતા, પુતિન રશિયાની ગુપ્ત એજન્સી એટલે કે KGBના એક એજન્ટ હતા. KGBએ આપણી ભારતની રૉ (RAW= રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) જેવી જ એક સંસ્થા છે. આ સંસ્થાનું મુખ્ય કામ કોલ્ડ વોરના સમયે દેશ-વિદેશના રાજકારણીઓ અને વીઆઈપી લોકો વિશે ખૂબ જ જરૂરી જાણકારી રાખવી અને એ જાણકારીનો હેતુ દેશના સારા માટે સાચું- ખોટું વિચાર્યા વગર ઉપપોગ કરવો તે હતું. આ સંસ્થા એટલી ઠંડા કલેજાવાળી અને ક્રૂર હતી કે એને થોડા સમય પછી બંધ કરવી પડી.પરંતુ આ જ સંસ્થામાં દાયકાઓ સુધી તપીને બહાર નીકળેલો હીરો એટલે કે પુતિન. સંસ્થાનું સૌથી અઘરું અને ઘાતક કામ દેશ-વિદેશમાં પુતિન કરતા. ધીમે-ધીમે દેશમાં રિશ્વતખોરી અને બેઈમાની વધતાં ત્યારના રાષ્ટ્રપતિએ ખૂબ જ પ્રખ્યાત ઓફિસરને પ્રધાનમંત્રી બનાવવાનું નક્કી કર્યું, આ પ્રધાનમંત્રી એટલે કે પુતિન. ધીમે-ધીમે સમય જતી ગયો અને પુતિન વધુ ને વધુ તાકતવર બનતા ગયા. દુનિયાના દરેક સફળ રાજકારણીઓની જેમ તેમણે પણ એમને બનાવનાર વ્યક્તિના ખભે પગ રાખી પોતે રાષ્ટ્રપતિ બન્યા. પુતિને પોતાનું માર્કેટિંગ ખૂબ જ શાણપણથી અને બુદ્ધિથી કર્યું છે. પોતાને એક આલ્ફા મેલ તરીકે જ હંમેશા ચિતરવાનું કામ તેમણે કર્યું છે. પુતિનના તમે બે જ પ્રકારના ફોટો ઈન્ટરનેટ પર મેળવી શકશો, એક જાતના ફોટામાં એમણે સૂટ પહેર્યો હશે અને બીજા પ્રકારના ફોટામાં તેમણે શર્ટ પણ નહીં પહેર્યું હોય અને તેમની બોડી સલમાન ખાન જેવી બતાવવામાં આવી હશે અને ક્યાં તો તેઓ ઘોડેસવારી કરતા હશે ક્યાં તો કોઈ પશુનો શિકાર કરતા જોવા મળશે. પુતિન એવા સમયે રશિયા આવ્યા છે જ્યારે દેશનું મનોબળ અમેરિકા સામે કોલ્ડવોર કરવાને કારણે સાવ તૂટી ગયું હતું.એક સમય એવો હતો કે જ્યારે રશિયા અને અમેરિકા એક એટલા જ તાકાતવર કહેવાતા. જ્યારે કમ્યુનિઝમ પોતાની ટોચ પર હતું ત્યારે દુનિયાના મોટાં- મોટાં અર્થતંત્ર નિષ્ણાંતોએ એવી ભવિષ્યવાણી કરી હતી કે આજથી દસ વર્ષમાં રશિયા અમેરિકા કરતાં પણ બહુ મોટી ઈકોનોમી ધરાવતું હશે અને એની પાસે અમેરિકા કરતાં પણ ખૂબ વધુ પૈસા હશે.આ એવો સમય હતો જ્યારે રશિયા સોવિયત યુનિયન કહેવાતું હતું અને આજના જમાનામાં રશિયાથી છુટા પડેલા એવા ઘણા દેશો જેમાંનું મુખ્ય એક દેશ યુક્રેન હતો. એ બધા રશિયાના જ ભાગ કહેવાતા.એક રીતે ક્યાંક જોઈએ તો યુક્રેન રશિયા માટે એ જ છે જે આપણા માટે કાશ્મીર છે. આપણે એવા જમાનામાં રહીએ છીએ કે જ્યાં દેશભક્તિની ભાવના જગાડનાર અને દેશમાં લઘુમતી ધરાવનાર જાતિનો નેતા દેશ પર ખૂબ લાંબા સમય સુધી રાજ કરતો હોય છે. આજ વસ્તુ રશિયામાં પુતિન, ચીનમાં જિનપિંગ, ભારતમાં મોદી અને થોડા સમય પહેલાં અમેરિકામાં ટ્રમ્પ અને આપણને ગમે કે ન ગમે આ લખી રાખવા વિનંતી કે ભવિષ્યમાં પણ ટ્રમ્પ જ હશે. આ એવા નેતા છે કે જેઓ પોતાના દેશ માટે એક ગવનો અનુભવ કરાવે, સાથે નજીકના દેશો પર દબાણ રાખવામાં માને અને પોતાની ઈમેજ દેશભક્ત મર્દની રાખે. આ આખી પરિસ્થિતિમાં આપણે એ પણ જોઈએ છીએ કે ચીન અને રશિયા જેવા દેશોમાં રાષ્ટ્રપતિ કેટલાક વર્ષો સુધી જ રહી શકાય. જેમ કે, રશિયામાં આઠ વર્ષથી વધારે રાષ્ટ્રપતિ ન રહી શકાય. આ કારણથી જ્યારે પુતિનના આઠ વર્ષ પત્યાં તો એમણે એક પૂતળાને રાષ્ટ્રપતિ બનાવી પોતે પ્રધાનમંત્રી બની ગયા અને તેના પછીની ચૂંટણીમાં વળી પાછા રાષ્ટ્રપતિ બની ગયા. આવો જ એક નિયમ ચીનમાં પણ હતો. પરંતુ ચીન અને રશિયા બંનેના આ નિયમોને ત્યાંની પાર્લામેન્ટે ખૂબ જ મોટી મેજોરિટીથી કાઢી નાખ્યો કે જેથી કરીને આજીવન રશિયામાં પુતિન અને ચીનમાં જિનપિંગ રાષ્ટ્રપતિ રહી શકશે અને મોટાભાગે રહેશે પણ ખરા.
