ch
Feedback
Employment office Surendranagar

Employment office Surendranagar

前往频道在 Telegram
6 426
订阅者
+224 小时
-127
-6230
帖子存档
5/5/2023 job fair
5/5/2023 job fair

*Asst Graphic Designer* Area :- Surendranagar Experience:- 1 Year Benefits:- Yearly Bonus CTC :- up to 20,000 Skills : Coral Draw, Photoshop, Video Editing Time :- 9: 00am to 7:00pm Send your Resume in this mail id :- hr@tryloindia.com Mo:- 7574020444

-High-court-2023-April.pdf2.26 KB

Photo from Nitin Parmar
Photo from Nitin Parmar

જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો સમય : સવારે ૯:૩૦ કલાકે ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી – સુરેન્દ્રનગર, કલેકટર ઓફીસ સામે- સુરેન્દ્રનગર તારીખ : ૦૫/૦૫/૨૦૨૩ ને શુક્રવાર ઉપસ્થિત રહેનાર કંપનીઓ : ૧. લાઇફ ગાર્ડ ફાયનાન્સિયલ્સ લી.-અમદાવાદ ૨. એલ.આઇ. સી. ઓફ ઇન્ડિયા-સુરેન્દ્રનગર ૩. શ્રી વાઘેશ્વરી રોલીંગ વર્કસ એન્ડ મેન્યુ.-વઢવાણ ૪. એઇમ લીમીટેડ-ભાવનગર જગ્યાનું નામ : 1. સેલ્સ મેનેજર (સ્ત્રી/પુરુષ) 2. રિલેશન મેનેજર (સ્ત્રી/પુરુષ) 3. એડવાઇઝર (સ્ત્રી/પુરુષ) 4. કવોલીટી કન્ટ્રોલર ઇન્સપેકટર (પુરુષ) 5. બ્રાન્ચ મેનેજર /આસિ. બ્રાન્ચ મેનેજર (સ્ત્રી/પુરુષ) લાયકાત : ગ્રેજ્યુએટ/ ધો. ૧૦ પાસ થી વધુ/ડિપ્લોમા મીકેનીકલ (ઇન્ટરવ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.) નોકરીનું સ્થળ : વઢવાણ, સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગર વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો. અથવા Employment Office Surendranagar ટેલિગ્રામ ચેનલની લીંક પર https://t.me/deesurendranagar કલીક કરીને વધુ મહિતી મેળવી શકશો.

*માનવ ગરિમા યોજના માટે જરૂરી પુરાવા* *ઉદ્દેશ:* આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના નાગરિકોને વિવિધ ૨૮ જેટલા નિશ્ચિત વ્યવસાય કરવા માટે જરૂરી સાધન સહાય કીટના સ્વરૂપે આપવામાં આવે છે જેથી આ સાધનોનો ઉપયોગ કરી પોતાના પરિવારનું ગુજરાન સન્‍માન સાથે કરી શકાય અને આર્થિક સમૃદ્ધતા તરફ વ્યક્તિ પોતાની જાત-મહેનતે આગળ વધી શકે. *આવક મર્યાદા:* શહેરી વિસ્તાર રુ ૧,૫૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તાર રુ ૧,૨૦,૦૦૦ *પાત્રતાના ધોરણો :* *•* અરજદારની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ. *•* અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી. *•* લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હૈઠળ અગાઉ લાભ લીધેલો હશે તો પુનઃ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી. *યોજના અંતર્ગત મળતી સહાય/લાભ:* આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના નાગરિકોને વિવિધ ૨૮ જેટલા વ્યવસાય કરવા માટે જરૂરી સાધન સહાય કીટ આપવામાં આવે છે. *અરજીની પ્રક્રિયા :* કોઈપણ વ્યક્તિ ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકે છે. *https://esamajkalyan.gujarat.gov.in/* *અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારી:* જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ક્ચેરી. *અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:* આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ ભાડાકરાર/ચૂંટણી કાર્ડ/પ્રોપર્ટી કાડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક) અરજદારની જાતિ નો દાખલો, વાર્ષિક આવકનો દાખલો-અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો, બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગંદનામું) એકરારનામું.

*દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)* *ડીડીયુ-જીકેવાય યોજના નો ઉદ્દેશ.* *•* દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓને રોજગાર સાથે જોડી તેમના કૌશલ્ય વિકાસ માટેની યોજના છે જે રાષ્ટ્રીય ગરમીન આજીવિકા મિશન (એનઆરએલએમ) (NRLM) યોજનાનો ભાગ છે. *•* ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓને સ્વદેશી તથા વિદેશી રોજગાર માટે કુશળ અને ઉત્પાદક કારીગર તૈયાર કરવાનો છે. *યોજનાની અમલવારી* *•* આ યોજનાના અમલીકરણ માટે પી.આઈ.એ. (પ્રોજેક્ટ ઈમ્લીમેન્ટ એજન્સી) પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) મોડેલથી ચાલે છે. પી.આઈ.એ. માટે ૭૫ ટકા તાલીમાર્થીઓને રોજગારી (પ્લેસમેન્ટ) અપાવવી ફરજીયાત છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર અનુક્રમે ૭૫ ટકા અને ૨૫ ટકા સહાય કરે છે. *લાભાર્થી પસંદગીના નિયમો* *•* ડીડીયુ-જીકેવાયના લાભાર્થી ગરીબ પરિવારના ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ગ્રામીણ ગરીબ યુવક-યુવતી હોવા જોઈએ. અથવા *•* મનરેગા યોજના અંતર્ગત જોબકાર્ડ ધારક પરિવાર કે જેને ૧૫ દિવસ મજુરી કામ કરેલ હોય. અથવા *•* આર.એસ.બી.વાય. કાર્ડધારક પરિવારના હોવા જોઈએ. અથવા *•* બીપીએલ / અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારક પરિવારના હોવા જોઈએ. અથવા *•* એનઆર એલએમ (NRLM) યોજનાના બીપીએલ એસએચજીમાં જોડાયેલ હોવા જોઈએ. *•* વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના એસઈસીસી -૨૦૧૧ ની યાદીમાં નામ હોવું જોઈએ. *યોજનાથી મળવાપાત્ર લાભ* *•* ૩ માસની વિનામૂલ્યે તાલીમ. *•* તાલીમ દરમ્યાન તાલીમના વિષય સિવાય ત્રણ અગત્યના વિષયોની તાલીમ. *•* ૧. સામાન્ય અંગ્રેજી ૨. સોફ્ટ સ્કીલ (પર્સનાલીટી ડેવલોપમેન્ટ) ૩. સામાન્ય કોમ્પ્યુટર. *•* વિનામુલ્યે ગણવેશની સુવિધા (યુવક લાભાર્થી માટે ટીશર્ટ અને ટોપી બે જોડી અને યુવતી લાભાર્થી માટે સલવાર, કુર્તી અને ટોપી બે જોડી) *•* તાલીમ સેન્ટર ઉપર વિનામૂલ્યે વાઈફાઈ અને ક્લાસરૂમમાં ટેબલેટની સુવિધા. *•* તાલીમ લીધા બાદ રોજગારી મેળવેલ હોય અને ૩ માસ સુધી નોકરી ચાલુ રાખનાર તમામ તાલીમાર્થીને ૨ માસથી ૬ માસ સુધી પ્રતિ માસ રૂ.૧૦૦૦/- ની પીપીએસ (પોસ્ટ પ્લેસમેન્ટ સપોર્ટ)ની જોગવાઈ, જેમાં (૧) પોતાના જીલ્લામાં ૨ માસ (૨) અન્ય જીલ્લામાં ૩ માસ (૩) અન્ય રાજ્યમાં ૬ માસસુધી પ્રતિ માસ રૂ. ૧૦૦૦/- *•* તાલીમ પૂરી થયા બાદ એનસીવીટી ( નેશનલ કાઉન્સેલીંગ ફોર વોકેશનલ ટ્રેનીંગ ) ભારત સરકાર ધ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. *લાભ ક્યાં થી મળે?* *•* તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ યોજનામાં તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો.

Job Title : Sales & Marketing Specialist No of Vacancies : 5 Location : Surendranagar & Across Gujarat Education : Any Graduate/ 12th Effective Communication Skill in Gujarati, English & Hindi. Proficient in Computer Record Management & Email. Self-motivated & Truely Result Oriented. With Proven Record in Industrial or Retails Sales B2C/ B2B. Share Your Updated Resume on : nil.engineering@yahoo.com

Call me for more details-7486014672
Call me for more details-7486014672