Fast News By Rikesh
Fastet News, News Chenal Vedio, And Live News In Gujarati ● આ ચેનલ માં આપને તાજા સમાચાર, લાઈવ ન્યુઝ, બ્રેકીંગ ન્યુઝ, ન્યુઝ વિડિઓ મિનિટે મિનિટ ના તાત્કાલિક સમાચાર મેળવવા માટે નીચેની લિંક વડે જોડાવ.. અને આપના ગ્રુપ માં અને મિત્રો ને પણ શેર કરો.👇👇👇
إظهار المزيد1 170
المشتركون
لا توجد بيانات24 ساعات
-17 أيام
+230 أيام
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
INDW vs SAW: શ્વાસ થંભાવી દેતી મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, પૂજાએ છેલ્લી ઓવરમાં 11 રન ડિફેન્ડ કર્યા
https://gujarati.abplive.com/sports/cricket/india-women-defeats-south-africa-by-4-runs-899195
INDW vs SAW: શ્વાસ થંભાવી દેતી મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, પૂજાએ છેલ્લી ઓવરમાં 11 રન ડિફેન્ડ કર્યા
NET UGC Exam: યુજીસી-નેટ પરીક્ષા રદ્દ, જાણો ક્યારે જાહેર થશે પરીક્ષાની નવી તારીખ
https://gujarati.abplive.com/education/ugc-net-june-2024-examination-be-cancelled-a-fresh-examination-shall-be-conducted-899186
NET UGC Exam: યુજીસી-નેટ પરીક્ષા રદ્દ, જાણો ક્યારે જાહેર થશે પરીક્ષાની નવી તારીખ
Crime News: પંચમહાલમાં ઘરની છત રિપેર કરવા મુદ્દે પિતા-પુત્રમાં થઈ તકરાર, પિતાએ છરીના ઘા ઝીંકી પુત્રને ઉતાર્યો મોતને ઘાટ
https://gujarati.abplive.com/crime/crime-news-a-dispute-broke-out-between-father-and-son-over-repairing-the-roof-of-the-house-in-panchmahal-the-father-stabbed-his-son-to-death-899184
Crime News: પંચમહાલમાં ઘરની છત રિપેર કરવા મુદ્દે પિતા-પુત્રમાં થઈ તકરાર, પિતાએ છરીના ઘા ઝીંકી પુત્રને ઉતાર્યો મોતને ઘાટ
MSP એટલે શું?ખેડૂતોનો ફાયદો પહોંચાડવા અને તેમને કોઈપણ નુકસાનથી બચાવવા માટે પાકો પર લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા ઘણા વર્ષોથી ચાલી રહી છે. કેન્દ્રીય સરકાર પાકોના મિનિમમ ભાવ નક્કી કરે છે જેને MSP કે પછી લઘુત્તમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. તેને એક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જો ક્યારેય પાકના ભાવ બજારના હિસાબથી ઓછા આવે છે, ત્યારે પણ સરકાર MSP પાકોને ખરીદે છે. અંદાજિત 60 વર્ષ પહેલા તત્કાલિન સરકારે દેશને અનાજની અછતથી બચાવવા માટે ઘઉં પર MSP શરૂ કર્યું હતું. જોકે, સરકાર સીધા ખેડૂતોથી ઘઉંને ખરીદીને પીડીએસ સ્કીમ હેઠળ ગરીબોમાં વહેંચી શકે.MSPથી કેટલો લાભ?આ વાત સમજવું ઘણું જરૂરી છે કે સરકાર તમામ પાકો પર MSP નહીં આપે. સરકાર તરફથી 24 પાકો પર MSP નક્કી થાય છે. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના કમીશન ફૉર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસિસ ડિપાર્ટમેન્ટ તરફથી શેરડીની MSP નક્કી કરવામાં આવે છે. આ એક ડિપાર્ટમેન્ટ તરીકે સૂચન આપે છે. આ કોઈ ઓર્ગેનાઈઝેશન નથી જે કાયદા તરીકે MSP નક્કી કરી શકે. આ માત્ર એક વિભાગ છે જે સૂચન આપે છે, આ કોઈ એવી સંસ્થા નથી જે કાયદાકીય રીતે MSP લાગૂ કરી શકે. ઓગસ્ટ 2014 એટલે અંદાજિત 10 વર્ષ પહેલા શાંતા કુમાર કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, દેશમાં માત્ર 6 ટકા ખેડૂતોને MSPનું બેનિફિટ મળી શકે છે. બિહારમાં તો MSP પર ખરીદી જ નથી થતી. ત્યાં રાજ્ય સરકાર તરફથી