⊍પરાવાણી⊍
کانال بسته
ટેલિગ્રામ પરાવાણી ચેનલ માં આપ નું હાર્દિક સ્વાગત છે. અદભુત અને દિવ્ય આધ્યાત્મિક કથા- ગોષ્ઠિનો લાભ પ્રતિદિન મેળવો https://telegram.me/joinchat/AAAAAERDATBELIsWkwKgyA
نمایش بیشتر32 331
مشترکین
+224 ساعت
+457 روز
+17630 روز
در حال بارگیری داده...
کانالهای مشابه
هیچ دادهای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
ابر برچسبها
هیچ دادهای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
ژوئن '26
ژوئن '26
+21
در 0 کانالها
مه '26
+211
در 0 کانالها
Get PRO
آوریل '26
+207
در 0 کانالها
Get PRO
مارس '26
+155
در 1 کانالها
Get PRO
فوریه '26
+197
در 0 کانالها
Get PRO
ژانویه '26
+329
در 0 کانالها
Get PRO
دسامبر '25
+313
در 1 کانالها
Get PRO
نوامبر '25
+641
در 1 کانالها
Get PRO
اکتبر '25
+237
در 1 کانالها
Get PRO
سپتامبر '25
+377
در 0 کانالها
Get PRO
اوت '25
+282
در 1 کانالها
Get PRO
ژوئیه '25
+226
در 0 کانالها
Get PRO
ژوئن '25
+267
در 0 کانالها
Get PRO
مه '25
+257
در 0 کانالها
Get PRO
آوریل '25
+338
در 1 کانالها
Get PRO
مارس '25
+669
در 0 کانالها
Get PRO
فوریه '25
+532
در 0 کانالها
Get PRO
ژانویه '25
+788
در 0 کانالها
Get PRO
دسامبر '24
+1 360
در 0 کانالها
Get PRO
نوامبر '24
+875
در 1 کانالها
Get PRO
اکتبر '24
+1 064
در 0 کانالها
Get PRO
سپتامبر '24
+1 925
در 2 کانالها
Get PRO
اوت '24
+1 254
در 0 کانالها
Get PRO
ژوئیه '24
+938
در 0 کانالها
Get PRO
ژوئن '24
+646
در 1 کانالها
Get PRO
مه '24
+1 102
در 0 کانالها
Get PRO
آوریل '24
+1 425
در 0 کانالها
Get PRO
مارس '24
+1 524
در 0 کانالها
Get PRO
فوریه '24
+939
در 0 کانالها
Get PRO
ژانویه '24
+996
در 0 کانالها
Get PRO
دسامبر '23
+700
در 0 کانالها
Get PRO
نوامبر '23
+213
در 0 کانالها
Get PRO
اکتبر '23
+335
در 0 کانالها
Get PRO
سپتامبر '23
+227
در 0 کانالها
Get PRO
اوت '23
+524
در 0 کانالها
Get PRO
ژوئیه '23
+503
در 0 کانالها
Get PRO
ژوئن '23
+438
در 0 کانالها
Get PRO
مه '23
+721
در 0 کانالها
Get PRO
آوریل '23
+850
در 0 کانالها
Get PRO
مارس '23
+932
در 0 کانالها
Get PRO
فوریه '23
+259
در 0 کانالها
Get PRO
ژانویه '23
+94
در 0 کانالها
Get PRO
دسامبر '22
+679
در 0 کانالها
Get PRO
نوامبر '22
+263
در 0 کانالها
Get PRO
اکتبر '22
+120
در 0 کانالها
Get PRO
سپتامبر '22
+181
در 0 کانالها
Get PRO
اوت '22
+108
در 0 کانالها
Get PRO
ژوئیه '22
+1 449
در 0 کانالها
Get PRO
ژوئن '22
+240
در 0 کانالها
Get PRO
مه '22
+154
در 0 کانالها
Get PRO
آوریل '22
+336
در 0 کانالها
Get PRO
مارس '22
+91
در 0 کانالها
Get PRO
فوریه '22
+33
در 0 کانالها
Get PRO
ژانویه '22
+217
در 0 کانالها
Get PRO
دسامبر '21
+184
در 0 کانالها
Get PRO
نوامبر '21
+134
در 0 کانالها
Get PRO
اکتبر '21
+5 034
در 0 کانالها
| تاریخ | رشد مشترکین | اشارات | کانالها | |
| 03 ژوئن | +3 | |||
| 02 ژوئن | +2 | |||
| 01 ژوئن | +16 |
پستهای کانال
બુધવાર, 3 જૂન, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1996
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1578
▪️ટોપિક: ઉપાસના સિદ્ધાંતનો ચોથો મુદ્દો "પ્રગટ-પ્રત્યક્ષ", ભાગ-326
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડમાં મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ સહિત જ પધારે છે. અને તેની ઓળખાણ સૌને કરાવે છે કે - મોક્ષનુ દ્વાર, વડવાનળ જેવા, પરમ એકાન્તિક સત્પુરુષ, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, જે આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. અક્ષરધામના ચાર સ્વરૂપ પૈકી તેઓ ચોથું સ્વરૂપ છે. તે મહિમા આત્મસાત કરીએ.
આજની કથામાંથી આપણને નીચેના પ્રશ્નોનું સમાધાન મળશે.
▪️અક્ષરબ્રહ્મને તત્ત્વે સહિત યથાર્થ ઓળખ્યા પછી બધું જ્ઞાન થાય. પછી દીવાદાંડી બની માયાના અંધકારને અક્ષરબ્રહ્મ જ ઓળખાવી શકે.
▪️મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના જીવનચરિત્ર ગ્રંથના 535 માં પૃષ્ઠ પર સ્વામી ગુણાતીત સંતના લક્ષણ જણાવીને આપણને સંદેશ આપે છે કે, ગુરુ સોળ આની વર્તે ત્યારે શિષ્ય એક આની વર્તે.
▪️પ્રમુખસ્વામી મહારાજ આણંદમાં પધરામણી દરમ્યાન દેહનો કેવો અનાદર કર્યો હતો તેની સ્મૃતિ કરીએ.
આ પ્રસંગની પુષ્ટિ રૂપે પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી વચનામૃત કારિયાણી 6 તરફ દોરી જાય છે. જેમાં આપણને જાણવા મળે છે કે, શ્રીજીમહારાજનું
*ખાવું ,પીવું , પહેરવું ઓઢવું તે ભક્તને અર્થે છે.
*રમણીય પંચવિષયમાં રંચ માત્ર આસક્તિ નથી.
*કેવા ભક્ત સાથે પ્રીતિ થાય છે?
▪️નીલકંઠવર્ણીએ વિચરણમાં સાથે આવેલ મોહનદાસને કઠારીમાં ઊપજેલ મોહને કેવી રીતે ટાળ્યો?
▪️ભગતજી મહારાજના જીવનચરિત્રમાં 1953માં નોંધાયેલાં પ્રાસાદિક વચનો “ અંતરનું અજ્ઞાન ટાળે એ ગુરુ” એમ કહી ગુરુના લક્ષણ કહ્યા. તે જાણીએ.
▪️યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં 1957 માં પ્રવીણભાઈએ યોગીબાપાને પ્રશ્ન પૂછ્યો “આપ કોણ છો? આપનામાં કઈ સામર્થિ છે તો આટલા બધા મનુષ્યો ખેંચાઈ આવે છે?"
યોગીજી મહારાજે ટૂંકો અને એમની જીવન શૈલીને પ્રકાશતો ઉત્તર આપ્યો તે સાંભળીએ. અને જાણીએ કે ગુરુકૃપા ક્યારે થાય?
▪️નિર્ગુણદાસ સ્વામીની વાત 369 માં આધારાનંદ સ્વામી શ્રીજીમહારાજને પુછે છે કે -
“ જેવું છે તેવું તેજ કેમ દેખાડતા નથી?"
આ પ્રશ્ન સાથે વચનામૃત ગઢડા પ્રથમ 9 સાથે સાંકળી કરીએ.
▪️મહંતસ્વામી મહારાજનો મોટામાં મોટો ચમત્કાર કયો?
▪️વચનામૃત ગઢડા પ્રથમ 14 ના સંદર્ભે જાણીએ કે દાસપણાનાં લક્ષણ કેવાં હોય?
▪️ગમે તેવા દેશકાળ આવે તો પણ પોતાની નિષ્ઠા, ભક્તિ કે શ્રદ્ધામાં મોળો ના પડે તે ભક્તની સમજણ વચનામૃત અંત્ય 21ના આધારે સમજીએ.
▪️પ્રવૃત્તિ અને નિવૃત્તિવાળાની સમજણ કેવી રાખી હોય તો ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તે વચનામૃત કારિયાણી 7ના આધારે સમજીએ.
▪️સાધનકાળ અને સાધ્યકાળની ભક્તિ એટલે શું ?
ગોષ્ઠિ સમરી:
નીચેના પ્રશ્નોના ઉત્તરો પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી એ સુંદર રીતે કરી આપ્યા. ગોષ્ઠિમુક્તો એ પણ પોતાના મૌલિક વિચારો રજૂ કરી આપણને રત્નો આપ્યાં.
૧) સ્વામી, વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 2 માં શ્રીજીમહારાજે ઉત્તમ ભક્તની વ્યાખ્યા આપતાં કહ્યું કે - તેમને ઉત્તમ પંચવિષય પ્રાપ્ત થાય કે પણ તેને તે પ્રીતિએ રહિત ને ઉદાસ થકો ભોગવે. તો હું ઉત્તમ પંચ વિષય કેવી રીતે ભોગવી શકું? તે સમજાવોને.
૨) સ્વામી, આપે દાદાખાચરની વાત કરી. તેમને રાજ્યમાં હેત ન હતું, સગાંવહાલાંમાં હેત ન હતું, વળી પોતાના દેહમાં પણ હેત ન હતું, પરંતુ ભગવાનમાં હેત હતું. તો એવું હેત કરવાનું સાધન તેમણે શું કર્યું હતું? તે સમજાવોને.
નીચેના નોંધનીય મુદ્દાઓ પર વિમર્શ થયો:
- સુખ - દુઃખનું પરિમાણ કેવી રીતે કરવું?
- શેનું પરિમાણ કરી રાખવું અને પરિતાપ કરવો?
- જગતનું નાશવંતપણું કરવાનો ઉપાય કયો?
- સત્પુરુષ મારો આત્મા છે તે દૃઢ કરીએ.
- માયામય સુખ છે. તે દુઃખ વિનાનું હોય નહીં.
-ભગવાનના સુખે સુખિયો થયો હોય તે ક્યાંય દુઃખી થતો નથી.
-પૂર્વના જે સાચા ભક્ત થયા તેની વ્યાવહારિક સ્થિતિ નબળી હતી છતાં તે અમર થઈ ગયા. તેમની વિશેષતા એ છે કે તેમણે ભગવાનને રાખ્યા હતા.