61
11
ખગોળવિજ્ઞાનીઓએ ગણતરી કરી તો તેમને માલૂમ પડ્યું કે અંતરીક્ષનો ગોળો જેમ જેમ વિસ્તરે છે, તેમ તેમ તે જ પ્રમાણમાં તારાની સંખ્યા પણ વધે છે તે દર્શાવે છે કે રાત્રિઆકાશનો એક એક ભાગ, એક એક બિન્દુ સૂર્ય જેટલું જ પ્રકાશિત હોવું જોઈએ. પણ તેમ નથી. આ ગણતરી અઢારમી સદીના પ્રારંભે ઓલ્બર્સ નામના તબીબ-ખગોળવિજ્ઞાનીએ કરી હતી. ખગોળવિજ્ઞાનમાં આ પ્રશ્ર્ન લગભગ એક સદી સુધી એમને એમ ઊભો રહ્યો. વીસમી સદીમાં જ્યારે આઇન્સ્ટાઇને તેનો વિસ્તૃત સાપેક્ષવાદ આપ્યો અને હબલે જયારે દર્શાવ્યું કે આપણું વિશ્ર્વ વિસ્તૃત થઇ રહ્યું છે અને આપણું દૃશ્યવિશ્ર્વ સીમિત છે અને પ્રકાશ જ્યારે તારામાંથી બહાર નીકળે છે ત્યારે તેની શક્તિ ગુમાવે છે અને રસ્તામાં વાયુના વાદળો અને પદાર્થોને લીધે પણ પ્રકાશ તેની શક્તિ ગુમાવે છે માટે પ્રકાશ લગભગ શક્તિવિહીન થઇ જાય છે. પહેલા વિજ્ઞાનીઓ (ન્યુટન પણ ) માનતા હતા કે અંતરીક્ષ અસીમિત છે. તેથી તદ્દન નગણ્ય નગણ્ય પ્રકાશ પણ અસીમિત બ્રહ્માંડમાં ખૂબ થઇ જાય, તેમ દેખાતું નથી. તેની પાછળનું મુખ્ય કારણ આપણું બ્રહ્માંડ સીમિત છે અને બ્રહ્માંડના કેટલાય ભાગો જે કાળો દેખાય છે ત્યાં તારા છે પણ તેનો પ્રકાશ આપણા સુધી પહોંચ્યો નથી માટે બ્રહ્માંડમાં અબજો અને અબજો મંદાકિની હોવા છતાં રાત્રિ આકાશ કાળુંધબ દેખાય છે. અંતરીક્ષમાં જઇએ તો આકાશ કાળું જ દેખાય, માત્ર વચ્ચે વચ્ચે તારા દેખાય. મહાવદ તેરસના પરોઢિયે ઊઠીને જોશો તો ભયંકર કાળી રાતમાં ત્રીજનો ચંદ્ર દેખાશે, જાણે ભગવાન શંકરની કાળી જટામાં ચંદ્ર શોભતો હોય, માટે તો ભગવાન શંકર ચંદ્રશેખર કહેવાય છે. Source- https://www.bombaysamachar.com ---------------------------- ટીમ ✍🏼 *Limited 10 પોસ્ટ* વતી આદિત્ય દેસાઈ (આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) [85 ગ્રુપ, 18000 જેટલા વાંચકો *નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું* , મારુ Limited 10 ✉ પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી] *જોડાઓ, અમારી સાથે* વોટ્સએપ: 07041143511 ટેલિગ્રામ: https://t.me/limited10post
61
12
08-03-2022 *👨🏼‍🚀🔭"Limited 10 પોસ્ટ વિજ્ઞાન વિશેષ"🔭👨🏼‍🚀* *'બ્રહ્માંડ દર્શન'-મુંબઈ સમાચાર* *✒લેખક: ડો. જે. જે. રાવલ* *આકાશ લાગે છે તો સામાન્ય, પણ તેમાં જ બધું ઉત્પન્ન થાય છે અને તેમાં જ બધું સમાય છે* આપણે જ્યારે રાત્રિ આકાશના દર્શન કરીએ છીએ ત્યારે આપણે પૂરા રાત્રિ-આકાશને એક સાથે જ નિહાળીએ છીએ, જાણે કે આપણે તારાના તણક્ષના જ દર્શન કરતા હોય. તથ્યમાં એક તારો આપણાથી ખૂબ જ નજીક છે, જ્યારે બીજો તારો અબજો અને અબજો કિ.મી. દૂર છે. પણ આ બધા તારામાંથી પ્રકાશ અલગ અલગ સમયે નીકળ્યાં હોય છે પણ તે એક સાથે આપણી આંખમાં પ્રવેશ છે અને પૂરું બ્રહ્માંડ આપણે એક સાથે જોઈએ છીએ. ખગોળીય ગોળો તો નાના ગૂંબજ જેવો લાગે છે પણ તેને આંબી શકાય તેમ નથી. ખગોળ વિજ્ઞાનીઓ કહે છે કે આપણું દૃશ્યવિશ્ર્વ સીમિત છે જે લગભગ ૧૨ અબજ પ્રકાશની ત્રિજ્યા ધરાવે છે. કિ.મી.માં તેનું અંતર ૧૨૦૦૦૦ અબજ અબજ કિ.મી. છે. ગ્રહોની ફરતે વાયુમંડળ હોય છે, ન પણ હોય. અંતરીક્ષ લગભગ ખાલી છે. તારા વચ્ચે આપણને બીજા શુભ્ર ધાબાં દેખાય છે જે હકીકતમાં આપણી આકાશગંગાની બહારની મંદાકિનીઓ (ગેલેક્ષીઝ) છે. રાતે જેટલા તારા દેખાય છે તે બધાં જ આપણી આકાશગંગાનાં જ સભ્યો છે. ઠીક ઠીક શક્તિશાળી દૂરબીનમાંથી જોતાં રાત્રિ આકાશમાં વાયુના વાદળો પણ નજરે ચઢે છે. તે કાં તો તારાના જન્મસ્થાનો છે, નહીં તો મૃત્યુસ્થાનો છે, વેર-વિખેર થયેલા તારાના મૃતશરીર. મૃગનક્ષત્ર સ્થિત મૃગનિહારિકા અને અશ્ર્વમુખ નિહારિકામાં તારા જન્મ લઈ રહ્યાં છે, જ્યારે કર્ક નિહારિકા તારામાં થયેલા વિસ્ફોટ પછી તેનું મૃતશરીર છે. જેમ પ્રકાશિત દૃશ્યમાન તારા છે, તેમ અદૃશ્યમાન તારા પણ છે. વામનતારા, ન્યુટ્રોનતારા અને બ્લેકહોલ્સ છે. હકીકતમાં તે તારાના મૃતશરીરો છે. સૂર્ય જેવા તારા વામનતારાના સ્વરૂપે મૃત્યુ પામે છે, જ્યારે તેનાથી મોટા તારા ન્યુટ્રોનતારાના સ્વરૂપે મૃત્યુ પામે છે અને તેનાથી પણ મોટા તારા બ્લેકહોલ્સના રૂપે મૃત્યુ પામે છે. ગિરના જંગલમાં કે હિમાલય કે હિમાચલમાં જઈને રાત્રિઆકાશ જોઈએ તો આપણે સુંદર અતિસુંદર આપણી આકાશગંગાને જોઈ શકીએ છીએ. મુંબઈમાંથી મે, જૂનના રાત્રિઆકાશમાં વિંછૂડાની પૂંછડીમાંથી પસાર થતી આકાશગંગા આહલાદક લાગે છે. કારણ કે આકાશગંગાના કેન્દ્રની ફરતે તારા ગીચોગીચ આવેલાં છે અને આકાશગંગાનું કેન્દ્ર વિંછૂડાના મૂળનક્ષત્રની દિશામાં અથવા કહો કે ધનુરાશિની દિશામાં છે. આધુનિક સમયમાં આકાશમાં લાઈટ પોલ્યુશન અને બીજા વાયુઓનું પ્રદૂષણ એટલું બધું છે કે શહેરોમાં ભાગ્યે જ તારા દેખાય છે, જે દેખાય છે તે બહુ પ્રકાશિત તારા કે ગુરુ, શનિ જેવા ગ્રહો દેખાય છે. આપણે મુંબઈમાં જ કે જે શહેરમાં રહેતા હોઈએ તે શહેરમાં રાત્રિઆકાશ જોઈએ તો લાગે કે પૂરા શહેર પર રાત્રિઆકાશ એક જ છે, પણ દિલ્હી કે કલકત્તા જઈને રાત્રિઆકાશ જોઈએ તો તે અલગ જ દેખાય. કારણ કે પૃથ્વીના અલગ અલગ અક્ષાંશ (લેટીટયૂડ) પર આકાશ અલગ અલગ હોય છે અને પૃથ્વી જેમ જેમ સૂર્યની પરિક્રમા કરે તેમ તેમ પણ રાત્રિઆકાશ અલગ અલગ હોય છે. પૃથ્વીના વિષુવવૃત્તનું આકાશમાં પ્રક્ષેપણ કરીએ તેને આપણે ખગોળીય વિષુવવૃત્ત કહીએ છીએ અને પૃથ્વીના ગોળા પરના અક્ષાંશ (લેટીટયૂડ)ને ડેકલીનેશન કહે છે. આકાશના ગોળા પરના અક્ષાંશ (લેટીટયૂડ) એટલે ડેક્સિનેશન. પૃથ્વી પરના રેખાંશ આકાશના ગોળા પરના રેખાંશ નથી. તે વસંતસંપાત બિન્દુમાંથી પસાર થતા રેખાંશને સમાન્તર હોય છે. રાત-દિવસ થાય છે તે પૃથ્વીના ગોળાના ધરીભ્રમાણને લીધે થાય છે અને સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારા પૃથ્વીની પરિક્રમા કરતાં દેખાય છે. આ બધાં આકાશીપિંડો પૂર્વ તરફ સરકતાં દેખાય છે. તે પૃથ્વીની સૂર્ય ફરતેની પરિક્રમા કરવાને લીધે થાય છે.જો પૃથ્વીની ધરી સીધી હોત તો હંમેશા દિવસ અને રાત સરખા થાત, દરેક બાર-બાર કલાકનાં અને સૂર્ય માત્ર પૃથ્વી પરની ક્ષિતિજમાં જ વર્ષ દરમિયાન કે દિવસ દરમિયાન ફરતો દેખાત. સૂર્ય જે આકાશમાં રવીમાર્ગ બનાવે છે, તે પૃથ્વીની વાંકી ધરીને લીધે થાય છે. અને ઋતુઓ પણ તેથી જ થાય છે. જે લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત થાય છે કે ટૂંકામાં ટૂંકો દિવસ અને લાંબામાં લાંબી રાત થાય છે કે પૃથ્વીના ઊંચા અક્ષાંશ પર મહિના મહિનાનો કે બે, ત્રણ કે છ મહિનાનો દિવસ અને રાત થાય છે, તે પણ પૃથ્વીની ધરી વાંકી હોવાને લીધે થાય છે. નોર્વેમાં જે મીડનાઈટ સન દેખાય છે તે પણ પૃથ્વીની વાંકી ધરીને લીધે દેખાય છે. આકાશ છે તો બ્રહ્માંડ છે. આપણે તારાના જ બાળકો છીએ. તારાએ જ આપણને હાલ સુધીના સ્તરે પહોંચાડ્યાં છે. તારાનો અભ્યાસ બધા જ શાસ્ત્રોનો અભ્યાસ છે. તેનું જ્ઞાન અને પરિચય દરેકને હોવો જોઈએ, તે પછી ગમે તે ક્ષેત્રની વ્યક્તિ હોય. ખગોળવિજ્ઞાનીઓને પ્રશ્ર્ન એ થયો કે રાત્રિઆકાશમાં અબજો અને અબજો તારા, અબજો અને અબજો તારા ભરેલી અબજો અને અબજો મંદાકિનીઓ છે, તેમ છતાં રાત્રિઆકાશ કાળુંધબ શા માટે લાગે છે? તે ઝળહળતું હોવું જોઈએ. પણ એમ નથી.
