6 426
订阅者
+224 小时
-127 天
-6230 天
帖子存档
*Asst Graphic Designer*
Area :- Surendranagar
Experience:- 1 Year
Benefits:- Yearly Bonus
CTC :- up to 20,000
Skills : Coral Draw, Photoshop, Video Editing
Time :- 9: 00am to 7:00pm
Send your Resume in this mail id :- hr@tryloindia.com
Mo:- 7574020444
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો
સમય : સવારે ૯:૩૦ કલાકે
ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી – સુરેન્દ્રનગર, કલેકટર ઓફીસ સામે- સુરેન્દ્રનગર
તારીખ : ૦૫/૦૫/૨૦૨૩ ને શુક્રવાર
ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
૧. લાઇફ ગાર્ડ ફાયનાન્સિયલ્સ લી.-અમદાવાદ
૨. એલ.આઇ. સી. ઓફ ઇન્ડિયા-સુરેન્દ્રનગર
૩. શ્રી વાઘેશ્વરી રોલીંગ વર્કસ એન્ડ મેન્યુ.-વઢવાણ
૪. એઇમ લીમીટેડ-ભાવનગર
જગ્યાનું નામ :
1. સેલ્સ મેનેજર (સ્ત્રી/પુરુષ)
2. રિલેશન મેનેજર (સ્ત્રી/પુરુષ)
3. એડવાઇઝર (સ્ત્રી/પુરુષ)
4. કવોલીટી કન્ટ્રોલર ઇન્સપેકટર (પુરુષ)
5. બ્રાન્ચ મેનેજર /આસિ. બ્રાન્ચ મેનેજર (સ્ત્રી/પુરુષ)
લાયકાત :
ગ્રેજ્યુએટ/ ધો. ૧૦ પાસ થી વધુ/ડિપ્લોમા મીકેનીકલ
(ઇન્ટરવ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
નોકરીનું સ્થળ : વઢવાણ, સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગર
વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો.
અથવા
Employment Office Surendranagar ટેલિગ્રામ ચેનલની લીંક પર https://t.me/deesurendranagar કલીક કરીને વધુ મહિતી મેળવી શકશો.
*માનવ ગરિમા યોજના માટે જરૂરી પુરાવા*
*ઉદ્દેશ:*
આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના નાગરિકોને વિવિધ ૨૮ જેટલા નિશ્ચિત વ્યવસાય કરવા માટે જરૂરી સાધન સહાય કીટના સ્વરૂપે આપવામાં આવે છે જેથી આ સાધનોનો ઉપયોગ કરી પોતાના પરિવારનું ગુજરાન સન્માન સાથે કરી શકાય અને આર્થિક સમૃદ્ધતા તરફ વ્યક્તિ પોતાની જાત-મહેનતે આગળ વધી શકે.
*આવક મર્યાદા:* શહેરી વિસ્તાર રુ ૧,૫૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તાર રુ ૧,૨૦,૦૦૦
*પાત્રતાના ધોરણો :*
*•* અરજદારની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
*•* અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
*•* લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હૈઠળ અગાઉ લાભ લીધેલો હશે તો પુનઃ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
*યોજના અંતર્ગત મળતી સહાય/લાભ:*
આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના નાગરિકોને વિવિધ ૨૮ જેટલા વ્યવસાય કરવા માટે જરૂરી સાધન સહાય કીટ આપવામાં આવે છે.
*અરજીની પ્રક્રિયા :*
કોઈપણ વ્યક્તિ ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકે છે. *https://esamajkalyan.gujarat.gov.in/*
*અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારી:*
જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ક્ચેરી.
*અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા:*
આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ ભાડાકરાર/ચૂંટણી કાર્ડ/પ્રોપર્ટી કાડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક) અરજદારની જાતિ નો દાખલો, વાર્ષિક આવકનો દાખલો-અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો, બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગંદનામું) એકરારનામું.
*દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)*
*ડીડીયુ-જીકેવાય યોજના નો ઉદ્દેશ.*
*•* દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓને રોજગાર સાથે જોડી તેમના કૌશલ્ય વિકાસ માટેની યોજના છે જે રાષ્ટ્રીય ગરમીન આજીવિકા મિશન (એનઆરએલએમ) (NRLM) યોજનાનો ભાગ છે.