આજની કથાનો મુખ્ય આધાર:
વચનામૃત:- ગઢડા પ્રથમ 44,
કારિયાણી પ્રકરણ 6,7
પૂરક વચનામૃત
ગઢડા પ્રથમ:- 2 9, 14, 21, 24, 44, 69, 73
કારિયાણી 6, 7, 10, 11
લોયા:- 17
ગઢડા મધ્ય:-4, 13, 59
ગઢડા અંત્ય:- 7, 12, 13, 28, 38, 39
પૂરક ગ્રંથ
નિર્ગુણદાસ સ્વામીની વાતો
સમરી લેખક:
શ્રી ડૉ. હરિતભાઈ જાની (સિડની)
શ્રી ડૉ. જશવંતભાઈ સુથાર (એલ.એ.)
શ્રી હર્ષદભાઈ પટેલ(અમદાવાદ )
કથા-ગોષ્ઠિની લીંક https://t.me/c/1145241904/53932
#GP44, #KA06, #KA07
| 2 | બુધવાર 03 જૂન 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1996
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1578
─⊱✿⊰─
વિષય:અક્ષરધામમાં ભગવત્સેવા પ્રાપ્તિનાં 16 સાધન
(અધ્યાત્મમાર્ગે અક્ષરબ્રહ્મનું મહત્વ અને ભૂમિકા તેમજ પરબ્રહ્મનો અપરંપાર મહિમા)
વિશેષ:શરણાગતિના પરિપ્રેક્ષ્યમાં ગીતા 18મા અધ્યાયમાં મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીકૃત ગીતાભાષ્ય 18/62 અનુસાર तमेव शरणं गच्छ सर्वभावेन भारत! तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्।।શરણાગતિ પર કથા
ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો નૂતન વર્ષ આદેશ "પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ."પર વિમર્શ ગોષ્ઠિ અવશ્ય સાંભળો.
વક્તા-પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી
ᴘᴜᴊʏᴀ ᴀᴋsʜᴀʀᴊɪᴠᴀɴᴅᴀs sᴡᴀᴍɪ
અમદાવાદ,શાહીબાગ
જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વોને જાણવા અને પરબ્રહ્મનો અનન્ય ભાવે આશ્રય કરવો તે પર કથા
પ્રસ્તુત કથા પર દેશ-વિદેશના BAPS યુવકોની ગોષ્ઠિનો અદ્ભુત લાભ
સમય - 2:22:40
પરાવાણી જાણકારી- https://t.me/c/1145241904/52849
સદસ્યોને વિનંતી:
પરાવાણી કથાગોષ્ઠિ શૃંખલાનો અમૂલ્ય લાભ લઈએ અને બીજાને પણ લાભ અપાવીએ
#SadhuAksharjivandas
#vachanamrut #KathaGoshthi
#6Vichar | 3 771 |
| 3 | મંગળવાર , 2 જૂન, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1995
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1577
Summary Part 2:
ગોષ્ઠિ સમરી:
નીચેના મુદ્દા/ પ્રશ્નો ઉપર ગોષ્ઠિમુક્તો અને પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીએ વિમર્શ કર્યો છે:
▪️ સ્વામી, વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 2 પ્રમાણે સર્વ હરિભક્તો દિવ્ય છે. પરંતુ સ્વામી જ્યારે હું સર્વ હરિભક્તોને દિવ્ય જોઉં છું ત્યારે ભ્રાંતિ થાય છે કે કંઈક ખોટું તો નથી કરી રહ્યો ને. બુદ્ધિ સંશય કરે છે. તો તેનું શું કરવું?
સ્વામી, આપે ઉપરના પ્રશ્નના ઉત્તરમાં વાત કરી કે ભક્તો દિવ્ય છે. એટલે મને એમ સમજાય છે કે - જેટલા ભક્તો વધારે દિવ્ય દેખાય છે તે સારું જ છે અને તે માર્ગ પણ સાચો છે. પણ બધા ભક્તો મને દિવ્ય દેખાય છે એટલે હું કાંઈ ગાંડો નથી થઈ ગયો. પણ એ માર્ગ જ સાચો છે. એ સાચું સમજાણું?
▪️ સ્વામી, વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 63 પ્રમાણે જીવ બળને કેમ પામે? તે સમજાવોને.
▪️ સ્વામી, બાપાની કૃપાથી સારી લેવા થાય, બીજાને સમાસ પણ થાય. પરંતુ સ્વામી આ કાર્ય સત્પુરુષ દ્વારા થયું છે તેવું જાણપણું સદાય કઈ રીતે રાખવું?
▪️ સ્વામી, ઉપેન્દ્રIનંદ સ્વામી નિષ્કપટ થઈ ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા અને ગુણાતીતાનંદ સ્વામીએ તેમને નિષ્કામી કરી દીધા. આવા 29 લક્ષણ સિદ્ધ કરેલા સાધુ, તેમનું ઉત્કૃષ્ટ લેવલ, છતાં નિર્માની થયા. તેમનામાં જેવી ભાવના હતી એવી ભાવના મને કઈ રીતે જાગ્રત થાય?
▪️ સ્વામી, કથામાં વાત થઈ કે હરિભક્ત ભજન કરતાં કરતાં ચાલીને ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા તો ગુણાતીતાનંદ સ્વામીએ તેને પ્રાયશ્ચિત્ત ન આપ્યું. તેના સંદર્ભમાં, હું મંદિર જવું ત્યારે ભજન કરતાં કરતાં જવું છે પણ મારે સત્પુરુષનું સતત અનુસંધાન રહેતું નથી. તો સ્વામી, ભગવાનમાં વૃત્તિ રાખીને ભજન કરવાની વિશેષ રીત શિખવાડોને.
▪️ સ્વામી, વચનામૃત વડતાલ પ્રકરણ 15 પ્રમાણે આસુરી જીવ અને દૈવી જીવની વાત કરી છે. તેનું મજકુર શું છે? મહારાજ શોભારામ શાસ્ત્રીને વાત કરે છે તેમાંથી સત્સંગી તરીકે મારે શું શીખવાનું?
▪️ સ્વામી, મારી સત્પુરુષ તરફ દૃષ્ટિ રહે તો પ્રારબ્ધના ગમે તેવા થર આવે તો પણ તેની અસર ન થાય. પણ જો પ્રારબ્ધના થરની અસર મને થાય તો મારે એમ સમજવાનું કે સત્પુરુષ તરફ મારી દૃષ્ટિ નથી?
આજની કથાનો મુખ્ય આધાર:
વચનામૃત:- ગઢડા પ્રથમ 43
ગઢડા અંત્ય 2
પૂરક વચનામૃત
ગઢડા પ્રથમ:- 43, 45, 51, 54
સારંગપુર:-કારિયાણી 1
લોયા:- 5
ગઢડા મધ્ય:-13, 54
વરતાલ:- 7
ગઢડા અંત્ય:-2
જેતલપુર:- 1
પૂરક ગ્રંથ
હરિગીતા
સત્સંગિજીવન
યોગીજી મહારાજ જીવન ચરિત્ર
સમરી લેખક:
શ્રી ડૉ. હરિતભાઈ જાની (સિડની)
શ્રી ડૉ. જશવંતભાઈ સુથાર (એલ.એ.)
શ્રી હર્ષદભાઈ પટેલ(અમદાવાદ )
કથા-ગોષ્ઠિની લીંક https://t.me/c/1145241904/53929
#GP43, #GA02 | 4 588 |
| 4 | મંગળવાર, 2 જૂન, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1995
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1577
Summary Part 1:
▪️ટોપિક: ઉપાસના સિદ્ધાંતનો ચોથો મુદ્દો "પ્રગટ-પ્રત્યક્ષ", ભાગ-325
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડમાં મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ સહિત જ પધારે છે. અને તેની ઓળખાણ સૌને કરાવે છે કે - મોક્ષનુ દ્વાર, વડવાનળ જેવા, પરમ એકાન્તિક સત્પુરુષ, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, જે આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. અક્ષરધામના ચાર સ્વરૂપ પૈકી તેઓ ચોથું સ્વરૂપ છે. તે મહિમા આત્મસાત્ કરીએ.
આજની કથામાંથી આપણને નીચેના પ્રશ્નોનું સમાધાન મળશે.
▪️શ્રીજીમહારાજના વચન પ્રમાણે ભગવાનનો આશરો કોણ કરાવે છે? જીવના કલ્યાણને અર્થે ભગવાન પ્રગટ થાય અને મનુષ્યચરિત્ર કરે ત્યારે યથાર્થ સમજ કોણ આપે?
▪️વચનામૃતમાં શ્રીજીમહારાજે સત્પુરુષ માટે વિવિધ શબ્દ પ્રયોગ કર્યો છે તેનો યથાર્થ મહિમા સમજી જોડાય તો શું લાભ થાય?
▪️હરિગીતા ગ્રંથમાં બાલ ઘનશ્યામ ભક્તિમાતાને સંતનાં લક્ષણ બતાવી શાની પ્રતીતિ કરાવે છે? સત્સંગિજીવન ગ્રંથના પહેલા અધ્યાયને સાંકળીને પુષ્ટિ કરી.
▪️શ્રીજીમહારાજ ગઢડામાં હતા ત્યારે બે ઓછી બુદ્ધિવાળા જણને ઓળખાવી પૂર્વે સત્પુરુષના સેવાથી શું લાભ થયો તેની સ્પષ્ટતા કરે છે.
આ દૃષ્ટાંતની પુષ્ટિ કરવા પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી વચનામૃત ગઢડા અંત્ય 02ના આધારે સમજાવે છે કે - સત્પુરુષના યોગે કરીને સત્સંગ પ્રાપ્ત થાય છે.
▪️ગુણાતીતના સંબંધમાં જડ કે ચૈતન્ય જે કંઈ આવે તેનું કારણ દેહ ટળી જાય છે તે સિદ્ધાંત ગુણાતીતાનંદ સ્વામી પોતે કેરી જમ્યા અને તેનો ગોટલો વાવે તો ઊગે નહિ તે ઉદાહરણથી સમજાવ્યું.
▪️ડભોઇમાં ઉપેન્દ્રાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે નિષ્કપટ થયા તો દૃષ્ટિમાત્રે સંકલ્પના ઉપવાસ ટળી ગયા તે પ્રસંગને સમજીએ.
▪️મનન કરતાં કરતાં સત્પુરુષનો સંગ કરે તો કરેલાં કર્મનું પ્રાયશ્ચિત્ત કરવાનું રહે નહીં. તે સમજીએ.