60
13
હાલમાં અહીં સુધી પહોંચવા માટે રોપવેની વ્યવસ્થા પણ છે અને રોપવેમાંથી જૂનાગઢ શહેરનો મનમોહક નજારો મન ભરીને માણી શકાય, પણ રોપવે કરતાં દાદરાઓ ચઢતાં ચઢતાં પ્રાકૃતિક દૃશ્યોની મોજ માણીએ તો ગિરનારની યાત્રા સાર્થક ગણાય. જેમ ગમતી ક્ષણને ઘણા સમય સુધી મમળાવવી જોઈએ એમ જ ગમતા સમયને અને ગમતા રસ્તાને લાંબા સમય સુધી જાળવી રાખવો જોઈએ. આ રસ્તે જેટલું ચઢાણ કરીશું એટલાં જ સુંદર દૃશ્યો આગળ જતાં મન અને આંખોને તૃપ્તિ આપશે. અહીં સુંદર અંબાજીનું મંદિર છે અને હવે થોડું ઉતરાણ છે, ચોતરફ વિશાળ પ્રાકૃતિક શિલાઓ પડું પડું થતી ઊભી હોય એમ ભાસે, પણ વર્ષોથી એ એમની એમ જ છે. આ શિલાઓને જોતાં જ આશ્ર્ચર્યચકિત થઇ જવાય. થોડા ઉતરાણ પછી ફરી સીધું ચઢાણ અને વાદળો વચ્ચે ગિરનારની મુખ્ય ટૂક ગુરુ દત્તાત્રેયનું સ્થાનક દેખાશે કે બધો જ શારીરિક થાક વાદળો સાથે ક્યાંય હવામાં ઓગળી જશે અને મન પ્રફુલ્લિત થઇ ઊઠશે જાણે કોઈ દિવ્ય શક્તિનો સંચાર થયો હોય. મુખ્ય ટૂંક પર ચઢતાં પહેલાં જ ગિરનારની સાથે સાથે ક્ષિતિજ પર સૂરજની પહેલી રોશની નારંગી રંગથી અવનીને રંગવા થનગની રહી હોય, આછો ભૂખરો રંગ ધીરે ધીરે હવામાં ઓગળીને નવી જ સ્ફૂર્તિનો સંચાર કરતો હોય એવું સ્પષ્ટ રીતે જોઈ અને અનુભવી શકાય ત્યારે જરા તરા સર્જનહારની દિવ્ય શક્તિનો પરિચય અને ઠંડા પવનના અછડતા સ્પર્શથી પ્રકૃતિના વહાલની અનુભૂતિ સુધી પહોંચી શકાય.  થોડી ક્ષણો પોતાના માટે ફાળવીને ગિરનાર પર બેસીને જૂનાગઢ નગર સાથે હવામાં વાતો કરીએ તો જાણે જૂનાગઢ પોતાની કથની કહેતો હોય એવું લાગે. ગરવા ગિરનારમાં વરસાદની મહેકને માણવી, ભવનાથની ભૂમિ પરથી પ્રકૃતિને નિહાળવી, હરખમાં દોટ લગાવીને જતાં વાદળો સાથે વાતો કરવી, ખીલી ઊઠેલા સાગડાઓ સાથે કુદરતની તાજગીને ગજવે ભરવી એથી રૂડું શું હોઈ શકે આ સમામાં? કાળાં ડિબાંગ વાદળો જાણે ગિરનારની આંખનું કાજળ બન્યાં હોય એવું કંઈક દીસે છે. અહીંથી પરત ફરવાનું મન તો ન થાય, પણ ધીરે ધીરે નીચે ઊતરવા માટે પગલાં માંડીએ અને અંબાજી સુધી જ્યાંથી આવ્યા હતા એ જ રસ્તે દાદરા ઊતરતાં ઊતરતાં જૂના દાદર તરફ વળીએ એટલે જંગલનો અલગ જ માહોલ પામી શકીએ. અહીં ઠેર ઠેર નવાં જ ખીલેલાં પાન પર ગોકળગાય તો વળી ક્યાંક પતંગિયાંઓ ઊડતાં જોઈ શકાય. સામાન્ય રીતે લોકો નવા રસ્તાનો ઉપયોગ કરતા હોય. અહીં બહુ જ ઓછા લોકો હોય છે એટલે અહીં પ્રકૃતિના સુમધુર સંગીતમય માહોલને પણ માણી શકાય. પક્ષીદર્શન અને શાંત માહોલની તરફેણમાં હોય એવા જનો માટે આ રસ્તો સ્વર્ગસમો છે. નજર ચકોર હોય તો આ રસ્તા પર પસાર થતી વખતે કોઈ વૃક્ષની ડાળી પર ઘુવડ તો વળી ક્યાંક કોઈક સાપમાર ગરુડ નજરે ચઢી જાય. સાંજ ઢળ્યા પછી આ રસ્તે દીપડાની અવરજવર પણ થતી હોય છે એટલે સૂર્યાસ્ત પહેલાં નીચે પહોંચી શકાય એમ હોય તો જ આ રસ્તો લેવો જોઈએ. માર્ગમાં વચ્ચે કોઈ શિલા પર બેસીને વાદળો સાથે વહાલ કરતા શહેરને જોયા કરવું એની એક અલગ જ મોજ છે. આ રસ્તા પર વચ્ચે થાક જેવું લાગે તો ચોમાસાની ઋતુમાં અહીં ઘણાં પ્રાકૃતિક ઝરણાંઓ વહેતાં જોવા અને સાંભળવા મળે. જટાશંકર મહાદેવના મંદિર નજીક પહોંચતાં સુધી સોનરખ નદીની ધારાઓ સુઘી પહોંચી જવાય. છેક નીચે ઊતરીએ એટલે ગિરનારને અનાયાસે ફરી જલદી મળવાનું વચન પણ આપોઆપ અપાઈ જ જાય એમાં કોઈ જ શંકા નથી.  ગિરનારથી નીચે ઊતર્યા પછી ઠેર ઠેર ગરમ ગરમ ગિરનારી કાહવાની લારીઓ જોવા મળે. અહીં આદું-મરીમસાલા અને ફુદીના સાથેના દેશી કાહવાની લિજ્જત માણવાની તક કોઈ સંજોગોમાં ચુકાય એવી નથી. હવે તો અહીં સિંહને મહાલતા જોવાનો  મોકો પણ સરળતાથી મળે છે. ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં જિપ્સી સફારી કરીને ગિરનારની ગોદમાં વસતા વન્યજીવોને કુદરતી માહોલમાં નિહાળી શકાય. ગુજરાતના સહુથી ઊંચાઈએ આવેલા શિખર એવા ગરવા ગિરનારનું મહત્ત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે, એક કે બે દિવસ માટે રૂટિનથી બ્રેક લઈને પોતાની જાતને કુદરતી માહોલ આપવો હોય તો ગિરનારથી શ્રેષ્ઠ કોઈ જ જગ્યા ન હોઈ શકે.  ___ ✍🏼 ટીમ *Limited 10 પોસ્ટ* વતી ભાવિન સોની (આ પોસ્ટ *કોપી રાઈટ* આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) [85 ગૃપ, 18000  જેટલા વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારું *Limited 10 ✉  પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી] *જોડાઓ, અમારી સાથે* વોટ્સએપ: 07041143511 ટેલિગ્રામ: https://t.me/limited10post
61
14