*•* ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓને સ્વદેશી તથા વિદેશી રોજગાર માટે કુશળ અને ઉત્પાદક કારીગર તૈયાર કરવાનો છે.
*યોજનાની અમલવારી*
*•* આ યોજનાના અમલીકરણ માટે પી.આઈ.એ. (પ્રોજેક્ટ ઈમ્લીમેન્ટ એજન્સી) પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) મોડેલથી ચાલે છે. પી.આઈ.એ. માટે ૭૫ ટકા તાલીમાર્થીઓને રોજગારી (પ્લેસમેન્ટ) અપાવવી ફરજીયાત છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર અનુક્રમે ૭૫ ટકા અને ૨૫ ટકા સહાય કરે છે.
*લાભાર્થી પસંદગીના નિયમો*
*•* ડીડીયુ-જીકેવાયના લાભાર્થી ગરીબ પરિવારના ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ગ્રામીણ ગરીબ યુવક-યુવતી હોવા જોઈએ. અથવા
*•* મનરેગા યોજના અંતર્ગત જોબકાર્ડ ધારક પરિવાર કે જેને ૧૫ દિવસ મજુરી કામ કરેલ હોય. અથવા
*•* આર.એસ.બી.વાય. કાર્ડધારક પરિવારના હોવા જોઈએ. અથવા
*•* બીપીએલ / અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારક પરિવારના હોવા જોઈએ. અથવા
*•* એનઆર એલએમ (NRLM) યોજનાના બીપીએલ એસએચજીમાં જોડાયેલ હોવા જોઈએ.
*•* વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના એસઈસીસી -૨૦૧૧ ની યાદીમાં નામ હોવું જોઈએ.
*યોજનાથી મળવાપાત્ર લાભ*
*•* ૩ માસની વિનામૂલ્યે તાલીમ.
*•* તાલીમ દરમ્યાન તાલીમના વિષય સિવાય ત્રણ અગત્યના વિષયોની તાલીમ.
*•* ૧. સામાન્ય અંગ્રેજી ૨. સોફ્ટ સ્કીલ (પર્સનાલીટી ડેવલોપમેન્ટ) ૩. સામાન્ય કોમ્પ્યુટર.
*•* વિનામુલ્યે ગણવેશની સુવિધા (યુવક લાભાર્થી માટે ટીશર્ટ અને ટોપી બે જોડી અને યુવતી લાભાર્થી માટે સલવાર, કુર્તી અને ટોપી બે જોડી)
*•* તાલીમ સેન્ટર ઉપર વિનામૂલ્યે વાઈફાઈ અને ક્લાસરૂમમાં ટેબલેટની સુવિધા.
*•* તાલીમ લીધા બાદ રોજગારી મેળવેલ હોય અને ૩ માસ સુધી નોકરી ચાલુ રાખનાર તમામ તાલીમાર્થીને ૨ માસથી ૬ માસ સુધી પ્રતિ માસ રૂ.૧૦૦૦/- ની પીપીએસ (પોસ્ટ પ્લેસમેન્ટ સપોર્ટ)ની જોગવાઈ, જેમાં (૧) પોતાના જીલ્લામાં ૨ માસ (૨) અન્ય જીલ્લામાં ૩ માસ (૩) અન્ય રાજ્યમાં ૬ માસસુધી પ્રતિ માસ રૂ. ૧૦૦૦/-
*•* તાલીમ પૂરી થયા બાદ એનસીવીટી ( નેશનલ કાઉન્સેલીંગ ફોર વોકેશનલ ટ્રેનીંગ ) ભારત સરકાર ધ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે.
*લાભ ક્યાં થી મળે?*
*•* તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ યોજનામાં તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો.
Job Title : Sales & Marketing Specialist
No of Vacancies : 5
Location : Surendranagar & Across Gujarat
Education : Any Graduate/ 12th
Effective Communication Skill in Gujarati, English & Hindi.
Proficient in Computer Record Management & Email.
Self-motivated & Truely Result Oriented.
With Proven Record in Industrial or Retails Sales B2C/ B2B.
Share Your Updated Resume on : nil.engineering@yahoo.com
现已上线!2025 年 Telegram 研究 — 年度关键洞察 