▪️દ્રાવિડ દેશના કમલનયન શાસ્ત્રી શાસ્ત્રીજી મહારાજના પ્રસંગથી વિશિષ્ટ અનુભવ તો ત્યારે થયો જ્યારે જાગાસ્વામી વચનામૃત ગ.પ્ર.54 અને ગ.મ.54 ના આધારે સત્પુરુષનો મહિમા કહે છે.
▪️યોગીજી મહારાજે પાળજમાં ગરીબ હરિભક્તની 1:25 રૂપિયાની ચરણે ધરેલી સેવાને 1.25 લાખ રૂપિયા બરાબર ગણી મહિમા કહ્યો.
▪️કપોડવાડીમાં યોગીજી મહારાજ યુવકોના પ્રશ્નના જવાબમાં ભરતજી બધું છોડી મૃગલામાં બંધાયા તેનું રહસ્ય સમજાવે છે.
▪️આશી ગામમાં સફેદગાય શાસ્ત્રીજી મહારાજના ચરણ સ્પર્શ કરે છે તે પ્રસંગથી અડસઠ તીરથ સંતના ચરણે ઉદાહરણ ચરિતાર્થ કરે છે.
▪️1987 માં અમદાવાદમાં પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામી સાથે જ્યોતિષની કોન્ફરન્સમાં જોડમાં ગયા ત્યારે પાછા વળતા રસ્તામાં જ્યોતિષે તેમની કવિત્વશક્તિનો મહિમા કહ્યો અને ગુરુકૃપાનું મહત્વ તે તેમના શબ્દોમાં માણીએ.
▪️1977માં મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં અક્ષરજીવનદાસ સ્વામી રચિત કીર્તન ગૌતમભક્તે ગાયું અને પ્રમુખ સ્વામી મહારાજે રાજી થઈને અક્ષરજીવનદાસ સ્વામીને ખેંચવા આશીર્વાદ આપ્યા?
▪️મહંતસ્વામી મહારાજની સામર્થીને 2016 થી 2026 ના દાયકામાં સર્જેલાં કાર્યોથી જણાય છે.
▪️પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે દુર્વાસાએ યજ્ઞનું ફળ માગ્યું. દ્રૌપદીએ દુર્વાસા તરફ 100 ડગલાં ચાલી મોટાપુરુષની દિશામાં ચાલવાનો મહિમા કહ્યો.
▪️અમરીષ રાજાની આત્મનિવેદી ભક્તિથી વશ થઈ ભગવાને તેમની કેવી રીતે રક્ષા કરી તે પ્રસંગ દ્વારા જાણીએ.
▪️વચનમૃત ગઢડા પ્રથમ 43માં જણાવેલ ભાગવતના આ શ્લોકનું નિરૂપણ કરી પૂજ્ય અક્ષરજીવનદાસ વર્તમાનકાળે મહંત સ્વામી મહારાજ જે કાર્યભાર સંભાળે છે તે શ્રીજીમહારાજ જ કરે છે તે સમજીએ. | 3 558 |
| 5 | મંગળવાર 02 જૂન 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1995
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1577
─⊱✿⊰─
વિષય:અક્ષરધામમાં ભગવત્સેવા પ્રાપ્તિનાં 16 સાધન
(અધ્યાત્મમાર્ગે અક્ષરબ્રહ્મનું મહત્વ અને ભૂમિકા તેમજ પરબ્રહ્મનો અપરંપાર મહિમા)
વિશેષ:શરણાગતિના પરિપ્રેક્ષ્યમાં ગીતા 18મા અધ્યાયમાં મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીકૃત ગીતાભાષ્ય 18/62 અનુસાર तमेव शरणं गच्छ सर्वभावेन भारत! तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्।।શરણાગતિ પર કથા
ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો નૂતન વર્ષ આદેશ "પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ."પર વિમર્શ ગોષ્ઠિ અવશ્ય સાંભળો.
વક્તા-પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી
ᴘᴜᴊʏᴀ ᴀᴋsʜᴀʀᴊɪᴠᴀɴᴅᴀs sᴡᴀᴍɪ
અમદાવાદ,શાહીબાગ
જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વોને જાણવા અને પરબ્રહ્મનો અનન્ય ભાવે આશ્રય કરવો તે પર કથા
પ્રસ્તુત કથા પર દેશ-વિદેશના BAPS યુવકોની ગોષ્ઠિનો અદ્ભુત લાભ
સમય - 2:47:19
પરાવાણી જાણકારી- https://t.me/c/1145241904/52849
સદસ્યોને વિનંતી:
પરાવાણી કથાગોષ્ઠિ શૃંખલાનો અમૂલ્ય લાભ લઈએ અને બીજાને પણ લાભ અપાવીએ
#SadhuAksharjivandas
#vachanamrut #KathaGoshthi
#6Vichar | 4 445 |
| 6 | સોમવાર, 1 જૂન, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1994
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1576
▪️ટોપિક: ઉપાસના સિદ્ધાંતનો ચોથો મુદ્દો "પ્રગટ-પ્રત્યક્ષ", ભાગ-324
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડમાં મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ સહિત જ પધારે છે. અને તેની ઓળખાણ સૌને કરાવે છે કે - મોક્ષનુ દ્વાર, વડવાનળ જેવા, પરમ એકાન્તિક સત્પુરુષ, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, જે આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. અક્ષરધામના ચાર સ્વરૂપ પૈકી તેઓ ચોથું સ્વરૂપ છે. તે મહિમા આત્મસાત્ કરીએ.
આજની કથામાંથી આપણને નીચેના પ્રશ્નોનું સમાધાન મળશે.
▪️ પ્રગટ સત્પુરુષ પોતાનો દેહલીલા સંકેલે તે પહેલા પોતાના અનુગામીરૂપે રહેલા સત્પુરુષની આપણને જરૂર ઓળખાણ કરાવે છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે અનેક પ્રસંગોમાં પ્રમુખસ્વામી મહારાજ એમનું સર્વસ્વ છે, અને એમના પછી એમના ઉત્તરાધિકારી છે એવું આપણને સમજાયું છે. આવા પ્રસંગોનું આજે આપણે પાન કરીશું.
સાથે-સાથે સત્પુરુષ આપણને આપણા જીવની સાચી ઓળખાણ કરાવે છે કે આપણે તો આત્મા છીએ, અક્ષર છીએ અને આ માયિક ઉપાધિ આપણને વળગેલી છે પણ આપણે તેનાથી જુદા છીએ. આ રીતે આપણા સ્વરૂપનું જ્ઞાન પણ સત્પુરુષ જ કરાવે છે.
સત્પુરુષ આપેલા આવા ઉત્તમ જ્ઞાનને સિદ્ધ કરવા માટે સત્પુરુષના વચનમાં પ્રીતિ અને વિશ્વાસ જોઈએ વચનામૃત કારિયાણી પ્રકરણ 12ના આધારે આ સિદ્ધાંતને સમજીએ.
▪️ જેમ રાજાને રાજ્ય સારી રીતે કરવા માટે રાજનીતિ ભણવી પડે. એવી રીતે આ કાયાનગરમાં રહેલા જીવને કાયાનગર પર સારી રીતે રાજ્ય કરવા માટે, અક્ષરરૂપ થવા માટે, અને પરબ્રહ્મની દાસભાવે ભક્તિ કરવા માટે આઘ્યાત્મિક રાજનીતિ શીખવી પડે. આ રાજનીતિને આપણે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 12ના આધારે ખૂબ ઊંડાણથી આજે શીખીશું.
▪️ જ્ઞાનસમાધિ એટલે શું? અને તે કઈ રીતે પ્રાપ્ત થઈ શકે?
ગોષ્ઠિ સમરી:
નીચેના મુદ્દા ઉપર ગોષ્ઠિમુક્તો અને પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીએ વિમર્શ કર્યો છે:
▪️ સ્વામી, શ્રીજીમહારાજે વચનામૃત સારંગપુર પ્રકરણ 11માં જણાવ્યા પ્રમાણે પહેલા પુરુષપ્રયત્ન કર્યા પછી ભગવાનની કૃપા થાય છે. તો મહારાજે પુરુષપ્રયત્નને શા માટે અતિશય મહત્વ આપ્યું છે? તેનું કારણ શું છે? તે સમજાવોને.
આ પ્રશ્નનો ઉત્તર પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીએ ખૂબ સુંદર રીતે કરી આપ્યો. સાથે-સાથે ગોષ્ઠિમુક્તોએ પોતાના મૌલિક વિચારો રજૂ કરીને આપણને રત્નો આપ્યા છે.
▪️ સ્વામી, સત્પુરુષ મળ્યા છે. તેમની આજ્ઞા પાળીએ છીએ. જેથી તેઓ મારો પુરુષપ્રયત્ન સ્વીકારે છે. છતાં મને પુરુષપ્રયત્ન કરવો અઘરો કેમ પડે છે?
▪️ સ્વામી, આપે વાત કરી કે ગુરુમુખી થઈ સેવા કરવાથી તેનું ફળ વધારે મળે છે. સ્વામી, હવે મને સેવા કરવા છતાં ઓછો ફાયદો થાય છે. તો તેનો અર્થ એવો થયો કે, હું ગુરુમુખી થઈને સેવા કરતો નથી?
▪️ સ્વામી, વચનામૃત કારિયાણી પ્રકરણ 12માં, શ્રીજીમહારાજે કહ્યું છે કે - વિશ્વાસ રાખીને અને પ્રીતિએ સહિત ભગવાન પુરુષોત્તમની વાત સાંભળવી. તો તેમાં પ્રીતિ અને વિશ્વાસથી સાંભળવું એટલે શું?
▪️ સ્વામી, આપે કથામાં વાત કરી કે - સત્પુરુષ સંભારીએ એટલે દોષમાત્ર ટળી જાય. હવે મને પ્રશ્ન એ છે કે, ક્રોધ આવે ત્યારે શું કરવું? તે સમજાતું નથી.
▪️ સ્વામી, હું ક્રોધને આવે ત્યારે હું બોલું નહિ. પણ મનમાં તો ક્રોધ ચાલુ જ રહે છે. તો તે સમયે મારે શું કરવું?
▪️ સ્વામી, વચનામૃત ગઢડા પ્રકરણ મધ્ય 12 માં, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કલ્યાણને ઇચ્છે તેને કેમ રાજનીતિ ભણવી? અને મહારાજે સમજણ આપી. હવે મને પ્રશ્ન એ છે કે - સેવા અને સમજણ હોય તો જ આગળ વધાય. અહીં તો ખાલી સમજણની જ વાત કરી છે. આ વચનામૃત અને સેવાને કંઈ સંબંધ ખરો?
▪️ સ્વામી, મંદિરમાં સેવાના જુદા જુદા વિભાગો હોય છે. તેમાં મને એક વિભાગમાં સેવા મળી. તેનો હું જાણકાર છું. પણ લીડરશીપની પોઝીશન મારી નથી. તો શું મારે લીડર કહે તેમ જ સેવા કરવી કે મને કંઈ સૂચન હોય તેમની સાથે ડિસ્કશન પણ કરવું?