08/03/2022 *🏔️🏝️ગુજરાતની શાન એટલે ધ્યાનમગ્ન જટાળા જોગીસમા ગઢ ગરવા ગિરનારની ચોમાસાની ટહેલ 🏝️🏔️* *"ટ્રાવેલ સ્ટોરી"*- ઉત્સવ ✒લેખક: *કૌશિક ઘેલાણી (આરણ્યક)* https://www.facebook.com/Aaranyakwild ઋતુઓની રાણી વર્ષા જ્યારે એના અસ્સલ મિજાજમાં આવે ત્યારે આખીયે અવનીને સજાવવા માટેની ટેક લઈને આવી હોય એમ વરસી પડે છે અને એના મિજાજમાં ભીંજાવા માટે પણ પ્રકૃતિનાં દરેક તત્ત્વો મન મૂકીને એનામાં ઓતપ્રોત થતાં દેખાય છે તો આપણે સહુ કેમ બાકી રહીએ? એ વરસે ત્યારે માટી મહેક બનીને ડોલવા લાગે છે, ઝાડવાનાં પાંદડાંઓ વરસાદની બૂંદો પડતાં જ નાચવા લાગે છે અને નવાં ખીલેલાં પાંદડાંઓ પણ ભૂલકાંઓ પગમાં ચંપલ વિનાના શેરી ફરવા નીકળ્યાં હોય એમ ગમે ત્યાંથી રસ્તો કરીને ડોકિયું કરતાં દેખાય છે. પતંગિયાંઓ નાનકડું આયુષ્ય લઈને નવાં જ ખીલેલાં પર્ણો અને ફૂલો પર પોતપોતાની જગ્યા રોકી લે છે તો દેડકાંઓ પોતાની આગવી અદામાં કૂદાકૂદ કરી મૂકે છે. સોરઠના ગઢ એવા જૂનાગઢમાં હજારો વર્ષોથી તપસ્યામાં લીન એવા જોગી ગિરનારને મળવા વર્ષા કેટલાયે સમયથી આતુર હોય એમ વરસી પડે છે ત્યારે ગિરનારનાં પગથિયાં જે ન ચઢ્યા હોય એમણે ક્યારેય ગિરનારનો અસ્સલ રુઆબ નથી જોયો એવું ચોક્કસપણે કહી શકાય. ચોમાસામાં સામાન્ય રીતે આપણે કોઈ હિલ-સ્ટેશન તરફ ભાગતા હોઈએ છીએ, પણ અહીં વાદળોની આખી ફોજ ગિરનારીની ધૂનમાં જટાળા જોગીને મળવા દોટ લગાવે છે. વહેલી સવારે ભવનાથમાં પગ મૂકતાં જ જાણે ગિરનારી તમને એની તરફ ખેંચતો હોય એવું ગજબનું આકર્ષણ થાય. વાદળોની હાજરી મોટા ભાગે ગિરનારની ટોચને ઘેરી વળેલી જ હોય છે. જીવનમાં ગમે તેટલી વાર ગિરનાર જાઓ, પણ આ પ્રકારનું ખેંચાણ ન અનુભવો એવું ક્યારેય બન્યું નથી. એક તરફ ગિરનાર વન્યજીવ અભયારણ્ય અને એને ચોતરફ વનરાજીએ શિવની જટા માફક ઘેરી રહેલો ગરવો ગિરનાર જાણે દરેક જનોને અંગત રીતે આવકારતો હોય કંઈક એવી જ ભાવના અનુભવાય. વહેલી સવારે ગરમાગરમ રજવાડી ચા મળી રહે તો ચૂસકી મારીને ‘જે ગિરનારી’ કરતાં કરતાં શરૂઆત કરી શકાય. ગઢના દાદરા ચઢતાં જ ગણપતિ દાદાનાં દર્શન કરીને ધીરે ધીરે અંબાજી સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કરીને નીકળીએ કે વચ્ચે વચ્ચે વિરામ સ્થળોએથી ગિરનારની ગોદમાં વસેલા શહેરની ઝલક દેખાય. સાગના ઘટ્ટ જંગલમાં ઠેર ઠેર વાંદરાઓ ગમ્મત કરતા દેખાય. એમને નિહાળતાં નિહાળતાં પળવારમાં સઘળો થાક ગાયબ થઇ જાય. પક્ષીઓનો કલરવ સંભળાય એટલે પંખીદર્શનમાં રસ ધરાવતા લોકોની આંખો આપોઆપ ચકોર થઇ જાય કે એક ડાળેથી બીજી ડાળીએ ઊડતું બ્લેક નેપ્ડ મોનાર્ક એની અદાથી કોઈને પણ વશમાં કરી લે. જરાક આગળ વધો કે મોર અને ઢેલ ઝડપથી દોડતાં નજરે પડે અને ત્યાં નજર સ્થિર થઇ જાય. વચ્ચે એકાદી છત્રીમાં વિરામ લીધા પછી જરાક જેટલું ચાલીએ કે થાક લાગ્યો હોય એવું લાગે એટલામાં કોઈ વૃદ્ધ વ્યક્તિ માથા પર સામાન લઈને યુવાન જેટલી ત્વરાથી ઉપરની તરફ ભાગતી દેખાય કે ફરી આપણામાં જોમ આવી જાય અને પગલાં માંડીએ. અહીં રસ્તામાં જ પાણી અને ખાટી આંબલી, આમળાં, મકાઈ વગેરે મળી રહેશે. આ ઉપરાંત લીંબુ શરબત પણ ઠેર ઠેર મળશે. કોલ્ડ ડ્રિંક્સની પ્લાસ્ટિક બાટલીઓને નકારીને લીંબુ શરબતની લિજ્જત માણીએ અને ધીરે ધીરે પ્રકૃતિના સથવારે ગિરનાર દર્શન કરીએ એટલે અલગ જ રોમાંચ અનુભવી શકાય. આભમાં ઊંચે જુઓ અને નજર પહોંચે ત્યાં સુધી વાદળાંઓની દોટમદોટ, ક્યારેક નજર ચપળ હોય તો વિશાળ પાંખો ફફડાવીને સ્થિર ઉડાન ભરતું ગિરનારી ગીધ નજરે ચઢે અને વાદળાંઓમાં અચાનક ક્યાંક ખોવાઈ જાય, શ્ર્વાસમાં ઊંડે સુધી ભરી લો તો પણ ન થાકો એવી લીલોતરીની મહેક અને તાજી જ હવા, ક્યારેક ચહેરા પર વાદળી તાજા જ છાંટા વરસાવી જાય ત્યારે સ્પર્શતી બૂંદ સાથે જાણે વર્ષો પુરાણું વહાલ હોય એવું જ કંઈક, વાદળાંઓ વચ્ચે સંતાયેલા અવધૂત સામો ગિરનાર મરક મરક હસતો હોય એમ ક્યારેક અચાનક જ દેખાઈ આવે અને ફરી ગુમ, કોઈ તપસ્વી યોગીની વધેલી જટા માફક ઠેર ઠેરથી વહેતાં ઝરણાંઓ પહાડ ચઢી આવ્યાં હોય એમ આનંદ વહેંચતાં સંભળાય અને છેલ્લે વાદળો મારી સાથે દત્તાત્રેયની ટૂંક ચઢવાની હરીફાઈ લગાવીને બેઠાં હોય એમ લાગે. ચોમાસાની ઋતુમાં ગુજરાતના ગરવા ગિરનારને નથી ચડ્યા તો શું તમે ધૂળ ગુજરાતમાં રહો છો? કાલિદાસની રચના મેઘદૂત યાદ આવ્યા વિના ન રહે. અઠળૃટ તે પર્વત પર સુંદર પત્નીથી વિયોગમાં મહિના પસાર કરનાર, કૃશ થઈ જતાં સોનાનાં કડાં પડી જવાથી ખાલી કાંડાવાળો, પત્નીને મળવાની ઇચ્છા કરવાવાળા યક્ષે, રમત કરતા હાથી જેવા વાદળને પર્વતને આશ્ર્લેષમાં લીધો હોય એમ જોયો. આશરે ૩૦૦૦ પગથિયાં પછી પહેલી ટૂક પર જૈન ધર્મની આસ્થાનું મુખ્ય સ્થળ એવું ભવ્ય નેમિનાથ જૈન દેરાસર આવે અને ત્યાંથી બીજાં ૧૦૦૦ પગથિયાં ચઢીએ કે હિંદુ ધર્મનું આસ્થાનું અદ્ભુત સ્થાનક અંબાજી આવે, ત્યાં મસ્તક નમાવીને ધન્યતા અનુભવીએ એટલે અરધો ગિરનાર સર કર્યો કહી શકાય.
