Maths Buddies By Janisir
رفتن به کانال در Telegram
આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.
نمایش بیشترکشور مشخص نشده استدسته بندی مشخص نشده است
625
مشترکین
-224 ساعت
+57 روز
-1330 روز
آرشیو پست ها
જો ત્રણ અનુક્રમે આવતી સંખ્યાઓનો સરળવાળો 15 છે, તો વચલી સંખ્યાનો કેટલો હશે ?
તમામ વિધાર્થીઓની પ્રથમ તો માફી માંગીએ છીએ કેમ કે બે દિવસ પર્સનલ તકલીફના કારણે પ્રશ્નો ના મૂકી શક્યા ....
આવતી કાલે સવારે 08 વાગ્યે પ્રશ્નો મુકવા માં આવશે ....તમામ વિધાર્થીઓ જોડાઈ જજો ...
હવે પછીનો ટોપિક અને કેટલા વાગ્યે પ્રશ્નો આવશે તેની જાણ અગાઉ થઈ કરી આપવા માં આવશે માટે બધા વિધાર્થીઓ તૈયાર રહેજો .... ગણિત ન ભુક્કા કાઢી નાખવાના છે ....😂😂😂😂
ચેનલ ને તમારા મિત્રો સુધી શેર કરો અને વધુમાં વધુ વિધાર્થીઓ ને જોડો .....
34, 58 અને 94ને કઈ સૌથી મોટી સંખ્યા વડે વિભાજિત કરવાથી દરેક કિસ્સામાં શેષ સમાન મળે .
એક સંખ્યાના સાતગણામાં આઠ ઉમેરાતા મળતું પરિણામ તે જ સંખ્યાના દસ ગણામાંથી બાદ કરતા પરિણામ જેટલું છે, તો તે સંખ્યા શોધો.
બે ક્રમિક અયુગ્મ ઘન પુર્ણાંક સંખ્યાઓના વર્ગો નો સરવાળો 290 હોઈ, તો બંને સંખ્યાઓમાંથી નાની સંખ્યા શોધો.
બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 1086 છે જ્યારે આપણે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગીએ છીએ, ત્યારે આપણને ભાગફળ તરીકે 6 અને શેષ તરીકે પણ 6 મળે છે, મોટી સંખ્યા શોધો.
ચાર અવિભાજ્ય સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવાયેલી છે. પ્રથમ ત્રણ સંખ્યાઓનો ગુણાક 255 છે અને છેલ્લી ત્રણ સંખ્યાઓનો ગુણાક 1955 છે. તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા શોધો.
બે અંકોની સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો, જૂની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે, તો મૂળ બે અંકોની સંખ્યા કઈ છે ?
31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો............. છે.
પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર......... વડે વિભાજ્ય છે
https://t.me/mathsbyjanisir
ચાલો મિત્રો આવી જાવ ટેલીગ્રામ પર આપડી ચેનલ માં હમણાં જ આપડી વચ્ચે પ્રશ્નો આવશે ..... ત્યાં સુધી આ લિંક ને શેર કરો...
જય હિન્દ .... કાલે આપડે 20 પ્રશ્નો જોયા હતા અને આજે પણ 10 પ્રશ્નો સોલ્વ કરવાના છે👌👌 માટે તમામ વિધાર્થીઓ સુધી આ ચેનલની લિંક શેર કરો અને ગણિત, રિજનિંગ જેવા વિષયો સાથે દોસ્તી કરો ...😂😂
પંચાયતી રાજ વ્યવસ્થા:
📌 પંચાયતી રાજ વ્યવસ્થા શું છે?
ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીને મજબૂત બનાવવા માટે રચાયેલી ત્રણ સ્તરીય સ્થાનિક સ્વરાજ્ય પ્રણાલી એટલે પંચાયતી રાજ વ્યવસ્થા. તેમાં ગામના લોકો પોતાના પ્રતિનિધિઓ દ્વારા વિકાસ અને શાસનમાં સીધી ભાગીદારી કરે છે.
🏛 ઇતિહાસ અને વિકાસ
🔹 પ્રાચીન ભારતમાં ગામ પંચાયતો અસ્તિત્વમાં હતી.
🔹 ૧૯૫૭માં બાલવંતરાય મહેતા સમિતિએ પંચાયતી રાજની ભલામણ કરી.
🔹 ૨ ઑક્ટોબર ૧૯૫૯એ રાજસ્થાનમાં પ્રથમ વખત પંચાયતી રાજનો અમલ થયો.
🔹 ૧૯૯૨માં ૭૩મો બંધારણીય સુધારો અધિનિયમ પસાર થયો.
🔹 ૨૪ એપ્રિલ ૧૯૯૩થી પંચાયતોને બંધારણીય દરજ્જો મળ્યો.
📜 ૭૩મો બંધારણીય સુધારો – મુખ્ય મુદ્દા
✅પંચાયતોને બંધારણીય માન્યતા
✅ત્રણ સ્તરીય રચના ફરજિયાત
✅દર ૫ વર્ષે ચૂંટણી
✅મહિલા અને પછાત વર્ગ માટે આરક્ષણ
✅રાજ્ય ચૂંટણી આયોગની રચના
🏗 પંચાયતી રાજના ત્રણ સ્તરો
🔸 ગ્રામ પંચાયત
✅ ગ્રામ સ્તરે કાર્ય કરે છે
✅ સરપંચ મુખ્ય વડા હોય છે
✅ગામ વિકાસના કાર્યો સંભાળે છે
🧑🤝🧑 સભ્યો અને આરક્ષણ
➡️ મહિલા માટે ઓછામાં ઓછું ૩૩% આરક્ષણ
➡️ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે વસ્તી પ્રમાણે આરક્ષણ
➡️ ગુજરાતમાં મહિલાઓ માટે ૫૦% આરક્ષણ અમલમાં છે
🗳 ચૂંટણી વ્યવસ્થા
➡️દર ૫ વર્ષે નિયમિત ચૂંટણી
➡️રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજન
➡️મતદાન દ્વારા સીધી લોકભાગીદારી
🎯 પંચાયતી રાજનું મહત્વ
✅લોકશાહીનું મૂળ સ્તર
✅જનભાગીદારી વધે
✅સ્થાનિક સમસ્યાઓનો ઝડપી ઉકેલ
✅ગ્રામ્ય વિકાસને વેગ
✅પ્રશાસનમાં પારદર્શિતા
اکنون در دسترس! پژوهش تلگرام ۲۰۲۵ — مهمترین بینشهای سال 