▪️ સ્વામી, હું મંદિરમાં અમુક વિભાગમાં સેવા કરું છું. અને મારા ધ્યાનમાં આવે છે કે બીજા વિભાગમાં નુકસાન થઈ રહ્યું છે. તો મારે એવી પરિસ્થિતિમાં શું કરવું?
આજની કથાનો મુખ્ય આધાર:
વચનામૃત:- ગઢડા મધ્ય 12
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનું જીવનચરિત્ર
પૂરક વચનામૃત
ગઢડા પ્રથમ:- 16
કારિયાણી 12
સમરી લેખક:
શ્રી ડૉ. હરિતભાઈ જાની (સિડની)
શ્રી ડૉ. જશવંતભાઈ સુથાર (એલ.એ.)
શ્રી હર્ષદભાઈ પટેલ (અમદાવાદ)
કથા-ગોષ્ઠિની લીંક : https://t.me/c/1145241904/53927
#GM12 | 4 993 |
| 7 | સોમવાર 01 જૂન 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1994
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1576
─⊱✿⊰─
વિષય:અક્ષરધામમાં ભગવત્સેવા પ્રાપ્તિનાં 16 સાધન
(અધ્યાત્મમાર્ગે અક્ષરબ્રહ્મનું મહત્વ અને ભૂમિકા તેમજ પરબ્રહ્મનો અપરંપાર મહિમા)
વિશેષ:શરણાગતિના પરિપ્રેક્ષ્યમાં ગીતા 18મા અધ્યાયમાં મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીકૃત ગીતાભાષ્ય 18/62 અનુસાર तमेव शरणं गच्छ सर्वभावेन भारत! तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्।।શરણાગતિ પર કથા
ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો નૂતન વર્ષ આદેશ "પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ."પર વિમર્શ ગોષ્ઠિ અવશ્ય સાંભળો.
વક્તા-પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી
ᴘᴜᴊʏᴀ ᴀᴋsʜᴀʀᴊɪᴠᴀɴᴅᴀs sᴡᴀᴍɪ
અમદાવાદ,શાહીબાગ
જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વોને જાણવા અને પરબ્રહ્મનો અનન્ય ભાવે આશ્રય કરવો તે પર કથા
પ્રસ્તુત કથા પર દેશ-વિદેશના BAPS યુવકોની ગોષ્ઠિનો અદ્ભુત લાભ
સમય - 2:37:17
પરાવાણી જાણકારી- https://t.me/c/1145241904/52849
સદસ્યોને વિનંતી:
પરાવાણી કથાગોષ્ઠિ શૃંખલાનો અમૂલ્ય લાભ લઈએ અને બીજાને પણ લાભ અપાવીએ
#SadhuAksharjivandas
#vachanamrut #KathaGoshthi
#6Vichar | 4 929 |
| 8 | રવિવાર, 31 મે, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1993
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1575
▪️ટોપિક: ઉપાસના સિદ્ધાંતનો ચોથો મુદ્દો "પ્રગટ-પ્રત્યક્ષ", ભાગ-323
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડમાં મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ સહિત જ પધારે છે. અને તેની ઓળખાણ સૌને કરાવે છે કે - મોક્ષનુ દ્વાર, વડવાનળ જેવા, પરમ એકાન્તિક સત્પુરુષ, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, જે આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. અક્ષરધામના ચાર સ્વરૂપ પૈકી તેઓ ચોથું સ્વરૂપ છે. તે મહિમા આત્મસાત્ કરીએ.
આજની કથામાંથી આપણને નીચેના પ્રશ્નોનું સમાધાન મળશે.
▪️શાસ્ત્રોમાં લખેલી વાત કેવી રીતે અને કોના થકી સમજાય તે વચનામૃત ગઢડા મધ્ય 13 ના સંદર્ભથી સમજીએ.
▪️એકાંતિક ધર્મનું સ્થાપન અને પોષણ કોના થકી સંભવિત બને છે. વચનામૃત ગઢડા પ્રથમ 60 તથા પ્રથમ 54 ના આધારે સમજીએ.
▪️જૂનાગઢ મંદિરની પ્રતિષ્ઠા પછી શ્રીજીમહારાજે વર્ષોવર્ષ એક માસ જૂનાગઢ આવી ગુણાતીત સ્વામીનો સમાગમ કરવાનું કહ્યું તેનું રહસ્ય શું?
▪️પ્રગટના પ્રસંગ અને તેમાં નિષ્ઠા થાય અને ઓતપ્રોત થવાય તેના સમર્થનમાં યોગીજી મહારાજના જીવન ચરિત્રના પ્રસંગોનું પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી પાન કરાવે છે. તેમાંથી અંશતઃ અહીં નોંધ્યા છે.
*વાઘોડિયામાં વિનુભગતનો પ્રશ્ન હતો કે : મહારાજે જ્યાં જ્યાં મૂર્તિ પધરાવી ત્યાં શિથિલતા કેમ આવી ગઈ છે? આપણું તો એવું નહિ થાય ને ? યોગીજી મહારાજ કહે અહીં તો ભગવાન પ્રગટ બિરાજે છે તે સાંભળીએ.
*પીપલાણામાં યોગીજી મહારાજ કહે છે “સંત રૂપે શ્રીજીમહારાજ વિચરે છે.”
*આફ્રિકામાં ટરોરો ગામે જણાવ્યું કે ‘સત્પુરુષની એક આજ્ઞા બીજી કરોડ આજ્ઞા કરતા અધિક છે.’
*1970 માં નૈરોબીમાં - સ્વામીની વાતના આધારે મજકુર કહ્યું કે “પ્રગટમાં કોઈ માનતું નથી. મન, કર્મ, વચને માને તો બેડો પાર થઈ જાય.”
*લંડનમાં મૂર્તિ પ્રતિષ્ઠા વખતે બોલ્યા કે, “પ્રગટના વચનમાં શ્રદ્ધા રાખી નિયમ પાળે તો અક્ષરધામમાં લઈ જવા પડે.”
*જામનગર હરિમંદિરમાં કીર્તનના અનુસંધાનમાં કહ્યું કે, “આપણે ક્યાં પિયુ પરદેશ છે, પ્રત્યક્ષ જ છે. જયારે પ્રત્યક્ષ નયનગોચર માનશે ત્યારે જ્ઞાન સિદ્ધ થશે.”
*મુંબઈમાં કોઈ ભાવિકે 13 માસ વર્ષીતપ ધારણા-પારણાં કર્યા તે સાંભળી કહ્યું “શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી કરેલ એક ઉપવાસનું ફળ વધી જાય.”
*વિદેશયાત્રામાં ‘હરિકા નામ’ કીર્તન સાંભળીને કહે છે,” હરિ કોણ? મને પ્રત્યક્ષ દર્શન છે તે.”
▪️સત્પુરુષમાં અંતરાય ટાળ્યો ક્યારે કહેવાય? નિષ્કપટ થવું એટલે શું? વચનામૃત લોયા 5 ના આધારે સમજીએ.
▪️તપ એટલે શું ? પ્રગટની આજ્ઞાથી કરેલું સહજ તપ મહદ અંશે ફળદાયી છે તે સમજીએ.
▪️ મોમ્બાસામાં યોગીજી મહારાજે વચનામૃત વરતાલ 10 નું નિરૂપણ કર્યું અને સમજાવ્યું કે ભગવાનના મળેલા સંત એટલે કોણ?
તેની પુષ્ટિ રૂપે પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી ગઢડા મધ્ય 14માં પ્રવેશ કરી બે વાતનું સ્પષ્ટીકરણ કરે છે,
*તદાત્મકપણું એટલે શું? તે કેવી રીતે પમાય?
*નિશ્ચયની બાબતમાં તે કોના પ્રસંગથી થાય?
▪️ગીરધરભાઈને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિએ પ્રગટ ભગવાનનું સ્થાન ક્યાં બતાવ્યું?
▪️વચનામૃત ગઢડા પ્રથમ 40ના આધારે સમજીએ કે, સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિવાળો કોને કહેવાય?
▪️પ્રવૃત્તિને સંકેલી આત્મા સ્વરૂપે જઈએ ત્યારે શું અનુભવાય? વચનામૃત ગઢડા મધ્ય 39ના આધારે સમજીએ.
▪️પ્રગટના અનુસંધાનમાં ભગવાનનું સગુણ-નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજીશું?
ગોષ્ઠિ સમરી:
નીચેના મુદ્દા ઉપર ગોષ્ઠિમુક્તો અને પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીએ વિમર્શ કર્યો છે:
૧) પ્રગટનો મહિમા અને શ્રીજીમહારાજનો ઉપદેશ:
- સબીજ જ્ઞાન એટલે શું?
- મહાવૈરાગ્ય એટલે શું?
- સ્વરૂપનિષ્ઠાનું શું મહત્વ છે?
- સત્પુરુષ સાથે પ્રીતિ કેમ અને કેવી રીતે કરવી?
૨) ગુણ -અવગુણથી પર સંબંધભાવ અને ગુણાતીત દૃષ્ટિથી જોવું એ સિદ્ધાંત આજે શીખ્યા.
૩) આ સત્પુરુષ મને જન્મોજનમથી જાણે છે. વળી, સત્પુરુષ કહે છે કે - તું દેહથી જુદો આત્મા છે, અક્ષર છે. પણ તે કેમ મનાતું નથી તે પર મનન કરીએ.
આજની કથાનો મુખ્ય આધાર:
વચનામૃત:- ગઢડા મધ્ય 14
પૂરક વચનામૃત
ગઢડા પ્રથમ:- 40, 44, 50, 54, 60
કારિયાણી 11
પંચાળા:-3
ગઢડા મધ્ય:- 8, 13, 14, 39
વરતાલ:- 10
ગઢડા અંત્ય:- 27
જેતલપુર:- 1
પૂરક ગ્રંથ
સ્વામીની વાતો
સમરી લેખક:
શ્રી ડૉ. હરિતભાઈ જાની (સિડની)
શ્રી ડૉ. જશવંતભાઈ સુથાર (એલ.એ.)
શ્રી હર્ષદભાઈ પટેલ(અમદાવાદ )
કથા-ગોષ્ઠિની લીંક : https://t.me/c/1145241904/53925
#GM14 | 5 406 |
| 9 | રવિવાર 31 મે 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1993
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1575
─⊱✿⊰─
વિષય:અક્ષરધામમાં ભગવત્સેવા પ્રાપ્તિનાં 16 સાધન
(અધ્યાત્મમાર્ગે અક્ષરબ્રહ્મનું મહત્વ અને ભૂમિકા તેમજ પરબ્રહ્મનો અપરંપાર મહિમા)
વિશેષ:શરણાગતિના પરિપ્રેક્ષ્યમાં ગીતા 18મા અધ્યાયમાં મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીકૃત ગીતાભાષ્ય 18/62 અનુસાર तमेव शरणं गच्छ सर्वभावेन भारत! तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्।।શરણાગતિ પર કથા
ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો નૂતન વર્ષ આદેશ "પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ."પર વિમર્શ ગોષ્ઠિ અવશ્ય સાંભળો.