62
15
___ ✍🏼 ટીમ *Limited 10 પોસ્ટ* વતી નવિનકુમાર જોષી (આ પોસ્ટ *કોપી રાઈટ* આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) [85 ગ્રુપ, 18000  જેટલા વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારું *Limited 10 ✉  પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી] *જોડાઓ, અમારી સાથે* વોટ્સએપ: 07041143511 ટેલિગ્રામ: https://t.me/limited10post
64
16
*08/03/2022* *🌊ધારણા અને સત્ય વો ધૂંધળી રેખા🌊* *"ડૂબકી"*- રસરંગપૂર્તિ ✒લેખક: *વિનેશ અંતાણી* https://www.facebook.com/Vinesh-Antani-Books-550667105405624/ જાપાનના મહાન વાર્તાકાર રયુનાસુકે અકુતાગાવાનો જન્મ 1892ના માર્ચ મહિનામાં થયો હતો. એથી આજે એમની બે વાર્તાની વાત કરવી છે. એમણે પાંત્રીસ વર્ષની વયે આપઘાત કરી જીવનનો અંત આણ્યો. એમની માતા માનસિક રીતે બીમાર હતી. મોટા થયા પછી અકુતાગાવાને લાગ્યું કે માતાના ગાંડપણનાં લક્ષણો એમનામાં પણ ઊતર્યાં છે. એ માનવસ્વભાવનાં વિલક્ષણ પાસાંઓ વિશે સુંદર વાર્તાઓ લખીને જાપાની વાર્તાઓને આધુનિકતા તરફ લઈ ગયા. માણસ પૂર્વગ્રહોને લીધે કોઈ ઘટના કે વ્યક્તિ વિશે ખોટી ધારણા બાંધી લે છે. પહેલી વાર્તાનો મુદ્દો એ છે. એ વાર્તાના હિન્દી અનુવાદ ‘સંતરે’નું પઠન ગૂગલ પર સાંભળ્યું, મૂળ વાર્તા વાંચી નથી. એક પુરુષ ટ્રેનના સેકન્ડ ક્લાસમાં એકલો બેઠો છે. ટ્રેન છૂટવાની તૈયારીમાં છે. તે જ વખતે તેર-ચૌદ વર્ષની છોકરી દોડતી આવી પુરુષના ડબામાં ચડી જાય છે. એની સામેની સીટ પર બેસે છે. એના કાંટા જેવા વાળ, સસ્તો પોશાક, ગંદો મફલર જોઈ પુરુષને છોકરી માટે નફરત થાય છે. આવી ગંદી-ગોબરી છોકરી ત્રીજા વર્ગની ટિકિટ લઈને બીજા વર્ગમાં ચડી તે પણ એને ગમ્યું નથી. એ છોકરીને ઘૃણાથી જુએ છે. છોકરી ઘણી મથામણ પછી એની સીટની બાજુની બારીનો કાચ ઉઘાડે છે. એન્જિનનો ધુમાડો ડબામાં આવતાં અકળાયેલો નાયક છોકરી પર ગુસ્સો કરવા જાય છે, પરંતુ એ બારીમાંથી મોઢું કાઢી ઉત્સુકતાપૂર્વક બહાર જોતી હોય છે. પુરુષનો તિરસ્કાર વધતો જાય છે. ટ્રેન અત્યંત ગરીબ વિસ્તારમાં રેલવે-ક્રોસિંગ પાસે આવે છે. ક્રોસિંગની બહાર ત્રણ ગરીબ બાળકો માથું ઊંચું કરી કોઈને શોધતાં હોય તેમ ટ્રેનને જોતાં હોય છે. અચાનક બૂમો પાડે છે. બારીમાંથી અરધી બહાર લટકતી છોકરી હાથ હલાવે છે અને પાંચ-છ સંતરાં બાળકો પર ફેંકે છે. એ જોતાં જ પુરુષના મનમાં છોકરી તરફનો ભાવ બદલી જાય છે. એ અનુમાન કરે છે કે વિષમ ગરીબીને કારણે છોકરીએ અનિચ્છાએ બીજે ગામ કામ કરવા જવું પડે છે અને એનાં ભાંડરું એને જતી જોવા ક્રોસિંગ પાસે ઊભાં છે. પુરુષ પૂર્વગ્રહમાંથી બહાર નીકળી છોકરીને નવી નજરે જુએ છે. અકુતાગાવાની બીજી વાર્તા ‘ઇન અ ગ્રોવ’માં જાપાનમાં સમુરાઇ તરીકે ઓળખાતા યોદ્ધાની હત્યાની ઘટના કેન્દ્રમાં છે. લેખકે વાર્તા સળંગ કહી નથી. જુદા જુદા લોકોના કથનમાંથી વાર્તા બંધાય છે. એક કઠિયારાએ જંગલમાં વાંસના ઝૂંડ વચ્ચે સમુરાઈનું શબ જોયું હતું. ત્યાર પછી હત્યાની તપાસ શરૂ થાય છે અને લાગતાવળગતા લોકોની જુબાની લેવામાં આવે છે. કઠિયારા પછી એ પ્રદેશમાંથી વિહાર કરતો બૌદ્ધ સાધુ જુબાનીમાં જણાવે છે કે એણે સમુરાઈની સાથે એક યુવતીને પણ જોઈ હતી. પોલીસ અધિકારી કહે છે કે હત્યારો પકડાઈ ગયો છે. એક વૃદ્ધા કહે છે તેમ સમુરાઈ એનો જમાઈ હતો અને યુવતી એની દીકરી હતી. જમાઈનું શબ મળ્યું, પરંતુ દીકરીની ભાળ મળી નથી એથી વૃદ્ધા ચિંતિત છે. હત્યારો જુબાનીમાં કબૂલ કરે છે કે સમુરાઈનું ખૂન એણે કર્યું છે. સમુરાઈ સાથે રૂપાળી યુવતીને જોઈ એ મોહાંધ થયો હતો. સમુરાઈને છૂપાં શસ્ત્રો આપવાની લાલચ આપી ઝાડીમાં લઈ ગયો અને ઝાડ સાથે બાંધ્યો. સ્ત્રી પર બળાત્કાર કરવા એને વાંસના ઝૂંડમાં ખેંચી આવ્યો. પતિને લાચાર સ્થિતિમાં જોઈ યુવતીએ હત્યારા પર ખંજરથી નિષ્ફળ હુમલો કર્યો. હત્યારાએ પતિની સામે જ એના પર બળાત્કાર કર્યો. એ સ્ત્રીને પત્ની બનાવવા માગતો હતો. સ્ત્રીએ કહ્યું કે એનો પતિ જીવતો હોય ત્યાં સુધી એ બીજાની પત્ની થઈ શકે નહીં. યા તો પતિ જીવતો રહે અથવા અપરાધી જીવતો રહે. હત્યારા અને સમુરાઈ વચ્ચે યુદ્ધ થાય છે. હત્યારો સમુરાઈને મારી નાખે છે. એ દરમિયાન સ્ત્રી નાસી જાય છે. હત્યારો પણ પોલીસના ભયથી નાસી ગયો હતો. સમુરાઈની પત્ની મંદિરમાં ઇશ્વર સમક્ષ એના અપરાધની કબૂલાત કરે છે. એના પર બળાત્કાર થતો જોઈ પતિ હચમચી ગયો હતો. એના જેવા યોદ્ધાની શરમ અને પરાજયની લાગણી પત્ની સમજી શકી. એ પતિને કહે છે કે આવી નાલેશી પછી સુખેથી જીવવું અશક્ય છે. એમના માટે એકમાત્ર વિકલ્પ મૃત્યુ છે. ‘પહેલાં હું તમને મારીશ, પછી હું આપઘાત કરીશ.’ સ્ત્રી ખંજરથી પતિને મારી નાખે છે, પરંતુ આપઘાત કરવાની હિંમત ચાલી નહીં એથી નાસી ગઈ. છેલ્લે સમુરાઈનો આત્મા માધ્યમ દ્વારા એનું પાસું રજૂ કરે છે. હત્યારો એની પત્નીને નસાડી જવા લલચાવતો હતો ત્યારે પત્નીએ નફ્ફટ સ્ત્રીની જેમ પતિને મારી નાખવાનો આગ્રહ રાખ્યો હતો. એ સાંભળીને ક્રૂર હત્યારાને પણ યુવતી માટે નફરત જાગી. એણે સમુરાઈને પૂછ્યું કે એ આ બેવફા સ્ત્રીને મારી નાખે કે શું કરે? તે વચ્ચે સ્ત્રી નાસી ગઈ હતી. હત્યારો સમુરાઈનાં બંધન છોડી નાસી ગયો. સ્વમાની સમુરાઈ અપમાન, શરમ અને આઘાત જીરવી શક્યો નહીં. એણે પેટમાં ખંજર હુલાવી આત્મહત્યા કરી. આ વાર્તા દ્વારા અકુતાગાવા સૂચવવા માગે છે કે દરેક ઘટનાનાં અલગઅલગ પાસાં હોય છે. એક જ દષ્ટિબિંદુથી સત્યનો તાગ મેળવવો મુશ્કેલ છે. ઘણી વાર ધારણા અને સત્યની વચ્ચે આવેલી ધૂંધળી રેખા પાર કરી શકાતી નથી.