પ્રાઈમરી એગ્રીકલ્ચર કૉપરેટિવ સોસાયટી એટલે પેક્સની રચના કરાઈ હતી જે ખેડૂતોથી ડાયરેક્ટ અનાજ ખરીદે છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે પેક્સ ઘણા અનાજની ખરીદે છે અને મોડું પેમેન્ટ કરે છે. ખેડૂતોને વધુ પડતા પાક ઓછી કિમત પર જ વચેટિયાઓને વેચવી પડે છે.MSPમાં 23 પાક સામેલ હોય છે7 પ્રકારના અનાજ (ડાંગર, ઘઉં, મકાઈ, બાજરી, જુવાર, રાગી અને જવ)5 પ્રકારના કઠોળ (ચણા, અરહર/તુવેર, અડદ, મૂંગ અને મસૂર)7 તેલીબિયાં (રેપસીડ-સરસવ, મગફળી, સોયાબીન, સૂર્યમુખી, તલ, કુસુમ, નાઇજરસીડ)4 વ્યવસાયિક પાક (કપાસ, શેરડી, કોપરા, કાચો શણ)
Kharif Season Crop New MSP Price : કેન્દ્ર સરકારે આજે (19 જૂન) 14 ખરીફ પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) વધારવાની જાહેરાત કરી છે. આ પાકોમાં રાગી, બાજરી, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અગાઉ ડાંગરની MSP રૂ.2183 રૂપિયા હતી, જોકે તેમાં વધારો કરીને 2300 રૂપિયા કરવામાં આવી છે.કપાસની પણ નવી એમએસપી જાહેર કરાઈતેમણે કહ્યું કે, કપાસની નવી MSP રૂ.7121 જ્યારે તેની બીજી જાત માટે નવી 7521 રૂપિયા નિર્ધારીત કરાઈ છે, જે અગાઉની એમએસપી કરતાં 501 રૂપિયા વધુ છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં બે લાખ નવા ગોડાઉન બનાવવામાં આવશે. નવી એમએસપી પર બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ગત પાક સિઝનમાં એમએસપી પર આશરે 1.65 લાખ રૂપિયા ખર્ચ કરાયો હતો.કેબિનેટે આ ખરીફ પાકો પર MSP વધારી
કેન્દ્રની ખેડૂતોને મોટી ભેટ, 14 ખરીફ પાકો પર MSP વધારવાની કેબિનેટની મંજૂરી, જુઓ યાદી
https://www.gujaratsamachar.com/news/national/cabinet-has-approved-minimum-support-price-on-14-kharif-season-crops
Teacher Recruitment 2024 : TET-TAT ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષકોની ભરતીને લઇને સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7,500 શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય
ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 3500 માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે
આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.4,000 ઉચ્ચર માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે
જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં 3.83 ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારી રહી ન હતી. આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વયમર્યાદાનો પ્રશ્ન ઉભો થયો રહ્યો છે.ગત વર્ષે એકપણ ભરતી થઈ નથી
રાજ્ય વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કબૂલ કર્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 235956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તેવા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં 5985 જગ્યાઓ ભરવા માટે 4138 ઉમેદવારોને જ્ઞાન સહાયકની નિમણૂક આપી છે. જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ મહિને 24000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. શિક્ષણ વિભાગે આ નિમણૂકો નવેમ્બર 2023માં આપી હતી અને તેમને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે. માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો હતો.