વક્તા-પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી
ᴘᴜᴊʏᴀ ᴀᴋsʜᴀʀᴊɪᴠᴀɴᴅᴀs sᴡᴀᴍɪ
અમદાવાદ,શાહીબાગ
જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વોને જાણવા અને પરબ્રહ્મનો અનન્ય ભાવે આશ્રય કરવો તે પર કથા
પ્રસ્તુત કથા પર દેશ-વિદેશના BAPS યુવકોની ગોષ્ઠિનો અદ્ભુત લાભ
સમય - 2:17:06
પરાવાણી જાણકારી- https://t.me/c/1145241904/52849
સદસ્યોને વિનંતી:
પરાવાણી કથાગોષ્ઠિ શૃંખલાનો અમૂલ્ય લાભ લઈએ અને બીજાને પણ લાભ અપાવીએ
#SadhuAksharjivandas
#vachanamrut #KathaGoshthi
#6Vichar | 5 309 |
| 10 | શનિવાર , 30 મે, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1992
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1574
▪️ટોપિક: ઉપાસના સિદ્ધાંતનો ચોથો મુદ્દો "પ્રગટ-પ્રત્યક્ષ", ભાગ-322
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડમાં મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ સહિત જ પધારે છે. અને તેની ઓળખાણ સૌને કરાવે છે કે - મોક્ષનુ દ્વાર, વડવાનળ જેવા, પરમ એકાન્તિક સત્પુરુષ, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, જે આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. અક્ષરધામના ચાર સ્વરૂપ પૈકી તેઓ ચોથું સ્વરૂપ છે. તે મહિમા આત્મસાત કરીએ.
આજની કથામાંથી આપણને નીચેના પ્રશ્નોનું સમાધાન મળશે.
▪️જીવોના કલ્યાણને અર્થે પરબ્રહ્મનું પ્રાગટ્ય અને કલ્યાણનો કાર્યભાર સાથે લાવેલા અક્ષરબ્રહ્મને સોંપ્યો છે તે સમજીએ. હવે અક્ષરબ્રહ્મ સાથે પોતાના આત્માને લીન કરીએ તો ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય તે વાત સમજીએ.
▪️બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તિરુપતિ બાલાજીના દર્શને ગયા ત્યાં કેવો સંકલ્પ કર્યો? જેમાં તેમની કલ્યાણ ભાવનાનું દર્શન થાય છે?
▪️પરોક્ષમાં ભક્તોનો ભજન-સ્મરણનો હેતુ શું? ઉદાહરણરૂપ પરોક્ષના ભક્તો કેવી રીતે પ્રગટમાં જોડાયા તેના પ્રસંગો માણીએ.
▪️સત્સંગનો યોગ સત્પુરુષના પ્રસંગથી જ સંભવે છે તે વચનામૃત ગઢડા અંત્ય 2ના આધારે જાણીએ. તે સાથે તેમની સાથેના જોડાણ સંબંધી સમજણ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે પણ જાણીએ.
▪️પૂર્વના સંસ્કારથી જ સત્સંગનો યોગ થાય અને તેમાં પ્રગતિ કરવાની પ્રેરણા મળે છે તે બંગાળના ડો૦ સૌમ્ય ભટ્ટાચાર્ય, શિક્ષક તારકેશ્વર અને અન્ય શુભમ્ પ્રગટમાં કેવી રીતે જોડાયા તે પ્રસંગોને પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીના મુખે સાંભળીએ.
▪️ યોગીબાપાના ધામ ગમન પછી ગોંડલમાં પૂજ્ય કોઠારી બાપાએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને કહ્યું- યોગીબાપાએ મને વચન આપ્યું હતું કે એકાંતિક ધર્મ અમે સિદ્ધ કરાવીશું. પરંતુ એ અધુરું રહ્યું... ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ગુલાબનું પુષ્પ આપીને કહ્યું એકાંતિક ધર્મ અમે તમને સિદ્ધ કરાવીશું... એ પ્રગટપણાનો કોલ જાણીએ.
▪️વચનામૃત અંત્ય 27ના સંદર્ભે જાણીએ કે, શાસ્ત્રે કરીને નિશ્ચય કેવી રીતે થાય?
▪️શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 3, 32, 38, અને મધ્ય 35માં લીલા સંભારવાની વાત કરે છે તે શા માટે ?
▪️સ્વામીની વાત ત્રીજા પ્રકરણની પહેલીમાં ગુણાતીતાનંદ સ્વામી સત્સંગની વૃદ્ધિ અને વ્યાપ માટેનો કેવો સંકલ્પ જણાવે છે? એમની દૃષ્ટિમાં સત્સંગના ભવિષ્યનું ચિત્ર કેવું છે તે જાણીએ.
▪️સત્સંગ પ્રાપ્ત થયા પછી મુમુક્ષને- ભક્તને આધ્યાત્મિક માર્ગમાં કેવો અનુભવ થાય છે, લાભ થાય છે તે વચનામૃતમાં અનેક ઠેકાણે સંતમાં જોડાણ કરવાનું કહ્યું છે તે જાણીએ.
▪️નિશ્ચય કેવો અને કેવી રીતે કરવો તે વચનામૃત ગઢડા પ્રથમ 72 અને વરતાલ 12 ની સાંકળી કરી સમજીએ.
▪️આધ્યાત્મ વાર્તા એટલે શું? અને તે ક્યારે સમજાય? તે વચનામૃત ગઢડા પ્રથમ 7ના આધારે સમજીએ.
ગોષ્ઠિ સમરી:
નીચેના મુદ્દા/ પ્રશ્નો ઉપર ગોષ્ઠિમુક્તો અને પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીએ વિમર્શ કર્યો છે:
▪️નીચેના પ્રશ્નોના ઉત્તરો પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી એ સુંદર રીતે આપ્યા. વળી, ગોષ્ઠિમૂકતોએ પણ પોતાના મૌલિક વિચારો રજૂ કરી આપણને રત્નો આપ્યા.
૧) સ્વામી, કથામાં વાત થઈ કે પ્રગટ સત્પુરુષના યોગે, કરીને સંસ્કાર થાય છે. ધારો કે પ્રગટ મળ્યા, પણ ઓળખ્યા નથી તો પણ સંસ્કાર થાય? કે ઓળખે તો સંસ્કાર થાય? તે સમજાવોને.
૨) સ્વામી, સંત મળ્યા, સત્સંગ મળ્યો, તો તેમાં કોઈને અભાવ છે, ભાવ નથી. તો તેને આવતો જન્મ સત્સંગમાં મળે ખરો? તો શું સમજવું?
▪️ ગોષ્ઠિમુક્ત શ્રી વિજયભાઈ પટેલ (કેનેડા સત્સંગ મંડળ) એ સત્સંગમાં દિવ્યભાવ રાખવો તેના અનુસંધાનમાં, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના બે વચનોની સમજૂતી આપી.
“દિવ્યભાવ નહીં રાખો તો, અક્ષરધામમાં જવાશે જ નહીં.”
“સંતો અને હરિભક્તોમાં જેટલો દિવ્યભાવ હશે, તેટલું કારણ શરીર ટળશે.”
વળી, સત્સંગનું યથાર્થ સુખ કેમ નથી આવતું તે અંગે સુંદર રજૂઆત કરી.
આજની કથાનો મુખ્ય આધાર:
વચનામૃત:- ગઢડા પ્રથમ 7, અંત્ય 2
સ્વામીની વાતો 3/1
પૂરક વચનામૃત
ગઢડા પ્રથમ:- 3, 7, 32, 38, 54, 63, 71, 72
સારંગપુર:-17
લોયા:- 7, 12
ગઢડા મધ્ય:- 13, 17, 24, 35, 67
વરતાલ:- 12, 19
ગઢડા અંત્ય:- 2, 27
જેતલપુર:- 1
પૂરક ગ્રંથ
ઉપનિષદ
સ્વામીની વાતો
યોગીજી મહારાજ જીવન ચરિત્ર
સમરી લેખક:
શ્રી ડૉ. હરિતભાઈ જાની (સિડની)
શ્રી ડૉ. જશવંતભાઈ સુથાર (એલ.એ.)
શ્રી હર્ષદભાઈ પટેલ (અમદાવાદ)
કથા-ગોષ્ઠિની લીંક https://t.me/c/1145241904/53923
#GP07, #GA02 | 5 765 |
| 11 | શનિવાર 30 મે 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1992
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1574
─⊱✿⊰─
વિષય:અક્ષરધામમાં ભગવત્સેવા પ્રાપ્તિનાં 16 સાધન
(અધ્યાત્મમાર્ગે અક્ષરબ્રહ્મનું મહત્વ અને ભૂમિકા તેમજ પરબ્રહ્મનો અપરંપાર મહિમા)
વિશેષ:શરણાગતિના પરિપ્રેક્ષ્યમાં ગીતા 18મા અધ્યાયમાં મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીકૃત ગીતાભાષ્ય 18/62 અનુસાર तमेव शरणं गच्छ सर्वभावेन भारत! तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्।।શરણાગતિ પર કથા
ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો નૂતન વર્ષ આદેશ "પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ."પર વિમર્શ ગોષ્ઠિ અવશ્ય સાંભળો.
વક્તા-પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી
ᴘᴜᴊʏᴀ ᴀᴋsʜᴀʀᴊɪᴠᴀɴᴅᴀs sᴡᴀᴍɪ
અમદાવાદ,શાહીબાગ
જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વોને જાણવા અને પરબ્રહ્મનો અનન્ય ભાવે આશ્રય કરવો તે પર કથા
પ્રસ્તુત કથા પર દેશ-વિદેશના BAPS યુવકોની ગોષ્ઠિનો અદ્ભુત લાભ
સમય - 2:13:04
પરાવાણી જાણકારી- https://t.me/c/1145241904/52849
સદસ્યોને વિનંતી:
પરાવાણી કથાગોષ્ઠિ શૃંખલાનો અમૂલ્ય લાભ લઈએ અને બીજાને પણ લાભ અપાવીએ
#SadhuAksharjivandas
#vachanamrut #KathaGoshthi
#6Vichar | 5 723 |
| 12 | 28 મે 2026
પરા સભા કથા લાભ
અમદાવાદ
વિષય : આધ્યાત્મિક વિવેક
વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ-16
૨૬૨ વચનામૃતોની ચાવીરૂપ વચનામૃત
વક્તા:પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી
સમય અવધિ:-42:05
#SadhuAksharjivandas
#Ahmedabad #Parasabha | 6 137 |
| 13 | શુક્રવાર, 29 મે, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1991
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1573
Summary Part 2:
ગોષ્ઠિ સમરી:
નીચેના મુદ્દા/ પ્રશ્નો ઉપર ગોષ્ઠિમુક્તો અને પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીએ વિમર્શ કર્યો છે:
▪️ સ્વામી,વચનામૃત ગઢડા અંત્યના પ્રકરણ 2 પ્રમાણે ગુરુપરંપરાના પ્રસંગોમાં પૂર્વેના હરિભક્તોમાં આશ્ચર્ય પમાડે તેવાં પરિવર્તનો થયાં છે. તેઓને સત્સંગની રીત પણ ખબર ન હતી છતાં પણ તેમનામાં ઘણું પરિવર્તન આવ્યું. તેમાં અક્ષરબ્રહ્મની જ વિશેષતા ગણાય?