66
17
*જોડાઓ, અમારી સાથે* વોટ્સએપ: 07041143511 ટેલિગ્રામ: https://t.me/limited10post .
68
18
આમ લગ્ન પહેલા જે પુષ્પાની આજુબાજુ ભમરો થઈને ભમતો હોય અને પોતાની જાતને ભાગ્યશાળી માનતો હોય એ જ ભમરાને લગ્ન પછી રોટલીમાં ભમરા દેખાવા માંડે છે. પુષ્પાને કડક સૂચના આપવાની ઈચ્છા હોય છતાં ઈચ્છા પર કાબૂ રાખીને ( રાખવો જ પડે) તે પ્રેમાળ સ્વરે પૂછે, 'પુશું ડાર્લિંગ, તે કુકિંગ ક્લાસ ન કર્યા હોવા છતાં પણ રોટલીમાં આવા સરસ ભમરા કેવી રીતે પડે છે'. પુષ્પા પરબારુ વડકું નાખે, "હવે બડબડ કર્યા વિના ખાઈ લો ને છાનામાના" એટલે એ પાછો છાનોમાનો ય થઈ જાય.બા રોટલી બનાવતી ત્યારે રોટલી સહેજ પણ દાઝે તો ભમરો તરત દાઝે ભરાતો. એ જ ભયંકર ભમરો લગ્ન પછી નિત નવા ભમરાવાળી રોટલી પ્રેમથી પુરણપોળીની જેમ આરોગી જતો હોય છે. ધીમે ધીમે એનું મન સ્વીકારવા માંડે કે જેમ "પુષ્પ હોય ત્યાં ભમરો હોય" એ જ રીતે "જ્યાં રોટલી હોય ત્યાં પણ ભમરો હોય" પુષ્પાની રસોઈકળાની ખૂબી એ હોય છે કે તે રોટલી બનાવતી વખતે મોબાઇલમગ્ન ન હોવા છતાં રોટલીમાં ભમરા પાડી શકે છે. પુષ્પ પરથી તો ભમરો થોડીવાર પછી ઉડી જાય છે પણ રોટલી નો ભમરો ક્યારેય ઉડતો નથી.આવી પરિસ્થિતિમાં આ સાખી યાદ આવે... " હંસા પ્રીતિ કાય કી,વિપત પડે ઉડી જાય. સાચી પ્રીત શેવાળ કી, જો જલ સંગ સુખ જાય. એવુ જ કઈક બંધન રોટલી અને ભમરાનું છે. રોટલી ના છેલ્લા ટુકડા સુધી તે રોટલીને છોડતો નથી. જ્યારે રોટલીનું અસ્તિત્વ મટે છે ત્યારે જ તે ભમરા નું અસ્તિત્વ મટે છે. આમ રોટલીના ભમરાની વફાદારી લાજવાબ હોય છે. અને ભમરવાળી રોટલી બનાવનાર પણ લાજવાબ હોય છે. આ રીતે ભમરા વાળી રોટલી ખાઈ ખાઈને પરણિત પુરુષો નો સ્વભાવ ભમરા જેવો થઈ જાય છે પછી તે ઊડીને બીજાના બગીચામાં ઘૂસી જાય છે. માટે પરિણીત બહેનોએ રોટલીમાં ભમરો ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. પતિ ઘણીવાર કહેતો હોય કે રોટલીમાં ભમરો ન પડે તેનું ધ્યાન રાખ. છતાં ભમરાનો નાશ થતો નથી. આ રીતે સતત પુનરાવર્તિત થતો ભમરો છેવટે પતિના હ્રદય માં એક એવી લાગણી પેદા કરે છે અને પતિ માનવા લાગે કે આપણા ભાગ્યમાં જ ભમરો છે ત્યાં રોટલીના ભમરાની ક્યાં કરવી. વળી ભમરા બાબતે પતિ વારંવાર પુષ્પાને ટોકતો હોવાથી પત્નીને પણ એવું જ ફિલ થાય કે મારા ભાગ્યમાં જ ભમરો છે તો ભોગવવાનું જ રહ્યું.આમ લગ્ન પહેલા "પુષ્પના ભમરા" જેવો લાગતો પતિ લગ્ન પછી "ભાગ્યમાં ભમરો" હોય એવો લાગવા માંડે છે. ઘણા લોકો આવી લાગણીઓ જાહેરમાં વ્યક્ત કરી નાખે છે જ્યારે કેટલાક સંયમી નર-નારીઓ બોલતા નથી પણ અનુભવ તો એમનો પણ એ જ હોય છે. ભાગ્યમાં ભમરો છે એવો વસવસો પરણેલા વ્યક્ત કરે એ તો ઠીક પણ વાંઢા ય વિલાપ કરતા હોય છે. કારણકે તેઓશ્રી જ્યાં કન્યા જોવા જાય ત્યાં કાં તો સામેથી ના આવે, કાં તો કોઈને કોઈ અડચણ ઊભી થાય એટલે વાંઢાની નજર સામે ઘોડો હોવા છતાં તેને ઘોડે ચડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. ત્યારે તે પણ વામ્ભ એકનો નિસાસો નાખીને બોલે કે આપના ભાગ્યમાં જ ભમરો છે બાકી ગામમાં ઉઘાડા પગે આંટા મારનારા ય ડાળે વળગી ગ્યા છે. અને આપણે હજુ બાવનમેં વર્ષે ય ઠેકાણું શોધીએ છીએ. ભાગ્યમાં કોઈ ગ્રહો અવરોધરૂપ હોય તો તે ગ્રહના જપ કરી કરાવીને 'એકસો એકાવન ટકા ગેરંટીવાળા જ્યોતિષીઓ' તેનું નિવારણ કરી આપે છે પણ ભાગ્યમાં ભમરો હોય તો તેના નિવારણનો કોઈ ઉપાય કોઈ જ્યોતિષી પાસે હોતો નથી. વળી જાતકની કુંડળીમાં કયા કયા ગ્રહો છે તે જોઈ શકાય છે પણ તેની કુંડળીમાં ભમરો છે કે નહીં તે ક્યાંય જોવા મળતું નથી. જેમ કોરોનાનો વાયરસ ઘણીવાર સીટી સ્કેન કરાવવા છતાં દેખાતો નથી તેમ ભાગ્યનો ભમરો ખેરખાં જ્યોતિષીઓની કુંડળીમાં પણ દેખાતો નથી. છતાં હેરાન તો કરે જ. આ બધામાં 'ચોથા પ્રકારનો ભમરો' એકદમ વિશિષ્ટ છે તે જાતકમાં હોવા છતાં તેને દેખાતો નથી. જ્યારે બીજા લોકો કહેતા હોય કે "ફલાણાને ભમરો છે!" વળી તે લોકો ભમરાનું સરનામું પણ આપતાં હોય છે. છતાં ફલાણાને તે ભમરો દેખાતો નથી. આમ "ભાગ્યનો ભમરો" અને "ચોથા પ્રકારનો ભમરો" બંને હોવા છતાં દેખાતા નથી. દેખાતો ભમરો સારો પણ આ અદ્રશ્ય ભમરો વસમો. ગરમ ગરમ:- એક કથામાંથી સાંભળેલુ "કમળ" નું દ્રષ્ટાંત….. "કમળ" માંથી પોતાને સુખ મળશે, આનંદ મળશે એવા વિચારે ભમરો 'કમળ' ના મોહમાંને મોહમાં કમળની અંદર જઈને બેસી રહે છે. સાંજ પડતાં કમળ ની પાંદડીઓ બીડાવા લાગે છે. છતાં ભમરો કમળ પ્રત્યે મોહાંધ બની તેને છોડતો નથી. અંતે 'કમળ 'ની પાંદડીઓ બંધ થઈ જાય છે ભમરો કમળમાં કેદ થઇ જાય છે. અને છેવટે તે ગૂંગળાઈને "કમળ" માં જ મૃત્યુ પામે છે.(બોધ:- કોઈનો અતિશય મોહ ન રાખવો. અમુક હદ પછી તેને છોડતા પણ શીખવું જોઈએ.) સૌજન્ય: દર્પણ પૂર્તિ ** ‌------------------------------------------ ટીમ ✍🏼 *Limited 10પોસ્ટ* વતી મહેન્દ્ર મેરવાણા ( *ફાઉન્ડર એડમીન*) - દિલ્હી (આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) [ 85 ગ્રુપ, 18000 જેટલા વાચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]