▪️ સ્વામી, વિપરીત દેશકાળાદિકમાં ઘણાની સ્થિતિ બદલાઈ જાય છે અને સત્સંગમાં પણ દેશકાળાદિકના કારણે પાછા પડી જાય છે. તો વિપરીત દેશકાળાદિકમાં મારી સ્થિતિ એવી ન થાય. તે માટે શું ધ્યાન રાખવું?
▪️ સ્વામી, સત્ત્વગુણ વર્તે ત્યારે મારે એકાંતિક થવું છે કથાનું મનન બરાબર કરવું છે એવો વિચાર આવે છે. પણ કાયમ માટે તેનો ઉપયોગ કરવા માટે, અને થોડા સમય પછી વિચાર બદલાઈ ન જાય તે માટે મારે શું કરવું ?
▪️ સ્વામી, સત્પુરુષની પ્રાપ્તિ મને થઈ ગઈ છે. તો પ્રશ્ન એ છે કે પ્રાપ્તિ માણવી કેવી રીતે? તે વિચારે કરીને માણવી? તે સમજાવોને.
▪️ સ્વામી, વચનામૃત ગઢડા પ્રકરણ 21 માં શ્રીજીમહારાજે સંસારની વાસના છે તે દેહ છતાં ટાળી નાખવી એમ કહ્યું છે. દુર્વાસા ઋષિએ ક્રોધને ગુણ સમજી રાખ્યો. સ્વામી, એ તો ખબર પડી કે ક્રોધ ન રાખવો. પરંતુ બીજા બધા દોષ પણ ગુણ જાણીને જ મેં રાખ્યા છે. તો એ બરાબર કહેવાય?
▪️ સ્વામી, તમે વાત કરી કે સ્વભાવ કાઢવા હોય તો તે પળમાં નીકળી જાય. પણ મને ગોષ્ઠિમાં બેઠાં બેઠાં વિચાર આવે છે કે એવી પળ મારે આવશે ને સ્વભાવ ટળી જશે.
પણ સ્વામીએ પળ આવે છે ને તે જતી કેમ રહે છે? તે સમજાતું નથી.
▪️ સ્વામી, કથામાં વાત કરી કે મનન પર ભાર મૂકવો. જેટલું સત્પુરુષનું સ્વરૂપ સમજવા માટે મનનનો ફાળો બહુ અગત્યનો છે. તે મનનનો અભાવ એટલે કે પ્રતીતિનો અભાવ? એમ સમજવાનું?
▪️ સ્વામી, આજે તમે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ ૨ માં જણાવ્યું કે સર્વે અર્થ સિદ્ધ થયાનું. તો આ લોકમાં ધારો કે મારે અર્થ એટલે કે પૈસો મારી પાસે નથી. તો અર્થ સિદ્ધ થાય એટલે પ્રગટને ભજું, તો એ અર્થ સિદ્ધ થયા કહેવાય?
નોટ:
આજે ગઢડા અંત્ય પ્રકરણ 2 પર પ્રગટની અદ્ભુત કથા થઈ. પ્રગટના સિદ્ધાંતને પુષ્ટિ આપતી કથા ગોષ્ઠિ અવશ્ય સાંભળીએ.
આજની કથાનો મુખ્ય આધાર:
વચનામૃત:- ગઢડા અંત્ય 2
પૂરક વચનામૃત
ગઢડા પ્રથમ:- 20, 21, 24, 45, 46, 58, 60, 67, 71, 72
સારંગપુર:-2, 4, 12
પંચાળા:-1
ગઢડા મધ્ય:-32
વરતાલ:- 12, 19
ગઢડા અંત્ય:-2, 30
પૂરક ગ્રંથ
ઉપનિષદ્દ
ભગવદ્દ ગીતા
સમરી લેખક:
શ્રી ડૉ. હરિતભાઈ જાની (સિડની)
શ્રી ડૉ. જશવંતભાઈ સુથાર (એલ.એ.)
શ્રી હર્ષદભાઈ પટેલ (અમદાવાદ )
કથા-ગોષ્ઠિની લીંક https://t.me/c/1145241904/53919
#GA02 | 5 887 |
| 14 | શુક્રવાર, 29 મે, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1991
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1573
Summary Part 1:
▪️ટોપિક: ઉપાસના સિદ્ધાંતનો ચોથો મુદ્દો "પ્રગટ-પ્રત્યક્ષ", ભાગ-321
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડમાં મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ સહિત જ પધારે છે. અને તેની ઓળખાણ સૌને કરાવે છે કે - મોક્ષનુ દ્વાર, વડવાનળ જેવા, પરમ એકાન્તિક સત્પુરુષ, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, જે આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. અક્ષરધામના ચાર સ્વરૂપ પૈકી તેઓ ચોથું સ્વરૂપ છે. તે મહિમા આત્મસાત્ કરીએ.
આજની કથામાંથી આપણને નીચેના પ્રશ્નોનું સમાધાન મળશે.
▪️બે માયા પરના અનાદિ તત્ત્વો પરબ્રહ્મ સાથે લાવે છે તે અક્ષરબ્રહ્મનું ચોથું સ્વરૂપ આપણી વચ્ચે નયનગોચર છે. રમે છે, જમે છે અને અનેક ચરિત્ર કરે છે તે આપણા કલ્યાણદાતા છે, કર્મફળપ્રદાતા છે. તે અંગેની સમજણ પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીએ આપી.
▪️વચનામૃતના આધારે શ્રીજીમહારાજ પ્રગટપણે મહંત સ્વામી મહારાજમાં વિચરે છે તે તેમનાં દિવ્ય ચરિત્રોથી અનુભવીએ.
▪️વચનામૃત વરતાલ 19ના સંદર્ભથી જાણ્યું કે, પ્રગટ વિચારતા ભગવાનને ઓળખ્યા પછી ભક્ત થાય. પછી વળગી જવામાં કોઈ વિઘ્ન આવે નહીં તે કેવી રીતે?
▪️ભગવાન સત્પુરુષ દ્વારા પ્રગટ છે અને લાઈન ચાલી આવે છે ગુણાતીત પરંપરામાં તેના પ્રમાણને પુષ્ટિ આપવા પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજના જીવનચરિત્ર ગ્રંથમાંથી ચૂંટેલા પ્રસંગોને આધારે પ્રસંગોપાત્ત સત્પુરુષના મુખમાંથી વચનો સરી પડે છે. તેની નોંધ અહીં કરી છે.
* મોટા પુરુષ અંતર્ધાન થાય પછી આશ્રિતો રખડી પડતા નથી એવી ખેંગારજી ભાઈને ખાતરી આપી.
*ગઢપુરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પછી આરતી યોગી ઉતારશે તેવું સ્પષ્ટપણે કહ્યું.
*મોતી ભગવાનદાસને કહ્યું ‘મારામાં અને યોગીમાં કોઈ ફેર નથી‘.
*નંદાજીએ દિલ્હી આવવા આમંત્રણ આપ્યું ત્યારે કહ્યું “યોગી આવશે”.
*અટલાદરામાં કહ્યું, “ મારામાં ને જોગીમાં કોઈ ફેર નથી, જોગી તે હું ને હું તે જોગી”.
*પુરુષોત્તમપરા તુલસીભાઈને કહ્યું અમારા અક્ષરધામ ગમન પછી જોગી છે જ.
*મણિભાઈ ભટ્ટને સારંગપુર આરતી હું નહિ હોઉં તો જોગી ઉતારશે.
▪️વચનામૃત ગઢડા અંત્ય 2 ના આધારે સમજીએ કે
*ભગવાનને સુખના સિંધુ જાણીએ તોય જગતનું પ્રધાનપણું કેમ જતું નથી.
*અતિશય મંદબુદ્ધિ વાળો કોણ?
*સર્વ અર્થ (સાધના) ક્યારે સિદ્ધ થાય?
*પરમપદ-મોક્ષ તે છતી દેહ ક્યારે પમાય ?
▪️વચનામૃત ગઢડા અંત્ય 30 માં પાંચ વાર્તાના અનુસંધાનની વાત કરી તેમાં ચોથું અને પાંચમું અનુસંધાન અંતર્દૃષ્ટિ માટે છે. અને તે પ્રગટ જ કરાવી શકે તેનું કારણ સમજીએ.
▪️આત્મવિચારની દૃઢતા વચનામૃત સારંગપુર 4 અને 12 ની સાંકળી કરી સમજીએ.
▪️કથાવાર્તાના કારણે કેવું અંગ બંધાય છે તે સમજાવી પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી પોતાના ત્યાગાશ્રમને 50 વર્ષ પૂરા થયે મહંતસ્વામી મહારાજ પોતાના રૂમમાં બોલાવી પરાવાણીની ગોષ્ઠિમાં થતા ઊંડાણથી રાજી થઈ ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા તે પ્રસંગની સ્મૃતિ કરે છે.
▪️વચનામૃત ગઢડા પ્રથમ 67માં મોટા પુરુષની હૃદયભાવના કેવી છે અને પોતાનામાં જોડાયેલાની કેવી સ્થિતિ કરવી છે તે જાણીએ.
▪️બાળકના હાથમાં ચિંતામણી છે એવું શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 24માં કેમ કહે છે?
▪️પોતાનામાં અને બીજામાં આત્મદર્શન કેવી રીતે કરવું તે વચનામૃત ગઢડા પ્રથમ 20 ના આધારે સમજીએ. | 5 369 |
| 15 | શુક્રવાર 29 મે 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1991
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1573
─⊱✿⊰─
વિષય:અક્ષરધામમાં ભગવત્સેવા પ્રાપ્તિનાં 16 સાધન
(અધ્યાત્મમાર્ગે અક્ષરબ્રહ્મનું મહત્વ અને ભૂમિકા તેમજ પરબ્રહ્મનો અપરંપાર મહિમા)
વિશેષ:શરણાગતિના પરિપ્રેક્ષ્યમાં ગીતા 18મા અધ્યાયમાં મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીકૃત ગીતાભાષ્ય 18/62 અનુસાર तमेव शरणं गच्छ सर्वभावेन भारत! तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्।।શરણાગતિ પર કથા
ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો નૂતન વર્ષ આદેશ "પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ."પર વિમર્શ ગોષ્ઠિ અવશ્ય સાંભળો.
વક્તા-પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી
ᴘᴜᴊʏᴀ ᴀᴋsʜᴀʀᴊɪᴠᴀɴᴅᴀs sᴡᴀᴍɪ
અમદાવાદ,શાહીબાગ
જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વોને જાણવા અને પરબ્રહ્મનો અનન્ય ભાવે આશ્રય કરવો તે પર કથા
પ્રસ્તુત કથા પર દેશ-વિદેશના BAPS યુવકોની ગોષ્ઠિનો અદ્ભુત લાભ
સમય- 2:06:55
પરાવાણી જાણકારી- https://t.me/c/1145241904/52849
સદસ્યોને વિનંતી:
પરાવાણી કથાગોષ્ઠિ શૃંખલાનો અમૂલ્ય લાભ લઈએ અને બીજાને પણ લાભ અપાવીએ
#SadhuAksharjivandas
#vachanamrut #KathaGoshthi
#6Vichar | 5 680 |
| 16 | ગુરુવાર , 28 મે, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1990
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1572
Summary Part 2:
▪️ સ્વામી, ભગવાન જ બધું કરે છે તો હું જે કર્મ કે કુકર્મ કરું તે મારા સ્વભાવને કારણે થાય છે કે મહારાજની ઇચ્છાથી થાય છે?
▪️ સ્વામી, માયિકભાવ ટળ્યો છે. તે કેવી રીતે ખબર પડે? તે સમજાવોને.
▪️ સ્વામી, આજે તમે કથામાં માનસીપૂજા કરતાં શીખવ્યું. શ્રીજીમહારાજે વચનામૃત અંત્ય પ્રકરણ 23 માં કહ્યા પ્રમાણે આપણે પ્રગટ ભગવાન મારા હૃદયમાં પોતાના ચરણારવિંદ મૂકે છે વગેરે ભાવનાથી માનસી પૂજા કરવાની છે?
હવે સ્વામી એક પ્રશ્ન છે કે પુરુષ અને સ્ત્રી બંને દેહભાવવાળા હોય છે. બંનેને દેહભાવ હોવા છતાં પુરુષને વધારે સરળતાથી માનસી પૂજા થઈ શકે છે બીજાને નથી થઈ શકતી. તેનું શું સમજવું?
▪️ સ્વામી, તમે સમજાવો છો કે દેહથી જુદા પડવું. પોતાને અક્ષર માનવું પછી માનસી કરવી. તો મારું શરીર અક્ષર છે તે કેવી રીતે કલ્પના કરવી જેમકે હું પ્રગટ મહંત સ્વામી મહારાજના દર્શન કરું છું. તો એમના જેવું જ મારું બ્રIહ્મી તનુ છે એની કલ્પના કરી શકું? તે સમજાવોને.
▪️ સ્વામી, વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 16 માં, મહારાજે પતિવ્રતાની ભક્તિની વાત કરેલ છે. સ્વામી, હું મહંતસ્વામી મહારાજની માનસીપૂજા કરું તો તે પતિવ્રતાની ભક્તિ કહેવાય?
▪️ સ્વામી, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ હતા, ત્યારે મહંતસ્વામી મહારાજ પણ હતા. પરંતુ તેમનું ઐશ્વર્ય દેખાડતા ન હતા. તો સ્વામી, મહંતસ્વામી મહારાજ એ સમયે અક્ષર જ હતા ને?
આજની કથાનો મુખ્ય આધાર:
વચનામૃત:- ગઢડા પ્રથમ 68
ગઢડા અંત્ય 23
પૂરક વચનામૃત
ગઢડા પ્રથમ:- 41, 54, 62, 68
સારંગપુર:-2, 18
પંચાળા:-7
ગઢડા મધ્ય:- 13
વરતાલ:- 7
ગઢડા અંત્ય:-3, 23
પૂરક ગ્રંથ
સ્વામીની વાતો
ભાગવત પુરાણ
સમરી લેખક:
શ્રી ડૉ. હરિતભાઈ જાની (સિડની)
શ્રી ડૉ. જશવંતભાઈ સુથાર (એલ.એ.)
શ્રી હર્ષદભાઈ પટેલ (અમદાવાદ)
કથા-ગોષ્ઠિની લીંક :
#GP68, #GA23 | 6 430 |
| 17 | ગુરુવાર , 28 મે, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1990
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1572
Summary Part 1:
▪️ટોપિક: ઉપાસના સિદ્ધાંતનો ચોથો મુદ્દો "પ્રગટ-પ્રત્યક્ષ", ભાગ-320
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડમાં મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ સહિત જ પધારે છે. અને તેની ઓળખાણ સૌને કરાવે છે કે - મોક્ષનુ દ્વાર, વડવાનળ જેવા, પરમ એકાન્તિક સત્પુરુષ, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, જે આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. અક્ષરધામનાં ચાર સ્વરૂપ પૈકી તેઓ ચોથું સ્વરૂપ છે. તે મહિમા આત્મસાત્ કરીએ.
આજની કથામાંથી આપણને નીચેના પ્રશ્નોનું સમાધાન મળશે.
▪️સમાગમ કોનો અને કેવી રીતે કરવો જેથી છતી દેહ અક્ષરધામ અનુભવાય?
▪️જીવનો સત્સંગ એટલે શું? સ્વામીની વાતો ૧/૧૫૬ના આધારે સમજીએ.
▪️શાસ્ત્રીજી મહારજના જીવન ચરિત્ર ગ્રંથમાંથી ચૂંટેલા પ્રસંગોની સ્મૃતિ કરીએ.
- યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને જમાડવા બે થાળ જુદા કરે છે.(ઠાકોરજી અને શાસ્ત્રીજી મહારાજ) ગુરુમાં ભગવાનપણાનો ભાવ (પ્રગટની ભક્તિ)
▪️પુરુષોત્તમપુરામાં શિબિર ટાણે પ્રમુખસ્વામી મહારાજને પ્રશ્ન “શાસ્ત્રીજી મહારાજ સાથે કેવો સંબધ? (ચાર વિકલ્પ). સ્વામીશ્રીએ શું કહ્યું ? તે આત્મસાત્ કરવા જેવું છે.
▪️વચનામૃત ગઢડા પ્રથમ 68 માં આઠ પ્રકારની મૂર્તિ અને નવમા સંતમાં ભગવાનનો વાસ છે. એ આઠ પ્રકારની મૂર્તિ કઈ? અને ગુણાતીત સંતમાં અખંડ રહે છે તેના પ્રમાણ કયા? (ગઢડા પ્રથમ 41)
▪️રોજે રોજના જીવનમાં અને પ્રવૃત્તિમાં મૂર્તિ અને સંતની મર્યાદા કેવી રીતે રાખવાની?
▪️ગુરુહરિ મહંતસ્વામી મહારાજના મનુષ્યભાવ ચરિત્ર તેમના સેવક સંત પૂજ્ય ઉત્તમયોગીદાસ સ્વામીના મુખે સાંભળીએ.
▪️“ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણો, ગુરુ,ર્દેવો મહેશ્વર:, ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ ..” શ્લોકનો યથાર્થ મહિમા સમજીએ.
▪️ભાગવત ધર્મનું પોષણ અને રક્ષણ કોણ કરે છે? વચનામૃત ગઢડા પ્રથમ 54 ની સારંગપુર 18 સાથે સાંકળી કરી સમજીએ.
▪️વચનામૃત પંચાળા 7 માં ભાગવતના 1/1/1/ શ્લોકનો ઉલ્લેખ કર્યો છે તેમાં શું સમજવાનું છે?
जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट्
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः|
तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि||
▪️ઉપાસનાનો સિદ્ધાંત પાકો થયો કયારે જાણવો?
▪️માયિક ઉપાધિ ટાળીને બ્રહ્મરૂપ થયો એવો ભક્ત અને કેવળ આત્મજ્ઞાની હોય તેમ શું ભેદ છે? તેને કુસંગ કેમ કહ્યો? તથા ભગવાનની દયા અને સ્નેહના અધિકારી ક્યારે બનીએ તે વચનામૃત ગઢડા અંત્ય 3ના આધારે સમજીએ.
▪️વચનામૃત ગઢડા અંત્ય 23 માં શ્રીજીમહારાજ માનસી કરવાની રીત સમજાવીને પ્રગટ ભગવાનની માનસી પૂજા તરફ કેવી રીતે લઈ જાય છે?
▪️આ જ મુદ્દાના સંદર્ભમાં મહંતસ્વામી મહારાજની માનસી કેવી રીતે કરી શકાય તેનું અદભુત ચિત્ર પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી ઊભું કરે છે.
▪️વચનામૃત વરતાલ પ્રકરણ 7 માં શ્રીજીમહારાજ કહે છે, કે, ભગવાન જે જે તત્વોને અંગીકાર કરે છે તે બ્રહ્મરૂપ થઈ જાય છે. તેમાં શું સમજવાનું છે?
▪️માનસી પૂજામાં શું અનુભવાય છે? કેવી પ્રાપ્તિ થાય છે તે વચનામૃત સારંગપુર 2ના આધારે સમજીએ.
▪️સ્વામીની વાત પ્રકરણ 3/9 માં જણાવેલ પ્રસંગથી વિચારીએ કે,
*શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને ગુણબુદ્ધિવાળા કેમ કહ્યા?
*પર્વતભાઈ જેવા ખરેખરા સત્સંગી ક્યારે થવાય?
▪️અક્ષરધામનું સુખ અહીં લેવા કયા પ્રકારની નિર્દોષબુદ્ધિ રાખવી જોઈએ?
▪️અંતમાં પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીએ મજકુર કહ્યો કે, માનસી પૂજા એટલે અંદરનાને બહાર લાવવાના છે. નિરંતર અક્ષર નિષ્ઠાનું રટણ અનિવાર્ય છે. | 5 351 |
| 18 | ગુરુવાર 28 મે 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1990
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1572
─⊱✿⊰─
વિષય:અક્ષરધામમાં ભગવત્સેવા પ્રાપ્તિનાં 16 સાધન
(અધ્યાત્મમાર્ગે અક્ષરબ્રહ્મનું મહત્વ અને ભૂમિકા તેમજ પરબ્રહ્મનો અપરંપાર મહિમા)
વિશેષ:શરણાગતિના પરિપ્રેક્ષ્યમાં ગીતા 18મા અધ્યાયમાં મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીકૃત ગીતાભાષ્ય 18/62 અનુસાર तमेव शरणं गच्छ सर्वभावेन भारत! तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्।।શરણાગતિ પર કથા
ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો નૂતન વર્ષ આદેશ "પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ."પર વિમર્શ ગોષ્ઠિ અવશ્ય સાંભળો.