69
19
. Dt. 08/03/2022 😂 *હાસ્યમ પરમ ધીમહિ....* 😂 ✒લેખક: *નટવર પંડ્યા* https://www.facebook.com/profile.php?id=100006612557519 E mail- natavarpandya@gmail.com Mob No. +91 85306 69907 *હાસ્યલેખ:- રોટલીમાં ભમરો અને ભાગ્યમાં ભમરો* પ્રકૃતિની ગોદમાં કણ્વ ઋષિનો આશ્રમ આવેલો છે. ચારે બાજુ વસંત સોળેકળાએ પૂરબહારમાં ખીલી છે. વાતાવરણ મદહોશ બની ગયું છે. તે સમયે કણ્વ ઋષિના આશ્રમમાં સૌંદર્યસામ્રાજ્ઞિ શકુંતલા ને એક ભમરો પરેશાન કરી રહ્યો છે. ભમરો વારંવાર ઉડી અને શકુંતલા પાસે આવે છે અને શકુંતલા પર મંડરાય છે. શકુંતલા એ ભમરાને ઉડાડી મુકવા માટે પ્રયત્નો કરી રહી છે. બરાબર એ જ સમયે આશ્રમમાં દુષ્યંત પ્રવેશે છે અને શકુંતલાને ભમરો ઉડાડતી જુએ છે.કદાચ ભમરો શકુન્તલાને ફૂલ સમજી બેઠો હશે. મહાકવિ કાલિદાસ રચિત 'અભિજ્ઞાન શાકુંતલ' માં આવું વર્ણન છે ભમરો અહીંથી લાઈમલાઈટમાં આવ્યો હોય એવું લાગે છે. ભમરો એ કંઈક અંશે પુરુષનું પ્રતીક છે. જો કે 'પુરુષ ભમરા જેવો છે કે પુરુષને ભમરો છે' તે હજુ સુધી આપણને સમજાયું નથી. હા, કુંવારી કન્યાને ભમરા જેવો પ્રિયતમ ગમે છે જે કન્યા રૂપી પુષ્પ પર મંડરાતો રહે,ગીત ગાતો રહે અને કીધું કરે.આમ કોડીલી કન્યાઓને ભમરા જેવો પ્રિયતમ ગમે પણ ભમરા જેવો પતિ ન ગમે. એટલે લગ્ન પહેલા કોડીલી કન્યા (અરે ભાઈ! દરેક કન્યા કોડીલી જ હોય છે!) પુષ્પ પર મંડરાતો ભમરો જુએ તો પ્રસન્ન થાય. આવું બધું અમારી વક્ર દૃષ્ટિ થી જોયા પછી દિવસો સુધીના ગહન મનોમંથનને પરિણામે અમને ભમરાના ચાર સ્વરૂપ પ્રાપ્ત થયા છે. નંબર એક-' પુષ્પ પરનો ભમરો' નંબર બે-' રોટલી માં ભમરો' નંબર ત્રણ-'ભાગ્યમાં ભમરો' અને 'ભમરો નંબર ચાર' જે વિશિષ્ટ પ્રકારનો છે. યુવાનને પણ લગ્ન પહેલા પુષ્પ પરનો ભમરો દેખાય છે. પોતે ફુલ ફટાક થઈને બહાર નીકળ્યો હોય અને પુષ્પ પર બેઠેલા ભમરાને જુએ એટલે જ્યાં તેના શરીરને પહોંચવું જોખમી હોય ત્યાં તેનું મન પહોંચી જાય છે. પણ જો યુવાન 'ફૂલ' થઈને ( પોટલી નાખીને) બહાર નિકળ્યો હોય તો તેને અપુષ્પ વનસ્પતિ પર ચડેલા કાળા મંકોડા પણ ભમરા સ્વરૂપ ભાસે છે. આમ લગ્ન પહેલા તેને પુષ્પો પર ભમરો દેખાય છે એવા સમયે તેને દુષ્યંતની જેમ કોઈ પુરબહારમાં પાંગરતી પુષ્પા નજરે ચડે તો પોતે જ ભમરો બની જાય છે. પુષ્પ જેવી પુષ્પાને જોઈને પાગલ બનેલો ભમરો જે ગરમાગરમ ગઝલો કે ગીતો રચે છે તેને 'ભ્રમરગીત 'કહેવાય છે લગ્ન પછી 'ભ્રમર' કે 'ગીત' બેમાંથી એકેય ગોત્યા જડતા નથી. આવો ભ્રમર ગીતો રચીને ફક્ત પુષ્પાને જ મોકલતો હોય તો વાંધો નહીં પણ મિત્રો ને ય મોકલે. પુષ્પા આવા ભ્રમરગીત વાંચીને ખીલી ઊઠે છે પણ આવા ભ્રમર ગીતો થી ત્રણ પ્રકારના લોકો વધુ ઘાયલ થાય છે. એક તો જે 'ઘરભંગ' થયો હોય તે. બીજું 'જેનું ઘર બંધાયું નથી' તે. અને ત્રીજા 'સાહિત્યની ઊંડી સૂઝ અને સમજ ધરાવતા હોય' તે. ભમરો આટલેથી અટકી જાય તો વાંધો નહીં પણ જો ભમરો એ જ પુષ્પા સાથે લગ્ન કરે તો છ મહિનામાં ઘૂમરી ખાઈ જાય. પછી પુષ્પાને પ્રિયતમમાં ભમરો દેખાતો નથી અને ભમરને પુષ્પામાં પુષ્પ દેખાતું નથી. લગ્ન પછી ભમરાને પુષ્પા 'મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી' એવી લાગે છે. પુષ્પામાં પાનખર દેખાવા લાગે છે. જેમ કોરોનામા એંસી ટકા ફેફસામાં કફ જામી જાય પછી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ઓક્સિજન પર રાખવો પડે એવું જ પ્રેમરોગના સંક્રમણમાં થાય છે એનું ઇન્ફેક્શન ફેફસાને બદલે સીધુ જ હૃદયમાં લાગે છે અને તેનું હૃદય પ્રેમરોગથી એકસો દશ ટકા સંક્રમિત થઈ ગયું હોય છે ત્યારે તેને મોજના તોરા છૂટે છે. ચારે બાજુ વસંત ખીલી હોય એવું લાગે છે. પણ જો એ જ પુષ્પાના લગ્ન અન્ય કોઇ નર સાથે થઈ જાય તો પ્રેમરોગ થી પૂર્ણપણે સંક્રમિત થયેલો ભમરો ઓક્સિજન પર આવી જાય છે. લગ્નની સિઝનમાં આવા ઘણા ઓક્સિજન પર આવી જાય છે. પછી પ્રેમરોગની સાઇડ ઇફેક્ટ રૂપે તેના હૃદયમાંથી ગીત પ્રગટે છે……… "ભમરેને ખિલાયા ફુલ, ફુલ કો લે ગયા રાજકુંવર" અલ્યા રાજકુંવર લઈ ગયો તે બલા ટળી. તું સુખી થઇ ગયો. લગ્ન પહેલા કાંટા વગરના લાગતા કોમળ પુષ્પમાં લગ્ન પછી કાંટા અનુભવાય છે. જે પછી પ્રેમરોગથી સંક્રમિત થયેલા ભમરાના હૃદયમાં ભોંકાય છે વળી ફિલ્મોમાં તો એવું ગીત છે...