વક્તા-પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી
ᴘᴜᴊʏᴀ ᴀᴋsʜᴀʀᴊɪᴠᴀɴᴅᴀs sᴡᴀᴍɪ
અમદાવાદ,શાહીબાગ
જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વોને જાણવા અને પરબ્રહ્મનો અનન્ય ભાવે આશ્રય કરવો તે પર કથા
પ્રસ્તુત કથા પર દેશ-વિદેશના BAPS યુવકોની ગોષ્ઠિનો અદ્ભુત લાભ
સમય- 2:25:31
પરાવાણી જાણકારી- https://t.me/c/1145241904/52849
સદસ્યોને વિનંતી:
પરાવાણી કથાગોષ્ઠિ શૃંખલાનો અમૂલ્ય લાભ લઈએ અને બીજાને પણ લાભ અપાવીએ
#SadhuAksharjivandas
#vachanamrut #KathaGoshthi
#6Vichar | 5 972 |
| 19 | બુધવાર, 27 મે, 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1989
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1571
▪️ટોપિક: ઉપાસના સિદ્ધાંતનો ચોથો મુદ્દો "પ્રગટ-પ્રત્યક્ષ", ભાગ-319
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડમાં મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ સહિત જ પધારે છે. અને તેની ઓળખાણ સૌને કરાવે છે કે - મોક્ષનું દ્વાર, વડવાનળ જેવા, પરમ એકાન્તિક સત્પુરુષ, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ છે, જે આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. અક્ષરધામના ચાર સ્વરૂપ પૈકી તેઓ ચોથું સ્વરૂપ છે. તે મહિમા આત્મસાત્ કરીએ.
આજની કથામાંથી આપણને નીચેના પ્રશ્નોનું સમાધાન મળશે.
▪️ ભગવાન સ્વામિનારાયણ સત્પુરુષમાં અખંડ પ્રગટ રહે છે, અને આપણને કલ્યાણનો માર્ગ ખુલ્લો રાખે છે. એ સિદ્ધાંત શાસ્ત્રીજી મહારાજના પોતે જ અનેક ભક્તોને સમજાવ્યો હતો. આવા પ્રસંગોની સ્મૃતિ કરીએ.
▪️ શાસ્ત્રીજી મહારાજના સમયના ભક્તો શાસ્ત્રીજી મહારાજનું સુખ કઈ રીતે લેતા તે વિવિધ જીવન પ્રસંગોના આધારે આપણે સમજીશું. શાસ્ત્રીજી મહારાજના શિષ્ય વિષ્ણુપ્રસાદ સ્વામીને શાસ્ત્રીજી મહારાજે કઈ રીતે પોતાનું સ્વરૂપ સમજાયું હતું, અને સ્વસ્વરૂપની વાતો કરી હતી તે વિશેષ એ કરીને સમજીશું.
▪️ પ્રગટ ભગવાન પાસે નિષ્કપટ થવાથી આપણને કેવી શાંતિ થાય છે, એને આધ્યાત્મિક માર્ગે કેવી પ્રગતિ થાય છે તે શાસ્ત્રીજી મહારાજના સમકાલીન હરિભક્તોના જીવનપ્રસંગોના આધારે સમજીશું.
▪️ શિક્ષાપત્રી અને સત્સંગદીક્ષા જીવનમાં પાળવાથી આપણને વ્યાવહારિક અને આધ્યાત્મિક ક્ષેત્રે કેવી પ્રગતિ થાય છે, અને શાંતિ રહે છે તે વિવિધ પ્રસંગો દ્વારા સમજીશું.
▪️ સત્પુરુષ હંમેશા ભગવાનની મૂર્તિમાં આરામ કરતા હોય છે. આ ભગવાનની મૂર્તિમાં આરામ કરવો એટલે શું? અને તે આપણે કઈ રીતે સિદ્ધ કરી શકીએ?
▪️ શ્રીજીમહારાજ વચનામૃત લોયા પ્રકરણ 11 માં સમજાવે છે કે -
માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દૃઢ
નિશ્ચય થયો જોઈએ, તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દૃઢ નિશ્ચય કર્યો છે જે, કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશમાત્ર અંતરાય રાખે નહીં તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહીં.
અહીં "પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દૃઢ નિશ્ચય થયો જોઈએ" એટલે શું સમજવું?
ગોષ્ઠિ સમરી:
નીચેના મુદ્દા/ પ્રશ્નો ઉપર ગોષ્ઠિમુક્તો અને પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામીએ વિમર્શ કર્યો છે:
▪️ સ્વામી, શાસ્ત્રીજી મહારાજના હરિભક્તો શિરસાટે અને નિષ્ઠાથી જોડાયા હતા. વર્તમાનકાળે તે જ પ્રકટ સત્પુરુષ પોતાના સ્વરૂપની ઓળખાણ આપે છે. તેમનું કાર્ય પણ તે પ્રમાણે જ છે. છતાં પણ જે જોડાણ થવું જોઈએ તેવું અત્યારે, સત્પુરુષ સાથે જોડાણ થતું નથી. તો તેનું કારણ આધુનિકતા છે? કે બીજું કાંઈ કારણ છે?
▪️ સ્વામી, ભગવાનનો મહિમા અને યથાર્થ મહિમા વચ્ચે શો ભેદ છે? અને યથાર્થ મહિમા સમજાય તે માટે મારે શું કરવું?
▪️ સ્વામી, ગૃહસ્થને મંદિરની સેવા અને લૌકિક કાર્ય કરતા કરતા નિરંતર ભગવાનનું અનુસંધાન રહેતું નથી. તો તે માટે મારે શું પ્રયત્ન કરવો?
▪️ સ્વામી, નિયામક સંતો કે વડીલ હરિભક્તોના નેતૃત્વ નીચે સેવા કરતા હોઈએ, અને તેમની આજ્ઞામાં રહીએ, તો તે સત્પુરુષની જ આજ્ઞામાં જ રહીને કાર્ય કરીએ છીએ એમ કહેવાય?
▪️ સ્વામી, કથાવાર્તા દ્વારા આત્મા-પરમાત્માના જ્ઞાનવાળો શ્રેષ્ઠ છે. તે મને સમજાય છે. પણ વાસ્તવિક જીવનમાં મારે કઈ રીતે આત્મા-પરમાત્માના જ્ઞાનવાળા થવું?
▪️ સ્વામી, જ્ઞાન અને વર્તનમાં શું તફાવત છે?
▪️ સ્વામી, આત્મા-પરમાત્માનું જ્ઞાન સત્સંગ અને કથાવાર્તા દ્વારા થાય છે. પરંતુ હું તે દિશામાં કેટલો આગળ વધું છું તે કેવી રીતે ખબર પડે?
▪️ સ્વામી, સ્વામીની વાત પ્રકરણ ૧/૧૫૬માં હરિભક્તોના પ્રકારની વાત કરી છે. તેમાં સ્વામી, જ્ઞાની ગૃહસ્થને કઈ પરિસ્થિતિમાં ધક્કો લાગ્યો હોય તો તે ઊભો થઈ જાય? તે સમજાવોને.
▪️ સ્વામી, પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે - સત્સંગમાં ટકી રહેવા માટે ક્રિયા પ્રવર્તાવી છે. પણ મને અનુભવ થયો કે, ક્રિયા કરું તો સત્સંગમાં ટકાય, ને વધારે ક્રિયા કરું તો સત્સંગમાં પાછું પડી જવાય છે. તે સમજાવોને.
▪️ સ્વામી, વચનામૃતનું જ્ઞાન સાચું જ્ઞાન થયું ક્યારે કહેવાય?
આજની કથાનો મુખ્ય આધાર:
વચનામૃત ગઢડા પ્રથમ:-73
ગઢડા અંત્ય:- 22
સારંગપુર:-3
શાસ્ત્રીજી મહારાજ જીવનચરિત્ર
પૂરક વચનામૃત
ગઢડા પ્રથમ:-16, 32
લોયા:- 11
પૂરક ગ્રંથ
સ્વામીની વાતો
સમરી લેખક:
શ્રી ડૉ. હરિતભાઈ જાની (સિડની)
શ્રી ડૉ. જશવંતભાઈ સુથાર (એલ.એ.)
શ્રી હર્ષદભાઈ પટેલ (અમદાવાદ )
કથા-ગોષ્ઠિની લીંક https://t.me/c/1145241904/53914
#GP73. #SA03 | 6 661 |
| 20 | બુધવાર 27 મે 2026
(વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 24)
💁♂️ભાગ:-1989
સાધન:-14-15-16 નો
💁♂️ભાગ:-1571
─⊱✿⊰─
વિષય:અક્ષરધામમાં ભગવત્સેવા પ્રાપ્તિનાં 16 સાધન
(અધ્યાત્મમાર્ગે અક્ષરબ્રહ્મનું મહત્વ અને ભૂમિકા તેમજ પરબ્રહ્મનો અપરંપાર મહિમા)
વિશેષ:શરણાગતિના પરિપ્રેક્ષ્યમાં ગીતા 18મા અધ્યાયમાં મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીકૃત ગીતાભાષ્ય 18/62 અનુસાર तमेव शरणं गच्छ सर्वभावेन भारत! तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्।।શરણાગતિ પર કથા
ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો નૂતન વર્ષ આદેશ "પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ."પર વિમર્શ ગોષ્ઠિ અવશ્ય સાંભળો.
વક્તા-પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી
ᴘᴜᴊʏᴀ ᴀᴋsʜᴀʀᴊɪᴠᴀɴᴅᴀs sᴡᴀᴍɪ
અમદાવાદ,શાહીબાગ
જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ તત્વોને જાણવા અને પરબ્રહ્મનો અનન્ય ભાવે આશ્રય કરવો તે પર કથા
પ્રસ્તુત કથા પર દેશ-વિદેશના BAPS યુવકોની ગોષ્ઠિનો અદ્ભુત લાભ
સમય- 2:37:41
પરાવાણી જાણકારી- https://t.me/c/1145241904/52849
સદસ્યોને વિનંતી:
પરાવાણી કથાગોષ્ઠિ શૃંખલાનો અમૂલ્ય લાભ લઈએ અને બીજાને પણ લાભ અપાવીએ
#SadhuAksharjivandas
#vachanamrut #KathaGoshthi
#6Vichar | 6 656 |
اکنون در دسترس! پژوهش تلگرام ۲۰۲۵ — مهمترین بینشهای سال 