ભંવરા બડા નાદાન હૈ...પણ એમ કાઈ ભમરો નાદાન હોતો નથી.અને કદરદાન પણ હોતો નથી. તો વળી ગુજરાતીના મહાકવિ શ્રી હરીન્દ્ર દવે લખે છે કે...ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં,માધવ ક્યાંય નથી મધુવનમાં...પણ લગ્ન પછી આ ગીત કંઈક આવી રીતે ગવાતું હોય છે….....ફૂલ કહે નવરાને નવરો વાત વહે મૂંઝવણમાં, આનંદ ક્યાંય નથી જીવનમાં….મરાઠીમાં 'નવરો' એટલે 'પતિ' એવો અર્થ થાય છે.જ્યારે ઘણા પતિઓને જોયા પછી ગુજરાતીમાં પણ આ અર્થ ઘણો અર્થસભર લાગે છે.
74
20
સવારે તારો આ પત્ર વાંચીને એક ક્ષણ માટે તો મારા મગજનો પારો છટકી ગયો'તો વ્હાલી. તને તો ખબર છે મને ઊઠીને તરત જ ચા જોઈએ છે. પણ પછી પરાણે જાતે ચા બનાવતી વખતે સમજાયું, ચાને ફક્ત ઉકાળ્યા જ કરીએ તો તેની મીઠાશ, કડવી બની જાય છે અને વાસણ પણ બળી જવાનું. એ કરતા એમાં થોડો એલચીનો સ્વાદ જ ઊમરીએ તો? પહેલી વખત તારી ગેરહાજરીમાં અમે લોકોએ ટેબલ પરિષદ કરી જેમાં નાસ્તામાં ચીલ્લા કે પૌંવા નહિ ફક્ત બિસ્કિટ હતાં. સાચું કહું તારા થકી અમારા દરેકના જીવનને સાચી દિશા મળી છે બાકી તું ક્યાં નથી જાણતી તારા વગર અમને ઘરમાં કંઈ સૂઝકો નથી પડતો? અમે ત્રણેય પેઢીએ ઘણી ચર્ચા કરી કે તું જે વિચારે છે એ યોગ્ય છે કે નહિ? અને અંતે અમે એ જ તારણ પર પહોંચ્યા છીએ કે કોઈપણ પરિવાર એક વાહન છે અને દરેક સદસ્યો તેના પૈડા. અમને નવાઈ લાગે છે કે તું આટલા વર્ષોથી એકલપંડે આ સવારીને આવી પાણીના રેલા જેવી કેવી રીતે ચલાવી શકી? તને પણ તકલીફ પડી હશે ઘર , પરિવાર અને કામને સંભાળતા, પણ તેમ છતાં આજ દિવસ સુધી તે કોઈ ફરિયાદ નથી કરી. આ તું એટલે ફક્ત તું જ નહિ પરંતુ તારા જેવી દરેક સ્ત્રીને નતમસ્તક છીએ અમે. જન્મ લેતાની સાથે જ તમારે સંઘર્ષનો સામનો કરવો પડે છે. જાણતાં કે અજાણતાં તમને દ્વિતીય હરોળમાં મૂકી દેવાય છે. ઘણી વખત તમે વધારે સારું કામ કરો છો છતાં આધુનિક સમાજમાં પણ આદતવશ તમારી કામગીરી સામે તરત પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી દેવાય છે. તમારા વગર અમે કેટલા પરવશ થઈ જાય છીએ એ દેખાય ન જાય એટલે અમે તમને કંટ્રોલ કરીએ છીએ. જ્યારે તમારાથી આગળ વધવાનો કોઈ ઉપાય ન દેખાય એ સમયે ઘરની જવાબદારીનું બહાનું આગળ ધરી તમને આગળ વધતાં રોકીએ છીએ. એવું નથી કે અમારે નથી બદલાવું પણ અમે એ બદલાવ હસતા મોઢે સ્વીકારી નથી શકતા. કોઈ તમારા વખાણ કરે એ અમને પણ ગમતું હોય છે પરંતુ તમારી સાથે એ રાજીપો અમે વહેંચી ન શક્યા એ બદલ દિલગીર છીએ. હવે જાગ્યા ત્યારથી સવાર. તારી દરેક ઈચ્છા વાજબી છે. અને કદાચ ન હોત તો પણ એ તારી છે એટલે અમારા માટે ખાસ છે. તારો દેખાવ આજે પણ સુંદર જ છે કારણકે તારું મન સુંદર છે. તારી ક્ષમતા સામે ક્યારેય પ્રશ્ન થઈ જ ન શકે એવી ઊર્જા છે તારામાં. તારું હૃદય દરિયા કરતાં પણ વિશાળ છે. તારી કરુણા અને તારું હાસ્ય, બંને તારી આંખમાંથી છલકે છે. સારું છે તું ઘરે આવી એ પહેલાં મને આ બોલવા માટે ત્રણ-ચાર વખત રિહર્સલ કરવાનો સમય મળ્યો! આ શબ્દો બોલ્યા ભલે મેં, પણ એ છે અમારા બધાના. અને તેના પરનો અમલ પણ અમે આજથી જ કરીશું. આજે જમવાનું હું બનાવીશ અને વારંવાર બનાવતો રહીશ. બીજી જવાબદારી પણ અમે આવડે એ રીતે વહેંચી છે. અને નહિ ખબર પડે ત્યાં શીખી જઈશું. અને હા મોટી બારી પાસે તું આરામથી બેસી શકે એવી વ્યવસ્થા જલ્દી થઈ જશે. તને ત્યાં બેસીને આરામ કરવાનું મન થાય ત્યારે કહેજે, અમારામાંથી જે પણ હશે હશે એ તારી પસંદગીની ફિલ્ટર કોફી હાજર કરી દેશે મેમસાબ. અમારા જીવનનું પ્રેરકબળ બની રહેવા બદલ તારા ઋણી છીએ, અમારા પ્રેમસભર હપ્તા સ્વીકારી લે જે. *નેનો ફોલ્ડ:* હેં તે આ સ્ત્રીઓ શું ન ચલાવી શકે? તારું બંધ પડેલું ખાલી મગજ. ©લીના પ્રતીશ ------------------------- ટીમ ✍🏼 *Limited 10પોસ્ટ* વતી મહેન્દ્ર મેરવાણા ( *ફાઉન્ડર એડમીન* ) - દિલ્હી (આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો) [ 85 ગ્રુપ, 18000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી] *જોડાઓ, અમારી સાથે* વોટ્સએપ: 07041143511 ટેલિગ્રામ:https://t.me/limited10post .
83